________________
પંચાચાર-સાધનાનું પ્રથમ ચરણ
અને તેનું ફળ ઘણું છે. લક્ષ્યને સિદ્ધ કરનાર તો અત્યંતર તપ જ છે. બાહ્ય તપ તેમાં સહાયક છે.
અત્યંતર તપમાં આવે છે પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ કે કાયોત્સર્ગ.
પ્રાયશ્ચિત્ત એ અંદરનું તપ છે. તેમાં કોરા પશ્ચાત્તાપની વાત નથી. જો અંદરની ગાંઠ ખૂલે નહીં, અંદર શલ્ય હોય – ખટકો રહેલો હોય તો પ્રાયશ્ચિત્ત કેવળ બાહ્ય ક્રિયા કે ઉપચાર બની રહે. પ્રાયશ્ચિત્ત એ શિષ્ટાચાર નથી. પ્રાયશ્ચિત્ત એ ભાવક્રિયા છે જે અંદરથી પરિવર્તન થયા વિના ન થાય. પ્રાયશ્ચિત્ત ચિત્તશોધનની પ્રક્રિયા છે, તેનાથી દોષોનું નિવારણ થાય છે. જૈન ધર્મમાં વિનયનું જે વ્યાપક સ્વરૂપ છે તેવું ભાગ્યે જ બીજી કોઈ જગાએ જોવા મળે છે. જૈન ધર્મ વિનયને સાત પ્રકારે કહ્યો છે જ્ઞાન વિનય, દર્શન વિનય, ચારિત્ર વિનય, મન વિનય, વચન વિનય, કાય વિનય, લોકોપચાર વિનય. આમ જોઈએ તો એમ લાગે કે ભગવાન મહાવીરની સાધના પદ્ધતિ ‘વિનય’માં સંગ્રહિત થઈ ગઈ છે. વિનય એ આંતરિક પ્રક્રિયા છે. જ્યાં સુધી ‘અહં’ જાગતો હોય ત્યાં સુધી સાચા અર્થમાં વિનય ન આવે. વિનય એ ‘અહં’ના વિસર્જનની પ્રક્રિયા છે - તે કંઈ નાની–સૂની નથી. પ્રાયશ્ચિત્તમાં સંસ્કારોની ગ્રંથિઓ ખોલી નિર્મળ કરવામાં આવે છે. વિનયમાં અહંકારનું વિસર્જન થાય છે.
-
વૈયાવૃત્ત કે વૈયાવચમાં સાધુઓ – મુનિઓની સારસંભાળની વાત છે. પણ સામાન્ય સહાય કે સેવા અને વૈયાવચ્ચમાં ઘણો તફાવત છે. વૈયાવચમાં સાધુઓ સાથે, સાધુજીવન સાથેના તાદાત્મ્યની વાત છે. સાધુજીવન સાથે એકતા લાગે, સાધુઓ પ્રત્યે બહુમાન રહે.
-
૨૭