________________
પંચાચાર-સાધનાનું પ્રથમ ચરણ
અંશે જૈન સાધુઓ પાંચ સમિતિ સાચવીને પોતાનો વ્યવહાર રાખે છે; શ્રાવક જો આ વાતનું અંશે પણ પાલન કરે તો તે
ચારિત્રાચારમાં જ આવે.
૧૯
-
ગુપ્તિ ત્રણ ગણાય છે મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. એમાં મુખ્યત્વે સંવરની -વ્યર્થને રોકવાની એટલે કે કર્મને રોકવાની આરાધના છે. જૈનાચાર્યોએ ચારિત્રપાલનમાં સૌ
પ્રથમ સંવર ઉપર ધ્યાન રાખ્યું છે. એક તો કૂડા-કચરાને, વ્યર્થનેકર્મને આવતું રોકો, પછી અંદર કર્મનો જે કચરો ભરાયેલો છે તેનો નિકાલ કરો. ગુપ્તિમાં ગોપવવાની – સંકેલાવાની વાત છે. માણસનું જીવન મોટે ભાગે અર્થ વગરનો ફેલાવ-વિસ્તાર છે. મન-વચન અને કાયાનો વ્યાપાર તેને જૈન દર્શનમાં યોગ કહેવામાં આવે છે.
જીવ સતત જે કર્મો બાંધે છે તે યોગ દ્વારા. આ ત્રણ યોગો ન હોય તો વાતાવરણમાં રહેલા કર્મ-પરમાણુઓ ત્યાંના ત્યાં જ રહી જાય અને જીવ સાથે ચોંટી ન જાય. જીવ મન-વચન અને કાયાના યોગો દ્વારા કર્મ-પરમાણુઓને ગ્રહણ કરે છે અને રાગ-દ્વેષથી પોતાની સાથે ઓતપ્રોત કરી દે છે. ચારિત્રમાં સંવર ખૂબ મહત્ત્વનો છે. ત્રણ ગુપ્તિ દ્વારા સંવર સધાય છે તેથી ત્રણ ગુપ્તિ એ ચારિત્રનું મહત્ત્વનું અંગ બની રહે છે.
ચારિત્રના બે ભેદ ગણ્યા છે સર્વવિરતિ અને દેશિવરિત. સર્વવરિત એટલે બધી રીતે – સંપૂર્ણ રીતે સંવરની આરાધના કરવી, જયણા રાખવી. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું. જૈન સાધુઓનો આ આચાર છે. પણ ગૃહસ્થો માટે તે અશક્ય હોવાથી દેશવિરતિની વાત કરી છે. દેશ એટલે અંશથી