________________
૨૨
જૈન આચાર મીમાંસા
-. એટલે કે જાગરૂકતા. આમ ચારિત્રાચારની અંતર્ગત આ સાત બાબતો રહેલી છે. અનાશંસા, અભય, સમતા, સંયમ, સમ્યક્ ચર્યા (પાંચ મહાવ્રત), ધ્યાન (ત્રણ ગુપ્તિ) અને જાગરૂકતા. આ સાત અંગોને સાધી જે ઉપાસના કરે છે તે સમ્યક્ ઉપાસના ચારિત્રાચાર છે.
-
નિશ્ચય નયની દૃષ્ટિએ તો આત્માનું આત્મામાં સ્થિત થવું એ ચારિત્ર છે પણ તે તો બહુ દૂરની વાત છે. સાધનાનું એ ચરમ શિખર છે. જેના ઉપર એક છલાંગમાં નથી પહોંચી જવાતું. ચારિત્રાચાર પરાક્રમનો માર્ગ છે. એમાં કોઈની સહાય મળતી નથી. અને તે ઉપકારક પણ ન નીવડે. જૈન ધર્મ સિવાય કોઈ ધર્મે ચારિત્રાચારનું આટલું સૂક્ષ્મ વર્ણન નથી કર્યું – આટલું મહત્ત્વ નથી આંક્યું. ચારિત્રાચાર દુષ્કર હોવા છતાંય -જૈનાચાર્યોએ નાનાં અને સરળ વિધિ-વિધાનોનું આયોજન કરી એવાં પગથિયાં ગોઠવ્યાં છે કે જો કોઈ તેના ઉપર ચડતો રહે તો છેવટે છેક ઉપરના શિખરે પહોંચી જાય. જૈન ધર્મની એ વિશિષ્ટતા રહી છે કે તે તળેટીથી શરૂ કરી છેક ઉપર પહોંચવાની વાત કરે છે અને માર્ગ બતાવે છે. તીર્થંકરો આપણી આગળ ચાલીને પ્રતીતિ કરાવે છે કે આ માર્ગે ચાલી શકાય તેમ છે. અને તે સિદ્ધિ સુધી પહોંચાડે છે.
તપાચાર :
જૈન ધર્મ એટલે શ્રમણ સંસ્કૃતિ – મોક્ષમાર્ગ. મોક્ષમાર્ગનું બે રીતે નિરૂપણ થાય છે. એક તો વ્યર્થને એટલે કે કર્મને રોકો અને જે કંઈ વ્યર્થ ભેગું થયું હોય તેને ખંખેરી નાખો. કોઈ પણ જૈનાચાર