________________
શાશ્વત સૌરભ ભાગ-૧
અને સવારના ૧૦ ને ૧ મિનિટે પૂજ્યશ્રીએ નશ્વર દેહનો ત્યાગ કરી સ્વર્ગગમન કર્યું. પૂજ્યપાદ આગમોદ્ધારકશ્રીના સ્વર્ગગમન પછી ૨૫ વર્ષ સુધી સાગરગચ્છનું નાયકપદ જવાબદારીપૂર્વક અને કુશળતાપૂર્વક સંભળી અને સ્વસમુદાયના ૧૫૦ ઉપરાંત સાધુમહારાજો તથા ૪૦૦ ઉપરાંત સાધ્વીજીમહારાજોને સંયમજીવનની સાધનામાં રૂડી રીતે આવૃત્ત અને પ્રવૃત્ત રાખી, પૂજ્યશ્રી સ્વસમુદાયનું સફળ નેતૃત્વ કરવા સાથે ભવ્ય શાસનપ્રભાવના કરી ગયા. એવા એ મહાન ગચ્છાધિપતિ પૂજ્યવરને કોટિ કોટિ વંદન!
(સંકલન : ‘જૈન' પત્રના તા. ૧૭-૫-૭૫ના અંકમાંથી સાભાર.) સૌજન્ય પ. પૂ. આ. શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી આગમોદ્ધારક દેવર્ધિ જૈન આગમમંદિર ટ્રસ્ટ, પૂના. જ્ઞાન–ધ્યાન, તપ-જપ ને સમતાના સાધક અને શાસનપ્રભાવક
પૂ. આચાર્યશ્રી કીર્તિસાગરસૂરિજી મ.
અમદાવાદ-રાજનગરની નજીક સુંદર અને સંસ્કારી કોચરબ--ગામ-પાલડી છે. પાલડી ગામે વણિક જાતિમાં અગ્રેસર પરોપકારી, સેવાપરાયણ નરોત્તમદાસ નામે શેઠને ત્યાં શીલ-સંસ્કારસંપન્ન સહધર્મચારિણી પૂરીબહેન હતાં. તેમની રત્નકુક્ષિએ સં. ૧૯૪૬ના ફાગણ સુદ ૧૦ના શુભ દિને શુભસ્વપ્નસૂચિત પુત્રરત્નનો જન્મ થયો. માતાપિતાએ લાડકવાયા પુત્રનું નામ કેશવ રાખ્યું. પુણ્યવ્રતના પ્રભાવ પ્રમાણે સાત વર્ષની ઉંમરે અભ્યાસ શરૂ કર્યો. તે પહેલાં માતાપિતાના સુસંસ્કારોની રેખાઓ કેશવના જીવનમાં અંકિત થવા માંડી હતી. નિત્ય જિનદર્શન, નિત્ય જિનભક્તિ, નિત્ય નવકારશીના પચ્ચક્ખાણ તેમ જ વિનયવિવેકથી સંપ' બાળક ઉંમરમાં નાનો લાગતો પણ સંસ્કારમાં મહાન લાગતો હતો. સાધુસંતોની વૈયાવચ્ચમાં પ્રથમ, વડીલોના વિનયમાં પ્રથમ, ગરીબગુરબાઓની સેવામાં અગ્રેસર રહેતા. આ બાળકમાં પ્રથમથી જ પ્રમાદનું નામનિશાન ન હતું. દિન-પ્રતિદિન સાધુસંતોની સેવા કરતાં કરતાં જ્ઞાનવૃદ્ધિ પણ થતી રહેતી. પરિણામે વૈરાગ્યનો રંગ ઘેરો થતો ચાલ્યો. પૂ. યોગનિષ્ઠ મુનિરાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના સતત સમાગમે કેશવલાલનો વૈરાગ્યવાસિત આત્મા સંસારત્યાગ અને સંયમસ્વીકારના નિર્ણય પર આવ્યો. સં. ૧૯૬૯ના કારતક વદ પાંચમે સંયમ સ્વીકારી, કેશવલાલ મુનિશ્રી કીર્તિસાગરજી બન્યા અને સંયમશ્રીને વર્યા.
Jain Education Intemational
૪૫
દીક્ષા ગ્રહણ કરીને ગુરુનિશ્રામાં આગમોનું અધ્યયન કર્યું, સિદ્ધાંતોનું પરિશીલન કર્યું; વ્યાકરણ, કાવ્ય, ન્યાયશાસ્ત્રનું શિક્ષણ લીધું. ગુરુનિશ્રા અને ગુરુનિષ્ઠા, ગુરુસેવા અને ગુરુભક્તિના પ્રભાવે સં. ૧૯૮૪ના માગશર સુદ પાંચમે વિજાપુર, સાણંદ, આંબલીપોળ-અમદાવાદ, સાબરમતી, જૈન સોસાયટી અમદાવાદ, પ્રાંતિજ, મહેસાણા, ઊંઝા, પાલનપુર, ગઢ, પાટણ, ડીસા, મુંબઈ, પૂના, પાદરા, નવસારી, બોટાદ વગેરે અનેક સ્થળોએ ચાતુર્માસ કર્યાં. સં. ૨૦૦૨ અને સં. ૨૦૦૪ના મુંબઈના ચાતુર્માસ દરમિયાન અધ્યાત્મજ્ઞાન પ્રચારક મંડળને પુનર્જીવિત કર્યું અને પૂ. યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ વિરચિત ૧૨૫ ગ્રંથોના પુનઃપ્રકાશન કાર્યને વેગવાન કર્યું. આંતરજ્યોતિ ભાગ ૧ થી ૪, ભજનપદ ભાવાર્થ ભાગ ૧-૨ આદિ સરળ ભાવવાહી ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક સાહિત્યનું સર્જન કર્યું. પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસનપ્રભાવનાનાં ઘણાં કાર્યો થયાં. કોલવાડ ગામે ઘણાં વર્ષો જૂનાં કલેશકંકાસ, ઝગડા-મનદુ:ખને મિટાવીને સંપશાંતિનું વાતાવરણ સર્જ્યું અને શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. સં. ૨૦૨૨ના વૈશાખ સુદ ૩ના શુભ દિને કુંભાસણ મધ્યે આમૂલ ચલ નવનિર્મિત શિખરબંધી શ્રી શીતલનાથજી જિનાલયમાં શ્રી શીતલનાથજી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી.
પૂજ્યશ્રી સ્વભાવે ઘણા જ ભદ્રિક, સરળ અને સૌમ્ય હતા, શાંત અને ગંભીર હતા, ધીર અને વીર હતા, ક્ષમા અને નિરભિમાનના અવતાર હતા. તેઓશ્રીએ ૨૫ વર્ષ સુધી સતત એકાસણાં કર્યાં હતાં. જ્ઞાન, ધ્યાન, તપ, જપ, સંયમ, સ્વાધ્યાય અને સમતા દ્વારા આત્માની ઉત્ક્રાંતિ કરી પરમ પદની પ્રાપ્તિનું ધ્યેય સિદ્ધ કરવા સતત જાગૃત રહેતા. તેઓશ્રીએ સં. ૨૦૨૬માં જૂના ડીસા મુકામે પોતાના શિષ્ય આચાર્યશ્રી સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજ અને વિશાળ શિષ્ય-પ્રશિષ્ય-પરિવાર સહિત ચાતુર્માસ પ્રવેશ કર્યો ત્યારે વૃદ્ધાવસ્થાનાં લક્ષણો જણાવાં માંડ્યાં હતાં. શરીર ક્ષીણ બનતું ચાલ્યું હતું. ભાદરવા સુદ ૪ સંવત્સરી મહાપર્વની સુંદર આરાધના કરી, ભાદરવા સુદ પાંચમે તપસ્વીઓનાં પારણાં થયાં. પ્રભુજીની રથયાત્રાનો વરઘોડો બપોરે ૩=૦૦ કલાકે ચડ્યો. સાંજે ૫=૦૦ વાગે સ્વામિ વાત્સલ્ય થયું. રાત્રે ૧૧=૦૦ કલાકે પૂજ્યશ્રીનું સ્વાસ્થ્ય કથળ્યું. ચતુર્વિધ સંઘ જૈન પૌષધશાળામાં એકત્રિત થઈ ગયો. પૂજ્યશ્રીને ભાવિ સ્પષ્ટ થઈ ગયું હોય તેમ ચોરાશી લાખ જીવયોનિને
For Private & Personal Use Only
www.jainelibrary.org