________________
૮૧૫
શાશ્વત સૌરભ ભાગ-૧
- બેંગ્લોર જેવા શાંત રમણીય સ્થળના વાતાવરણમાં જૈન ધર્મના આચારપાલન અને આવશ્યક ક્રિયાઓ દ્વારા એક ધાર્મિક વ્યક્તિ તરીકે ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.
તેઓશ્રીએ તન-મન અને ધનથી કરેલ સેવાકીય નમૂનારૂપ સંસ્થાઓ જોઈએ તો
શ્રી મહાવીર જૈન શ્વેતામ્બર મંદિર-મંત્રી. શ્રી તારાચંદ ગાંડાલાલ જૈન શ્વે. પાઠશાળા-ટ્રસ્ટી. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન મંદિર-ટ્રસ્ટી. શ્રી ચત્રભુજ ગુલાબચંદ જૈન આરાધનાભવન-ટ્રસ્ટી. શ્રી હીરાચંદ નાહર જૈન ભવન-ઉપપ્રમુખ. શ્રી ઘોઘારી વિશાશ્રીમાળી જ્ઞાતિ-પ્રમુખ. શ્રી ડી. વી. વી. ગુજરાતી પ્રાથમિક શાળા-મેમ્બર.
આ ઉપરાંત અન્ય ગુજરાતી સંસ્થામાં સુંદર યોગદાન આપી પોતાનું વ્યક્તિત્વ જમાવેલ.
દાઠામાં ભોજનશાળામાં ૧૮ પહેલાં ભોજનશાળાના હોલમાં માતુશ્રી હરકુંવરબહેનના નામથી નામકરણવિધિ સહિત સુંદર લાભ લીધો હતો.
બેંગ્લોર, રાજાજીનગર ખાતે પોતાના પિતાશ્રીના નામથી નામકરણ સાથે આરાધના ભવન સાથે નામ જોડવાનો લાભ લીધો હતો. શ્રી ચત્રભુજ ગુલાબચંદ સલોત જૈન આરાધના ભવન રાજાજીનગરમાં ખુલ્લું મૂકેલ.
આ સિવાય મંદિરની પ્રતિષ્ઠા, ઉપાશ્રય, ભવન, ધ્વજારોપણ, શિલાલેખ, ભૂમિપૂજન વગેરે નાનીમોટી યોજનામાં સંપૂર્ણ સહકાર આપી સુંદર લાભ લેતા હતા.
ઈ.સ. ૨૦૦૫ની ડિસેમ્બર માસની ઓગણત્રીસમી તારીખે તેમનું પ્રાણપંખેરુ આ દુનિયામાંથી ઊડી ગયું. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે.
સંકલન :–પ્રવીણભાઈ એમ. શાહ (ઉણ) બેંગ્લોર.
શ્રીકાન્ત એસ. મહેતા શ્રી શ્રીકાન્તભાઈનો જન્મ ૬-૯-૧૯૪૭ના રોજ હીરાઝવેરાતના વેપારી મે. બાપાલાલ એન્ડ કું., ચેન્નાઈના માલિકને ત્યાં થયો. તેમણે વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કુટુંબના કોફીના બગીચાઓના વ્યવસ્થાપનથી કરી. તેમણે “મધુકર”
નામની કેળાંની જાતનો મબલખ પાક લીધો. તેમણે દક્ષિણમાં આમળાંનું વાવેતર શરૂ કરાવ્યું અને અન્ય ફળોનો ઉછેર પણ લોકપ્રિય બનાવ્યો. તેમણે આમળાં પરના ત્રણ રાષ્ટ્રીય કક્ષાના સેમિનાર સલેમ (૨૦૦૩), મદુરાઈ (૨૦૦૫) અને અમદાવાદ (૨૦૦૬)માં યોજ્યા. સરકારે તેમને ભારતના આમળાં ઉછેર એસોસિએશનના પ્રમુખ અને નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડના ડાયરેક્ટર તરીકે નીમ્યા. તેઓ કોન્ફડરેશન ઓફ ઇન્ડિયન હોર્ટિકલ્ચરના સેક્રેટરી તરીકે ચૂંટાયા. તેમણે પાંચ વર્ષ સુધી નાણામંત્રી સાથેની બજેટ પૂર્વેની મીટિંગમાં બાગાયત ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કર્યું. તેમણે લખનૌમાં હોર્ટિકલ્ચર સમ્મીટ ૨૦૦૭નું આયોજન કર્યું. તેમને અનેક સંસ્થાઓ દ્વારા એવોર્ડ મળ્યા અને તેઓએ અનેક સંસ્થાઓના સભ્યપદે અને અગત્યના હોદ્દાઓ પર રહી કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરી. તેમણે શિક્ષણક્ષેત્રે પણ મહત્ત્વનું યોગદાન આપ્યું.
ડો. સી. બાલક્રિપ્શન છેલ્લાં અઢાર વર્ષથી બધી શાળા, મહાશાળાના વિદ્યાર્થીઓ વચ્ચે ગાંધીજીના આદર્શો અને અહિંસાના સિદ્ધાંતોનો પ્રચાર થઈ રહ્યો છે. દારૂના સેવન અને મટનના ઉપયોગથી ઊભાં થતાં દૂષણોની જાણકારી આપવામાં આવે છે અને મદ્યપાનના સંપૂર્ણ નિષેધ અંગે જાગૃતિ ઊભી કરવામાં આવે છે.
| યુવા પેઢીને અને બાળકોને બધાં કાર્યોમાં સંયમ અને સ્વચ્છતાનું મહત્ત્વ શીખવવામાં આવે છે અને અસ્પૃશ્યતાનાં દૂષણો અંગેની માહિતી આપવામાં આવે છે. પ્રજાપિતા બ્રહ્મકુમારી સંગઠનના પ્રખર હિમાયતી તરીકે બધાં ગામડાંઓમાં કાર્યો અને વિચારોમાં સત્ય અને સ્વચ્છતાવાળા મનુષ્યનું મહત્વ સમજાવવામાં આવે છે.
ગુજરાતનાં બધાં રાજયોમાં મદિરાપાન અને મન મલિન
Jain Education Intemational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org