________________
પંચાચાર-સાધનાનું પ્રથમ ચરણ
દિવસ કે રાત પૂરતાં સાધુચર્યા પાળવી. (૧૨) અતિથિસંવિભાગ એટલે અતિથિને દાન આપી તેની ભક્તિ કરવી. મોટેભાગે તે સાધુસાધ્વીને અનુલક્ષીને કરવામાં આવે છે.
સાધુ માટે પાંચ મહાવ્રતો અને ગૃહસ્થ માટે આ બાર વ્રતો ચારિત્રાચાર છે.
1
૨૧
આમ જોઈએ તો આખો ચારિત્રાચાર કર્મના સંવર અને નિર્જરામાં સમાઈ જાય છે. પણ સૌ કોઈ પાળી શકે તે માટે તેનો વિધવિધ રીતે વિચાર કરવામાં આવ્યો છે. ચારિત્રાચાર એટલે સંયમ અને નિગ્રહ. એ પુરુષાર્થ માંગી લે છે. તેમાં ક્યાંય પ્રારબ્ધની વાત નથી. ચારિત્ર માર્ગમાં બહારથી અક્રિયતા લાગે પણ અંદરથી સક્રિયતા હોય. વાસ્તવિકતામાં ચારિત્રાચાર કષાયો અને કર્મ સાથેના સંઘર્ષનો માર્ગ છે. આ સંઘર્ષમાં વિજય પ્રાપ્ત કરી સંસારને મુક્તિમાર્ગ બતાવનાર તીર્થંકરોને તેથી ‘અરિહંતાણં’ કહી નમસ્કાર કરવામાં આવે છે.
-
ચારિત્રાચારનાં સાત અંગ છે. એમાં સૌથી પહેલાં આશંસાને આકાંક્ષાને જીતવાની છે. કામના - તૃષ્ણા ઉપર વિજય મેળવવાનો છે. ચારિત્રનું બીજું અંગ અભય છે. જ્યાં આશંસા છે કામના છે ત્યાં જ ભય છે. ત્રીજું અંગ છે સમતા. જ્યાં ભય છે ત્યાં સમતા નથી. આમ જોઈએ તો આ ત્રણેય બાબતો પરસ્પર સંલગ્ન છે. સમતા સધાતાં ચારિત્રનું પહેલું કિરણ ફૂટે છે. સમતા પછી આવે છે સંયમ અને નિગ્રહ. સંયમમાં પાંચ મહાવ્રતો અને અણુવ્રતો આવે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એની જ અંતર્ગત છે. ધ્યાન, ચારિત્રનું છઠ્ઠું અંગ છે અને સાતમું અંગ છે – અપ્રમાદ