Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રત્નપ્રભા પૃથ્વીની પહોળાઈ એક લાખ એંસી હજાર એજનની છે. બીજી શરામભા પૃથ્વીની પહોળાઈ એક લાખ બત્રીસ હજાર જનની છે. ત્રીજી પૃથ્વીની પહોળાઈ એક લાખ અઠયાવીસ હજાર જનની છે. ચેથી પૃથ્વીની પહોળાઈ એક લાખ વીસ હજાર એજનની છે. પાંચમી પૃથ્વીની પહોળાઈ એક લાખ અઢાર હજાર જનની છે. છઠી પૃથ્વીની પહેળાઈ એક લાખ સેળ હજાર એજનની છે. સાતમી પૃથ્વીની પહોળાઈ એક લાખ આઠ હજાર એજનની છે.
આના ઉપરથી એ સારી રીતે સમજી શકાય છે કે બીજી પૃથ્વી કરતાં પહેલી પૃથ્વી વિશેષાધિક છે. ત્રીજી પૃથ્વી કરતાં બીજી પૃથ્વી વિશેષાધિક છે. ચેથી પૃથ્વી કરતાં ત્રીજી પૃથ્વી વિશેષાધિક છે. પાંચમી પૃથ્વી કરતાં જેથી પૃથ્વી વિશેષાધિક છે. છઠી પૃથ્વી કરતાં પાંચમી પૃથ્વી વિશેષાધિક છે. અને સાતમી પૃથ્વી કરતાં છઠી પૃથ્વી વિશેષાધિક છે. અને વિસ્તારની અપેક્ષાથી તુલ્ય નથી પરંતુ વિશેષ હીન છે. તે પણ સંખ્યાત ગુણ હીન નથી. એજ આ સૂત્રનું કથન છે. જે સૂ ૧૧ | જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રીવાસીલાલજી મહારાજકૃત જીવાભિગમસૂત્ર'ની પ્રમેયોતિકા નામની વ્યાખ્યામાં ત્રીજી પ્રતિપત્તિને પહેલો ઉદ્દેશ સમાપ્ત ૩-૧ [ પ્રત્યેક પૃથ્વી મેં કિતને કિતને નરકાવાસ હોને કા કથન
બીજા ઉદેશાને પ્રારંભત્રીજી પ્રતિપત્તીને પહેલે ઉદ્દેશ સમાપ્ત કરીને હવે સૂત્રકાર બીજા ઉદેશાને પ્રારંભ કરે છે. આ બીજા ઉદ્દેશામાં કઈ કઈ પૃથ્વીના કયા પ્રદેશમાં કેટલા નરકાવાસે છે ? આ વિષયનું પ્રતિપ દન કરે છે.
“જાં મં?! પુત્રીઓ છાત્તાવો’ ઈત્યાદિ
ટીકાઈ-ગૌતમસ્વામી પ્રભુને એવું પૂછે છે કે “જળ અંતે ! પુરી guત્તાયો હે ભગવન પૃથ્વી કેટલી કહેવામાં આવી છે? જે કે પૃથ્વીની સંખ્યાના સંબંધમાં પહેલા કથન કરવામાં આવેલ છે. પરંતુ અહિંયાં આ સંબંધમાં જે ફરીથી પ્રશ્ન કરવામાં આવેલ છે, તે તેમાં વિશેષપણાનું પ્રતિપાદન કરવા માટે કરેલ છે.
એજ કહ્યું છે “પુત્ર મનિયંત્તિઓ ઈત્યાદિ
જીવાભિગમસૂત્ર
૪૭