________________
૩૦
, જૈન આચાર મીમાંસા વિસર્જનમાં છે. સંસારના વિસર્જનમાં છે – જે ખૂબ આગળની ચરમ અવસ્થા છે. એ રીતે જોઈએ તો બાહ્ય તપ અને અત્યંતર તપની અંતિમ નિષ્પત્તિ વ્યુત્સર્ગની છે.
અત્યંતર તપથી આપણી ભીતર રહેલાં તૈજસ અને કર્મશરીરનો સીધો સંપર્ક થવા લાગે છે. અત્યંતર તપ અગ્નિ જેવું પ્રબળ છે જે કર્મોને તપાવીને ખેરવી નાખે છે અને તેનાથી કર્મોની અનર્ગળ નિર્જરા થાય છે, પરિણામે આપણું સમગ્રતયા પરિવર્તન થઈ જાય છે. સાધના સઘન બને એટલે અત્યંત તપમાં પરિણમે..
તપાચારમાં એ વાત ન વિસરાવી જોઈએ કે તપ, તપ માટે નથી કરવાનું આત્માની અનંત સંપદાની આડે કર્મોની જે અભેદ દીવાલ ઊભી થઈ ગઈ છે તેને તોડી પાડવા માટે કરવાનું છે, જેથી અંતે આપણે આત્માની અનંત સંપદાને ભોગવી શકીએ. આમ તપાચાર ખૂબ મહત્ત્વની વાત છે. જે જીવનના પ્રાપ્તવ્યની ખૂબ નજીક આપણને લાવી મૂકે છે. તપાચારથી બાહ્ય શરીર ક્ષીણ થાય પણ આત્માનું ઓજસ બહાર આવવા લાગે છે મુખ ઉપર વર્તાય, કારણકે તપથી તૈજસ શરીર(જે સૂક્ષ્મ શરીર છે)નો વિકાસ થાય છે. તપથી પ્રાણધારા એટલી સક્ષમ-શકિતશાળી બની જાય છે કે તપસ્વીના સાંનિધ્યમાં આપણને શાંતિનો અહેસાસ થાય છે. તપથી વચનસિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. આવાં બાહ્ય લક્ષણોથી અંદર ઝગમગી રહેલ આત્મજ્યોતિની ઝાંખી થઈ શકે છે.
તપાચારનું આ મહત્ત્વ સમજીને સૌએ પોતપોતાની શક્તિ પ્રમાણે તપાચાર આદરવા તત્પર થવાનું છે. અને ઉત્તરોત્તર તેમાં આગળ વધતા રહેવાનું છે. જ્ઞાનીઓ તો એટલે સુધી કહે છે કે તપ વિના સિદ્ધિ નહીં.