________________
શાશ્વત સૌરભ ભાગ-૧
છે અને તેથી અભ્યાસ માટે વધુ એકાગ્રતા પણ આવે છે. તેઓશ્રી એક તો છેક નાની વયથી જ ત્યાગ અને વૈરાગ્યવાસિત હતા, તેમાં જ્ઞાનનું ઓજસ ભળતાં તેમણે ભાગવતી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. સં. ૧૯૬૮માં કાકાની રજા લઈને તેઓશ્રી કાશીએ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ પાસે અભ્યાસાર્થે ગયા. ત્યાં તેમને સંગ્રહણીનો રોગ લાગુ પડી જવાથી અમદાવાદ પાછું આવવું પડ્યું. વળી પાછા ભાવિભાવને અનુસરીને પાઠશાળામાં શિક્ષક બન્યા. સં. ૧૯૬૯માં તીર્થોદ્ધારક જૈનાચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ અમદાવાદ પધાર્યા ત્યારે તેઓશ્રીનો ગાઢ પરિચય થતાં, તે જ વર્ષના મહા માસમાં પૂ.આ. શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી.
દીક્ષા અંગીકાર કરીને પૂજ્યશ્રીએ ષડ્દર્શન, જ્યોતિષ, વેદ, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિનો અતલ અભ્યાસ કરીને વિદ્વતા અને ખ્યાતિ પ્રાપ્ત કર્યાં. પૂજ્યશ્રી શ્રીસંઘોના સંગઠન અને ઉત્કર્ષ માટે સદૈવ જાગૃત રહ્યા હતા. સં. ૧૯૯૦માં અમદાવાદ મુકામે શ્રી શ્વેતાંબર સાધુઓનું બૃહદ્ સંમેલન ભરાયું, તેને સફળ બનાવવામાં વૃદ્ધ મહાત્મા શ્રી કાન્તિવિજયજીદાદાએ શ્રી નીતિસૂરિજી મહારાજ સાથે કપડવંજ મુકામે પત્રવ્યવહાર કર્યો. શ્રીમદ્ વિજયકલ્યાણસૂરિને દહેગામ જઈ શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ, શ્રી વિદ્યાવિજયજી મહારાજ વગેરે સાથે મંત્રણા કરવા મોકલ્યા હતા. આ શુભ મંત્રણાના પરિણામે સાધુસંમેલન સફળતાપૂર્વક પાર પડ્યું હતું. સમગ્ર જૈનસમાજ આ વાતનો ગૌરવભેર સ્વીકાર કરે છે, ઉપરાંત પૂજ્યશ્રીએ અનેક જગ્યાએ જિનાલયોની પ્રતિષ્ઠાઓ અને જીર્ણોદ્ધાર કરાવેલ છે. અનેક પુણ્યાત્માઓને ભાગવતી દીક્ષા આપેલ છે. એવા એ શાસનપ્રભાવનામાં સદા જાગૃત બાળબ્રહ્મચારી આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલ્યાણસૂરીશ્વરજી મહારાજ ૪૧ વર્ષનો દીક્ષાપર્યાય પાળીને ૬૦ વર્ષની વયે કાળધર્મ પામ્યા. જિનશાસનના એ વિદ્યાપુરુષને શતશઃ વંદન!
સૌજન્ય : શ્રી સિદ્ધાચલ શણગાર જૈન ટ્રસ્ટ– પાલિતાણા. ચારિત્રચૂડામણિ, સમર્થ શાસ્ત્રવેત્તા, ખાખી મહાત્મા' પૂ. આ. શ્રી વિજયમંગળપ્રભસૂરીશ્વરજી
મહારાજ
એક અણમોલ મોતી દેવગુરુભક્તિવંત સુશ્રાવક ઊજમશીભાઈ હિમજીભાઈનાં ધર્મપત્ની
સંતોકબહેનની
Jain Education International
૪૨૫
રત્નકુક્ષિએ ઉત્પન્ન થયું. ચરમ શાસનપતિ ત્રિશલાનંદન શ્રી મહાવીર પરમાત્માએ સાડાબાર વર્ષની ઘોર તપશ્ચર્યાનું સર્વોત્કૃષ્ટ ફળ લોકાલોકપ્રકાશક શ્રી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જગતના અજ્ઞાનતાનાં અંધારાં ઉલેચ્યાં. તે ઉત્તમ દિને યાને વૈશાખ સુદ દશમીએ દવિધ યુતિધર્મનું આરાધન કરવા આ સૃષ્ટિમાં અવતરી વિ.સં. ૧૯૫૧ની સાલે માનવજીવનની મહાયાત્રાનો પ્રારંભ કર્યો. ચિંતાને ચૂરનાર સાક્ષાત્ મણિ સમા પુત્રરત્નની પ્રાપ્તિ થતાં જ ગુણને અનુરૂપ ‘મણિલાલ’ નામ રાખ્યું. લાંબી ભુજાઓ, કાળાભમ્મર વાળ, ચમકતી આંખો અને મીઠું મીઠું હાસ્ય એ નાનકડા લાલના ભાવિનાં લક્ષણો છૂપ્યા છુપાય તેમ ન હતાં. બાલ્યકાળથી જ વૈરાગ્યના રંગોમાં રમતાં એ લાલ બાર વર્ષની નાની ઉંમરમાં ‘અધ્યાત્મકલ્પદ્રુમ’ જેવા ગ્રંથોનું વાચન કરતાં જાણે એનાં ગૂઢ રહસ્યો પામ્યા હોય એમ નાચી ઊઠતા! ગુજરાતી સાત ધોરણ, એટલે કે ફાઇનલ સાથે બે અંગ્રેજી ધોરણનો વ્યાવહારિક અભ્યાસ કરી, ધાર્મિક અભ્યાસ માટે મહેસાણા રહીને તત્ત્વજ્ઞાનના ગ્રંથોનો વિશિષ્ટ અભ્યાસ કર્યો. જન્મભૂમિ લીંબડી શહેરને છોડીને આખા કુટુંબ સાથે અમદાવાદ કસુંબાવાડમાં વસવાટ કર્યો. ત્યાં બાજુમાં આવેલા ડહેલાના ઉપાશ્રયે ગીતાર્થશિરોમણિ પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજનો સમાગમ થયો–જાણે અનંત ભવોના ઉપકારી ન હોય, જાણે ભવોભવના સાથી ન હોય, તેમ તેઓશ્રીના દર્શનથી હૈયું હર્ષવિભોર બન્યું! બાલ્યકાળનો વૈરાગ્ય વેગવંત બન્યો. સંસારની અસારતા દર્શાવી, વડીલો પાસે હૈયાના ભાવો પ્રગટ કર્યા. મોહાધીન કુટુંબીઓ પાસેથી દીક્ષાની અનુમતિ ન મળી, તો ભોયણી તીર્થ પાસેના ઘેલડા ગામની નજીકના જંગલમાં પોતાની જાતે જ સાધુવેશ પરિધાન કરી, સં. ૧૯૭૩ના ફાગણ વદ ૬ને દિવસે, ૨૨ વર્ષની ભરયુવાનીમાં, અણગાર બની શાસનના સાચા શણગાર બન્યા.
શાસનને શોભાવતા, અંતરને અજવાળતા, સકલાગમરહસ્યવેદી પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજ પાસે વિધિપૂર્વક પ્રવ્રજ્યા સ્વીકારી, તેઓશ્રીના શિષ્યરત્ન મુનિરાજ શ્રી મંગલવિજયજી મહારાજ તરીકે ઘોષિત થયા. સંવેગી ઉપાશ્રયે પ્રથમ ચાતુર્માસ કર્યું અને રૈવતાદિ તીર્થોદ્ધારક, આગમજ્ઞાતા, સંયમત્રાતા પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ દાદાગુરુદેવ પાસે શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસન લઘુવૃત્તિ વ્યાકરણનો અભ્યાસ કર્યો. સંસ્કૃત ભાષા પર પ્રભુત્વ મેળવવા કાવ્યાનુશાસન આદિ અનેક ગ્રંથો વાંચ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org