________________
૧૪
જેન આચાર મીમાંસા જાય છે. જ્ઞાનમાં કંઈ નવું મેળવવાની વાત નથી. પણ આપણામાં પડેલી જ્ઞાનજ્યોતિની આડે જે પડદાઓ પડેલા છે - જે પડળો વળેલાં છે તેને ખસેડવાની વાત છે. સર્વ ધર્મોમાં જ્ઞાનની જે વાત છે અને જૈન ધર્મમાં જે વાત છે તેની વચ્ચે આ પાયાનો ફેર છે અને તેથી જ્ઞાનાચારની આરાધનામાં પણ ફેર પડી જાય છે.
જ્ઞાનનો ઉઘાડ કરવા માટે ચાર વસ્તુની આવશ્યકતા રહે છે. એક છે જ્ઞાનની વિશુદ્ધિ. બીજી છે એકાગ્રતા-તન્મયતા. ત્રીજી વાત છે સ્વયંમાં સ્થિર થવાની અને ચોથી બાબત છે અન્યને પણ માં પ્રતિષ્ઠિત કરવાની. સંવેદન જ્ઞાનાચારની આડેનો મોટો અવરોધ છે. જ્યાં સંવેદન છે ત્યાં ચંચળતા છે, વિકલ્પ છે. જ્યાં ચંચળતા છે ત્યાં જ્ઞાનનો ઉઘાડ ન સંભવી શકે અને થાય તોપણ બરોબર ન થાય. વિરતિ-સંયમનું પાલન જ્ઞાનાચારની અંતર્ગત રહેલું છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. આ રીતે જૈન ધર્મનો જ્ઞાનાચાર વિશિષ્ટ છે અને તે સમજીને આપણે તેની આરાધના કરવાની છે.
ચારિત્રાચાર :
ચય તે સંચય કર્મનો રિક્ત કરે વળી જેહ. ચારિત્ર ભાષ્ય નિયુક્તિએ વંદો તે ગુણ ગેહ. ચારિત્ર એ ઘટના છે – આચરણ છે. પહેલાં દર્શન ઊતરે છે પછી જ્ઞાન ઘટે છે પણ ચારિત્ર તો બનાવવું પડે – ઘડવું પડે. ચારિત્રવિહીન વ્યકિતનું વિપુલ શાસ્ત્રઅધ્યયન પણ વ્યર્થ છે. જે માર્ગ જાણ્યો - જોયો પણ તેના ઉપર ચાલ્યાં નહીં, તો માર્ગ જાણ્યાનું મૂલ્ય કેટલું? ચારિત્રસંપન્ન વ્યકિતનું અલ્પ જ્ઞાન પણ