________________
૧૮
જૈિન આચાર મીમાંસા ચારિત્રનું અંતિમ ચરણ છે.
જીવનમાં જન્મ-દેહ-ધન-સંપત્તિ-સંતતિ-પદ-કીર્તિ જે બધું મળે છે તે ક્ષુદ્ર છે. પણ ધ્યાન-સમાધિ મોક્ષ બધું વિરાટ છે - જે આપણી સંભાવના છે પણ તેને આપણે ચૂકી જઈએ છીએ. ચારિત્રાચાર આ સંભાવનાનાં દ્વાર ખોલી આપે છે. આ
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ ચારિત્રાચારનું હાર્દ છે. તેને પ્રવચનમાતા કહેવામાં આવે છે. પાંચ સમિતિનું લક્ષ્ય જયણા છે. જીવનના નિર્વાહને માટે જે કંઈ જરૂરી વ્યવહાર કરવો પડે તે દરમિયાન કોઈ પણ જીવને હાનિ ન થાય, કોઈ જીવને દુઃખ-દર્દ ન થાય તેનો ખ્યાલ રાખી પ્રત્યેક વ્યવહાર કરવો તે સમિતિનો હેતુ છે. સમિતિ પાંચ ગણાય છે. ઈર્ષા સમિતિ એટલે હાલતાં-ચાલતાં ધ્યાન રાખવાની બાબત. - ભાષા સમિતિ એટલે કંઈ પણ બોલતી વખતે ધ્યાન રાખવાની વાત. જીવનના નિર્વાહ માટે ઘણી વસ્તુઓનો ખપ પડે છે. તે લેતી વખતે ખ્યાલ રાખવાની વાત એષાગા સમિતિમાં આવે છે. ચોથી સમિતિ છે આદાનભંડ મત્ત નિખેવાણા સમિતિ. ભંડ એટલે ઉપકરણો-સાધનો અને મત્ત એટલે શરીરના કોઈ પણ મળને રાખવાનું પાત્ર. આ બધાં સાધનો-ઉપકરણો લેતાં-મૂકતાં એ વાતનો ખ્યાલ રાખવાનો કે કોઈ પણ નાના જીવની પણ હિંસા ન થાય અને તેને કિલામણાં ન થાય એટલે કે દુઃખ ન થાય - વેદના ન થાય. પાંચમી સમિતિ છે – પરિષ્ઠાપનિકા સમિતિ, શરીરનો ધર્મ છે કે તે મળ-મૂત્ર-શ્લેષ્મ ઇત્યાદિ બહાર કાઢતું જ રહે છે. તો તેનું વિસર્જન પણ એવી જગ્યાએ કરવું જેથી એમાંથી અન્ય જીવોની ઉત્પત્તિ ન થાય. મહ