________________
જેન આચાર મીમાંસા તપાચારમાં છ બાહ્ય અને છ અત્યંતર, તપોને તેનાં રહસ્યો સમજીને યથાશકિત સેવવાની તેમજ અન્ય પણ નાનામોટાં તપ કરતા રહેવાની ભલામણ કરવામાં આવે છે. મનોવૃત્તિઓનું શોધન કરવાની તેમજ વિભાવમાં રમતી ચિત્તવૃત્તિઓનો સંક્ષેપ કરવાની બાબત પણ તપાચારની અંતર્ગત છે.
વીર્યચારમાં તો જ્ઞાનાદિ માટે આચારોને સેવવામાં પ્રમાદને છોડીને પોતાની શક્તિ ગોપવ્યા વિના પુરુષાર્થ કરવાની, ધર્મનાં એકેક અનુષ્ઠાનને સેવતી વખતે ઉત્સાહ રાખવાની તેમજ તેમાં મન, વચન અને કાયાની એકાગ્રતા સાધી આત્માના ઉપયોગને જોડવાની વાત રહેલી છે.
આપણું જીવન સ્મૃતિ અને કલ્પનાના કિનારા વચ્ચે વહી જાય છે. પણ આપણને તેના મૂળ સ્ત્રોત-અસ્તિત્વની – આત્માની ઝાંખી થતી નથી. આત્માની જેને અનુભૂતિ થાય છે તેનો સંસાર સરી પડે છે અને પછી તે આનંદમાં સ્થિત થઈ જાય છે. આત્માના - અસ્તિત્વના આવિષ્કાર માટે જૈન ધર્મમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનો માર્ગ બતાવવામાં આવ્યો છે. જૈન ધર્મની આ ત્રિવેણી છે. તેને રત્નત્રયી પણ કહે છે. આમ જોઈએ તો આ ત્રણેય આત્માનાં જ રૂપ છે. એ રીતે તે ત્રિમૂર્તિ છે. અસ્તિત્વની શુદ્ધતામાં તે પ્રગટે છે. વાસ્તવિકતામાં જે આપણું છે તેને જે પ્રગટ કરી આપણે ભોગવવાનું છે તેને માટે પંચાચાર છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ શબ્દો ખૂબ મૂલ્યવાન છે. મહાવીરના તત્ત્વજ્ઞાનનું તે નવનીત છે. દર્શન એટલે જે છે તે સ્વરૂપે જોવાની ક્ષમતા, જ્ઞાન એટલે બોધ-સમજ અને