________________
શાશ્વત સૌરભ ભાગ-૧
સંયમમૂર્તિ, વાત્સલ્યવારિધિ અને અનુપમ વ્યક્તિત્વને ધારણ કરનારા પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયમહાબલસૂરીશ્વરજી મહારાજ
સૌરાષ્ટ્રના સાવરકુંડલા પાસે ગાધકડા ગામમાં જન્મેલા મનસુખભાઈ તે જ પૂ. આચાર્યશ્રી વિજયમહાબલસૂરીશ્વરજી મહારાજ. ‘દૂધવાળા’તરીકે ઓળખાતા મનસુખભાઈ જેમ જ્ઞાતિમાં, વેપારીવર્ગમાં જાણીતા હતા, તેમ ધાર્મિક ક્ષેત્રમાં પણ ધર્મ–આરાધના, દેવભક્તિ, ગુરુભક્તિ, સાધર્મિક સેવા વગેરે સત્કાર્યોથી અને વિનય, વિવેક, સરળતા, ઔચિત્ય આદિ સદ્ગુણોથી સુખ્યાત હતા. જીવનભર યાદ રહે એવી ધન્ય પળ ક્યારેક મળી આવે છે. મનસુખભાઈના જીવનમાં પણ એક એવી પુણ્ય પળ આવી. પવિત્રતાની પ્રતિમૂર્તિ જેવા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજનો પુણ્યપરિચય થયો અને મનસુખભાઈએ આત્માને ‘મહાત્મા’ બનાવવાનું લક્ષ્ય નિશ્ચિત કર્યું. આ ભાવના ધર્મતીર્થપ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજના સતત સમાગમથી, ભવ્ય પ્રેરણાથી તેમ જ માર્ગદર્શનથી દૃઢતર બની. સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી અનેક મુમુક્ષુઓને આરાધના કરવા માટે અનુકૂળતા કરી આપનારા અને સંયમની સંગીનતાલીમ આપનારા મુમુક્ષુમંડળમાં મુખ્ય સંચાલક સ્થાને રહીને બે વરસ સુધી સફળ સંચાલન કરનાર મનસુખભાઈએ અનેક દીક્ષાર્થીઓને તૈયાર કરી એ દ્વારા પૂજ્યાપાદશ્રીના અનહદ આશીર્વાદ મેળવ્યા.
સં. ૨૦૦૭માં ૨૮ વર્ષની ભરયુવાનીમાં મનસુખભાઈએ પોતાનાં ધર્મપત્ની વિમલાબહેન (ઉં. ૨૪) સાથે અંધેરી-મુંબઈ મુકામે ઉપધાન તપની આરાધના કરી અને ત્યારે જ સજોડે બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કરી સંયમમાર્ગે જવાના પોતાના દેઢ નિર્ધારને પરિવાર સમક્ષ વ્યક્ત કર્યો. ચાર વર્ષના પોતાના પુત્ર પ્રવીણને પૂજ્યપાદશ્રીની શીતળ છાયામાં, પોતાના ગુરુદેવશ્રી મિત્રાનંદવિજયજી મહારાજ પાસે ભણવા માટે મૂકીને સંયમમાર્ગ તરફ મક્કમ કદમ ઉઠાવ્યું. પોતાના આ પુત્રને ‘કુળ નહીં, પણ શાસનને અજવાળે' એવી ઉદાત્ત ભાવનાથી જન્મતાં જ નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરાવનારા આ પિતાની ધર્મભાવનાનું ફળ આજે આપણે પૂ. આચાર્યશ્રી વિજયપુણ્યપાલસૂરિજીની પ્રતિભામાં જોઈ શકીએ છીએ. પોતાના આઠ વર્ષના પુત્ર પ્રવીણને દીક્ષા આપવા અંગે કુટુંબીઓનો મોટા પાયે વિરોધ
Jain Education International
૫૨૫
હોવાથી સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના દિવસે ખાનગી રીતે વણી (જિ. નાસિક) મુકામે પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ અપાવ્યું. ત્યારબાદ મનસુખભાઈએ પોતે પણ થોડા જ દિવસમાં સં. ૨૦૧૧ના જેઠ સુદ-૫ ના દિવસે મુંબઈ-ભાયખલામાં અધ્યાત્મયોગી પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યના શુભ હસ્તે ભવ્ય સમારોહપૂર્વક પોતાનાં ધર્મપત્ની સાથે દીક્ષા અંગીકાર કરી અને મનસુખભાઈ મુનિ શ્રી મહાબલવિજય નામે પૂ.આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બન્યા. આ માટે પૂજ્યશ્રીના મોટાભાઈ ઘોઘારી જ્ઞાતિના આગેવાન તથા ગોડીજી જૈન દેરાસર--મુંબઈના ટ્રસ્ટી શ્રીયુત બાવચન્દભાઈ દૂધવાળાની વિનંર્તી અને સહયોગ અપૂર્વ રહ્યો તથા વિમલાબહેન સાધ્વીશ્રી વિમલકીર્તિશ્રીજી તરીકે પ્રવર્તિની સાધ્વીશ્રી જયાશ્રીજી મહારાજનાં શિષ્યા સાધ્વીશ્રી નિરંજનાશ્રીજી મહારાજનાં શિષ્યા બન્યાં. આજે તેઓશ્રી ભલે હયાત નથી પણ પોતાનાં શિષ્યાપ્રશિષ્યા આદિનું સુંદર યોગક્ષેમ કરવા સાથે સંયમની સુંદર આરાધના કરીને પાંચ વર્ષ પૂર્વે સુરતના ચાતુર્માસ દરમિયાન સમાધિપૂર્વક સ્વર્ગગમન સાધી સંયમનો સુન્દર આદર્શ મૂકતા ગયા છે. પૂ. મુનિશ્રી મહાબલવિજયજી મહારાજે દીક્ષા અંગીકાર કરી અપ્રમત્તપણે જ્ઞાન-ધ્યાન, વિનય-વૈયાવચ્ચ, સંયમ-તપ વગેરે જીવનનાં અંગ બનાવ્યાં. વળી ધૈર્ય, ગંભીર, ઔદાર્યઆદિ ગુણો સાથે સંયમજીવનમાં નાનામાં નાનો દોષ પણ ન લાગે એની તકેદારી રાખીને, ગુરુકૃપાના પાત્ર બનીને, આજે પોતાના શિષ્યપ્રશિષ્યોમાં એક આદર્શ ખડો થાય એવું યોગક્ષેમ કરી રહ્યા છે. તેઓશ્રીની તારક નિશ્રામાં નાસિક અને માલેગાંવમાં ઐતિહાસિક ચિરસ્મરણીય ઉપધાન તપની આરાધના તથા ૭૭-૩૬-૧૭ આદિ છોડના ઉઘાપનમહોત્સવ, અનેક સ્થળે જિનભક્તિમહોત્સવો ઊજવાયા છે. અનેરી શાસનપ્રભાવના થઈ હતી. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં છ'રીપાલક યાત્રાસંઘો નીકળ્યા છે. એમાં પણ અનેરી શાસન પ્રભાવના થઈ હતી. મુંબઈ– બોરીવલી ચંદાવરકર લેનમાં નવનિર્મિત ભવ્ય જિનાલયની અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગે પૂજ્યશ્રીએ અદ્ભુત યોગદાન અને શાસ્ત્રીય માર્ગદર્શન આપ્યું છે. શ્રીસંઘ આ બાબત તેઓશ્રીને મહાન ઉપકારી માને છે. નાસિકના ચાતુર્માસમાં ૨૫૦ ઘરમાં ૧૮૩ સામુદાયિક સિદ્ધિતપનું ભવ્ય અનુષ્ઠાન પૂજ્યશ્રીના ઉપદેશથી અને તેઓશ્રીની વાત્સલ્યમયી અમીવૃષ્ટિ રૂપ નિશ્રામાં જ થયું હતું. પારણાં પ્રસંગે ભવ્યાતિભવ્ય મહોત્સવ ઊજવાયો હતો. પૂજ્યશ્રીનાં પ્રત્યેક ચાતુર્માસ ઐતિહાસિક અને અનેરી
For Private & Personal Use Only
www.jainelibrary.org