Page #1
--------------------------------------------------------------------------
________________
OLALI
5 જૈન ગ્રંથમાળા, ૪ દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬.
ગછ ક રૂ૫ રેખા.
શ્રીન હીસીગ સરાવતી શાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
||
|| E सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः। - शील SE नमोत्थुणं समणस्स भगवओ महावीरस्स ,
ણ
ષ
શ
વ
. a , a & 4 gિ
શ
ક
શ્રીપાર્ધચંદ્રગચ્છ
ટુંક રૂ૫ રેખા.
બ
4
3
2
- 0
3. A
+ 4
– સંપાદક તથા પ્રકાશક :| શ્રી જૈન હઠીસીંગ સરસ્વતી સભા
શામળાની પિળ–અમદાવાદ,
4
0
8. ૮૧ ૧
| સં. ૧૯૯૭
વીર સં. ૨૪૬૭
પાર્શ્વ સં. ૧૮૫
3
કિં. ૧–૯–૦
[C]
भाव
T
-જિયા
ખોદક |
I ts
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
યુગપ્રધાનશ્રીપા ચંદ્રસૂરીશ્વરદાદાના છંદ.
૧
સૂરિપાર્શ્વ ચદ્ર હુવા અવતારી, જેના નામ તણી મહિમા ભારી; કષ્ટ ટળે મટે તાપ તપા, પૂજ્ય દાદાજીના જાપ જા. પૂજ્ય નામે સખ કષ્ટ ટળે, વળી ભૂત પ્રેત તે નાંહિ છળે; મળે ન ચાર હાય ગપચપેા, પૂજ્ય દાદાજીના જાપ જપેા. ૨ લક્ષ્મી દિનદિન વધી જાવે, એર દુઃખનેડા તેા નહિ આવે; વેપારમે હાવે બહુત નફા, પૂજ્ય દાદાજીના જાપ જપેા. ૩ અડયા કામ તે ડાઇ જાવે, વળી બગડયે કામ તે ખનજાવે; ભૂલચૂક નહિ હોય ડખા, પૂજ્ય દાદાજીના જાપ જપે. રાજ કાજમે તેજ રહે, વળી ખમાખમા સખ લેાક કહે; આછિ જાયગા જાય રૂપા, પૂજ્ય દાદાજીના જાપ જા. પૂજ્યનામ તણા જેણે લીયેા આટા, તેને કર્દિ નહિ આવે તાટ; ઘર ઘર ખારણે કાંઈ તપા, પૂજ્ય દાદાજીના જાપ જા. એક માળાકા નિત્ય તેમ રખા, કાઇ વાત તણેા નહિ હાય ધખા; ખાલી વિમાસ એર ટળે જીસપા, પૂજ્ય દાદાજીના જાપ જપેા; છ સ્વગચ્છતણી પ્રતિપાળ કરે, મુનિામ સદા તુમ ધ્યાન ધરે; કોઇ પ્રત્યક્ષ વાત નહિ ઉથપેા, પૂજ્ય દાદાજીના જાપ જપો. ૮
૬
L
આ ચેપડી ધી મહેન્દ્ર પ્રિ. પ્રેસમાં છેટાલાલ બાલચ'દ દોશીએ રતનપેાળ ગેલવાડ નાકા-અમદાવાદમાં છાપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
અમદાવાદ-શામળાની પોળના શ્રીમન્નાગપુરીય તપાગચ્છ (પાર્ધચંદ્રગચ્છ) ના ઉપાશ્રયના
આગળના ભાગનો ભવ્ય દેખાવ.
Page #5
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
ઉપાઘાત
સચેત્ર અને વિયેાગ એ તે સ’સારના ક્રમ છે. જન્મ અને મૃત્યુથી એ વાત નિશ્ચિત હોવા છતાં અનંત જ્ઞાનીએ ઉચ્ચારેલા અને સમયે સમયે દ્રષ્ટિગાચર થતા મેહની અટવિમાં અટવાઇ પડેલા આપણે ઇષ્ટ સમયે આન ંદ અને વિયેાગના સમયે દુઃખ અનુભવીએ છીએ. પરંતુ આપણા મહાન ઉપકારી શ્રીતીથ 'કર ભગવંતાએ આપણને આ ભવસમુદ્ર તરવા માટે શાસનરૂપી જહાજ આપ્યું છે. આવું શાસન પામ્યા પછી પણ આત્માએ ઉન્નત સ્થિતિએ ન પહોંચે તે પછી તે ઢાષકના અને સ્વપુરૂષાર્થની ખામીનેાજ લેખી શકાય. પુણ્યપુરૂષાના જીવન પર જેટલે પ્રકાશ ફેંકવામાં આવે તેટલે તે ભવી અને મુમુક્ષુ આત્મા માટે લાભદાયીજ છે.
વમાન શાસનમાં પૂર્વ આચાર્યા શાસનની પાટે બિરાજતા નાયકે છે. એ મહિષ એ જે સ્વપર કલ્યાણ અર્થે જીવી ગયા અને બોધપાઠ રન્તુ કરી ગયા તે જીવન અનેક આત્માને તારનારૂં અને બેધક છે. આપણા શ્રીમન્નાગપુરીયતપાગચ્છ ઉફે શ્રીપા* ચંદ્રસૂરિગચ્છના ભૂતકાળમાં થઇ ગયેલા મહાન ઉપકારી પુરૂષોના જીવનપ્રસંગોને એક સાંકળમાં ગુચવાથી આપણા શ્રીસંઘના આબાલવૃદ્ધ ભાઈ હેંનેને બધરૂપ થાય એ હેતુ ‘ શ્રીપા ચદ્રગચ્છ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
દ્રક રૂપરેખા”ને આ નાની પુસ્તિકા રૂપે રજુ કરવામાં આવે છે. એમાંયે જેઓના નામે આપણે શ્રીસંઘ વધુ પ્રકાશ માં આવ્યું છે. તે ૫૦ ૫૦ પુણ્યશ્લોક પ્રાતઃસ્મરણીય યુગપ્રધાન શ્રી ૧૦૦૮ શ્રીપાશ્વ ચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં જીવનપ્રસંગોમાંથી ત્યાગ ને તપશ્ચર્યા, સાહિત્યસેવા અને સહિષગુતા, ચમત્કાર અને બુદ્ધિપ્રભાવથી ભરપૂર છે. ચારે ક્ષેત્રમાં એ પૂજ્ય પુરૂષની સેવાઓ વિશિષ્ટ છે. એ સિવાય પૂ૦ શ્રી કલચંદ્રજી ગણિવર મહારાજ, પૂ. આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી બ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. શાંતતમતિ શ્રીપુનમચંદ્રજી ગણિવર મહારાજ, પૂ. આચાર્ય શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજ, ૫૦ તપસ્વી શ્રી જગતચંદ્રજી ગણીમહારાજ આદિના ત્યાગ અને સાહિત્યસેવાની સુરભથી મઘમઘતા જીવનપ્રસંગે પ્રાપ્ત થયેલ વિગતે પરથી આ પુસ્તિકામાં ઉતારવામાં આવ્યા છે. સંભવ છે કે એમાં ઘણું ત્રુટીઓ રહી જવા પામી હોય પરંતુ વાંચકવર્ગને આ જીવનચરિત્રે એ પૂજ્યપુરૂષોના પગલે જવાની પ્રેરણ કરે એ ધ્યેયને સાન્નિધ્યમાં રાખીને જ આ પ્રયાસ કરવામાં આવ્યું છે. એટલું વાંચકવર્ગ બરાબર વિચારશે એવી આશા રાખવાનું અસ્થાને નથીજ.
આ પુસ્તિકાને સચિત્ર બનાવવા માટે સ્વ. પૂ. પ૦ આચાર્ય અને સ્વર્ગસ્થ તથા વિદ્યમાન પૂ. મુનિરાજે પિકી જેટલાના ફોટાઓ પ્રાપ્ત થયા છે તે તેમજ બીજા મંગાવીને બ્લેક બનાવરાવી સાચો ખ્યાલ વાંચકવર્ગને આપવા પ્રયાસ કરવામાં આવ્યા છે. આમાં ૨૮ ફેટા મૂકવામાં આવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
સંસ્થાનું એ સદ્ભાગ્ય છે કે આવી ઉપયોગી પુસ્તિકા બહાર પાડવાનું તેના ફાળે આવ્યું છે. આ પુસ્તિકા આ સંસ્થાની સ્થાપનામાં જે મહાપુરૂષના ઉપદેશ અને ધર્મવાણીએ મહાન ભાગ ભજવ્યો છે તે સ્વપૂ૦ પાઠ આચાર્ય શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી (ભાઈચંદજી) મહારાજને અર્પણ કરી એ . ગુરૂદેવ પ્રત્યેનું ત્રણ યત્કિંચિત્ અદા કરવાને મનસુબો પાર પડ્યાને આત્મસંતેષ લઈ શકીએ છીએ. આ સંસ્થાના પ્રેરણામૂર્તિ સ્વ. શ્રેષિશ્રી હઠીસીંગભાઈ ને પણ આ તકે અમે તેઓશ્રીનો બ્લેક રજુ કરી જ્ઞાનની પરબ અર્પણ કરી ભાવી પ્રજાના આત્મકલ્યાણનું સાધન કરી આપવા માટે તેઓશ્રી પ્રત્યે આભારદર્શન કરકરવાનું ચૂકી શકતા નથી. વળી શ્રી સંઘના અગ્રગણ્ય ગૃહસ્થો કે જેમણે આ પુસ્તિકા લખાવરાવવા અને છપાવવા માટેના અમારા મનોરથને પ્રોત્સાહન આપ્યું છે તેઓને પણ આ તકે અમે આભાર પ્રદર્શિત કરીએ છીએ.
વળી અત્રે ચાતુર્માસ બરાજતા પૂળ મુશ્રી કૃપાચંદ્રજી મહારાજ સાહેબ તથા પૂ. મુ. શ્રી બાલચંદ્રજી મહારાજ સાહેબે અમારી વિનંતિને માન આપી આ પુસ્તિકાના લેખનમાં ઘટતા સુધારા-વધારા કરી તેને સુંદર બનાવવા અને ગેલીએ સુધારી આપવા પાછળ સમય અને શક્તિને જે ભેગ આપે છે તે માટે અમે તેઓશ્રીના અણી છીએ. ૫૦ મુઇ શ્રી બાલચંદ્રજી મહારાજે પણ બાલ્ય વયે દીક્ષા ગ્રહણ કરી શાસ્ત્રોને ઠીક ઠીક અભ્યાસ કરવા ઉપરાંત જ્યોતિષ અને કવિત્વ સંબંધે જ્ઞાન ઉપાર્જન કર્યું છે. તેઓશ્રીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
પોતાના પૂ. ગુરૂદેવના સ્મરણાર્થે આજ સુધીમાં છ ગ્રંથમણકા બહાર પાડ્યા છે એ પરથી તેઓશ્રીની એ શક્તિ વિષે આપણને સહેજે ખ્યાલ આવે છે. તેઓશ્રીને હાથ આ પુસ્તિકાના લખાણ પર ફરવાથી તે સુંદર અને આદર્શરૂપ બની છે.
હવે છેલ્લે છેલ્લે પુરૂ પાડવામાં આવેલ સાહિત્ય અને વિગતે ઉપરથી આ પુસ્તિકાનું સારુંયે મેટર તપાસી યેગ્ય ભાષામાં ગોઠવી આપનાર, જૈનપ્રશ્નોના અભ્યાસી અને જાણીતા લેખક શ્રી ભગવાનજીભાઈ જગજીવનદાસ કપાસી જેઓ આપણા ગ૭ના સ્વામીભાઈ છે તેઓને પણ આભાર માન્યા સિવાય કેમ રહી શકાય.
અંતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ પુસ્તિકામાં સહાય કરનારા સને આ તકે આભાર માનીએ છીએ.
આ પુસ્તિકામાં ત્રુટીઓ રહી જવા પામી હશે તે બધાને વાંચકવર્ગ ક્ષમ્ય કરશે અને ધ્યેયને સાન્નિધ્યમાં રાખી એને બને તેટલો વધુ પ્રચાર કરશે એવી આશા સાથે વિરમીએ છીએ. શામળાની પોળ છે
લી૦ અમદાવાદ, વિજ્યાદશમી ૧૯૭૭ શ્રી જૈન હઠીસીંગ સરસ્વતી સભા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
..................
***********
શ્રી મન્નાગપુરીયતપાગચ્છગગનનભામણિ શાસનપ્રભાવક બાલબ્રહ્મચારી ૫૦ પૂર્વ શ્રી ૧૦૦૮ શ્રીમત્તાશ્ર્વ ચદ્રસૂરીશ્વરજીની દેરી
નાગદારી ધા ગચ્છના શક્યો. તાત્કારિક વાંછિત ફળદાતાર દાદરી 1
ભગવા
ધ્રાંગધ્રા શ્રી પાર્શ્વ ચદ્રગચ્છના ઉપાશ્રયમાં તાત્કાલિક વાંચ્છિત લ દાતાર
દાદાની દેરી.
•O.............
*****.)
............
Com
Page #11
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા. વિષય
પાનું શાસન પ્રભાવક શ્રીવાદિદેવસૂરિની ટુંક જીવન રેખા. ૨-૬ પાટપરંપરા .... .. ••• :: શાસનપ્રભાવક યુગપ્રધાન શ્રી પાર્શ્વચંદ્રસૂરિ–ચરિત્ર ૮-૭૫ પર્વતિથિઓનું આરાધન (પર્યુષણ પર્વ પંચમીના દિવસે કરવું તેને નિર્ણય, ચોમાસી-નિર્ણય અને પાક્ષિક–નિર્ણય) . . . ૭૫-૮૮ પર્વતિથિ-મંતવ્ય અને પર્વતિથિઓને નિર્ણય ૮૮–૧ પાટ પરંપરા , ..... ... ... ૨ પૂ. શ્રી કુશલચંદ્રજી ગણિવરનું ટુંક જીવન-વૃત્તાંત ૯૩-૯૭ પૂ. શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજીના જીવનને ટુંક પરિચય ૯૮–૧૨૧ પૂ. શ્રી પુનમચંદ્રજી ગણિવરનું ટુંક જીવન ચરિત્ર ૧૨૨-૧૩૪ પૂ. શ્રીજગતચંદ્રજી ગણિવરનું ટુંક જીવન-ચરિત્ર ૧૩૫-૧૩૮ પૂ. શ્રીસાગરચંદ્રસૂરીશ્વરજીનું ટુંક જીવનચરિત્ર ૧૩૯-૧૫૫ શ્રી જૈન હઠીસિંગ સરસ્વતી સભાને અહેવાલ ૧૫૬
શુદ્ધિ૫ત્રક. પાનું લીટી અશુદ્ધ શુદ્ધ ૪ ૪, ૮, ૧૨, મુરિ સૂરિ
6
6
ચુડામણિ સૂરીગરછ
ચૂડામણિ સૂરિગચ્છ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
છે.
ઇ
૨૩
૨૦ પારસચંદ પાસચંદ
દેષીત દેષિત
તિધર તિર્ધર જીવહિંસા જીવહિંસા સુરીશ્વરજી સૂરીશ્વરજી અદિ
આદિ ૧૪ હજારૂ નામના કસાઈને હજાર કસાઈઓને તેને
તેમને રાજવશી રાજવંશી અક્ષરસ અક્ષરશઃ
યુગપ્રવર્તાને યુગપ્રવૃત્તિને ૧૭ કાચાર્યો પણ કાચાર્ય પણું
( –પણ ) ( -પળ ) ૧૪ ચોમાની ચૌમાસી ૧૮
મલજી મલસિંહજી પધાપી પધાર્યા સૂરિશ્વરજી સૂરીશ્વરજી
ખેને દુઓને ૨૭ વર્ષ ૨૬ વર્ષ
૧૨૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
ગઈ નમ:. युगप्रधान-श्रीपार्श्वचंद्रसूरीश्वरगुरुभ्यो नमः । શ્રી પાર્શ્વચંદ્રગથ્વીય-આદર્શ રૂપરેખા.
વર્તમાન શાસનના નાયક ચરમ તીર્થપતિ ભગવાન શ્રી મહાવીરસ્વામી પછી તેઓશ્રીના શાસનને અવિછીન્નપણે ગતિમાન રાખનાર ગણધર ભગવાને અને ત્યારબાદ આચાર્ય ભગવંતે વિગેરે નિર્માણ થયેલા છે. પ્રભુના નિર્વાણ બાદ આચાર્યભગવંતના સમયમાં જેનીના એકત્રિત સમુદાયોને જુદા જુદા નામાભિધાન કર્યાનું શાસ્ત્રોક્ત તપાસ પરથી જણાય છે. જે મુજબ સૌથી પ્રથમ નિગ્રંથગછ આવે છે અને ત્યારબાદ શ્રી સુધર્મસ્વામી, બારમા પટ્ટધર શ્રી સુસ્થિતસૂરિ, સત્તરમા પટ્ટધર શ્રી ચંદ્રસૂરિ અને અઢારમા પટ્ટધર શ્રી સામતભદ્રસૂરિથી અનુકમે કૌટિક, ચંદ્ર, વનવાસી અને વડગચ્છ નામેથી ગચ્છ ઓળખાતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
શાસનપ્રભાવક શ્રીવાદિદેવસૂરિ પરંતુ જેને આપણે શ્રીમન્નાગપુરીયતપાગચ્છના નામથી ઓળખીએ છીએ તેનામ આપણા મહાન પૂર્વવત્ તિર્ધર આચાર્ય ભગવાન શ્રી વાદિદેવસૂરિના સમયમાં એટલે વિકમ સં. ૧૧૭૭ માં સ્થપાયું. આચાર્ય વાદિદેવસૂરીના તિભૂષણ અને વિદ્વાન શિષ્યરત્ન શ્રી પદ્મપ્રભસૂરિજી મહારાજ વિ. સં. ૧૧૭૭ માં અન્ય સ્થળેએ વિચરતા–અનેક જીવને બધિબીજ પમાડતા એક સમયે નાગર નગરે પધાર્યા. નાગોરના રાણાને સચોટ અને સતત ધર્મોપદેશથી જૈનધર્મમાં શ્રદ્ધામય કરી જૈનધામ બનાવ્યો. રાજાએ આચાર્યશ્રીની વિદ્વતા અને પ્રભાવ જોઇને “નાગપુરીય તપા શ્રી પદ્મપ્રભસૂરિ' એ પ્રમાણે નામ સ્થાપન કર્યું ત્યારથી જગતમાં નાગપુરીય તપા એ નામથી સુપ્રસિદ્ધ થયા.
આપણા વર્તમાન ગ૭ના મૂળસ્થાપક પ્રભાવિકપુરૂષ આચાર્ય ભગવાન શ્રીમદ્ વાદિદેવસૂરિ શાસ્ત્રોક્ત જ્ઞાનથી એટલા વિભૂષિત થયેલા હતા કે એમની સામે ચર્ચા કરવામાં ભલભલાને તેઓશ્રી પરાજય પમાડતા. આવી રીતે અણહીલપુર પાટણના રાજા સિદ્ધરાજે રચેલી વિવાદ સભામાં સં. ૧૧૮૧ની સાલમાં અભિમાની દિગમ્બર આચાર્ય કુદચંદ્ર સાથે વાદવિવાદ કરી શ્રીમન્નાગપુરીય તપા ગછને વિજય વાવટે કરકા. આચાર્યશ્રીની વિદ્વતા અને વિવાદમાં ગ્રહણ કરેલી તર્કશક્તિ તેમજ દલીલબાજીથી પ્રસન્ન થઈને રાજાએ આ મહાપુરૂષને “સકાવાદિ સુગટ” એટલે વિવાદમાં શિરેમણિ તરિકેનું બિરૂદ આપ્યું. અને પાટણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
શહેરમાં કોઈ દિગમ્બર ન આવે એવું ફરમાન કાઢયું, આચાર્ય ભગવાન શ્રીમદ્દ વાદિદેવસૂરિના આ વિજયના ડેકા દિગંતમાં ચોમેર ગાજી ઉઠયા અને ઠેરઠેરથી તેઓશ્રીની વિદ્વતા પર પ્રસંશાના પુપે વેરાવા લાગ્યા. આચાર્ય ભગવાને પોતાના જીવનકાળ દરમ્યાન સં. ૧૨૦૪માં શ્રી ફલવધિ (ફલોધી) પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી જે હાલ વિદ્યમાન છે અને આરાસણમાં શ્રી નેમિનાથ પ્રભુના બિંબને સ્વહસ્તે પધરાવી. પ્રભુપૂજનની જીવનમાં શા માટે જરૂરીયાત છે. અને એ એક આવશ્યક વસ્તુ છે. એ વાત સિદ્ધ કરી બતાવી અનેકને એ માર્ગ ગ્રહણ કરવા પ્રેરણા કરી.
વિદ્વાનોમાં ભૂષણ સમાન આ સમર્થ આચાર્યભગવાને ચેરાસી હજાર પ્રમાણ ન્યાયને “સ્યાદ્વાદરત્નાકર નામનો ગ્રંથ કર્યો અને “પ્રભાતસ્મરણલક” “શ્રાવક ધમકલક તેમજ પિતાના ગુરૂદેવ પ્રત્યેની ભાવના વ્યક્ત કરવા તેમજ સ્વજીવનને આટલી ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટેના મહદ્ ઉપકાર-રૂણ યત્કિંચિત્ અદા કરવા “અનિચંદ્રગુરૂ
સ્તુતિ” વિગેરે અનેક પ્રમાણભૂત, મનનીય અને વિદ્વતાથી ભરપુર ગ્રંથો રચ્યા છે.
શ્રી વાદિદેવસૂરિજી સિદ્ધરાજની સભામાં
પૂજ્યશ્રીની યાદ શક્તિ માટે નીચેની હકીકત સંપૂર્ણ સમર્થ કરનારી છે. પૂજ્યશ્રી સિદ્ધરાજની સભામાં વાદી: કુમુદચંદ્રની સાથે વાદ કરવા માટે વિ. સં. ૧૧૮૧ ના વૈશાખ સુદ ૧૫ ના રોજ પધાર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
વાદી કુમુદચંદ્રનો પક્ષઃ સ્ત્રી મોક્ષમાં ન જાય. (૨) કેવળી આહાર ન કરે. (૩) શ્વેતાંબર માસમાં ન જાય પણ દિગંબર જાય. આ ત્રણ મુદ્દાઓ પર વિવાદ ચલાવવાનો હતો.
પ્રતિવાદી શ્રી વાદિદેવસૂરિનો પક્ષઃ સ્ત્રી મેક્ષમાં જાય. (૨) કેવળી આહાર કરે અને (૩) શ્વેતાંબર (વસ્ત્રધારી) મોક્ષમાં જાય.
વાદી કુમુદચંદ્ર તરફના સભ્યઃ કેશવ નામના ત્રણ પંડિત હતા. અને સભાપતિ પક્ષ તરફના સાગર, મહર્ષિ અને ઉત્સાહ એ નામના ત્રણ વિદ્વાન હતા.
પ્રતિવાદી શ્રી વાદિદેવસૂરિ તરફના સભ્યઃ કવિ ચકવતી શ્રીપાલ અને ભાનુ હતા.
ઉપરના પ્રશ્નો પરનો સામસામે વિવાદ ૧૬ દિવસ પર્યત ચાલ્યા હતા. અને છેવટે શ્રી વાદિદેવસૂરિજીનો વિજય થયો હતો.
આચાર્ય ભગવાન શ્રી સ્વાદિદેવસૂરિએ વશ પુરૂષોને આચાર્યપદે સ્થાપ્યા હતા. કે જેઓ વિદ્વતા, ચારિત્રમાં એક બીજાની હરિફાઈ કરે તેવા હતા જેમના નામે આ નીચે આપવામાં આવે છે. ૧ શ્રી પદ્મપ્રભસૂરિ ૯ શ્રી વદ્ધમાનસૂરિ ૧૭ શ્રી વાસેનસૂરિ ૨ , મહેન્દ્રસૂરિ ૧૦ , ચંદ્રપ્રભસૂરિ ૧૮,, પ્રસન્નચંદ્રસૂરિ ૩ , મહેશ્વરસૂરિ ૧૧ , જયપ્રભસૂરિ ૧૯, કુમુદસૂરિ ૪ , રત્નપ્રભસૂરિ ૧૨ , પૂર્ણભદ્રસૂરિ ૨૦, પદ્યદેવસૂરિ ૫ , મરમસૂરિ ૧૩ , પરમાનંદસૂરિ ૨૧ ,, માનદેવસૂરિ
, ભદ્રેશ્વરસૂરિ ૧૪ , દેવેન્દ્રસૂરિ ૨ , પેણસૂરિ ૭ ,, માનતુંગસૂરિ ૧૫ , પૂણદેવસૂરિ ૨૩ ,, હરિણસૂરિ ૮ ,, શાન્તિસૂરિ ૧૬ , થશેભદ્રસૂરિ ૨૪, સોમસૂરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
ચરમતીર્થ પતિ ભગવાન શ્રી મહાવીરદેવથી ૪૪મી પાટે થનાર આ પ્રભાવિક આચાર્ય ભગવાન શ્રીમદ્ાદિદેવસૂરિના જીવનકાળને જાણવા માટે આપણે તેએાશ્રીના જીવનચરિત્રમાં ટુંકમાં ઉતરવુ પડશે. આચાય ભગવાનના જન્મ વીશાપેારવાડ જ્ઞાતિમાં વિક્રમ સવત ૧૧૪૩ માં ગુજરાતમાં આવેલા મહાડાત નામના ગામમાં થયા હતા. પિતાનુ' નામ વીરનાગ અને માતાનું નામ જીનદેવી હતા. આચાય ભગવાને માત્ર ૯ વર્ષના બાલ્યકાળે એટલે સવત ૧૧૫૨ માં શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે દ્વીક્ષા ગ્રહણ કરી હતી. માતપિતાના ધાર્મિક સંસ્કાર અને પુણ્યાનુબંધી પુણ્યનુ જ એ ફળ હતું. જૈનશાસનમાં અનેક મહાપુરૂષોએ બાલ્યકાળે શ્રીભાગવતીપ્રવ્રજ્યા ગ્રહણ કરીને શાસનને દિપાવ્યું છે અને સ્વપર જીવનને ઉજમાલ કયુ છે તેમ આ મહાપુરૂષની આ જીવનકડિકામાંથી આપણને જાણવા મળે છે. દીક્ષાથી થયા પછી તેઆશ્રીનું નામ શ્રી રામચંદ્ર રાખવામાં આવ્યું હતું દીક્ષા ગ્રહણ કર્યા બાદ શ્રી રામચંદ્રજી પોતાના સમય શાસ્ત્રોના અભ્યાસમાં ગાવા લાગ્યા અને તેમાંથી ઉત્તરાત્તર આગળ વધી વિદ્વાનોની કક્ષાએ પહોંચ્યા ત્યારે ગુરૂએ પ્રસન્ન થઇને સ. ૧૧૭૪ માં એટલે કે દીક્ષા બાદ ૨૨ વર્ષે સૂરિપદથી વિભૂષિત કરી તેઓશ્રીનું નામ દેવસૂરિ રાખ્યું, આ નામના પલ્ટામાં પણ ગુઢાર્થ સમાયેલે છે અને તે એકે શ્રી દેવસૂરિજી ખરેખર વિદ્યામાં દેવ સમાન હતા. સ. ૧૧૮૧ ની સાલમાં પાટણની રાજસભામાં દિગંબરાચાય શ્રી કુમુદચંદની સાથે વાદમાં નવાથી તેમનું નામ શ્રીવાદિદેવસૂરી જાહેર થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
પોતાના વિહાર દરમ્યાન સચેટ અને અસરકારક ઉપદેશ વડે તેઓશ્રીએ ૩૫૦૦૦ ઘરોને જેની કર્યા અને જુદા જુદા સ્થળેએ એમની સામે વાદમાં ઉતરેલાઓને આ મહાપુરૂષ મહાત કર્યા. જેની સંખ્યા ૮૪ ની હતી.
આ આચાર્ય ભગવાનના સમયમાં શ્રી હેમચંદ્રાચાર્ય હતા એમ ઈતિહાસના પ્રમાણથી મળી આવે છે.
આચાર્ય ભગવાન “સકળવાદિ મુગટ શ્રી વાદિદેવસૂરિ અનેક જીવે પર ઉપકાર અને શાસનની પ્રભાવના કરતાં થકા સંવત ૧૨૨૬ ના શ્રાવણ વદી ૭ ને ગુરૂવારે કાળધર્મ પામી સ્વર્ગે સિધાવ્યા. ૮૩ વર્ષના આયુષ્યમાંથી ૭૪ વર્ષને કાળ એમણે મુનિ વેશમાં ગાળે જે દરમ્યાન ઠેરઠેર જૈનશાસનની પ્રભાવના કરીને એના વિરોધીઓને વાદમાં શીકસ્ત આપી. આ પ્રભાવિક પુરૂષને આપણે કેમ વિસરી શકીએ?
આચાર્ય ભગવાન શ્રીમદ્વાદિદેવસૂરિના કાળધર્મ બાદ તેઓશ્રીની પાટે ઉત્તરોત્તર નીચેના સમર્થ અને વિદ્વાન આચાર્યો થઈ ગયા છે કે જેઓએ તપ, જપ, સંયમ દ્વારા જગતને ત્યાગધમને મહિમા અને પ્રભુ મહાવીરદેવે પ્રરૂપેલ અહિંસાના સિદ્ધાંતની જ્યોત જળહળતી રાખી છે.
૪૫ શ્રી પદ્મપ્રભસૂરિ ૫૦ શ્રી હેમતિલકસૂરિ ૪૬ , પ્રસન્નચંદ્રસૂરિ ૫૧ , રત્નશેખરસૂરિ ૪૭ , ગુણસમુદ્રસૂરિ પર , હેમચંદ્રસૂરિ ૪૮ , જયશેખરસૂરિ પ૩ , પૂર્ણચંદ્રસૂરિ ૪૯ , વજનસુરિ ૫૪ , હેમહંસસૂરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૫૫ , લક્ષ્મીનિવાસસુરિ પ૬ , પુણ્યરત્નસૂરિ
૫૭ શ્રી સાધુરત્નસૂરિ આમ તેઓશ્રીની પાટે એક પછી એક પ્રભાવશાળી, ક્રિોદ્ધારક અને ચારિત્રચૂડામણિ આચાર્યો થઈ ગયા. એમના સમય દરમ્યાન શાસન હિતના અનેક કાર્યો થયા છે પણ એની બહુ જાણ સમાજને નથી
પરંતુ શ્રી સાધુરત્નસૂરિની પાટે વિભૂષિત થનાર અનંત શક્તિના ધણી-શાંત, દાંત, મહંત અનેકગુણગણાલંકૃત, ચારિત્રચૂડામણિ આચાર્યભગવાન શ્રી ૧૦૦૮ શ્રી પાશ્વચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું નામ લેતાં જેમ સૂર્યને દેખી કમળ વિકાસને પામે, મેઘને જોઈ કૃષિકાર હર્ષને પામે અને ધન દેલત પ્રાપ્ત થતાં નિધનને આનંદ થાય તેમ આપણા હૈયા પ્રફુલ્લિત અને ગર્વથી ભરપુર બને એ સ્વાભાવિક છે. આ જગતમાં અનેક જ આવે છે અને ચાલ્યા જાય છે. કાળનું ચક નિરંતર વહ્યા જ કરે છે. એના મુખમાં માનવદેહ જીવનકાળ પુરો થતાં યાહોમ ઝુકાવે છે, એમાંથી બહુજ થોડાનાં નામો આપણે યાદ કરીએ છીએ. એમને સાક્ષાત્કાર માની પૂજીએ છીએ.
શ્રીપાશ્વચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમયથી શ્રીમન્નાગપુરીયતપાગચ્છ ઉષે તેઓશ્રીના નામ સાથે સંકળાયેલ શ્રી “પાયચંદ ગચ્છને ઓળખીએ છીએ. આ મહાન પુરૂષના સમયમાં આ ગચ્છ ખૂબખૂબ પ્રકાશમાં આવ્યો છે અને ત્યારથી જ તે શ્રીપાર્ધચંદ્રસૂરીગચ્છ યાને પાયચંદ ગરછથી સુપ્રસિદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજી મહારાજા એવું કેવું જીવન જીવ્યા કે આપણે આજે એમના કાળધર્મ પામવાને ચાર ચાર સદીઓ પસાર થવા છતાં યાદ કરીએ છીએ, પૂજીએ છીએ? એ વિચારવું અને હદયમાં ઉતારવું જોઈએ. જીવન પણ એક સમસ્યા છે. સાચી રીતે જીવન વ્યતિત કરવું એ કષ્ટસાધ્ય વસ્તુ છે. જીવન એક અણમેલ સાધના છે. અનન્ત સાધક એની સિદ્ધિ માટે આવે છે. તેમાંથી કેટલાક એની સાચી આરાધના, કેટલાક વિરાધના તો બીજા ઉપેક્ષા કરીને આ દેહથી ચાલ્યા જાય છે. સાચું જીવન તે વિરતિમાં રહેલું છે. કે જે માટે અનંત જ્ઞાનના ધણ–ત્રિલોકનાથ શ્રી તીર્થંકર ભગવંતેએ ઉપદેશ આપે છે. જે જે પુરૂષોએ એ ઉપદેશામૃતનાં પાન કર્યા છે એને રસ જીવનમાં ઉતાર્યો છે તે આ ભવસિંધુને તરી ગયા છે અને અનેકને તારી ગયા છે. એમાંના એક આપણું ગચ્છના મુગટમણિ સમા શ્રીપાચંદ્રસૂરીશ્વર ભગવાનનું જીવનચરિત્ર આપણને હરહંમેશા પ્રેરણા આપનારું નીવડે એ અર્થે ઉતારવામાં આવે છે. જેને ચિત્ત દઈ વાંચી જવાથી પણ અનેક આત્માઓનાં હૃદય ઉજમાલ થશે. . યુગપ્રધાન શ્રીપાર્ધચંદ્રસૂરિ ચરિત્ર,
ચૌહાણ રાજા હમીરસિંહે સ્વપરાક્રમથી વસાવેલ હમીરપુરમાં વીશા પોરવાડ જ્ઞાતિમાં કુળદીપક નરેતમ શાહ ના સુપુત્ર વેલગશાહ નામના શ્રાવકના ગુણેથી સુસજજ કિયાપાત્ર અને જીવનને ધમભાગે લઈ જનાર સુશ્રાવક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રીમન્નાગપુરીયતપાગચ્છાધિરાજ શાસ્ત્રવિશારદ બાલબ્રહ્મચારી યુગ પ્રધાન શ્રી ૧૦૦૮ શ્રીમદ્
પાશ્વ ચંદ્રસૂરીશ્વરજી મહારાજા.
XXXXXXXXXXXXXXXXXXXXXX
જન્મ સં. ૧૫૩૭
જન્મ સ્થાન હમીરપુર દીક્ષા સં. ૧૫૪૬
આચાર્ય પદ સં. ૧૫ ૬ ૫ ઉપાધ્યાય પદ સં. ૧૫૫૪ યુગપ્રધાનપદ સં. ૧૫૯૯ ક્રિાદ્ધાર ૧૫૬૪
| સ્વર્ગવાસ સં. ૧૬ ૧૨ જે મહાન વિભૂતિના પ્રેરક જીવનકાર્યો માટે તેઓશ્રીનું જીવનચરિત્ર મનનપૂર્વક વાંચી જવા જૈન જનતાને વિનંતિ છે.
Page #23
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
હતા. તેમના પત્નીનું નામ હતું વિમળાદેવી. આ દંપતી ઉભય ટંક આવશ્યક પ્રતિકમણ, પૂજા-પ્રભુને ગુણાનુરાગ અને રિદ્ધિસિદ્ધિના પ્રમાણમાં દાનાદિ આત્મકલ્યાણકારી પ્રવૃત્તિમાં હરહંમેશા રચ્યાપચ્યા રહેતા. વિમળાદેવી હંમેશાં પતિના ઉત્તમ વિચારોમાં સાનુકુળ થનારી આદધર્મચારિણી હતા. કેટલાક કાળ વ્યતિત થયા બાદ વિમળાદેવીને ગર્ભ રહ્યો કે જે પ્રભાવિક ગર્ભના પ્રભાવથી વિમળાદેવીનું મન હંમેશાં દેવદર્શન, પૂજન, પ્રભાવના, તીર્થ વંદન, ગુરૂભક્તિ આદિ ધર્મકાર્યો તરફ સવિશેષ દેરાવા લાગ્યું. જ્યારે ગર્ભને જીવ મહાપુરૂષ થવાની આગાહી આપે છે ત્યારે તેની માતાને એવાજ ઉત્તમ વિચારે સ્વયં પ્રગટે છે. વિમળાદેવીને આ ગર્ભ રહેતાં પહેલા થોડાજ સમયે એક એવું સ્વપ્ન આવ્યું કે જાણે પૂર્ણિમાને ચંદ્ર વિકસતો તેણીના વદન કમળને દેદીપ્યમાન કરે છે. વિમળાદેવીએ સ્વપ્નની વાત પિતાના પતિ વેલગશાહ પાસે રજુ કરી અને વેલગશાહે પિતાની બુદ્ધિ અને મેળવેલ જ્ઞાન વડે કહ્યું કે “આજથી ૨૮૦ દિવસે આપણને એક પુત્રરત્ન સાંપડશે. તે કેઈ સામાન્ય નહિ પણ જગતના જીવનું કલ્યાણ કરનાર મહાપુરૂષ થશે, જૈન ધમની જયપતાકા રોમેર ફરકાવશે અને જગતમાં પોતાના કુળને અજવાળશે.” એથી વેલગશાહે પુત્રનું નામ પારસચંદ રાખવાને મનસુબે જાહેર કર્યો.
વિર પરમાત્માના ત્રિકાલાબાધિતશાસનની ગર્ભકાળ દરમ્યાન આ ધર્મદંપતી ઉત્તમ પ્રકારની આરાધના કરે છે અને જીવનની સાર્થકતા માને છે. જેમની ઉત્સાહભરી વિશુદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રવૃત્તિ ધાર્મિક જનતાના અંતરમાં આશીર્વાદના અમીઝરણાં ભરે છે–જેમના ધમરાગ જોઇ જનતા ભક્તિભર્યા હૈડે અનુમેાદના કરે છે અને ભવેાભવ આ શાસન મળેા એવી મનેાભાવના ભાવતાં રહે છે. શાસનસેવા સિવાય આત્માન્નતિ સાધક દિવ્યપથ જગતમાં બીજો કેાઈ નથી એવી માન્યતા જેમના રામેરામમાં પરિણમેલી છે તેવા આધપતિના સ્વપ્નની અને સ્વપ્ન અગે ભાખેલા ભવિષ્યની સત્યતા સાબિત થવાની ઘડી આવી પહોંચી.
અને જે દિવસ કેટલાક જૈન જ્યોતિધરા અને અવતારી મહાપુરૂષોના જન્મદિન તરિકે સુવિખ્યાત છે તેજ સંવત ૧૫૩૭ના ચૈત્ર સુદ ૯ શુક્રવારની રળીયામણી રાત્રે શુભ મુહૂર્તે વિમળાદેવીએ પુત્રરત્નને જન્મ આપ્યા.
પુત્રના જન્મથી ઉચ્છ્વાસ પામીને વેલગશાહે અનેક પ્રકારના દાન કરવા વડે સાધુ મુનિરાજોને આવશ્યક વસ્તુએ વહેારાવવા સાથે સામિકા અને અતિથિયાની ઉત્તમ પ્રકારે ભક્તિ કરી. વાજીંત્રા મીઠા શ્રોદ્દો ગજવતા હતા-સુમ’ગળ દિવસ હાઈ સાકરની પ્રભાવનાદિ હષ વૃદ્ધિ કરનારા તેમજ ધર્મને પ્રાધાન્યપણું આપનારા અનેકવિધ કાર્યાં વધુ પ્રબળ ગતિથી થવા લાગ્યા. શ્રી જિનમંદિરમાં અઠ્ઠાઇ મહાત્સવ ઉજવાયા. આમ પુત્રજન્મની વધાઈમાં પુણ્ય ઉપાર્જન કર્યું. આખરે મનુષ્યના જીવનના લેખેા લખવાના વિધાતાના નિર્માણ કરેલ છઠ્ઠીના લેખ 'ના દિન—છઠ્ઠો દિવસ થયે ને પોતે કરેલા મનસુબા મુજબ પુત્રનું નામ પાસચંદ (પાચ’દ્ર) કુમાર રાખવામાં આવ્યું. જેમ ખીજના ચંદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
લા
,
પ્રતિદિન વૃદ્ધિને પામે, જેમ મેઘની મહેર થતાં જમીનમાંથી તઓ વિકાસ પામે, જેમ ભરતી આવતાં દ િપ્રકુલ્લિત બની હેલે ચઢે તેમ પાસચંદ કુમાર દિન પ્રતિદિન વધવા લાગ્યા. મુખની અને દેહની કાંતિ પણ એવી જ હતી કે જાણે પુનમને ચંદ્ર. કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાંથી તેમ આ પાસવંદ કુમારનું બાલ્યજીવન પણ એટલુંજ નિર્દોષ અને મહાપુરૂષના ભાવીનું સુચક હતું. મહાપુરૂષોના માતપિતાદિ પણ એવાજ કુળ સંસ્કારી અને વિશિષ્ટ પ્રકારે જીવનને સમય સ્વપરકલ્યાણ માર્ગમાં પસાર કરનારા હોય છે. દુન્યવી મહાપુરુષે ગણાય છે તેમના તરફ દ્રષ્ટિપાત કરતાં આપણને એજ વસ્તુને અનુભવ થયા વિના કદી રહેતા નથી.
આજે આપણે જોઈએ છીએ કે જૈન સમાજમાં વર્તમાન વાતાવરણની હવાએ કેવી અસર નીપજાવી છે કે ઉત્તમ કુળ, જૈનધર્મ અને ઉમદા વાતાવરણમાં જન્મવા છતાં પણ સંસ્કારોના અભાવે કેટલાક જૈનો ઉન્માદી-ઉત્સુત્રભાષી અને ધર્મ પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ દાખવનારા લેવામાં આવે છે. આ બધાનું કારણ માતપિતાદિના સંસ્કારસિંચનના અભાવનું છે. કુમળા ઝાડને જેમ વાળીએ તેમ વળે છે તેવી જ રીતે બાળકને જેવા સંસ્કારે ગૃહેથી મળે છે તે મોટે ભાગે તેના જીવનમાં સ્થગીત રહે છે. કેઈ વૃક્ષને ખીલવવું હોય તે ઉત્તમ પ્રકારના બીજ નાંખવા જોઈએ. થર વાવીને બોરડીની બાશા કઈ રીતે કરી શકીએ? તેવી જ રીતે બાળકોમાં સંસ્કારો કેવા રેડવા તેની ચિંતા જેનસમાજે રાખવી જ રહી. તેમ નહિં થાય તે આ યુગમાં જેમ પુત્ર પિતાની, પુત્રી માતાની અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૨ સ્વજને વડિલેની અને વડિલો ગુરૂની આજ્ઞાને ઘોળીને પી જનારા નીકળે છે તેમ ભવિષ્યમાં વધુ ઉન્માદી નીવડે તેમાં શું નવાઈ? જૈનશાસનમાં થઈ ગયેલા તિર્ધર અને મહાપુરૂષોના માતાપિતાઓના જીવનમાંથી આપણે ધારીએ તે ઘણું મેળવી શકીએ તેમ છીએ. એમ થાય તે “આજના છેરાજ એવા છે–જમાનાને પવન છે” વગેરે કહેવાને સમય ન આવે. જેને માતપિતાઓને આવી બાબતમાં ઉપદેશ દેવાનું હોય કે ? નહિંજ. પરંતુ આજે કેટલાક વડિલેની રહેણી-કરણી એવી જોવામાં આવે છે કે પુત્રને દોષ દેવા કરતાં પુત્રના ભાવીની જવાબદારી અદા નહી કરનારા માતાપિતાને જ દોષીત લેખીએ. માતા આજે પુત્રને હાલરડું ગાતાં “પાટલે બેસી ના ” વિગેરે ગાતાં સાંભળીએ છીએ- બા આવ્યો” એવી ધમકી રડતાં શાંત રાખવા કે પિતાના કોઈ કાર્યમાં બાળક મસ્તી કરતા અટકે એટલા ખાતર આપીએ છીએ. આ બધાનું પરિણામ આજની પ્રજાની નિર્બળતામાં આવ્યું છે. જેના માતાઓએ તે સતીએના જીવનચરિત્ર-શ્રીતીર્થકરદેએ પિતાના પુત્ર માટે ચિંતવેલા સંસ્કારને હૃદયમાં ઓતપ્રોત કરી તેના હાલરડા ગાવા જોઈએ કે જેથી બાળક તેજસ્વી અને સંસ્કારી થાય પછી કઈ પૂર્વના પાપોદયે ધર્મવિરોધી બને છે તે જુદી વાત છે.
આથીજ વેલગશાહ અને વિમળાદેવીરૂપી સોનું ને સુગંધની જોડલીએ પોતાના બાળકમાં ઉચ્ચ પ્રકારના સંસ્કારે રેડવાની અહનિષ ચિતા સેવી હતી અને ગર્ભકાળ અને જન્મ પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રીમન્નાગપુરીયતપાગચ્છગગનદિનમણિ યુગપ્રધાન શ્રીપાર્ધચંદ્રસૂરીશ્વરજીના મહિમાને અને ધર્મને
વિજય ડંકો વગાડનાર
બાવન વીરમાંના વીર ઉપાસકના તાત્કાલિક
વાંછિત પૂરનાર ભક્ત ભૈરવદેવ. કે અમદાવાદ-શામળાની પળના ઉપાશ્રયમાં દાદાની દેરીમાં છે
Page #29
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
પણ એવાજ ઉલ્લાસ આપનારા કાર્યો કરવા ચાલુ રાખ્યા હતા.
બીજના ચંદ્રમાની પેઠે વૃદ્ધિ પામતા પાસચંદ કુમારને બાલ્યકાળ પણ એ સુરમ્ય હતું કે તેને જેનારને એમ લાગ્યા વિના ન રહે કે આ બાળક આગળ જતાં મહાન થશે. જેમ માટીમાંથી સુવણને કાઢીને ઓપ આપતાં ચળકાટ આવે છે, જેમ વાદવિવાદમાં પંડિતની પંડિતાઈની પીછાન થાય છે, જેમ શીશીમાં પુરેલ કસ્તુરી બુચ ખોલતાં જ તેની મનહર સુગંધીને અનુભવ થાય છે તેમ વડિલોના સંસ્કારોથી ઘડાયેલા બાળકે મેટી ઉમ્મરે દીપી નીકળે છે. અસાધારણ બુદ્ધિવાળા આત્માઓ પૂર્વના પુદય વિદ્યાબળ અને આત્મબળનો સંચાર થયેલ હોઈ નાની ઉમ્મરે મોટા અનુભવી જેવી વાત કરે છે.
પાંચ વર્ષની વય થતાં માતાપિતા પાસચંદ કુમારને સુગુરૂના હાથમાં સુપ્રત કરે છે. અને જેમ બાહેશ માળીના હાથમાં રહેલ બગીચે ફાલે કુલે છે તેમ કુમાર પાસચંદ નાની ઉંમરમાંજ પિતામાં રહેલ અગમ્ય ક્ષપસમને ફેરવે છે અને ગ્ય ગુરૂના સહયોગથી શિક્ષણમાં આગળ વધે છે. મહાપુરૂષે બાલ્યકાળથી જ વિદ્યામાં ચકર હોય છે. શ્રી વાદિદેવસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી ઉમાસ્વાતી મહારાજ વગેરે મહાજ્ઞાની પુરૂષોના જીવનચરિત્રો અને તેમાંય બાલ્યકાળ તપાસવાથી એ વાતની ખાત્રી થશે.
બાલક કુમાર પાસચંદના ભાવી સંસારની ચિંતા કરતાં માતપિતા તેને માટે ઉત્તમ કુળની-શીળવતી. ગુણ-૩૫ સંપન્ન કન્યાની શોધ કરવાનો નિશ્ચય કરે છે. પરંતુ બીજી બાજુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૪
પુત્રની જન્મકુંડલી તરફ નજર કરે છે તે તેમાં સફળતા મળશે કે કેમ એને પણ વિચાર કરે છે, કારણ બાળકના જન્માક્ષર બતાવતી જન્મકુંડળીમાં તે બાલ્યકાળેજ દીક્ષા કળાનિધિયોગ અને અંશાવતારના યોગો પડેલા હતા. આમ છતાં પુત્ર પ્રત્યેના વહાલ અને મમતાને કારણે વેલગશાહ અને વિમળાદેવી ઉત્તમ કુળવધુની તપાસતાં વિચાર કરે છે. પરંતુ ભવિતવ્યતાના ગે મહઉપકારી ગુરૂરાજ શ્રી સાધુરત્નસૂરિજીનું હમીરપુરમાં આગમન થાય છે. શ્રી સંઘ ધામધુમપૂર્વક સામૈયું કરી પૂ. સાધુ રત્નસૂરિજીને શહેરના ઉપાશ્રયમાં લાવે છે. ગુરૂજીના ઉપદેશામૃતનો હમીરપુરની જનતા લાભ લે છે. ત્યારે જે બાળકના જન્મ અને પૂર્વભવના સંસ્કાર ઉત્તમ હોય. જેનું ચિત્ત ધર્મમાં પરોવાયેલું હોય તે આવા સુગુરૂથી અલગ કેમ રહી શકે? કુમાર પાસચંદ પણ ગુરૂની પાસે આવવા લાગ્યા. ગુરૂના પરિચયથી તેમની સ્થિર રહેલી શક્તિઓ ખીલી ઉઠી અને તેઓ ગુરૂને પણ કેટલીકવાર પ્રશ્નો પૂછવા લાગ્યા. ગુરૂને લાગ્યું કે આવો વિચક્ષણ બુદ્ધિવાળો શિષ્ય મળી જાય તે કેવું સારું? તે જ પડઘો કુમાર પાસચંદના હૃદયમાં પડ્યા હતા કે જે આવા ગુરૂદેવની હંમેશ માટે સેવા મળી જાય તો ભવસાગર કેમ ન તરી જાઉં? જેમ સુગુરૂએ ઉત્તમ શિષ્યોને શોધતા હોય છે તેમ યોગ્ય શિષ્ય પણ ઉત્તમ ગુરૂના ચોગની રાહ જોતા હોય છે.
જ્યારે બન્નેને સુમેળ ભાગ્યયોગે થાય છે ત્યારે મનના મનેરો ફળે છે. અને જે માતાપિતા વર્ષોથી જૈનશાસનની સેવા કરી આત્મકલ્યાણ અર્થે ઉત્તમ કટીની આરાધના કરવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૫ માટેની એક એક તક ઝડપી લેવા હંમેશા તૈયાર હોય છે તે આ અસાર સંસારને જોઈને સન્માર્ગે જતાં પુત્રને શા માટે રેકે ? કુમાર પાસચંદના માતાપિતાને તે તેમના જન્મની સાથેજ ખાત્રી હતી કે આ પુત્ર જગવંદ્ય થશે અને તેમ થવાને રાહ કોઈ દુન્યવી લક્ષ્મી કે માયા મમત્વને નહેાતે પણ એ રાહ હતો અનેક મુમુક્ષુ આત્માઓને મુક્તિ મેળવી આપનારો-ત્યાગને.
કુમાર પાસચંદની ઈચ્છા જોઈ માતાપિતા પણ વ્હાલથી પુત્રની માગણીને મંજુર રાખે છે અને જૈનશાસ્ત્રકારોના કથનમાં કહીએ તે સાચા હિતસ્વી માત-પિતા તરિકેની ફરજ બજાવે છે. પરંતુ વર્તમાન જગતમાં આપણે કેટલાયે કીસ્સાઓમાં આથી ઉલટેજ વર્તાવ જોઈએ છીએ. આજે દીક્ષા લેવા તત્પર થનાર ઘણા પુત્રોને માતપિતાને જાણ થતાં રોકવામાં આવે છે. દીક્ષા એ કેમ જાણે કેઈ અનિચ્છનીય કે ભયંકર વસ્તુ ન હોય એમ દુન્યાની દ્રષ્ટિએ દેખાડવામાં આવે છે, ઉંમર લાયક પુત્ર-પુત્રીએ શાસ્ત્રોક્તરીતે દીક્ષા ગ્રહણ કરે ત્યારે માતા-પિતાને એવા કુળને દીપાવનાર રત્ન માટે હંમેશાં હર્ષ જ થવો જોઈએ. આ સ્થળે અગ્ય દીક્ષાને બચાવ કરવાને જરાપણ હેતુ નથી. એ વાત બરાબર છે કે કેટલીયે વાર પાત્ર–સ્થિતિ–સંજોગોને વિચાર કર્યા વિના કે પરીક્ષા વિના દીક્ષા આપવાથી ખોટું ઘર્ષણ ઉભું થાય છે પરંતુ બીજી બાજુ દીક્ષાઓ અંગે પણ સગાસ્નેહીઓ ને કુટુંબીજનની ધમાલ જોવામાં આવે છે. ધર્મને તેના સાચા સ્વરૂપમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૬
એળખ્યા નથી એનુંજ પરીણામ છે. જે દિવસે જૈન માતપિતા શ્રી જિનેશ્વરદેવા કથિત માગને સમજશે ને સમજીને હૃદયમાં ઉતારશે તે દિવસે આજના જેવું વિષમ ને ડોળાયેલું વાતાવરણ નહિ હાય. દરેક માતપિતાએ વેલગશાહ ને વિમળાદેવીની ભાવનામાંથી પ્રેરણા લેવી જોઇએ.
કુમાર્ પાસચંદની દીક્ષાને સમય નક્કી થયે તે પૂર્વ અઠ્ઠાઈ મહેાસવાદિ ધાર્મિક ક્રિયાની ધામધુમ વેલગશાહને આંગણે શરૂ થઇ. ગિરાને દાન, સામિ`ક બંધુઓની ભક્તિ, ગુરૂપૂજન, મંગળ ગીતા ઉપરાંત સારાયે હમીરપુરમાં માંગલિક પ્રસ`ગને અનુરૂપ શેાભા ને નગર રચના થઈ. ઘેર ઘેર આનંદની છેાળા ઉછળવા લાગી. જ્યાં જૈન શાસનની પ્રભાવના થતી હોય ત્યાં આવી જાતનું વાતાવરણ હોય એમાં આશ્ચય પામવા જેવું કાંઇ નથી.
આખરે ત્યાગ માગના પંથી કુમાર પાસચંદુની દીક્ષાના દિવસ તે સંવત ૧૫૪૯ ના વૈશાખ સુદ ૩ ના શુભ દિન આવી પહેાંચ્યું. અને વાજતે ગાજતે મુલ્યવાન પાલખીમાં એસી પાસચંદ કુમાર સ`સારની માયાનેા અંચળા ફગાવી ત્યાગ માના મુસાફર બન્યા અને શ્રી ચતુર્વિધ સંઘ શહેર બહાર આવેલ બગીચામાં રહેલા અÀાકવૃક્ષની શીતળ છાંયા નીચે આવી પહોંચ્યો.
ગુરૂદેવ શ્રી સારત્નસુરીજીએ વિશાળ સમુદાયની હાજરીમાં જૈન શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દીક્ષા આપી કુમાર પાસચંદનું મુળનામ કાયમ કરી મુનિ પાર્શ્વચંદ્રજી રાખ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૭
આ પ્રસ`ગે જનતામાં જે આનદમ'ગળ પ્રવતી રહ્યો હતો અને ધર્માંની જે પ્રભાવના થઈ તેનું વર્ણન શબ્દોમાં શું આપી શકાય ? આ દીક્ષાના દિવસ અક્ષય તૃતીયાના મહિમાથી વિભૂષિત થયેલા છે. ભગવાન શ્રી રૂષભદેવસ્વામીને તપશ્ચર્યા પુરી થતાં શ્રી શ્રેયાંસકુમાર ક્ષુનો રસ આ દિવસે વહેારાવે છે. આજે પણ પાલીતાણામાં એ તપશ્ચર્યા કરનારા મહાનુભાવા વૈશાખ સુદ ૩ ના રોજ પેાતાનું વ્રત શેલડીનો રસ પીને પુરૂં કરે છે.
દીક્ષાને અંતે મુનિશ્રીપાદ્ય ચદ્રજીના સાંસારી માતપિતા બ્રાહ્મણા, ભાજક તેમજ યાચકાને સારા પ્રમાણમાં દક્ષિણા આપે છે. દીક્ષાના દિવસે ગુરૂ અને શિષ્ય બહાર રહે છે અને બીજે દિવસે સામૈયાપૂર્વક શહેરના ઉપાશ્રયે લાવવામાં આવે છે.
મુનિરાજશ્રીપાનચંદ્રજીએ તેા ગુરૂજી પાસે શાસ્ત્રાનો અભ્યાસ શરૂ કર્યાં. ષાસ્ત્ર સમધીની ચર્ચાવાદનાં શાસ્ત્રો, વૈય્યાકરણ, કાવ્ય સાહિત્ય, નાટક, ચપૂ. સંગીત, રસાલ’કાર, તક, ચાગ, સ્વમતમંડન, પરમતખંડન, આગમેા, શ્રુતિ-સ્મૃતિઓ, ગણિત, પ્રકરણ, વિગેરે અનેક ગ ંભીર રહસ્યવાળા ગ્રંથાનો અભ્યાસ શરૂ કર્યો. આ ઉપરાંત કાવ્ય, ચિત્ર-પ્રબંધ, રાગરાગણીઓનું જ્ઞાન, કવિતામાં પદલાલિત્યતા, અગંભીરતા અને દોષતા લાવવાનું જ્ઞાન, વૈદ્યક, સાંસ્કૃત, માગધી, પ્રાકૃત વિ. ભાષાઓનો ઉચ્ચ અભ્યાસ ટુડંક સમયમાં કરી એક રધર વિદ્વાન આચાય ના પદને શેાભાવે એવા સ્થાને ચઢવા. મુનિશ્રીપાશ્વ ચદ્રજીની વિચક્ષણબુદ્ધિથી ગુરૂ પ્રસન્ન
થયા અને ઠેર ઠેર એમના જ્ઞાનની પ્રસંશા થવા લાગી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
સરસ્વતીપ્રસાદનું બિરૂદ પ્રાપ્ત કરવામાં, મતવાદીઓના વાદનું ખંડન કરવામાં, દૈવી ચમત્કાર દેખાડવામાં અને જિનાજ્ઞા મુજબ આત્મકલ્યાણના રાહની શોધ કરી તેને જીવનમાં ઉતારવામાં તેમનું ચિત્ત સદાય પરેવાયેલું રહેતું.
અફસની વાત છે કે આવા મહાપુરૂષોની ઝળકતી કારકિર્દિનું પાનું જૈન સમાજથી મોટેભાગે બીડાયેલું જ રહ્યું છે. આ મહાપુરૂષ જ્યારે દલીલસર-વાદ કરનાર પ્રત્યે પણ માનપૂર્વક ચર્ચાઓ ચલાવતા અને વિજય મેળવતા ત્યારે આજે આપણા સમાજને તિથિચર્ચાએ કેટલે છીન્ન ભીન્ન કરી નાંખે છે? તિથિચર્ચાએ આજ એ સ્વરૂપ ધારણ કર્યું છે કે જે એને ઉપશમ નહિ થાય તે એ કેટલી હદે પરસ્પર તિરસ્કાર વરસાવવા તરફ વળશે. કે વધુ અંગત સ્વરૂપ ધારણ કર્યું છે તે જોતાં આપણને ખરેખર ખેદ ઉપજે એમ છે. છતાં જ્યાં એ રણધપણું પ્રત્યક્ષ બેઠું હોય ત્યાં સત્ય સમજાવે કેણ? મુનિરાજ શ્રીપાચંદ્રજીએ વિવાદે કરી પ્રતિપક્ષીઓને વિજય કબુલ કરાવ્યો તે ક્યાં અને આજને સ્વમતે કલ્પી લીધેલ પ્રતિપક્ષને પરાજય અને જાતીય વિજયની વાત કયાં? . આમ શાસ્ત્રોનું ઉચ્ચજ્ઞાન મેળવી, ઉત્તમશક્તિ કેળવીને યુનિરાજ શ્રી પાશ્ચચંદ્રજીએ ગુરૂની પ્રસન્નતા અને ઠેરઠેરથી તેઓશ્રીની વિદ્વતાથી આકર્ષાયેલા શ્રીસંઘની વિનંતિઓ થઈ. સં. ૧૫૪૬ થી ૧૫૫૪ લગીના આઠ વર્ષના ટૂંકા સમય દરમ્યાન શ્રી પાર્ધચંદ્રગણીએ વિદ્યાકળામાં મેળવેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
અનહદ નિપૂણતા, જનસમાજના હૃદયમાં પ્રાપ્ત કરેલું સ્થાન અને વિશ્વભરમાં અગાધ જ્ઞાનના ગે મેળવેલ ખ્યાતિના પરિણામે અને લેકલાગણી–ગુરૂની પ્રસન્નતા અને શિષ્યની યેગ્યતાએ ઉપાધ્યાયપદ અર્પણ કરવાના લહાવાને કળશ નાગોરના શ્રીસંઘ પર ઢોળાય. આથી સકળ સંઘમાં આનંદ પ્રવર્તી રહ્યો. આજની આપણી સ્થિતિ જોઈએ છીએ ત્યારે ગ્યાતા તપાસ્યા વિના પદવીઓ ધારણ કરનારના મેહના કારણે અપાય છે. તે માટે આપણને બહુજ ખેદ થાય છે. યોગ્યનું સન્માન થવું જોઈએ. પણ એ યેગ્યતા માપવાનું કામ તે સંઘનું છે.
પૂ. શ્રી પાશ્વચંદ્રજીને ઉપાધ્યાયપદ આપવાનું હોઈ શેઠ જવાણી ગોત્રના સહસમલજી વિગેરે ભાવિક ભક્તોએ અઠ્ઠાઈ મહોત્સવ શરૂ કર્યો. દેશદેશાવરના શ્રીસંઘેને આ શુભ અવસર પર નાગોર પધારવાની વિનંતિ કરતી નિમંત્રણપત્રિકાઓ હલકારાઓ દ્વારા મોકલામાં આવી. સારાયે શહેરમાં અમારીશેષ વગડા, જિનમંદિરોમાં રોજ પૂજાએ ભણાવા લાગી, સ્વામીવાત્સલ્યાદિ કાર્યો અનેરા હર્ષ વચ્ચે શરૂ થયા. આમંત્રણ પત્રિકાએ પહેચતાં સ્થળે સ્થળેથી શ્રી સંઘના અગ્રેસરે આવી પહોંચ્યા. દેવગુરૂની ભક્તિને રંગ ખૂબ ખીલી ઉઠે. ચોમેર આનંદનું જ વાતાવરણ જામેલું હતું. શુભ મુહૂર્ત, ક્રિયા-વિધિપૂર્વક પૂ. શ્રી પાર્શ્વચદ્રજીને સંવત ૧૫૫૪માં ઉપાધ્યાય પદથી વિભૂષિત કરવામાં આવ્યા અને એ વખતે પધારેલા હજારે ભાઈ બહેને તેમજ નાગોરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ત. શુભ મુહુર્ત
પદથી વિભૂષિત
વગેર
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૦
વાસીઓમાં ઉત્સાહ ને આનંદના જે ઉભરાઓ આવ્યા તેનું વર્ણન શબ્દમાં કરી શકાય તેમ નથી.
પૂરા પાત્ર મુનિરાજશ્રી પાશ્વચંદ્રજી ઉપાધ્યાય પદવીથી વિભૂષિત થયા બાદ જ્ઞાનતત્વના સંશોધનમાંજ હૃદયને ઓતપ્રોત કરે છે. શ્રી ઉપાધ્યાયજી મહારાજે ચોથા પરમેષ્ઠી પદે પ્રતિષ્ઠીત છે. એ પરમષિઓ શ્રી આચારાંગ આદિ બારેય અંગસૂત્રોના સ્વાધ્યાયના પારગામી અને તેના અર્થોના ધારક હાવા સાથે તે સૂત્ર અને અર્થ ઉભયને વિસ્તાર કરનારા હોય છે. ઉપાધ્યાય ભગવાન શ્રી પાચંદજી ગણિવરમાં એ ત્રિવેણી સંગમને વેગ હતો. સમ્યકત્વની આ જાતની સુંદર પ્રકારની નિમંળતાથી આ મહાપુરૂષ જગતભરમાં પંકાયા છે. આવા મહાપુરૂષો અજ્ઞાનરૂપ વ્યાધિથી પીડાતા આત્માઓ માટે ધન્વન્તરી વૈદ્યની ગરજ સારે છે. કારણ જગતમાંથી અજ્ઞાનરૂપ રોગને દેશવટો આપવામાં તેઓ સમ્યજ્ઞાનરૂપી ઔષધીને જ ઉપચાર કરનારા હોય છે. આ મહાપુરૂષે શ્રુતજ્ઞાનને ઉપાય એટલી સુંદર રીતિયે કર્યો કે જે કળાના ગે શ્રતમાં આવતા બાવન અક્ષરેને બાવનાચંદન બનાવી–તેના વડે જનતાના પાપરૂપી તાપેને વિદાય છે. આવા ઉચ્ચ કેટિના વર્તન દ્વારા સ્વપરના જીવનનું શ્રેયસાધનારા આત્માએની ઉપાસના કરવાનું સદ્ભાગ્ય જેમને સુગે સાંપડયું છે. તેઓ ખરે જ આસનસિદ્ધિક છે એમ કહેવામાં જરા પણ ખોટું નથી!
આમ અનેક મુમુક્ષુઓને સન્માર્ગે દેરી રહેલા ઉપાધ્યાયમવર શ્રીપાચંદ્રજી બારકોટ-મેવાડ વિગેરે પ્રદેશના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૧
ભવ્યજીવાને પ્રતિાપતાં વિહારને આગળ લખાવે છે. ઠેરઠેર એ મહાપુરૂષના મુખેથી ઝરતી સિદ્ધાંતિક વચનેાની સિરતામાં અનેક જીવા પાવન થતા રહ્યા. અને થાય એ સ્વાભાવિક છે કારણ ગમે તેવા પાપાત્મા પણ પુણ્યાયે સદ્ગુરૂને ચેગ પામીને પાપભીરૂ બને, તેા ધર્મના અધિકારી બનવા ભાગ્યશાળી થાય છે. અનેક જીવાએ પાપના ત્યાગ કરી પ્રભુપ્રણીત ધના સ્વીકાર કરવા માટે આ મહાપુરૂષ પાસે તત્પરતા બતાવી હતી. આ શાસનમાં એવા અનેક દ્રષ્ટાંતા છે કે ઘાર પાપાત્માએ પણ સદ્ગુરૂના યેાગે પરમધર્માત્મા બનીને સામાન્ય મનુષ્યોને આશ્ચય ચકિત કરી નાંખે એવી રીતે બહુજ અલ્પકાળમાં પ્રમપદના ભક્તા બની શક્યા છે.
આ પ્રતાપી ઉપાધ્યાયના ઉગ્રવિહારમાં આવેલા સ્થળેાએ ઉપદેશના પરિણામે હિંસકા હિંસા તજવા લાગ્યા, અશ્રદ્ધાવાત્ શ્રદ્ધાળુ બનતા ગયા, કૃપણમાં પણ ઉદારતાની ભાવના જણાવા લાગી, ધમ થી વિમુખ રહેનારાએ તેની નજીક આવવા લલચાયા. આમ બનવું એ સ્વપરઆત્મકલ્યાણની ભાત્રના ભાવનારા મહાપુરૂષો માટે સહજ છે. ઉપાધ્યાયવર શ્રીપાદ્મચંદ્રજી તિઓમાં ઉત્તમ હતા. સુખ કે દુઃખ, શેાક કે હષ નિંદા કે પ્રસ’શા એ દરેક પ્રસગેાએ આવા આત્માએ મનની સમતુલા જાળવનારાજ હાય છે. જે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નાથી અલંકૃત હેાય, પાંચ સમિતિઓના ધારક હાય, ત્રણ ગુપ્તિ વડે સુÀાભિત હાય, પંચ મહાવ્રતાને વહન કરવામાં કુર ઘર હાય, પિષા અને ઉપસરૂપી શત્રુઓને હંમેશાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
૨
પરાજિત અવસ્થામાં રાખનારા હાય તે મહર્ષિઓ સાચી સમતાના ઉપાસક હૈાય છે. ઉપાધ્યાયશ્રીપાચ જીને એ કક્ષામાં મૂકી શકાય. એવા આ જયેતિધર શિષ્ય—સપત્તિ વધારતા, શ્રીજૈનાગમા, સિદ્ધાંત, સૂત્રો, પંચાંગી આદિ સંખ્યાબંધ ગ્રંથાનેા અભ્યાસ કરી તેમાંથી નીચેાડ કાઢતા ભવ્યભારતભૂમિને પાવન કરવા લાગ્યા. તેઓશ્રીએ પેાતાના વિહાર દરમ્યાન યુતિમડળના એક વિભાગમાં ક્રિયાકાંડ પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ અને તેમાં વ્યાપેલે શિથીલાચાર જોઇને આ મહાપુરૂષ અતિખીન્ન થયા. વર્તમાન યુગમાં પણ આપણે શિથીલાચાર સામે થતા પડકારા તેના આઘાતા અને પ્રત્યાઘાત વિષે ઘણું સાંભળીએ છીએ. પરંતુ આજે જૈનસમાજ ભાગલામાં વહેચાઈ જવાથી અને આચાર્યો એટલા વાડા ઉભા થવાથી જ્યાં શિથીલાચાર છેત્યાં તે નભી રહ્યો છે. આજે એકલ વિહારીઓને સમાજમાં તાટા નથી. અનેક દર્દભરી વાત અવારનવાર આપણા કાને પડે છે પરંતુ કાઇ કહે છે ત્યારે અમે નિરૂપાય છીએ એમ કહી લાચારીથી બે હાથ જોડી બેસી રહીએ છીએ, કારણ કે ભગવાન સુધમ સ્વામીની પાટે વર્તમાનમાં ખીરાજનાર આચાય અને ઉપાધ્યાય વિગેરે મહારાજો પણ આજે પક્ષાપક્ષીમાં અટવાયેલા હાઇ શિથીલાચાર માટે કોઈ મજબૂત ધારણ કરી શકતા નથી. શિથીલાચારને સાફ્ કરવા માટે કડક ઉપાયેા કામે લગાડવા જોઇએ. પણ આજે કાઈ કાઇને ખાટું લગાડવા કે સામેા પક્ષ પેાતાની પ્રત્યે દ્વેષભાવથી જુએ એવા ભયને લીધે તૈયાર નથી. પરંતુ ઉપાધ્યાય શ્રીપાર્શ્વચંદ્રજી લેકનિંદા કે લેક વાહવાહની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૩
પરવાહ કર્યાં વિના યતિઓને વાદવિવાદથી-સન્માગ દશનથી તેમન!માં રહેલી શિથીલતા દૂર કરાવી શ્રીજિનેશ્વરદેવે એ બાંધેલી મર્યાદામાં આણવા માટે સતત પ્રયાસેા ચાલુ કર્યાં. શ્રાવક-શ્રાવિકાઓને શ્રીતીથકર ભગવંતાએ પ્રરૂપેલ ક્રિયાકાંડના શુદ્ધ અને સત્વથી ભરપુર રાહ ખતાવ્યો. એક સમયે પૂ. ઉપાધ્યાયજીએ પેાતાના ગુરૂદેવને બહુજ નમ્રતાથી પ્રશ્ન કર્યો કે “ ગુરૂદેવ ! હાલમાં શુદ્ધક્રિયાકાંડ કેમ અમલમાં નથી આવતા ?”
ગુરૂદેવ આ પ્રશ્નના જવાબમાં પેાતાના શિષ્યરત્નને જણાવે છે કે ‘કેટલાક સમયથી બાદશાહે આચાર્ય ભગવંતાદિ મુનિરાજોના બહુમાન કરે છે કે જેમાં લપટાઇને શિથીલાચાર ઘર ઘાલ્યું છે.
આ પછી ગુરૂદેવ રાજવીમાં કેવા ગુણેા હૈાવા જોઈએ તેનુ' સવિસ્તર વર્ણન કરતાં ન્યાય, નીતિ; ધમપરાયણતા એ ગુણા પ્રજાપાલક રાજવીમાં હાવા જોઇએ એમ જાહેર કરે છે ત્યારે પૂ॰ ઉપાધ્યાયજી શ્રીપાચંદ્રજી ગુરૂદેવ પાસે શિથીલાચાર દૂર કરી ક્રિયાદ્ધાર કરવા માટે આશીષ અને આજ્ઞા માગે છે. ગુરૂદેવ પણ શિષ્યના વિદ્યાબળ, પ્રભાવખળ, મનેાબળ અને પુણ્યપ્રબળતા આદિ જોઈને રજા આપે છે. આમ ૧૦ વર્ષ ઉપાધ્યાયપદને શૈાભાવી યથાથ કર્યા બાદ સંવત ૧૫૬૪ની સાલમાં ઉ॰ શ્રીપાર્શ્વચંદ્રજી ક્રિયાદ્ધાર માટે દ્રઢસંકલ્પ અને નિશ્ચયાત્મક મનોબળ વડે ક્રિયાદ્વાર માટે તત્પર થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
આમ ક્રિષ્કારના કાર્ય માટે નાગોર પધાર્યા જ્યાં શ્રીસંઘે ૫૦ ઉપાધ્યાયજી મહારાજ શ્રીપાચંદ્રજીની ઈચ્છાનુસાર અઠ્ઠાઈ મહોત્સવ શરૂ કરી તે દિવસેએ જીવડસા બંધ કરાવી, યાચકને દાન દઈ–સાધમિકેની ઉત્તમ પ્રકારે ભક્તિ કરી. નવક૯પી વિહાર કરતા, તેમજ પાંચ સમિતિ અને ત્રણ ગુણિયુક્ત મુનિમાર્ગ મુજબ પરિષહોને સહન કરતા અપ્રતિબદ્ધપણે વિચરતા શીથીલાચારના મૂળીયા ઉખેડવા લાગ્યા અને થોડા જ સમયમાં તે નિર્મૂળ થતાં ભગવંતે બતાવ્યા મુજબ ક્રિયાકાંડ કરવા સૌ તત્પર થયા.
આમ નાગારમાં કિયે દ્ધારક તરિકે અનેકવિધ નામના મેળવી ધમને દેવજ ફરકાવતા પૂર ઉપાધ્યાયજી મહારાજ વિહાર કરતા જોધપુર નજીક આવી પહોંચ્યા. આ પ્રભાવિક પુરૂષના આગમનના સમાચાર સાંભળીને શ્રીસંઘે ભવ્ય સામૈયું કરી તેઓશ્રીને શહેરના ઉપાશ્રયમાં લાવ્યા. તેઓશ્રીની વ્યાખ્યાનશૈલી અને મધુરવાણીની પ્રસંશા સાંભળીને જોધપુરના પાટવી કુમાર માલદેવ પણ ગુરૂદેવના મુખેથી નીકળતી શાસ્ત્રીયવાણી સાંભળવા આવવા લાગ્યા. ઉત્તમ છો કદી પિતાને આત્મહિત માટે મળેલી કેઈપણ તકને જતી કરતા નથી. કારણ તકને આગળ વાળ અને પાછળ ટાલ હોય છે. જે વાળ ન પકડાય તે પછી ટાલ હાથમાં આવેજ કયાંથી એટલે ઉચ્ચ આત્માઓ, ગુરૂગમ, જ્ઞાન-ધ્યાન અને શ્રી જિનેશ્વરદેવ જગતના કલ્યાણ માટે દર્શાવેલ મુક્તિમાર્ગની કઈ તક જતી કરતા નથી. એટલું જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૫
નહિં પણ એવી તક મળવા માટે પેાતાની જાતને ભાગ્યશાળી માની તેના પુરેપુરા ઉપભાગ કરે છે.
પૂર્વ ઉપાધ્યાયજી મહારાજ કુમાર માલદેવને ઉદ્દેશીને રાજધમ ના સાચા મમ સમજાવી ધર્માંનું રક્ષણ કેવી રીતે થઇ શકે તે વિષે સચાટ ઉપદેશ. વ્યાખ્યાનમાં બાપે છે. અને યથા રાજા તથા પ્રજાનું રહસ્ય સમજાવે છે. આથી કુમાર પ્રતિષેધ પામે છે. અને સભાજને દાન, તપ, શીલ અને ભાવનાના તથાપ્રકાર જાણતાં તે વિશુદ્ધ ક્રિયાઓના દર કરે છે. એજ સમયે શ્રી સ ંઘની સાગ્રહ વિનંતી અને લાભા લાભનું કારણ જોઈ પૂ॰ ઉપાધ્યાયજી મહારાજ એ સાલ જોધપુરમાં ચાતુર્માસ રહ્યા. આ ચાતુર્માસમાં પર્વાધિરાજ શ્રી પર્યુષણાપત્ર આવ્યા અને આ મહાપુરૂષે શાખાનુસારી પર પરાગત હંમેશ મુજબ ભાદરવા સુદી પંચમીની સવત્સરી કરી, જેથી અપવાદને કાયમ બનાવી ભાદરવા સુદ ૪ ની સંવત્સરી કરનારાઓ છેડાઇ પડ્યા. આ છેડાઈ પડવાનું કારણ મમત્વનુંજ કહી શકાય. કારણ શાસ્ત્રોક્ત ભાદરવા સુદી પંચમી છે. શ્રી કાલિકાચાય ભગવાને સવસરી ભાદરવા સુદ ૪ ની કરી. એક વાત દીવા જેટલી સ્પષ્ટ છે કે રાજાની પ્રતિકૂળતાના કારણેજ શ્રી કાલિકાચાય ભગવાને શાસ્ત્રાનુસાર ૫'ચમીને સ્થાને ચાથની સ'વત્સરી કરી હતી. આ અપવાદને પૂ॰ ઉપાધ્યાયજી જેવા ક્રિયાદ્વારક શાસ્ત્રોક્ત તરીકે કઈ રીતે અપનાવી દે અને ન અપનાવે તેા પછી પંચમીનીજ સંવત્સરી કરેને ? એ વના ચાતુર્માસની પૂર્ણાહુતિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૬
અંતે થાડા કાળ વ્યતીત થયા બાદ શ્રી કાલિકાચાય ભગવાન કાળધર્મ પામ્યા અને તે પછીથી તે સમયના વિદ્યમાન આચાર્ચીએ ચેાથની અપવાદરૂપ કરવામાં આવેલ સંવત્સરી દિનની જડ પકડી રાખી છતાં પાંચમી કરનારા તા તેજ કરતા હતા. જે મતભેદે આજે પણ મેાટી દિવાલ જેમ ઉભા છે. આને અંગે શ્રીમન્નાગપુરીયતપાગચ્છ એટલે શ્રી પા ચદ્રસૂરિગચ્છના રધર આચાર્યદેવ શ્રીમદ્ ભ્રાતૃચદ્રસૂરીશ્વરજી મહારાજ અને તેઓશ્રીના સ્વ. શિષ્યરત્ન આચાય શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજે ભાદરવા સુદી પંચમીની સંવત્સરીજ શાસ્ત્રોક્ત છે. એ પ્રમાણેા ટાંકીને બતાવતી પુસ્તિકા અડ્ડાર પાડી છે. પરંતુ જ્યાં સામાન્ય પ્રશ્નમાં પણ મેરુ જેવા મતભેદે ઉભા કરવામાં આવતા હોય ત્યાં ચાલી આવતી રૂઢીના નામે શાસ્ત્રોક્ત માન્યતાને ઉથલાવાય નહિં તેા ખીન્તુ શું થાય? કોઇ દર્દીને માંદગી દરમ્યાન ડોકટર દવા આપે છે અને અમુકજ વસ્તુએ ખાવા ફરમાવે તા તેથી શરીરનું સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યો પછી પણ શું એણે પેલા માંદગીમાં અપવાદરૂપે અપાતી દવા પીધાજ કરવી ને ચરી પાળવી? એમ તે કેમ બની શકે? અપવાદ એ અપવાદ અને મૂળ તે મૂળજ. આવી સાદી સમજમાં આવે એવી વાત છે અને શાસ્ત્રોક્ત જે વાત છે તેને કદાગ્રહતા કહે કે ગમે તે કારણે પણ સત્ય તરિકે સ્વીકારતાં આજના શ્રી તપાગચ્છના આચાર્ય અચકાય છે.
આમ પૂ॰ ઉપાધ્યાયજી મહારાજે શાસ્રાક્ત રીતે પર પરાગત સ’વત્સરી પર્વની આરાધના કરી-કરાવી તેથી અપવાદને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
વળગી ઉસૂત્ર ક્રિયા કરી રહેલાઓએ ગચ્છભેદની તકરારના કારણે આ મહાપુરૂષની ઈર્ષા કરવા લાગ્યા. પરંતુ જેમને શાક્ત રીતે વર્તવું છે તેમને એની અસર શું થાય? અનેક
સ્થળાએ આ મતભેદોના પડઘા પડ્યા અને સત્યના અથી આત્માઓ સન્માર્ગ તરફ વળ્યા.
એથી માલદેવ રાજા અને શ્રીસંઘની પ્રસન્નતા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ પર ઉતરી અને સત્યમાર્ગના દ્રષ્ટા આ વિદ્યાભૂષણ ઉપાધ્યાયને સૂરિપદ આપવાની વિનંતિ તેઓશ્રીના ગુરૂદેવ સમક્ષ રજુ કરવામાં આવી. લાયક માણસે કદી માનની વાંછના રાખતા નથી પણ માન એમને સામે આવીને ભેટે છે. ઉપાધ્યાય શ્રી પાશ્ચચંદ્રજી ગણિવરના ગુરૂદેવ શ્રી સાધુરત્નસૂરિજીએ શ્રી સંઘ અને જોધપુર નરેશના આગ્રહને માન આપી સૂરિપદ અંગે અઠ્ઠઈ મહત્સવ શરૂ કરવા માટે આજ્ઞા ફરમાવી અને પૂ. ઉપાધ્યાયજીને સૂરિમંત્રના તપ અને ધ્યાન વિધિ પૂર્વક ગુરૂદેવે શરૂ કરાવ્યા. આ પ્રસંગને દીપાવવા માટે નિમંત્રણ પત્રિકાઓ દેશભરમાં પહોંચાડવામાં આવી અને પંડિત પ્રવરે, વિદ્વાન આચાર્યાદિ મુનિરાજે, ધર્મપ્રેમી ગૃહસ્થો મેટા પ્રમાણમાં જોધપુર નગરે પધાર્યા. શ્રી ચતુર્વિધ સંઘની હાજરીમાં અત્યંત આનંદમય વાતાવરણ અને લેકેના અનેરા ઉત્સાહ વચ્ચે સં. ૧૫૬૫ માં પૂ ઉપાધ્યાય શ્રી પાર્શ્વચંદ્રજી ગણિવરને સૂરિપદથી ગુરૂદેવે વિભૂષિત કર્યા અને આચાર્ય શ્રી પાર્વીચંદ્રસુરીશ્વરજી થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
જોધપુરમાં ઉપરના મહોત્સવની પૂર્ણાહુતિને અંતે પૂ. આચાર્યદેવ શ્રીમદ્ પાશ્વ ચદ્રસૂરીશ્વરજી મહારાજ હૃદય
તને પ્રગટાવતા, ઉગ્ર વિહારના નિયમોને અમલમાં મુકવા લાગ્યા. આજે તે પરિસ્થિતિ એવી છે કે વિહારના જરૂરીયાત વાળા સ્થાને વર્ષોના વર્ષો ખાલી પડી રહે છે. જ્યારે એકજ
સ્થળે ઉપરાઉપરી ચાતુર્માસ થાય છે. શાસ્ત્રોક્તદ્રષ્ટિએ કારણ સિવાય એકજ સ્થાનમાં બીજું ચાતુર્માસ નહિ કરવાના ફરમાનને આજે ઠેરઠેર છડે ચોક ભંગ થઈ રહ્યો છે. આ સ્થિતિ મીટાવવા અને વિડારથી અણખેડાયેલી ભૂમિને પાવન કરવા માટે ગ્ય પ્રબંધ થવાની ઘડી આવી પહોંચી છે.
વિહાર કરવા સાથે આચાર્ય ભગવાન તપશ્ચર્યાને કાંઈ થોડાજ વિસારે પાડે એમ હતું. એઓશ્રીએ ઉગ્ર તપ્રશ્ચર્યા પણ જારી રાખી. સંયમ શુદ્ધિ માટે તપની હંમેશા આવશ્યક્તા રહેલી છે. સંયમ એ કાંચન છે જ્યારે સમ્યકત્વ કાંચનને વિશુદ્ધ બનાવનાર અગ્નિ છે. આ અગ્નિ દેહને તપાવતો નથી પણ આત્મામાં જે કાંઈ દેષરૂપ પુજે હોય છે તેને તે જલાવી દેનાર છે. જેમ ચારિત્ર વિના આત્માની શુદ્ધિ નથી તેમ તપ વિના શુદ્ધ ચારિત્રની પણ સિદ્ધિ નથી. જ્ઞાની મહાત્માઓએ તપના મહાભ્યનું ઘણું ઘણું વર્ણન કરી ચારિત્રધર્મને સ્થિર કરનાર મહાન સાધન તરિકે તપને જણાવેલ છે. સંયમની શુદ્ધિ અહિંસારૂપ ધર્મના યથાર્થ પાલન માટે અતિ આવશ્યક છે. તેમ સંયમ ધર્મના શુદ્ધ પાલન માટે તપની શુદ્ધિ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
શ્રીમન્નાથપુરીયતપાગચ્છાધિરાજ શાસનપ્રભાવક પ્રાતઃસ્મરણીય ૫૦ પૂ. શ્રી ૧૦૦૮ શ્રીમત્પાર્ધ ચંદ્રસૂરીશ્વરજીની દેરી
.©...........
•..•૭..©.................
વીરમગામ પાશ્વ ચંદ્રગછના ઉપાશ્રયમાં
સ્થાપિત દાદાની દેરી. તાત્કાલિક વાંછિતલ દાતા. ...........................................
Page #47
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
જરૂરી છે. શ્રી રૂષભદેવસ્વામી વિ. તીર્થંકર ભગવંત પિતાની આજ ભવમાં સિદ્ધિ છે એમ જાણવા છતાં તે તારકે પણ તપનું અજોડ અને અનુપમ સેવન કરે છે. જે તપને ક્ષમા સહિત આચરવામાં આવે તે એમાં એવી શક્તિ રહેલી છે કે નિકાચિતકર્મની ઘડીમાં નિજેરા કરી શકાય છે. જેમ સુવર્ણમાં રહેલી માટીને અગ્નિ અલગ કરે છે તેમ તપ એ જીવનમાં રહેલ કમરૂપ કાટને દૂર કરે છે. તપના પ્રભાવે નાની લબ્ધિઓની પણ પ્રાપ્તિ થાય છે. તપ એ સાક્ષાત્ કલ્પતરૂ છે. એવા ક૫તરૂની આરાધના કરતા આચાર્ય ભગવાન શ્રીપાચંદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રીફલેધિ પાશ્વનાથજીની યાત્રાર્થે પધાર્યા ને ત્યાંથી ભયહરનાર ભૈરવ પ્રતાપથી ગાજતા ફણગામે [ રતનપુરી] આવી પહોંચ્યા. શાસ્ત્રોક્ત સર્વવિરતિ ધારણ કરનાર પૂ. આચાર્યાદિ મુનિરાજોને દેવે પણ વંદન કરતા હોય ત્યાં આ ભયપુર ભૈરવનાથ સુગીનાથ તિર્ધરને ઘર આંગણે આવેલા જોઈ કેમ નમન ન કરે? નમન કરીને ભવનાથ ગુરૂદેવની સાન્નિધ્યમાં રહ્યા. એવી પ્રતીતિ હવે પછીના બનાવે પરથી થાય છે. આ સ્થળે લાભા લાભના કારણે આચાર્ય ભગવાને માસક૯૫ કર્યો. તે સમયે ત્યાંના વતની ઓશવાળ વાહડદેવ અને ચાંપલદેવીને સુપુત્ર વરદરાજ કે જે ગર્ભાવસ્થાથી જ ઉત્તમ સ્વપ્ન અને ભાવીનું દર્શન કરાવનારે હતો તેને ગુરૂવાણીને ઉપદેશ સચોટપણે લાગતાં અસાર સંસ્કારથી દૂર થઈ સર્વવિરતિ અંગીકાર કરવાની ભાવના થઈ. શ્રી સંઘે અને વરદરાજના માતપિતાએ સર્ષ રજા આપી પોતાના આંગણે શ્રી અખાડિકા મહેસવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૦
શરૂ કર્યાં. અને વરદરાજને શ્રીભાગવતીપ્રત્રજ્યા આપી તેનું નામ મુનીશ્રી વિજયદેવ સ્થાપવામાં આવ્યું.
વિહાર કરતા આચાર્ય ભગવાન શ્રીપાચંદ્રસૂરિજી નાગાર પધાર્યાં. આ સમયે શ્રીચતુર્વિધસંધને ઉપદ્રવ કરતા વીરમંડળને પ્રતિાધી-તાએ કરી એક વિત’ડાવાદી ચેગિનીને પણ વાદમાં જીતી. આચાય શ્રીના જ્ઞાનબળને જોઇને ત્યાંના ઘણા ક્ષત્રી વીરાએ બહુમાનપૂર્વક શ્રાવકધમ અંગીકાર કર્યાં અને કમ મળને તાડવા માટે ક્રિયામાં દૃઢતાથી જોડાયા. એ સાલ શ્રીસંઘની વિનંતીથી નાગારમાં ચાતુર્માસ રહ્યા અને ત્યાં કેમ જાણે ચેાથા આરાની ભાવના પ્રવતતી ન હેાય એવું આલ્હાદજનક વાતાવરણ ખડું થયું. તેમાંયે પૂ. આચાર્ય ભગવાને કનકાવની તપ કરી લેાકેાને તપનું સાચું મહાત્મ્ય સમજાવ્યું.
આ ચાતુર્માસ સમયે લેાંકાશાહ નામના સ્મૃતિ ઉત્થાપક એક સ્થાનકવાસી ગૃહસ્થ પ્રભુપૂજન ઇત્યાદિ કર્માનુષ્ઠાના વિષે ભારે અંધાધુધી ફેલાવવાને પ્રયાસ કરી રહેલા હતા. તેની સાથે આચાય ભગવાન શ્રી પાકવચંદ્રસૂરીશ્વરજીએ વાદવિવાદ શરૂ કરી સ્વમત સમજાવવા પ્રયત્ન કર્યો પરંતુ જ્યાં કદાગ્રહ હાય ત્યાં સ્પષ્ટ સમજાય કયાંથી? આજે એજ લાંકાશાહને પ્રકાશમાં લાવવાના પ્રયત્ના સ્થાનકવાસી સમાજ તરફથી થઈ રહ્યા છે. પર’તુ જેમ જેમ સ્થાનકવાસીએ સરળભાવે વિચાર કરે છે તેમ તેમ તેમના મગજમાં મૂર્તિ પૂજા પ્રાચીન છે એ માન્યતા ઠસાતી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
[૩૧
એજ લોંકાશાહ સાથે વિવાદ કરતાં આચાર્ય ભગવાન શ્રીપાર્ધચંદ્રસૂરીશ્વરજીના સિદ્ધાંતિક સચોટ પુરાવા સામે ટકી શકવાનું અશક્ય જણાતાં વિવાદમાંથી તેઓ વિતંડાવાદમાં તણાવા લાગ્યા. જે જોઈ પૂજ્યશ્રીએ ચર્ચા છેડી દીધી પરંતુ લંકાશાહના સાત વિદ્વાન અને ગુણપૂજક શિવેના મન પર પૂજ્યશ્રીની વિદ્વતાની તેમજ ક્રિયાકાંડની ભારે છાપ પડી અને તેઓશ્રીની ઈચ્છાથી શુદ્ધ કિયાનુષ્ઠાન કરી તેમને પૂજ્યશ્રીએ પિતાના શિષ્ય બનાવ્યા તેમજ ચાતુર્માસના અંતે નાગર વતની વિશાઓશવાળ હેમરાજજીને મહોત્સવ પૂર્વક દીક્ષા આપવામાં આવી. ત્યાંથી શિષ્ય સમુદાય સાથે નવકથી વિડાર કરતા આચાર્ય ભગવાન બિકાનેર પધાર્યા. અને ત્યાં મેટી સંખ્યામાં લોકોને સાચી ક્રિયાના માર્ગ તરફ વાળી અલપસંસારી બનાવ્યા અને પૂ. સૂરીશ્વરજીએ અષ્ટકમસૂદન તપ આદર્યો. ત્યાંથી તેઓશ્રી જેસલમેર પધાર્યા જ્યાં પ્રાચીન ભંડારના પુસ્તકનું અધ્યયન અને મનન કરી પિકણ ફલેધી તરફ થઈ જોધપુર શહેર નજીક પધાર્યા. જેધાણુનાથ (જોધપુર નરેશ) અને શ્રી સંઘ સૂરીશ્વરજીને સામૈયાપૂર્વક ભારે આડબરથી ઉપાશ્રયમાં લાવવામાં આવ્યા. અહીં પૂ. સૂરીશ્વરજીએ વધમાન તપ શરૂ કર્યો. ત્યાં અનેક ભવ્ય જીવે પર ઉપકાર કરી પૂ. સૂરીશ્વરજી જાલેરથી આહેર થઈ ગોલવાડની પંચતિથીની યાત્રાએ પધાર્યા. ત્યાંથી શ્રીઆબુજી પરના પવિત્ર જગજાહેર જિનાલને જુહારી પુનઃ હમીરપુરની સ્પર્શના કરી. ન્હાની પંચ તિથીની યાત્રા કરી સાચેરથી વાવ થરાદમાં પુષ્કળ પ્રમાણમાં શ્રાવકોને પ્રતિબોધી આચાર્ય ભગવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૨
શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજી મહારાજા અણહીલપુર પાટણ પધાર્યા.
આ સમયે જતિઓનું જોર વધી પડયું હતું અને તેઓ શુદ્ધ ક્રિયાકાંડને છોડીને પિતાની આજીવિકા પ્રાપ્ત કરવા માટે અગ્ય સાધનોને ઉપગ કરી અંધાધુંધી ફેલાવી રહ્યા હતા. પૂ. આચાર્ય ભગવાનના આગમનથી તેમને ભય લાગ્યો કે આપણું પિકળતા ખુલ્લી પડશે. એથી તેઢષના તણખા ઝરવા લાગ્યા અને પૂ. આચાર્યભગવાન પર ઉપદ્રવ શરૂ કરવાના હેતુથી વરેની સાધના કરી પરંતુ ભયહર ભૈરવનાથ જેના દાસ હોય એવા આ મહાત્માને વરે શું કરી શકે? ઉલટું એ મહાપુરૂષે ઉન્માગે ગએલાઓને પ્રતિબધી સાચા માર્ગ તરફ વાળ્યા. જ્ઞાની પુરૂષ શaઓનું પણ કદી બુરૂ ક૫તા નથી પણ તેને સમાગે દેરવા હંમેશાં પ્રયાસ કરે છે. જતિઓએ ફેલાવેલ અંધાધુંધીને દૂર કરી ગર્વાને મદ ઉતારી પૂ. આચાર્યભગવાને ધર્મમાર્ગ સરળ થતાં ઉલ્લાસવાન બનેલા આત્માઓના હૃદયના ઉંડાણમાં માનવંત રસ્થાન પ્રાપ્ત કર્યું. તેઓશ્રીની વિદ્વતાની ચોમેર પ્રસંશા થવા લાગી. ત્યાંથી પૂ. આચાર્યભગવાન રાધનપુર પધાર્યા. આ સમયે રાધનપુરમાં હિંદુ-મુસ્લીમ વચ્ચે વૈમનસ્ય ઉગ્ર હદે ચાલતું હતું જે બને કોમેને પ્રતિબધી હંમેશ માટે બંધ કરાવ્યું. મહાપુરૂષે જે જે સ્થળે વૈમનસ્ય જુએ છે તે તે સ્થળે ઉપદેશની સચોટ ધારા વહેતી મૂકીને દૂર કરાવવા માટેના તેમજ શાંતિની સ્થાપના અર્થો બનતા સઘળાયે પ્રયત્નો કરવા ચૂકતા નથી. આજે ખૂદ જેનોના આંતરિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
૩
વિખવાદે આટઆટલા વિદ્યમાન આચાયેલું હાવા છતાં મટવાને બદલે વધી રહ્યા છે એ કેટલું શૈાચનીય છે ?
રાધનપુરમાં એ કામા વચ્ચે સુલેહશાંતિ થતાં ત્યાંના શ્રીસંઘે આદરપૂર્વક વિનતિ કરતાં સ. ૧૫૬૭ નું ચાતુર્માસ રાધનપુરમાં કરવામાં આવ્યું અને ત્યારબાદ ઉગ્ર વિહાર કરતાં પૂજ્યશ્રી કચ્છ દેશ તરફ પધાર્યાં. ભચાઉમાં અનેક મિથ્યાત્વી અન્યદશ નીઓને પ્રતિમાષી શ્રાવક કર્યો. અને શુદ્ધ રાહુ બતાવી શ્રીવીતરાગપ્રણીતધમ પ્રવર્તાવી અંજાર, ભદ્રેશ્વર, મુદ્રા, માંડવી, ભુજ વિગેરે સ્થળાએ થઈ શિથીલાચારને નિર્મૂળ કરતાં કરતાં કાઠિયાવાડમાં મેારખી, વાંકાનેર, જામનગર, રાજકોટ થઈ શ્રીગીરનારજીની યાત્રાર્થે જુનાગઢમાં પ્રવેશ કર્યાં. આ સ્થળે તેઓશ્રીએ ૨૧ ઉપવાસની તપશ્ચર્યા આદરી અને કેટલેાક સમય સ્થિરતા કરી. ગીરનારજીની યાત્રા કરી પૂજ્યશ્રી ભવાદધિતારક એવા શ્રી સિદ્ધગિરિને ભેટવા ત્યાં પધાર્યો. ગિરિરાજના ગભીર મહાત્મ્યને આચાર્ય ભગવાને સ્વરચિત સ્તવનામાં ઉતાયુ અને તેના રાસ પણ બનાવ્યેા, શ્રી ગિરિરાજની છાયામાં સત્રતાલ તપ પૂર્ણ કરીને પાંચ જન્ય જીવાના ઉદ્ધાર કરી વલ્લભીપુરમાં પધાર્યા. જ્યાં જ્ઞાનભંડારેાનું અવલેાકન કરતાં પૂજ્યશ્રી લીમડી પધાર્યા. ત્યાં નદી કિનારે એક મતવાદી ચેાગી સિદ્ધિની સાધના કરી રહેલ હતા પર ંતુ તેમાં તેને નિષ્ફળતા સાંપડી પણ પૂ॰ આચાય ભગવાને સિદ્ધિ પ્રાપ્તિના રાહ બતાવતાં તે પૂજ્યશ્રીનેા ઉપકાર માનવા લાગ્યા.
લી'બડીથી વિદ્ગાર કરી વઢવાણુ થઈ ધ્રાંગધ્રા પધાર્યાં. અહીં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૪ બ્રાહ્મણની બે કન્યાઓને પ્રતિબોધી અને શ્રાવક શ્રાવિકાઓને શુદ્ધ કિયાવંત બનાવ્યા. ત્યાંથી શ્રી શંખેશ્વરજીની યાત્રાર્થે પધાર્યા જ્યાં હૃદયને ભક્તિના રંગથી રંગી પતે તેની સ્તુતિઓ રચી. માંડળ પધાર્યા જ્યાં શ્રીસંઘે ભવ્ય સામૈયું કરી પૂજ્યશ્રી અને તેઓશ્રીના શિષ્ય સમુદાયને ઉપાશ્રયમાં બહુમાનપૂર્વક પધરાવ્યા. જ્યાં વ્યાખ્યાન આપતાં શ્રાવકના ધર્મ વિષે સુંદર બોધ આપે અને શ્રાવકમાં કેટલા ગુણ હોવા જોઈએ તે વિષેનું સવિસ્તર વર્ણન કરતાં લેકે શુદ્ધ કિયા માર્ગ તરફ આકર્ષાયા.
આ પ્રમાણે ઠેરઠેર ક્રિોદ્ધાર કરતાં કરતાં પૂ. આચાર્ય ભગવાન શ્રીપાર્ધચંદ્રસૂરીશ્વરજી મહારાજા વિરમગામ મુકામે આવી પહોંચ્યા. ત્યાં પણ વિદ્યાસાગર નામના એક હઠવાદીને તેઓશ્રીને ભેટ થયે. પૂ. આચાર્ય ભગવાને તેને આગમાનુસાર અદેષિત કિયાનુષ્ઠાનની પદ્ધતિ બતાવી હઠવાદી યેગીના ગર્વનું ખંડન કર્યું. આમ કેટલાક સમય સ્થિરતા કર્યા બાદ પૂજ્યશ્રીએ વિરમગામના શ્રીસંઘ પ્રત્યે પોતાના વિહારની ઈચ્છા પ્રદર્શિત કરી. આવા પરમતારક ગુરૂદેવના વિયેગથી કયા સરળ અને સુજ્ઞ હૃદયને આઘાત ન લાગે? પરંતુ આ ઉગ્ર વિહારી ગુરૂદેવના નિશ્ચય આગળ સો લાચાર બન્યા. ગુરૂરાજ ગામ ગામને વિહાર કરી પુનઃ ગુજરાતના એ વખતના પાટનગર શ્રી અણહીલપુર પાટણ પધાર્યા. શ્રી સંઘે પરમ ગુરૂદેવનું ભારે ધામધુમપૂર્વક સામૈયું કરી તેઓશ્રીને શહેરના ઉપાશ્રયમાં બિરાજમાન કર્યા. શ્રીસંઘના ભારે આગ્રહને લીધે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
|| શ્રીમન્નાથપુરીયતપાગચ્છાધિરાજ શાસન પ્રભાવક
પ્રાતઃસ્મરણીય ૫૦ પૂ. શ્રી ૧૦૦૮ શ્રીમત્પાર્ધચંદ્રસૂરીશ્વરજીની દેરી
અમદાવાદ શામળાની પાળના પાર્ધચંદ્ર ગચ્છના
ઉપાશ્રયમાં સ્થાપિત દાદાની દેરી. તાત્કાલિક વાંછિતફલ દાતા.
Page #55
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૫ પૂજ્ય સૂરીશ્વરજી મહારાજાએ સં. ૧૫૭૫ નું ચાતુર્માસ ત્યાંજ કર્યું.
શ્રાવક-શ્રાવિકાઓએ પિતાના અહોભાગ્ય માની આ મહાન તિર્ધરના સાંપડેલા સુયોગથી તપ, જપ, વ્રતાદિ પચ્ચખાણની ક્રિયાઓ વિશિષ્ટ પ્રકારે શરૂ કરી અને ચઢતા ભાવ વડે ગુરૂ ઉપદેશના પરિણામે દાન, તપ, શીલ અને ભાવને મહિમા ચોમેર પ્રવર્તાવ્યો. પ્રભાવના, પૂજા-સાધમિક વાત્સલ્યાદિ પુણ્યને પિષતાં અનેકવિધ કાર્યો એ ચાતુર્માસ દરમ્યાન થયાં. બાગ હોય પણ જળસીંચન કરનાર માળી ન હોય તે પુલ માંથી ઉગે ? ડબ્બા હોય પણ એજીન ન હોય તે તેને ગતિમાં કેણ લાવી શકે? એવીજ રીતે સરળ શ્રાવક શ્રાવિકાઓ અણહીલપુરમાં હતા પણ તેમને ક્રિયાનુષ્ઠાનદશક પૂજ્ય પુરૂષને સુયોગ ન સાંપડે તે આત્માની અનંતશક્તિ પિકિ ઉપરોક્ત શક્તિઓ કયાંથી ખીલે?
આ ચાતુર્માસ દરમ્યાન પૂ. સૂરીશ્વરજી મહારાજાની વૈરાગ્યમયવાણીથી પ્રેરાઈ અંતરંગ વૈરાગ્ય ભાવનાથી રંગાયે છે એવા શેઠ ભીમાશાહ અને વહાલાદેવીના સુપુત્ર શ્રી અમરસિંહ કે જેને જન્મ સંવત ૧૫૬૦ ના માગશર સુદી ૧૧ ના રોજ શુભ સમયે થયેલ હતું તે પૂજ્ય ગુરૂદેવ પાસે ૧૫ વર્ષની બાલ્યવયે શ્રીભાગવતી પ્રવજ્યા લેવા તત્પર થાય છે. પૂજ્ય ગુરૂદેવે તેના વૈરાગ્યભાવની પરીક્ષા-કટી કરી અને બાદ માતાપિતાદિની રજા મેળવવા આજ્ઞા કરી.
અને એ સરળસ્વભાવી તેમજ શ્રી જિનેશ્વરદેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
માગ પર જેમને અચળ શ્રદ્ધા છે એવા શેઠ ભીમાશાહ અને હાલાદેવીએ પુત્ર અમરસિંહની કુદ્ધારની માગણને અતી ઉલ્લાસ વડે માન્ય કરી અને સારાયે અણહીલપુર પાટણમાં અઠ્ઠાઈ મહોત્સવની શરૂઆત કરી અનેકવિધ ધર્મકાર્યો કરવા થકી કુમાર અમરસિહે પૂ. સૂરીશ્વરજીના વરદ હસ્તે સંવત્ ૧૫૭૫ ના માગશર સુદી ૫ ના રોજ વિજય મુહૂર્ત શ્રી ભાગવતીપ્રત્રજ્યા અંગીકાર કરી. સારાયે નગરમાં ગુરૂદેવની દેશનાશક્તિ, અગાધજ્ઞાન અને ક્રિયાકાંડની પ્રસંશા થવા લાગી. નવદીક્ષિતનું નામ મુનિ સમારચંદ્ર રાખવામાં આવ્યું.
પૂ. સૂરીશ્વરજી મહારાજાના અન્ય શિષ્ય હેવા છતાં આ તીવ્રબુદ્ધિવાળા મુનિરાજ શ્રી સમારચંદ્રજી વિદ્યાભ્યાસમાં આગળ વધવા લાગ્યા જે જોઈ પૂજ્યશ્રીને ખાત્રી થવા લાગી કે ભવિષ્યમાં મારી પાટને આ પુરૂષ જરૂર સાચવશે.
આમ અણહીલપુર પાટણમાં ધર્મત જગાવીને ત્યાંથી વિહાર કરતાં પૂજ્યશ્રી શિખ્યમંડળ સાથે અમદાવાદના આંગણે સામયાપૂર્વક પધાર્યા. આ સમયે અમદાવાદમાં મરકીને ભયંકર ઉપદ્રવ ચાલી રહ્યો હતે જેથી શહેરીએ ત્રાસ પામીને અહીં તહીં નાશભાગ કરી રહ્યા હતા. પ્રજાજનોએ પૂ૦ સૂરીશ્વરજીના વિચક્ષણ જ્ઞાનના મહિમાથી પ્રેરાઈને તેઓશ્રી સમક્ષ આ વાત રજુ કરી અને રજુ કરવાની સાથેજ ટુંક સમયમાં જ સૌના આશ્ચર્ય અને હર્ષ વચ્ચે મરકીને ઉપદ્રવ બંધ પડી ગયો અને સર્વત્ર આનંદ-આનંદ થઈ રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
3.9
દુનીયામાં ચમત્કારનેજ નમસ્કાર હોય છે. કબીર કહી ગયા છે કે ‘પરચા વિના કેાઈ નહિ પૂજે.’ પર`તુ પૂજ્યશ્રીના વાયદા વિનાના કાયદાને જોઇ તેમજ ભારે ઉપદ્રવમાંથી મુક્ત કરવાની મહાશક્તિ નીહાળી વિધમી એમાં પણ જૈનધમ' પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થઇ અને શ્રાવકધમ સ્વીકારી તેએ પેાતાનું જીવન સાફલ્ય કરવા લાગ્યા. એથી પ્રેરાઇને જિનાલયેામાં શાંતિસ્નાત્ર, પુજા, ભક્તિના ભારે રંગ જામ્યા. અને રાજનગરનિવાસીએ પોતાની જાતને આવા ગુરૂ ભેટવા માટે ધન્ય
ગણવા લાગ્યા.
આમ રાજનગરના ચાતુર્માસ દરમ્યાન અનેક જીવાને પ્રતિખાધી જૈનધમ ના મમ સમજાવી તે મા'માં જોડી ધમની પ્રભાવના કરતાં ચાતુર્માસ પૂર્ણ થયે પૂજ્યશ્રી ખંભાત બંદર પધાર્યા. ખભાતના શ્રીસંઘે ગુરૂદેવના આગમનની વાત સાંભળી ત્યારથી તેએાશ્રીના પ્રભાવની હકીકતાથી સદ્ભાવનાની શ્રેણી વૃદ્ધિ'ગત થતી ચાલી હતી અને ગુરૂરાજના આગમન સમયે ભારે ઉત્સવપૂર્વક ઉપાશ્રયમાં લાવવામાં આવ્યા. ખભાતમાં આ સમયે મઝહુબની ચાલી આવતી રૂઢી મુજબ ત્યાંના નવાબ સાહેબે એક ગાયને પકડી કુરબાની માટે મસ્જીદ તરફ લઇ જવા ફરમાવ્યું. એથી રાજ્યના નાકરા ગૌવધ માટે ઉત્સુક અની ગાયને લેવા ચાલ્યા. આ અનિષ્ટકૃત્ય આર્યાવર્તની ભૂમિમાં અને ધનગરી સમા ખંભાતમાં પૂજ્ય સૂરીશ્વરજી મહારાજાની હાજરીમાંજ બને એ શ્રીમધને બહુજ ખટકવા લાગ્યું. આવું કૃત્ય જે દિવસે સૂરિરાજની પધરામણી થવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૮
છે તે દિવસે તે ન બને તેજ આનંદ થાય એ વિચાર કરવા લાગ્યા. એમ વિચારીને શ્રીસંઘના અગ્રેસરેએ ના નવાબ સાહેબ સમક્ષ જઈ એ ધામિકલાગણીને દુભવનારું કૃત્ય એક મહાન જ્યોતિધરના કુમકુમ પગલા નગરમાં થાય તે દિવસે તે ન થાય એ માટે વિનંતી કરી પરંતુ ના નવાબ સાહેબે પણ એ કુરબાનીને પિતાનું ધર્મકૃત્ય છે એમ જણાવી પ્રજાજનોની વિનંતીને નકારી. આથી શ્રીસંઘે ગૌવધની આ બાબત ખિન્ન હૃદયે પૂજ્ય ગુરૂદેવ સમક્ષ રજુ કરી અને પિતાની લાગણી પ્રદર્શિત કરી.
જે મહાપુરૂષોમાં દૈવીશક્તિને વેગ હેવ તે સમગ્ર જનતાની દુભાતી ધાર્મિકલાગણીને જોઇને તેને ઉપયોગ કર્યા સિવાય કેમ જ રહી શકે? હંમેશાં આવી શક્તિઓને ઉપયોગ અસાધારણ એવા જનકલ્યાણના પ્રશ્નમાં જ કરવામાં આવે છે. તેવી રીતે પૂજ્યશ્રીએ પિતાની દૈવીશક્તિને ઘડીભર પર બતાવ્યું. પરિણામ એ આવ્યું કે કરબાની કરવા માટે જે ગાય લઈ જવામાં આવતી હતી તે ગાયને અદ્રશ્ય કરી દીધી અને ગાયને લઈ જનારા રાજ્યના સેવક હતા તેજ જગ્યા પર સ્થિર થઈ ગયા.
બીજા રાજ્યસેવકેએ તુરતજ નવાબ સાહેબ પાસે જઈ જેનસૂરીશ્વરમહાત્માની દેવી શક્તિના યોગ બનેલા બનાવનું વર્ણન કર્યું. ના, નવાબ સાહેબ આ અદ્દભુત પ્રસંગને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૦
જાતે નિહાળવા તતપર થયા અને જે સ્થળે આ બનાવ બન્યો હતો ત્યાં આવી પહોંચ્યા. પિતાના સેવકેએ કરેલી વાત સાચી જણાતાં તેઓ પણ બહુ વિસ્મય પામી પોતાની બેઅદબી માટે પૂજ્ય સૂરીશ્વરજી મહારાજા પાસે ક્ષમા યાચવા પધાર્યા.
પૂર્વવત્ રાજવીઓના અનેક દ્રષ્ટાંત આપણને મળી આવે છે કે જેઓ આવા પ્રસંગને જોઈ રાજ્યદંડની વાત નહિં. કરતાં ગુરૂદેવની અદ્દભુત શક્તિઓને નમન કરતા હતા અને એવા ગુરૂદેવોની આજ્ઞાને શિરસાવંઘ માની ન્યાય અને નીતિથી રાજ્યશાસન ચલાવતા હતા. એવા આ નવાબ સાહેબે ઉપાશ્રયમાં પધારી પૂજ્યશ્રીને વંદન કરી પોતાની ભૂલ માટે સરળહદયે પશ્ચાત્તાપ જાહેર કરી ક્ષમા આપવા વિનંતી કરી. પૂજ્યશ્રીએ નવાબને જગતના સર્વ જીવો સમાન છેસમાન દ્રષ્ટીને પાત્ર છે એમ સચેટ ઉપદેશ આપી કરીને આવું હિંસકકય નહિં કરવા આજ્ઞા આપી. આજે તે રોમેર જ્યાં જુઓ ત્યાં આર્યાવર્તની ભૂમિ નિર્દોષ જીવના લેહીથી ખરડાયેલી જણાય છે. આ આપણી સંધ સત્તાની નબળાઈનું કારણ છે. જે સમયે સંઘસત્તામહાજનસત્તા વ્યવસ્થિત અને સંગઠ્ઠીત હતી તે સમયે દિનપ્રત્યે જીવહિંસાના સમાચાર આજે મળે છે તેવી સ્થિતિ નહતી. આજે તે આપણા રાજવીઓ વિદેશીઓના પગલે ચાલીને છવાસાને પિતાની દૈનિચર્યા હોય એમ માની અનુકંપા ગુણને હૃદયમાંથી દેશવટ દઈ રહ્યા છે. આજના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
મહાજને લાચાર છે. શાબ્દિકવિધ સિવાય બીજી કોઈ શક્તિ નથી કે તે પિતાના રાજવીને નિર્દોષ પશુ-પક્ષીઓની થતી હિંસા અટકાવી શકે. આજે જીવદયાને ઝરો સુકાત જાય છે અને તેથી જ આ જગતમાં અનેક રિદ્ધિ-સિદ્ધિ પામવા છતાં પણ દુઃખી દેખાય છે. આપણને બીજા નિર્દોષ જીવને હણવાને શું અધિકાર છે? આપણે આજે દયાશુષ્ક બનતા જઈએ છીએ. જે કીડી-મંકેડી હણવાથી આપણને અરેરાટી ઉપજતી તે “અરેરાટ' શબ્દ આપણું મગજમાંથી ગુમ થઈ ગયા છે. આજે ઠેરઠેર વ્યવસ્થિત કલખાનાઓમાં હજાર રેની કલ્લ થાય છે. આજે ઠેરઠેર નિર્દોષ પશુ પક્ષીઓના સંહાર થાય છે. ભગવાન નેમિનાથ જેવા શ્રી તીર્થંકરદેવની સંસારી અવસ્થામાં લગ્નની જાન જોડાઈ. આ લગ્ન ઉત્સવ અંગે સામા પક્ષે નિર્દોષ પશુ-પંખીઓને અન્ય જીવોની હિંસા મહેમાનની મજલસ માટે કરતાં પશુઓને પિકાર ભગવાનના હૃદયને સ્પર્યો. અને ભગવાનનું હૃદય કકળી ઉઠયું કે મારા એકના લગ્ન માટે આટલા બેસુમાર પશુઓની હિંસા? તેમણે ત્યાં જીવદયા ચિંતવી અને લગ્નને વિચાર પડતું મૂકી પાછા ફરી સર્વવિરતિને સ્કવાર કર્યો. એ પણ એક રાજકુમાર હતા. પરંતુ આજના રાજવીઓ એશઆરામ અને મોજશોખમાં મસ્ત હોય ત્યાં એમને સાચો ધર્મ કોણ સમજાવે? આજનું વાતાવરણ સર્વત્ર એકસરખું જ હોય ત્યાં કોણ કોને દાખલ ભે?
આગળના સમયમાં ખંભાતના નવાબ સાહેબ જેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
મુસ્લીમ રાજવીને પણ પિતાના હૈયામાં પિતાની જીવહિંસાની ભૂલ ઉતરે છે અને તેઓશ્રી સૂરીશ્વરજી મહારાજા પાસે પિતાના કૃત્યની ક્ષમા યાચે છે, ત્યારે કહેવું જોઈએ કે એ હૃદય કેટલું સરળ અને સત્યનું અથ હેવું જોઈએ? પૂજ્ય શ્રી નવાબ સાહેબને રાજવી ધર્મ સમજાવતાં કુરાને શરીk શું ફરમાવે છે તે જણાવતાં કહે છે કે કુરાને શરીફ કહે છે કે પુણ્ય કરે, કેઈનું ભલું કરે, બદી છેડે, નેકી કરે, ખુદાને બેફ રાખે, કે જીવને ન સતાવો,
જેવું કરશે તેવુંજ પામશે, જેવા કામ કરશો તેવી શિક્ષા કે બક્ષીસ મળશે. ગાય જેવા ઉપકારી પ્રાણની કુરબાની એ મહાઅનર્થકારી અને જીવને અધેગતિમાં લઈ જનારું કત્ય છે. એમ નવાબને ઉપદેશ આપી જણાવ્યું કે કેઈનું પણ અકુદરતી મરણ નીપજાવવાની ભાવના કરવી એ પોતાના આત્માનું ઘર અધઃપતન છે. દયાથીજ જન્નત (સ્વર્ગ)ના દરવાજા ખુલ્લા થશે. વિ૦ પ્રતિબંધ આપતાં નવાબના હૃદયને અસર થઈ અને જીરહિંસા ત્યાગ કરવાને નિશ્ચય કરી લીધો.
આમ આ ચમત્કારથી જેમ શ્રીસંઘના હૈયા હર્ષઘેલા બન્યા તેમ જનશાસનની ઉન્નતિ થયેલી જોઈ શ્રાવકે કિયાનો આદર કરવા લાગ્યા. સ્વામીવાત્સલ્ય, પૂજા, પ્રભાવના, ગુરૂભકિત અને અભયદાન આદિ ચઢતા પરિણમે સાચવી જીવનને લ્હાવો લેવા લાગ્યા.
આમ ખંભાતમાં ધમની અપૂર્વ પ્રભાવના કરતાં કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
પૂજ્યશ્રી કાવી, ગંધાર-જંબુસર થઈ ભરૂચ મુકામે પધાર્યા તેમજ સદુઉપદેશથી ક્રિોદ્ધાર કરતાં, અનેક જીને ધર્મમાર્ગમાં જોડતાં સ્થિર કરતાં સુરત, વડોદરા થઈ માલવદેશ તરફ વિચર્યા. માલવદેશમાં આ સમયે દ્રવિડ દેશના બારસો જેટલા પાખંડીઓએ ધર્મના નામે ધતીંગ ચલાવવા માંડયું હતું. જગતમાં જેમ પાપ અને પુણ્ય, સત્ય અને અસત્ય તડકા અને છાંયડ વિગેરે આદિ અનાદિ છે તેમજ સત્ય સામે પાખંડ પણ અદિ અનાદિ છે જ્યાં સુધી સત્યની ત જગાવનારાં તિર્ધને ભેટે જગતને થતું નથી ત્યાં સુધી ધમમાર્ગથી વંચિત રહેલા નિર્દોષભાવે પાખંડીઓને ધર્મગુરૂ માનીને પૂજે છે. પરંતુ સૂર્યના આગમન સાથે જેમ રજની પિતાની સેડ સંકેલી લે છે, પોલીસ આવતાંની સાથે જેમ ચોર-ડાકુઓ નાશી જાય છે તેમજ શાસન ચેકીની રક્ષા કરનાર પૂજ્યશ્રીના પધારવા સાથે અસત્ય ફેલાવી રહેલા દ્રવિકે પકડાઈ જાય છે. પૂજ્યશ્રી તેમને સન્માર્ગદર્શન અર્થે ધર્મના દશ લક્ષણે સમજાવે છે અને ફરમાવે છે કે જ્યાં આ દસ લક્ષણે વિધમાન હોય ત્યાંજ ધમ વિદ્યમાન હોય છે. જેના આચરવાથી પિતાના આત્માને ઉદય અને આત્મકલ્યાણ થાય તે જ ધર્મ અને જે કાર્યની શરૂઆત ન્યાયથી થાય અને અંત પણ એજ રીતે આવે તેજ ધર્મ.
આ પ્રકારને સતત ઉપદેશ સાંભળીને એ ૧૨૦૦ દ્રવિડે મિથ્યાત્વથી વિરમી સમ્યકત્વસાધક થવા અને શ્રી ગુરૂરાજના પરમ ઉપાસક બની અત્યંત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
આભાર માનતા શુદ્ધ ક્રિયાઓ કરવા થકી જન્મને સફળ થયેલો જાણી અતિ આનંદિત થયા.
હવે ગુરૂજીને માલવ પ્રદેશના મધ્યમાં વિહાર કરવાને વિચાર હાઈ ક્ષિપ્રા નદીને પેલે પાર જવું હતું પરંતુ નદીમાં જળ હેઈને દોષ લાગે એ હેતુથી વિહારને વિલંબ કરી જળ સુકાય ત્યારેજ નદી પાર ઉતરવા નિર્ણય કર્યો. પરંતુ કુદરતના દેવીસંજોગે અને આ મહાત્માના ધર્મની ઉત્કૃષ્ટ આરાધનાના પ્રભાવબળ વડે તે નદીના અધિષ્ઠાયક દેવે જળપ્રવાહને જડ બનાવી રથનરૂપ કરી દીધો જેથી ગુરૂદેવને ધારેલી સફળતા પ્રાપ્ત થઈ અને ક્ષિપ્રા નદી આસાનીથી ઉતરી ગયા. નિશ્ચલમને બળ–ઉત્કૃષ્ટ આધ્યાત્મિક બળ અને ઈષ્ટદેવની આરાધના કરનારને માટે જે મુક્તિ અશકય નથી તે આવી દુન્યવી મુશ્કેલીઓ તો કેમજ અંતરાયરૂપ બને? આમ પિતાને મનસુબે પાર પડતાં પૂજ્યશ્રી આગળ વિહાર લંબાવે છે ત્યાં ઇસ્લામ ધર્મના ચોવીસ પીરેના સ્થાનક પાસેથી પસાર થાય છે. આ પીર જાગતો જીવતી તિરૂપ હતા તેમણે ગુરૂદેવના આત્મબળની કસોટી અથે કેટલાક પ્રશ્નો પુછયા ગુરૂદેવના ઉત્તરેથી પિતાની જાતને મહાત થયેલા જોઈ એ પીરેના મનમાં ગુરૂરાજને ઉપદેશ ઠસી જતાં તેમનું બહુમાન કરવા લાગ્યા.
આમ વિહાર કરતાં કરતાં રાજા વીરવિક્રમ અને ભેજના પાકમેથી પ્રખ્યાત થયેલ ઉજજૈન નગરીમાં પૂજ્યશ્રી પધાર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
જ્યાં ક્રિયાનુણાને વિષે પ્રવર્તતી અંધાધુંધીને સાફ કરી, અનેક બાળ ને પ્રતિબધી–સન્માર્ગમાં જોડી તેમને ભાવભીર બનાવ્યા. તેમજ ઉજ્જૈન નગરીના રાજવીને પ્રતિબધી જીવદયાનું યથાર્થતાત્પર્ય ગંભીરપણે સમજાવી જીવહિંસા બંધ કરાવીને રાજાને શ્રાવકધર્મ અંગીકાર કરાવ્યો. આજે વર્તમાનમાં અમુક રાજવીઓ વિવેકની ખાતર કેઈ આચાર્યોના વ્યાખ્યાનોમાં જાય છે અને કામચલાઉ અમુક દિવસ માટે જીવહિંસા બંધ કરવા ફરમાવે છે અને ગુરૂદેવના ગયા પછી પાછી એ જ સ્થિતિ ચાલુ રહે છે.
પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી પાચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ જે રાજવીઓને પ્રતિબોધ્યા છે તે હમેશ માટે એ માર્ગમાં સ્થિર થયા છે. માલવદેશમાં જીવહિંસાને અટકાવવા માટે ઉપર કહ્યા તેવા અનેકવિધ પ્રયત્ન ઉપરાંત પૂજ્યશ્રીએ હજાર નામના કસાઈને જીવહિંસાના કૃત્યથી ઉપદેશવડે મુક્ત કરી તેને દયામય ધર્મ ઉચર.
આમ માલવભૂમિમાં ક્રિયાનુછાને અંગેના અપકૃત્યેને સાફ કરી, અનેક જીવને ઉદ્ધાર કરી, તેમજ જીવહિંસા બંધ કરાવી પૂજ્ય આચાર્ય ભગવાન મેવાડ ભૂમિના પાટનગર ઉદયપુરમાં પધાર્યા. ત્યાં પણ માલવ પ્રદેશની જેમ લોકેને ધમને સાચો રાહ બતાવી પુના પૂજ્યશ્રી જોધપુર નજીક આવી પહોંચ્યા. જંગલખાતાના અફસરને પૂજ્યશ્રીના આગમનના સમાચાર સૌથી પહેલાં પોતાના હંમેશા રિવાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
શ્રીનાગપુરીયતપાગચ્છાધિરાજ શાસનપ્રભાવક પ્રાતઃસ્મરણીય, ૫૦ પૂ. શ્રી ૧૦૦૮ શ્રીમદ્મચંદ્રસૂરીકવરજીની દેરી
................................©....©................
માંડળમાં શ્રી પાર્શ્વ ચંદ્ર ગચ્છના ઉપાશ્રયમાં
સ્થાપિત દાદાની દેરી. તાત્કાલિક વાંછિતલ દાતા,
Page #67
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
મુજબના પર્યટનથી થઈ અને તેણે શહેર તેમજ રાજ્યમાં ગુરૂ આગમનની વધાઈ આપી. જાધાનાથ અને શ્રીસંઘે પૂર દમામથી પૂજ્યશ્રીનું સ્વાગત કર્યું અને ઉપાશ્રયે લાવવામાં આવ્યા.
જોધપુરમાં ગુરૂદેવના આગમન સમયે ભારે દુષ્કાળ પ્રવર્તી રહ્યો હતે. અનેક મુંગા પ્રાણીઓ કાળના જડબામાં હોમાઈ રહ્યા હતા. લેકે ભારે ત્રાસને પામી રહ્યા હતા. તેમણે રાજ જોધાણનાથને કહ્યું કે આપ પૂજ્યશ્રીને વિનંતી કરે તે તેઓશ્રીના પ્રભાવબઇથી અનેક જી ઉગરી જાય એ રસ્તે જરૂર નીકળી આવશે. રાજાએ પિતાની પ્રજાની લાગણીને તુરતજ માન આપ્યું. ગુરૂરાજને વિનંતી કરી પણ ગુરૂદેવ તે મૌન જ રહ્યા. પરંતુ ભકત ભૈરવ ગુરૂ મહિમા અને ધર્મને વિજયડ કે તથા અભયદાનનું ઉત્તમ કારણ જાણી ગુરૂ ધ્યાનબળવડે મેઘવૃષ્ટિ થવાની સિદ્ધિ શરૂ કરી. લોકે પિતાના ઘર તરફ ફર્યા અને સ્વચ્છ આકાશ વાદળોથી ઘેરાવા લાગ્યું. અને જોતજોતામાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ આવવા લાગ્યા, ખૂબ વૃષ્ટિ થવાને કારણે કેટલાક મકાને પડવા લાગ્યા આથી રાજા જોધાણનાથે ગુરૂદેવ પાસે આવી બહુ વિનયપૂર્વક જણાવ્યું કે આપના પ્રતાપે આ દેશના અનેક ને અભયદાન પ્રાપ્ત થયું છે. સુકી ભૂમિ જળ જળાકાર બની છે. અને જેમ વાસ્વામી, વિષગુકુમાર અને આર્યસુહસ્તિસૂરિજીના તપોબળે શ્રીસંઘના કાર્યો કરી આપદાને અંત આયે હતું તેમ આપે અમારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
ચિંતામગ્ન હૈયાને શાંત કર્યા છે. પરંતુ કૃપા કરી હવે સંપૂર્ણ વૃષ્ટિ થઈ છે તે તેને બંધ કરે!
પ્રતાપી ગુરૂરાજે ભક્ત ભૈરવની કરણને સંકેલવાને સંકલ્પ કર્યો કે તુરતજ તે બંધ પડી. આમ આ મહત્, ઉપકારથી મતના જડબામાં ટપોટપ પડતાં જીવ બચી ગયા અને સારાયે દેશમાં આનંદમંગળ પ્રવતી રહ્યો.
લેકમાં એ દ્રઢતાએ વાસ કર્યો કે પૂજ્યશ્રીપાર્ધચંદ્રસૂરીશ્વરજી મહારાજાને પ્રબળપ્રભાવ એ છે કે જેમનાં દર્શન કરતાંજ દારિદ્ર દૂર ભાગે છે, હર્ષને સાગર ઉભરાય છે, પીડાતા જી પરમ આનંદને પામે છે અને સકળ જવાનું હિત થાય છે અને આ શાસન પ્રભાવક પુરૂષના પગલાં જ્યાં જ્યાં પડે છે ત્યાં ત્યાં તે ભૂમિ પાવન થવા સાથે હંમેશા આનંદમંગળ વર્તે છે. આ મહાપુરૂષના યશગાન અને પ્રભાવિકપણાની સ્તુતિઓ ઠેરઠેર થવા લાગી.
એક વાત નિર્વિવાદ છે કે જ્યાં શ્રી જિનરાજ દેવ છે, શાંતિનિધિ ગુરૂ છે, કૃપાસમુદ્ર ધર્મ છે, શુદ્ધ અન્નપાન અને વસ્ત્ર વડે પ્રવર્તન છે, ચિદાનંદ માટે વિલા છે અને જ્યાં ઉપકાર એજ નિત્યકર્મ થઈ પડેલ છે એવા શ્રમણપણને નિહાળીને કલ્પવૃક્ષના લાભની માફક ક્યો માણસ સુખી ન થાય?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
અચિય મહિમાવંત સૂરીશ્વરજીના સદબોધથી મુતગોત્રીય ક્ષત્રી રજપુતનાં રર૦૦ ઘરવાળાઓને પ્રતિબંધ આપવાથી તેઓ મુતગોત્રી પરમ જૈન ધર્માનુરાગી શ્રાવક થયા અને શુદ્ધ ક્રિયાનુષ્ઠાન અપનાવીને ઓશવાળ વંશી ગણાયા.
પૂજ્ય સૂરીશ્વરજી મહારાજાએ મરૂધર (મારવાડ) માં સદુઉપદેશના પ્રતાપે બાવીશ ગેત્રીઓને પ્રતિબોધ આપી જૈનધર્મો કર્યા. તે હાલ સુધી પણ વિદ્યમાન છે જેમના ગોત્રોના નામ નીચે મુજબ છે. ૧ બાંઠીયા
૯ બરડીયા ૧૬ ભણશાલી ૨ દફતરી ૧૦ રાખેચા ૧૭ શ્રીમાલ ૩ બેગવાણી ૧૧ રામપુરીયા ૧૮ ભંડારી ૪ તાતીડ ૧૨ દુગs
૧૯ ટેટીયા ૫ લેઢા ૧૩ મુત ૨૦ ચોધરી ૬ છેરિઆ ૧૪ આંબલીયા ૨૧ સેની ૭ નવલખા ૧૫ ગોગડ ૨૨ ઘડાવત ૮ પટેલ
આમ હજારેને જૈનધમી બનાવતાં, રાજવીઓને પ્રતિબેધતાં પૂજ્યશ્રી પાસે જોધપુરને એક રાજવી કુમાર વેરાગ્યવંત થતાં ચાતુર્માસ પૂર્ણ થયે માતાપિતાની અનુમતિ મેળવી પૂ. સૂરીશ્વરજીના હાથે દીક્ષા અંગીકાર કરી. આ નવદીક્ષિતનું નામ મુનિ ઉદયચંદ્રજી રાખવામાં આવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીપર્ધચંદ્રસૂરીશ્વરજી મહારાજા જોધપુરનું ચાતુર્માસ પૂર્ણ કરી પુનઃ નાગોર નગરે પિતાના ગુરૂદેવ શ્રી સાધુરત્નસૂરિજીનાં ચરણને નમસ્કાર કરી, સુખસાતા પુછી વિશેષ વિનય વૈયાવચ્ચ સાચવી આલોયણ તપ અંગીકાર કરી આનંદ પામ્યા. ગુરૂદેવે શિષ્યના ઉત્સાહની વૃદ્ધિ થાય એવા આશીર્વચન ઉચ્ચાર્યા. પૂજ્યશ્રી ગુરૂદેવ સાથે કેટલોક સમય રહ્યા બાદ બીકાનેર, રતનગઢ, જયપુર, દિલહી, આગ્રા, બનારસ, મુશદાબાદ, રાજગૃહી અને શ્રી સમેતશિખરજી આદિ તીર્થની યાત્રા કરી. રસ્તામાં દરેક સ્થળે શ્રી જિનશાસનની પ્રભાવના કરતાં, જ્ઞાનરૂપી અમૃતનો આસ્વાદ ભવિકજનેને ચખાડતા હતા. એક સ્થળે બે પક્ષે વચ્ચે કેટલીક ધાર્મિક વિચારણાઓ સંબંધમાં મતભેદ ઉભા થતાં તેનું સમાધાન મેળવવા આ શાસ્ત્રવિશારદ સૂરિપુંગવ પાસે તેઓ આવી પહોંચ્યા. સૂરીશ્વરજીએ તેમને શંકાશીલ પ્રશ્નો પૂછવા અને તેના યોગ્ય ઉત્તરે આપવા માટે સહર્ષ જણાવ્યું. પૂછાયેલા તમામ પ્રશ્નોના ઉત્તરે સંતોષ મળતાં બંને પક્ષો વચ્ચેને માન્યતા ભેદ દૂર થ. આમ પૂ. આચાર્ય ભગવાનના જ્ઞાનબળ, તર્કશક્તિ અને શાસ્ત્રોક્તજ્ઞાન જોઈ તેઓ એક બીજા પ્રત્યે કહેવા લાગ્યા કે જૈનાચાર્યો જે સવજ્ઞ પુત્રના બિરૂદનો દાવો કરે છે તે ખરેખર અક્ષરસ સત્ય છે. વિશેષમાં સૂરીશ્વરજીએ કેટલાક અવસ્થાને કરી બતાવ્યા જેથી વિવાદગ્રસ્ત ઉભય પક્ષે આનંદિત થયા.
શ્રી તીર્થકર ભગવંતોએ પિતાની પછી ત્રીજા પર શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
આચાર્ય ભગવાનને શાસનના નાયક તરિકે નિર્માણ કરેલા છે. શાસનને સુસમર્પિત થયેલા આચાર્યો શાસનને જ જીવનમાં ભાવતા હોવાથી ભાવાચાર્ય તરીકે પૂજાવાને લાયક છે. જ્ઞાનાચારાદિ જેવા પાંચ આચારેને જીવનમાં અખંડપણે પાળતા ભાવાચાર્યોને લેકહેરી કદી સ્પશી શકતી નથી. એથી જ એ તારકે ભવ્યાત્માઓને ધર્મના સાચા રસીયા બનાવી શકે છે. ભાવાચાર્યો કહેરીથી પર રહી પંચાચારનું પાલન કરવા અને કરાવવામાં ઉક્ત હોવાને લીધે વિશ્વમાં પોતાની યુગપ્રવર્તાને અબાધિત રાખી શકે છે. આમ સાચા ભાવાચાર્યની કોટિમાં શ્રી પાશ્વચંદ્રસૂરીશ્વરજી મહારાજા પોતાના આધારે રહેનારાઓ ઉન્માર્ગે ન જાય અને સદાય સન્માર્ગમાં જ રહે એની પુરતી કાળજી ધરાવી રહ્યા છે. ભાવાચાર્યો શાસન પ્રત્યેની પોતાની ફરજ અદા કરવામાં પાછી પાની કરતા નથી આમ પૂજ્યશ્રી અનેકને ઉદ્ધાર કરતાં, તવવાદ વડે દિગવિજય કરતાં અનેક અલ્પ સંસારી જીવોને દીક્ષા માર્ગમાં જોડ્યા બાદ કલકત્તા થઈ પણ વિગેરે સ્થળોએ વિચરતાં પૂજ્યશ્રીએ દક્ષિણ ભણી વિહાર લંબા.
અગાઉની આગાહી મુજબ દક્ષિણમાં વિચરી રહેલા પૂજ્યશ્રીના શિષ્યરત્ન મુનિરાજ શ્રી વિજયદેવજીએ ત્રણ વર્ષમાં સવાલાખ ચિંતામણી ગ્રંથનું અધ્યયન કરી પ્રવર પંડિત થયા હતા. એ સમયે બીજાપુર ગામમાં પાંચસો પંડિતે ધર્મચર્ચા માટે એકત્ર થયા હતા, જ્યાં પંડિત પ્રવર શ્રી વિજયદેવ મુનિરાજ પણું આમંત્રણથી પધાર્યા અને વિવાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
દમાં વિજય મેળવી પિતાનું બિરૂદ સાર્થક કરી સર્વને આનંદ આપે, ત્યાંના રાજાએ શ્રી વિજયદેવજીની અદ્ભુત વિદ્વત્તા અને શાસ્ત્રપારંગતપણું જોઈને તેમને આચાર્યપદને અધિકાર સુપ્રત કર્યો. આચાર્ય શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજા સૂરિમંત્રના જાપક બની ધમષ ફેલાવી નાગપુર તરફ પધાર્યા. એ અરસામાં આચાર્ય મહારાજ શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજી ત્યાં પધારતાં શ્રીવિજયદેવસૂરિજી શ્રીસંઘ સાથે ગુરૂદેવને સત્કાર કરવા પધાર્યા અને સામૈયાપૂર્વક તેઓશ્રીને નાગપુર નગરમાં પ્રવેશ કરાવ્યું અને શ્રી સંઘની વિનંતીથી એ સાલનું ચાતુર્માસ ત્યાંજ થયું. ત્યાં શ્રાવક-શ્રાવિકાઓને પ્રતિબધી ધર્મમાર્ગમાં લીન કર્યા.
વિ. સં. ૧૫૪ની સાલથી પૂજ્યજીએ આગમાદિનું સંશોધન કરી કેટલાક નવીન ગ્રંથની રચના કરી મહાન લાભ પ્રાપ્ત કર્યો. ત્યારબાદ પૂજ્યશ્રી પોતાના શિષ્યરત્ન શ્રી વિજયદેવસૂરિજી સહિત ચાતુર્માસ પછી વિહાર કરી ગામેગામ પાવન કરતા અનેક જીવોને ઉન્માર્ગથી બચાવી સન્માર્ગમાં વાળતાં ધમની વૃદ્ધિ કરવા લાગ્યા.
આ વખતે ચિતોડગઢપતિ મહારાણા શ્રી સંગ્રામ સિંહજીની કચેરીમાં ખરતર ગ૨૭, તપગચ્છ, કડવામતિ આદિ એકત્ર થયા હતા. આ કચેરીમાં જંગમયુગપ્રધાન જાણું નાગપુરીયતપાગચ્છાધિરાજને પણ પધારવા માટે રાજાનું આમંત્રણ મળ્યું હતું જેથી પૂજ્યશ્રી ચિતોડ પધાર્યા. ધર્મચર્ચામાં પૂજ્યશ્રીએ ભાગ લઈ વિજય પ્રાપ્ત કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
એકત્ર થયેલા પંડિતે તેમજ અન્યત્ર મેદનીને આનં દિત કર્યા. તેમજ શ્રી આણંદવિમલસૂરીશ્વરજીએ પૂછેલા પ્રશ્નોના સચોટ ઉત્તરે આપી શ્રોતાજનેને મુગ્ધ કરી દીધા હતા.
મહારાણાજીને વાસ્તુશાસ્ત્ર સંબંધી કેટલાક ખુલાસાએ જોઈતા હતા જે આ મહાપુરૂષ પાસેથી સંતોષકારક મળતાં તે અત્યંત સંતુષ્ટ થયા. વિ. સં. ૧૫૯૮ની સાલમાં પૂજ્યશ્રીએ શંખલપુરમાં પગલા પાવન કર્યા. તે સમયે શ્રીમન્નાગપુરીય તપાગચ્છાધિરાજ શ્રીમવિમલસૂરીશ્વરજી બીરાજમાન હતા. તેઓશ્રીએ શ્રીપાર્ધચંદ્રસૂરિજીને સર્વ પ્રકારે ગ્યતાવંત અને ઉત્તમોત્તમ જૈનતત્વપ્રકાશક જાણી આચાર્યોની સમ્મતિ સહ યુગપ્રધાનપદ આપવાની વિચારણા કરી નિશ્ચય કર્યો. શ્રી સંઘને પણ આ પદત્સવ ઉજવવા ઉમીએ થઈ તે માનવા લાગ્યા કે પૂજ્યશ્રી વચનાતિશયવંત વિદ્યમાન છે માટે તે યુગપ્રધાનપદ માટે બરાબર લાયક છે. તે સાથે પૂજ્યશ્રીના સુયોગ્ય શિષ્યરત્ન શ્રી સમચંદ્રજીને ઉપાધ્યાયપદ આપવાને કહા લેવાને પણ નિરધાર કર્યો. શ્રી સંઘે પિતાના આંગણે પત્સવ શરૂ કર્યો.
આ માંગલિક કાર્યમાં પુણ્યપ્રભાવક અને માર્ગાનુસારી શ્રાવક મેઢજ્ઞાતીય શેઠ વિકમશાહ તથા શેઠ સરિશાહ તેમજ શ્રીમાળી જ્ઞાતીય શેઠ હેમાજીના સુપુત્ર ડાસાશાહ અને શેઠ ડબાશાહ, લાલાશાહ, પાશરાજ એ છ ભાગ્યશાળીઓએ અગ્રભાગ લઈ જીવનને સાફલ્ય કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
પર
આ મહેાત્સવમાં ભાગ લેવા માટે ઠેરઠેરથી આમ ત્રણ પત્રિકાઓને માન આપી ભાવિકજના, આચાય મહારાજો, ગીતા પડિતા વિગેરે મેાટા સમુદાય એકત્ર થયા હતા. એ પ્રસગમાં પૂજ્યજીના પ્રતિખાધથી જૈનધમી બનેલા રાજા, મહારાજા, રાણાશ્રી વિગેરે પણ ત્યાં પધાર્યા ડુતા અને શે।ભામાં અભિવૃદ્ધિ કરી હતી. પૂજાએ, પ્રભાવના, સ્વામીવાત્સલ્યાદિ ધમ અને ગુણાનુરાગી કાર્યોની યાત જળહળતી હતી. સત્ર અમારીપડહવજડાન્યા હતા. સુગીતા આચાર્ય શ્રી સાવિમળસૂરિજીના વરદ હસ્તે શ્રીચર્તુવ ધસંધની અનુમતી અને હાજરી વચ્ચે જૈન વિધિ પ્રમાણે પૂજ્યજીને યુગપ્રધાનની અને સમર્ચદ્રજીને ઉપાધ્યાય પદવીએ એનાયત કરવામાં આવી. આ પ્રસંગે યાચકાને દાન, અતિથિને સાજનાદિ વિગેરે અનેકવિધ કાર્યો થયા. આ પ્રસંગની યાદરૂપે અનેક શ્રાવક-શ્રાવિકાઓએ સંખ્યાબંધ વ્રત-નિયમાદિ પચ્ચખાણા ગ્રહણ કર્યો. વિવેકી સજ્જના હંમેશાં સંસારની અસારતા સમજી આવા પુણ્ય મસગા ઉજવવા તન, મન, ધનથી આતઞાત થાય છે.
ત્યારબાદ જંગમયુગપ્રધાન આચાય ભગવાન શ્રી પાર્શ્વ ચંદ્રસૂરીશ્વરજી મહારાજા શિષ્યમાંડળ સાથે સામૈયાપૂર્વક ખંભાત અંદરના ઉપાશ્રયમાં પધાર્યા હતા. આ વખતે આચાય શ્રીવિજયદેવસૂરીશ્વરજીના કાળને નજીક આવત પૂજ્યશ્રીએ જોચે અને આચાય શ્રીને અણુસણુ અદરાખ્યું. થોડાજ સમય બાદ શ્રીવિજયદેવસૂરીશ્વરજી સમાધિપૂર્વ ક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
૫૩
સ્વગે સિધાવ્યા. આમ રાજા મહારાજાને પૂજવા ચેાગ્ય, ન્યાયશાસ્ત્રપાર'ગત, પંડિતપ્રવરશ્રીના પતિપ્રવરશ્રીના દેહાત્સગથી દેહેાત્સગથી પૂજ્યશ્રીને ભારે ખેદ થયા. શાસનના આવા ઝળકતા કેાહીનુર જવાથી કેાને ખેદ ન થાય? આ બનાવ બન્યા બાદ વિ. સ. ૧૬૦૦ની સાલમાં પૂજ્યશ્રી ખંભાતથી વિહાર કરી રાજનગરમાં ભારે ધામધૂમપૂર્વકના શ્રીસંઘના સત્કારથી પધાર્યા. યુગપ્રધાન આચાય ભગવાને પોતાના ધમ વ્યાપારની પ્રખ્યાત પેઢીના વહીવટ ચેાખવટપણે ચલાવી અને હળવાકમી જીવેાને લાભ આપી શુદ્ધ ક્રિયાનુષ્ઠાનવત કર્યા.
ત્યારમાદ શ્રીશત્રુંજયતી કસવાના ભાવથી પૂજ્યશ્રી કાઠિયાવાડ તરફ વિચર્યા અને ત્યાં જઈ શ્રી ગિરિરાજને વંદી અંતરંગમાં ઉચ્ચ ભાવની શ્રેણીમાં તલ્લીન થયા અને ત્યાં લઘુસિ’નિઃસ્ક્રીડિતતપ આર ંભ્યા. કેટલાક સમય ગિરિરાજની શીતળ છાયામાં આત્મધ્યાનયુક્ત વ્યતીત કર્યો બાદ વિહાર કરી ગુરૂજી વાંકાનેર પધાર્યા અને ત્યાં શુદ્ધોપદેશ આપી ભવિ જીવોના ઉદ્ધાર કરી પાટણ નગરે પધાર્યા. ત્યાંથી મરૂધર (મારવાડ) ભૂમિમાં પગલાં પાવન કરી ધમની વિજય પતાકા ફરકાવી. પૂજ્યશ્રીએ બાળસાહિત્યની પણ રચના કરી છે કે જે કાવ્યા ન્હાનકડાં બાળક, ઉલ્લાસપૂર્વક ગાવા સાથે ભાવવાહી પ્રેરણાનું પાન કરી શકે.
વિ. સ’. ૧૬૦૩ ની સાલમાં પૂજ્યશ્રી ધામધુમથી નાગાર પધાર્યા. ભરવાડે મદેશમાં ૩૫૦૦ લાઢાગેાત્રીય મહેશ્વરી ધમ પાળનારાં ઘરા હતા. તેઓ તેમજ ખાંડીયા ગેત્રીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
૫૪
પણ મહેશ્વરી ધમ પરિત્યાગનો ઉપદેશ આપી શુદ્ધ જિનભાષિતધમ અંગીકાર કરાવ્યે . તેમજ વીરમગામમાં વિશાશ્રીમાળી મહેશ્વરી ધમ પાલક કુટુાની શુદ્ધિ કરી શ્રાવક ધમમાં આણ્યા. જેને પિરવાર અદ્યાપિ પર્યંત માજીદ છે. દેશાઈ ઢાકર ચતુર સાત ન્યાતના શેઠ હમણાં સુધી વિદ્યમાન હતા. તે સર્વેને પુનમની ચૈામાસી અને પાંચમનુ` સંવત્સરી પ્રતિક્રમણુ ગચ્છની પર’પરા મુજબ ક્રિયાનુવાદ કરાવ્યા.
એજ સાલ એટલે વિ. સ. ૧૬૦૩ માં પૂજ્યશ્રીને એક ખીજો આઘાત શિષ્યરત્ન શ્રીવિજયદેવસૂરિજીના કાળધમ પછી પાતાના ગુરૂદેવ શ્રી સાધુરત્નસૂરિજીના દેહાત્સગ થી લાગ્યા. નિરંતર ધમ ધ્યાન કરતા અને સદુપદેશવડે ભવિજનેનું કલ્યાણ કરતા, આયુષ્ય મર્યાદા ખૂટતાં તેએશ્રી આ અસાર સંસારને છેડી સ્વર્ગે સિધાવ્યા. આ કાળધમ નિમિત્તે શ્રી સંઘે ભારે ઉત્સાહથી પૂજાએ ભણાવવા સાથે બીજા ધાર્મિક અનુમેાદનીય અનેક કાર્યો કર્યાં.
પૂજ્યશ્રી જંગમયુગપ્રધાન આચાય ભગવાન શ્રી પાર્શ્વ ચદ્રસૂરીશ્વરજી ભગવાનના યથાર્થ જ્ઞાનમળના બહુજ થાડાને ખ્યાલ છે એમ તેએશ્રીએ રચેલા જૈનધમી ગ્રંથા, સ્તવના, સઝાયા, ચૈત્યવદના, સ્તુતિયા, સ્તોત્ર, સૂત્રોના ખળાવાધ વિગેરે અનેકવિધ મનનીય, વિદ્વત્તાશક્તિથી ભરપુર પુસ્તકાની નીચેની નામાવલી પરથી કહી શકાય એમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Podo*C+
~~~
શ્રીમન્નાગપુરીયતપાગચ્છગગનનભામણિ શાસન
પ્રભાવક પ્રાતઃસ્મરણીય ૫૦ પૂ શ્રી ૧૦૦૮ શ્રીમત્પાચ'દસૂરીશ્વરજીની દેરી.
ખંભાત બારપીપળાની ધર્મશાળા પાસે સ્થાપિત દાદાની દેરી.
તાત્કાલિક વાંક્તિલ દાતાર.
580SS
61300
(anaK ytd> —
K< -l
du.com:
Page #79
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
પ
૧ સાધુવંદના
૨૩ સિદ્ધાંત આરાધન ૨ ગોસ્વામીને લઘુરાસ ૨૪ કિયાનુષ્ઠાન વિચાર ૩ ચારિત્ર મનોરથમાળા ૨૫ નિયતાનિયત વિચાર ૪ વીતરાગ સ્તવન
૨૬ સંખ્યાસંખ્યાનંત વિચાર ૫ આગમ છવીસી
ર૭ સિદ્ધાંતોક્ત પંચ પ્રતિ૬ ગુરૂછત્રીસી
કમણ વિચાર ૭ પાખી છત્રીસી
૨૮ બ્રહ્નલિખિત વિચાર ૮ મુહપત્તી છત્રીસી ૨૯ આવશ્યક હેતુગર્ભ શુદ્ધ ૯ ઉત્તરાધ્યયન છત્રીસી
પ્રરૂપણા વિચાર ૧૦ જિનપ્રતિમા સ્થાપના રાસ ૩૦ વિધિવિચાર ૧૧ શત્રુંજય રાસ
૩૧ નિયતાનિયત પ્રશ્નોત્તર
પ્રદીપિકા ૧૨ એષણા શતક
૩૨ કાઉસગ્નના ૧૯ દોષ ૧૩ બંધક રાસ ૧૪ હેટી આરાધના
૩૩ અમરદ્વાસપ્તતિકા ૧૫ નાની આરાધના
૩૪ ગચ્છાચાર પંચાસિક ૧૬ સંક્ષેપ આરાધના
૩૫ નિશ્ચયવ્યવહાર પટું
પંચાસિકા ૧૭ પન્નવણાસૂત્રના ૧૧માં
૩૬ સિદ્ધાંત આરાધન એકે૧૮ ચઉસરણપયન્ના ઉપર
ન ચત્વારિશતિકા વાર્તિક ૩૭ દૂહા શતક ૧૯ જિનપ્રતિમા અધિકાર ૩૮ પૂજા શતક ૨૦ આચારાંગસૂત્ર પર વાતિક ૩૯ વિધિશતક ૨૧ સિદ્ધાંત વિચાર
૪૦ વિવેક શતક ૨૨ પદ્રવ્ય સ્વભાવ ન વિચાર ૪૧ સત્તરભેદી પૂજા વિચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
પ૬ના લાણા
૩૬ લિચ્છા નારાવિ નકા
Page #81
--------------------------------------------------------------------------
________________
૪ર સત્તરભેદી પૂજા વિધિ- ૬૩ શ્રાવક સાધુ રહસ્ય
ગર્ભિત ૬૪ સૂયગડાંગસૂત્ર ઉપર ૪૩ કેશી પરદેશી પ્રબંધ
- વાતિક ૪૪ સંઘરંગ પ્રબંધ ૬૫ ભગવતીસૂત્ર ઉપર વાર્તિક ૪૫ પચ્ચખાણ ભાષ્ય દક પ્રશ્નવ્યાકરણ ઉપર વાતિક ૪૬ સહેણા સ્વરૂપ
૬૭ દશ વૈકાલિક ઉપર વાતિક ૪૭ સમ્યકત્વસ્વરૂપ
૬૮ ઉત્તરાધ્યયન ઉપર વાતિક ૪૮ સિદ્ધાંતસાર
૬૯ સંઘયણુને બાલાવબોધ ૪૯ આગમપ્રમાણપ્રકાશક ૭૦ ગુણસ્થાનકવિચાર બત્રીસી
સમાચારી ૭૧ સંવેગ બત્રીસી ૫૦ ગચ્છસમાચારી
૭૨ વિહરમાન બત્રીસી ૫૧ પૂજા વિધિ
૭૩ અગ્યાર બોલ બત્રીસી પર દીક્ષા વિધિ
૭૪ આત્મશિક્ષા ૫૩ ચોગ વિધિ
૭૫ શ્રાવકપાક્ષિકાદિ અતિચાર ૫૪ ઉપધાન વિધિ
૭૬ પાક્ષિકાદિ ચૈત્યવંદન ૫૫ પિસહ વિધિ
૭૭ વીસવિહરમાન જિનસ્તુતિ પ૬ પંચપ્રતિકમણ વિધિ ૭૮ ચતુર્વિશતિ જિનસ્તુતિ ૫૭ કાળગ્રહણ વિધિ ૭૯ પાર્શ્વનાથ જિનસ્તુતિ ૫૮ શ્રાવક વ્રત શતક ૮૦ જિન ચેત્રીશ અતિશય પ૯ ઉપદેશ રહસ્ય ગીત
ગર્ભિતસ્તવન ૬૦ ગીતાર્થીવબેધકુલક
૮૧ મલ્લિનાથ જિનસ્તવન ૬૧ બ્રહ્મચર્ય દશ સમાધિ
૮૨ સીયામંડન શ્રી મહાસ્થાન કુલક
વીર જિન સ્તવન દર વંદન દેષ બત્રીસ કુલક ૮૩ શત્રુંજય મહામ્ય સ્તવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
પ૭
૮૪ શ્રી સુમતિનાથજન ૧૦૨ શ્રી રૂષભદેવ જિન સ્તુતિ
સ્તવન
૧૦૩ નાગરમંડન શ્રી મહા૮૫ શત્રુંજય સ્તવન
વીર જિન સ્તવન ૮૬ શ્રીચંદ્રપ્રભજિનસ્તવન
૧૦૪ શ્રી મહાવીરજિન સ્તવન ૮૭ શ્રી મહાવીર જિનસ્તોત્ર
૧૦૫ મેડતામંડન શ્રી ધર્મ૮૮ શ્રી રૂષભદેવ જિન સ્તવન
શાંતિ પાર્શ્વજિન સ્તવન ૮૯ શ્રી પદ્મપ્રભ જિન સ્તવન
૧૦૬ કાઉસગના ૧૯ દોષની ૯૦ શ્રી નેમિનાથ જિન સ્તવન
સજઝાય ૯૧ જીવદયાની સઝાય ૧૦૭ ચિત્રકૂટત્યપરિપાટી ૯૨ શ્રી વીરજિન કલ્યાણક
સ્તવન સજઝાય ૧૦૮ પ્રતિક્રમણ વિધિ સક્ઝાય ૯૩ શ્રી જિન પ્રતિમા વંદન ૧૦૯ શ્રી શાંતિનાથ જિન સઝાય
પંચવર્ગ પરિડાર સ્તોત્ર ૯૪ ચેતના રાણીની સજઝાય
૧૧૦ શ્રી વીરજિન વિજ્ઞપ્તિ ૯૫ શ્રી મહાવીર જિન સ્તવન
૧૧૧ ચોવીસ જિન કલ્યાણક ૯૬ શુદ્ધ આણાગર્ભિત શ્રી
બાવની મહાવીર જિન સ્તવન ૯૭ શ્રી આદિનાથજિન વિનંતિ
૧૧૨ અસઝાય સિત્તરી ૯૮ શ્રી જિન પ્રતિમાસ્થાપના
૧૧૩ શીલદીપિકા દ્વિપંચશિકા ૧૧૪ અસઝાય વિચાર ૯ રૂપકમાળ
૧૧૫ ગુણસ્થાનક ચિન્હ ૧૦૦ જીરાવલા શ્રી પાર્શ્વનાથ ૧૧૬ અષ્ટકર્મ વિચાર
જિન સ્તોત્ર ૧૧૭ આઠમપરિહાર સઝાય ૧૦૧ શંખેશ્વર શ્રી પાર્શ્વનાથ ૧૧૮ સામાયિકના ૩ર દોષની
જિન સ્તવન
સજઝાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
૧૧૯ ભગવતીસૂત્રમાં બતા- ૧૩૬ શ્રી અજિતનાથ જિન વેલું ગણિત પ્રમાણ
સ્તુતિ ૧૨૦ ગુરૂપરીક્ષા સઝાય
૧૩૭ શ્રી ચંદ્રપ્રભ જિન સ્તુતિ ૧૨૧ રાજર્ષિકૃત પ્રશ્નોત્તર ૧૩૮ શ્રી વાસુપૂજ્યજિનસ્તુતિ ૧૨૨ દ્રવ્ય વિચાર રૂપ ૧૩૯ શ્રી શાંતિનાથજિનસ્તુતિ
પ્રશ્નોત્તર ૧૪૦ શ્રીમલલીનાથ જિનસ્તુતિ ૧૨૩ જિનાજ્ઞાપાલન સઝાય
૧૪૧ શ્રીનેમિનાથ જિન સ્તુતિ ૧૨૪ શ્રી મહાવીર જિનસ્તુતિ
૧૪૨ શ્રી પાર્શ્વનાથ જિનસ્તુતિ ૧૨૫ શ્રી પાર્શ્વનાથ જિનસ્તુતિ
૧૪૩ શ્રી મહાવીર જિન સ્તુતિ ૧૨૬ પુગલ પરાવર્ત સ્તવન
૧૪૪ શ્રી ચતુવંશતિજિનસ્તુતિ
૧૪૫ શ્રી સીમંધરજિન સ્તુતિ ૧૨૭ નાગરમંડન શ્રી શાંતિ
૧૪૬ શ્રી વીસવહરમાન નાથ જિનસ્તવન ૧૨૮ ચતુર્વિશતિ જિન કલ્યા
જિન સ્તુતિ ૧૪૭ ઓગણત્રીસી ભાવના
ણક સ્તવન ૧૨૯ શ્રી શાંતિનાથ જિનસ્તુતિ
૧૪૮ શ્રી શાંતિ જિન વિનંતિ ૧૩૦ તારંગામંડન શ્રીઅજિ- ૧૪૯ ગુરૂગુણની સજઝાય
તનાથ જિન સ્તવન ૧૫૦ નદીઉતારવિધિ પર ૧૩૧ શ્રી સુમતિનાથ જિન
સઝાય સ્તવન ૧પ૧ ગુરૂ આશાતના તેત્રીસ ૧૩૨
વજન સઝાય ૧૩૩ શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન ૧૫૨ પરદેશી રાજાની સજઝાય ૧૩૪ મિથ્યાત્વ સ્વરૂપ ૧૫૩ સંવરની સઝાય ૧૩૫ શ્રી આદિનાથજિનસ્તુતિ ૧૫૪ અપબહુવિચાર કુલક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
૧૫૫ શ્રી શાંતિનાથ જિન ૧૬૪ શ્રી વિમલ-વાસુપૂજ્ય સ્તવન
જિન સ્તવન ૧૫૬ શ્રી નેમિનાથ જિન સ્તવન ૧૬૫ શ્રી પાર્શ્વનાથજિન ૧૫૭ સમ્યકત્વદીપક દોધકા
ચિત્યવંદન | (સોરઠા) છંદ ૧૬૬ શ્રી જિનેન્દ્ર સ્તુતિ ૧૫૮ શત્રુંજયમંડનશ્રી ૧૬૭ શ્રી વાસુપૂજ્ય જિનસ્તુતિ
આદિનાથજિન સ્તવન ૧૬૮ શ્રી પરમાત્મ સ્તવન ૧૫૯ ઉપદેશ રહસ્ય સજઝાય ૧૬૯ શ્રી પાર્શ્વનાથ જિનસ્તુતિ ૧૬૦ એકાદશ ગણધર સ્તુતિ ૧૭૦ શ્રી મહાવીર ગુણસ્થાન ૧૬૧ આત્મશિક્ષાની સઝાય
સૂચિકા વિજ્ઞપ્તિ ૧૬૨ શ્રી મહાવીરજિન સ્તવન ૧૭૧ શ્રી સિદ્ધાચલ ચૈત્યવંદન ૧૬૩ શ્રી પાર્શ્વનાથજિનસ્તવન
ઇત્યાદિ
આમ સઝાય, સ્તુતિઓ, સ્તવનાદિ ગુજરાતી, સંસ્કૃત પ્રાકૃત વિગેરે ભાષામાં પૂજ્યશ્રીએ મનોગ્ય પુસ્તક લખી જૈનસાહિત્યભંડારમાં અનેકવિધ પુછપને ઉમેરે કર્યો છે. આ બધા પર દ્રષ્ટિપાત કરતાં એ કઈ વિષય ભાગ્યેજ હશે કે જેના વિષે પૂજ્યશ્રીએ કંઈ ને કંઈ ન લખ્યું હોય. જૈનધર્મની ઈમારત ત્યાગના પાયા પર ઉભેલી હોવાથી આત્મિક ઉન્નતિ તરફ દોરી જતાં કમસત્તાનું પ્રાબલ્ય દાખવી એમાંથી કેવી રીતે છુટાય એ વાતનું પ્રકાશન કરતાં ઉપરોક્ત ગ્રંથ અવશ્ય અતિ ઉપયોગી છે છતાં માનવસમાજની સેવા ભાવનાથી પણ અન્ય વિષય પર ગદ્ય-પદ્યમાં સુંદર સાહિત્યનું સર્જન કર્યું છે. આ મહાન પ્રભાવિકપુરૂષે જૈનસાહિત્યનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
સંશોધન કરી તેને પ્રકાશમાં આવ્યું છે. છતાં એ મહાપુરૂષને આજે બહુજ ચેડા ઓળખે છે. પૂજ્યશ્રીમાં સાધુતાને પ્રભાવ હતા, ચારિત્રની શીળી છાયા હતી. વીરતાના પૂજન હતા. ધર્મ અને સંસ્કૃતિને સમન્વય સાધતા એ સામ્રાજ્ય શિરોમણિ મહાપુરૂષે અહિંસા પરમે ધર્મની આણ ચોમેર વર્તાવીને દેશભરમાં જૈનધર્મને એક અજોડ ધર્મ તરીકે સાબિત કર્યો હતો. જેમણે વિવાદમાં અનેક ધુરંધર વિદ્વાનોને મુગ્ધ કર્યા, હઠાગ્રહીઓના મિથ્યાત્વનું ખંડન કર્યું. વાણિજ્ય સંરકૃતિના એ વારસે સરસ્વતીદેવીની અખંડ ઉપાસના કરીને અન્ય સંસ્કૃતિ પર આધિપત્ય જમાવ્યું હતું.
આમ સાહિત્ય શિરોમણિ આચાર્ય ભગવાન શ્રી પાશ્વ ચંદ્રસૂરીશ્વરજીએ સાહિત્યની અજોડ સેવા કરી સંવત ૧૬૦૪ માં વિહાર કરતાં પૂવ આચાર્ય ભગવાન પૂ ઉપા. શ્રી સમચંદ્રજી વિગેરે શિષ્ય સમુદાય સહ જુદા જુદા પ્રદેશમાં વિહાર કરતાં ખાચરોદ મુકામે પધાર્યા. જ્યાં શ્રીસંઘના અતિઆગ્રહથી પૂજ્યશ્રીએ પોતાના શિષ્યરત્ન શ્રી સમરચંદ્રજી ઉપાધ્યાયજીને શુદ્ધ ક્રિયાનુકાન ધારક જાણે પિતાની વિદ્યમાનતામાંજ આચાર્યપદથી વિભૂષિત કર્યા. આથી શ્રી સંઘના ઘેરઘેર આનંદેત્સવ હોય એમ ઉલ્લાસ પ્રગટી નીકળ્યો.
સંવત ૧૫૪૬ થી માંડીને સંવત ૧૬૧૨ લગીના લગભગ ૬૭ વર્ષના અરસામાં પૂજ્યશ્રીએ જુદાજુદા સ્થળોએ ચાતુર્માસ કરી અનેક ભવ્ય જીને ઉદ્ધાર કર્યો છે. તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
શાસનપ્રભાવના કરી છે પરંતુ એ બધી હકીકતથી ગુંથાયેલા પુસ્તકોને જે ભંડાર બીકાનેરમાં હતો તે પર વરસાદનું પુષ્કળ પાણું પડવાથી ભંડારમાંની પ્રતે કાગળના માવારૂપ બની ગઈ. આમ સાહિત્યથી ભરપુર ભંડારની આ શોચનીય દશા જોઈને પૂજ્યશ્રીને ખેદ થયે. પરંતુ કુદરતની ઈચ્છા આગળ ભલભલા લાચાર છે. એથી આજે કેટલીક બાબતોમાં દલીલો ટાંકવામાં કે દાખલા આપવામાં મુશ્કેલી અનુભવવામાં આવે છે. આને કારણે જ પૂજ્યશ્રીના કમવાર ચાતુર્માસ, વિહાર તેમજ માસ-તિથિ આદિમાં જે પ્રકાશ પાડી શકવા ભાગ્યશાળી થઇ શક્યા નથી. એમ છતાં મળેલા સાહિત્ય ઉપરથી પૂજ્યશ્રીના જીવન પર બને તેટલે પ્રકાશ ફેકવાનો પ્રયાસ આ ટુંક જીવનચરિત્રમાં કરવામાં આવ્યું છે.
શ્રી સમરચ દ્રસૂરિજીને પટાત્સવ થયા બાદ પૂજ્યજી લગભગ ૬૮ વર્ષની વયે પહોંચવાથી એકાંતમાં રહી ધર્મધ્યાનમાં વિશેષ તલલીન રહેવાનું વધારે પસંદ કરતા હતા. એ સબબે નાગરના ઉપાશ્રયને લગતી સાત કેટલીઓ કે જે આજે પણ વિદ્યમાન છે. તેની અંદર બેસી પૂજ્યશ્રી પોતાની ધારણા પ્રમાણે કલાકોના કલાકે અને દિવસના દિવસે ગુજારતા હતા અને ચિદાનંદ સુખની લહેરે અનુભવી યુક્ત સમયને સફળતા બક્ષી આત્મધ્યાનમાં મગ્ન રહેતા હતા.
પરંતુ ફરશનાને વેગ પ્રબળ હેવાથી કેટલોક સમય નાગરમાં આત્મધ્યાનમાં ગાળીને પૂજ્યશ્રી જોધપુર શહેરે પધારતાં રાજા જેધાણનાથ અને શ્રીસંઘે આડંબરથી સામૈયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
કર
કરી તેઓશ્રીને શહેરના ઉપાશ્રયમાં બિરાજમાન કરવામાં આવ્યા. ભાવિક ગુરૂભક્તોએ આ વયેવૃદ્ધ ગુરૂરાજની ભક્તિ કરી જ્ઞાનદાન મેળવી તથા શુદ્ધ ક્રિયાનુષ્ઠાન આરાધી અનંત પુણ્ય ઉપાર્જન કર્યું. તેમજ સ ંવત ૧૬૧૨ ની સાલનું ચાતુર્માસ સવેની વિનંતીના પરિણામે ત્યાંજ કર્યું.
આ ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાંજ પૂજ્યશ્રીની પ્રકૃતિમાં ફેરફાર થતા જણાવા લાગ્યા અને દિનપ્રતિદિન તેમાં ઉમેરા થતા રહ્યો. ગુરૂરાજને તે। જાણ થઈ ગઈ હતી કે હવે આ પૃથ્વી પર પેાતાના દેહ લાંબે સમય રહેવાના નથી અને તેઓશ્રી એટલું સચેાટ રીતે જાણતા હતા કે પેાતાને અમુક માસના અમુક દિવસે આ મૃત્યુલોકને ત્યજી પરલેાકગમન કરવાનું છે.
ઉત્તમ ગતિમાંથી આવનાર અને તે તરફ જનાર એ બેઉની રીતભાત પ્રસ’શનીય છે. આવી સ્થિતિ પામવી એ ઉચ્ચ ગતિનુંજ ચિન્હ છે અને જો આવા મહાપુરૂષો સદ્ગતિના ભક્તા ન થાય તેા પછી કાણુ થઇ શકે? એજ પ્રશ્ન છે. આવા જ્ઞાની આત્માએ ક્રિયાના સુમેળ સાધી જગત પર જે પરમ ઉપકારની વર્ષા વરસાવે છે તેને જગત આખુ ઝીલે છે. જળચર, સ્થળચર, વનચર, સર્વે કાઈના હૈયા 'મેશા હર્ષ થીજ ઉભરાય છે.
પરંતુ કાળની ગતિજ ન્યારી છે. તે કોઇને છોડતા નથી. પરંતુ જે મનુષ્યા સમતાભાવે દેહના કષ્ટો વેદીને આયુષ્ય પુરૂં કરે છે તે સદ્ગતિનેજ પામે છે. આપણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
પૂજયશ્રીના જીવનની અંતિમ ઘડીઓ ગણુતી હતી. માગશર સુદ ૩ સંવત ૧૬૧૨ ની કાળરાત્રીની ગણનામાં નિર્માણ થઈ ચુકી હતી અને વિધાતાએ પણ એમનાં દેહાંતસ્થાન તરિકે જોધપુરને લખી રાખ્યું હતું. દેહના અનેક દર્દો છતાં ગુરૂરાજ તેને તાબે થતા નથી પણ અંતિમ આરાધના ધર્મધ્યાનમાંજ તલ્લીન રહીને કરી રહેલા હતા. એ પૂજ્યશ્રીએ એકવાર મેદની સમક્ષ ઉચ્ચાર્યું કે “મારા સ્થળ દેહનો વિરહ થયે થી ઉદાસ ન થતાં. ધર્મધ્યાનમાં મશગુલ રહી મને વિશેષ ધર્મના હિસ્સાને ભાગી કરશે.” અંતિમ વચને ફરમાવી સમાધિપૂર્વક પૂજ્યશ્રી કાળદેવની પથારીને વશ થયા અને દેવલેકના વાસી થયા.
ગુરૂદેવને વિરહ ગુણાનુરાગી જનેને પિતાના સગાસ્નેહીઓના વિરહ કરતાં પણ હંમેશા વધુ સાલે છે. કારણ સગાસ્નેહીઓને તે તે માયાવી સંસાર બંધન માને છે જ્યારે એ માયાવી ભૂતાવળમાંથી મુક્ત કરનાર ગુરૂરાજને તે પોતાના આમેદ્ધારક માનીને પૂજે છે, આમ સમસ્ત જોધપુર વાસીએમાં પૂજ્યશ્રીના કાળધર્મના સમાચારથી ગુરૂવિરહના કારણે ભારે દીલગીરીની લાગણી ફેલાય છે અને જોધપુરવાસીઓનાં ચક્ષુઓ અશ્રુભીનાં બને છે. - પૂજ્યશ્રીના દેહત્યથી હિંદભરના શ્રી સંઘમાં ગમગીનીની લાગણી પ્રગટી નીકળી હતી. પરંતુ નામ તેનો નાશ છે એ વસ્તુને સમજેલ શ્રીસંઘે કાંઈ શોક કરીને થોડા જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
૪
બેસી રહે તેમ હતા ? તેઓએ તે પૂજ્યશ્રીના કાળધમને મહે।ત્સવરૂપ ઉજવી ઠેરઠેર અઠ્ઠાઇ મહાત્સવેા કર્યા અને સ્મારક તરીકે નીચેના સ્થળેાએ સ્થૂલા (પાદુકા સ્થાપન) ઉભા કર્યા જે આજે પણ કેટલાક સ્થળે મેાજુદ છે.
૧ બીકાનેર. ૨ નાગાર, ૩ મેડતા, ૪ પાલી, ૫ સેાજત, ૬ રૂણ, ૭ દેસણુંક, ૮ ભીનાસર, ૯ જોધપુર, ૧૦ બુધનાવર, ૧૧ ચિત્તોડ, ૧૨ ઉજ્જૈન, ૧૩ જયપુર, ૧૪ મુર્શિદાબાદ, ૧૫ આગ્રા, ૧૬ અજમેર, ૧૭ સાબર, ૧૮ રીયાં, ૧૯ પાલીતાણા, ૨૦ માંડલ, ૨૧ વીરમગામ, ૨૨ ધ્રાંગધ્રા, ૨૩ લીંખડી, ૨૪ ઉનાવા, ૨૫ બીજાપુર, ૨૬ અમદાવાદ, ૨૭ ખ’ભાત, ૨૮ રાધનપુર, ૨૯ વાલોત્તરા, ૩૦ ૫ંચ પદરા, ૩૧ તિવરી, ૩૨ બગડી, ૩૩ પટણા, ૩૪ અજીમગંજ, ૩૫ બુરાનપુર, ૩૬ ખાચરાદ વિગેરે સ્થળે તેઓશ્રીની ચરણપાદુકાઓ સ્થાપન કરવામાં આવી.
પૂજ્ય શ્રીપા ચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ જે ઉગ્ર તપ કર્યા હતા તે તપની સમજ આ નીચે ક્રમસર આપવામાં આવે છે. આ સૂત્રેામાં કહેલા તપ છે.
(૧) ભવ્રતપ: આ તપને અંગે ૭૫ ઉપવાસ અનુક્રમે ૧ થી ૫ ઉપવાસેા આવે છે, જે તપ ૧૦૦ દિવસે સ`પૂર્ણ થાય છે. તેમાં ૨૫ પારણાના દિવસે આવી જાય છે. આ તપનું મૂળ કલ્યાણની પ્રાપ્તિ અર્થે છે, “ શ્રી મહાવીરસ્વામી નાથાય નમઃ ગરણું છે. આ તપ સાધુ અને શ્રાવકે કરવાના તપ છે.
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
૬૫
(ર) મહાભદ્રંતપ : આ તપમાં ભદ્રતપથી દિવસેાની વૃદ્ધિ છે. ૧ થી ૭ સુધી ઉલ્ટા સુલ્તા ઉપવાસ અને દરેક ઉપવાસે પારણું કરતાં કુલ ૧૯૬ ઉપવાસ અને ૪૯ પારણાં મળી આઠ માસ અને પાંચ દિવસે (કુલ ૨૪૫ દિવસે) આ તપ પૂરા થાય છે. આ તપનું મૂળ સર્વ વિઘ્નાના નાશ છે.
(૩) ભદ્રોત્તરતપ: પાંચ ઉપવાસથી ૯ સુધી ચડઉતર ઉપવાસ કરતાં કુલ્લે ઉપવાસ ૧૭પ ને પારણાં ૨૫ મળી ૨૦૦ દિવસે આ તપ પૂર્ણ થાય છે.
(૪) સતાભદ્રતપઃ ઉપવાસ અનુક્રમે ૫ થી ૧૧ ઉલ્ટા સુલ્ટા મળી કુલ્લે ૩૯૨ ઉપવાસ અને ૪૯ પારણાં આવે છે. કુલ્લ દિવસ ૪૪૧ થાય છે. આ તપમાં ગરણું વિગેરે ભદ્રતપની પેઠે જાણવું.
(૫) લઘુસિ’નિઃસ્ક્રીડિત તપ : જેમ સિંહ ચાલતાં ચાલતાં પાછળના ભાગ જુએ છે તેમ સિંહનિઃક્રીડિત તપ કહેલ છે તેમાં પ્રથમ ૧ ઉપવાસ ને પારણું, ૨ ઉપવાસ ને પારણું પછી ૧ ઉપવાસ ને પારણું, પછી ૩ ઉપવાસ ને પારણું, પછી ૨ ઉપવાસ ને પારણું એ રીતે આનુપૂર્વી એ તપ કરવા પછી પદ્માનુપૂર્વી એ લેવું. એમ ચાર પરિપાટી કરતાં આ તપ એ વર્ષ અને ૨૮ દિવસે (કુલ ૭૪૮ દિવસે) પુરા થાય છે. એક પરિપાટીના કાળ છ માસ ને સાત દિવસ છે. તેમાં ૧૫૪ ઉપવાસ ને ૩૩ પારણાં આવે છે એટલે એક પરિપાટીના કુલ ૧૮૦ દિવસેા થાય છે. આમાં ફ્ક ના અરિહંતાણું” નુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
ગરણું ગણવાનું છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
(૬) બૃહત્સિહનિસ્ક્રીડિતતપઃ પૂર્વોક્ત રીતે દરેક તપને અંતે પારણું કરવું. આ તપની એક પરિપાટીને કાળ એક વર્ષ, છ માસ ને અઢાર દિવસ થાય છે. તેમાં ૪૯૭ ઉપવાસ અને ૬૧ પારણાં (કુલ ૫૫૮ દિવસ) થાય છે. એમ ચાર પરિપાટીએ કરતાં છ વર્ષ, ૨ માસ અને ૧૨ દિવસે (કુલ રર૩ર દિવસે) આ તપ પૂરે થાય છે. આ તપનું ફળ ઉપશમ શ્રેણીની પ્રાણિરૂપ છે. આ તપ સાધુ તેમજ શ્રાવક બન્નેને કરવાનું છે.
કનકાવલી, મુક્તાવલી, રત્નાવલી, લઘુસિંહનિષ્ક્રીડિત અને આ તપ એમ પાંચે તપે ચાર પરિપાટીએ કરવાના “પ્રવચન સારોદ્ધાર” માં કહ્યા છે. તેમાં ગરણું “ 8 નમો અરિહં. તાણું” ગણવાનું છે.
(૭) સુકતાવલી તપઃ તપસ્વીઓને કંઠના આભરણરૂપ નિર્મળ મુક્તાવલી સમાન હોવાથી આ તપ મુક્તાવલી તપ કહેવાય છે તેમાં સોળ ઉપવાસાદિ સુધી બે આવળીપૂર્વાનુમૂવી અને પશ્ચાનુપવી જાણવી. આ પ્રમાણે ૩૦૦ ઉપવાસ અને ૬૦ પારણાં મળી એક વર્ષે આ તપ પૂરો થાય છે.
(૮) કનકાવલી ત૫ : અનુક્રમે ૧-૨-૩ ઉપવાસે ને ત્રણ પારણું, ૮ છઠું અને આઠ પારણું એમ જુદી જુદી શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ ઉપવાસ ને પારણાં આવે છે. કુલ ૩૮૪ ઉપવાસ અને ૮૮ પારણાં આવે છે. “પ્રવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
ચનસારે દ્ધારમાં કહ્યું છે કે આ તપ ચાર વાર કરવાથી પાંચ વર્ષ, બે માસ અને ૧૮ દિવસે પૂર્ણ થાય છે. “ઝ નમો અરિહિંતાણું” નું ગરણું ગણવાનું છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ઈતિ.
યુગપ્રધાન શ્રીપાર્ધચંદ્રસૂરીશ્વરજી ભગવાનના
જીવનચરિત્રનો ટુંક સારાંશ જન્મસ્થાન –હમીરપુર, આબુતીર્થ પાસે. જન્મ :–વિ. સં. ૧૫૩૭ના ચિત્ર સુદ ૯ શુકવાર. પિતાનું નામ :વેગલશાહ નામશાહ. માતાનું નામ –વિમલાદેવી-વિમળાબાઈ. જ્ઞાતિ –પોરવાડ-વશાપોરવાડ. દીક્ષા –વિ. સં. ૧૫૪૬ના વૈશાખ સુદ ૩. (ઉ. વ. ૯) ગુરૂનું નામ :-શ્રી સાધુરત્નસૂરિજી મહારાજ. અભ્યાસ –શરૂઆતમાં પડાવશ્યક-પ્રકરણાદિ, વ્યાકરણ,
કાવ્ય, કેષ, સાહિત્ય, નાટક, ચંપૂ, સંગીત, છંદ, રસાલંકાર, તર્ક-ન્યાય, ગ, સ્વમતમંડન, પરમતખંડન,
જ્યોતિષ સંબંધી વિવિધ શાસ્ત્રો. ધર્મશાસ–જિનમતના આગમે, પરમતના કૃતિ-સ્મૃતિઓ,
ગણિત, પડ્રદર્શનના તત્વદર્શક સિદ્ધાંતે વિગેરે વિગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
૬૮
ઉપાધ્યાયપદ :—વિ. સ. ૧૫૫૪ના વૈશાખ સુદ ૩, સ્થળનાગાર નગરે, શેઠ સજલાણીગેાત્રીય શ્રી સહસ્રમલજી વિગેરે શ્રાવકાએ આદરેલા અાન્તિકા મહાત્સવપૂર્વક ભારે ધામધૂમથી ઉપાધ્યાયપદ જન્મથી સત્તર વર્ષની ઉંમરે એનાયત કરવામાં આવ્યું.
વિહાર :દક્ષિણ, પૂર્વ, મેવાડ, મારવાડ, માળવા, કચ્છકાઠિયાવાડ, ગુજરાત વિગેરે અનેક પ્રદેશેામાં ઠેરઠેર ઉગ્ર વિહાર કરી રાજા, મહારાજા વગેરે અનેક જીવાને ધર્મમાં લીન કર્યો.
ક્રિયાદ્દાર :— શુદ્ધ સ ંવેગમા ંના સ્વીકાર ) વિ. સ. ૧૫૬૪ માં પૂજ્યશ્રીએ જન્મથી ૨૭મા વર્ષે ક્રિયા ઉદ્ધાર કરી યતિઓએ ફેલાવેલ અંધાધુંધી અને શિથીલાચાર દૂર કરવામાં મહાન યશસ્વી કાળા આપ્યા છે. જીવનચરત્રમાં વર્ણવ્યા મુજખ ૨૨ ગાત્રીઓના ઉદ્ધાર, મહેશ્વરી ધમ માંથી જૈનધમ માં સેકડા ઘરાને સદ્ઉપદેશથી લાવ્યા. જોધપુરનરેશ માલદેવજી,ચિતડગઢનરેશ સ`ગ્રામસિંહજી મહારાણા અને ખંભાતના નવાબસાહેબ ઈત્યાદિ રાજાઓને પ્રતિમાધી પેાતાના પરમભક્ત મનાવ્યા. લેાંકાશાહના ભક્તોને પેાતાના શિષ્ય બનાવ્યા. મેશ્રી, ક્ષત્રીયા અને અન્યદશનવાળાઓને ઉપદેશવડે જૈનમામાં જોડ્યા અને લેાકાને શુદ્ધ ક્રિયાનુષ્ઠાનવ ત સાગ બતાવી શિથિલાચારને ભગીરથ પુરૂષાથ વડે હાંકી કાઢ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
૬૯
આચાય પદ :—વિક્રમ સ. ૧૫૬૫ના વૈશાખ સુદ ૩, સ્થળ જોધપુર. અઠ્ઠાઇ મહે।ત્સવ પૂર્વક શ્રીચર્તુવિધસંઘની હાજરીમાં, જન્મથી ૨૮ વર્ષની ઉમરે અને દીક્ષાથી ૧૯મા વર્ષે આચાય પદ આપવામાં આવ્યું.
યુગપ્રધાનપદ :~સ. ૧૫૯૯ના વૈશાખ સુદ ૩, સ્થળ શ્રી સલક્ષણ (શંખલ)પુર, મેાઢજ્ઞાતીય વિક્રમશાહ, સધરશાહ, નીશા શ્રીમાળીજ્ઞાતીય ડોસાશાહ, ડખાશાહ, લાધાશાહ, પાસરાજ વિગેરેએ હાવા લીધા. આચાર્યાં, પડિતપ્રવા વિગેરે ચતુર્વિધ સંધની હાજરીમાં જન્મથી ૬૨મા વર્ષે અને આચાય પદથી ૩૪મા વર્ષે યુગપ્રધાનપદ એનાયત કરવામાં આવ્યું.
ચમત્કારી કૃતિઓઃ—(૧) ખંભાતમાં કુરબાની માટે લઇ જવામાં આવતી ગાયને અદ્રશ્ય કરી તેને હાંકી જનારાઓને સ્થિર કર્યા. નવાબસાહેબે ક્ષમા યાચતા અને જીવડુંસા પ્રતિબંધ કરતાં સર્વેની મુક્તિ.
(૨) જોધપુર નગરને આંગણે દુષ્કાળથી અનેક જીવા મેાતના જડબામાં હડસેલાઇ રહ્યા હતા. ત્યારે મેઘવૃષ્ટિ થઈ અને સર્વત્ર લીલા લહેર.
(૩) ઉનાવા (ઉંઝા) મુકામે પૂજ્યશ્રી એક મેશ્રી વણિક ગૃહસ્થને ત્યાં ગોચરી અર્થે પધાર્યાં, તે સમયે વણિક ગૃહસ્થની પત્ની છાણા થાપતી હતી. પૂજ્યશ્રીએ ધર્મલાભ કહેતાં ગુસ્સામાં આવીને તેણે પાતાની પાસે પડેલું છાણ પાત્રમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૦
નાંખ્યું. તે લઈને મહાત્મા પિતાના સ્થાનકે પધાર્યા. પાછળથી વણિક ગૃહસ્થને આ વાતની જાણ થઈ એટલે તુરતજ તે પૂ. મહાત્મા સમક્ષ આવી ઉભે રહ્યો અને પિતાની પત્નીના અપકૃત્ય બદલ ક્ષમા યાચી. પરંતુ પૂજ્યશ્રીએ પાત્ર બતાવી કહ્યું કે મારી પાસે તેવી કોઈ વસ્તુ નથી. પણ ભણ્ય વસ્તુજ છે. આ જોઈ-સાંભળી તે ગૃહસ્થ વિસ્મય પામે અને ખરેખર આ મહાત્મા કોઈ દેવીપુરૂષ છે એમ મનમાં ચિંતવવા લાગે અને સારાયે ગામમાં તેને પ્રચાર થઈ ગયો. પૂ. મહાત્માને ઉપદેશ સાંભળી ૫૦૦ ઘરોએ શ્રી જૈનધર્મ અંગીકાર કર્યો.
(૪) રાજનગરમાં સં. ૧૫૭૬ ના પૂજ્યશ્રીના આગમન સમયે મરકીને ભારે ઉપદ્રવ ચાલતું હતું. શ્રીસંઘના ભાઈઓએ આવીને પૂજ્યશ્રી પાસે આ બાબત બહુજ ખેદ સાથે જાહેર કરી. પૂજ્યશ્રીએ દેવીશક્તિના ગે હજારે માણસોને મોતના જડબામાંથી બચાવી લીધા અને મરકીના ઉપદ્રવને શાંત કર્યો. તેથી ભવિક જીવને અતિ હર્ષ થયે.
(૫) પૂજ્યશ્રીના સ્વર્ગવાસ બાદ જોધપુરનરેશ માલદેવજી મહારાજાની ઉપર દિલ્લીના બાદશાહ કાંઈક કારણસર રૂછમાન થઈ સબળ સૈન્ય સાથે આવી જોધપુરની મેર મોરચા માંડી પ્રજાને રંજાડવા લાગ્યું. તે વખતે જોધપુરનરેશે પિતાનાં સબળ સહાયક સ્વર્ગવાસી પૂજ્યગુરૂદેવનું એકાગ્રચિત્ત ધ્યાન ધરી મને બળને મજબૂત બનાવ્યું. એ ધ્યાનની સુરતના બળથી પ્રજરી પેદા થતાં સ્વર્ગવાસી ગુરૂને અરજંટ તાર મળ્યાની પેઠે ભક્તના દુઃખની એક ખબર મળી કે “ભાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
ભીડભંજનમ ! જરા પણ વાર ન કરતા એટલે સાધુવેશે ભક્ત મહારાજાની સન્મુખ આવી પ્રસન્નતાપૂર્વક કહ્યું કે “સેવક! જરાય ચિંતા કરીશ નહિ, સર્વ આફત દૂર થશે. ના મહારાજાએ તયાણા કહી હર્ષથી વંદન કરી વિનવ્યું કે “ભીડભંજન ભગવાન! આપ યે સ્થળે બીરાજે છે?' ગુરૂરાજે કહ્યું કે “ભક્ત ! હું ત્રીજા દેવલોકમાં વસું છું. એટલું જણાવી અદ્રશ્ય થયા અને ના મહારાજા તે સ્વરૂપને હૃદયમાં સ્થાપી આનંદમાં લીન થઈ અહોભાગ્ય માનવા લાગ્યા. બીજે દિવસે ચડી આવેલા દિલ્હીપતિના લશ્કરમાં ગુરૂરાજના પ્રતાપથી ફુટફાટ થઈ ભંગાણ પડયું. બાદશાહી લશ્કરને આગેવાન જીવ લઈ નાઠે કઈ એક બીજાને તપાસવા પણ ન રહ્યા આમ થવાથી જોધપુરનરેશની ગુરૂરાજ ઉપર મહાન શ્રદ્ધા ભક્તિભાવ વ ને ગુરૂરાજની ચરણપાદુકાને મહિમા વર્ણવી આનંદ પામ્યા. તેવી રીતે પૂજ્યશ્રીની જ્યાં જ્યાં ચરણપાદુકાઓ છે ત્યાં ત્યાં ભાવિકભકત ભાવથી પૂજન કરે છે અને તેમની આશાઓ પૂર્ણ થતી જોવામાં આવે છે. એવા મહાપ્રભાવિક પુરૂષ થઈ ગયા છે.
સાહિત્ય સેવા –આ પુસ્તકમાં આલેખાયેલા પૂજ્યશ્રીના જીવનચરિત્રમાં તેઓશ્રીએ ગુજરાતી, પ્રાકૃત, સંસ્કૃત, હિન્દી વિગેરે ભાષામાં જે ૧૭૧ પુસ્તકે ગદ્ય-પદ્યમાં બનાવ્યાની નેંધ મળી છે તે પરથી સૌ કોઈને તેઓશ્રીના અગાધજ્ઞાનની પ્રતીતિ થાય તેમ છે. પરંતુ એ સાહિત્ય વાંચતાં તેને એકએક શબ્દના થતા ભિન્નભિન્ન અર્થો જોતાં ખરેખર આ કૃતિઓ કોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
૭૨
દેવી-ચમત્કારિક છે. એમ ભાસ્યા વિના રહેતું નથી.
વિશિષ્ટ ધર્મભાવનાના કાર્યો અનેક ભવ્ય જીને ઉદ્ધાર કરી શ્રીભાગવતીપ્રત્રજ્યા આપી જૈનશાસનને વિજયવજ ફરકાવ્યો અને અંજનશલાકા પૂર્વક જિનપ્રતિષ્ઠા કરાવી.
શિષ્ય સમુદાય
=
+ ટ
૮
૧ શ્રી વિજયદેવસૂરિજી ૧૪ , , વીરજી ૨ , સમરચંદ્રસૂરિજી ૧૫ પંડિત શ્રી બ્રહ્માજી ૩ ઉ૦ શ્રી દેવરાજજી
હેમરાજજી , જિનરાજજી ૧૭ , માલર્ષિજી. શ્રીસારમુનિજી
ભૂષણચંદ્રજી , , ખેમરાજજી
હરપાલચંદ્રજી » ઉદયચંદ્રજી
મહીપચંદ્રજી છે , હર્ષચંદ્રજી
હેમચંદ્રજી દેવચંદ્રજી ૨૨ ) વાસવચંદ્રજી ૧૦ ) , કુંભકરણજી
હાંપરાજ ૧૧ , , કર્ણરાજજી ૨૪ ,, માલજી > > વરદરાજજી
હામજી ૧૩ , , શ્રીરાજજી ૨૬ , દૂણચંદ્રજી
ર૭ પં. શ્રી કિંકચંદ્રજી આદિ વિદ્વાન ક્રિયાપાત્ર અને ચારિત્રશીલ શિષ્ય-પ્રશિષ્યને સમુદાય હતે. (જેટલાં નામ મળ્યાં તેટલાં અહીં આપ્યાં છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
૨૩
.
Page #98
--------------------------------------------------------------------------
________________
શ્રી પાર્શ્વ ચંદ્રગચ્છના ઉત્તરોત્તર ધુરંધર
આચાર્ય મહારાજાઓ.
SEETSETEST
ઉપરની ડાબી બાજુથી— ' (૧) ૫૦ પૂત્ર શ્રી મરચંદ્રસૂરિજી (૨) ૫૦ ૫૦ શ્રીરાજચંદ્રસૂરિજી છે. નીચેની ડાબી બાજુથી– છે. (૩) ૫૦ પૂ૦ શ્રી વિમલચંદ્રસૂરિજી (૪) ૫૦ પૂ૦ શ્રીજયચંદ્રસૂરિજી [ આ ચાર પ્રતિમાઓ અમદાવાદ-શામળાની પોળમાં મહાવીરસ્વામીના
| દેરાસરમાં મેડો ઉપર બિરાજમાન છે.
v
eya bhandaran, Surat
www.marecyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
મિથ્યાત્વખંડન – ચિત્તોડગઢની અને જોધપુરની રાજસભામાં મિથ્યાત્વીઓના મતનું ખંડન કર્યું. લોકાશાહ નામના મૂતિઉત્થાપક ગૃહસ્થ સાથે વિવાદમાં કદાગ્રહી થતાં છોડી દીધે પણ તેના ૭ ગૃહસ્થ શિષ્યએ પૂજ્યશ્રીના હાથે દીક્ષા અંગીકાર કરીયતિઓ, હઠવાદીઓ અને બીજા અનેક વિદ્વાનેને વાદમાં પરાજય કર્યા. જે તેઓશ્રીના જીવનચરિત્રમાં સવિસ્તર આપેલું છે.
તપસ્યા–રસાવલીતપ, કનકાવલીતપ, મુક્તાવલીતપ, ભદ્રતા, ભદ્રોત્તરતપ, સર્વતે ભદ્રતપ, મહાભદ્રતપ, લઘુસિંહનિઃસ્ક્રીડિતતપ, બ્રહસિંહનિઃ ક્રીડિતતપ, વીસસ્થાનકતા, અષ્ટકર્મસૂદનત૫, વર્ધમાનતપ વગેરે અનેક તપ કરી પૂજ્યશ્રીએ કમને જર્જરીભૂત કર્યા હતાં.
ચાતુર્માસ -સં. ૧૫૪૬ થી ૧૫૬૩ સુધીમાં ૧૮ ચાતુર્માસ
નાગોર, હમીરપુર, બારકેટ વિગેરે સ્થળોએ યતિપણુમાં કરેલાં ત્યારપછી સં. ૧૫૬૪માં કિદ્ધાર કરી-(સંવેગી થયા પછી) જે કે પૂજ્યશ્રીને સંપૂર્ણ સંવતવાર ઈતિહાસ મળી શકતે નથી તે પણ જે મળે છે તેને આધારે નીચે મુજબ ચાતુર્માસ કર્યો સંભવે છે.
સં. ૧૫૬૪ જોધપુર(મારવાડ) '૬૮ ભચાઉ (વાગડ) '૬૫ નાગોર ,
”૬૯ મોટીખાખર કે ”૬૬ બીકાનેર ,
ભદ્રેશ્વર (કચ્છ) '૬૭ રાધનપુર (ગુજરાત) ૭૦ જુનાગઢ(કાઠિયાવાડ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
૭૧ પાલીતાણા ૩૭૨ ધ્રાંગધ્રા
,,
',
'૭૩શ'ખેશ્વર કેરાધનપુર ’૭૪. માંડલ કે વિરમગામ
‘૭૫ પાટણ (ગુજરાત)
’૭૬. અમદાવાદ
૨૭૭ ખંભાત
'૮૦ ખીજાપુર ’૮૧ માંડવગઢ
""
૨૭૮ ઉજ્જૈણ (માળવા)
’૭૯ ખારાદ
'૮૬ જયપુર ’૮૭ દિલ્લી
૩૮૮ આગ્રા
,,
""
'9
""
’૮૨ ઉદયપુર (મેવાડ)
૪૮૩ જોધપુર (મારવાડ)
'૮૪ બીકાનેર
૧૮૫ રતનગઢ
ܪܕ
""
$,
,,
""
'૮૯ અનારસ
'૯૦ મુર્શિદાખાદ
'૯૧ કલ્યાણક ભૂમિ
૪
સમેતશિખર
’૯૨ કલકત્તા
'૯૩ કલ્યાણકભૂમિઅયેાધ્યા
૨૯૪ ખીજાપુર (માલવા)
‘૫ માંડવગઢ
'૯૬ ચિત્તોડગઢ (મેવાડ)
*૯૭ ઉદયપુર
'૯૮ સલખણુપુર
૨૯૯ ખભાત
’૦૩ નાગાર
’૦૪ ખાચરાદ
""
'૧૬૦૦ અમદાવાદ
’૦૧ પાલીતાણા
'૦૨ વાંકાનેર કે ધ્રાંગધ્રા
"9
'૦૫ રતલામ કે ઇંદાર
'૦૬ માંડવગઢ
’૧૦ નાગોર
૧૧ જોધપુર
’૦૭ ઉદયપુર કે ચિત્તોડ
૨૦૮ જોધપુર
’૦૯ નાગાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
૭પ
આ પ્રમાણે ઉક્ત પ્રદેશોમાં ઠેરઠેર ચાતુર્માસ અને ઉગ્રવિહાર કરી અનેક ભવિઓને સન્માર્ગમાં જોડ્યા છે.
કાળધર્મ ઈત્યાદિ અનેક ઉપકાર કરી, છાસઠ વર્ષ સુધી દીક્ષા પાળી, સુડતાલીસ વર્ષ સુધી આચાર્ય પદવી ભોગવી અને તેર વર્ષ સુધી યુગપ્રધાનપદ દીપાવી. સં. ૧૯૧૨ ના માગશર સુદ ૩ ને રવિવારે જોધપુરમાં ભરપચ્ચખાણ અણસણ (આહાર-પાણીના ત્યાગ) પૂર્વક પિતાનું ૭૪ વર્ષ, ૭ માસ અને ૧૪ દિવસનું સર્વ આયુઃ પૂર્ણ કરી સમાધિ સહિત કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા.
પર્વતિથિનું આરાધન. યુગપ્રધાન શ્રીપાર્ધચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ સિદ્ધાન્તાનુસારે ભાદરવા સુદ પંચમીની સંવત્સરી, આષાઢી, કાકી અને ફાગુણી–એ ત્રણ પુનમની ચૌમાશી અને બાર મહિનાની ચાવીસ ચૌદશની ગ્રેવીસ પખી પ્રતિક્રમણ કરવાનું ફરમાવેલ છે. પર્યુષણપર્વ પંચમીના દિવસે કરવું તેને નિર્ણય
શ્રીસમવાયાંગસૂત્ર'ના ૭૦મા સમવાયમાં પ્રથમ આલાપકમાં કહ્યું છે કે તમને મારે મારી વાણા વીણા બાર वइकते सत्तरिएहि राइदिएहिं सेसेहिं वासावासं पज्जोसवेई ।।'
એટલે શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીએ, વર્ષાઋતુના વીશ રિસ સહિત એક માસ વ્યતીત થયે અને સીત્તેર રાત્રિદિવસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
૭૬
શેષ રહે ત્યારે વર્ષાવાસ પ્રત્યે નિવાસ કર્યો (ચોમાસું રહ્યા) અર્થાત્ અષાડ વદ ૧ થી ૫૦ મે દિવસે એટલે ભાદરવા સુદ પંચમીએ પર્યુષણ પર્વ કર્યા અને ભાદરવા સુદ ૬ થી કાતિકી પુનમ સુધી એટલે ૭૦ દિવસ સુધી ગ્ય ઠેકાણે ચોમાસું રહ્યા. માટે સંવત્સરી પ્રતિક્રમણ પંચમીએ કર્તવ્ય છે.
ચતુથીના પયુંષણ કરનાર શ્રી કાલિકાચાર્યના સંતાનીયાએ એ કારણથી અપવાદ ઉત્સર્ગની પરંપરાની માફક દ્રષ્ટિરાગને વશીભૂત થઈ “નિશીથ' માં લખ્યું છે કે–
'सीसो पुच्छति, इयाणिं कहं चउत्थीए अपच्च पज्जोसविज्जति?। आयरिओ भणति कारणिया चउत्थी। अन्जकालगयारिएण पवत्तिया। कहं भंते कारणं? कालगायरियो विहरतो उज्जेणिंगतो, तत्थ वासावासंतरंडिओ, तत्थ नगरिए बलमित्तो राया, तस्स कणिट्ठो भाया भाणुमित्तो जुवराया, तेसि भगिणी भाणुसिरी णाम, तस्स पुत्तो बलभाणू णाम, सोय पगइभद्दविणिययाए साहू पज्जुवासति, आयरिएहिं से धम्मो कहितो, पडिबुद्धो पव्वावितोय तेहिय बलमित्तमाणुमित्तेहि कालगज्जो પકવતે નિશ્ચિત તો તિ' એટલે—
શિષ્ય પૂછે છે કે હાલમાં અપર્વ ચતુર્થીએ સંવત્સરી કેમ કરવામાં આવે છે?
આચાર્યભગવાન–આર્ય કાલિકાચાર્યજીએ કારણે ચોથ પ્રવર્તાવી છે. માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
のの
શિષ્ય—હે ભગવન્ કયા કારણે ?
આચાય ભગવાન્—શ્રીકાલિકાચાય જી વિહાર કરતા કરતા ઉજેણી નગરીએ આવ્યા ને ચેામાસા માટે રહ્યા. ત્યાં ખલમિત્ર રાજા અને તેના નાનેા ભાઇ ભાનુમિત્ર યુવરાજ હતા તથા તેમની વ્હેન ભાનુશ્રી નામે હતી ને તેને પુત્ર ખલભાનુ નામે ડતા. તે સ્વભાવથી સરળ અને વિનયવાન્ હાવાથી સાધુઓની સેવા પર્યું પાસના કરતા હતા. આચાય મહારાજે તેને ચેાગ્ય જાણી ધમ કહ્યો અને પ્રતિષેધ પામવાથી રાજાને પૂછ્યા વિના દીક્ષા આપી દીધી. તે કારણે રાજાએ કાલિકાચાય અને દેશનિકાલ કર્યા.
"
विहरंता पठाइणं णगरं तेण पठित्ता, पइट्ठाणे समण संघस्स य अज्जकालगेहिं संदिहं ' जावहं आगच्छामि ताव तुभ्भेहिं णो पज्जोसवियन्वं तत्थय सयवाहणो राया सोय कालगज्जं एतं सोउं णिग्गतो अभिमुहो, समणसंघोय महया विभूतिए पविठ्ठो । कालगज्जो पविठूठेहिय भणियं भद्दत्रय पंचमीए पज्जोसविज्जति समणसंघेण पडिवन्नं, ताहे रन्ना भणियं तद्दिवसं मम लोगाणुवत्तीए इंदो अणुजारज्जाव्वो होहित्ति, साहूचेति तेण पज्जोसवी ते सेस्सतो छट्ठीए पज्जोसवणा कज्जउ, आयरिएहिं भणियं ण वट्टति पंचमी अतिकामे, ताहे रन्ना भणियं तो अणागय चउत्थीए पज्जोसविज्जति, आयरिएण भणियं एवं भवउ, ताहे चउत्थीर पज्जोसवियं "
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
૭૮
અર્થા–એવા સબલ કારણથી ચોમાસામાં શ્રીકાલિકાચાર્યજી દેશનિકાલ થયા. તેથી ત્યાંથી વિહાર કરી પૈઠાણપુર તરફ ચાલ્યા અને પઠાણપુર નગરમાં પોતાના સંઘાડાના સાધુઓને સંદેશ મોકલે કે જ્યાં સુધી હું ત્યાં ન આવું ત્યાંસુધી તમે રહેવા માટે-(પર્યુષણ) નક્કી કરશે નહિં (એટલે ચોમાસું રહેવા માટે હા પાડવી નહિં) પછી વિચરતાં વિચરતાં શ્રી કાલિકાચાર્યજી મહારાષ્ટ્રના પિઠાણપુરે આવ્યા. ત્યાંના રાજા શાલિવાહન (શતવાહન) તથા શ્રી સંઘે મોટા મહોત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યું. તે વખતે આચાર્યે સંઘને કહ્યું કે “આપણે જેવી રીતે ભાદરવા સુદી પંચમીના દિવસે પર્યુષણ પર્વ કરીએ છીએ તેવી રીતે જ કરવાના
છે, તે વાત સર્વે કબુલ કરી પણ શાલિવાહન રાજાએ કહ્યું કે પંચમીના દિવસે તે અમારે ઈંદ્રયાત્રાને મહત્સવ છે માટે છઠ્ઠના દિવસે આપ પયુંષણ કરે. તે સાંભળી શ્રી કાલિકાચાર્યજી બોલ્યા કે પંચમીનું તે મેરૂ પર્વતની ચૂલિકાની જેમ ઉલ્લંઘન થાય નહિં. ત્યારે રાજાએ કહ્યું કે આવતી ચોથના પર્યુષણ કરે. (તે સાંભળી શ્રી કાલિકાચા વિચાર કર્યો કે-એક દેશમાંથી ચોમાસામાં જ વિહાર કરી મારું અહીં આવવું થયું અને હવે પશુષણ આડા ચારેક દિવસ રહ્યા છે તેથી અહીંથી વિહાર થઈ શકે તેમ નથી માટે રાજા કહે તેમ કરવું ઠીક છે. કારણ કે હવે કઈ ઉપાય નથી એમ જાણી ન છૂટકે) આચાર્ય મહારાજે કહ્યું કે “એમ થાઓ” અપવાદે ચોથના પયુંષણ કરીશું.
વિરે ” એ પાઠથી પંચમીના પહેલા દિવસે કરવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
૭.
કપે. આવા ખાસ કારણથી કારણે ચોથ સ્વીકારી પણ તે ચલાવવાને માટે કરી ન હતી.
નિશીથચૂણી? કાલિકાચાર્યજીના સંતાનીયાએ બનાવી છે પણ શ્રી દેવગિણી ખમાસમણજીની બનાવેલી નથી માટે કાલિકાચાર્ય પ્રથમ થઈ ગયા છે અને ચૂણી તો પાછળથી બનાવેલી છે તેથી તેમાં કાલિકાચાર્યજીને સંબંધ છે. તથા કાલિકાચાર્યજીની કથામાં તે એ ચૂર્ણિથી વિરૂદ્ધ લખેલું છે કે “ભાનુમિત્ર અને બળમિત્ર બન્ને ભાઈ ભરૂઅગ્રના રાજા હતા તેમની બહેન ભાનુશ્રી હતી. તેના પુત્રને વિના પૂછે દીક્ષા દીધી. વળી પુરોહિતની અપ્રીતિથી આચાર્ય દેશબહાર નીકળ્યા છે.” તથા કાલિકાચાર્યની કથામાં લખ્યું છે કે “કાલિકાચયની પાસે નિગદના સ્વરૂપ સંબંધી પ્રશ્ન પૂછવા માટે ઈદ્રમહારાજ આવ્યા હતા એ વાત એમના સંતાનીયાએ લખી દીધી છે તે મહામિથ્યાત્વ છે. કારણ કે વિક્રમાદિત્ય રાજાને ૧૩૫ વર્ષ થઈ ગયા તે પછી શાલિવાહન રાજા થયા છે, તેણે પિતાને શક ચલાવ્યું છે. તે સૌ કઈ જાણે છે.
વીર નિર્વાણથી ૪૭૦ વર્ષે વિક્રમરાજા થયેલ છે. તે પછી શાલિવાહનરાજાના વખતમાં ચોથના પજુસણ કરનારા કાલિકાચાર્ય થયા છે, તે વીરનિર્વાણ ૬૦૫ વર્ષ પછી થયા છે અને “પન્નવણાસૂત્ર”ના કર્તા કલિકાચાર્ય કે જેમનું બીજું નામ શ્યામાચાર્ય હતું તેમને ઈદ્રમહારાજે આવી પ્રશ્ન પૂછ્યા છે, તે આચાર્ય તે વીરનિર્વાણુથી ૩૩૫ વર્ષે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
થયા છે. છતાં એમના સંતાનીયાએ દ્રષ્ટિરાગથી પ્રગટ મિથ્યાત્વ અંગીકાર કરીને ચોથની પુષ્ટી કરવા માટે વીરનિર્વાણથી ૬૦૫ વર્ષ પછી શાલિવાહન રાજાના સમયમાં ચોથની સંવત્સરી કરનાર બીજા કાલિકાચાર્ય થયા છે. તેમને જ ઈદ્રના પ્રશ્નના ઉત્તર આપનારા તરિકે ગોઠવી દીધા છે કે જેથી વાંચનારા ભ્રમમાં પડી જાય. પરંતુ વિચારકને મન તો સત્ય હંમેશાં સત્યરૂપે જ જણાવવાનું. આવા ભ્રમણોત્પાદક ઉલ્ટા-સુટા લખાણો લખી સ્વમતનું શાસ્ત્રોક્ત કથનથી ઉલ્ટી રીતે પિોષણ કરવા જનાર ઉઘાડા પડી ગયા વિના રહેતા નથી.
તથા “તિ ગાલિય પયને” પણ એમનાજ સંતાનીઆએ બનાવેલ છે પણ તે દશ પન્નાઓની અંદર નથી. પરંતુ બીજા સિદ્ધાંતની ગાથાઓ એકત્ર કરી રચેલ છે. તેમાં એક ગાથા લખી નાંખી છે જેને ભાવાર્થ એ છે કે – “વીર નિર્વાણ પછી ૯૪માં કાલિકસૂરિએ ભાદરવા સુદ ૪ પર્યુષણ સ્થાપ્યા-કર્યા.” વળી બીજા ગ્રંથમાં પણ નીચે મુજબ ગાથા લખેલી છે કે–ગદંભીલ રાજાના ઉચછેદક કાલિકાચા પણ થયા છે. એમ “નિશીથચૂર્ણિ” બતાવે છે.
આ રીતે એમના સંતાનીયાઓનાં વચને અજાણની માફક લખેલાં દેખાય છે. વળી લોકોને સમજાવે છે કે જે સર્વ શ્રીસંઘે મળીને ચોથની સંવત્સરી કરી છે”તે તે મહારાષ્ટ્રદેશના શાલિવાહન રાજાને આધીન એ સંઘ હતે. તે સંઘે કબુલ કરી હશે. નહિં કે બીજા સંઘએ. તથા કાલિકાચાર્યજીના સંતાનીયાએ કાલિકાચાર્યને યુગપ્રધાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
માનીને તેણે કબુલ કરી હશે. પણ ભાનુમિત્રની બહેનના દિકરાને તેના પિતાની રજા સિવાય સ્વયમેવ દીક્ષા આપી દેવાથી તે દેશ છોડવું પડશે. ત્યાંથી ચોમાસામાં મહારાષ્ટ્ર દેશમાં પઈડ્રાણ પત્તનમાં આવવું પડયું અને ત્યાં પણ રાજાના કહેવા ઉપરથી પાંચમને બદલે ચોથની સંવત્સરી કરવી પડી. કદાપિ જે તેઓ ચોથની સંવત્સરી નહિ કરતા તે રાજા સાથે અપ્રીતિ થાત ને નવી પીડા ઉપજત. એ સર્વ યુગપ્રધાનની અતિસમયસૂચક વાત દેખાતી નથી. પણ બીજે વર્ષે તે આચાર્ય કાળધર્મ પામ્યા. તે પછી તેમના સંતાનીયાએ તેમની પ્રવૃત્તિની પરંપરા કરી લીધી. અથવા કાલિકાચાર્ય પણ નગરમાં ઘણે કાળ રહ્યા તેથી ચોથની પરંપરા ચાલતી થઈ. તે માત્ર તેમના સંતાનીયા તથા શાલિવાહન રાજાના રાજ્યમાં વસનારાઓએ ચલાવી.
તે પણ બીજા અન્ય ગચ્છવાળા શ્રી સંઘએ પરંપરા ગત ચાલી આવેલી પાંચમની સંવત્સરી કરવી પડતી મૂકી નથી કારણકે પાંચમ છેડીને ચોથ ચલાવવાનું કેઈ કારણ ન હતું એટલું જ નહિં પણ તે શાસ્ત્રાજ્ઞાથી વિરૂદ્ધ હતું. વળી “સર્વ સંઘે ચાથની સંવત્સરી કબુલ કરી” તથા “શ્રીકાલિકાચાર્ય યુગપ્રધાન હતા” એવું જે કહેવામાં આવે છે તેને પુરા કયાંય મળતો નથી એટલે તે મિથ્યા છે. કેમકે કેઈના પુત્રને તેના માતાપિતાની સંમતિ વગર યુગપ્રધાન દીક્ષા આપેજ નહિ એમ શાસ્ત્રકાર મહારાજાએ કરમાવેલું છે. તેથી “આવશ્યક નિયુક્તિની ટીકા” માં શ્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
હરિભદ્રસૂરિજીએ લખ્યું છે કે પૂર્ણ હિના નિષહિયા” તે પ્રથમ શિષ્યનિષ્ફટક કહેવાણા ઈત્યાદિ અનેક જાતના ઉલ્લેખો મળી આવે છે. એ માટે અનાદિકાળથી સંવત્સરી પંચમીની ચાલી આવે છે. અપર્વમાં પસંજ્ઞા અને પર્વમાં અપર્વસંગા કહેવી તે નિશ્ચયે “ ઠાણાંગસૂત્ર”માં મિથ્યાત્વા કહ્યું છે. માટે વિચારકે અને વિદ્વાનોએ આ બાબતને નિશ્ચય શાસ્ત્રાધારેજ મેળવી લેવાની જરૂર છે. અપવાદ એ હંમેશાં અપવાદજ ગણાય છે. માટે હઠાગ્રહ નહિં સેવતાં શ્રી જિનાજ્ઞાનેજ પ્રમાણ માની વર્તાવ કર જોઈએ.
અને જે કંઈ કહે છે કે અમે ચોથ આર્યકાલકાચાયજીની આજ્ઞાથી કરીએ છીએ. તે કાલિકાચાર્યજીએ નગરમાં પ્રવેશતાં એમ કેમ કહ્યું કે ભાદરવા સુદ ૫ નાં પર્યુષણ છે ને સાધુઓએ પણ તે વાત કબુલ કેમ કરી? આ બાબતમાં સત્ય હકીકત એ છે કે ચેાથને આદેશ રાજાએજ કરાવ્યો છે પણ આચાર્યશ્રીને આદેશ તે પાંચમને જ ચૂર્ણિકારે લખ્યું છે. વળી ચૂર્ણિકારે કાર્તિકી પૂનમની ચેમાસી કર્યા પછી એકમના દિવસે વિહાર કરવાની આજ્ઞા આપેલી છે.
આ ઉપરથી સમજી શકાય કે ચૂર્ણિકાર પિતે ચોથને અપર્વ કહે છે. ને અપર્વમાં પર્યુષણ કરાયજ નહિં અને કરે તે પ્રાયશ્ચિત કહ્યું છે. માટે પર્વમાંજ શ્રીપર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
કરાય એમ ખુલ્લી રીતે (૧) “ નિશીથસૂત્ર” (૨) “નિશીથચૂર્ણિ” (૩) “કલ્પનિર્યુક્તિ” (૪) “સમવાયાંગસૂત્ર” ટીકા (૫) “કલ્પચૂર્ણિ” (૬) દશાશ્રુતસ્કંધસૂત્ર” તથા તેની ચૂર્ણિ (૭) હરિભદ્રસૂરિકૃતિ પંચાસક –ટીકા, વિગેરેમાં પર્વના દિવસે પર્યુષણ પર્વ કરવાના કહ્યા છે.
ચોમાસી-નિર્ણય ચોમાસી પૂનમને શાસ્ત્રકારે કહે છે. કેઈપણ શાસકારે ચૌમાસી ચૌદશે કહી નથી. અને જે કઈ ચતુર્દશીને ચાતુર્માસી કહે તે તે શબ્દશાસ્ત્ર (વ્યાકરણ) થી તથા ધર્મશાસ્ત્રથી વિરુદ્ધ છે. કારણ કે શબ્દશાસ્ત્રમાં શબ્દશાસ્ત્રકારે તથા ધર્મશાસ્ત્રમાં ધમ શાસ્ત્રકારે તેવી રીતની હકીકત કેઈપણ સ્થળમાં કેઈપણ શાસ્ત્રકારે બતાવી નથી. માટે ચાદશને ચામાશી કહેવી તે શાશ્વસંમત નથી પણુ પૂર્ણિમાને ચાતુર્માસી કહેવી એ શાસકંમત છે. તે આ પ્રમાણે –શ્રીહેમચંદ્રાચાર્ય સિદિમિષાનોપરાનુરાસનવૃત્તિમાં પ્રતિપાદન કરે છે કેचतुर्मासानान्नि ।६।३।१३३॥ चतुर्मासशब्दात्तत्र भवेऽणप्रत्ययो भवति । नानि-समुदायश्चेभाम भवति । चतुर्दा मासेषु भवा चातुर्मासी-आषाढी कार्तिकी फाल्गुनी च पौर्णमासी भण्यते ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
એટલે છઠ્ઠા અધ્યાયના ત્રીજા પાદનું ૧૩૩મું એ સૂત્ર છે. તેને અર્થચતુર્માસ શબ્દથી ત્યાં (સંજ્ઞામાં) પ કલ્યય થાય છે. સમુદાયથી જે કેઈની સંજ્ઞા થતી હોય તે ચાર મહીને ચૌમાસી કહેવાય. તે કોની સંજ્ઞા છે? તે આચાર્ય બતાવે છે તે ચૌમાસીને આષાઢી, કાર્તિકી અને ફાલ્ગની પૂનમ (ની સંજ્ઞા) કહેવાય છે. માટે પૂનમને ચોમાસી કહેવી તે શાશ્વસંમત છે. આ વ્યાખ્યા સ્વસમયવતી આચાર્ય મહારાજે કરી છે.
વળી જિનીયાજાળ (સિદ્ધાંત મુવી)ની જરિાત્તિમાં પરસમયવતી આચાર્ય આ પ્રમાણે વ્યાખ્યા લખે છે'संज्ञायामण वक्तव्यः'-चतुषु मासेषु भवा चातुर्मासी-पौर्णमासी ગાષા તિજો જાપુની તથા તેવીજ રીતે કોમુદીકારે તવિતાન્તર્ગwયમાં આ પ્રમાણે વ્યાખ્યા કરી છે'संज्ञायामण'-चतुर्यु मासेषु भवति सा चातुर्मासी-आषाढी ગાપદનક્ષત્ર મારી એ વાતિકસૂત્ર છે. ચતુમસ શબ્દથી સંજ્ઞામાં રજૂ કલર થાય છે એમ કહેવું જોઈએ. ચાર મહીને ચૌમાસી કહેવાય અને તે પૂનમની સંજ્ઞા છે; તે પણ કઈ પૂનમ લેવી? તે માટે કહે છે કે (વૃદ્ધિ–ક્ષય વિનાની તિથિ નક્ષત્રસહચારિણી હોય છે માટે) પૂર્વી કે ઉત્તરાષાઢાનક્ષત્રયુક્ત આષાઢી પૂનમ, કૃતિકાનક્ષત્રયુક્ત કાર્તિકી પૂનમ અને પૂર્વી કે ઉત્તરાફાલ્ગનીનક્ષત્રયુત ફાલ્ગનીપૂનમ એ ત્રણ પૂનમનેજ વાલી તરીકે શબ્દશાસ્ત્રકારોએ સિદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
કરી છે પણ ચૌદસને સિદ્ધ કરી નથી.
વળી ધર્મશાસ્ત્રમાં ધર્મશાસ્ત્રકારોએ પણ ત્રણ પૂનમની ચોમાસી કહી છે. તેનું ફરમાન શ્રીપાત્ર અને તેની વૃત્તિમાં શ્રાવકાધિકારમાં આ પ્રમાણે કર્યું છે – “વારિદ્ધિપુનમણિ તેની ટીકા-રષ્ટિચાदिषु तिथिपदिष्टासु महाकल्याणिकत्वेन प्रसिद्धासु तथा पौर्णમાલીપુ તુમતિલિબ્રિજા એટલે ચૌદશ, આઠમ અને પૂનમ-ચૌમાસીની ત્રણ પૂનમ તથા કલ્યાણક તિથિ એ પર્વ વગેરે પવિત્ર તિથિએ-ઇત્યાદિ ધર્મના દિવસેમાં શ્રાવકે પૌષધવ્રત સ્વીકારી શ્રાવકધર્મને આરાધે છે. એવીરીતે ત્રણ પૂનમની ચામાસી ‘સૂયગડોગ”, “ભગ વતી”, “ઉત્તરાધ્યયન આદિ સૂત્રોની ટીકામાં બતાવી છે. માટે ભવ્યજીએ ત્રણ પૂનમની ચૌમાસીની અવશ્ય શ્રદ્ધા કરવી જોઈએ.
આવી રીતે શબ્દશાસ્ત્રી અને ધર્મશાસ્ત્રથી સિદ્ધ થયેલી ચૌમાસી ત્રણ પૂનમની છે. છતાં જે કંઈ સ્વમતાગ્રહી તે સત્યવાતને કબુલ નહિ કરે તે તેને પરાણે કણ મનાવી શકે? જાગતે સુઈ રહે તેને ઉઠાડવામાં કેણુ સમર્થ થાય? માટે જે તત્વગ્રહણ કરવાની ઈચ્છાવાળે, સત્યની બેજ કરનારે, ભવલીરૂ તથા જિનમણુતસૂત્રને આરાધક આત્મા હશે તે તે આપોઆપ શોધ કરી સત્યવાતને અંગીકાર કરશેજ. એ વિષે અમારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
૮૬
કાંઈપણ આગ્રહ નથી. કેઈપણ જિજ્ઞાસુ પૂછે તેને શુદ્ધ ને સત્ય માર્ગ બતાવજ જોઈએ. પછી કરે ન કરો તે મરજી ઉપર છે. પણ સંસાર સમુદ્ર તરવા માટે જૈનદર્શનને મળી પાયે બોધિ-(સમકિત) હેવાથી મુમુક્ષુ આત્માઓ કારણ વશાત્ કદાચ અમલમાં મૂકી ન શકે, તે પણ તેઓ સત્યની સદહણ-શ્રદ્ધા જરૂર કરશે કારણકે “મારું તે સાચું નહિ પણ સાચુ તે મારું એ સિદ્ધાંતને તેઓ માનનારા હોય છે.
પાક્ષિક–નિર્ણય
કેટલાક કહે છે કે પાખી ચૌદસે કરવી, ત્યારે કેટલાક કહે છે કે ના, પાખી તે પુનમ-અમાસે કરવી. આને નિર્ણય તે પ્રવચન-ધર્મશાસ્ત્રથી થઈ શકે. પંદર દિવસે પક્ષપખવાડીયું કહેવાય છે તે કાળસ્વરૂપ છે. શ્રીજિનરાજે શ્રાવકને પૌષધ કરવા સારૂ પાખી ફરમાવી છે, તેમાં દિવસે ન ગણવા. પક્ષે પાખી, ચાર માસે ચામાસી અને સંવત્સરે સંવત્સરી કહેવાય. પણ પાંચ દિવસે પાખી, દશ દિવસે સંવત્સરી અને પક્ષે ચૌમાસી તે નજ કહેવાય. છતાં જેઓ દ્રષ્ટિરાગ ન મૂકશે તેઓ સત્યવચન ચૂકશે. એક તરફથી શાસ્ત્રનું નામ લેવું ને બીજી તરફથી દિવસે ગણવા એનું શું કારણ? માટે ચૌદશને પર્વતિથિ જાણું પિષધ કરો અને દિવસ ગણવાને ભ્રમ ટાળવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
જે તિથિ (ની ઘડી–પણ)માં સૂર્યોદય થાય તે તિથિ આખે દિવસ ગણાય અને એ ઉદયિકતિથિને પ્રમાણ કરવી પણ આથમતી તિથિને પ્રમાણ ન કરવી એમ ‘ચંદપન્નતિ, સૂરપન્નત્તિ ઉપાંગ તથા ભગવતી' આદિ સૂત્રોમાં ફરમાવ્યું છે. માટે ઉદયિક તિથિને પ્રમાણ કરી પર્વતિથિ આરાધવી. ગોપવિત્ત માં ગત અવ્યય છે. અને તેને અર્થ “મધ્ય–અંદર-વચ્ચે ” એ થાય છે. તેથી વાત એટલે પખવાડીયાની અંદર અર્થાત્ ચૌદશ જાણવી પણ ઘર એટલે એકમ તે પક્ષનું ધર અને પન્નરસી તે પક્ષને છેડે અર્થાત્ પૂનમ-અમાસ જાણવી નહિ.
જેમ રાઈ વખતે દેવસી અને દેવસી વખતે રાઈ પડિમણુ ન કરાય, તેમ પાણીના દિવસે ચૌમાસી અને ચૌમાસીના દિવસે પાખી પડિમણ પણ ન થાય. માટે જ ધર્મશાસ્ત્રોમાં પાખી ચૌદશે અને ચૌમાની પૂનમે કરવાનું ફરમાવેલ છે. આમ કરવાથી ચૌદશે પાખી પડિકમણુ મૂકાય નહિ અને પૂનમે ચૌમાસી કરવાથી ત્રણ પાખી પડિકામણ પણ ચૂકાય નહિ. એટલે વારત માતાળ રબ્રિીપબવાળ એ પાઠ પ્રમાણે બાર માસે ચોવીસ પાખી અને ત્રણ ચૌમાસી પડિકમણાં થાય. પણ શું આ ફરમાનને તપગચ્છીય, ખરતરગચ્છીય અને આંચલગરછીય ચતુર્વિધ સંઘ માન આપે છે?
વળી ધર્મશાસ્ત્રકારોએ અષાડી, કાર્તિકી અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
८८
ફાલ્ગુની એ ત્રણ પૂનમેાને પણી કહી છે અને તે માસની સુદ ૮ થી સુદ ૧૫ સુધીની અઠ્ઠાઈ ફરમાવી છે.
તથા પાખીના તપ ચૌદશે, ચૌમાસીનેા તપ ચૌદશ–પૂનમે અને સ’વત્સરીના તપ ભાદરવા સુદ ૩૪–૫ મે કરવાનુ ફરમાવેલ છે. આ સર્વ શ્રમણસ ઘાના खायार छे.
पर्वतिथि - मंतव्य
जे तिथिमें रविसंक्रमे, ते तिथि उदयिक जाण । आखो दिन तेहनो गणो, धर्मकाज मन आण
घटतां तिथि पूरव ग्रहो, वधतां आगळ जाण ।
पर्व तिथि विचारणा, इणिपरे मनमें आण पडवाथी अट्टम दिने, आठम उत्तम जोइ ।
गइ पाखीथी आवती, पाखी पक्षे होइ अंतोपख्खस्स जाणवो, अंतो मध्य विचार ।
पूनम पहेलो दिडो, पाखी चौदस सार
॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
॥२॥
॥३॥
॥४॥
आठम त्रुटे सातमीए, आठम करवी होय ।
जो आठम दिन वे हुवे, तो बीजी आठम जोय ॥५॥ चौदस घटतां तेरसे, पाखीपर्व आराह ।
बे चौदस थातां थकी, बीजीए पाखी थाय
॥६॥
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
चउमासी पूनम घटे, पाखी तेरसे देह । __ चउदस दिन चौमासनु, पडिकमणु विरतेह ॥७॥ चउमासो पूनम वधे, चौदस पाखी धार । पहेली पूरी पूनमे, चउमासु संभार
॥८॥ चउमासी चौदस वधे, बीजीए पाखी थाय ।
पूनम दिन चौमासनु, पडिकमणु कर भाय ॥९॥ चौमासी चउदस घटे, तेरसे पाखी साध ।
पूनम दिन चउमासनु, पडिकमणु आराध ॥१०॥ जो घटे संवच्छरी, तो चोथे पंचमी जोय । जो दिन पंचमी बे हुवे, तो प्रथम पजूसण होय ॥११॥
उपाध्याय श्री मेघराजजी कृत
'साधुसमाचारी' माथी પર્વતિથિને નિર્ણય જોધપુરીય પંચાંગમાં
(૧) જે ભાદ, સુદ ૫ ને ક્ષય હોય તે ચેાથે પાંચમ ગણવી એટલે ચેથને ક્ષય કરે કારણ કે ચૂથમાં પાંચમને અંશ આવે છે. વળી ભા૦ સુ૫ બે હોય તે પહેલી પાંચમે સંવછરી કરવી અને બીજી પાંચમને છઠમાં ગણવી એટલે બે છઠ્ઠો કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
(૨) સુદમાં કે વદમાં ચૌદશને ક્ષય હોય તેરસે ચૌદશ કરવી એટલે તેરશને ક્ષય કરો. કારણ કે તેરશમાં ચૌદશને અંશ આવે છે.
(૩) સુદમાં કે વદમાં બે ચૌદશ હોય તે પહેલી ચૌદશ ને તેરશમાં ગણવી એટલે બે તેરશે કરવી અને બીજીને ચૌદશ માની આરાધવી.
(૪) પુનમને કે અમાસને ક્ષય હોય તે તેરશે ચૌદશ અને ચૌદશે પુનમ કે અમાસ કરવી એટલે તેરશને ક્ષય કરે.
(૫) બે પુનમે કે બે અમાસે હોય તે બીજી પુનમ કે અમાસને એકમમાં ગણવી એટલે બે એકમો કરવી પણ બે તેરશે નહિ કારણ કે જેમાં જેને અંશ આવે તેમાં તે તિથિ મનાય છે. બે એકમે કરવાથી ઉદયવાળી ચૌદશ આરાધી શકાય છે અને બે તેરશ કરવાથી ચૌદશ તિથિ વિરાધાય છે માટે બીજી પુનમ કે બીજી અમાસને એકમમાં ગણવી એટલે બે એકમે કરવી.
બાકીની તિથિઓ જેમ કરીએ છીએ તેમ કરવાની છે એટલે
બે બીજ હોય તે બે એકમ કરવી. બે પાંચમ હોય તે બે ચોથ કરવી પણ સંવછરીની હોય તે બે છઠ્ઠ કરવી.
બે આઠમ હોય તે બે સાતમ કરવી. બે અગ્યારસ હેય તે બે દશમ કરવી. બે ચૌદશ હોય તે બે તેરશ કરવી.
બે પુનમ હોય તે બીજી પુનમને એકમ કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
બે અમાસ હોય તે બીજી અમાસને એકમમાં ગણવી.
બીજને ક્ષય હોય તે એકમને, પાંચમને ક્ષય હેય તે ચોથને, આઠમને ક્ષય હેય તે સાતમને, અગ્યારસને ક્ષય હોય તે દશમને, ચૌદશને ક્ષય હોય તે તેરશને ક્ષય કરો. પણ ચૌમાસી પુનમ ઘટે તે તેરશે પખી અને ચૌદશે ચૌમાસી પડિક્કમણું કરવું એટલે તેરશને ક્ષય કરે.
સવ- જૈનપંચાંગ ના અભાવે જાતિષશાસ્ત્ર મુજબ “જૈનેતર પંચાંગ માં વાસ્તવિક જે તિથિઓ હોય તેજ માનવી જોઈએ છતાં આમ તિથિઓમાં ફેરફાર કરવાનું
શું કારણ
તદિની આરાધના કરી પર્વતિથિએ
જ–પર્વતિથિની આરાધના કરવા માટે. જે પંચાંગ મુજબ બે આઠમ કે બે ચૌદસ વગેરે બબ્બે પર્વતિથિઓ રાખવામાં આવે તે ગૃહસ્થ ભ્રમમાં પડી જાય અને કહે કે અમારે પૌષધવત તથા બ્રહ્મચર્યાદિ નિયમોનું પાલન કઈ તિથિએ કરવું? એવી શંકાઓ થતાં મતભેદ ઉભા થાય અને જૈનસંઘની ઐકયતામાં ભંગાણ પડે માટે તે ન પડે પણ ઐક્યતા ભ્રાતૃભાવ વગેરે કાયમ રહે ઈત્યાદિ કારણે જેનેતરે પંચાંગમાંથી તિથિઓને ફેરફાર કરવી પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
પાટપરંપરા જગવંદ શાસવિશારદ શાસનપ્રભાવક યુગપ્રધાન આચાર્ય ભગવાન શ્રી ૧૦૦૮ શ્રીપાચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પાટે આચાર્ય ભગવાન્ શ્રીસમરચંદ્રસૂરીશ્વરજી થયા. ત્યારપછી ઉત્તરોત્તર શ્રીરાજચંદ્રસૂરિજી, શ્રીવિમલચંદ્રસૂરિજી શ્રીજયચંદ્રસૂરિજી, શ્રીપદ્મચંદ્રસૂરિજી. શ્રીમુનિચરિજી(બીજા), શ્રીનેમિચંદ્રસૂરિજી(બીજા), શ્રી કનકચંદ્રસૂરિજી, શ્રી શિવચંદ્રસૂરિજી, શ્રી ભાનુચરિજી, શ્રીવિવેકચરિજી શ્રીલબ્ધિચંદ્રસૂરિજી, શ્રી હર્ષચંદ્રસૂરિજી ધર્મમૂતિ આચાર્ય શ્રીહર્ષચંદ્રસૂરીશ્વરજીના અનેક શિખ્યામાં ત્રણ શિષ્યની પરંપરા.
શ્રી હેમચંદ્રસૂરિજી શ્રી કુશલચંદ્રગણું શ્રી મુકિતચંદ્રગણું
શ્રીદેવચંદ્રસૂરિજી મુ. ખુશાલચંદ્રજી શ્રીભ્રાતૃચંદ્રસૂરિજી યતિશાખા
વગેરે આ પૈકી આઘમહાપુરૂષ સંવેગરંગરંગિત આત્મા શ્રી કરાલચંદ્રજીગણીનું ટુંક જીવન વૃત્તાંત ભવિઓના હિતાર્થે અત્રે રજુ કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
સમતાસાગર મુનિગણમુકુટાયમાન શાન્તસુધાકર ચારિત્રચૂડામણિ શ્રીકુશલચ'દ્રષ્ટગણિવર મહારાજ
જન્મ સ૦ ૧૮૮૪ કાડાય ( કચ્છ ) દીક્ષા સં૦ ૧૯૦૭ કા૦ વદ ૧૩ પાલીતાણા સ્વર્ગવાસ સ. ૧૯૬૯ ભા. સુદ ૧૦ કાડાય (કચ્છ)
.....···············*****
................
Page #121
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
શાંતમૂર્તિ શ્રીકુશલચંદ્રગણિવર
આપણા ગચ્છના આ આઘમહાપુરૂષે જ્ઞાન અને ક્રિયા સુમેળવાળી સાધનાને પ્રચાર કરી અનેક ભવી અને સન્માર્ગમાં જોડ્યા છે. કારણું શાસ્ત્રકાર મહારાજાએ ફરમાવે છે કે “એકલા જ્ઞાનથી કે એકલી કિયાથી મોક્ષની પ્રાપ્તિ શક્ય નથી પરંતુ જ્યારે જ્ઞાન કિયામાં પરિણમે છે અને સમ્યજ્ઞાન, દર્શન ને ચારિત્રને ત્રિવેણી સંગમ થાય છે ત્યારે જ આમા મોક્ષના ચિંતવનમાં એકાકાર બને છે અને કર્મો ખપાવતે ભવબંધનને તેડતે સિદ્ધશીલાએ પહોંચવા ભાગ્યશાળી થાય છે. આવા મહાત્માઓ હંમેશાં જીવનભર બ્રહ્મચર્ય વ્રતને પાળનારા હોય છે. બ્રહ્મચર્ય એ એવું વ્રત છે કે જેને શાસકાર મહારાજાઓએ જગતમાં એ વ્રતને દીપકની-સમુદ્રની ઉપમા આપી છે આ વ્રત પાળનારમાં બીજી આત્માની અનંત શકિતઓ સ્વયં પ્રગટે છે અને એ પ્રગટવા સાથે પોતે જગતમાં ફેલાચેલ ધર્મ વિષેના અંધકારને ફેડવા શક્તિમાન થાય છે અને જેણે બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું તે જગતના માહમાયા ને મમત્વ પર આધિપત્ય સ્થાપે છે.
શીશલચંદ્રજી ગણીમાં એવી મહાન શક્તિઓને સંચાર થઈ ચૂક્યું હતું કે તેઓશ્રીએ બાલ્યકાળથી જ પિતાને પ્રભાવ જૈન સમાજમાં પાડ્યો હતો. તેઓશ્રીએ મુખ્યત્વેકરીને ક્રિયાનુષાને વિષે ફેલાયેલી લૌકિક આચારશ્રેણીને દૂર કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
શ્રીજિનેશ્વરદેએ ભાખ્યા મુજબના સન્માર્ગમાં હજારે આત્માઓને જેડી મહદ્ ઉપકાર કર્યો છે.
આવા ગચ્છનાયક શ્રી કુશલચંદ્રજી ગણીને જન્મ સં. ૧૮૮૪માં કોડાય (કચ્છ)માં થયો હતો. પિતાનું નામ જેતસીભાઈ અને માતાનું નામ ભમઈબાઈ હતું. માતપિતાના સંસ્કારના સિંચનથી શ્રી કુશલચંદ્રજીમાં અનેક વિધ ધર્મસંસ્કારોના બીજ રોપાયા. માતપિતા જે પુત્રને તેના આત્મહિતને સાચે રાહ દાખવે તે જૈન ધર્મમાં અનેક આત્માઓ તરી જાય અને કુળને અજવાળે. પરંતુ આજે જૈનમાતપિતા જેટલી પોતાના બાળકની વ્યવહારિક કેળવણીને કુશળતા માટે કાળજી ધરાવે છે તે પૈકી જે અંશમાત્ર પણ ધર્મમાગમાં સ્થિર કરવાની પ્રવૃત્તિ અંગે ધરાવે તે આજે જૈન સમાજમાં ધર્મની જાહેજલાલી પ્રગટી નીકળે.
છેવટે સંસારની અસારતા વિષે પૂજ્ય મુનિરાજોના સંસગથી ગ્ય જ્ઞાનની પ્રાપ્તિ થતાં તેઓશ્રી પગે ચાલીને બીજા ચાર સાથીઓ સંગાતે પાલીતાણું ગયા. ત્યાં બિરાજમાન પૂ. આ. શ્રીહર્ષચંદ્રસૂરીશ્વરજી પાસે દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી. ગુરૂદેવે રેગ્યતાની કસોટી કરી અને સં. ૧૯૦૭ ના કારતક વદ ૧૩ના રોજ દીક્ષા અંગીકાર કરી. આ સમયે અષ્ટાબ્લિકા મહોત્સવાદિ ભારે ધામધુમ થઈ.
આમ મુનિવેશ અંગીકાર કર્યા બાદ પૂજ્યશ્રીએ સાધુ આવશ્યક ક્રિયાઓ-સૂત્રો વિ૦ નો સારો અભ્યાસ કરી સાધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
જીવનને ઉચ્ચ કક્ષા પર મૂકયું. ગામેગામ વિહાર કરતાં પૂજ્યશ્રીએ શ્રીપાચંદ્રગચ્છને ઉન્નતિના શિખરે પહોંચાડ્યો. અનેક જીવને દેશવિરતિ અને સર્વવિરતિ બનાવ્યા,
આમ ઉપકાર કરતા કરતા તેઓશ્રી ૧૯૬૯ (૧૯૭૦ કચ્છી) ના ભાદરવા સુદ ૧૦ના રોજ સ્વવતન કેડાયમાં સમાધિપૂર્વકના અંતિમ આરાધના સાથે સ્વર્ગે સિધાવ્યા.
આવા મહાત્યાગી વૈરાગી પરમપકારી મહાપુરૂષોના પરિચયમાં જે જે આત્માઓ આવે છે તેઓ સરળતાથી સન્માર્ગમાં જોડાવા સદાય તત્પર રહે છે. તેમના જીવનને આદર્શ અન્ય છ પર ઉપકારકવૃત્તિ ધારણ કરનારા હોય છે. મહાજનોનાં જીવનચરિત્ર એટલે આ અસાર સંસારની અટવીમાં રહેલા કર્મરૂપી રને દૂર કરવા માટેનું ઉત્તમ સાધન છે. તેઓ જીવન જીવી જાણે છે અને મરી પણ જાણે છે કારણ કે તેમના મૃત્યુ પછી પણ સાહિત્ય-ક્રિયા-તપ-જપાદિની સુવાસ વર્ષો સુધી પ્રસરેલી રહે છે.
આ મહાપુરૂષના જીવન વિષે આપણને સંપૂર્ણ હકીકતે સાંપડતી નથી પરંતુ આજે એમનું નામ શ્રી પાધચંદ્રગચ્છના તકતા પર અમર છે એજ એમના ધમપ્રભાવનાના અનેકવિધ કાર્યોનો સચોટ પુરાવે આપે છે.
આ ત્યાગીઓમાં આઘપુરૂષ શ્રી કુશલચંદ્રજીગણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
૨
)
?
પછી તેઓશ્રીને સાધુસમુદાય (સ્વત્ર અને વિદ્યમાન) નીચે પ્રમાણે છે. જે પરથી જોઈ શકાય એમ છે કે આ મહાપુરૂષના સમયમાં તપગચ્છમાં માત્ર ૩૦-૩૫ જેટલા સાધુઓજ વિચરતા હતા તે સમયે શ્રીપાચંદ્રગચ્છમાં પણ સાધુઓની સારી સંખ્યા હતી. એ ઉપરથી ગચ્છની જળહળતી ત સાબિત થાય છે.
શાંતમૂર્તિ શ્રીકુશલચંદ્રજી ગણીના શિષ્યપ્રશિષ્યો. ૧ મુનિશ્રી ખુશાલચંદ્રજી ૧૦ મુનિશ્રી વૃદ્ધિચંદ્રજી કપૂરચંદ્રજી
૧૧ , ગુણચંદ્રજી દેવચંદ્રજી
અબીરચંદ્રજી કલ્યાણચંદ્રજી
દેવચંદ્રજી વિજયચંદ્રજી
ભક્તિચંદ્રજી ૬ ) મેતીચંદ્રજી ખેમચંદ્રજી
પ્રીતિચંદ્રજી પ્રેમચંદ્રજી
વિનયચંદ્રજી દીપચંદ્રજી ૧૭ ,, દયાલચંદ્રજી આમ પૂજ્યશ્રી પિતાની પછી હેળો શિષ્યસમુદાય મૂકી ગયા. ભારતભૂષણ આચાર્યશ્રીબાતચંદ્રસૂરીશ્વરજી તથા શાંતમૂતિ શ્રી પુનમચંદ્રજીગણિવરના સ્વર્ગગમન બાદ ગચ્છમાં શિષ્યસમુદાયની ત્રુટી હોવા છતાં આપણને એ સાલતી નથી એ આપણી કમનસીબી છે. ગચ્છની પાટ સાચવનાર મુનિરાજો જ છે. આજે કચ્છ-કાઠીયાવાડ ગુજરાતમાં એવા અનેક સ્થળો છે કે જે મુનિઓના તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
મુનિવિહારના અભાવે ગચ્છનું નામનિશાન દેખાતું નથી. આજે યુનિવિહાર અને મુનિરાજેની સંખ્યા વૃદ્ધિ તરફ શ્રીસંઘે નજર કરવાની આવશ્યકતા છે. - પૂજ્યશ્રીકુશલચંદ્રજી ગણિવરના પ્રાપ્ત થતાં સંક્ષિપ્ત જીવનચરિત્રમાંથી પણ સાગરમાં બિંદુ સમાન લાભ લેવામાં આવે તે અનેક ભવ્યાત્માઓ તરી જાય.
શાંતમૂર્તિ શ્રીકુશલચંદ્રજીગણિવરના
જીવન ટુંક સાર જન્મસ્થાન :-કડાય (કચ્છ) જન્મ સં. ૧૮૮૪ પિતાનું નામ જેતસીભાઈ માતાનું નામ :-ભમઈબાઈ જ્ઞાતિ વીશા ઓસવાળ દીક્ષા –સં. ૧૯૦૭ – પાલીતાણા ગુરુનું નામ આચાર્યશ્રીહર્ષચંદ્રસૂરિજી. સ્વર્ગવાસ –સં.૧૯૬૯ ભા. સુ. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
ભારતભૂષણશ્રીભ્રાતૃચંદસૂરીશ્વરજીના
જીવનનો ટુંક પરિચય જગપૂજ્ય શાસ્ત્ર વિશારદ શાસનમભાવક યુગપ્રધાન શ્રી પાશ્વચંદ્રસૂરીશ્વરજી મહારાજા પછી શ્રીમજાગપુરીયતપાગચ્છને પ્રકાશમાં આણનાર પૂજ્યશ્રી કુશલચંદ્રજીગણી સુધી અનેક આચાર્યો અને મહાત્માઓ થઈ ગયા છે. જેમાં આચાર્ય મહારાજ શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજીનું નામ સુવર્ણાક્ષરે કેતરાઈ રહેશે. શ્રી હેમચંદ્રસૂરિ (બીજા) ની પાટે પૂ. આચાર્ય મહારાજ થયા.
આબુતીર્થની દક્ષિણ સીમા પર આવેલા (વાંકડીઆ) વડગામમાં ઔદીચ્ય બ્રાહ્મણ દાનમલજી રહેતા હતા તેમની વિજયા નામે ધર્મપત્ની હતી તેમને સ્તનસિંહ, લખું, ભલુ અને કલું એ નામનાં ચાર પુત્રો હતા. સં. ૧૯૨૫માં વિજય માતા સ્વર્ગવાસી થયા તે પછી દાનમલજી પિતાના મેટા પુત્રને સંબંધીઓને સુપ્રત કરી ત્રણે પુત્રને સાથે લઈ ગુજરાતના વઢીઆર વિભાગમાં ચાચરવાળી બહુચરાજીના મેળા ઉપર શંખલપુર જઈ પહોંચ્યા. એ મેળામાં કોઈ કાર્યવશાત્ આવેલા યતિઓને જોયા. અને આ યતિઓ પિકી કેઈ મારા પુત્રને લેવાનું સ્વીકારે તે મારે અવશ્ય અર્પણ કરી દેવા. છોકરાઓ સુખી થશે અને મારી ઉપાધિ ટળશે. એ દ્રઢ સંકલ્પ કરી ભૂદેવ તે યતિઓની પાછળ પાછળ તેમના ઉતારે ગયે અને પિતાને સંકલ્પ જાહેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
owocwooxdooOXOS
| ૫૦ પૂ૦ બાલબ્રહ્મચારી શાસનપ્રભાવક શાસ્ત્રવિશારદ
શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજ.
000OOOXXX
જન્મ સં. ૧૯૨૦ પોષ વદ ૧૦, વડગામ (નાની મારવાડ )
દીક્ષા સં. ૧૯૩૫ ફાગણ સુ. ૨ વિરમગામ.
ક્રિાદ્ધાર સં. ૧૯૩૭ વૈશાખ સુ. ૧૧ માંડલ. આચાર્ય પદ સં. ૧૯૬ ૭ વૈશાખ સુ. ૧૩ શિવગંજ, (મારવાડ)
| સ્વર્ગવાસ સં. ૧૯૭૨ વૈશાખ વ. ૮ અમદાવાદ.
h
a
maroyanohandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
કર્યો. એટલે તેઓએ છોકરાઓને જોવાની ઈચ્છા જણાવી. ભૂદેવે છોકરાઓને રજુ કર્યા, યતિમંડળે જોયા. તે યતિઓ, પૈકી કોટવાલ શ્રીહરચંદ્રજીએ કહ્યું કે મારી સાથે તમે માંડલ ચાલે. ભૂદેવે હા પાડી ત્યાંથી બીજે દિવસે વિદાય થઈ માંડલ આવ્યા. ત્યાંના શ્રાવકેની સલાહ લઈ ત્રણે પુત્રને લેવાની ગોઠવણ કરી અને ત્રણે પુત્રોને સ્વીકારી લીધા. તે પછી વીરમગામથી પં. શ્રીમુકિતચંદ્રજીગણીને બેલાવ્યા. તેમણે ભલુભાઈને સ્વાધીન કરી પિતાના નેહભાવમાં વૃદ્ધિ કરી. ભૂદેવ થોડો વખત માંડલમાં રહી પછીથી પોતાના વતને ગયે. ત્રણે શિષ્યને ક્રમવાર વિદ્યાધ્યયન કરાવવું શરૂ કર્યું. તેમણે પોતપોતાની બુદ્ધિ મુજબ યોગ્ય વિદ્યાસંપાદન કરી. સમય થતાં યતિવર્ય શ્રીહરચંદ્રજીએ બે શિષ્યોને દીક્ષા આપી લખુનું લખમીચંદ્રજી અને કલુનું કલ્યાણચંદ્રજી નામ પાડયું.
સં. ૧૯૨૦ ના પિસ વદ ૧૦ ના રેજ (વાંકડીઆ) વડગામે વિજયા માતા પુત્ર રત્નને જન્મ આપે છે. પુત્રજન્મની ખુશાલીમાં ધાર્મિકકાર્યો ઉપરાંત ગ્રામ્યજનમાં વધાઈ ફેલાતાં આનંદ આનંદ છવાઈ જાય છે. અને પુત્રનું નામ ભલુ રાખવામાં આવે છે એના ગ્રહયોગમાં રાજા યા તે યેગી થવાનું લખાયેલું છે. તે ભલુને ૫૦ શ્રી મુક્તિચંદ્રજી ગણી આવશ્યક, પ્રકરણ, વ્યાકરણ, ન્યાય વિગેરેને વિદ્યાભ્યાસ કરાવે છે.
આમ અભ્યાસ કરતાં કરતાં ભલુની ઉંમર ૧૬ વર્ષની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૦ થાય છે અને ગુરૂદેવને વિનંતિ કરે છે કે મને હવે પરમેપકારી શ્રીભાગવતીપ્રત્રજ્યા અર્પણ કરો અને વિરમગામ મુકામે સં. ૧૯૩૫ ના ફાગણ સુદ ૨ ના શુભ દિને ભારે ધામધુમ અને શ્રી અષ્ટાબ્લિકામeત્સવના ઠાઠરૂપ ઠેરઠેર નિમંત્રણથી પધારેલા શ્રીસંઘના ભાઈઓ અને શ્રી ચતુર્વિધસંઘની હાજરીમાં ભલુને દીક્ષા આપી તેનું નામ શ્રીભ્રાતચંદ્રજી રાખવામાં આવ્યું.
દીક્ષાને છજ દિવસો થયા ત્યાં શ્રી મુક્તિચંદ્રગણી સ્વર્ગે સિધાવ્યા. પૂ. શ્રી ભ્રાતૃચંદ્રજીને આથી ભારે આઘાત લાગે. આમ ગુરૂદેવને વિરહ મનમાં બહુ સાલવા લાગ્યો. પરંતુ કુદરતની ગતિને કેણ પહોંચી શકવા શક્તિમાન છે? એમ વિચાર કરે છે ત્યાં પૂ. મુત્ર શ્રી કુશલચંદ્રજી ગણીનો સાથ મળી આવે છે.
શ્રીપાર્ધચંદ્રગચ્છના પરમત્યાગી વડિલ ગુરૂદેવ શ્રી કાલચંદ્રજી ગણિવર સં. ૧૯૦૭ ની સાલમાં માંડલ મુકામે પધારે છે, અને તેઓશ્રી પાસે યતિવય શ્રીભ્રાતૃચંદ્રજી સં. ૧૦૭ ના વૈશાખ સુદ ૧૧ કિયા ઉદ્ધાર કરે છે (સંવેગી બને છે) એ વડિલની છત્રછાયામાં ધર્મશાસ્ત્રોને અભ્યાસ કરે છે અને શ્રીસંઘની વિનંતિથી એ ચાતુર્માસ પણ માંડળમાં જ થાય છે. ત્યાં પૂ. ગુરૂદેવની અમૃતવાણથી પ્રેરાઈ શ્રાવક-શ્રાવિકાઓ જપ, તપ, પચ્ચખાણે મોટા પ્રમાણમાં કરે છે અને ઓચ્છવાદિ ધામધૂમ પણ સારા પ્રમાણમાં થાય છે.
માંડલનું ચાતુર્માસ પૂર્ણ થતાં શ્રી કુશલચંદ્રજી ગણિવર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
૫૦ પૂ. બાલબ્રહ્મચારી ભારતભૂષણ આ૦ મક
શ્રી ભ્રાતૃચંદ્રસૂરિ–ચરણપાદુકા.
યુગ પ્રવર્શીભાતૃચદરસદગ
પાદુકો. તો નમ:
દહનર્કિંથારાવકો આવ્યા જી તકલ. વિજળ પાપડીયાદા ફુતી કુલની માળ, તેઆલેખ્યું ચીત્ર સમજી, ચતુરસુજાણ. ભાવસૂચવે ગુરૂ ગચા નિશ્ચ વિહિંમe.. |
|
સ્વર્ગવાસ સં. ૧૯૭૨ ના વૈશાખ વદ ૮ બુધવાર
શામળાની પોળ–અમદાવાદ.
Page #133
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૦૧
સાથે મુનિરાજ શ્રીભ્રાતૃચંદ્રજી વિહાર કરી માઢ માસ વિચરે છે. પૂજ્યશ્રીનું સ. ૧૯૩૮ નું ચાતુર્માસ ભારે ધામધૂમથી થયેલ પ્રવેશ ખાદ જામનગર મુકામે થાય છે. એ વખતના મહારાજા જામસાહેબ શ્રીવિભાજી ગુરૂદેવની અમૃતવાણી સાંભળવા પ્રસંગે પાત પધારેલા અને પ્રતિખોષ પામી સ્વરાજ્યમાં જીવહિંસા વિગેરે પર પ્રતિબ`ધ મૂકેલે.
એ પછી ત્યાંથી પૂજ્યશ્રી સં. ૧૯૩૯ નું ચાતુર્માસ કચ્છ કાડાયમાં કરે છે ત્યાં ગામેગામથી શ્રીસંઘ પૂજ્ય ગુરૂદેવની પ્રશ'સા સાંભળી વાંદવા માટે આવે છે, અને અઠ્ઠાઇ મહાત્સવાદિ ધાર્મિક કાર્યો સારા પ્રમાણમાં થાય છે.
ત્યાંથી પૂજ્યશ્રી વિહાર કરીને માંડળમાં પધારે છે અને માસકલ્પ કરી અનેક જીવાને તપના બળનું મહાત્મ્ય સમજાવે છે. ત્યારખાદ સ’. ૧૯૪૦ માં મુનિરાજશ્રીભ્રાતૃચંદ્રજી વીરમગામમાં શ્રીસંઘનિમ...ત્રણથી સામૈયાપૂર્વક પ્રવેશ કરે છે. અને શ્રીસંઘની વિનંતિથી શ્રીભગવતીજી વાંચવાનું શરૂ કરે છે. આમ ગુરૂદેવની વાંચનાશક્તિ અને ધમસૂત્રોના અપાર મહિમાને જાણવા જૈન-જૈનેતરો મેટા પ્રમાણમાં લાભ લે છે અઠ્ઠાઇ મહે।ત્સવ, ભાવના, પ્રભાવના, તપ, વ્રત નિયમાદિ સારા પ્રમાણમાં થાય છે.
સ. ૧૯૪૧ માં પુનઃ માંડળ મુકામે પધારી ત્યાં શ્રીસ’ઘમાં વિક્ષેપ હતા તે શુદ્ધ ઉપદેશ દ્વારા દૂર કરી શ્રીસંઘમાં પૂજ્યશ્રી સપ કરાવે છે. સ. ૧૯૪૨ નુ ચેામાસું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૨
કચ્છ-કોડાય, સં. ૧૯૪૩ નું મામું ભુજ નગરમાં થાય છે આ સમયે આ વિભાગમાં ધર્મકિયા અને કરણ બાબત ભારે મુંઝવણ ફેલાય છે. જેને દૂર કરી પૂજ્ય ગુરૂદેવ શુદ્ધ ક્રિયાનુષ્ઠાન પ્રવરતાવે છે.
ચાતુર્માસના અંતે પૂજ્ય ગુરૂદેવ મરૂધર (મારવાડ) માં વિચરતા પાલી પધારે છે ત્યાંના શ્રીકરણાવત ભગવાનજી ગુરૂ આજ્ઞા લઈને શ્રી કેશરીયાજી તીર્થને છહરી પાળ સંઘ કાઢે છે. પૂજ્ય ગુરૂદેવ માર્ગમાં ઉપદેશ દ્વારા ધર્મનું સાચું સ્વરૂપ પમાડતાં શ્રી સંધ સાથે કેશરીયાજીની યાત્રા કરી બાકીના આઠ માસ મારવાડ મેવાડ ભૂમિમાં પગલાં પાવન કરે છે અને ચાતુર્માસ પાલી ગામમાં ધામધૂમથી થાય છે. ત્યાંથી વિચરતાં સં. ૧૯૪૫ નું ચાતુર્માસ પૂજ્યશ્રી સામૈયાપૂર્વક બીકાનેરના ઉપાશ્રયમાં કરે છે ત્યાં સદુઉપદેશના પરિણામે તપ, જપ, નિયમાદિ ધાર્મિક અનુષ્ઠાનની પ્રભાવના સારા પ્રમાણમાં થાય છે. એ સમયે પૂજ્ય ગુરૂદેવના ઉપદેશથી પ્રેરાઈ મગીબાઇ નામના શ્રાવિકા બહેન જેસલમેરનો સંઘ કાઢે છે. સંઘના રસ્તાના વસવાટ દરમ્યાન અન્ય ધમીઓને અનમેદનીય એવી ધર્મ ક્રિયાઓ ચાલુ થયા કરે છે અને જેસલમેર પધારતાં ત્યાંના શ્રીસંઘમાં પડેલા મતભેદો પૂજ્યશ્રીના ઉપદેશના પરિણામે સમાઈ જાય છે અને સંઘમાં એયતાને જયજયકાર થાય છે. ત્યારે જ્ઞાનભંડાર જુએ છે, આથી ત્યાંના મહારાજા પૂજ્યશ્રી પ્રત્યે બહુ સદ્ભાવ વૃત્તિવાળા બનવા સાથે તેઓશ્રીને વંદન કરી ધમઉપદેશને શિરસાવંઘ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૦૩
કરે છે. આ પછી સં. ૧૯૪૬ નું અણહીલપુર પાટણ અને સં. ૧૯૪૭ નું ચાતુર્માસ જામનગરમાં ભારે દબદબા ક્રિયાવિધિ અને ધર્મની પ્રભાવનારૂપ થાય છે અને ત્યાંના કે ઠારી શ્રીસિદ્ધાચલજીને સંઘ કાઢી અનેક ભવી આત્માઓને ઉન્નતિના માર્ગે પૂગુરૂદેવની વાણીના પ્રતાપે લઈ જાય છે.
શ્રી સિદ્ધાચલગિરિને ભેટીને પૂજ્યશ્રી હળવદ પધાર્યા ત્યાં માસ કલ્પ કરતાં ભારે ઓચ્છવ શરૂ થયો. એ દરમ્યાન અનેકવિધ ધર્મકાર્યો થયાં. ત્યાંથી પ્રાંગધ્રા ભારે દબદબાભર્યા સત્કાર વડે શ્રીપાશ્વચંદ્રસૂરિગચ્છના ઉપાશ્રયે પધાર્યા અને ભવ્ય મહોત્સવ વચ્ચે પરમપકારી ગચ્છનાયક સુરિસમ્રાટ શ્રી પાશ્વચંદ્રસૂરીશ્વરજી મહારાજાની ચરણપાદુકા ત્યાંના ઉપાશ્રયમાં પ્રતિષ્ઠિત કરાવી. ત્યાંથી ધામધૂમપૂર્વક બજાણામાં પધાર્યા ત્યાં ગુરૂદેવની અગાધ જ્ઞાનશક્તિ અને તપોબળના ગુણગાનથી પ્રેરાઈ દરબારશ્રીનશીબખાનજી ગુરૂદેવને વંદન કરવા પધાર્યા. ગુરૂદેવે તેમને રાજ્યધર્મ સમજાવી જીવ હિંસા નહિં કરવા પ્રતિબોધ્યા અને તેની સુંદર અસર થઈ. ત્યાંથી પાટડી મુકામે પધારતાં પાટડી દરબાર શ્રી સૂરજમલજી તથા અજીમગંજ નિવાસી બાબુ ગણપતસિંહજી, અને બાબુ બુદ્ધિસિંહજી આદિ ગુરૂદેવને વંદનાર્થે પધાર્યા અને ગુરૂદેવની ભક્તિ સુશ્રુષા કરી. ત્યાંથી વિહાર કરી વિરમગામ પધાર્યા તે વખતે વીરમગામમાં પડેલા તડેને સાંધ્યા. અને સં. ૧૯૪૮ નું ચાતુર્માસ માંડળમાં થતાં શ્રીભગવતીજીનું વાંચન શ્રીસંઘની વિનંતિથી શરૂ કરવામાં આવ્યું, જે દરમ્યાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૦૪
અનેકવિધ મહોત્સવાદિ ધાર્મિક કાર્યો થયાં.
સં. ૧૯૪૯ ની સાલમાં પૂજ્ય ગુરૂદેવ શ્રીભ્રાતૃચંદ્રજી મહારાજ રાજનગર પધારતાં શ્રીસંઘે ભવ્ય સામૈયું કરી તેઓશ્રીને શામળાની પળના ઉપાશ્રયે બીરાજમાન કરવામાં આવ્યા. તેઓશ્રીની સાથે તે સમયે પૂ. મુનિરાજ શ્રી દીપચંદ્રજી તથા શ્રી ગુણચંદ્રજી મહારાજ હતા. અને ચાતુર્માસ દરમ્યાન અઠ્ઠાઈ મહોત્સવાદિ ધાર્મિક પ્રભાવનાના ઉત્તમ કાર્યો શ્રીસંઘના ઉત્સાહથી થયાં. અને પૂજ્ય ગુરૂદેવની અમૃતવાણુને આસ્વાદ પુનઃ ઝીલવા માટે શ્રીસંઘે સં. ૧લ્પ૦ ની સાલનું ચાતુર્માસ કરવા આગ્રહભરી વિનંતિ કરતાં લાભાનુલાભ જોઈ પૂજ્ય ગુરૂદેવે માગણને સ્વીકાર કર્યો. આ સમયે પૂજ્ય ગુરૂદેવ શ્રીયશોધરચરિત્રનું વાંચન કરતા હતા. ગુરૂદેવની વૈરાગ્યવાહિની દેશના, શુદ્ધ ચારિત્રપાલનશક્તિ અને અમૃતવાણુના આસ્વાદથી શ્રીસંઘમાં પૂજ્યશ્રી પ્રત્યે બહુમાન ઉપજ્યું અને પૂજ્યશ્રીના સદ્દઉપદેશથી ભાવી પ્રજામાં ધાર્મિક સંસ્કારે રેડાય એ માટે “શ્રી જૈન સરસ્વતી સભા” ની સ્થાપના થઈ. આ હા તેઓશ્રીના અનન્ય ભક્ત શ્રી હકિસિંહભાઈ રાયચંદભાઈએ લીધો. તે સાથે એક વિશાળ પૌષધશાળા બંધાવી અનેકવિધ પુણ્ય ઉપાર્જન કર્યું. આ પ્રસંગે શ્રીસંઘને ઉલ્લાસ દરિયાના પૂનમની ભરતીના મેજા સમાન ઉછળી રહ્યો હતે. અનેક ભવી આત્માઓ તપ, જપ, ક્રિયામાં જોડાયા અને ઘણાએ શ્રીચતુર્થવ્રતને અંગીકાર કર્યું અને ઘેરઘેર આનંદ મંગળ પ્રવર્તી રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
પૂ પા. ક્રિયાપાત્ર ગચ્છના વયોવૃદ્ધ મુનિરાજ
શ્રી દીપચંદ્રજી મહારાજ,
જેઓ વર્ષોથી કરછ ભૂમિમાં વીચરી ધર્મોપદેશની અખંડ ધારા વહાવી રહ્યા છે, અને અનેક જીવને
ધમમાગમાં સ્થીર કરી રહેલા છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૦૫
ચાતુર્માસની પૂર્ણાહુતિના અંતે પૂજ્યશ્રી મહીજ, ખેડા, માતર, પેટલાદ થઈ ખંભાતમાં સં. ૧લ્પ૧ ના ચાતુર્માસ ની વિનંતિ માટે પધારતાં શ્રીસંઘે ભારે ઠાઠપૂર્વક સામૈયું કર્યું. શ્રીસંઘે ગુરૂદેવની શદ્ધ પ્રકારે વૈયાવચ્ચ કરી જ્ઞાનામૃત ઝીલી મંદશક્તિઓને સતેજ કરી અને ત્યાં પણ શેઠ કુલચંદ માણેકચંદની વિનંતિથી શ્રી ભગવતીજી સૂત્રનું વાંચન થતાં જૈન જનેતાએ બહોળા પ્રમાણમાં ગુરૂવાણીને લાભ લીધે. ચોમાસા પછી વિચરતાં પૂજ્યશ્રી માંડળ મુકામે પધાર્યા. ત્યાં ચંદનશ્રીની દીક્ષા ભારે ધામધૂમથી થઈ. સ્વામીવાત્સલ્ય, પૂજા, પ્રભાવનાદિ અનેક ધાર્મિક કાર્યો થયાં.
ત્યાંથી પૂજયશ્રી વિહાર કરતાં ઝીંઝુવાડા થઈ શ્રી શંખેશ્વરજી પાશ્વનાથની યાત્રા કરી છનીઆર ગામે પધાર્યા. ત્યાં તેઓશ્રીના વરદ હસ્તે શ્રીજિનપ્રતિષ્ઠાને મહોત્સવ શરૂ થયે. અને ભારે દબદબાભરી ક્રિયા વચ્ચે મોટી માનવમેદની સમક્ષ પૂજ્ય ગુરૂદેવની અધ્યક્ષતામાં પ્રતિષ્ઠા કરવામાં આવી. અને તે પછી સં. ૧૫ર નું ચાતુર્માસ શ્રી રાજનગરમાં થયું. આ સમયે પણ શ્રી રાજનગરના શ્રીમન્નાગપુરીયતપાગચ્છના ભાઈઓએ પૂજ્ય ગુરૂવાણીને લાભ ઉત્તમ પ્રકારે ઉઠાવીને તપ, જપ, ક્રિયાદિ ધાર્મિકતા વૃદ્ધિગત થાય એવા કાર્યો કર્યા.
પૂજ્યશ્રી ત્યાંથી વિહાર કરી વીરમગામ, માંડલ, પાટડી, બજાણા, ધર્મઠ, ગાડા, ધ્રાંગધ્રા અને ટીકર થઈ કચ્છ પ્રદેશ તરફ પુનઃ પધાર્યા. અને સં. ૧૫૩ નું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ચાતુર્માસ કછ માટી ખાખરમાં થયું. શ્રીભગવતીજી સૂત્રનું વાંચન શ્રીસંઘની વિનંતિથી થતાં અનેક ભવ્યાત્માઓએ ગુરૂદેવના ઉપદેશને લાભ લીધે. અને શેઠ દેવરાજના સુપુત્ર શ્રી રવજીભાઈએ ગુરૂવાણીથી પ્રેરાઈ એક લાખ કેરી ખચી ભારે હા લીધે અને શ્રીભ્રાતૃચંદ્રાયુદય પાઠશાળાની સ્થાપના કરી. તે સાથે અન્ય ભાઈ બહેને એ પણ પૌષધશાળા બંધાવી દ્રવ્યને સદુઉપયોગ કર્યો. આ સમયે ધ્રાંગધ્રા તાબે દુદાપરના શા. ઠાકરસી મુળજીભાઈ પૂજ્ય ગુરૂદેવ પાસે આવી પહોંચ્યા. ગુરૂદેવને શિષ્ટતાપૂર્વક વંદન કર્યું અને પિતાને આરમા શ્રીભાગવતી પ્રવજ્યા ગ્રહણ કરવા તત્પર થયે છે એવી ઈચ્છા પ્રદર્શિત કરી. ગુરૂદેવે તેમને અભ્યાસમાં જેડ્યા બાદ સં. ૧૫૪ ના માગશર સુદી ૧૦ ને ગુરૂવારના રોજ દીક્ષા આપવાનું નક્કી કરવામાં આવ્યું ને શ્રી સંઘને એ વાતની જાણ કરાઈ. દીક્ષા મહત્સવની આમંત્રણ પત્રિકાઓ ઠેરઠેર મેકલાવાઈ અને સ્થળે સ્થળેથી શ્રીસંઘના અગ્રેસર અને બીજા ભાઈઓ આવી પહોંચ્યા હતા. આમ દીક્ષાના નિર્માણ થયેલા દિને શ્રી ચતુર્વિધ સંઘની મોટી મેદની સમક્ષ પૂજ્યશ્રીના વરદ હસ્તે ભાઈ ઠાકરસી જેમની ઉંમર ૩૦ વર્ષની હતી. તેમને દીક્ષા આપવામાં આવી અને નવદીક્ષિતનું નામ મુનિરાજ શ્રીપુનમચંદ્રજી રાખવામાં આવ્યું આ પ્રસંગે દીક્ષાને ભવ્ય વરઘોડે, સ્વામીવાત્સલ્યો, પૂજા પ્રભાવનાદિ અનેક ધર્મકરણીને ઉત્તેજીત કરનારાં કાર્યો થયાં.
આમ નૂતન શિષ્યાદિ સાથે વિચરતાં પૂજ્યશ્રી કચ્છઅબડાસામાં પધાર્યા ત્યાં સંઘમાં ઐયતા કરાવી શાંતિશ્રીજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૦૭
તથા આણંદશ્રીજીને દીક્ષા આપી સં. ૧૫૪ નું ચાતુર્માસ સુથરીમાં થયું. ને ભગવતીસૂત્ર વંચાય. ચોમાસું ઉતરતાં પૂજ્યશ્રી મુદરા ગામે આવ્યા. ત્યાંના ખરતરગચ્છના શ્રીસંઘે ખરતરગચ્છના દેરાસરજીમાં મૂળનાયકજી શ્રી મુનિસુવ્રત સ્વામીજી હતા, તેથી કે હેમના કારણે ખસેડી ત્યાં શ્રી મહાવીરસ્વામી ને મૂળનાયક સ્થાપ્યા હતા અને શ્રી મુનિસુવ્રતસ્વામીને પડખે બેસાડ્યા હતા. તે ત્યાંથી ચલાયમાન થઈ જતા હતા તે માટે બહુ પ્રયત્ન કરવા છતાં સ્થિર થતા ન હતા તેની પ્રતિષ્ઠા ગુરૂરાજે કરાવી ત્યારથી સ્થિર થયા અને પૂજ્ય ગુરૂદેવની શક્તિના ગુણગ્રામ ચોમેર એ પ્રદેશમાં પ્રસરી રહ્યા.
ત્યાંથી વિહાર કરી શ્રી ભદ્રેસર તીર્થની યાત્રા કરી અંજાર મુકામે પધાર્યા. અત્રે શ્રીસંઘે ગુરૂદેવની ભક્તિ બહુજ ભારપૂર્વક કરી અને શ્રી સંઘની વિનંતીથી સં. ૧૫૫નું ચાતુર્માસ ત્યાં જ કરવામાં આવ્યું. કચ્છ દેશલપુરના ભાગ્યશાળી શ્રી હધુભાઈની શ્રીભાગવતી પ્રવજ્યા માટેની જિજ્ઞાસા થઈ. શ્રીસંઘનિમંત્રણ પત્રિકાઓ લખવામાં આવી. અને શ્રીઅછાન્ડિકા મહત્સવ શરૂ થયા. સં. ૧૫૫ના ફાગણ વદ ૧૦ બુધવારે શ્રી સંઘની હાજરીમાં દીક્ષા અર્પણ કરવામાં આવી અને હળુભાઈનું નામ મુનિ જગતચંદ્રજી રાખવામાં આવ્યું. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ ભુજ નગર થઈ માંડવી બંદર પધાર્યા. ત્યાંથી ધર્મોપદેશ આપી અનેક મુમુક્ષુઓને પ્રતિબોધતાં માળીઆ, ખાખરેચી, હળવદ થઈ ધાંગધ્રા પધાર્યા. ત્યાં ગચ્છનાયક શ્રીપા ચંદ્રસૂરીશ્વરજી મહારાજના ચરણShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પાદુકા સ્થાપી ભારે ઉત્સવ ઉજવાયેા અને ધ્રાંગધ્રાના આંગણે લીલાલ્હેર થઇ ગયા. ત્યાંથી સં. ૧૯૫૬નું ચાતુર્માસ વીરમગામમાં થયું. ત્યાંથી સ’. ૧૯૫૭નુ' ચાતુર્માસ રાજનગર માં શ્રી સંઘની ઉપરાઉપરી થતી વિનંતીના પરિણામે કરવામાં આવ્યું. શ્રી ‘ વવાઇ સૂત્ર'ના વાંચનથી શ્રીસંઘમાં ધમપ્રત્યે રૂચિ વધવા લાગી, તપ, જપ ઓચ્છવ સારા પ્રમાણમાં રાજનગરના શ્રીસંઘે કર્યાં. આમ રાજનગર ખાદ સ. ૧૯૫૮નું ચાતુર્માસ ખંભાતમાં થયું.
પૂજ્યશ્રીના ઉપદેશથી પ્રેરાઇ ખાલ્યસ'સ્કાર જેના ઉચ્ચ છે અને જેનું ચિત્ત વૈરાગ્યમાં ચાંટેલું છે એવા શામજી ધારશીએ સ. ૧૯૫૮ના મહા સુદ ૧૩ પૂજ્યશ્રી પાસે શ્રી ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી તેમનું નામ મુનિ સાગરચંદ્રજી રાખવામાં આવ્યું. આ સમયે સ્વામીવાત્સલ્ય, અઠ્ઠાઇ મહાત્સવ આદિ ધાર્મિક કાર્યો સારા પ્રમાણમાં થયા હતા. પૂજય ગુદૅવે શ્રી શત્રુંજય ગિરિરાજના મહાત્મ્ય વિષે સુંદર વ્યાખ્યાના વાંચી જનતામાં ધર્મના બીજ ઉંડા ઉતાર્યાં હતા. અને તે ચાતુર્માસ બાદ પૂજ્યશ્રી શ્રીસિદ્ધાચળજીની યાત્રાર્થે ઉગ્ર વિહાર કરતાં પધાર્યાં. આ સંધ શેડ દીપચંદભાઇએ કાઢી અનેક ભવ્યાત્માઓને પૂજ્ય ગુરૂદેવની વાણીનો લાભ અને શ્રી સિદ્ધાચળજીની યાત્રાના હાવે લેવડાવ્યેા. પુજ્યશ્રીએ શ્રીસિદ્ધાચલજીમાં માસકલ્પ કર્યાં. ત્યાંથી વિહાર કરતાં માČમાં અનેક જીવાને પ્રતિબાધતાં પૂજ્યશ્રી શ્રી’ભડી અને ચુડા મુકામે પધાર્યા. લીંબડીના રાજા યશવત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
૫૦ પૂ. બાળબ્રહ્મચારી પ્રાતઃસ્મરણીય સ્વપર શાસ્ત્રપારગામી સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી ૧૦૦૮
શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વર પાદુકા.
ખંભાત બારપીપળા ધર્મશાળા પાસે
સ્થાપિત પાદુકા દેરી.
DHC
Page #145
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૦૯ સિંહજી બહાદુર તેમજ ચુડાના ઠાકોર સાહેબને પ્રતિબધીને પૂજ્યશ્રી વઢવાણુ પધાર્યા ને સં. ૧૯૫ત્ની સાલનું ચાતુર્માસ શ્રીસંઘની વિનંતિને માન આપી પૂજ્યશ્રીએ ત્યાં માસું કર્યું. ગામેગામથી શ્રીસંઘના અગ્રેસરો પૂજ્યશ્રીને વંદનાસુખસાતાપૂછવા અર્થે ત્યાં પધાર્યા. ચાતુર્માસ પછી તેઓશ્રી પિતાના શિષ્ય પરિવાર સાથે વઢવાણ કેમ્પમાં પધારતાં ભારે સામૈયું કરવામાં આવ્યું. ઠેરઠેર ગહેલીઓ થઈ અને પૂજ્યશ્રીને મોતીડે વધાવવામાં આવ્યા. ત્યાંથી વિહાર કરી રાજપર, અંકેવાળીઆ, પેઢડા; ખેરવા, બજાણા, પાટડી અને માંડલ થઈ પૂજ્યશ્રી વીરમગામ પધાર્યા. ત્યાં સં. ૧૯૬૦ના ફાગણ વદ ૫ મે રાજશ્રીજીને ભારે ધામધૂમ અને ઉત્સવ વચ્ચે પૂજ્યશ્રીએ દીક્ષા આપી અને તે સાલનું ચાતુર્માસ લાભાનુલાભ જોઈ ત્યાં જ કરવામાં આવ્યું. આ ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીના સદુઉપદેશથી શ્રી અજિતનાથજીના દેરાસરને જિર્ણોદ્ધાર કરાવવામાં આવ્યું.
આ સમયે ત્યાં પ્લેગને ભયંકર રેગ ફાટી નીકળ્યો. પૂજ્યશ્રીને શ્રીસંઘે વિનંતિ કરી કે અપવાદના કારણે આપશ્રી આ હવામાંથી અન્ય સ્થળે પધારે. એટલે પૂજ્યશ્રી ગોલવાડી દરવાજાની બહાર નવલખાના બંગલે શેઠ સૌભાગ્યચંદ નથુભાઈ વિગેરેની વિનંતિથી ત્યાં પધાર્યા. તેઓશ્રીની સુશ્રષામાં રોકાયેલા શ્રીસંઘના ભાઈઓને જરાપણ આંચ આવી ન હતી.
આમ વીરમગામનું ચાતુર્માસ પૂર્ણ થતાં પૂજ્યશ્રી માંડલ મુકામે પધાર્યા, ત્યાં ઓચછવ-મહેચ્છવપૂર્વક સં. ૧૯૯૧ પિષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૧૦
વદ - કમળશ્રીજીની દીક્ષા થઈ ત્યાંથી ભવી જનેાને પ્રતિબેાધતાં સીતાપુર, એચરગામ, દેથળી, રાંતેજ, ભેાયણી, સુરજ, નંદાસણ, છત્રાલ થઈ પૂજ્યશ્રી કલેાલ મુકામે પધાર્યા. ત્યાં ગુરૂવાણી સાંભળવા આવનાર કેટલાયે સ્થાનકવાસીભાઈ બુઝયા અને પ્રભુના સાચા માર્ગમાં જોડાયા. પૂજ્યશ્રી વિહાર કરતાં સઇજ, ટીટોડા થઇ પેથાપુર પધાર્યા. ત્યાં માંતિકારન્સની બેઠક મળી હતી અને શ્રી આણુંદસાગરજી, શ્રી બુદ્ધિસાગરજી આદિ મુનિરાજો પધાર્યા હતા. ત્યાંથી વિહાર કરી ડાડા, મુવાડા, દેહગામ, નાના વડાદરા, નરેાડા થઈ અમદાવાદ પધાર્યા. અને રાજનગરના શ્રીસ ંઘની વિનંતિના પરિણામે સ. ૧૯૬૧ ની સાલનું ચાતુર્માસ પણ રાજનગરમાં થયું. ને શા. સાંકળચંદ વિઠ્ઠલભાઈની વિન ંતિથી ભગવતી સૂત્ર વંચાયું. રાજનગર વાસીએ પ્રત્યે કાણુ જાણે પૂજ્યશ્રીનું અંતઃકરણ પણ ખેંચાતું હતું. એનું કારણ શ્રીસંઘના વૈયાવચ્ચ, ભક્તિભાવ અને અન્ય ધ કાર્યાંનુ જ કહી શકાય. આ ચાતુર્માસ દરમ્યાન કચ્છ, મુંબઇ, ખંભાત, ધ્રાંગધ્રા આદિ સ્થળાએથી પૂજ્યશ્રીને વંદના અર્થે અનેક ગૃહસ્થા ત્યાં પધાર્યાં.
જેમ ખીજના સૂર્ય દિનપ્રતિદિન વૃદ્ધિને પામે છે, જળ સી'ચન થતાં કમળ ખીલે છે તેમ શ્રીસંઘના ભાવ પ્રકાશવંત થતા હાઇ આ ચાતુર્માસ યાદગાર એવા તપ, જપ, મહાસવાદિ ધાર્મિક પ્રભાવનાના અનુકરણીય અને અનુમેાદનીય કાર્યાં થયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૧૧
તે ચાતુર્માસ પૂર્ણ થયેથી પૂજ્યશ્રી ખંભાત મુકામે પધાર્યા. ત્યાં સં. ૧૯૯૨ ના માગશર સુદ ૧૧ ગુરૂવારે દેવશ્રીજી અને દયાશ્રીજીને દીક્ષા આપવામાં આવી. અને સં. ૧૯૬૨ નું ચાતુર્માસ પણ ધામધૂમપૂર્વક ત્યાંજ કરવામાં આવ્યું. ત્યાંથી અમદાવાદ પધારતાં વીરમગામના શ્રીસંઘે શ્રી અજિતનાથજીના દેરાસરને જિર્ણોદ્ધાર સંપૂર્ણ થયાની હકીકતથી પૂજ્યશ્રીને વાકેફ કર્યા અને પ્રતિષ્ઠા ઉપર પૂજ્યશ્રીને વિરમગામ પધારવા સાગ્રહ વિનંતિ કરી. વીરમગામ પ્રતિષ્ઠા પર જઈ તે કાર્ય ધામધૂમપૂર્વક સંપૂર્ણ કરાવી પૂજ્યશ્રી પુનઃ રાજનગરમાં આવી પહોંચ્યા. આ સમયે મુંબઈથી ચાતુર્માસની વિનંતિ અર્થે કેટલાક સહસ્થો પૂજ્યશ્રીને વિનંતિ કરવા પધાર્યા હતા.
પરંતુ કુદરતે જ્યાં મારવાડની ભૂમિ નિર્માણ કરી હોય ત્યાં મુંબાઈનું કેમજ બને? મારવાડમાં પધારીને પંચતીથિ જાત્રા કરી પૂજ્યશ્રી શિવગંજ પધાર્યા. આ સમયે શ્રી પુલચંદજી કાલદિવાળાએ શ્રીકેશરીયાજીને સંઘ કાઢવાને હાઈ પૂજય ગુરૂદેવને સાથે પધારવા નિમંત્રણ કર્યું. આમંત્રણને સ્વીકાર કરી ગુરૂરાજે પોતાના પાટવી શિષ્ય મુનિરાજ શ્રી પુનમચંદ્રજીને કાલેદ્રી જવાની આજ્ઞા કરી એટલે પિતે અને શ્રી કપાચંદ્રજી બે ઠાણા કાલેદ્રી પધાર્યા. ત્યાંથી સંઘ સાથે શિવગંજ ગુરૂરાજ પાસે આવ્યા. પછી ત્યાંથી પૂજ્ય શ્રી કેશરીયાજીના સંઘમાં પધાર્યા. ઠેરઠેર ગુરૂદેવની વાણની પ્રસંશા સાંભળી
ભવી જીવો વૈરાગ્યવાહિની વાણીના ધોધમાં પાવન થવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૧૨
સં. ૧૯૬૪ નું ચાતુર્માસ મેવાડના પાટનગર શ્રી ઉદેપુરમાં થયું. ત્યાંથી ગોલવાડની પંચતીથી કરી, પાલી થઈ પૂજ્યશ્રી જોધપુર પધાર્યા અને સં. ૧૯૬૫ નું ચાતુર્માસ શ્રીસંઘની વિનંતિથી ત્યાંજ કર્યું. અહીંથી ફલેધી જાત્રા કરી. પૂજ્યશ્રી બિકાનેર પધાર્યા ત્યાં કચ્છ મેરાઉના વેલજીભાઈને ભારે ધામધુમ-કિયાદિ મહોત્સવ વચ્ચે દીક્ષા આપવામાં આવી અને નુતન દીક્ષિતનું નામ મુનિ પ્રસાદચંદ્રજી રાખવામાં આવ્યું. તેવીજ રીતે પ્રધાનશ્રીજી અને પ્રભાશ્રીજીએ પૂજ્યશ્રીના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરતાં ચંદન શ્રીજીના શિષ્યા તરીકે બન્નેને જાહેર કરવામાં આવ્યા. આમ આ દીક્ષા મહોત્સવથી બીકાનેર અને આસપાસમાં ધર્મને વિજ્ય વજ ફરક રહ્યો તેમજ ત્યાગમાર્ગની પ્રાધાન્યતા સાબિત થઈ અને એ એકજ એવે માર્ગ છે કે જેના વડે આત્માની મુક્તિ સાધી શકાય છે એ શ્રી જિનવાણીને પ્રભાવ મહિમાવંત બન્યો.
આમ આ ઉત્સવથી પ્રફુલ્લિત બનેલ બિકાનેરના શ્રી સંઘની પૂજ્યશ્રીની વાણીને લાભ વધુ લેવાના હેતુથી કરવામાં આવેલ વિનંતિને માન આપી સં. ૧૯૬૬ નું ચાતુર્માસ ત્યાંજ નક્કી થયું. આમ મધ્યમ તેમજ લક્ષ્મીપતિએ પણ પૂજ્યશ્રીના ચરણકમળમાં પોતાની સેવા ધરીને અનુપમ હા. લેવા લાગ્યા.
આ ચાતુર્માસ દરમ્યાન ધમની અનેકવિધ પ્રભાવના થઈ હતી. ત્યાંથી શિવગંજ પધારતાં પૂજ્યશ્રી સાથે ઘણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૧૩
શહેરાના શ્રીસંઘાના ગૃહસ્થા પધાર્યાં હતા. અત્રે પૂજ્યશ્રીને ભારે ધામધુમપૂર્વક સ. ૧૯૬૭ વૈશાખ સુદ ૧૩ આચાય પદ આપવામાં આવ્યું. ત્યાંથી વિહાર કરી આશ્રુતીની યાત્રા કરી પાલનપુર પધાર્યાં. ત્યાંના શ્રીસંઘની ચામાસા માટે સાગ્રહ વિનતિ હાવાથી પેાતાના પાટવી શિષ્ય શાંતમૂર્તિ મુનિરાજ શ્રીપુનમચંદ્રજી તથા મુનિરાજ શ્રીકૃપાચંદ્રજી દાણા એને ત્યાં ચાતુર્માસ કરવાની આજ્ઞા આપી પુજ્યશ્રી અમદાવાદ પધાર્યા ત્યાં પુન્યશ્રીને દીક્ષા આપી સ`. ૧૯૬૭ નું ચામાસું કર્યુ. ચામાસું પૂર્ણ થતાં અનુક્રમે માંડલ પધાર્યાં. ત્યાં સ. ૧૯૬૮ નું ચામાસું કયુ. ચેામાસું ઉતરતાં યુગપ્રધાનશ્રીપાદ્મ ચંદ્રસૂરીશ્વરજીમહારાજાના ચરણપાદુકાની ઉપાશ્રયમાં પ્રતિષ્ઠા કરાવી અનુક્રમે શ્રી શખેશ્વર યાત્રાથે પધાર્યાં, ત્યાં પૂજ્યશ્રીએ પેાતાના પાટવી શિષ્ય મુનિરાજ શ્રીપુનમચદ્રજી ઢાણા જૈને અમદાવાદ જવાની આજ્ઞા આપી અને પોતે પાટડી, અજાણા થઇ ધ્રાંગધ્રા પધાર્યા. ત્યાં સ. ૧૯૬૯ નું ચામાસું કર્યું. તે ચામાસામાં ભા. સુ. ૧૦ કચ્છકોડાયમાં શાંતસુધાકર ૫૦ પૂ॰ શ્રીકુશલચંદ્રજી ગણિવરના સ્વર્ગવાસ થવાથી ચેામાસુ ઉતરતાં માગશર સુદ ૬ મુનિ જયશિખરજી તથા પ્રીતિશ્રીને દીક્ષા આપી. પૂજ્યશ્રીની કચ્છમાં જવાની ઈચ્છા થઈ તેથી ત્યાંથી વિહાર કરી હલવદ પધાર્યા. પણ ત્યાં અકસ્માત્ આંખનું કારણ બનવાથી પાછા ધ્રાંગધ્ર પધાર્યા અને સમાચાર મળતાં અમદાવાદથી વિહાર કરી પાટવી શિષ્ય મુનિરાજ શ્રીપુનમચંદ્રજી ઠાણા ત્રણ ધ્રાંગધ્ર પધાર્યાં. ત્યાંથી અમદાવાદના શ્રીસ ંઘે અમદાવાદમાં પધરામણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૧૪
કરાવી, ઉપાશ્રયમાં મુનિ કેશરીચંદજીને દીક્ષા આપી. સં. ૧૯૭૦, ૧૯૭૧ ના ચાતુર્માસ અમદાવાદના આંગણે થયા.
આમ દેશવિદેશમાં ઉગ્ર વિહાર કરી વિચરતાં પૂજ્યશ્રીએ અનેક મુમુક્ષુઓને પ્રતિબોધી ધર્મની પ્રભાવના કરી છે. તેઓશ્રીના સમયમાં પણ અન્ય ગચ્છમાં સંવત્સરી પ્રતિક્રમણ અંગે ભારે મતભેદો ઉભા થયા હતા. પરંતુ શ્રી શાશ્વાત પરંપરાને અનુસરીને પૂજ્યશ્રીએ પણ પુનમનું ચામાસી પ્રતિકમણ અને પાંચમનું શ્રી સંવત્સરી પ્રતિક્રમણ કરાવી સન્માર્ગમાં દર્યા હતા.
રાજનગરના ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીની તબીયત લથડી હતી. પરંતુ મહાત્માઓ કદી આ નશ્વર દેહની પરવાહ કરતા નથી પણ મળેલ સમય દરમ્યાન ઉત્કૃષ્ટ આરાધના કરવા તત્પર રહે છે. અમદાવાદના શ્રીસંઘના ગૃહસ્થને પણ પૂજ્યશ્રીની તબીયત અંગે ચિંતા થવા લાગી. વૈદિક અને ડાકટરી એવા સઘળાએ ઉપચારે દ્રવ્યની પરવાહ કર્યા વિના લેવા શરૂ કર્યા. શ્રીસંઘના અગ્રેસરે ને ભાઈઓ પૂજ્યશ્રીની પથારી પાસે જ રાતદિવસ રહેવા લાગ્યા. આ વખતે પિતાના પાટવી શિષ્ય શાંતમૂર્તિ મુનિરાજ શ્રીપુનમચંદ્રજીગણ આદિ કચ્છમાં વિચરતા હતા. તેથી ગુરૂરાજની હાજરીમાં ન હતા પણ તપસ્વી મુનિરાજ શ્રીજગતચંદ્રજી તથા વિદ્વાન વક્તા મુનિરાજશ્રી સાગરચંદ્રજી આદિ ગુરૂદેવની સુશ્રુષા કરવામાં હાજર હતા. અને જરાપણ કમીના રાખતા ન હતા. છતાં કુદરતે જ્યાં કાળ નિર્માણ કર્યો હોય ત્યાં માનવીનું શું ચાલી શકે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
ધ પૂરુ પા૦ બાલબ્રહ્મચારી શાશ્વેપારંગત ભારત
ભૂષણ આ મ. શ્રી બ્રાતૃચંદ્રસૂરિશ્વરજીના શિષ્ય
મુનીરાજ શ્રી પ્રસાદચંદ્રજી મહારાજ.
ર
Page #153
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૧૫
રાજનગરના શ્રીસંઘની ભક્તિ જોઇ ઠેરઠેરથી પૂજ્યશ્રીની તબીયતના સમાચાર પૂછવા આવતાં ગૃહસ્થાના મુખમાંથી પ્રસશાના શબ્દો ખેલાવા લાગ્યા. ધન્ય છે રાજનગરના શ્રી સંઘને કે જેણે આવા બાળબ્રહ્મચારી મહાત્માની સેવાની તક ઝડપી મળેલી પળને ધન્ય કરી. આખરે સૌના ખેદ અને હ' વચ્ચે પૂજ્ય આચાય શ્રીભ્રાતૃચંદ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબને આત્મા દેહથી મૂક્ત થઇ ગયા. એ દિવસ હતા સ. ૧૯૭૨ ના વૈશાખ વદ ૮ ને બુધવારની રાત્રીને
ગુરૂવિરહથી તેઓશ્રીના શિષ્યરત્ના અને શ્રીસ’ધને ભારે આઘાત લાગ્યા. જીવનસાલ્યના માર્ગદ્રષ્ટા, જનહિતકારી વચનાથી અનેક જીવા પર સન્માગ દશનના ઉપકાર કરનાર આવા મહાપુરૂષના વિરહથી કેાને દુઃખ ન થાય ? સૌની આંખા અશ્રુભીની બની. બીજે દિવસે પૂજ્યશ્રીને ભવ્ય પાલખીમાં પધરાવી શ્રીસંઘના ભાએ અને માંડલ-વીરમગામ-ખંભાત વિ॰ સ્થળેાએથી પધારેલા ગૃહસ્થાની માટી મેદનીવાળી સ્મશાનયાત્રા નીકળી જે રાજનગરના રાજમાર્ગો પર થઇ દુધેશ્વર સ્મશાનભૂમિમાં પધાર્યા અને ગુરૂના દેહને અગ્નિસ’સ્કાર કરી પુનઃ સૌ વિખરાયા. પૂજ્યશ્રીના કાળધમને મહેસવરૂપ ઉજવી ઠેરઠેર અઠ્ઠાઈ મહાત્સવા કર્યો અને સ્મારક તરીકે કેટલાક સ્થળે ચરણપાદુકા સ્થાપન કરવામાં આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૧૬
આચાર્ય શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજીના જીવનચરિત્રને ટુંક સારાંશ.
જન્મસ્થાન :-વડગામ-મઢાર પાસે ( નાની મારવાડ ) જન્મ :–સ. ૧૯૨૦ ના પાષ વદ ૧૦ પિતાનું નામ ઃ–દાનમલજી. માતાનું નામ –વિજયા ( વિન્નુ )ખાઈ. જ્ઞાતિઃ-ઔદિચ્ય બ્રાહ્મણ,
દીક્ષા :–સ. ૧૯૩૫ ના ફાગણ સુદ ૨ (ઉ. વ. ૧૬) વિરમગામ ગુરૂનું નામ ઃ–યતિવયં શ્રી મગનચંદ્રજી—મુક્તિચંદ્રજી ગણી. અભ્યાસ :–શરૂઆતમાં ષડાવશ્યક-પ્રકરણાદિ, સારસ્વત વ્યાકરણુ, રઘુવંશાદિ કાવ્ય, કેાષ, સાહિત્ય, ન્યાય, છંદ, યાતિષ, સંબધી વિવિધ શાસ્ત્રો.
ક્રિયાદ્દાર :-( સંવેગી માના સ્વીકાર ) સ’. ૧૯૩૭ના વૈશાખ સુદ ૧૧ માંડલમાં શાંતમૂર્તિ મુનિરાજશ્રીકુશલચ દ્રજી ગણીની નિશ્રાએ ક્રિયા ઉદ્ધાર કર્યાં.
વિહાર :–ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ, મારવાડ, મેવાડ વગેરે દેશેામાં ઉગ્ર વિહાર કરી અનેક ભવ્ય જીવાને ધમમાં જોડ્યા.
આચાય પદ :–સ, ૧૯૬૭ ના વૈશાખ સુદ ૧૩ બુધવાર, સ્થળ શિવગંજ ( નાની મારવાડ ). અઠ્ઠાઇ મહોત્સવ પૂર્વક ચતુર્વિધસંઘની હાજરીમાં, જન્મથી ૪૮ વર્ષની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
ઉંમરે અને દીક્ષાથી ૩૩ મા વર્ષે આચાર્યપદ આપવામાં આવ્યું.
ચમત્કારી કૃતિઓ:-(૧) કરછ–મુદ્રામાં લગભગ પચીસ
વર્ષથી માજી મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીને પબાસણ પરથી કઈ હેમના કારણસર ખસેડી ત્યાં શ્રી મહાવીર સ્વામીને મૂળનાયક સ્થાપ્યા હતા. આથી માજી મૂળનાયકજીના શાસનદેવ તરફથી એ ચમત્કાર જાહેર થયે કે “જે મુનિસુવ્રતસ્વામીને પડખે બેસાડેલા તે દર રાતે ચલાયમાન થઈ નવા મૂળનાયકના અગાડી આવી બિરાજતા હતા ને તે માટે અનેક પ્રયત્ન કર્યો છતાં તે જગ્યાએ સ્થિર રહેતા જ ન હતા એ વાત ગુરૂરાજે સાંભળી ને એક દિવસ મુકરર કર્યો, તે દિવસે ગુરૂરાજ, એક શ્રાવક અને એક સલાટ ત્રણે જણ દેરાસરમાં જઈ વિધિપૂર્વક શ્રી મુનિસુવ્રતસ્વામીની ગુરૂરાજે પ્રતિષ્ઠા કરાવી તે આજ સુધી તેજ આસન પર સ્થિર છે. (૨) વિરમગામમાં શ્રી અજિતનાથજી ભગવાનની પ્રતિષ્ઠા કરાવવા સારૂ ગુરૂરાજ અમદાવાદથી પધાર્યા. તે અરસામાં પાણીની તાણ ઘણું હોવાથી ત્યાંના શ્રીસંઘે કહ્યું કે પૂ. ગુરૂદેવ ! જે આ મુહૂર્ત આવું લેવાય તે સારું કારણ હાલમાં પાણીની ઘણી તંગીને લીધે જે સાધમી ભાઈઓ આવશે તેમની ભક્તિ અમારાથી પૂરેપૂરી થઈ શકશે નહિ',તેના જવાબમાં ગુરૂરાજે ફરમાવ્યું કે “સર્વે સારાવાના થશે? તે પછી શ્રીસંઘે કામ શરૂ કર્યું. આમંત્રણ પત્રિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૧૮
કાઓ મેકલવામાં આવી, પ્રતિષ્ઠા કરવાના અગાઉ લગભગ ત્રણેક ગાઉ ફરતે ભારે વરસાદ પડ્યો તેથી જેનસમાજમાં આનંદ ફેલા. સં. ૧૯૯૩ જેઠ સુ. ૧૧ શ્રી અજિતનાથજીની પ્રતિષ્ઠા અને નકારસી વગેરે કાર્યો ભારે ઉલ્લાસપૂર્વક થયાં.
ધન્ય છે એવા તપોબળશાળી ધર્મદેવજધારી મહાત્માને ! વિશિષ્ટ ધર્મપ્રભાવનાનાં કાર્યો –અનેક ભવ્યજીવોને ઉદ્ધાર
કરી દેશ વિરતિ, સર્વવિરતિ બનાવી અને ગચ્છનાયકગુરૂદેવની તથા શ્રી જિનરાજની પ્રતિષ્ઠા કરાવી જૈન
શાસનનો વિજયધ્વજ ફરકાવ્ય. શિષ્યશિષ્ય સમુદાય – ૧ મુનિશ્રીપુનમચંદ્રજી ૮ મુનિશ્રીબાલચંદ્રજી ૨ , જગતચંદ્રજી ૯ + રાયચંદ્રજી ૩ ,, સાગરચંદ્રજી
, વૃદ્ધિચંદ્રજી ૪ , કૃપાચંદ્રજી
,, અમીચંદ્રજી , પ્રસાદચંદ્રજી
છે. વિદ્યાચંદ્રજી ૬ , જયશિખરજી
ઇ લાભચંદ્રજી ૭ , કેશરીચંદ્રજી ચાતુર્માસ – સં. ૧૯૩૫ તથા ૧૯૩૬ માંડલ કે વિરમગામ યતિપણામાં. » ૩૭ માંડલ
સં. ૧૯૪૧ માંડલ ૩૮ જામનગર
, ૪૨ કેડાય (કચ્છ) , ૩૯ કેડાય (કચ્છ) » ૪૩ ભુજ () ,, ૪૦ વિરમગામ
- ૪૪ પાલી (મારવાડ)
,
૪ ૨
૨
૨
" ક
૨,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૧૦
સં. ૧૯૪૫ બીકાનેર ( , ) સં. ૧૫૮ ખંભાત
, ૪૬ પાટણ (ગુજરાત) ૫૯ વઢવાણ શહેર , ૪૭ જામનગર
, ૬૦ વિરમગામ ૪૮ વિરમગામ
, ૬૧ અમદાવાદ ૪૯-૫૦ અમદાવાદ
ખંભાત , ૫૧ ખંભાત
અમદાવાદ , પર અમદાવાદ
ઉદયપુર (મેવાડ) ૧૯૫૩ મેટીખાખર
, ૬પ જોધપુર (મારવાડ) (કચ્છ)
» ૬૬ બીકાનેર ,, ૫૪ સુથરી (2)
૬૭ અમદાવાદ , ૫૫ અંજાર () , ૬૮ માંડલ ,, ૫૬ વિરમગામ
, ૬૯ ધ્રાંગધ્રા » ૫૭ અમદાવાદ
, ૭૦-૭૧ અમદાવાદ વિદ્વત્તાને પ્રભાવ -પૂજ્યશ્રીએ ધર્મોપદેશથી જામનગરના
મહારાજા જામસાહેબ શ્રી વિભાજી બહાદુર, ધ્રાંગધ્રાના મહારાજા શ્રીમાનસિંહજી, તેમના ભાયાત શ્રી પ્રતાપસિંહજી, તથા શ્રી જાલમસિંહજી, બજાણાના દરબાર સાહેબ શ્રીનસીબખાનજી, પાટડીના દરબાર શ્રીસૂરજમલસિંહજી, લિંબડીના મહારાજા શ્રીયશવંતસિંહજી બહાદુર, કછજનું રાજમંડળ તથા જેસલમેરના મહારાજા.
જોધપુરના કવિરાજ મહામહોપાધ્યાયશ્રી મુરાદિ દાનજી; ન્યાયવિશારદ શાસ્ત્રી નારાયણદત્તજી, વ્યાકરણ
ચાર્ય વિદ્યાભૂષણ પંડિતશ્રી ભગવતીલાલજી, આશુકવિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૨૦
શાસ્ત્રી નિત્યાનંદજી, શાસ્ત્રી હરિકૃષ્ણજી, સાહિત્યપતિ શ્રી ઉમાશ ́કરજી, શાસ્ત્રી મણિશંકરજી, રાજવૈદ્ય પડિત હેમરાજભાઇ,આદિત્યરામજી વગેરેને જૈનધમ પ્રત્યે સારી લાગણીવાળા કર્યાં હતા.
જીર્ણોદ્ધાર:-જીર્ણોદ્ધારના ઉપદેશથી બીકાનેરમાં ભાંડાસરજીનું માટુ' દેરાસર, ખંભાતમાં નવપલ્લવજી, ચિંતામણિજી, આદિનાથજી એ ત્રણ દેરાસર અને વીરમગામમાં શ્રી અજિતનાથજીનું દેરાસર. ઇત્યાદિ દેરાસરના જીર્ણોદ્ધાર થયા.
તી યાત્રાઃ-પૂજ્યશ્રીના તી'યાત્રા કરવા સ'ખ'ધી ઉપદેશથી (૧) શ્રી શત્રુંજય, (૨) શ્રી ગિરનાર, (૩) શ્રી શ ંખેશ્વર, (૪) શ્રી ભાયણી, (૫) શ્રી આજી, (૬) શ્રી વરકાણા, (૭) શ્રી રાણકપુર, (૮) શ્રી કેશરીયાજી, (૯) શ્રી જેસલમેર, (૧૦) શ્રી કાવી ગધાર વગેરે તીર્થાંના સંધ છરી’ પાળતા નીકળ્યા હતા.
જીવદયાઃ-જીવદયાના ઉપદેશથી વિરમગામ, માંડલ વગેરે સ્થળામાં પાંજરાપેાળામાં સારા સુધારા વધારા થયા. ધાર્મિક કેળવણીઃ-ધામિક કેળવણીના સદુપદેશથી અમદાવાદમાં શ્રીજૈન હઠીસિંગ સરસ્વતી સભા, ધ્રાંગધ્રામાં શ્રી કુશલચંદ્રગણી જૈનપાઠશાળા, કચ્છ-મેાટીખાખરમાં શ્રી ભ્રાતૃચંદ્રાભ્યુદય પાઠશાળા તથા કન્યાશાળા વળી કેટલાક સ્થળે પોષધશાળા અને ધમશાળા વગેરે થઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
૬) ભારતભૂષણ શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજના :
લધુબંધુ યતિવર્ય શ્રી કલ્યાણચંદ્રજી.
©:::::
જન્મ સં. ૧૯ર૭,
વડગામ (નાની મારવાડ) યુતિદીક્ષા સં. ૧૯૩૯ જેઠ સુદ ૬ માંડલ. સ્વર્ગવાસ સં. ૧૯૭૪ ભા. વ. ૧૪ વિરમગામ. જેઓ કવિ ને કળાકુશળ હતા, તથા સત્પવ્યસન નિષેધક
સુધસંગ્રહના કર્તા છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૨૧ જ્ઞાનભંડાર -પાટણ, ખંભાત, બીકાનેર, જેસલમેર, વગેરેના
પ્રાચીન જ્ઞાનભંડારેને જોઈ સારી રીતે અનુભવ મેળવી પ્રવીણ થયા હતા. તેમજ અમદાવાદ, ખંભાત વગેરે
સ્થળે જ્ઞાનભંડારે કર્યા-કરાવ્યા. કાળધર્મ-ઈત્યાદિ અનેક ઉપકારે કરી, છત્રીસ વર્ષ સુધી
દીક્ષા પાળી, છ વર્ષ સુધી આચાર્ય પદ દીપાવી સં. ૧૯૭૨ ના વૈશાખ વદ ૮ ની રાતે અમદાવાદ શામળાનીપળમાં પિતાનું પ૨ વર્ષ, ૩ માસ અને ૧૮ દિવસનું સર્વ આયુ પૂર્ણ કરી સમાધિ પૂર્વક કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા.
આચાર્યશ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી
શ્રી પુનમ- શ્રીજગત- શ્રીસાગર- શ્રીપ્રસાદ- શ્રીજયશિ- શ્રીકેશરી ચંદ્રજીગણી ચંદ્રગણું ચંદ્રસૂરિ ચંદ્રજી ખરજી ચંદ્રજી TT TT | |
શ્રી કૃપાચંદ્રજીશ્રી બાલચંદ્રજી
શ્રી અમીચંદ્રજી
શ્રી લાભચંદ્રજી – શ્રી રામચંદ્રજી – શ્રી વૃદ્ધિચંદ્રજી - શ્રી વિદ્યાચંદ્રજી –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૨૨ શાંતમૂર્તિ શ્રી પુનમચંદ્રજી ગણિવરનું
ટુંક જીવન ચરિત્ર ભારતભૂષણ પ્રાતઃ સ્મરણીય આચાર્ય શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાવક પૂ. મુનિરાજ શ્રી પુનમચંદ્રજી ગણિવર થયા.
ધ્રાંગધ્રા રાજ્યના તાબાના દુદાપુર નામના ગામડામાં દશાશ્રીમાળી વણિક શેઠ કરશન નાથા રહેતા હતા. તેમને ચાર પુત્રો હતા-માનસંગ, જેઠાભાઈ મુળજીભાઈ અને ચોથા કમળશીભાઈ તેમાં મૂળજીભાઈને ત્રણ પુત્રો હતા જેમના નામો ત્રિભોવનદાસ, ઠાકરસી અને શીવલાલ હતા. પૂર્વના ધાર્મિક સંસ્કારના સિંચનના પરિણામે આ કુટુંબ સુખપૂર્વક ગ્રામ્યજીવન વીતાવતું હતું. આપણા નિગ્રંથ ગુરૂરાજ સ્વશ્રી પુનમચંદ્રજી ગણિવર મહારાજને જન્મ વિ. સં. ૧૯૨૪ ના પિષ વદ ૫ ના રોજ શુભ ગ્રહગમાં થયે. અને તેમનું નામ ઠાકરસી રાખવામાં આવ્યું. ગ્રામ્ય જીવનની જરૂરીયાત મુજબ ગામડી નિશાળે ભાઈ ઠાકરસીએ બે ત્રણ ગુજરાતી પુસ્તક જેટલે અભ્યાસ કર્યો. અને તુરતજ વેપારમાં જોડાયા. વેપારના કામકાજ અંગે તેઓ ધ્રાંગધ્રા અવારનવાર જતા આવતા હતા.
આમ વેપાર કરતાં કરતાં એક દિવસ દુકાનમાંની પેટીમાંથી ઘીને દીવો હંમેશ મુજબ કરવા માટે દીવાસળીની પિટી લેતા તેમને સર્પદંશ થયે. પિતાના ગામ નજીક ઘોઘાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
स्व. प. पृ. योगप्रेमी निजानंदी गुणनिधि शांतमूर्तिमुनिराज श्री १००८ श्री पुनमचंद्रजी गणी महाराज ।
नमस्तुभ्यं मुनीन्द्राय भ्रातृचन्द्रांघ्रिसेविने ।
गुणगण्यगुणाधारा-याबालब्रह्मचारिणे ॥१॥
દશાશ્રીમાળી વાણીયા, પિતાશ્રી મૂળજીભાઈ માતુશ્રી સુંદરબાઈ
-भ वि. स. १८२४ना पौष १६ ५, गाम हापुर (ब्रांगवार22) દીક્ષા વિ. સં. ૧૯૫૪ના માગશર સુદ ૧૦ ગામ મેટીખાખર (કચ્છ) સ્વર્ગવાસ વિ સં ૧૯૮૦ ના આસો વદ ૨ મંગળ, શામળાની
पाण-ममहावा.
Page #165
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૨૩
સ્થાનકે લઈ જવામાં આવ્યા. જ્યાં ઉપચાર–મંત્રવિધિ વડે ઝેર ઉતારવામાં આવ્યું અને ઠાકરસીભાઈને પુનર્જન્મ મળ્યો.
પૂર્વના સંસ્કારોથી વિભૂષિત થયેલા આત્માઓ ગમે તેવા ખુણે જન્મવા છતાં પણ જીવનમાં ઝળક્યા વિના રહેતા નથી. તેઓ હંમેશાં બીજાને અનુકર
રીતે પિતાને વ્યાપાર ન્યાય-નીતિથી ચલાવનારા હાવા સાથે નાના-મોટા જીવો પ્રત્યે અનુકંપા ધારણ કરનારા હોય છે. ઠાકરસીભાઈને આમાં લેખાવી શકાય. એક સમયે ધ્રાંગધ્રા રાજ્યના માણસે દુદાપરની નદીઓ મૃગને શિકાર કરવા આવેલ ત્યારે ઠાકરસીભાઈએ તેમને હિંસા કરવા દીધી નહિં. અને એ જીવદયાના પ્રતાપે પિતે પણ બચી ગયા.
એક સમયે તંદ્રાવસ્થામાં ઠાકરસીભાઇને એવું સ્વપ્ન આવ્યું કે “બે સુંદર કન્યાઓ આવી છે તે એક જમણે હાથ અને બીજી ડાબો હાથ ઝાલી ખેંચવા લાગી. આ જોઈ ઠાકરસીભાઈ જાગી ગયા. તેમણે ખૂબ વિચાર્યું અને જીવનને પટે ત્યાંથી થાય છે. ત્યારથી જ વૈરાગ્ય પર તેમની રૂચિ થઈ અને અસાર સંસારના માયાવી બંધનથી દૂર રહેવા નિર્ણય કર્યો. આર્યદેશના સર્વ સામાન્ય સંસ્કારમાં પણ એ પરિબળ છે કે જે આજની કારમી અશાંતિ તેમજ દ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલા ખાને ટાળે. જીવનમાં શાંતિ ઈચ્છનારાઓએ ધર્મનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૨૪
શરણું સ્વીકારવું જ રહ્યું. જે આત્માઓ ધર્મને શરણે ગયેલા હોય છે તેઓ કદાપિ ઇર્ષાબુદ્ધિ સેવતા નથી પરંતુ જ્યાં સત્ય અને ન્યાયનું પહેલું હોય છે ત્યાં તે બેસે છે. ભાગ્યશાળી ઠાકરસીભાઈ પિતાની બુદ્ધિ અનુસાર વિચારે છે કે આ સંસારમાં પદાર્થ માત્રમાં ભય રહેલો છે પરંતુ નિર્ભય બનવાનું સાચું સાધન તે માત્ર શ્રીજિનેશ્વરદેવોએ વારસામાં આપેલ સર્વવિરતિજ છે.
ઠાકરસીભાઈના માતપિતા સ્વર્ગવાસી થયા અને સંસારની અસારતા જણાતાં વૈરાગ્યભાવનાનું બીજ વૃદ્ધિ પામતું ચાલ્યું. ધ્રાંગધ્રાના શા. મૂળચંદ લાલજીના બે સુપુત્ર શા. દેવશીભાઈ અને બીજા ગુલાબચંદભાઈએ અનુક્રમે સં. ૧૯૩૦ અને સં. ૧૯૩૮ માં શ્રીભાગવતીપ્રત્રજ્યા અંગીકાર કરેલી અને તેઓ પાલીતાણા મુકામે ગુણવિજયજી અને દેવવિજયજીના નામથી વિચરતા હતા.
કુલદીપક ઠાકરસીભાઈનું હૃદય વૈરાગ્યભાવનાથી એતપ્રેત બનેલું હોઈ તેઓ ખબર મેળવી ઉક્ત મુનિરાજે પાસે ઘેર કહ્યા વગર પાલીતાણું ગયા તે વખતે તેમની ઉંમર માત્ર ૨૦ વર્ષની જ હતી. સંસારને દુઃખમયમાનનારે દુ:ખરૂપ ફલને આપનાર માનનારો અને દુઃખની પરેપરાથી ભરપૂર માનવાવાળે ભવ્યાત્મા સંસારમાં હોય અને કોઈ કારણસર વિરતિ ન આચરી શકે તે પણ એના હૃદયનું દુઃખ પારાવાર હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
પૂ. પા. શાંતમૂર્તિ મુનિરાજ શ્રી પુનમચંદ્રજી
ગણિવરની પાદુકા.
સ્વર્ગવાસ સં. ૧૯૮૦ના આસો વદ ૨ ને મંગળવાર
શામળાની પળ-અમદાવાદ.
Page #169
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૨૫
જે વસ્તુને આત્મા હાનિકર માને તે છેાડાય નહિ અને હિતકરવસ્તુ ગ્રહણ ન થાય ત્યાંસુધી સાચા સુખની પ્રાપ્તિ અશકય છે આ વસ્તુને ડાકરસીભાઈ યથાર્થ રીતે સમજતા હતા.
તેમના પાલીતાણા જવાના સમાચાર ઘેર મળતાં તેમના ભાઇએ શેાધ કરતાં પાલીતાણા ગયા અને ઠાકરસીભાઇને ઘેર લઇ આવ્યા. પરંતુ થાડાક દીવસના સહવાસમાં પણ તેએ પાતાના આત્મહિતાર્થે રાજ રાત્રે ચાવીહાર, સવારે નાકારશી કે પારશી પચ્ચખાણુ, દર વર્ષે કાતિકી પુનમે શ્રીસિદ્ધાચલજીની યાત્રા, નહિતા ઘીના ત્યાગ, બ્રહ્મચય પાલન અને અવસરે દીક્ષા લઇશ વગેરે નિયમ ધારતા ને અમલમાં મુક્વા
લાગ્યા.
ગામગાળા નિવાસી સ્વ॰ પારેખ લલ્લુભાઇ રામજી સાથે ઠાકરસીભાઈને ગાઢ મિત્રતા હતી. શ્રી પારેખ ધમના રાગી અને શ્રદ્ધાવાન્ હતા. ઠાકરસીભાઇએ લલ્લુભાઇને પેાતાના વિચાર જણાયેા કે કોઈ ચેાગ્ય સારા ગુરૂ મળે તે પેાતાના વિચાર દ્વીક્ષા લેવાના છે.
જ્યારે સં. ૧૯૫૩ ની સાલમાં પુ॰ પા॰ મુનિરાજ શ્રીભ્રાતૃચદ્રજી મહારાજ ધ્રાંગધ્રા જતાં ગાળા મુકામે પધાર્યા ત્યારે ધમિત્ર લલ્લુભાઈએ ઠાકરસીભાઈને ગાળા તેડાવી ગુરૂ સમાગમ-પરિચય કરાવ્યેા. ઠાકરસીભાઈનું મન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ઠયું અને પિતાને વિચાર પૂ. ગુરૂદેવ સમક્ષ રજુ કર્યો. તુરતજ એ વિચારને અનુમોદન આપતાં પૂજ્યશ્રીએ જણાવ્યું કે સારા કાર્યોમાં સે વિદને આવી પડે છે તે તેને શીધ્ર પતાવવું એ યોગ્ય અને પ્રેમમાં રક્ત બનેલા આત્માઓની ફરજ છે, જે આત્માને પુણ્યયોગે સગુરૂને ભેટે થાય તે તેની સેવાથી વંચિત કેમ રહે? ઠાકરસીભાઈ પૂજ્ય ગુરૂદેવ સાથે ધ્રાંગધ્રા અને ત્યાંથી હળવદ ગયા. તેમના ભાઈઓને લાગ્યું કે ઠાકરસી જરૂર દીક્ષા લઈ લેશે એટલે તેઓ હળવદ જઈ પુનઃ ઠાકરસીને ઘેર લઈ ગયા. ગુરૂ મહારાજે કહ્યું કે “તમારા ભાગ્યમાં દીક્ષા યોગ હોવાથી પરિપકવ કાળે તમને તે રત્ન પ્રાપ્ત થશે. માટે હાલ ઘેર જાઓ અને હું કચ્છમાં જાઉં છું ત્યાં અવસરે આવજે.”
બહુજખિન્ન હૃદયે અને નિરાશાથી તેઓ પિતાના બંધુઓ સાથે ઘેર તે ગયા પરંતુ તેમનું મન તો પૂજ્ય ગુરૂદેવ તરફ હતું. ઠાકરસીભાઈને ઘેર આવ્યા પછી કેઈ કામમાં ચેન પડતું નહિં. અને એ વાત સાચી છે કે જ્યાં સુધી હિતકારી માગને સ્વીકાર ન થાય ત્યાં સુધી સમ્યદ્રષ્ટિ આત્માઓ જંપીને બેસી શકતા નથી.
સં. ૧૫૩ નું પૂજ્ય ગુરૂદેવનું ચાતુર્માસ કચ્છ મોટી ખાખરમાં થયું, ઠાકરસીભાઈનું દિલ ઉપડયું અને કચ્છ જવા રવાના થયા. દુદાપરથી ધ્રાંગધ્રા ત્યાંથી વઢવાણ જઈ ગાડીમાં બેસી જામનગર, તુણાબંદર અને અંજાર પહોંચ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
પૂ. પા. ગુરૂદેવ શ્રી પુનમચંદ્રજી ગણિવરના શિષ્યરત્ન શ્રી કૃપાચ’દ્રજી મહારાજ,
જન્મ : સ. ૧૯૨૭
જન્મસ્થાન-ખાડા ( કચ્છ )
દીક્ષા સં. ૧૯૬૨ માગશર સુદ ૧૧ ( કાડાય કચ્છ ) જેઓ ચારિત્રશીલ, ભદ્રિક અને આત્માથી છે.
idar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૧૭
ત્યાંથી ઊંટ ઉપર બેસી દેશલપુર ગયા ત્યાં રાત રીકાઇ ત્યાંના શેઠ દેવસી કુરપાળ સાથે ખીજે દિવસે ત્યાંથી એક ગાઉ દૂર માટી ખાખર પધાર્યા. ઠાકરસીભાઇ પૂજ્ય ગુરૂદેવની નિશ્રામાં અભ્યાસ કરવા લાગ્યા. એ વખતે પુજ્ય ગુરૂદેવ શ્રી ભગવતી સૂત્રનું વાંચન કરતા હતા. ઠાકરસીભાઈ કે જેમની ઉંમર અત્યારે ૩૦ વર્ષની ડુતી તેઓ વિદ્યાધ્યયન કરવામાં મગ્ન રહેતા. આમ ચગ્યતાએ પહેાંચતાં સ’. ૧૯૫૪ ના માગશર સુદ ૧૦ ને ગુરૂવારના રાજ ભારે ધામધૂમ અને મહાત્સવપૂર્ણાંક શ્રી ચતુિંધ સંઘની હાજરીમાં ઠેરઠેર નિમત્રણપત્રિકાને માન આપી પધારેલા શ્રીસંઘના સમુદાય વચ્ચે શુભ મુહૂર્તે ઠાકરસીભાઇને શ્રીભાગવતીપ્રવજ્યા પ્રદાન કરી તેમનું નામ શ્રીપુનમચંદ્રજી રાખવામાં આવ્યું.
જેમ સ’સારી જીવા મનવાંચ્છિત ફળ મળતાં આન'દને પામે છે, મેધના આગમનથી જેમ મયૂર મસ્ત અને છે તેમ ભાગ્યશાળી આત્માએ જીવન સાર્થકતાની પળના સદ્ઉપયોગ થયે પેાતાને ધન્ય માની તિ અને છે.
દીક્ષા બાદ બાલબ્રહ્મચારી મુનિરાજ શ્રીપુનમચંદ્રજી મહારાજ દરરાજ એકાસણું કરતા અને ખપેારના નિયમિત બે કલાક સુધી સૂર્યના તાપને ઝીલતાં આઁકાર મત્રના જાપ કરતા હતા. પૂજ્ય ગુરૂદેવ સાથે રહેવાથી આ સરળસ્વભાવી મુનિરાજમાં પણુ ગુરૂદેવના ગુણા આતપ્રેત થવા લાગ્યા. અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૨૮
થોડા સમયમાં તીવ્ર બુદ્ધિબળ વડે સાધુના આવશ્યક ક્રિયાના સૂત્રો, દશવૈકાલિક, જીવવિચાર, નવતત્ત્વ, દંડક, લધુસંઘયણી, મોટી સંધયણ, ક્ષેત્રસમાસ, કર્મગ્રંથ, વાગ્યશતક, સિંદૂરપ્રકર, સાધુવંદના, છંદ, ગૌતમસ્વામી રાસ આદિ પુસ્તક કંઠાગ્ર કરી તેનું અધ્યયન કરતા. મીઠા જળથી જેમ વેલડીઓ વૃદ્ધિ પામે છે તેમ સુગુરૂના સહકારથી મુનિરાજ શ્રી પુનમચંદ્રજીની આત્મશક્તિઓ વિકસે છે.
તેઓશ્રી ગુરૂદેવની સાથે કચ્છ, કાઠીયાવાડ, ગુજરાત, મેવાડ, મારવાડ આદિ તીર્થસ્થળોએ વિચરતાં મહા પૂણ્યઉપાર્જન કરવા લાગ્યા. તેઓશ્રી દયાળ ને મીલનસાર સ્વભાવવાળા હેવાથી કેમાં વિદ્વાનમાં અને સર્વ જનમાં માનવંત સ્થાન ભોગવતા.
પૂર્વ મુ. શ્રી કુશલચંદ્રજી ગણી કે જેમને મુનિરાજ પર ખૂબ ઉપકાર હતું તે તેઓશ્રી કેમ ભૂલી શકે? સં. ૧૯૬ત્ના ભાદરવા સુદ ૧૦ મે પૂ. શ્રીકુશલચંદ્રજી ગયું અને સં. ૧૯૭૨ ના વૈશાખ વદ ૮ મે આચાર્યશ્રી બ્રાતૃચ દ્રસૂરીશ્વર રૂપી બે સૂર્ય અને ચંદ્રના અસ્તથી કમળ અને કુમુદની જેમ સ્વર્ગવાસના સમાચાર સાંભળી મુનિરાજ શ્રી પુનમચંદ્રજીની થઈ. પરંતુ એથી બીજો ઉપાય નહોતે. સુશિષ્યો હંમેશાં ગુરૂદેવની સાન્નિધ્યમાં રહેવા માટે તેમના જીવનમાંથી ઉત્તમ બેધપાઠ લઈ તેને પિતાના જીવનમાં ઉતારે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
પૂ૦ પાઠ મુનિરાજ શ્રી પુનમચંદ્રજી ગણિવરના વ્યાખ્યાન
કુશળ શિષ્યરત પૂમુનિરાજ શ્રી બાલચંદ્રજી મહારાજ સાહેબ,
છે
છે
જન્મ સં. ૧૯૫૩ જેઠ વદ ૧૩. જન્મસ્થાન મકતુપુર [સિદ્ધપુર દીક્ષા સં. ૧૯૭૦ માગશર સુદ ૬ ને બુધવાર [ અમદાવાદ ] જેએની વૈરાગ્યવાહિની દેશનાને પરિણામે અનેક સ્થળે ભવી આત્માઓ બુઝયા છે. અનેક ધર્મમાર્ગમાં સ્થીર થતા જાય છે. તેઓશ્રી વ્યાખ્યાન કુશળ હોવા ઉપરાંત કાવ્યો રચવાની શક્તિ ધરાવે છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૨૯
આવા ગુરુ અને શિષ્યને સંગ આ કાળે મળ અતિ દુર્લભ છે.
૫૦ ૫૦ ભારતભૂષણ શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજીના સ્વર્ગવાસ બાદ સંઘાડાના નાયક સુનિરાજ શ્રીપુનમચંદ્રજી ગણુ મહારાજ થયા અને સર્વે સાધુ-સાધ્વીઓ તેઓશ્રીની આજ્ઞામાં હતા. ગુરૂદેવ એક ગ્રામ્ય જીવનમાં ઉછરેલા સામાન્ય વ્યક્તિ છતાં ગુણાનુરાગ અને શ્રી જિનેશ્વર દે પ્રરૂપિત ધર્મના આલબનને વળગી રહેતાં કેવા ઉચ્ચ અને પૂજ્ય સ્થાને પહોંચ્યા તે ઉપરથી આપણે જીવનમાં ધડે લેવો જોઈએ.
ચાતુર્માસોની યાદી જોતાં માલુમ પડી આવે છે કે પૂજ્ય ગુરૂદેવે ૧૦ ચોમાસા-અમદાવાદ, ૫ ચોમાસા-ખંભાત અને ૭ ચોમાસા કચ્છમાં કર્યા છે. કુલ ૨૭ ચાતુર્માસ થયાં છે. તે જુઓ પેજ ૧૩૩ માં છે. - તેઓશ્રી ૨૯ વર્ષ, ૧૦ માસ ને ૨૦ દિવસ ગૃહસ્થાવસ્થા, ર૭ વર્ષ, ૧૦ માસ ને ૭ દિવસ દીક્ષા પર્યાય. કુલ આયુષ્ય ૫૬ વર્ષ, ૮ માસ ને ૨૭ દિવસ પુરૂં કરી સં. ૧૯૮૦ ના આસો વદ ૨ ને મંગળવારે દિવસના પિતાના ગુરૂદેવની જે કાળભૂમિ તે અમદાવાદમાં શ્રી શામળાની પિળના ઉપાશ્રયમાં સમાધિપૂર્વક આ દેહથી આત્મા છેડી પરલોક સિધાવ્યો. અમદાવાદના શ્રીસંઘે ગુરૂદેવની ભક્તિ-સુશ્રુષા એટલી સુંદર રીતિયે કરી કે ઠેરઠેરથી તેમના પર પ્રશંસાના પુપે વેરાવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૩૦
આસો વદ ૩ ને બુધવારે સવારે ગુરૂદેવને જરીયાનની પાલખીમાં બિરાજમાન કરતાં શ્રાવક-શ્રાવિકાનો મોટો સમુદાય અગ્નિ સંસ્કાર માટે દુધેશ્વરની ભૂમિ તરફ જયજય નંદા જયજય ભદાના બુલંદ અવાજે ગજવતા લઈ ગયા. અમદાવાદના શ્રીસંઘે આ કારણે અઠ્ઠાઈ મહત્સવ કર્યો અને ભારે ધામધૂમથી ગુરૂદેવની સ્મૃતિ હૃદયમાં કાયમ કરી.
પૂજ્યશ્રી પિતાની પાછળ બે શિષ્ય મુકતા ગયા છે જેમાં એકનું નામ શ્રી કપાચંદ્રજી છે તથા બીજા શ્રી બાલચંદ્રજી છે કે જેઓએ ગચ્છમાં વિદ્વત્તા અને વકતૃત્વશક્તિ માટે માનનીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
બાલબ્રહ્મચારી શ્રી પુનમચંદ્રજી ગણિવરના
જીવનને ટુંક સારાંશ. જન્મસ્થાન –દુદાપુર (ધ્રાંગધ્રા સ્ટેટ) જન્મ સં. ૧૯૨૪ના પિષ વદ ૫ પિતાનું નામ શા. મૂળજીભાઈ કરસન નાથા માતાનું નામ –સુંદરબાઈ જ્ઞાતિઃ-દશા શ્રીમાળી વણિક દીક્ષા –સં. ૧૫૪ માગ. સુ. ૧૦ ગુરૂવાર મોટીખાખર (કચ્છ) ગુરૂનું નામ -આચાર્યશ્રી ભ્રાતૃચંદ્રસૂરિજી મહારાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૩૧
અભ્યાસ –ષડાવશ્યક-સાધુકિયાના સૂત્ર, જીવવિચાર, નવ
તત્વ, દંડક, લઘુસંઘયણી, મોટીસંઘયણી ક્ષેત્રસમાસ, કર્મગ્રંથ વિગેરે પ્રકરણે, દશવૈકાલિકસૂત્ર, કર્મછત્રીસી, આનંદઘનચોવીશી, પ્રસ્તાવિક લેક-દુહાઓ, સિંદૂરપ્રકરાદિ સુભાષિતકાળે, બાસઠમાગણદ્વાયંત્ર, આરાધના, ભાવત્રિભંગીયંત્ર, વૈરાગ્યશતક, ગોતમસ્વામીરાસ, સાધુવંદના, છ દે, સ્તવને, સ્તુતિઓ, સજઝાયે
વિગેરે વિવિધ શાસ્ત્રો. ધર્મશાસ્ત્રવાંચન-ઉપાસક દશાંગ, ઉત્તરાધ્યયન, જ્ઞાતાધર્મકથા,
ભગવતીજીનું બીજક, ભગવતીજીને આલા, વિપાકસૂત્ર, આચારાંગસૂત્ર, આણુત્તરવવાઈ, નંદીસૂત્ર, તંદુલયાલિયપ, યશ્નો ,ચઉસરણ પય, વગચૂલિયા, બારસાસૂત્ર વગેરે આગમ. ચાણકયરાજનીતિ, સંધસિત્તરી, દાનકમ (ધચચરિત્ર), મહીપાલનૃપચરિત્ર, યશોધરચરિત્ર, મુનિ પતિ ચરિત્ર, કુમપુત્રચરિત્ર, સુચરિત્ર, વિજયચંદકેવલિચરિત્ર, જબૂસ્વામીચરિત્ર, સુદર્શનાચરિત્ર (સમળાવિહાર), શ્રીપાલચરિત્ર, ચિત્રસેન પદ્માવતીચરિત્ર, પપુરૂષચરિત્ર, વગેરે જીવન ચરિત્ર. એકવિંશતિસ્થાન, અભવ્યાદિકુલક, છ આરાના ટાબોલ, રત્નસંચય, સમ્યકત્વકોમુદી, દાનશીલતપભાવસંવાદનાં ઢાળીયા, વૈરાગ્યપચીસી, રસાકરપચીસી, સંવિ સાધુસમાચારી કુલક, શાલિભદ્રના શ્લોકા, પરમાનંદ પચીસી, ઉપદેશમાળા, ક્ષેત્રવિચાર (અઢીદ્વીપવિચાર), પવકથાસંગ્રહ, ભવભાવના, ભાષ્યત્રય, કમગ્રંથયંત્ર,
અઠ્ઠાઇવ્યાખ્યાન, પુરાણશાસ્ત્રોક્તસારસંગ્રહ, સુક્ષકભવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૩૨
વિચાર, નવસ્મરણ, તત્ત્વજ્ઞાનતરંગિણી, તીર્થકર વર્ષિદાન
સ્તવન, રૂપચંદ્રજીકૃત દેહરાશતક, વિહરમાન એકવીશ ઠાણ,જિનપ્રતિમા સ્થાપનાદ્વિપંચાશિકા, નેમ રાજુલ દૂહા, શત્રુંજયરાસ, નારચંદ્ર તિષ, ચાર ધ્યાનને વિચાર, વર્ધમાનદેશના, ઉપદેશ રત્નમેષ, ગવિધિ, ગૌતમપૃચ્છા ઈત્યાદિ સ્વમત–પરમતના સિદ્ધાંત વગેરે વગેરે
વિહાર:-કચ્છ, કાઠિયાવાડ, ઝાલાવાડ, ભાલ, ગોહિલવાડ,
વઢીયાર, ગુજરાત, મારવાડ, મેવાડ વગેરે પ્રદેશમાં ઉગ્ર વિહાર કરી અનેક ભવ્યજીને ધર્મમાં લીન કર્યા. તેમજ ભવ્ય નરનારીઓને ઉદ્ધાર કરી દીક્ષાઓ આપી
જૈનશાસનને વિજ્યધ્વજ ફરકાવ્ય. ચમત્કાર કૃતિઓઃ-ગામ ગાળા અને દુદાપુરની નદીમાં
પાણી પીવા આવતા હરણને શિકાર કરવા માટે ધ્રાંગધ્રારાજ્ય તરફથી આવેલ માણસને શિકાર નહિ કરવા દેવા સંબંધી અને આ ઉપરાંત બીજા પણ ઘણું ચમત્કારે ભવ્યાત્માઓના જોવામાં આવેલા. ધન્ય છે એવા બળશાળી મુનિરાજને !
સાહિત્યસેવા –૫૦ પૂ. શાંતતિ શ્રી કુશલચંદ્રજી ગણિવરને
સ્વર્ગવાસ થતાં શ્રીકુશલચંદ્રજી ગણું વિરહ, પંચપ્રતિક્રમણુસૂત્ર (ચોથી આવૃત્તિ), પિસહ વિધિ, પૂજાસંગ્રહ, સઝાયસંગ્રહ વગેરે બુકે પૂજ્યશ્રીના સદુપદેશથી
પ્રસિદ્ધ થઈ છે અને દશવૈકાલિક સૂત્ર, જીવવિચારાદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૩૩
પ્રકરણા વગેરે અનેક ગ્રંથાને લખાવરાવી ઉદ્ધાર કર્યોકરાવ્યા. આમ જ્ઞાનાચારની પૂર્ણ આરાધના કરી. શિષ્યા :–૧ પાટવીશિષ્ય મુનિરાજ શ્રીકૃપાચદ્રજી ૨ લઘુશિષ્ય શ્રીખાલચંદ્રજી તપસ્યા :–પંચમહાવ્રતતપ, પંચપરમેષ્ટિતપ, જ્ઞાન-દર્શનચારિત્રતપ, અષ્ટકમ સૂદનતપ, દૃશવિધ યતિમ તપ, ચૌદપૂર્વ તપ, જ્ઞાનપંચમીતપ, અષ્ટમહાસિદ્ધિતપ, વીસ સ્થાનકતપ વગેરે અનેક તપસ્યા કરી પૂજ્યશ્રીએ કમને જજરીભૂત કર્યાં હતાં.
ચાતુર્માસા— સં. ૧૯૫૪ સુથરી (કચ્છ)
૫૫ અંજાર
૫૬ વીરમગામ
""
""
૫૭ અમદાવાદ
૫૮ ખંભાત
,,
,, ૫૯ કાડાય (કચ્છ)
,, ૬૦ નાનાભાડિયા
૬૧ ખાડા
""
,,
,,
""
,,
,,
૬૨ અમદાવાદ
૬૩ ખંભાત
૬૪ ઉદયપુર (મેવાડ)
૬૫ અમદાવાદ
૬૬ ખંભાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
,,
..
""
,,
""
,,
,, ૬૮ માંડલ
,,
""
99
""
,,
,,
""
,,
""
""
""
૬૭ પાલનપુર
""
૬૯ અમદાવાદ
૭૦ ખંભાત
૭૧ મેાટીખાખર (કચ્છ)
૭૨ નવાવાસ
૭૩ અમદાવાદ
૭૪ ખંભાત
૭૫ અમદાવાદ
૭૬ બીકાનેર(મારવાડ)
૭૭ અમદાવાદ
७८
20
૮૦
99
,.
,,
,,
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૩૪
કાળધર્મ -ઈત્યાદિ સ્વ-પર-ઉપકાર કરી ૨૬ વર્ષ, ૧૦ માસને ૭
દિવસ સુધી દીક્ષા પાળી, સં. ૧૯૮૦ના આ વદ ૨ને મંગળવારે બપોરે બે વાગે અમદાવાદ-શામળાની પિળમાં પિતાનું ૫૬ વર્ષ, ૮ માસ ને ૨૭ દિવસનું સર્વઆયુઃ પૂર્ણ કરી સમાધિપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા.
- - -
. (मालिनीछंद) भजत भजत भव्याः ! पूर्णचन्द्रान् मुनीन्द्रान् , स्फुरदुरुसुविवेक-शान्तिसद्भावगण्यान् । नमत नमत शीघ्रं वन्द्यपादारविन्दान् , स्मरत धरत चित्ते सद्गुणश्रेणिमालाम् ॥ जयतु जयतु भव्या-म्भोधिचन्द्र करुपः , कुमुदततिविकासं निष्कलंकोऽन्हि तन्वन् । विमलनिजगुणौधै-इर्लादयन् सच्चकोरान्, ददतु ददतु निर्दो-पोऽमलं बोधिरत्नम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
શ્રી પરમપૂજ્યેાપકારી આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીભ્રાતૃચદ્રસૂરીશ્વરજીના શિષ્ય તપસ્વી મુનિરાજ શ્રીજગતચંદ્રજી ગણિવર મહારાજ.
શ્રી પરમ પુજ્યોતી આવા લાંથી૧૦૦૮૩ ચંદ્રસુરી કીસુમિરત થી પ વીજશ્રી
મા ૧૯૩૮
મગજના શિષ્ય
ચંદજી મહારાજ
જન્મ સં. ૧૯૩૫ દેશલપુર (તા. મુદ્રા-કચ્છ) દીક્ષા સં. ૧૯૫૫ ફા. વદ ૧૦ અંજાર (કચ્છ) સ્વર્ગવાસ સ. ૧૯૯૭ વૈ. સુદ ૪ ઉનાવા
.................................. •O.............
Umara, Surat www
gyanbhandar.conf
Page #185
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૩૫
તપસ્વી મુનિરાજ શ્રી જગતચંદજી ગણિવરનું
ટુંક જીવન ચરિત્ર કચ્છ દેશમાં મુંદરા તાબે દેશલપુર ગામે રાયસીભાઈ અને નેણબાઈ નામે ધર્મદંપતી પોતાની સ્થિતિ અનુસાર ધર્મપ્રવૃત્તિમાં મગ્ન રહેતા હતા. શ્રીપાચંદ્રગચ્છના વિદ્વાન મુનિરાજોના અવારનવાર થતા ચાતુર્માસ દરમ્યાન આ ધમદંપતી આત્માની આરાધના માટે શક્ય તેટલું કરવા ચુકતા નહિં. સં. ૧૯૩૫ની સાલમાં નેણબાઈએ એક પુત્રરત્નને જન્મ આપે. પુત્રના લક્ષણ પારણામાંથી તેમ આ બાલક ધીમેધીમે વયને પામતાં તેજસ્વી અને ક્રાંતિકારી જણાવા લાગે. માતાએ એનું નામ હધુભાઈ પાડયું. હધુભાઈ પૂર્વના પુણ્યદયે ધાર્મિક સંસ્કારથી રંગાવા લાગ્યા અને વ્યવહારિક કેળવણી સામાન્ય રીતે મેળવી વધુ ચિત્ત તે ધાર્મિક કેળવણી અને ગુરૂગમ પરત્વેજ હતું. દેશલપુરમાં પધારતાં પૂ. મુનિ રાજેની સુશ્રુષા–વૈયાવચ્ચ કરતા હતા. આમ ગુરૂદેવેની સેવા કરતાં કરતાં ઉંમર થતાં એમનું મન વૈરાગ્ય તરફ ઢળતું ગયું. માતપિતાદિ સમક્ષ પિતાને મનસુબે જાહેર કર્યો કે પોતે સંસારની અટવીમાં અટવાવા માગતા નથી પણ પરે પકારી શ્રીતીર્થંકર પરમાત્માએ જગતના કલ્યાણ માટે દર્શાવેલ ત્યાગમાર્ગે જવા માગે છે.
આ સમય દરમ્યાન પૂ.પા. સ્વ. આચાર્ય મહારાજ શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજને પરિચય થયો. ગુરૂShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૩૬
દેવની વૈરાગ્યવાહિનીદેશના અને ચારિત્રના પ્રભાવ એમના પર પડયેા. સરળ આત્માએ સાચા ગુરૂને જોઈ પાતાના આત્માનું યથાશક્તિ સાધન કરી લેવા ચુકતા નથી. તેવીજ રીતે પેાતાના વિડલેાને આપ્તજના સમક્ષ ધુભાઇએ પેાતાના મક્કમ નિર્ણય જાહેર કર્યાં. અને સ. ૧૯૫૪ ના સુથરીના ચામાસામાં ગુરૂદેવ પાસે રહી ધાર્મિક અભ્યાસ કરતા ચામાસુ ઉતરતાં માંડવી, મુંદરા, ભદ્રેશ્વર વગેરે ગામેામાં વિચરતાં ગુરૂદેવની સાથે અંજાર આવ્યા ત્યાં ફાગણ વદ ૧૦ ના દિવસે સ. ૧૯૫૫ની સાલમાં ખાલબ્રહ્મચારી શ્રીહધુભાઇએ ૨૦ વર્ષની યુવાન વયે ધામધુમપૂર્વક શ્રી ભાગવતી પ્રત્રજ્યા અંગીકાર કરી અને સુનિ જગતચંદ્રજી નામ રાખવામાં આવ્યું. અને એ સાલનું ચાતુર્માસ અ ંજારમાંજ થયું.
ખેતાલીસ વર્ષોંના લાંમા દીક્ષા પર્યાય દરમ્યાન પૂર્વ મુ॰ શ્રીજગતચંદ્રજી ગણી મહારાજે ધમ શાસ્ત્રાનું ચેાગ્ય અધ્યયન મનન કર્યું.. તપશ્ચર્યાએ પણ સારા પ્રમાણમાં કરી અને પૂ॰ પા॰ ગુરૂદેવની સેવા-સુશ્રુષા એવા ભાવથી કરી કે જેથી તેઓ સ્વ॰ ગુરૂદેવના ખૂબ પ્રિય બની રહ્યા. તેઓશ્રીએ પૂ॰ પા॰ ગુરૂદેવ સાથે અને ગુરૂદેવના સ્વર્ગવાસ ખાદ વડીલ ગુરૂભાઇ ૫૦ પૂર્વ મુનિરાજ શ્રી પુનમચંદ્રજી ગણિવરની આજ્ઞામાં રહી મારવાડ-કચ્છ-કાઠિયાવાડ ને ગુજરાતમાં અનેકવિધ સ્થળેાએ ચાતુર્માસા કરી ભવ્યાત્માઓને ધમ ભાગમાં જોડયા છે. અનેકની શકા-કુશકાઓનું પેાતાના વિદ્વતાભર્યાં શાસ્ત્રોક્ત જ્ઞાન વડે નિવારણ કરી સન્માર્ગમાં જોડ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
(
કે.
કેa
કેતક ... 61
*
*a 155 15.
તપસ્વી મુનિ શ્રી અમીચંદ્રજી મહારાજ.
જગતચંદ્રજી ગણીના શિષ્ય પૂર પાક બાલબ્રહ્મચારી તપસ્વી મુનિરાજ શ્રી
Page #189
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૩૭
સ્વ॰ ગુરૂદેવ શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજના અ ંતિમ માંદગીના સમય દરમ્યાન અમદાવાદ મુકામે સ્વ॰ ગુરૂદેવની જે ભક્તિભાવ-વિનયપૂર્વક સેવા-સુશ્રુષા કરી તે અને તેવા બીજા અનેક ગુણાને શ્રી સંધ આજે પણ યાદ કરે છે.
તેઓશ્રી છેલ્લે માંદગી વધી પડતાં પાટણ મુકામે પ્રવત ક શ્રી કાંતિવિજયજીની નીશ્રામાં કેટલેાક સમય રહ્યા. ત્યાં ઔષધક ઉપચાર કરવામાં આવ્યા અને કાળધમ પામ્યા તેના બે દિવસ અગાઉજ તેઓશ્રીને વિચાર ઉનાવા મુકામે જવાના થયા અને મુ. શ્રી. વિદ્યાચંદ્રજી અને શ્રી લાભચંદ્રજી સાથે ઉનાવા મુકામે આવી પહેાંચ્યા. ત્યાંના શ્રી પાર્શ્વ ચદ્રગચ્છના ભાઈઓએ ભક્તિપૂર્વક ઉપચાર કર્યા પરંતુ એ બધા કારગત નીવડ્યા નહિં અને સં. ૧૯૯૭ ના વૈશાખ સુદ ૪ ના રાજ અપેારના સમયે સમાધિપૂર્વક કાળધમ પામ્યા. તેઓશ્રીના કાળધમ ના સમાચારથી શ્રીસંઘમાં ગમગીનીની ભારે લાગણી પ્રગટી નીકળી કારણ સ્વ॰ આચાર્ય દેવ શ્રીમત્ સાગરચદ્રસૂરીશ્વરજી મહારાજના વિરહ સાલતા હતા ત્યાં પૂર્વ મુ॰ શ્રીજગંદ્રજીગણી મહારાજના કાળધમથી ભારે આઘાત થયા.
સ્વ॰ મુ॰ શ્રીજગત્ચંદ્રજીગણી મહારાજ કાળધમ પામ્યા છે છતાંયે તેઓશ્રીના અનેકવિધ ગુણા હુંમેશા આપણી વચ્ચે રહેશે અને શ્રીસ ંઘને પ્રેરણા આપશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૩૮
બાવાજીના જીવનને ટુંક સારાંશ. જન્મરથાન દેશલપુર (તા. મુદ્રા કચ્છ) જન્મ :-સં. ૧૯૩૫ પિતાનું નામ-રાયસીભાઈ માતાનું નામ –નેણબાઈ જ્ઞાતિઃ-વીશા ઓસવાળ દીક્ષા -સં. ૧૯૫૫ ના ફા. વ. ૧૦, અજાર (કચ્છ) ગુરૂનું નામઃ-આચાર્ય શ્રીભ્રાતૃચંદ્રસૂરિજી મહારાજ અભ્યાસ-સાધુના આવશ્યક કિયાના સૂત્રે, જીવવિચાર,
નવતત્ત્વ, દંડક, લઘુ–મેટી સંઘયણ, ક્ષેત્રસમાસ,
કર્મગ્રંથ વગેરે પ્રકરણે. વિહાર:-કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મારવાડ મેવાડ વગેરે
દેશોમાં વિહાર કરી ભવિજનેને લાભ આપ્યો. શિખ્યો -૧ પાટવી શિષ્ય મુનિ શ્રીઅમીચંદ્રજી
૨ લઘુ શિષ્ય , લાભચંદ્રજી કાળધર્મ -ઈત્યાદિ સ્વ–પર ઉપકાર કરી ૪૨ વર્ષ, ૧ માસ
ને ૯ દિવસ સુધી દીક્ષા પાળી સં. ૧૯૯૭ ના વૈશાખ સુદ ૪ ને બુધવારે (ઉંઝા) ઉનાવામાં પિતાનું દર વર્ષ, ૧ માસ ને ૯ દિવસનું સર્વ આયુ; પૂર્ણ કરી સમાધિપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
E
૫૦ પૂ૦ બાલબ્રહ્મચારી શાસૂપારગામી આ. મ.
સાગરચંદ્રસૂરિશ્વરજીના શિષ્ય
I
E
મુનિ શ્રી વિદ્યાચંદ્રજી મહારાજ.
III
Page #193
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Shree
પૃ॰ પા॰ બાલબ્રહ્મચારી તપસ્વી મુનિરાજ શ્રી જગતચંદ્રજી ગણીના શિષ્ય
મુનીશ્રી લાભચ’દજી મહારાજ,
********* ......
raswami Gyanbhandar-Umara, Surat
......
.......
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૩૯
બાલબ્રહ્મચારી શ્રી સાગરચંદસૂરીશ્વરજીનું
ટુંક જીવનચરિત્ર સ્વ. ભટ્ટારક ચારિત્રચૂડામણિ વીતરાગ શાસનના અણનમ ઝંડાધારી મહાન પુરૂષપુંગવ આચાર્ય શ્રીમદ્દ ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજની પાટે સ્વ. આચાર્યશ્રીસાગરચંદ્રસૂરીશ્વરજી થયા. પૂર્ણિમાની પ્રકાશિત રાત્રે દરિયાના પાણી પર પ્રકાશ પડતાંજ જેમ સાગર હેલે ચઢે છે તેમ સ્વ. આચાર્યશ્રીજીની વિદ્વત્તા સંબંધમાં થયેલ પ્રગતિ વિષે કહી શકાય. સ્વ. આચાર્યશ્રીએ બાલ્યવયમાં શ્રીભાગવતીપ્રત્રજ્યા અંગીકાર કરી. ટુંક સમયમાં અધ્યયન ને મનન દ્વારા જે જ્ઞાન મેળવ્યું તેને વિકાસ એટલે સમૃદ્ધપણે સાથે કે એ જ્ઞાન હંમેશાં લોકોને શાસન પ્રત્યે આકર્ષણ સમાન નીવડયું. લક્ષમીના ખજાનાને તે માણસ બહુ છુપીરીતે સંતાડી રાખે છે. કઈ ન જાણી જાય તેની એ બહુ પરવાહ રાખે છે પણ આ જ્ઞાનનો ખજાને એ છે કે જેને કેઈ લુંટી શકતું નથી અને જેમ જેમ એ ભંડાર ભવ્યાત્માઓના હિતાર્થે ખાલી થાય છે તેમ તેમ તેમાં વૃદ્ધિજ થતી રહે છે. સ્વઆચાર્યશ્રી એનું સાચું પ્રતિક છે એ એમના જીવનમાંથી આપણને મળી આવે છે.
કચ્છ પ્રદેશમાં આવેલ નાના ભાડીયા ગામે શા. ધારસીભાઈના ઘેર સં. ૧૯૪૩ ના શુભ ચોઘડીએ માતા
તન ભાઈની કુક્ષિથી બાળકને જન્મ થયો, તેનું નામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શામજી રાખવામાં આવ્યું. શામજીને નિશાળે મૂકવામાં આવ્યા અને ગુજરાતી પાંચ ચાપડીને અભ્યાસ કર્યાં. માતાને વિયેાગ પડ્યો, પિતાએ કચ્છ-માંડવીમાં એક પાઠશાળામાં શામજીને ભણવા મૂકેલા.
૫૦ પૂ॰ મુનિરાજ શ્રીભ્રાતૃચંદ્રજી મહારાજ સ૦ ૧૯૫૫નું ચામાસુ ઉતરતાં અંજારથી અનુક્રમે વિહાર કરી ભુજ અને ત્યાંથી માંડવી પધાર્યા ત્યાં ૫૦ પૂ॰ શાંતમૂર્તિ શ્રીકુશલચદ્રેજી ગણિવર બિરાજમાન હતા. તેઓશ્રીને પ્રેમથી ભેટ્યા અને ગુજરાત તરફ વિહાર કરવાની આજ્ઞા મેળવી તે સમયે માંડવીમાં ભણતા શામજીને ગુરૂદેવને ભેટ થયેા. શામજીએ પેાતાના પિતાશ્રીની રજા લઈ ગુરૂદેવની સાથે સ. ૧૯૫૬ ની સાલમાં ગુજરાત તરફ પ્રયાણ કર્યુ. ને તે સાલનું ચામાસું વિરમગામ થયું. અને સ. ૧૯૫૭ ની સાલનું ચાતુર્માસ અમદાવાદમાં થયું. ત્યાંથી અનુક્રમે ગુર્દેવ ખભાત પધાર્યાં. ત્યાં પેાતાની પાસે વિદ્યાધ્યયન કરતા શામજીભાઈને દીક્ષા આપવાનું મુકરર કર્યું. એ માંગલિક પ્રસંગ પર અઠ્ઠાઈ મહાત્સવ શરૂ કર્યો અને સ. ૧૯૫૮ ના મહા સુદ ૧૩ ના દિવસે ચતુર્વિધસંઘની હાજરીમાં ગુરૂરાજે દીક્ષા દીધી ને દીક્ષિતનું નામ મુનિ સાગરચંદ્રજી રાખ્યું,
પૂર્વ પા॰ ગુરૂદેવની સાન્નિધ્યમાં રહી દીક્ષાકાળના કેટલાક વર્ષો સુધીનેા કાળ ધામિક અભ્યાસ, મનન અને અધ્યયન પાછળ ગાળ્યો. સિદ્ધાંત, ન્યાય, વ્યાકરણ, આગમાદિ શાસ્ત્રાના અભ્યાસમાં તીક્ષ્ણ બુદ્ધિ અને વિચારગ્રાહ્યશક્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
પૂ. પા. આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રીમદ્ ભ્રાતૃચંદ્રસુરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન સ્વ.
| બાલબ્રહ્મચારી પુ. આચાર્ય શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજ
2................©..................©...©..
જન્મ : સં. ૧૯૪૩ આચાર્ય પદ : સં. ૧૯૯૩ દીક્ષા : સ. ૧૯૫૮ | સ્વર્ગવાસ : સં. ૧૯૯૫ '. ................©....................©................
Page #199
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૪૧
વડે સારી રીતીયે દિનપ્રતિદિન પ્રગતિ જ કરતા રહ્યા. પછી તે પૂઢ પા. ગુરૂદેવની નિશ્રામાં ભક્તજનેને વ્યાખ્યાનવાણી સુણાવતા અનેકના દિલેને ધર્મજળથી છૂટકારવા લાગ્યા. વાણીમાં મધુરતા અને મૃદુતા હતા. શાસ્ત્ર વાણીના પ્રવાહની અખંડધારા ચાલી અને થોડાજ વર્ષોમાં જેન–જૈનેતરોની પ્રશંસા મેળવી લીધી. પૂજ્યશ્રી પિતાના વડીલબંધુ ૫૦ ૫૦ મુનિરાજ શ્રીપુનમચંદ્રજી ગણિવરની આજ્ઞામાં રહેતા હતા. અને પૂજ્યશ્રી વિદ્વાન હોઈ વડિલબંધું પણ તેમનું સારૂ માન સાચવતા હતા. ૫૦ પૂ. તપસ્વી મુનિરાજ શ્રી જગતચંદ્રજી ગણિવરે પણ પૂજ્યશ્રીની સારી સેવા ઉઠાવેલી. તેઓશ્રીના ચાતુર્માસસં. ૧૯૫૮ ખંભાત
૬૮ અમદાવાદ » ૫૯ વઢવાણ શહેર
ધ્રાંગધ્રા » ૬૦ વીરમગામ
અમદાવાદ » ૬૧ અમદાવાદ
ખંભાત » ૬૨ ખંભાત
અમદાવાદ , અમદાવાદ
| ખંભાત ૬૪ ઉદયપુર (મેવાડ)
- અમદાવાદ ૬૫ જોધપુર(મારવાડ)
૭૫-૭૬ બીકાનેર » ૬૬ બીકાનેર
, ૭૭ અમદાવાદ , ૬૭ અમદાવાદ
, ૭૮ વીરમગામ સં. ૧૯૭૯ ભાડીઆ શ્રી ભગવતીસૂત્ર વાંચન
,, ૮૦ મોટીખાખર , ,
આ જ છે $ $ $ $ $
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૪૨
૮૧ અમદાવાદ ૮૨ ખંભાત ૮૩ મોટીખાખર શ્રી ભગવતીસૂત્ર વાંચન ૮૪ ભાલીઆ
> > ૮૫ ધ્રાંગધ્રા ૮૬ અમદાવાદ ૮૭ ) , ૮૮ ખંભાત કે ૮૯ , છ ૯૦ અમદાવાદ - ૯૧ » ૯૨ ) , માંડલ , ૯૪ , છે ૯૫ ધ્રાંગધ્રા
સાચા
આ દરેક સ્થળોએ સંઘ તરફથી ભારે આદર સત્કાર થયા હતા. અને વ્યાખ્યાન વાણીના પ્રભાવથી જૈન જૈનેતરે, વિદ્વાને, અધિકારીઓ વિ. પર સારી અસર નીપજી હતી. તેઓ પૂજ્યશ્રીની સાનિધ્યમાં વધુને વધુ નજીક આવવા લાગ્યા અને આત્મહિતની પ્રવૃત્તિમાં લીન બનતા ગયા.
સં. ૧૯૮૫ ની એ સાલ હતી જ્યારે કચ્છમાંથી રણ ઉતરી માળીઆ ગામે પધાર્યા. ત્યાંના શ્રીસંઘે ભવ્ય સ્વાગત કર્યું. અને તેઓશ્રીએ “માનવધર્મ' ના વિષય ઉપર વ્યાખ્યાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૪૩
આપ્યું. પૂજ્યની પ્રશંસા એકજ દિવસમાં પ્રચલિત થતાં ત્યાંના દરબાર સાહેબ, મે. દિવાન સાહેબ અને અધિકારી વર્ગ પણ વાણીને લાભ લીધે હતે. પૂજ્યશ્રીએ રાજધર્મ અને પ્રજાધર્મ વિષે સચેટ શૈલીમાં પ્રવચન કરી ધાર્મિક ઉન્નતિના કાર્યમાં રાજા–પ્રજાના સહકાર વિષે સતત ઉપદેશાધારા વહેતી મુકી હતી. પરંતુ એ લાભ વધુ સમય લેવાઈ ન શક અને પૂજ્યશ્રીને વિહાર કરવાને હઈ સો કેઈના દિલમાં રંજ પેદા થયે.
માળીયાથી વિહાર કરી ચાતુર્માસ માટે પ્રાંગધ્રા પધારતાં રસ્તામાં જામકંડોરણા ગામે મુકામ કર્યો. ત્યાંના વિદ્વાન મેજીસ્ટ્રેટ સાહેબ અને શ્રાવકોએ પૂજ્યશ્રીના ઉપદેશને સારે લાભ ઉઠાવી અનેક જાતના વ્રત નિયમો ગ્રહણ કરી એક યાદ તાજી રાખવા ઉદ્યમી બન્યા.
ત્યારબાદ ચાતુર્માસ નજીક આવતાં પૂ. મુનિરાજ શ્રીસાગરચંદ્રજી મહારાજે ભારે ધામધુમપૂર્વકના સામૈયાદ્વારા પ્રાંગધ્રામાં પ્રવેશ કર્યો. અત્રે શ્રી ભગવતીજીનું વાંચન કરાવવામાં આવતાં અન્ય ગ૭ ઉપરાંત સ્થાનકવાસી સમુદાયના વિદ્વાન ગૃહસ્થો મળી એટલી સંખ્યામાં વ્યાખ્યાન સાંભળવા જનતા આવવા લાગી કે ઉપાશ્રયને વિશાળ હેલ ચીકાર ભરાઈ જતું. પાછળથી આવનારને તે ઉભા રહેવું પડતું.
શ્રી ભગવતીજી જેવા મહાન કઠીન આગમનું વાંચન તેઓશ્રી એટલી સરળ અને સાદી ભાષામાં કરી રહ્યા હતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૪૪
કે એકડેથી ઘુંટનાર પણ તે સહેલાઈથી સમજી શકે. સ્થાનકવાસી અગ્રેસરને પ્રશ્નોના પ્રત્યુત્તર આપી મૂર્તિપૂજાનું વિધાન સાબીત કરતી સચોટ શ્રદ્ધા ઉત્પન્ન કરાવી હતી. આ વર્ષ દરમ્યાન શ્રીસંઘમાં સ્વામીવાત્સલ્ય, પ્રભાવનાદિ કાર્યો સારા પ્રમાણમાં થયા હતા.
સં. ૧૯૮૮ અને સં. ૧૯૮૯ ના ચાતુર્માસ ખંભાત મુકામે ઝવેરી દલપતભાઈ ખુશાલચંદ અને અન્ય આગેવાનની સાગ્રહ વિનતિથી થયાં.
આ ચાતુર્માસ દરમ્યાન ખંભાતમાં શ્રીભગવતીસૂત્ર વાંચન સરળ શૈલીથી શરૂ થયું. શ્રી પાચંદ્ર ગ૨છ–સંઘના તેમજ અન્ય ધર્મરસિક ભાઈ બહેને સારા પ્રમાણમાં લાભ ઉઠાવવા લાગ્યા અને શાસ્ત્રોક્ત પ્રવચનના આંકડાને ટકાવી રાખવાના ઉદ્દેશ માત્રથી બીજું ચાતુર્માસ સાગ્રહ વિનંતિ કરીને રાખવામાં આવ્યા. આ સમયે અન્ય ગચ્છમાં કેટલાક ખોટી લાગણીઓથી કદાગ્રહી બનેલાઓને ઉપદેશ અને સમજદ્વારા સન્માર્ગે જોડ્યા જેઓ હજુ પણ એ ઉપકારને ભૂલતા નથી. શ્રીસંઘની કીતિ અને જાહોજલાલીમાં વધારે થયે. ધાર્મિક કાર્યો, તપશ્ચર્યાએ વિગેરે સારા પ્રમાણમાં થયા.
તે પછીનું રાજનગરનું ચાતુર્માસ પૂજ્યશ્રીના નામ સાથે હંમેશને માટે જોડાઈ રહે એવા એક મહાન કાર્યમાં પોતાને યશસ્વી હીસ્સ આપીને જૈન જનતાને તેઓશ્રીની વિદ્વત્તાથી મુગ્ધ કરી દીધી હતી. આજપૂર્વે તેઓશ્રીની વિદ્વત્તા પંકાતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૪૫
પણ સીધે સંસર્ગ તે અમદાવાદ મુકામે કેટલાક ચર્ચાસ્પદ પ્રશ્નો જેવા કે દેવદ્રવ્ય, દીક્ષા વિગેરે પર સર્વાનુમતે નિર્ણય કરવા માટે બોલાવવામાં આવેલ શ્રી અખિલ ભારતીય જૈન છે. મૂ. પૂ. સાધુ સંમેલન સમયે થયે. નગરશેઠ શ્રી કસ્તુરભાઈ મણીભાઈ જેઓએ આ સંમેલન અનેક જહેમત મેળવ્યું તેઓ તરફથી શ્રીપાધચંદ્રસૂરિગછના મુનિરાજે પૂ. શ્રી જગચંદ્રજી ગણી મહારાજ અને પૂ. શ્રી સાગરચંદ્રજી મહારાજ વિ૦ ને આમંત્રણ કરવામાં આવ્યું. અને સ્વ. પૂ. આચાર્ય મહારાજ શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજની વિદ્વત્તા, ચર્ચા કરવાની પ્રશંસનીય રીત જોઈને તેઓશ્રીને શ્રીપાશ્વ ચંદ્રસૂરિગચ્છના પ્રતિનિધિ તરીકે પ્રથમ ૭૨ ની અને પછી ૩૦ ની કમીટીમાં નીમવામાં આવ્યા. દિવસો સુધી ઉપરોક્ત પ્રશ્નો પર ચર્ચાઓ ચાલી. તેમાં સ્વ. આચાર્ય મહારાજે રસપૂર્વક સુંદર ભાગ ભજવ્યો છે એટલું જ નહિ પણ કેટલીયે બાબતમાં તટસ્થ તરીકે એમનાં સલાહ-સૂચને કિમતી થઈ પડયા છે એમ એ સંમેલનમાં હાજરી આપનારા અનેક પૂ. આચાર્યાદિ મુનિરાજોના મુખેથી સાંભળવામાં આવ્યું છે. અને છેવટે જે મુખ્ય નવની કમીટિ નિયુક્ત કરવામાં આવી તેમાં પણ પૂજ્યશ્રી એક હતા. એજ બતાવી આપે છે કે તેઓશ્રીની વિદ્વત્તાની જે કિંમત ગૃહસ્થ આંકતા તેટલી જ કિંમત અન્ય ગચ્છના વિદ્વાન આચાર્યાદિ મુનિરાજે પણ આંકતા હતા. આ સંમેલને પટ્ટકરૂપે કરેલા ઠરાવ પર સ્વ. આચાર્યશ્રીની મહોર છાપ હતી અને ભારત વર્ષના જૈનસંઘના દ્વારે એ પટ્ટક પહોંચી પણ ગયા હતા. આમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૪૬ પૂજ્યશ્રીની ખ્યાતી હિંદના ચારે ખૂણામાં ફેલાવા સાથે અન્ય સહધમીઓનું આકર્ષણ વધ્યું. આ સંમેલને પટ્ટકરૂપે કરેલા ઠરાનું હાલ યથાર્થ પાલન નહિ થવાથી જ્યારે બૂમ પડી રહી છે ત્યારે સ્વ. આચાર્યદેવ જેવા સ્પષ્ટ વક્તાની ખોટ સાલે છે.
ત્યારપછી સં. ૧૯૯૧-૨ ના ચાતુર્માસ પણ રાજનગરમાં શામળાની પિળના ઉપાશ્રયે થયાં. આ બન્ને ચાતુર્માસ દરમ્યાન શ્રીસંઘની સાગ્ર વિનંતીને પરિણામે શ્રી ભગવતીસૂત્રનું વાંચન રાખવામાં આવેલ. એને લાભ શ્રીસંઘના અગ્રેસરે અને સૌ કોઈ લેવા લાગ્યા. વ્રત-નિયમ અને તપશ્ચર્યા, સાધર્મિક વાત્સલ્ય વિ. સારા પ્રમાણમાં થયા.
પૂજ્યશ્રીને આચાર્યપદારેપણ કરવાની શ્રીસંઘની ભાવનાએ મૂર્ત સ્વરૂપ ધારણ કર્યું. આથી આ વાત રાજનગરના શ્રીસંઘે પૂ૦ સાગરચંદ્રજી મહારાજ વિહાર કરે તે પહેલાં આચાર્યપદ અર્પણ કરવા મક્કમ નિર્ધાર કર્યો અને અઠ્ઠાઈ મહત્સવ દરમ્યાન આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના વિદ્વાન પ્રશિષ્યરત્ન આચાર્યશ્રી વિજયઉમંગસૂરિજીના હસ્તે સં. ૧૯૩ ના જેઠ સુદ-૪ ના રોજ શુભ મુહુર્ત – મંગળમય ચેઘડીયે આચાર્યપદ અર્પણ કરવામાં આવ્યું. આ ઉત્સવમાં ભાગ લેવા માટે માંડલ, ખંભાત, ધ્રાંગધ્રા વિરમગામ વિ. સ્થળોએથી ગચ્છના અગ્રેસરે અને અન્ય સમુદાય સારી સંખ્યામાં ઉતરી પડયો હતે. શ્રી શાસન-દેવ–કી જયના નાદોથી ઉપાશ્રયનું વિશાળ ચોગાન માનવમેદનીથી ઉભરાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
પૂપાબાલબ્રહ્મચારી આચાર્ય શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજની પાદુકા.
પ્રસાર રદ રી-.
આચાર્ય
Felbicht en
થયા પછી ૨૮
* રન)માં પડેલાં ન
ઈલા પાદુકો.
સ્વર્ગવાસ : સ. ૧૯૯૫ ના ભાદરવા વદ ૪ ધ્રાંગધ્રામાં સ્વર્ગવાસ થયા પછી રેતીમાં
પડેલી પાદુકા.
Page #207
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૪૭
ગયું હતું. ચોમેરથી પૂજ્યપાદ આચાર્યદેવ નાણને ફેરા ફરતાં અક્ષતઉછાળવામાં આવ્યા હતા. આમ આ દિવસથી મુનિરાજશ્રી સાગરચંદ્રજી મહારાજ પૂરા પાટ આચાર્યશ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજના નામથી સંબોધાયા.
પૂ. પા. ભારતભૂષણ આચાર્ય શ્રીમદ્ ભાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજ અને ૫૦ પૂમુનિરાજ શ્રી પુનમચંદ્રજીગણિવર મહારાજશ્રીના કાળધર્મ પછી અલ્પસંખ્યા ધરાવતા આ ગચ્છમાં જે થોડાક સાધુર છે તે પિકિ આચાર્યશ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજ જુદાજ તરી આવતા હતા. વ્યાખ્યાન વાણી દ્વારા એમણે વ્યાખ્યાન વાચસ્પતિનું બિરૂદ સ્વયં પ્રાપ્ત કર્યું હતું. સારા માણસના જીવન હંમેશાં ટુંકા કેમ ન લખાયા હોય એમ પૂજ્યશ્રીની બાબતમાં પણ બન્યું.
સંવત ૧૯૩–૯૪ના ચાતુર્માસ માંડલના શ્રીસંઘની વિનંતિથી ત્યાં થયા અને શ્રીભગવતી સૂત્રની શબ્દધારા અખલિતપણે ચાલતાં જૈન-જૈનેતર જનતાએ તેને સારો લાભ ઉઠા. વેરાશ્રી મેહનભાઈ જીવરાજ અને અન્ય અગ્રેસરએ પૂજ્યશ્રીની સેવા-સુશ્રુષા એટલી સુંદર રિતિયે ઉઠાવી અને આ ચાતુર્માસ દરમ્યાન ધર્મપ્રભાવનાના એવા કાર્યો થયા કે જેની વર્લંત ત હંમેશાં જળહળતી જ રહેશે,
માંડલના ચાતુર્માસ બાદ તેઓશ્રીની તબીયત લથડી. વિહાર કરી ધ્રાંગધ્રા પધાર્યા. ત્યાં ગયા બાદ તબીયતે ધીમેધીમે ઉથલો ખાધો. શ્રીસંઘે તબીયત વધુ ગંભીર લાગતાં પૂજ્યશ્રીને ધ્રાંગધ્રા રાજ્યની હોસ્પીટલમાં ઉપચાર અર્થે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૪૮
રાખવામાં આવ્યા. રાજ્યની હોસ્પીટલના વડા તબીબ, અન્ય ડેકટરે અને તેઓના સ્ટાફે પૂજ્યશ્રીની સુશ્રષા-ઉપચાર વિ૦ બહુજ કાળજીપૂર્વક કરવા માંડયા. પરંતુ ઘડીમાં તડકો ને ઘડીમાં છાંયડાની જેમ તબીયત ઠીક-અઠીક અને ચિંતાજનક દેખાવા લાગી. પૂજ્યશ્રીના દેહની સુખસાતા પૂછવા માટે બહારગામથી શ્રીસંઘના ભાઈબહેને આવવા લાગ્યા. તેઓના ભેજન વિ. ની વ્યવસ્થા ધ્રાંગધ્રાના શ્રી છોટાલાલભાઈ ડામરભાઈ અને અન્ય અગ્રેસરેએ સુંદરરીતે કરી હતી. ધ્રાંગધ્રાના શ્રીસંઘના ભાઈઓએ ૮-૮ ની ટુકડીમાં રાત ને દિવસભર પૂજ્યશ્રીની સુશ્રુષા–સેવા અર્થે હોસ્પીટલ ખાતે રહેવાનું નકકી કરેલું અને તે મુજબ સુંદર લાભ ઉઠા. પરંતુ કાળચક્રની ગતી કોઈથીયે અટકી નથી અને અટકે પણ નહિ. સં. ૧૯૫ ના ભાદરવા વદી-૪ ને એ દિવસ હતો કે જે દિવસે શ્રી ગ૭ને શોકમગ્ન છેડી પૂ. પા૦ આચાર્યશ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજને દેહ આત્માથી છૂટ થયો અને તેઓશ્રી પંચત્વને પામ્યા. આ દિવસ ધ્રાંગધ્રાના શ્રીસંઘ અને ગરછના અન્ય શહેરાના સંઘ માટે બહુ વિકટ ને કપરાદિન તરિકે નેંધાઈ રહેશે. સારાયે ધ્રાંગધ્રા શહેર પર શેકની છાયા પ્રસરી રહી હતી. તે દિવસે અમદાવાદ, વીરમગામ, ખંભાત, માંડલ વિ. સ્થળેએ તાર કરેલા. ત્યાંથી ઘણા ભાઈઓ બીજે દિવસે આવી પહોંચ્યા હતા. પાંચમને દિવસે સુંદર અને સુશોભિત પાલખીમાં પૂજ્યશ્રીના મૃતદેહને પધરાવવામાં આવ્યા અને સેંકડો જૈન જેનેતરોએ એ ભવ્ય સ્મશાનયાત્રામાં ભાગ લીધે. આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૪૯
અનાજ અને પૈસાનું ગાડું હતું જે છુટા હાથે ઉડાડવામાં આવેલ અને જય જય નંદા–જય જય ભદ્દા ના બુલંદ અવાજે વાતાવરણને વિશુદ્ધ કરતા ધૂપિના ગોટેગોટા ચાલતા હતા.
મશાનભૂમિ પર પાલખી ઉતારવામાં આવી અને ચંદનના લાકડાની ચિતામાં પૂજ્યશ્રીના દેહને પધરાવી અમદાવાદના શા. મોતીલાલ છગનલાલે અગ્નિદાહને લાભ લીધો. આ અંગે બીજી નાની મોટી ઠીક ઠીક ઉપજ થઈ હતી. પૂજ્યશ્રીના દેહની રાખ થઈ અને સૌ શાકાતુર હૈયે સ્વગૃહે સિધાવ્યા.
આ સમાચારથી શ્રીપાશ્વચંદ્રગરછમાં દીલગીરીની ભારે લાગણી પ્રગટી નીકળી હતી. ધ્રાંગધ્રાના ઉપાશ્રયમાં એક સ્થાને રેતી પાથરવામાં આવી હતી જ્યાં બીજે દિવસે શ્રીસંઘના ભાઈએાએ નીહાળતાં પૂજ્યશ્રીના કુમકુમ પગલાં પડેલા જોવામાં આવ્યાં જેને ફેટો મોજુદ છે. પૂજ્યશ્રીની પ્રભાવિકતાનું આ પ્રતિક હતું. આમ શ્રી ગચ્છને પૂજ્યશ્રીના સ્વર્ગવાસથી ન પુરાય એવી મહાન ખોટ પડી છે.
પૂજ્યશ્રીના સ્વર્ગવાસ નિમિત્તે જુદા જુદા સ્થળોએ અઠ્ઠાઈ મહોત્સવે કરવામાં આવ્યા અને રાજનગરના શ્રીસંઘે તે એ અઠ્ઠાઈ મહોત્સવ અદ્વિતીયરીતે ઉજળે. દિવસની જહેમત બાદ સં. ૧૯૯૬ ના કા. વ. ૧૩ ના રોજથી અઠ્ઠાઈ મહોત્સવનો પ્રારંભ થશે. રોજ જુદી જુદી પૂજા સુંદર રાગરાગણીમાં શ્રી હઠીસીંગ સરસ્વતી સભાના ભાઈઓએ ભણાવી કાંસીજોડાને ખડખડાટ ને બીજા વિધિવિધાને અજબ આહાદ જમાવ્યું હતું. અઠ્ઠાઈ મહોત્સવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૫૦
દરમ્યાન શ્રી પાવાપુરીજી શ્રી રત્નસાનું પર્યંતની રચના ઉપાશ્રયના ઉપરના વિશાળ હાલમાં કરવામાં આવી હતી. રાશનીથી સાયે સ્થાન જળહળી રહ્યું હતું. રાત્રે ભાવનામાં તા રમઝટ ખેાલતી. સ'ગીતરત્ન પ્રજ્ઞાચક્ષુ શ્રી બાબુભાઇ અને અન્ય સંગીતકુશળ ભાઈઓએ પેાતાની કળાની ખીલવણી કરી આખાયે પ્રસગને અનુપમ બનાવવાના શ્રીસઘના કાર્યમાં સુંદર કાળા આપ્યા હતા. શહેરમાંથી અઠ્ઠાઈ મહે।ત્સવ ની રચના જોવા માટે રાજ હારા ભાઈખ્તેનેાની ભીડ જામતી હતી. મંગળ ગીતા ગવાતા હતા અને આઠે દિવસેા દરમ્યાન આ સ્થળે ખસ ધર્મના વાતાવરણની ધૂન લાગતી હતી. તેમાંયે શાંતિસ્નાત્રના દિવસે તે શહેરના તમામ સભાવિત અગ્રેસરા અને જૈન જૈનેતરાએ દનના અપૂર્વ લાભ લીધેા હતા. શ્રીસંઘના અગ્રેસરા આ કા ની પાછળ વેપાર ધંધા સામું જોયા વિના ખડે પગે ઉભા હતા. યુવાન ભાઈએએ પણ વ્યવસ્થા સુંદર રીતે જાળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. સાધર્મિક વાત્સલ્યે થયા હતાં. અને ખીજા અનેકવિધ ધમ પ્રભાવનાના કાર્યોં પૂજ્યશ્રીની પાછળ થયાં. એજ બતાવે છે કે એ આત્મા પ્રત્યેની જનતાની ભક્તિ કેવી અપૂર્વ હતી.
પૂજ્યશ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજના જીવનમાંથી આપણે નીચેના તત્ત્વા તારવી શકીએ.
(૧) પેાતાના જીવનકાળનેા માટા સમય અભ્યાસ, અધ્યયન અને મનન પાછળ ગાળી જ્ઞાનને સારી રીતે ફેારવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
IXX
પૂર્વ પા॰ બાલબ્રહ્મચારી શાસ્ત્રવિશારદ આ. સ. શ્રી સાગરચંદ્રસુરિશ્વરજીના શિષ્ય
XXX H
મુનીરાજ શ્રી વૃદ્ધિચંદજી મહારાજ,
XXXX
'' (
Sudham
swami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૫૧ અનેક આત્માઓને સન્માર્ગ દર્શન કરાવી શ્રી વીતરાગ માગમાં દ્રઢ કર્યા હતા.
(૨) સંવત્સરીના ચાલતા મતભેદે અંગે તેઓશ્રીએ એક પ્રશ્નોત્તરપ્રકાશ શ્રીભ્રાતૃચંદ્રસૂરિ ગ્રંથમાળા રૂપે બહાર પાડી ભાદરવા સુદી પંચમીની સંવત્સરી શાસ્ત્રોક્ત છે એમ વિદ્વત્તા વડે સિદ્ધ કરી બતાવ્યું છે. એ વિષેના સચોટ લખાણ ઉક્ત પુસ્તકમાં મોજુદ છે.
(૩) સ્વ. આચાર્ય મહારાજ વિદ્વાન વક્તા ઉપરાંત કવિત્વશક્તિ પણ સારા પ્રમાણમાં ધરાવતા હતા જે તેઓશ્રીએ રચેલ ગુરૂતુતિઓ, સ્તવને અને સજઝા ઉપરથી જણાઈ આવે છે.
(૪) સ્વ૦ નૂતન દીક્ષિત કરવા માટે પરીક્ષા ને અગ્નિ પરીક્ષામાં માનનારા હતા તેથી તેઓશ્રીની વિદ્વત્તાના પ્રમાણમાં શિની સંખ્યા ઓછી જણાશે. હાલ તેઓશ્રીના શિખ્યામાં શ્રી વૃદ્ધિચંદ્રજી તથા શ્રી વિદ્યાચંદ્રજી વિદ્યમાન છે.
શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે ઠીકઠીક અભ્યાસ કર્યો છે. તેઓશ્રીને પિતાના આ ગુરૂવર્યની ખોટ આજે ભારે સાલે તેમાં આશ્ચર્ય જેવું શું છે?
(૫) જે બહુજ થડાના જીવનમાં જોવામાં આવે છે તે સ્પષ્ટવકતૃત્વને પૂજ્યશ્રી વરેલા હતા. સાચું કહે ત્યારે કેટલાકને લાગતું કે પૂજ્યશ્રીને સ્વભાવ આકરે છે પણ વિચાર કરતાં બીજી જ પળે કબુલ કરવું પડતું કે તેઓશ્રીનું કડવું કથન પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૫૨
હિતકારી છે. સાચા ગુરૂએ ભક્તોની ખેાટી પ્રશ'સા કે આળપ’પાળ કરનારા હેાતા નથી પણ જે સ્પષ્ટ લાગે તે સ્પષ્ટ કહેનારા હાય છે.
(૬) પોતાના ગુરૂવર્ય° ભટ્ટારક આચાર્ય શ્રી ભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ બાદ પૂ॰ મુનિરાજ શ્રીપુનમચંદ્રજી ગણિવર મહારાજ તથા પૂર્વ મુ શ્રીજગતચંદ્રજી ગણિવર મહારાજ સાથે રહીને પૂજ્યશ્રી પોતાના વડીલ ગુરૂભાઇઓની અનુપમ સેવા-સુશ્રુષા વિનયાદિ
સાચવતા હતા.
આવી મહાન વિભૂતિને શ્રી પાર્શ્વચંદ્રસૂરિગચ્છના નાયકા અને સભ્ય કેમ ભુલી શકે. તેઓશ્રીની ખોટ આજે પણ સાલે છે.
તેમાંયે તાજેતરમાં પૂર્વ મુનિરાજ શ્રી જગદ્રજી ગણી મહારાજ (બાવાજી) ના સ્વર્ગવાસથી શ્રી ગચ્છને બીજો ટકા પડયા છે. એક ઘા રૂઝાયા નહાતા ત્યાં બીજો પડયા છે. પરંતુ આટલા વિરહ અને વિયેગમાં પણ પૂ॰ વિદ્વાન ને ક્રિયાપાત્ર મુનિરાજોનું જે નાનું ભડાળ છે તેમાંથી ભવિષ્ય માટા સમુદાય થશે એવી આશાસહ સ્વસ્થ આચાર્ય દેવને અજી અપી તેમના આત્માને ચિર શાંતિ ઈચ્છી અને તેઓશ્રીનું જીવન અનેકને ધડારૂપ નીવડેા એવી ભાવના ભાવી આ ચિરત્ર સ`પૂર્ણ કરીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૫૩
આચાર્ય શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજીના જીવનચરિત્રને
ટુંક સારાંશ
જન્મ – સં. ૧૯૪૩, નાનાભાડીયા (કચ્છ) પિતાનું નામ -ધારસીભાઈ વિરજી માતાનું નામ રતનબાઈ જ્ઞાતિ –વીસા ઓસવાળ દીક્ષા -સં. ૧૫૮ મહા સુદ ૧૩, ખંભાત ગુરૂનું નામ –આચાર્ય શ્રી બ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજ અભ્યાસ –સાધુના આવશ્યક ક્રિયાના સૂત્રો, જીવવિચારાદિ
બધા પ્રકરણ, પાણિનીય વ્યાકરણ (સિદ્ધાંત કૌમુદી), રઘુવંશાદિ કાવ્ય, સાહિત્ય, કેશ, ત–ન્યાય, છંદ
(પિંગળ), જ્યોતિષ સંબંધી વિવિધ શાસ્ત્રો. ધર્મશાસવાંચનઃ-દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ,
સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી વગેરે સૂત્રે, શાલિભદ્રચરિત્ર મહાકાવ્ય વગેરે મહાન પુરૂના જીવન ચરિત્ર.
વિહાર -ગુજરાત, કાઠિયાવાડ, મેવાડ મારવાડ કચ્છ, વગેરે
પ્રદેશમાં વિહાર કરી અનેક ભવ્યાત્માઓને દેશવિરતિ, સર્વવિરતિ બનાવ્યા અને પ્રતિષ્ઠા કરાવી જૈનશાસનને વિજયધ્વજ ફરકાવ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૫૪
ચાર્યપદ :–સં. ૧૯૯૩ ના જેઠ સુદ ૪ ને શનિવાર, સ્થળ
અમદાવાદ-શામળાની પિળના ઉપાશ્રયમાં અઠ્ઠાઈ મહોત્સવ પૂર્વક આચાર્યપદ એનાયત કરવામાં આવ્યું.
સાહિત્યસેવા -શ્રી મન્નાગપુરીયતપાગચ્છની પટ્ટાવલી (પ્રથ
માવૃત્તિ), શ્રી દેવસરાઈ પ્રતિક્રમણ સૂત્ર (શાસ્ત્રી તથા ગુજરાતી), સ્તવન-સંગ્રહ, પૂજા-સંગ્રહ, પંચપ્રતિકમણ સૂત્ર (પાંચમી આવૃત્તિ), સઝાય-સંગ્રહ ભાગ ૧ લે, શ્રી શત્રુંજય તીર્થાદિ સ્તવન–સંગ્રહ (ગુજરાતી તથા શાસ્ત્રી), ગુરૂઅષ્ટપ્રકારી પૂજા (પં. શ્રી આલમચંદ્રજી કૃત), બાર ભાવનાના તેર ઢાળીયા (પં. શ્રીવત્સરાજજી કૃત), સંક્ષિપ્ત બાર વ્રતની ટીપ, મૌન એકાદશીનું દેઢસો કલ્યાણકનું ગણું, શ્રી જિનેન્દ્ર નમસ્કારાદિ સંગ્રહ,
રાસ-સંગ્રહ ભાગ ૧ લે, શ્રી જિનેન્દ્ર ગુણસ્તવનસંગ્રહ, સ્તવન-સઝાય-સંગ્રહ, ઈત્યાદિ પુસ્તકોના સંગ્રાહક તથા સંશોધક. સ્વાધ્યાય પ્રકરણરત્ન ભાગ ૧ લે, તથા સપ્તપદીશાસ્ત્રના સંપાદક તથા અનુવાદક. પ્રશ્નોત્તર-પ્રકાશ ભાગ ૧ લા, બીજાના લેખક અને ચૈત્યવંદનાદિ ચાવીશી (સ્તવનાદિ સંગ્રહ) ના રચયિતા. આમ પૂજ્યશ્રીએ પોતાના પર પકારી ગુરૂરાજના સ્મારક તરીકે આચાર્ય શ્રીભ્રાતૃચંદ્રસૂરિ ગ્રંથમાળા ચાલુ કરેલ તેને આજ સુધીમાં છેલ્લે ૫૪ મે મણકો જેવામાં આવે છે. (તે ક્રમવાર નહિ મળવાથી અહીં આપવામાં આવ્યા નથી.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
૧પપ
શિ:-પાટવી શિષ્ય મુનિરાજ શ્રી રાયચંદ્રજી લઘુ શિષ્ય , વૃદ્ધિચંદ્રજી
કે વિદ્યાચંદ્રજી કાળધમ -ઈત્યાદિ સ્વ–પર ઉપકાર કરી ૩૭ વર્ષ, ૭ માસને
૬ દિવસની દીક્ષા પાળી, તેમાંના ૨ વર્ષ, ૩ માસ ને ૧૫ દિવસનું આચાર્યપદ ભોગવી સં. ૧૯૫ ના ભાદરવા વદ ૪ થે ધ્રાંગધ્રામાં પોતાનું પર વર્ષ, છ માસ ને ૬ દિવસનું સર્વ આયુઃ પૂર્ણ કરી સમાધિપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગવાસી થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૫૬
શ્રી જૈન હઠીસીંગ સરસ્વતી સભા.
આદર્શ શિક્ષણ સંસ્થા સ્વ આચાર્ય શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજના
ઉપદેશનું પરિણામ. શ્રી અને સરસ્વતી દેવીની કૃપાથી ફાલ્યા–પુલેલા ગુજરાતની ભૂમિમાં તેનું પાટનગર અમદાવાદ ઉર્ફે રાજનગરે જૈનપુરી નામ ધરાવવા જેટલું મહત્વ પ્રાપ્ત કર્યું છે. ગુજરાતને આંગણે એટલા દાનવીરે, કર્મવીરે અને ધર્મવીર પાક્યા છે કે તે ભૂમિ આજે જગમશહુર બની છે. એવા ગુજરાતમાં આજે ધાર્મિક શિક્ષણ આપતી અનેક સંસ્થાઓ ચાલી રહી છે. ગુજરાતને શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે સાહિત્ય અને જ્ઞાનને અમૂલ્ય ખજાને આપે છે. શ્રી વાદિદેવસૂરીશ્વરજી જેવાએ ન્યાયના અનેક ગ્રંથે જેના ચરણે ધર્યા છે. યુગપ્રધાન શ્રીમદ્દ પાશ્વ ચંદ્રસૂરીશ્વરજી, શ્રી આણંદવિમલસૂરિજી જેવા કિદ્ધારક ગચ્છનાયકોથી જે ભૂમિ ઉજળી છે એ તેના કમાગ વડે જ. આર્થિક સંપત્તિ ધરાવનારા અનેક આત્માઓ આવી ગયા પરંતુ કિંમત તે કમ
ગીઓનીજ લેખવામાં આવી છે કે જેઓએ પિતાના આત્માની શુદ્ધિ વડે અનેક ભવ્યાત્માઓને આ ભવસમુદ્ર તરવાને માર્ગ બતાવ્યે છે. અત્યંત પ્રાચીન સમયની વાત ત્યે અને જુઓ કે અહિંસા ધર્મના આધસ્થાપક યુગાદિદેવ શ્રી રૂષભદેવજી, નૈષ્ઠિક બ્રહ્મચર્યને આદર્શ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન હઠીસીંગ સરસ્વતી સભાના
પ્રેસીડેન્ટ.
BXXXXXXXXXXXXXXXXXXX
Hક્ષમ
શેઠ હઠીસીંગ રાયચંદ. (શામળાની પાળ) અમદાવાદ, અવસાન સં. ૧૯૫૮ના ભાદરવા સુદ ૫
Page #221
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૫૭
આપનાર યાદવ તીર્થકર શ્રી અરિષ્ટનેમિજી અને કમયેગને અપનાવી જગત સમક્ષ એક મહાન બોધપાઠ રજુ કરનાર ભગવાન શ્રી કૃષ્ણના પુરૂષાર્થ વડે ધર્મભૂમિની કીતિ આજલગી સુવાસ આપી રહી છે. આ બધો પ્રતાપ ધાર્મિક જ્ઞાનને હતે. જીવનમાં ધાર્મિક કેળવણી એ આવશ્યક વસ્તુ છે એમ જ્યારે સમજાય, તેના પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થાય ત્યારે જ તેને વાસ્તવિક મર્મ આપણે સમજી શકીએ.
પ્રત્યેક સમાજ, રાષ્ટ્ર અને ધર્મને વિકાસ ભાવી પ્રજાના હાથમાં રહેલું છે. એ ભાવી પ્રજા જેટલી સમાજ પ્રિય, રાષ્ટ્રપ્રેમી અને ધર્મપ્રેમની તથી વિભૂષિત થયેલી હોય છે તેટલો તે સમાજ, રાષ્ટ્ર ને ધમની ઉન્નતિ સાધ્ય બને છે. એથી જ આપણે બાળકોને બચપણમાંજ સુસંસ્કારેને વારસો આપવા અર્થે ધામિક કેળવણી તરફ દોરવા જોઈએ. કેળવણી એ જીવનમાં દીપક સમાન છે. આજે ઉંમરે પહોંચેલા યુવાનેને બોધ અસર કરી શકવા અર્થ છે સિવાય કે તે વર્તમાન વાતાવરણની અટવીમાં અટવાયેલ ન હોય અને પૂર્વના ગ્રહયોગો સારા હેય. આજનો યુવાન વર્ગ તો વાતવાતમાં શંકા-કુશંકાઓ ઉઠાવનાર અને દલીલે ખૂટે ત્યાં વિતંડાવાદ કરનારે માલુમ પડે છે. વર્તમાન જગતનું વાતાવરણુજ એવું છે કે ધાર્મિકતા તરફ એનું ધ્યાન ભાગ્યેજ દોરાય છે. એટલું જ નહિં પણ જડ પદાર્થોમાં એની આશક્તિ વધતી જાય છે. વળી જેઓ ઉમ્મરે પહોંચેલા છે તેઓને પણ યોગ્ય માર્ગે લાવવામાં મુશ્કેલી છે. ત્યારે એક બાલ્યવર્ગજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૫૮
એ છે કે જેને બચપણમાંથી સુસંસ્કારોને વારસો આપો હોય તે આપી શકાય એમ છે. કમળા ઝાડને જેમ વાળીએ તેમ બાળક પણ માતાપિતાદિની આજ્ઞા મુજબ વળે છે.
ઘણા એ પ્રશ્ન કરે છે કે બાળકે માથે આ બજે શું? તેઓ માગધી કે સંસ્કૃત ભાષાના સૂત્રે કંઠસ્થ કરવા હજુ ઉંમર લાયક નથી પરંતુ તેઓ ભૂલી જાય છે કે બાળકને વય એજ સુસંસ્કારોના સિંચન માટેની યોગ્ય વય છે. આપણે બાળકોને ઉઠ કહીએ તે તે ઉઠે છે, બેસ કહીએ તે તે બેસે છે, દેરાસર લઈ જઈએ તે તે હંમેશાં આપણું સાથે આવે છે અને જે પ્રમાણે અદબ રાખવી કહીએ તે પ્રમાણે રાખે છે. તે શું એ ધામિક કેળવણું કંઠસ્થ ન કરી શકે? આપણા પૂર્વાચાર્યોના દ્રષ્ટાંત તરફ નજર કરો ને એમાંને મોટો વર્ગ બાલ્યસંસ્કારથી મહાત્મા અને મહાપુરૂષની કક્ષામાં મુકાયેલે છે. વિદ્યમાન પિકિ અનેક આચાર્ય મહારાજે અને મુનિરાજેએ બાલ્યવયમાં ધાર્મિક જ્ઞાન મેળવી સર્વવિરતિ અંગીકાર કરી છે. જેન ગૃહસ્થને સંસારમાં રહેવું પડે તે પણ તે પિતાના દયેય તરિકે તે હંમેશાં સર્વવિરતિનું જ ચિત્વન કરે. પરંતુ આજે માતપિતાદિ પણ પિતાના બાળકોનું ભાવી વિસરવા લાગ્યા છે. ધાર્મિક કેળવણીને બેજા રૂપ માનવા લાગ્યા છે. અને બીજી બાજુ યુવાન પ્રજામાં સ્વતંત્રતાના નામે જે સ્વછંદતા પ્રસરી રહી છે, વિનય અને વિવેક, શિષ્ટાચાર ને સભ્યતા ભુલાયા છે તેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૫૦
લમણે હાથ દઈ નિરાશાના નિસાસા નાંખે છે. પરંતુ જે એજ યુવાનેને બાલ્યવયમાં દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યે શ્રદ્ધા ઉતપન્ન કરે એવી કેળવણી આપી હતી તે આ દશા આવત? એ પ્રત્યેક માતપિતાએ વિચારીને પોતાના બાળકે ધાર્મિક કેળવણી માટે પાઠશાળાઓએ મોકલવા જોઈએ. આજે ઠેર ઠેર ગુરૂકુળ, વિદ્યાલય ને વિદ્યાવિહારે છે પરંતુ એમાંથી સ્વધર્મને માટે ગૌરવ લઈ એને વિજયદેવજ ફરકાવવા કેટલા નીકળ્યા એ તપાસીશું તે પરિણામ લગભગ કેઈ અપવાદો સિવાય ત્યજ જણાશે. આ સંસ્થાઓની ભવ્યતા તેની સુંદર ઇમારત પરથી નહિં પણ તેમાં ભણતા વિદ્યાથીઓની સંસ્કારિતા પરથી આંકી શકાય છે.
આથી ધર્મમાં પ્રવેશ કરનાર, કરાવનાર અને તેમાં સહાયભૂત થનાર એ ત્રણે સગતિના ભાગીદાર બને છે. આવી સગતિના ભાગીદાર બનવા આજથી ૪૮ વર્ષો પૂર્વે શામળાની પિળમાં રહેતા શ્રી પાચંદ્રસૂરિગરછના એક ધર્મશ્રેષ્ઠિ શ્રી હઠીસીંગ રાયચંદભાઇની જિજ્ઞાસા તીવ્ર બનતાં સં. ૧૫૦ ના માગશર સુદ ૨ ના રોજ શ્રીસંઘના અન્ય ગૃહસ્થોના અનુમંદન સાથે અને સ્વ. ભટ્ટારક આચાર્ય શ્રીમદ્દભ્રાતૃચંદ્રસૂરીશ્વરજી જેવા મહાન ઉપકારી પુરૂષના આશિર્વાદ સાથે “ શ્રી જૈન સરસ્વતી સભા નામની ધાર્મિક શિક્ષણ આપવા માટેની એક સંસ્થાની રાજનગરના આંગણે શામળાની પળમાં સ્થાપના થઈ. શેઠશ્રી હઠીસીંગભાઈની ઉદાર વૃત્તિ અને ગુરૂ ઉપદેશના પરિણામે વૃદ્ધિને પામી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૬૦
આ સભા સાથે તેઓશ્રીનું નામ જોડાયેલું રહે એ માટે તેઓશ્રીના અવસાન બાદ તેમની ઈચ્છાનુસાર તેમના વિધવા ધર્મપત્ની હરકુંવરબાઈએ નાદર રકમ આપી મહૂમની ઈચ્છા અને આશાને પરિપૂર્ણ કરી. સં. ૧૯૬૨ થી સંસ્થાનું નામ “શ્રી જૈન હઠીસીંગ સરસ્વતી સભા” રાખવામાં આવ્યું.
શરૂઆતમાં આ સભામાં દાખલ થનાર માટે સમવ્યસનોના ત્યાગને ફરજીયાત બનાવવામાં આવ્યા છે. કારણ કે આમાઓ વ્યસની હોય એમનામાં ધીરે ધીરે એક પછી બીજે ને બીજા પછી ત્રીજે એમ અનેક જાતના દે દાખલ થાય છે. આજે ધાર્મિક કેળવણી પામેલા ઘણાયે એવા છે કે જેમના જીવનમાં વ્યસને ઘર ઘાલવાને પરિણામે તેઓ કેઈ આદર્શ રજુ કરી શકતા નથી બલકે તેમની છાપ પડતી નથી.
આ સભાના દ્વિતીય વર્ષના રીપોર્ટ પરથી જણાય છે કે પ્રથમ નવકાર મંત્રથી ઉપરોક્ત સભામાં વિદ્યાર્થીઓને અભ્યાસ શરૂ કરાવવામાં આવે છે અને જ્યારે આપણે એ રિપોર્ટમાં જોઈએ છીએ કે સં. ૧૫૧ ના બીજા વર્ષમાં પ્રતિકમણ, જીવવિચાર, નવતત્ત્વ, દંડક, લધુસંઘયણી, નવસ્મરણ વિ. ને અભ્યાસ ચાલે છે ત્યારે સહેજે લાગે છે કે આ સભાના વિદ્યાર્થીઓ કેટલી લાગણી પૂર્વક અભ્યાસ કરતા હેવા જોઈએ કે એક જ વર્ષમાં તેઓ ધાર્મિક શિક્ષણની આટલી ઉચ્ચ કક્ષાએ જઈ રહ્યા છે. ત્યારબાદ માગધી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૧
સંસ્કૃતના અભ્યાસની વ્યવસ્થા કરવા માટે એમાં જણાવવામાં આવ્યું છે અને તે માટે સ. ૧૯૫૨ની સાલથી એક વિદ્વાન પતિને રાકીને વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સસ્થાની ડેડ કમીટી જેના પર સંસ્થાના નિશાન –પાલન પાષણ અને દેખરેખના બેજો હતા તેમાં નીચેના ગૃહસ્થેા હતા.
૨
૧ રા. રા. શેઠ હઠીસીંગભાઇ રાયચંદભાઇ—પ્રેસીડેન્ટ મનસુખરામ નાનચદભાઇ—વાઇસપ્રેસીડેન્ટ બહેચરભાઈ કસ્તુરભાઈ વકીલ
3
૪ શા, વાડીલાલ નગીનદાસ ચાવીસહજાર
૫,, *તેચંદ્ર કેલતચંદ્ર મણીલાલ ટ્રાન્ત'
છ, સુંશાઈ હીરાચ
.
૯
99
,,
""
,,
99
૧૦
૧૧
૧૨
ભુરાભાઈ છગનલાલ ૧૩ સાંકળચ'દ વિઠ્ઠલદાસ
,,
,,
""
""
"9
નગીનદાસ કરમચંદ પાચાભાઇ કેવળદાસ
નાગજીભાઈ કુંવરજી
વાડીલાલ કાળીદાસ
૧૮ ૬, પુંજાભાઈ હીરાચઃ
,,
પાઘડીવાળા મણીલાલ દલસુખરામ ચુનીલાલ અમીચંદ
,,
૨૧ ,, મનસુખરામ ઉમેદચંદ ૨૩ હિરભાઈ માતીચંદ જેઠા
૨૩
૨૪
૨૫
૧૯
૨૦
૨૬
૨૭
""
,,
""
,,
૧૪ ,, મહાસુખરામ કાળીદાસ
૧૫
ચુનીલાલ દીપચંદુ
૨૮
૧૬
વાડીલાલ મગનલાલ
૨૯
૧૦
વાડીલાલ નગીનદાસ
૩૦
પટવા
૩૧
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
""
99
"9
99
""
""
ખાલાભાઈ કુંવરજી
વાડીલાલ હરગેાવનદાસ
સાંકળચંદ્ર ખેમચ'દ
ભગત
લલ્લુભાઈ ગુલાબચંદ માહાલાલ તલ્લુભાઈ યુદ્ધ નાથાભાઈ લલ્લુભાઇ
ભગુભાઇ મલુકચંદે
છગનલાલ જયચંદ્રુ
દલપતભાઈ પ્રેમચ'દ
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ઉપરાક્ત ગૃહસ્થામાંથી તેમજ બીજા મળીને ૧૯ ગૃહસ્થાની એક સબ કમિટીની નીમણુંક કરવામાં આવી હતી જેમનાં મુબારક નામ નીચે પ્રમાણે.
૧ રા. રા. શા. સામાભાઇ ભગુભાઈ સેક્રેટરી અને ખજાનચી. ૨ ખાલાભાઈ માકમચંદ જોઇન્ટ સેક્રેટરી અને ખજાનચી
૩ સાંકળચ’દૃ પીતાંબર
૪
૫
७
૮
૯
૧૦
""
,,
,,
,, નથુભાઇ આતમદાસ
""
',
,,
,,
""
દાસ કવિ
મણીલાલ દોલતચંદ
નાથાભાઇ લલ્લુભાઈ ચુનીલાલ અમથાસા
વાડીલાલ વીરચંદ મેાઢી
મેાહનલાલ કાળીદાસ
વાડીલાલ એચરભાઇ
૧૧ ,, માન' નથુભાઈ ૧૨ જેઠાભાઈ ખેમચદ ૧૩,, મણીલાલ હુકમચંદ
""
,,
૧૪ ભગુભાઈ છગનલાલ ૧૫,, મ’ગળદાસ લલ્લુભાઇ ગોકળદાસ નગીનદાસ
૧૬
૧૭
વાડીલાલ મગનલાલ
૧૮
લાલભાઇ ખુશાલદાસ
૧૯
નકરચંદ પાનાચંદ
99
,,
""
""
સભા કાયમ માટે નભી રહે એવી એક ચેાજના ઉપરાસ્ત એ કમિટીએ ૧૯૫૧ ના કારતક સુદ ૧ થી અમલમાં મૂકી અને તે સાથે સંસ્થાનું બંધારણ પણ ઘડાયું.
એકજ સાલમાં સભામાં ૨૦ વિદ્યાથી આના વધારે અતાવવામાં આવ્યે અને સરાસરી ૪૦-૫૦ ની હતી. વિદ્યાથી આના અભ્યાસ વિભાગમાં પાંચપ્રતિક્રમણ, નવસ્મરણુ, જીવવિચાર, નવતત્ત્વ, દંડક, લઘુસંઘયણી સુધી બતાવવામાં આવેલ છે.
વિદ્યાથી એના બે વર્ગો રાખવામાં આવ્યા હતા. પ્રથમ વર્ગમાં–૩૫ અને બીજા વર્ગોમાં-૫૦, પ્રથમ વગ એટલે ઉચ્ચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૬૩
અભ્યાસ કરતા અને બીજામાં નાની વયના વિદ્યાથીઓ હતા. એ વર્ષોંમાં સંસ્થાને ૧૨ પુસ્તકાની ભેટ મળેલી છે.
સભાના નિભાવ માટે રૂપીએ, એ રૂપીઆ મેમ્બરનું લવાજમ રાખવામાં આવ્યું હતું. સભા પાસે એક નાની લાયબ્રેરી હતી. જેમાં ૧૩૪ પુસ્તકા પૈકિમાંથી ૬૭ વિદ્યાથી ઓને ઘેર વાંચવા માટે આપવામાં આવેલા છે. એજ સાલમાં સભાના પ્રેસીડેન્ટ શેઠ હઠીસીંગ રાયચંદ તરફથી સભા માટે એક મકાન તૈયાર કરાવવામાં આવતું હતું કે જે માટે આભાર દનની નોંધ લેવામાં આવી હતી.
ત્યારબાદ પૂજ્ય ગુરૂદેવાના ઉપદેશ, શ્રીસ`ઘના અગ્રગણ્ય ગૃહસ્થાની કાળજી અને બાળકાના ઉત્સાહ વડે સંસ્થાની ઉત્તરાત્તર પ્રગતિ થતી રહી છે અને એ સભામાં અભ્યાસ કરનારા એ સમયના બાળકો પણ હાલના વિડલા આપણી સમક્ષ છે કે જેઓ આ સંસ્થામાં કેળવણી લઈ પેાતાના ધમ, કુળ અને શ્રીસંઘને દીપાવી રહ્યા છે.
પ્રાપ્ત થતા સ. ૧૯૮૮ ના વાર્ષિક દિન ઉજવણીના અહેવાલમાં બતાવ્યા મુજબ સસ્થા સાથે જોડાયેલ યુવાન અને વિડેલ ભાઇઓની શ્રીભ્રાતૃચંદ્રસૂરીશ્વરજીના સદુપદેશથી સ્થાપિત ટાળી જે નિમંત્રણથી રાત્રીજાગરણ પૂજાદિ ઉત્સવેામાં ભાગ લે છે. તેણે સ. ૧૯૮૧ માં એવા ૨૨ નિમત્રા સ્વીકાર્યા હતા. અને ભક્તિમયસ્તવના પેાતાના ગુરૂદેવને યાદ કરીને ગાતાં તાલ અને રસની સુંદર જમાવટ કરે છે. અનેક પાળેાના ભાઇ એ વાતથી સુવિદિત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૬૪
આ વર્ષમાં સભામાં વિદ્યાથી આની સંખ્યા ૫૯ ની તાવવામાં આવી છે. શિક્ષક તરિકે શ્રી સાંકળચંદ વાડીલાલભાઈ હતા કે જેમની મદદમાં બીજા વિદ્યાથીએ પણ કામ ઉપાડી લેતા કારણુ એક કે દાઢ કલાક જેટલા સમયમાં પ૯ વિદ્યાથી આને પહેાંચી વળવું એ એક શિક્ષક માટે શક્ય નહતું. આ ગૃહસ્થની સેવા માનદ્ કાઈપણ જાતના બદલા વિનાની કેવળ સ્વપરહિતની દ્રષ્ટિએ આપવામાં આવી હતી. મૂળથી ચાલતી પ્રથા મુજબ સભાના સહાયકના ત્રણ વર્ગો રાખવામાં આવેલા જેના લવાજમ અનુક્રમે રૂા. ] ૩] અને ર] રાખવામાં આવેલ. આવા સભાસદો ૮૦ હતા. એટલે ગઇ સાલ કરતાં ૩ ને ઘટાડા થયા. આયબિલની ઓળીનું ક્રૂડ શેઠ શ્રી મનસુખરામ નાનચંદ કેવળદાસ તરફથી કરવામાં આવતાં સારી રકમ ઉત્પન્ન થઇ હતી.
સ. ૧૯૮૮ ના ઉત્સવ બાદ મંદતાના કે ગમે તે કારણે પણ વાર્ષિક મહોત્સવ ચાર વર્ષ સુધી ઉજવાયેા નહેાતા. આવી અસ્થાના વાર્ષિક મહેાત્સવ નિયમિત ઉજવાય એ ઉત્તેજન અને આકર્ષણ અથે જરૂરી છે. આમ સંસ્થાને સ. ૧૯૮૮ પછીના વાર્ષિક ઉત્સવ સ. ૧૯૯૨ ના માગશર વધુ ૧૨ ને રવિવારના રાજ ઉજવાયેા હતા. ચાર વર્ષના ગાળામાં શિક્ષણની વ્યવસ્થાની ઉણપ અને પરિણામે ખળકાની હાજરીમાં પડેલા મહાન કુટકાના કારણે સભા બંધ રહેલી એ દુઃખદ સમાચાર છે. જે પુરૂષાએ એને આશિર્વાદ આપ્યા છે, જે પુરૂષ પેાતાના ઉત્સાહ અને ખંતથી ભાવી પ્રજાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૬૫
માત્માના કલ્યાણ અર્થે નાદર રકમ અર્પણ કરી છે તેવા આ પ્રવાહને નહિં અટકાવવાની જવાબદારી વિદ્યમાન કાર્યવાહકા પર રહેલી છે એ ફરજ સમજવી ઘટે છે.
આ સાલમાં સભ્યાની સખ્યા ૮૦ થી ઘટીને ૬૫ ની થઈ જેના વાર્ષિક લવાજમની આવક રૂા. ૧૭૦] થઈ હતી.
પૂષાઆચાય શ્રીમદ્ ભ્રાતૃચંદ્રસુરીશ્વરજી મહા રાની યાદગીરી અને ગુરૂભક્તિ અર્થે ૧૦ 211. સાંકળચંદ મેહકમચંદ (તાર માસ્તર) તરફથી ‘આચાય શ્રી ભ્રાતૃચદ્રસૂરીશ્વર સ્મારક ડે' નામનું ફંડ ઉભું કરવામાં આવ્યું છે કે જેની રકમના વ્યાજમાંથી વિદ્યાથી ઓને ઇનામ અર્થે રૂ।. ૨૫] સભાને આપવામાં આવે છે.
સ. ૧૯૯૩ માં વાર્ષિ ક ઉત્સવ ફાગણ વદ ૫ ને ગુરૂવારના રાજ ઉજવવામાં આવ્યે. આ વર્ષ દરમ્યાન પૂ વિદ્વાન વક્તા મુનિરાજ શ્રી સાગરચંદ્રજી મહારાજ અને માસ્તર સાંકળચંદભાઈ વાડીલાલે જુદાજુદા વિદ્યાથી એની પરીક્ષા લેતાં પરિણામે કાંઇ ખાસ પ્રગતિ જણાઇ નથી વિદ્યાશ્રી એ કઇ રીતે આગળ વધે એ હેતુથી સભાના કાય વાહકાએ માસ્તર શ્રી ચીનુભાઇ કસ્તુરચંદ અને માસ્તર માંતીલાલ નાનચંદભાઇને ટીકયા. સભાસદોની સંખ્યા ફક્ત ગઈ સાલ કરતાં ૪ ના વધારા એટલે કુલ્લે ત્રણે વર્ગના મળી ૬૯ બતાવે છે. જ્યારે લવાજમની આવકમાં રૂા. જી ના વધારા જણાય છે.
સ. ૧૯૯૪ માં સભાના વાર્ષિક ઉત્સવ મહા વદ ૧ ને મગળવારે યેાજાયા હતા. વિદ્યાથી એની સખ્યામાં ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
{1}}
ના ઘટાડા થતાં ૫૦ રહ્યા. કેટલાક કારણેાસર આ પેાળમાં બીજી એક સંસ્થા ચાલુ થવાને પરિણામે આ ઘટાડા સુચવે છે. આ વરસે મુ॰ શ્રી અમીચદ્રજી તથા મુ॰ શ્રી લાભચંદ્રજીએ વિદ્યાથી એની પરીક્ષા લેતાં ૪૩ માંથી ૩૫ વિદ્યાએ પસાર થયા હતા. એટલે પરિણામની દ્રષ્ટિએ તે ૮૧ ટકા જેટલું આવ્યું.
સ. ૧૯૯૫ ના વાર્ષિક મહેાત્સવ માગશર સુદ ૩ ને શુક્રવારે ઉજવાયા. વિદ્યાથી એની સખ્યા ગત વર્ષ જેટલી ૫૦ ની હતી.
સભાના સંચાલકાની વિનંતિથી પૂ॰ મુનિરાજ શ્રી કૃપાચદ્રજી મ તથા પૂર્વ વિદ્વાન વક્તા મુનિરાજ શ્રી ખાલચંદ્રજી મહારાજ સાહેબે વિદ્યાથીઓની પરીક્ષા લીધી હતી. પરિણામ ઠીકઠીક આવ્યું. પૂજ્ય મુનિરાજોએ શુદ્ધ ઉચ્ચારા વિષેની ટીકાઓ કરી છે. અભ્યાસ ભલે એછે હાય પણ શુદ્ધ હેાય તે જરૂરી છે. એ વિષે શિક્ષકે તેમજ સંચાલકેએ ઘટતું કરવું જોઇએ.
સં. ૧૯૯૬ ના ઉત્સવ દિન માગશર સુદ ૫ ને શનિવારના હતા. આ સાલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૬ ના વધારા બતાવે છે. પૂર્વ મુનિરાજ શ્રી બાલચદ્રજી મહારાજે પરીક્ષા લેતાં સુત્રાના ઉચ્ચારની ખામીના પુનઃ નિર્દેશ કર્યાં છે એ દુઃખદ છે. તે સાથે સંચાલકાને જવાબદારી અદા કરવા માટે સુચન કર્યું છેજે મનનીય છે. આ વખતે ધામિક સવાદના કાર્યક્રમ પશુ ઠીકઠીક રીતે ભજવાયા. મેદની આકષ વાનું
આ એક ઉત્તમ સાધન હોવા સાથે હિતકર પણ છે. કારણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૬૭
બાળકોમાં સંસ્કાર રેડવા માટે આવા ધાર્મિક સંવાદ જરૂરી ભાગ ભજવે છે.
સં. ૧૯૯૭ ને મહત્સવ માગશર વદ ૧ રવિવારના રોજ જૈન અગ્રેસરે, શ્રી સંઘના ગૃહસ્થ અને અન્ય ભાઈ બહેનની વિશાળ મેદની વચ્ચે શેઠશ્રી પુંજાભાઈ દીપચંદની અધ્યક્ષતામાં ઉજવાયે હતું. આ સાલ ચાતુર્માસ રહેલા પૂર્વ મુનિરાજ શ્રી કપાચંદ્રજી તથા વિદ્વાન વક્તા પૂ. મુ. શ્રી બાલચંદ્રજી મ. સાહેબે પરીક્ષા લીધી હતી. પૂ૦ મુનિરાજના ઉપદેશ સિંચન અને કાર્યવાહકેની જવાબદારી અદા કરવાની જાગેલી થેડી પણ તત્પરતાને લઈ શ્રી રાજનગર ઈનામાં પરીક્ષામાં બેઠેલા સભાના ૧૧ વિદ્યાર્થીઓમાંથી ૧૧ પાસ થયા હતા. આમ આ વર્ષ ખરેખર પ્રગતિનું
ધી શકાય. આ સાલ આજીવન સભ્ય (Life member) ની યોજના કરી તેનું લવાજમ રૂ. ૧૦ઠરાવવામાં આવ્યું. સભાસદોની સંખ્યા ૮૦ ની હતી. વાર્ષિક લવાજમની આવક રૂા. ર૦૬આવી. તેમજ મહેમ શેઠ ભીખાભાઈ સાંકલચંદુ સતીના સમરણાર્થે રૂા. ૭૦૦] ની નાદર રકમ તેઓશ્રીના સુપુત્ર ચંદુલાલભાઈએ આપી છે અને શેઠ લાલભાઈ મનસુખરામની પ્રેરણાથી ઈનામ તરીકે વહેંચવા ઝાંપડાનીપળના શા.ઉમેદચંદભાઈ વીરચંદભાઈ કે જેઓના દાનનો પ્રવાહ સુયોગ્ય ને આત્મહિતના માર્ગોમાં ચાલુ છે તેઓ તરફથી ચાંદીની વાટકીએ કરાવી આપવામાં આવી છે.
સંસ્થાની હર વર્ષની કાર્યવાહીમાં પણ નવીનતા જવાની જરૂર છે. એ માટે નાણુંની જરૂરીયાત રહે જ. પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
બાળકોમાં ઉત્સાહ વધશે તે નાણાં આપનારા તે જરૂર મળી આવશે. ખાસ કરીને બાળકોને પૂજા-પ્રતિકમણ-સામાયિક વિગેરે સામુદાયિક ક્રિયામાં જોડવા. સ્નાત્ર મહોત્સવ દર માસે એક ઉજવ. તેમને નજીકના તીર્થમાં લઈ જઈ તીર્થસ્થાનનું મહત્વ બાળશૈલીમાં સમજાવવું અને અઠવાડીયે એક દિવસ ધાર્મિક જ્ઞાનવાળા પુરૂએ બાળકે સાથે તેમને સ્પર્શતા વિષયની ચર્ચામાં આનંદી વાર્તાલાપમાં ગાળવે. જે આમ થશે તે સંસ્થા છેડાજ વર્ષમાં એક બાળકેળવણીને એક આદર્શ રજુ કરવા શક્તિમાન થશે.
સંસ્થાના શિક્ષકે માનદ્ સેવા આપતા હોય કે બીજી રીતે કામ કરતા હોય તેમના પ્રત્યે સમાજે બહુમાનથી જેવું જોઈએ. પ્રસંગે પ્રસંગે તેમના હૈયાના ઉલ્લાસમાં વૃદ્ધિ થાય એ રીતે એમની ગ્યતા પ્રમાણે કદર કરવી જોઈએ.
શિક્ષકોએ પણ પોતે સમયની મર્યાદા સામે જોયા વિના પિતાના હાથ નીચે અભ્યાસ કરતા બાળકેમાં ધાર્મિક સંસ્કારો કેમ રેડાય ને સુદ્રઢ કેમ બને એવું તેમનું ચારિત્ર રાખી બાળકેને દેરવા જોઈએ તેમજ તેઓ ભાવી સમાજના ઘડવૈયા છે તે પગારની રકમ સામે નહિ જોતાં એક આદર્શ ખડે કરવાનેજ લોભ હંમેશાં રાખવું ઘટે છે. એટલી વિનંતિ નમ્રભાવે કરીને વિરમીશું!
સમાપ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
શાસન સમ્રાટ આ.ભ. શ્રી વિજય નેમિસુરિશ્વરજી મ.સા. નાં શિષ્યરત્ન પ.પૂ.આ.ભ. શ્રી પધસૂરિ ગ્રંથાલય
દાદા સાહેબ, ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________ અશાંતિ alclblle 0 bler મી ક સ રતનપાન કરાવવા માં આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com