________________
શાશ્વત સૌરભ ભાગ-૧
નિઃસ્પૃહભાવે સંયમજીવનને દીપાવનાર
પૂ. આ. શ્રી વિજયમનોહરસૂરિજી મ.
સંતોની ભૂમિ સૌરાષ્ટ્રના જામનગર શહેર પાસેના બગસરા ગામે, પિતા કસ્તૂરચંદભાઈ અને માતા સંતોકબહેનને ઘેર સં. ૧૯૪૯માં જન્મેલા હેમચંદ્રને રંભાબહેન નામે મોટી બહેન અને ત્રિભુવન નામે નાનાભાઈ હતા. હેમચંદ્રની ૧૨ વર્ષની વયે પિતાજીનું અવસાન થયું. માતા સંતોકબહેન પણ ઘણાં સંસ્કારી અને ધર્મનિષ્ઠ સંન્નારી હતાં. ત્રણે સંતાનોને સંસ્કારી અને સ્વાવલંબી બનાવી સં. ૧૯૬૪માં દીક્ષા અંગીકાર કરી સાધ્વીશ્રી સરસ્વતીશ્રીજી બન્યાં. બહેન રંભાબહેનનાં લગ્ન કરીને હેમચંદ્ર માતા સાધ્વીજીને વંદન કરવા મહેસાણા ગયા. ત્યાં પૂ. સરસ્વતીજીએ કહ્યું કે, “હેમચંદ્ર! મેં દીક્ષા લીધી ને તું રહી ગયો એ ખટકે છે. પૂ. આચાર્ય ભગવંત અહીં બિરાજમાન છે. એમની પાસેથી હિતશિક્ષા લે.' હેમચંદ્ર ગુરુદેવ પાસે ગયા. ગુરુદેવની અમૃત જેવી મીઠી વાણી સાંભળી સંસારનો રસ ઊડી ગયો. યાવજ્જીવન બ્રહ્મચર્યનો નિયમ લીધો. પૂ. ગુરુદેવની નિશ્રામાં તાલીમ અને અભ્યાસ લેવા લાગ્યા. પ્રારંભિક અભ્યાસ દ્વારા વૈરાગ્ય તીવ્ર બન્યો અને સં. ૧૯૬૬ના મહાવદ ૩ને દિવસે માતર મુકામે (જિ. ખેડા) પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે સંયમ સ્વીકારી પૂ. આ. શ્રી મેઘસૂરીશ્વરજી મહારાજના શિષ્ય શ્રી મનોહરવિજયજી મહારાજ બન્યા. દીક્ષા લઈને અધ્યયનમાં લીન બન્યા. આ. શ્રી કનકસૂરીશ્વરજી મહારાજ, શ્રી કલ્યાણવિજયજી મહારાજ, આ.શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, શ્રી સૌભાગ્યવિજયજી મહારાજ આદિ એમના સહાધ્યાયી હતા. હંમેશાં ગુરુકુલવાસમાં જ રહેતા મુનિશ્રી મનોહરવિજયજી મહારાજને શિષ્યસ્પૃહા હતી જ નહીં, પરંતુ તેઓશ્રીની યોગ્યતા જોઈને પૂ. દાદાગુરુ આચાર્યભગવંત શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીના શિષ્ય બનાવ્યા હતા, જેમની સંખ્યા ૭ની હતી.
પૂજ્યશ્રીનો વૈયાવચ્ચનો મહાન ગુણ હતો. પોતાના ગુરુમહારાજની તો છેક લગી ઉત્તમ પ્રકારની વૈયાવચ્ચ કરેલી જ પણ, પોતાના શિષ્યો અને સ્વસમુદાયના અન્ય સાધુઓ અને ૫૨ સમુદાયના સાધુઓની પણ સુંદર પ્રકારે સેવા કરી હતી. તેઓશ્રીના કંઠે ગવાતી પૂજા સાંભળી શ્રોતાઓ ભાવવિભો બની જતા. પૂજ્યશ્રી પદ પ્રત્યે નિઃસ્પૃહી હતા, છતાં પૂ.
Jain Education International
૫૦૫
ગુરુદેવની આજ્ઞાને વશ વર્તીને પદગ્રહણ કરવાં પડ્યાં હતાં. તેઓશ્રીને સં. ૧૯૮૧ના જેઠ વદ ૧૦ને દિવસે સાણંદમાં ગણિ પદ, સં. ૧૯૮૩ના વૈશાખ વદ ૩ને દિવસે અમદાવાદમાં પંન્યાસ પદ, સં. ૧૯૮૫માં મહા સુદ ૧૧ને દિવસે ભોયણી તીર્થમાં ઉપાધ્યાય પદ અને સં. ૧૯૯૯ના ફાગણ સુદ ૩ને દિવસે આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા હતા. પૂજ્યશ્રીમાં પ્રતિકૂળતા સહન કરવાની ગજબની તાકાત હતી. જેસલમેર જેવાં વિકટ અને વિષમ ક્ષેત્રોનો વિહાર પણ કોઈ જાતની સહાય-સગવડ વિના, ભોમિયા વિના કરેલો. જેસલમેરના રાજા આ જાણી તાજ્જુબ થઈ ગયા હતા! વિનંતી કરીને રાજમહેલમાં લઈ ગયા હતા. ઉપદેશ સાંભળ્યો અને વિનંતી કરી કે આવા રણપ્રદેશમાં નિઃસહાય વિચરીને મને કલંકિત ન કરશો. વળતાં સહાયનો ઉપયોગ કરશો. અધિકારીઓને પણ સૂચના આપી, પરંતુ સંયમના ખપી સૂરીશ્વરે એક જ દિવસમાં ૨૭ માઇલનો ઉગ્ર વિહાર કરી, જેસલમેરથી પોખરણ પહોંચી ગયા. સહાય ન લીધી તે ન જ લીધી. પૂજ્યશ્રીએ ઘણાં શાસનપ્રભાવક કાર્યો કર્યાં. ૫૪ વર્ષનો સંયમપર્યાય પાળી, ૭૦ વર્ષની વયે સં. ૨૦૨૦ના વૈશાખ સુદ ૧૧ના દિવસે વિરાર (મુંબઈ) મુકામે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. એવા જ્ઞાનીતપસ્વી સૂરિવરને લાખ લાખ વંદન!
શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ, પાવાપુરી સમવસરણમંદિર-તીર્થ ગુણગણાલંકૃત, અનેક ધર્મકાર્યોના પ્રણેતા : પૂ. આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મ.
સમી
સમતાભરી સાધુતા, ચંદ્રની ચાંદની જેવી શીતળતા અને ગિરિરાજ સંયમમગ્નતા સાથે નિખાલસતાનો સુભગ સંયોગ પૂ. આચાર્યપ્રવર
શ્રી
વિજયદેવસૂરીશ્વરજી
મહારાજમાં જે રીતે જોવા મળે
છે તેવો ભાગ્યે જ બીજે જોવા મળે. એક વાર તેઓશ્રીનું
સાન્નિધ્ય માણનાર કદી પણ એમના દિવ્ય સ્નેહને વીસરી શકતું નહીં. તેઓશ્રીનો જન્મ સં. ૧૯૬૮ના અષાઢ વદ ૮ના દિવસે મેવાડના ઉદેપુર જિલ્લાના સલૂંબર ગામે થયો હતો.
For Private & Personal Use Only
www.jainelibrary.org