________________
૪૦૮
ધન્ય ધરાઃ
દીક્ષા પણ ઉચ્ચના કર્કના ગુરુમાં થઈ હતી, જે એમ બતાવે છે કે આ બાળક ઉચ્ચપદ એવું ગુરુપદ પામશે અને એ સાચે જ સિદ્ધ થયું. આપણા આજના આ સમાજમાં એક વિરલ વિભૂતિ તરીકે ધાર્મિક આચાર્યપદથી તેઓ વિભૂષિત છે અને બધાને યોગ્ય માર્ગદર્શન આપી રહ્યા છે.
પૂજ્યશ્રી નાના હતા ત્યારે એમના ગુરુદેવ પૂજ્યપાદ વૈરાગ્યવારિધિ, વર્ધમાન આયંબિલ તપોનિધિ, કાંકરેજ દેશોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્ વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજ બાળકોની ધાર્મિક પરીક્ષા લેવા મહેસાણા પાઠશાળામાં પધાર્યા ત્યારે એ ઝવેરીએ આ “હીરા' ને પારખી લીધો. પ્રથમ અષાઢ વદિ ૬, તા. ૪-૮-૧૯૩૧ના દિવસે અમદાવાદમાં ૧૧ વર્ષની કુમળી વયમાં પૂજ્યશ્રીની દીક્ષા થઈ હતી. સંસારી નામ “પન્નાલાલ’ ઉપરથી સંયમી નામ મુનિ પ્રેમવિજય' રાખવામાં આવ્યું. “યથા નામ તથા ગુણાઃ' આ ઉક્તિ પ્રમાણે વિનય, વૈયાવચ્ચ, સેવા સદ્ભાવના, મિષ્ટ ભાષાથી જોતાં જોતાં બધાને પ્યારા બની ગયા. ૩૪ વરસની ઉંમરમાં તેમનો અમદાવાદમાં પંન્યાસ પદનો ભવ્ય પ્રસંગ ઊજવવામાં આવ્યો. પૂજ્યશ્રીનો પોતાના ગુરુ પ્રત્યે ભક્તિભાવ પણ અનુપમ અને અનોખો હતો. ૮૪ વર્ષની વૃદ્ધ ઉંમરમાં પોષ મહિનાની કડકડતી ઠંડીમાં પણ તેઓના ગુરુદેવે ચૌદશનો ઉપવાસ અને પાર્શ્વનાથ ભગવાનની આરાધના છોડી ન હતી. રોજ સવારે પંન્યાસ પ્રેમવિજય શંખેશ્વર દાદાના દરબારમાં લઈ જતા. રાત્રે ગુરુદેવ પાસે જ સૂતા અને થોડો અવાજ થાય તો જાગીને સેવામાં હાજર થઈ જાય. આથી જ ગુરુ મહારાજને બહુ જ શાતા મળતી હતી. ગુરુ મહારાજનો કાળધર્મ સમાધિપૂર્વક થયો ત્યારે તેમની સ્મૃતિમાં શ્રી શંખેશ્વર મહાતીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદનું ભવ્યાતિભવ્ય વિશ્વમાં સૌથી મોટા જિનાલયનું નિર્માણ કરાવ્યું. પૂજ્યશ્રીના સંસારી મોટા ભાઈ પ.પૂ. આ. વિજય સુબોધસૂરીશ્વરજી મ.સા. બહુ જ ક્રિયાચુસ્ત અને સંયમએક–લક્ષી હતા. આ બાંધવબેલડીએ જિનશાસનમાં જબરદસ્ત શાસનપ્રભાવના કરી છે. તા. ૧૪-૫-૧૯૫૯ના રોજ પાટણમાં પૂજ્યશ્રી આચાર્ય પદ ઉપર બિરાજમાન થયા. વર્તમાનમાં તેઓશ્રી પૂ. ભક્તિસૂરિ (સમીવાળા) સમુદાયના તપાગચ્છાધિપતિ આચાર્ય પ્રવર પદ પર બિરાજમાન છે. પૂજ્યશ્રીના જીવન દરમ્યાન ૭૫ ચોમાસાં થયાં છે. પૂજ્યશ્રીના દાદાગુરુદેવ પ.પૂ. શાસ્ત્રવિશારદ આચાર્યપ્રવરશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.સા. (કાશીવાળા) પ્રકાંડ મેધાવી
વિદ્વાન હતા. ૩૮૦ જેટલા પરદેશી સ્કોલર એમની પાસે ભણવા આવતા. પૂજ્યશ્રીના આજ્ઞાવર્તી સાધુ-સાધ્વીઓ ૩૫૦ છે.
ગુજરાત રાજય અહિંસા અને અમારિપ્રવર્તનની બાબતમાં સમગ્ર ભારત વર્ષનું પ્રતિનિધિત્વ ધરાવે છે. ગુજરાતના કંકર કંકરમાં અહિંસાનું અમૃત–આચમન થયું છે. આ તો કુમારપાલ મહારાજા, હેમચંદ્રાચાર્ય, પેથડ શાહ અને અનેક મહર્ષિઓની ભૂમિ છે. આજે વિકટ સમયમાં રાજ્યસ્તર પર વ્યાપક રૂપથી અહિંસાનો પૈગામ ફેલાવવાનું આંદોલન પૂજ્યશ્રી કરાવી રહ્યા છે. સં. ૨૦૪૫ આંબાવાડી ચાતુર્માસમાં પર્યુષણ મહાપર્વના એક દિવસ માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અમરસિંહ ચૌધરી દ્વારા કતલખાનાં બંધ રખાવીને કુમારપાલ મહારાજાની
સ્મૃતિ કરાવી દીધી હતી. પછી સાબરમતી ચાતુર્માસમાં પણ મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ પટેલ દ્વારા પહેલાં ૩ દિવસ અને પછી ૮ દિવસ કતલખાનાં બંધ રખાવવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્રમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ગોપીનાથ મુંડે દ્વારા અને રાજસ્થાનમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ભૈરોસિંહ શેખાવત દ્વારા રાજ્યભરમાં ગૌવંશ હત્યાબંદી પૂજ્યશ્રીના ઉપદેશ દ્વારા કરવામાં આવી હતી.
તપસ્યા માટે તો એમના વાસક્ષેપ માટે પડાપડી થાય છે. ૨૫૦ ઘરની જૈન વસ્તીવાળા થરા ગામમાં ૩૫૦ સિદ્ધિતપ, કાંકરેજ સમાજમાં ૩૪૨ જેટલાં વરસીતપ, હાડેચાનગરમાં એક જ કુટુંબમાં ૧૨-૧૨ માસક્ષમણ, ૮ થી ૧૫ વરસની ઉંમરનાં ૧૦૮ બાળકોની એક સાથે ઉપધાન તપ ની માળ આ એમની તપ-સિદ્ધિનાં અનોખાં દર્શન છે. જૈન-અજૈન બધાં જ તપમાં જોડાઈ જાય છે અને હેમખેમ તપ કરીને પાર ઊતરી જાય છે. પૂજ્યશ્રી જ્યાં પણ ચાતુર્માસ માટે પધારે તે સંઘમાં સાંકળી મા ખમણ, સાંકળી સોળભg, સાંકળી અટ્ટાઈ, સાંકળી અટ્ટમ અને સાંકળી આયંબિલ તપ અવશ્ય જ થાય છે.
પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનેક પ્રતિષ્ઠાઓ, પાઠશાળાઓ, આયંબિલખાતાઓ, દીક્ષાઓ, છ'રીપાલિત સંઘો, ઉપધાનો, અંધજન ગરીબ માટે મેડિકલ કેમ્પો, હોસ્પિટલો, ધર્મશાળા, અન્નક્ષેત્ર, જીવદયાનાં કાર્યો, ગૌવંશ હત્યાબંદીનાં કાર્યો, સમેતશિખર તીર્થ રક્ષાનાં કાર્યો આદિ માનવતાનાં કાર્યો કરીને પૂજ્યશ્રીએ સમાજમાં ધાર્મિક તથા આધ્યાત્મિક ક્રાંતિ કરી છે.
સંકલન : પૂ. પં. શ્રી રતશેખરવિજયજી મ. સૌજન્ય : શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ, ભક્તિનગર, શંખેશ્વર
Jain Education Intemational
Jain Education Interational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org