Book Title: Dhanyadhara Shashwat Saurabh Part 01
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 880
________________ ૮૬૦ પ્રતિભા તથા પ્રતિષ્ઠા છે એવા મહુવા યુવક સમાજ–મુંબઈના, કે જેણે મહુવામાં બાલમંદિરથી કોલેજ સુધીની સંસ્થાઓના નિર્માણમાં દાનનો પ્રવાહ વહેવડાવી અમૂલ્ય યોગદાન આપ્યું છે તેના પ્રમુખપદે રહી ચૂક્યા છે. શ્રી મહુવા કેળવણી સહાયક સમાજ-મહુવામાં કાર્યવાહક કમિટીમાં જીવનભર રહ્યા અને સેવા આપી. શ્રી મુંબઈ ઘોઘારી વીશા શ્રીમાળી જૈન સમાજના મંત્રી તરીકે સેવા આપી છે. શ્રી મુંબઈ જૈન મહાસંઘ, જૈન કેળવણી મંડળ, મુંબઈ જૈન યુવકસંઘ, ભારત જૈન મહામંડળ વગેરે અનેક સંસ્થાઓમાં કાર્યશીલ રહી સેવા આપેલ છે. અત્યંત સેવાભાવી તથા પરગજુ સ્વભાવ હોવાથી દેશમાંથી આવનાર અનેક યુવાનોને નોકરી તથા વ્યવસાય શોધી આપી લાઇને ચડાવતા હતા. અત્યંત નીડર, સ્પષ્ટવક્તા અને દીર્ધદ્રષ્ટા હતા. જીવનની શરૂઆતમાં છ મહિના લાગલાગટ સળંગ આયંબિલતપની આરાધના કરેલ હતી. આ રીતે જીવનમાં ધાર્મિકક્ષેત્રે, સામાજિકક્ષેત્રે અને કેળવણીક્ષેત્રે અનુપમ, અનુમોદનીય યોગદાન આપેલ. પ્રભુભક્તિ, ગુરુભક્તિ, સાધર્મિકભક્તિ તથા અનુકંપાદાન તેઓનો જીવનમંત્ર હતો. ભવ્યમુખમુદ્રા, શાંત સ્વભાવ અને પ્રસંગોચિત્ત વાત કરવાની આવડત ભલભલાને મંત્રમુગ્ધ કરતી. તેઓમાં સ્વભાવે નમ્રતા, નિખાલસતા, સરળતા, સહૃદયતા, સૌભાગ્યતા અને વિશાળતાના કારણે સૌના પ્રીતિપાત્ર બનેલ. શ્રાવકોચિત્ત ક્રિયાકર્મ આરાધનામાં સદા તત્પર રહેતા. તેમના માતા-પિતાના ઉપકારને ન ભૂલતા મહુવા શ્રી નેમિવિહાર જૈન દેરાસરમાં તેમની પ્રતિકૃતિ સ્થાપન કરેલ. સાદું સરળ જીવન, સાદગીને અગ્રસ્થાન, ઉપધાન તપ કરાવેલ. પરગજુ પરોપકારમાં રત કોઈપણને સાદી અને સમજપૂર્વકની હિત શિખામણ આપતા અને દેશમાં નવા આવેલ અનેક યુવાનોને રહેવા-જમવાની સગવડતા ઉપરાંત લાઇને પણ ચડાવતા. અનેક કુટુંબોને ઘર પણ લઈ આપેલ હતા. મસ્જિદ બંદર ઉપર ૧૯૪૬ના બોમ્બ ધડાકા વખતે અનેક કુટુંબને આશરો આપી ખાવા-પીવાની તેમજ રહેવાની વ્યવસ્થા કરેલ હતી. સૌરાષ્ટ્રમાં મહાજનપ્રથા ઘણી જ મજબૂત હોવાથી મહાજનો કે જેઓ શ્રેષ્ઠી તરીકે ઓળખાતા હતા તથા સૌરાષ્ટ્રના વિકાસમાં મદદ કરતા, તેઓનું સમાજ પ્રત્યેનું દાયિત્વ ઘણું જ મજબૂત હતું. આવું એક વ્યક્તિત્વ ધરાવનાર શ્રેષ્ઠી શ્રી હરખચંદભાઈ હતા. પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુનાં લક્ષણ બારણામાં. બાલ્યકાળથી જ ધર્મ સંસ્કાર, શિક્ષણ, સેવાપરાયણતા અને દેશદાઝના સંસ્કાર મળેલા હોઈ જૈન સમાજને નાની ઉંમરથી સેવા આપી. ભારતની આઝાદીની Jain Education International ધન્ય ધરાઃ ચળવળમાં પણ તેઓ સક્રિય હતા. અનેક નેતાઓ સાથે સંપર્કમાં રહીને ભારતમાતાની સેવા કરવામાં પોતાનું ગૌ૨વ સમજતા. સેવાને સંપત્તિ માનીને ધાર્મિક, સામાજિક અને માનવતાવાદી પ્રવૃત્તિઓને જીવનધ્યેય બનાવેલ. પિતાશ્રી વીરચંદભાઈએ કરેલ સાધુ-સાધ્વીની અજોડ વૈયાવચ્ચના ગુણો નાનપણથી જ મળેલા. સાધર્મિક બંધુઓને અનાજ, કપડાં, દવાઓ, વાસણ વગેરે ઘરવખરીની ચીજો વગેરેની મદદ કરતા. સૌજન્યતા અને શીલતાના ગુણો જીવનમાં પચાવી જાણ્યા. આત્માનંદ સભામુંબઈમાં પણ તેઓએ પોતાની સેવા આપી. શ્રી ઘોઘારી જૈન મિત્ર મંડળમાં પણ પોતાની સેવા આપેલ હતી. તેમનાં ધર્મપત્ની પ્રભાવંતીબહેને અનેકવિધ તપશ્ચર્યા કરેલ સાથે ધાર્મિક લાગણીથી ગૂંથાયેલ કુટુંબપરિવારની સાચી ગૃહિણી બની દરેક કાર્યમાં સતત પ્રયત્નશીલ, પ્રેરણારૂપ બનેલ. વિકાસગાથામાં સતત આધ્યાત્મિકતા વણાયેલી રહી છે. લઘુતામાં પ્રભુતાનો વાસ' એ સદ્ગુણને જીવનમાં વણી લીધો. કુટુંબીજનોની સેવા અને શૂન્યમાંથી સર્જન કરવાનો મહાનગુણ અને પુરુષાર્થ ગજબના હતા. હાથમાં લીધેલ કાર્ય કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરવાની ધગશ અને હિંમત હતાં. વીરચંદ રાઘવજી ગાંધીના કુટુંબીજન એવા શ્રી હરખચંદભાઈ દરેક કાર્યમાં આગળ રહી આત્મવિશ્વાસથી નર્મદના શબ્દોમાં ‘ડગલું ભર્યું કે ના હટવું, ન હટવું”ને જીવનમાં બરાબર અપનાવ્યું હતું. દરેક વ્યક્તિમાં શક્તિઓ પડેલી જ હોય છે પણ તે શક્તિને કેળવવા, ખીલવવા કે બહાર લાવવાની આવશ્યકતા છે દેવકૃપાની અથવા ગુરુકૃપાની અને એટલે જ પુણ્યશાળી આત્મા દેવ-ગુરુ-ધર્મની કૃપાથી જીવનને નંદનવન સમુ બનાવી જાય છે. દેવ-ગુરુ-ધર્મીના ચરણોમાં જીવન સમર્પિત કરી જિનશાસનની સુવાસ મહેકાવવા અદ્ભુત યોગદાન આપી ઐતિહાસિક કારકિર્દી રચી છે. પ.પૂ. શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજસાહેબ તથા તેમનાં નવરત્નો તથા પ.પૂ. આ. શ્રી વલ્લભસૂરીશ્વરજી મ.સાહેબ વગેરે અન્ય તમામ આચાર્યોના આશીર્વાદથી જીવનમાં અનેક સુંદર પ્રેરણાદાયી ઐતિહાસિક કાર્યો કરી તેની હારમાળા રચી દીધી. શાસનપ્રેમી, ગુરુ સમર્પિત, શાસનભક્ત એવા આ આત્માએ ખૂબ ખૂબ પ્રેરણાદાયી અનુપમ કાર્યો કરી પુણ્યકર્મ ઉપાર્જન કર્યું. સ્વપ્નદ્રષ્ટા એવા તેઓએ ધૂપસળી માફક જૈન, જૈનેતર સમાજમાં સુવાસ ફેલાવી છે. મહુવામાં શાકમાર્કેટનું ઉદ્ઘાટન તેમાં માંસ નહીં વેચવાની શરતે કરેલ હતું. સંઘના અગ્રપદે રહીને ધર્મપરાયણતા, સચ્ચાઈ, ચારિત્ર્યશીલતા, ઉદારતા આદિ ગુણોથી સંઘનું ગૌરવ વધારેલ. તેમના પ્રત્યેની બહુમાનની લાગણીરૂપે For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972