________________
૫૦
જૈન આચાર મીમાંસા
આનંદ છે, સ્વપરિણામ છે જ્યાં ફક્ત સમય એટલે કે આત્મા સાર્થક રહે બાકી બધું વ્યર્થ ઠરે.
આપણે સામાયિક વિષે ચિંતન કરતાં એ વાતના નિષ્કર્ષ ઉપર આવ્યા કે સામાયિકમાં કંઈ ક્રિયા ન હોય, તેમાં કંઈ કરવાનું ન હોય, વિચારવાનું ન હોય, કંઈ કરવા જતાં સામાયિક ચૂકી જવાય.. તેથી સામાયિકમાં મંત્ર ન હોય, જાપ ન હોય, શ્વાસ કે પ્રાણધારા જોવાની ન હોય. શ્વાસ તો વ્યર્થમાં ભટકતી વાસનાઓને તોડવા માટે જોવાનો છે. વૃક્ષો, પહાડો, નદીઓ બધુ સમયની ગહરાઈમાં ડૂબેલું છે માટે શાંત છે સ્વસ્થ છે - સુંદર છે. તેમ જ્યારે આત્મા પણ સમયની ગહરાઈમાં સ્થિર થઈ જાય ત્યારે શાંતિ, સ્વસ્થતા, સૌંદર્ય બધું ઉપલબ્ધ થઈ જાય. મુશ્કેલી એ છે કે આપણે કંઈ કરવાની વાત ઉપર જ જીવનભર અટકીને ઊભા છીએ. આપણી ભાષા કંઈક કરવાની છે, કંઈક થવાની છે. કંઈક મેળવવાની છે. તેથી કંઈ ન કરવાની વાત આપણને સમજાતી નથી. જ્યાં કંઈ કરવાની વાત આવી. ત્યાં અન્ય વસ્તુની કે અન્ય વ્યકિતની કે અન્ય પ્રસંગની વાત ઉપસ્થિત થઈ ગઈ. પછી ત્યાં આપણે એકલા નથી રહેતા.
-
સામાયિક એટલે એકાંત શાંત-પ્રશાંત બધું સ્થિર. સામાયિકમાં એકલાપણું ન હોય, તેમાં એકલવાયું ન લાગે. સામાયિકમાં ‘લોનલીનેસ’ ન હોય પણ ‘એલોનનેસ’ હોય. એકલવાયાપણામાં અન્યની હસ્તીની અપેક્ષા રહે છે કારણ કે તે વિના આપણને બધું બરોબર નથી લાગતું. જ્યારે એકાંતમાં અન્યની હાજરી અડચણ રૂપ હોય છે. સામાયિક તેની ચરમ કક્ષાએ પહોંચે ત્યારે ત્યાં શરીરનું