SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ જૈન આચાર મીમાંસા -. એટલે કે જાગરૂકતા. આમ ચારિત્રાચારની અંતર્ગત આ સાત બાબતો રહેલી છે. અનાશંસા, અભય, સમતા, સંયમ, સમ્યક્ ચર્યા (પાંચ મહાવ્રત), ધ્યાન (ત્રણ ગુપ્તિ) અને જાગરૂકતા. આ સાત અંગોને સાધી જે ઉપાસના કરે છે તે સમ્યક્ ઉપાસના ચારિત્રાચાર છે. - નિશ્ચય નયની દૃષ્ટિએ તો આત્માનું આત્મામાં સ્થિત થવું એ ચારિત્ર છે પણ તે તો બહુ દૂરની વાત છે. સાધનાનું એ ચરમ શિખર છે. જેના ઉપર એક છલાંગમાં નથી પહોંચી જવાતું. ચારિત્રાચાર પરાક્રમનો માર્ગ છે. એમાં કોઈની સહાય મળતી નથી. અને તે ઉપકારક પણ ન નીવડે. જૈન ધર્મ સિવાય કોઈ ધર્મે ચારિત્રાચારનું આટલું સૂક્ષ્મ વર્ણન નથી કર્યું – આટલું મહત્ત્વ નથી આંક્યું. ચારિત્રાચાર દુષ્કર હોવા છતાંય -જૈનાચાર્યોએ નાનાં અને સરળ વિધિ-વિધાનોનું આયોજન કરી એવાં પગથિયાં ગોઠવ્યાં છે કે જો કોઈ તેના ઉપર ચડતો રહે તો છેવટે છેક ઉપરના શિખરે પહોંચી જાય. જૈન ધર્મની એ વિશિષ્ટતા રહી છે કે તે તળેટીથી શરૂ કરી છેક ઉપર પહોંચવાની વાત કરે છે અને માર્ગ બતાવે છે. તીર્થંકરો આપણી આગળ ચાલીને પ્રતીતિ કરાવે છે કે આ માર્ગે ચાલી શકાય તેમ છે. અને તે સિદ્ધિ સુધી પહોંચાડે છે. તપાચાર : જૈન ધર્મ એટલે શ્રમણ સંસ્કૃતિ – મોક્ષમાર્ગ. મોક્ષમાર્ગનું બે રીતે નિરૂપણ થાય છે. એક તો વ્યર્થને એટલે કે કર્મને રોકો અને જે કંઈ વ્યર્થ ભેગું થયું હોય તેને ખંખેરી નાખો. કોઈ પણ જૈનાચાર
SR No.005705
Book TitleJain Achar Mimansa
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2008
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy