________________
જૈન આગાર મીમાંસા
જીવ કરતો જ આવ્યો છે. પણ તેનું ઠેકાણું નથી પડ્યું, કારણ કે તે ‘સમયક્’ ન હતાં. તો ‘સમ્યક્’ને પકડવા શું કરવું તે વાત ખૂબ મહત્ત્વની બની જાય છે.
દરેક જીવની ક્ષમતા - શક્તિ સરખી નથી હોતી; પણ ભગવાનની કરુણા અસીમ છે. તેમની ભાવના હતી કે સૃષ્ટિના સર્વ જીવોને મોક્ષમાર્ગે ચઢાવી દઉં, જેથી તેમના ઉપર દુઃખની છાયા પણ ન પડે. આ માટે તેમણે તલસ્પર્શી ચિંતન કર્યું અને સૌ જીવોને સરળ પડે અને સુલભ રહે તેવી વાત રજૂ કરી. આ વાત એટલે પંચાચાર- પાંચ પ્રકારના આચાર. ઓછી સમજવાળો, ઓછા જ્ઞાનવાળો અને ઓછી શક્તિવાળો જીવ પણ પંચાચારનુંય પાલન કરતો કરતો પ્રબળ શક્તિ પ્રાપ્ત કરી શકે છે. જેનાથી આગળ ઉપર તે ઝપાટાબંધ મોક્ષ માર્ગની યાત્રા કરી શકે છે.
જૈન ધર્મમાં આચાર અને વિચાર બંનેનું સરખું મહત્ત્વ છે. દર્શન અને ચિંતન દ્વારા મોક્ષ માર્ગનું વિશદ - સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું. અને તે પ્રાપ્ત કરવા માટે છ આવશ્યક છ બાબતોનું આયોજન કરવામાં આવ્યું. શ્રાવક અને સાધુ માટે છ આવશ્યક તો સૂચવ્યાં અને સમજાવ્યાં પણ પછી જ્ઞાનીઓને લાગ્યું કે જીવને કદાચ આ છ આવશ્યકનું પાલન કરવાની વાત અઘરી લાગે અને તે સાધતાં સમય લાગે તો તેનાથી પણ સરળ માર્ગ બતાવવો. તે માટે પંચાચારનું નિરૂપણ થયું.
-
પંચાચાર સૌ જીવો માટે સરળ અને સુલભ છે. આમ જોઈએ તો પંચાચાર' છ આવશ્યકની અંદર આવી જ જાય છે પણ તેની સરળતા અને સુલભતા જોતાં તેને પૂર્વાચાર તરીકે પણ ઓળખી