________________
શાશ્વત સૌરભ ભાગ-૧
કાઢવામાં આવ્યા ત્યાં બામણવાડા તીર્થ વસ્યું...એની બાજુમાં જ બે કિ.મી.ના અંતરે પ્રભુવીરના નામથી વીરવાડા વસેલું છે. પ્રભુ મહાવીરનું વિશાલ જિનાલય ગામ બહાર આવેલું છે. આ જિનાલયને વર્ધમાન વિધા સાધનાપીઠ તરીકે પણ ઓળખી શકાય છે. કારણ કે અહીં અનેક સાધક મુનિઓએ શ્રી વર્ધમાન વિદ્યાની સાધના કરેલી છે.
આ ગામમાં તરોજી અને માધોજી નામના બે સગાભાઈઓ જિનશાસનના ઉપાસક સુશ્રાવકો હતા. શ્રી મહાવીરસ્વામી જિનાલયની ઉત્તમ વ્યવસ્થા, સારસંભાલ અને સુંદર ઉપાસના કરતાં હતાં. સાંભળવા પ્રમાણે કોક અગમ્ય કારણસર આ બન્ને ભાઈઓએ ગામ છોડવાનો નિર્ધાર કર્યો. તરોજી વાગરા બાજુ જઈને વસ્યા એમના સંતાનો તરાણી કહેવાયા. માધોજી માલવાડા આદિમાં ગયા અને તેઓ માધાણી કહેવાયા. એટલે તરાણી અને માધાણી ભાઈઓ થયા. તરાણી શ્રી છોગાજી સેનાજી વ્યવસાયાર્થે પોતાના ભાઈઓ સાથે કર્નાટકમાં બસવન ભાગેવાડી જઈ વસ્યા. ગચ્છાધિપતિ આ. શ્રી હેમેન્દ્રસૂરીશ્વરજી મ. સા. તરાણી પરિવારથી બસવન ભાગેવાડીથી દીક્ષિત થયા. શ્રી છોગાજીના પુત્ર શ્રી પુખરાજજી વ્યવસાયાર્થે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સ્થિર થઈ જૈનબ્રધર્સ’ નામથી વ્યવસાય શરૂ કર્યો. ધર્મપત્ની ફૂલવંતીદેવી ખૂબ જ સંસ્કારી કુટુંબના હતા. એમના બે સગા ભાઈઓ દીક્ષિત થઈ આ. શ્રી જિતેન્દ્રસૂરિજી મ. સા., આ. ગુણરત્નસૂરિજી મ. સા. રૂપે શાસનનાં નભોમંડળમાં ચમકી રહ્યાં છે. તેમને દીક્ષા માટે ઘરથી ભાગી જવાનો પુરુષાર્થ કર્યો પણ પરિવારવાળા પાછા લઈ આવી લગ્ન કરાવી દીધા. લગ્ન પછી પુખરાજભાઈને સંયમ લેવાના કોડ જાગ્યા. પરંતુ કર્મસંજોગે નીકળી ન શક્યા. સંતાનોમાં પાંચ પુત્ર સંપત, કિશોર, મુકેશ, રમેશ, સુરેશ અને બે પુત્રી પુષ્પા અને પ્રમીલા હતા. એમાં ત્રીજા પુત્ર રમેશનો ભાગ્યોદય થયો.
*
* *
બાલકનો જન્મ સં. ૨૦૨૦ ફાગણ વદ ૭ મંગળવાર ૪૨-૧૯૬૪ સ્વાતિ-૧ વિશાખાપટ્ટનમમાં થયો તે સમયે જોશી ઉવાચ-આ બાલકના શરીર પર કુદરતી જનોઈ અંકિત છે. આ બાલક પૂર્વ જન્મમાં પંડિત હોવો જોઈએ. આ જન્મમાં તમારા ઘરમાં નહીં રહે...
મામા સરદારમલ ઉવાચ-આ બાલક દીક્ષા લેશે. હીરાચંદ ઉવાચ-બેટા! મેં તારા મામા
નાના
Jain Education International
૬૪૧
ગણેશમલની દીક્ષામાં અજ્ઞાનતાના કારણે ઘણો અંતરાય કર્યો. એ તો દૃઢ રહ્યાં અને દીક્ષા લીધી અને સુંદર આરાધના કરી રહ્યા છે. પણ હું તને કહું છું લેવા જેવી તો દીક્ષા જ છે.
માં! તૂ દહી કેમ નથી ખાતી? બેટા મારે બાધા છે. દીક્ષાની ભાવના હતી પણ ન લઈ શકી માટે દહીની બાધા રાખી છે. માં! તારી ભાવનાને હું પૂરી કરીશ!
માં દીકરાના આ સંવાદથી પાયો રચાયો...
૨૦૫૩ કા. ૧.
પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ૮ વર્ષની ઉંમરે જવાનું થયું. નારકી ચિત્રાવલી જોઈ ભવનો ભય લાગ્યો. સંયમની તાલાવેલી લાગી. ૧૨ વર્ષની ઉંમરે વિશાખાપટ્ટનમથી તખતગઢ મોટાભાઈના લગ્નપ્રસંગે આવવાનું થયું-ત્યાં જોગાનુજોગ પૂજ્ય ગુરુદેવ શ્રી ગુણરત્નસૂરિજી મ. નું ચાતુર્માસ હતું. પારસમણિનો સ્પર્શ થયો. લોઢુ સોનુ બની ગયું. સાથે રહ્યા, ઘરે લગ્નપ્રસંગે ૧૨ વર્ષના રમેશની કસોટી આવી છતાં મક્કમ રહી ચાંદરાઈમાં લગ્ન મંડપના સ્થળના જ મુખ્ય અવરજવરના માર્ગે લાઈટો બંધ કરાવી પ્રતિક્રમણ કર્યું. ૧૦ દિવસમાં બે પ્રતિક્રમણ મોઢે કરી આગળ વધ્યા. સંવત ૨૦૩૪ ફાગણ વદ ૧૦ ૨૪-૧૯૭૮ રવિવારે ૧૪ વર્ષની ઉંમરે તખતગઢમાં દીક્ષા થઈ. સં. ૨૦૩૪ વૈશાખ સુદ ૫ ના પં. શ્રી ભદ્રંકર વિ., આ. શ્રી મુક્તિચંદ્રસૂરિજી, આ. શ્રી રાજતિલકસૂરિજી મ. સા., આ. શ્રી કલાપૂર્ણસૂરિજી મ. ના હાથે પિંડવાડામાં વડી દીક્ષા થઈ. સં. ૯ના અમદાવાદ શ્રી ભુવનભાનુસૂરિજી સ્મૃતિમંદિર પ્રતિષ્ઠાના ઐતિહાસિક મહોત્સવમાં ગણિપદવી થઈ. પૂ. મુનિશ્રી દર્શનરત્ન વિ., મુનિશ્રી વિમલરત્ન વિ. પાસે વ્યાકરણ, વિદ્યાગુરુશ્રી મોક્ષરત્ન વિ. મ. પાસે ૭ વર્ષ નવ્ય-ન્યાય-તત્ત્વચિંતામણિ(સંપૂર્ણ) જાગદીશી-ગાદાધરી-માથુરી ચાર તત્ત્વાલોક, ષડ્દર્શનાદિ ૪૦૦ ગ્રંથોનો વિસ્તૃત અભ્યાસ કર્યો. પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ઉપશમનાકરણ કરી પૂજ્યશ્રી રચિત ઉદય સાર્મિત્ત ગ્રંથનું સંશોધન કરી તૈયાર કર્યું. કવિત્વશક્તિ અને તર્કશક્તિનો ઉપયોગ કરી દરરોજ એક નવો શ્લોક લખવાનો નિયમ રાખ્યો. હજારાં શ્લોકો રચ્યા. અભાવવાદ તત્ત્વાલોકની રચના કરી. ન મ’ બે વર્ણના આધારે દ્વિવર્ણસ્તુતિરક્ષ્મયઃ નામનો નાનકડો ચિત્તને ચમત્કૃત કરનારો ગ્રંથ લખ્યો. હિંદી ગુજરાતી અંગ્રેજીમાં ૫૪ પુસ્તકો લખ્યા. ગુડનાઈટ રાત્રિ પ્રવચનો ૮૦ હજાર નકલ, જૈનમનોવિજ્ઞાન ૪૦ હજાર નકલ, ગુડલાઈફ ૪૦ હજાર નકલ, બચાવો બચાવો ગર્ભપાત મહાપાપ ૫ લાખ નકલ, ઐસી લાગી લગન
For Private & Personal Use Only
www.jainelibrary.org