Book Title: Adhar Pap Sthanakni Sazzaya
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
અઢાર પાપસ્થાનક
પણ બ્રાહ્મણ જાતિ ઉપર ક્રોધ વર્યો. પોતાના મંત્રીને કહ્યું કે હજારો બ્રાહ્મણોની બન્ને આંખો કઢાવીને થાળ ભરીને મારી પાસે લાવો. આવી ભયંકર હિંસા કરવાના પરિણામ થયા. મંત્રી બુદ્ધિશાળી હતો. તેણે નેત્ર જેવાં પોચાં અને અંદરથી કીકીના જેવાં ઠળીયો નીકળે તેવાં મોટા ગુંદોનો થાળ ભરીને મુક્યો અને કહ્યું કે આ હજારો બ્રાહ્મણોની આંખોનો થાળ છે. આંખોથી અંધ, વિવેકથી અંધ એવા તે રાજાએ એક એક ગુંદાને બન્ને હથેળીમાં મસળી મસળીને ભાંગ્યા અને ઘણો જ રાજી થયો અને મનમાં હર્ષ થયો કે મેં ઘણું સારું કામ કર્યું કે જે આટલા બ્રાહ્મણોને તો અંધ બનાવ્યા. આવી હિંસાની ક્રુર વૃત્તિથી મરીને સાતમી નરકે ગયા. આ પ્રમાણે હિંસા નામનું પાપસ્થાનક આચરનારા સુભૂમ અને બ્રહ્મદત્ત નરકે ગયા. / ૫ | રાય વિવેક કન્યા ક્ષમા રે, પરણાવે જસ સાય ! તેહ થકી દૂરે ટલે રે, હિંસા નામ બલાય રે / ૬ //
પ્રાણી ! જિન વાણી ધરો ચિત્ત. શબ્દાર્થ - રાય વિવેક - વિવેકરૂપી રાજા, કન્યા ક્ષમા - ક્ષમારૂપી કન્યાને, હિંસા નામ બલાય - હિંસા નામની બલા. || 5 ||
ગાથાર્થ - વિવેકરૂપી રાજ જ્યારે આ આત્માની સાથે ક્ષમા નામની કન્યાને પરણાવશે. ત્યારે જ આ આત્મામાંથી હિંસા નામની વળગેલી બલા દૂર ટળશે. ક
વિવેચન - હિંસાના પરિણામ એ એક જાતની બલા છે. ભૂત છે. અનાદિ કાળથી આ બલા જીવને વળગેલી છે. જ્યારે આ જીવમાં વિવેકદશા પ્રગટશે અને તે વિવેકદશા રૂપી રાજા આ આત્માનાં ક્ષમા નામની કન્યા સાથે લગ્ન કરશે. સારાંશ કે આ આત્મા ક્ષમાશીલ બનશે. ત્યારે અનાદિકાળથી આ આત્માને વળગેલી આ હિંસા નામની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org