________________
૫૮૪
ધન્ય ધરાઃ
બનાવશે! પછી એ પ્લાન મુજબ ચાલતા પ્લાન્ટોમાં પાણી વગેરેમાં કેટલા બધા જીવોનો આરંભ-સમારંભ થશે? અને હાથમજૂરી કરતા કેટલા માનવો બેકાર થશે? તને થોડા હજારનો પગાર મળશે પણ તું કેટલાં બધાં પાપોનો અશુભારંભ કરશે? તને જૈન તરીકે બુદ્ધિ આ માટે મળી છે કે તારું અને બીજાનું હિત થાય એવી પ્રવૃત્તિઓ કરવા મળી
સં. ૨૦૩૦ (ઈ.સ. ૧૯૭૪)ના અષાઢ મહિનામાં સાવરકુંડલા મુકામે યુવાવર્ગના ઉદ્ધારક પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજશ્રીના સવારના લગભગ ચારેક વાગ્યે મુંબઈ યુનિવર્સિટીના પ્રોડક્શન એન્જિ. બીજા વર્ષની પરીક્ષા આપી વંદન માટે આવેલા વીસ વર્ષના યુવક અક્ષયકુમારને ઉપર મુજબ પ્રેરણા આપી રહ્યા હતા.
દાદાજીના પરિવારની સાત દીક્ષા અને પોતાની બહેનની દીક્ષાથી ધર્મરંગે રંગાયેલા આ યુવાનને પૂ. ગુરુ મહારાજશ્રીની પ્રેરણાએ ઝાટકો આપ્યો. ત્યાં જ સંકલ્પ કર્યો–આજીવન બ્રહ્મચર્ય પાળવું અને ચોમાસા પછી શીધ્ર દીક્ષા લેવી.
તીવ્ર બુદ્ધિપ્રતિભાના કારણે યુનિવર્સિટીમાં સેકન્ડ રેન્ક પામેલા તથા મોટી મોટી ઓફરો આવવાની શરૂ થઈ હોવા છતાં એક જ ઝાટકે દીક્ષાનો નિર્ણય લીધો.
ધર્મસંસ્કારી માતા સુશીલાબહેને પણ એમની તીવ્ર ભાવના જોઈ રજા આપી. મોહનભાઈના આ ચોથા સંતાને સં. ૨૦૩૧ના કારતક વદ દશમે બીજા ત્રણ મુમુક્ષુ સાથે દીક્ષા લીધી અને પોતાના નાના કાકા મહારાજ પૂ. જયશેખરવિજયજી મ.ના પ્રથમ શિષ્ય થયા (પૂ. જયશેખરવિજયજી મહારાજ પાછળથી આચાર્ય મ. થયાં). પછીથી એમના નાનાભાઈ તથા માતાએ પણ દીક્ષા લીધી.
તીવ્ર બુદ્ધિપ્રતિભા, તીક્ષ્ણ તર્કશક્તિ, અદ્ભુત ધારણાશક્તિના કારણે અત્યંત ટૂંકા ગાળામાં જ ન્યાય, વ્યાકરણ, આગમ પ્રકરણ ગ્રંથોના પ્રકાંડ તજ્જ્ઞ થયા. માત્ર સમુદાયમાં જ નહીં, સમસ્ત તપાગચ્છમાં અગ્રણી જ્ઞાતા તરીકે ઊભરી આવ્યા.
પ્રબળ સત્ત્વબળે નબળી કાયામાં પણ બે વાર અપ્રમત્તભાવે માસક્ષમણ કર્યા. એકવાર મૌન અઠ્ઠાઈ કરી. માત્ર દસ વર્ષની ઉંમરથી દરેક સુદ પાંચમના ઉપવાસ શરૂ
કર્યા. અત્યાર સુધીમાં લગભગ ૧૭૮ અઠ્ઠમ થઈ ગયા ને વર્ધમાનતપની ૩૬ ઓળી કરી છે. વિશેષ પ્રકારે શારીરિક પ્રતિકૂળતા ન હોય તો લાંબા લાંબા વિહારોમાં પણ એકાસણાં એ એમનો રોજિંદો ક્રમ છે.
નિર્દોષ ગોચરી અને સૂકમ સંયમના આગ્રહી પૂજ્યશ્રી તાર્કિક અને તાત્ત્વિક પ્રવચનકાર તરીકે પ્રસિદ્ધ છે. તેમના ન્યાય પર, કર્મસાહિત્ય પર અને મહો. શ્રી યશોવિજયજી મ.ના સાહિત્ય ઉપર લખાયેલા ગ્રંથો પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોમાં જ્ઞાનાભ્યાસ માટે, અત્યંત લોકપ્રિય બન્યા છે. હંસા! તું ઝીલ મૈત્રી સરોવરમાં' વગેરે લોકભોગ્ય બનેલાં પુસ્તકો જૈન-જૈનેતર જનતામાં જ નહીં, વિદ્વાનોમાં પણ અત્યંત આદરપાત્ર બન્યાં, બની રહ્યાં છે. શ્રી સંઘમાં સાધુસાધ્વીજી ભગવંતોના સમર્થ વાચનાદાતા તરીકે પણ તેઓશ્રી સારી ખ્યાતિ પામ્યા છે.
પૂજ્યશ્રીની સર્વાગીણ યોગ્યતા જોઈ વિ.સં. ૨૦૧૭ના વૈશાખ સુદિ બારશે પૂજયપાદ ગચ્છાધિપતિશ્રી આચાર્ય ભગવંત જયઘોષસૂરીશ્વરજી મહારાજે એમને આચાર્યપદે સ્થાપિત કર્યા.
આચાર્ય પદ પછી પોતાના ગુરુદેવના દક્ષિણ મહારાષ્ટ્રના અધૂરા કાર્યો ઉપાડી લઈ ત્યાં ઠેરઠેર અંજનશલાકા, પ્રતિષ્ઠા વગેરે કાર્યક્રમો પણ શાસનપ્રભાવક રીતે સંપન્ન કરી રહ્યા છે.
અત્યાર સુધીમાં તેઓશ્રી દ્વારા લગભગ ત્રીસથી વધુ ગ્રંથો પુસ્તકોનાં લેખન-સંપાદન-સંશોધન થયેલાં છે. તેઓશ્રીના હસ્તે ભવિષ્યમાં પણ ઘણા ગ્રંથોના સર્જન દ્વારા જૈન શ્રુત સાહિત્ય સમૃદ્ધ થતું રહે એવી મંગળકામના છે. તેઓશ્રીની નિશ્રામાં સં. ૨૦૬૦માં થાણા-પાલિતાણાનો ઐતિહાસિક છ'રીપાલિત સંઘ સંપન્ન થયો.
હાલ તેઓશ્રીનો અઢાર શિષ્યો-પ્રશિણોનો પરિવાર છે. તત્ત્વના અને સત્ત્વના પ્રખર આગ્રહી પૂજ્યશ્રી દીર્ધકાળ સુધી જૈન સંઘ ઉપર અનેક રીતે ઉપકાર શ્રેણી વરસાવે તેવી શુભેચ્છા.
(પૂજ્યશ્રીનો જન્મ ભાદરવા વદ પાંચમ સં. ૨૦૧૦, તા. ૧૬-૯-૫૪, સુરત મુકામે). સૌજન્ય : પૂ. પંન્યાસશ્રી અજિતશેખરવિજયજી મ.સા.ની પ્રેરણાથી શ્રી
વિલેપાર્લે થે. મૂ. જૈન સંઘ એન્ડ ચેરીટીઝ, પાલ (પૂર્વ) મુંબઈ.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org