________________
જૈન આચાર મીમાંસા તેના પછી અત્યંતર તપની શરૂઆત થાય છે. '
બાહ્ય તપ શબ્દ જ એ વાતનું સૂચન કરે છે કે જે ખરું તપ છે તે અત્યંતર તપ છે, તેની પૂર્વતૈયારી રૂપે આ બાહ્ય તપો છે. કોઈ વૈભવશાળી મહેલ હોય અને તેનાં પ્રાંગણમાં ઊભા રહીને તેને જોતાં જ દિગમૂઢ થઈ જઈએ અને ત્યાં જ અટકી જઈએ તો મહેલની ખરી આંતરિક સમૃદ્ધિ અને વૈભવ જોવામાંથી આપણે વંચિત રહી જઈએ, તેમ જે લોકો બાહ્ય તપ ઉપર જ અટકી જાય છે અને તેને જ પરિપૂર્ણ માની લે છે તેઓ તો મહેલનાં દ્વાર ઉપર અટકી ગયેલા માણસો જેવા છે. '
અત્યંતર તપ જ ઘણાં મહત્ત્વનાં છે અને અસરકારક છે પણ તેનો એ અર્થ નથી કે બાહ્ય તપની કંઈ કિંમત નથી. જે વ્યકિત બાહ્ય તપ પણ નથી કરી શકતી અને વળી તેનો અનાદર કરે છે તે અત્યંતર તપ જેવાં દુઃસહ્ય દુઃખે સહન કરી શકાય તેવાં તપોને કેવી રીતે આચરી શકે? બાહ્ય તપમાં પ્રથમ શરીરને સાધવાનું છે, કારણ કે શરીરમાં જ આત્મા રહે છે અને શરીર દ્વારા તે કાર્યરત થાય છે. જીવ શરીરના યોગોથી કર્મ બાંધે છે, કર્મ ભોગવે છે અને કર્મને કાઢે છે પણ શરીરના યોગો દ્વારા. તેથી તો જ્ઞાનીઓએ તપાચારમાં સૌ પહેલાં શરીરને સાધવાની વાત ઉપર ધ્યાન આપ્યું. કોઈ કિલ્લો સર કરવો હોય તો તેના અંતરકોટને – અંદરના ગઢને જીતવો રહ્યો. પણ જ્યાં સુધી બહારનો ગઢ પડે નહીં ત્યાં સુધી અંદરનો ગઢ કેવી રીતે પડે? અભ્યતર તપ એ શબ્દો જ સૂચવે છે કે એમાં કંઈક અંદરની વાત રહેલી છે. અત્યંતર તપ એ આત્મિક તપ છે. તે તપ એટલું બહાર દેખાતું નથી પણ તે જ બળવાન છે