________________
આચારસંહિતા
૩૯
આચારનું ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. સાધુએ તો વળી શ્રાવક કરતાંય વધારે ચુસ્ત રીતે આચાર પાળવાના હોય છે. અને જૈનો તે આચારોનું પાલન પ્રમાદ વિના કરતા રહે તેનું ધ્યાન રાખવાનું હોય છે. જૈન ધર્મમાં આચાર વિભાગ અને વિચાર સંપૂર્ણતયા સંલગ્ન છે અને તેથી તેનાં મૂળિયાં ખૂબ ઊંડે સુધી ગયાં છે. અન્ય ધર્મોનાં જોરદાર આક્રમણો સામે જૈન ધર્મ આજ સુધી ટકી રહ્યો છે અને સમૃદ્ધ રહ્યો છે તેનું કારણ તેના આચાર અને વિચારોનું યથાયોગ્ય સંતુલન.
છ આવશ્યક
છ
જૈન ધર્મના આચાર વિભાગમાંનો એક એટલે આવશ્યક’', સાધુ હોય કે શ્રાવક તેણે છ આવશ્યક ક્રિયાઓ હંમેશાં કરતા રહેવાની હોય છે. આ છ આવશ્યક છે ઃ (૧) સામાયિક (૨) ચતુર્વિંશતી સ્તવ (૩) વંદન (૪) પ્રતિક્રમણ (૫) કાયોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. દિગંબર સંપ્રદાયના મૂલાચારમાં કાયોત્સર્ગ છેલ્લે આવે છે અને પ્રત્યાખ્યાન પ્રતિક્રમણ પછી તુરત જ આવે છે પણ તેમાં કંઈ મૂળભૂત તફાવત નથી. એમ માનવામાં આવે છે કે આ આવશ્યક તીર્થંકર પરમાત્માના મુખમાંથી નીકળેલાં અને બુદ્ધિનિધાન શ્રી ગણધર ભગવંતોએ સંધના હિત માટે અંતર્મુહૂર્તમાંજ તેની રચના કરેલી. બીજા એક મત પ્રમાણે છ આવશ્યક સુધર્માસ્વામીના કાળ પછી રચવામાં આવેલાં છે.
ગમે તેમ હોય પણ તેનું અતિમહત્ત્વ ગણીને આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ તેના ઉપર નિર્યુક્તિ રચી. પાછળથી આચાર્ય હરિભદ્રસૂરિએ પણ તેના ઉપર ઘણું લખ્યું અને તેને હાલમાં જે સ્વરૂપે છે તે સ્વરૂપે રજૂ કર્યાં. ત્યાર પછી પણ ગીતાર્થ મુનિઓએ