________________
१२
જૈન આચાર મીમાંસા સરખાવી શકાય. તેમાંથી રોજ વિદ્યુતનો પ્રવાહ મળતો જ રહે અને જીવન જીવવાનું આપણને બળ મળતું રહે. આવશ્યક ક્રિયાઓ રોજ થતી રહે - રોજ તે ચાર્જ થતી રહે તો જ તે બોલાવે બોલ દે તેવી બને છે અને જીવનને એક પુષ્ટ આલંબન પૂરું પાડે છે. જૈન વિચાર સ્વસ્થ છે તો જૈન આચાર સુદઢ છે. જૈન આચાર વિશે વાત ન કરીએ તો જૈન તત્વની મીમાંસા અપૂર્ણ રહે.
સામાયિક :
આ જે છ આવશ્યક ગણવામાં આવે છે તેમાં સામાયિક અત્યંત મહત્ત્વને સ્થાને છે. સામાયિક જૈન ધર્મની આગવી દેન છે. અન્ય કોઈ ધર્મમાં તેનો ઉલ્લેખ નથી અને ક્યાંક કદાચ તેને મળતી ક્રિયાનો-અવસ્થાનો ઉલ્લેખ થયો હશે તો પણ આવા સંપૂર્ણ સ્વરૂપે જૈન ધર્મ સિવાય સામાયિક બીજે ક્યાંય પ્રસ્થાપિત થયેલું નથી. જૈન ધર્મમાં સામાયિકની એટલી બધી મહત્તા છે કે ઘણી જગાએ તો જૈન ધર્મને સામાયિક ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. એનો અર્થ એ થાય કે કોઈ જો ફક્ત સામાયિક જ સાધી લે તો જૈન ધર્મનું તેમાં પાલન આવી ગયું. આ છે સામાયિકની મહત્તા.
સામાયિકમાં આવું તે શું છે તે સમજ્યા વિના તેની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? સામાયિક શબ્દ સાથે સમ ધાતુ જોડાયેલો છે. સમ એટલે સરખું - સંતુલિત વગેરે. સમતા, સમત્વ, સમાધિ, સામાયિક, બધા ‘સમ ધાતુની નીપજ છે. સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં સામાયિક શબ્દ અમુક સમયને અંતરે બહાર પડતી છાપેલી પત્રિકા ઇત્યાદિ માટે વપરાય છે. પણ જૈનોમાં સામાયિક શબ્દ