________________
૨૮
જૈન આચાર મીમાંસા આવો ભાવ આવ્યા પછી સાધુની જે સેવા થાય એમાં અન્યની સેવા ન લાગે. આવી સેવામાં અંતરનો ઉલ્લાસ રહે. વૈયાવચમાં સાધુજીવનના આચાર-વિચાર સાથેના તાદાભ્યનો ભાવ મુખ્ય છે.
જ્યાં સુધી આવા ભાવથી સાધુની સેવા-સુશ્રુષા ન થાય ત્યાં સુધી તે તપ ન બને. પશ્ચિમના દેશોમાં સેવા’ શબ્દ “સર્વિસ” કે સહાયના અર્થમાં વધારે વપરાય છે તેમાં અનુકંપાનો - દયાનો ભાવ વધારે હોય છે. બીજી બાજુ વૈયાવચ શબ્દ ઘણો વિશાળ છે. એમાં મમત્વનું વિર્સજન અને સાધુજીવન પ્રત્યેનું સન્માન, સ્વીકાર અને તાદામ્ય રહેલું છે, માટે તો તે તપની કક્ષામાં આવે છે. વૈયાવચમાં ચારિત્ર પ્રત્યેનું બહુમાન રહેલું છે.
સ્વાધ્યાય જેવું તો કોઈ તપ નથી. સ્વાધ્યાય એટલે ‘સ્વ'નું અધ્યયન એટલે કે આત્માનું ચિંતવન. આમ તો આત્મા દેખી શકાતો નથી તેથી પરોક્ષ રીતે તેનું ચિંતવન કરવાનું હોય છે. તે માટે વાંચના - શાસ્ત્રો વાંચવાં કે ભણવાં, પૃચ્છના – વાંચેલી વાત વિષે પૂછીને તેનો અર્થ ને રહસ્યો સમજવાં, પરાવર્તના - શાસ્ત્રોની વાતો સમજ્યા પછી તેના વિષે પુનઃ વિચાર કરવો; અનુપ્રેક્ષા એટલે જે જ્ઞાન મેળવ્યું હોય તેનાં રહસ્યો અને અર્થો વિશે પછીથી ચિંતવન કરવું અને ધર્મ સંબંધી ચર્ચાવિચારણા કરવી. આ બધાં સ્વાધ્યાયના અંગો છે. અત્યંતર તપમાં એક પછી એક તપ વધારે ને વધારે સૂક્ષમ અને શક્તિશાળી બનતું જાય છે. ધ્યાન એ તો મોટો અને જટિલ વિષય છે.
ધ્યાન જેવું કોઈ શકિતશાળી તપ નથી. ધ્યાન વિના અનંતા જન્મોમાં ભેગાં કરેલાં કે નિગોદથી જ જીવ સાથે જડાયેલાં કર્મોને