________________
૪ ૨૬
ધન્ય ધરાઃ
પૂજ્યશ્રીએ નાનીમોટી અસંખ્ય પાઠશાળાઓ સ્થાપી. શ્રેષ્ઠ પંડિતો તૈયાર કરવા માટે શિવગંજમાં “શ્રી વર્ધમાન જૈન તત્ત્વ પ્રચારક વિદ્યાલયની સ્થાપના કરી, જેના ફળસ્વરૂપે અનેક આત્માઓ ચારિત્રમાર્ગમાં સુંદર સાધના સાધી રહ્યા છે. જ્ઞાન એ આત્મબોધનું પરમ સાધન છે, જેનાથી રાગરૂપ સંસારનો નાશ થતાં જ ચારિત્રરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. પૂજ્યશ્રીના ચારિત્રની સુવાસ આજે પણ મારવાડની મરૂભૂમિમાં મઘમઘી રહી છે.
ભાભર જેવા ગામમાં ભગવાનની જેમ પૂજાયેલા પૂજ્યશ્રીએ ખરેખર, કમાલ કરી નાખી! જગતના સર્વ જીવોને સુખ પીરસવાની સક્રિય સાધના એટલે જ ચારિત્રની સાચી રમણતામાં મસ્ત બનેલા આ મહાપુરુષનું અનોખું જીવન જ આદર્શરૂપ બનતાં, અનેક પંથ ભૂલેલાને પંથ ઉપર લાવીને પરમાર્થ કરનારા બન્યા. એક વાર, ઉપાશ્રયે સામાયિક કરવા આવનાર શેઠ બહાર ઘૂંકવા જતાં, કઠોડો નહીં હોવાથી પગ સરકતાં, પહેલે માળેથી નીચે પડતાં બેશુદ્ધ થઈ ગયા. તેમને તરત જ હોસ્પિટલ લઈ જતા હતા, ત્યાં પૂજ્યશ્રી નીચે દોડી આવ્યા, ને પોતાનો રજોહરણ ત્રણ વખત ફેરવતાં શેઠ બેઠા થઈને પૂજ્યશ્રીનાં ચરણોમાં ઝૂકી પડ્યા! એક વાર, એક શેઠના નવપરિણિત પુત્રને સર્પ ડંખતાં પૂજ્યશ્રીએ ભક્તામરની અમુક ગાથા સાત વાર કાનમાં કહેતાં ઝેર ઊતરી ગયું. પૂજ્યશ્રીની અજોડ ચારિત્રસાધનાની ભૂરી ભૂરી અનુમોદના આજે પણ તેમના જીવનમાં પ્રત્યેક ગુરુભગવંત માટે અનેરી ભક્તિ જગાવી રહ્યા છે! એક વાર, શ્રી તારંગાના છ'રી પાલિત સંઘમાં, શ્રીસંઘ તારંગાજી પહોંચતાં, સામુદાયિક ચૈિત્યવંદન કરતાં એક બહેનને દીપકપૂજા કરતાં તેમની સાડીનો છેડો ભડકો થયો, ત્યાં પૂજ્યશ્રીએ ધૂપની રખ્યા તેના પર નાખતાં જ અગ્નિ શમી ગયો, એ જોઈને શ્રીસંધના આનંદનો પાર ન રહ્યો! આવા અપૂર્વ ભાવો જગાડનારા પ્રસંગે પૂજ્યશ્રી વિશેષે મૌન રહેતા. સંયમબળના ધારકો ચમત્કાર કરવામાં માનતા નથી, પરંતુ તેઓની સાહજિક પ્રવૃત્તિઓ ચમત્કાર બની જતી હોય છે. તેઓની નાભિમાંથી નીકળતા, સંયમનિષ્ઠાથી રણકતા શબ્દો ઘણી વાર મંત્ર કે વિધા જેવો ચમત્કાર સર્જી જતા હોય છે. ઉપરનાં દાંતો આ વાતની સાખ પૂરે છે.
' નામના-કામના, પ્રવૃત્તિ-પદવીના સદંત નિઃસ્પૃહી પૂજ્યશ્રીએ દીર્ધ સંયમપર્યાય પછી, અનેક સંઘોના અતિ આગ્રહથી, વડીલોની ગેરહાજરીથી જવાબદારી આવી પડતાં, દીક્ષા-ઉપધાન વગેરેમાં અત્યંત અનિવાર્ય એવી પંન્યાસપદવી
સં. ૧૯૯૨ના વૈશાખ સુદ-૧૦ના શુભદિને (જન્મદિને) રાધનપુર મુકામે સ્વીકારી પરંતુ આચાર્યપદવી માટે તો ના જ પાડતા હતા. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, ગીતાર્થ પૂ. આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ આદિ અનેક પદવીધર ગુરુભગવંતો તથા સમસ્ત રાજસ્થાન-ગુજરાતના નાનામોટા અનેક શ્રીસંઘોના દબાણ છતાં આચાર્યપદ માટે ના પાડનાર પૂજ્યશ્રી કલિકાલના ખાખી મહાત્મા’ કહેવાયા. સાત વર્ષના સતત પ્રયત્નો પછી વડીલોની આજ્ઞા થતાં, સં. ૨૦૩૦ના માગશર સુદ પાંચમને દિવસે અમદાવાદ-રાજનગરમાં ત્રીજા પદ-આચાર્યપદે આરૂઢ થયા. અનેક ઉપધાનો, ઉજમણાં, જિનમંદિરોનાં નિર્માણો અને જીર્ણોદ્ધારો, પ્રતિષ્ઠાઓઅંજનશલાકા, શ્રી પાલિતાણા, ગિરનારજી, રાણકપુરજી, તારંગાજી, નાકોડાજી આદિ અનેક તીર્થોના છ'રી પાળતા સંઘોસંઘમાળા, ઉપાશ્રયો-પાઠશાળાઓનાં નિર્માણકાર્યો વગેરે અનેક શાસનની અજોડ-અભુત પ્રભાવના સાથે અનેક જંગમ તીર્થો પણ જાગતાં કર્યા.
૯૨ વર્ષની ઉંમરે પણ પૂજ્યશ્રીને ચશ્માંના નંબર ન હતા. તેમ જ પાંચ ઇન્દ્રિયો પૂર્ણપણે સ્વાધીન હતી, તે તેઓશ્રીના સંયમનો જ દિવ્ય પ્રભાવ હતો. પૂજ્યશ્રીને પાલિતાણા ક્ષેત્રનું અનેરું આકર્ષણ હતું. અમદાવાદના ટ્રસ્ટીઓના આગ્રહથી પાલિતાણાથી અમદાવાદ ચાતુર્માસ માટે પધાર્યા. કમોસમી વરસાદને કારણે પ્રોસ્ટેટ ગ્લેન્ડની વૃદ્ધિ થવાથી ૧૦ મહિના સુધી તકલીફ રહી, પરંતુ વિલાયતી દવાના સખત વિરોધી પૂજ્યશ્રીએ
ઓપરેશન ન કરાવ્યું. અષાઢ સુદ ૯થી તાવ શરૂ થયો. પૂજ્યશ્રીની પ્રભુભક્તિ અવિહડ ચાલુ જ હતી.
સં. ૨૦૪૨ના અષાઢ સુદ ૧૧ના દિવસે લોહીની ઊલટી થતાં, પૂજ્યશ્રીની બિલકુલ ઇચ્છાવિરુદ્ધ, ભક્તજનોના ભાવથી ડોક્ટરોએ ઉપચાર ચાલુ કર્યા. શ્રી નમસ્કાર મહામંત્રનાં સ્વતઃ જાપ કરતાં, ભક્તજનોની નવકારમંત્રની ધૂનના ધ્વનિમાં એ અમર આત્મા ખોવાઈ ગયો, જેનો ગુંજાસ્વ આજે પણ ભક્તવર્ગના કર્ણપટલથી સરકી શક્યો નથી. એ મહાપુરુષનો જન્મ હતો જિનભક્તિ માટે, જીવન હતું જીવમૈત્રી માટે અને મૃત્યુ હતું જડવિરક્તિ માટે. આ પરીક્ષામાં પાસ થવું તે જ સમાધિ, જેને પૂજ્યશ્રીએ સાધી મૃત્યુને મહોત્સવ બનાવ્યો! ખરે જ મહાપુરુષોના ગુણ ગાવા માટે સાક્ષાતુ સરસ્વતીમાતા હજારો રૂપો ધારણ કરે, તો પણ વર્ણવી શકવા સમર્થ નથી.
સૌજન્ય : શ્રી સિદ્ધાચલ શણગાર જૈન ટ્રસ્ટ-પાલિતાણા.
Jain Education Intemational
ducation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org