________________
જૈન આચાર મીમાંસા વિરતિમાં હોવું. સાધુ પાંચ મહાવ્રતોને ધારણ કરે જ્યારે શ્રાવક શ્રાવિકા અણુવ્રત ધારણ કરે. અણુવ્રત એટલે વ્રત તો એના એ જ, પણ અંશે ધારણ કરે તેથી અણુવ્રત ગણાય. જૈન ધર્મમાં ચારિત્રને ખૂબ મહત્ત્વનું ગયું છે તેથી શ્રાવકો – ગૃહસ્થો કેવી રીતે ચારિત્રનું પાલન કરી શકે તે માટે ઝીણવટપૂર્વક વિચાર કર્યો છે. ગૃહસ્થ માટે બાર વ્રતનું આયોજન કરવામાં આવ્યું છે અને જે આ બાર વ્રત ધારણ કરે તેને જ દેશવિરતિધર શ્રાવક કે શ્રાવિકા ગણવામાં આવે છે.
આ બાર વ્રત છે. : (૧) સ્થૂળ પ્રાણાતિપાત વિરમણ એટલે સર્વથા નહીં તો છેવટે અંશથી પણ હિંસાનો ત્યાગ. (૨) મૃષાવાદ વિરમણ એટલે ફૂડ-કપટ અને જૂઠથી અટકવાનું. (૩) અદત્તાદાન વિરમણ એટલે માલિકની સંમતિ વિના તેની કોઈ પણ વસ્તુ લેવી નહીં. (૪) સ્વદારા સંતોષ અને પરસ્ત્રીગમન વિરમણ. (૫) પરિગ્રહ પરિમાણ એટલે અમુક મર્યાદામાં સંગ્રહ કરવો કે પરિગ્રહ રાખવો. (૬) દિશા પરિમાણ એટલે કઈ દિશામાં કેટલે સુધી જવું તેની મર્યાદા રાખવી. (૭) ભોગોપભોગ પરિમાણ એટલે ભોગ અને ઉપભોગની સામગ્રી અને તેના પ્રમાણની પણ મર્યાદા રાખવી. (૮) અનર્થદંડ વિરમણ. વિના સ્વાર્થ પારકી વાતમાં પડીને અન્ય જીવની હિંસા થાય, અન્યને દુઃખ થાય એવી પ્રવૃત્તિ કરવી કે તેમ કરવા કોઈને કારણ મળી જાય તેવાં વચન ઇત્યાદિ બોલવાં જેને અનર્થદંડ કહે છે અને તેનાથી વિરમવું – અટકવું તે વ્રત છે. (૯) સામાયિક સમતા ભાવમાં રહેવું. (૧૦) દેશાવગાસિક એટલે કે ધારેલાં વ્રતોમાં પણ એક દિવસ માટે વધારે સંક્ષેપ કરવો - પરિમાણને વધારે સંકોચવું. (૧૧) પૌષધ – ઉપાશ્રયમાં રહી તે