________________
પંચાચાર-સાધનાનું પ્રથમ ચરણ કેટલો ઉપયોગી છે કે અસરકારક છે તે સમજવા માટેની બે ચાવીઓ છે. જેનાથી મોક્ષમાર્ગનાં બધાં તાળાં ખૂલી જાય છે - તે છે સંવર અને નિર્જર. પળે પળે જીવ સાત પ્રકારના કર્મ બાંધે છે (આયુષ્ય કર્મ જીવનમાં એક વાર બંધાય. તે વખતે જીવ આઠ કર્મ બાંધે.) અને આઠ કર્મ ભોગવે છે. મોક્ષનો સીધો સાદો અર્થ છે કર્મથી મુકિત. મોક્ષ એટલે કમરહિત અવસ્થા. કર્મરહિત થવા માટે બે પ્રકારે પુરુષાર્થ કરવો પડે છે. એક તો નવાં આવતાં કર્મને રોકો જેને સંવર કહે છે. બીજી વાત છે અનંત ભવોમાં જીવે જે કર્મો ભેગાં કર્યાં છે તેને કાઢો - નિર્જરો. આ બે વાતનો ખ્યાલ રાખીને પુરુષાર્થ કરનાર જીવ કાળે કરીને પણ મોક્ષને પામી શકે. જૈન ધર્મ પ્રરૂપિત દરેક ક્રિયામાં સંવર કેટલો સધાય છે અને નિર્જરા કેટલી થાય છે તે પ્રમાણે તેનું મૂલ્ય અંકાય છે.
અનંતા ભાવોમાં જીવે જે કર્મ એકઠાં ક્ય હોય છે તેનો નિકાલ, કર્મ ભોગવીને તો ન થાય કારણ કે તેમાં કાળ પણ ઘણો જાય. વળી કર્મના ભોગવટા વખતે જીવ બીજાં નવાં કર્મો બાંધતો જાય છે. તેથી
જીવ ઉપરથી કર્મ સંપૂર્ણ રીતે કયારેય ખસતાં નથી. આ : પરિસ્થિતિમાંથી ઉગરવા માટે જૈન ધર્મમાં સંવરની સાધના બતાવી છે. સંવરથી નવાં આવતાં કર્મો અટકી ગયાં કે તેનો પ્રવાહ ધીમો પડી ગયો પણ આત્મા સાથે ગત જન્મોનાં જે કર્મો ચીપકી ગયાં છે. તે કર્મોને ખસેડવા માટે નિર્જરી કરવી પડે. તપ એ માટેનું અમોઘ શસ્ત્ર છે. તપથી કર્મો તપી-તપીને ખરી જાય. આ છે તપાચારનું રહસ્ય. આ કારણે જૈન ધર્મમાં તપનું ખૂબ મહત્ત્વ રહેલું છે. -