________________
૩૦
શરૂ કર્યાં. અને વરદરાજને શ્રીભાગવતીપ્રત્રજ્યા આપી તેનું નામ મુનીશ્રી વિજયદેવ સ્થાપવામાં આવ્યું.
વિહાર કરતા આચાર્ય ભગવાન શ્રીપાચંદ્રસૂરિજી નાગાર પધાર્યાં. આ સમયે શ્રીચતુર્વિધસંધને ઉપદ્રવ કરતા વીરમંડળને પ્રતિાધી-તાએ કરી એક વિત’ડાવાદી ચેગિનીને પણ વાદમાં જીતી. આચાય શ્રીના જ્ઞાનબળને જોઇને ત્યાંના ઘણા ક્ષત્રી વીરાએ બહુમાનપૂર્વક શ્રાવકધમ અંગીકાર કર્યાં અને કમ મળને તાડવા માટે ક્રિયામાં દૃઢતાથી જોડાયા. એ સાલ શ્રીસંઘની વિનંતીથી નાગારમાં ચાતુર્માસ રહ્યા અને ત્યાં કેમ જાણે ચેાથા આરાની ભાવના પ્રવતતી ન હેાય એવું આલ્હાદજનક વાતાવરણ ખડું થયું. તેમાંયે પૂ. આચાર્ય ભગવાને કનકાવની તપ કરી લેાકેાને તપનું સાચું મહાત્મ્ય સમજાવ્યું.
આ ચાતુર્માસ સમયે લેાંકાશાહ નામના સ્મૃતિ ઉત્થાપક એક સ્થાનકવાસી ગૃહસ્થ પ્રભુપૂજન ઇત્યાદિ કર્માનુષ્ઠાના વિષે ભારે અંધાધુધી ફેલાવવાને પ્રયાસ કરી રહેલા હતા. તેની સાથે આચાય ભગવાન શ્રી પાકવચંદ્રસૂરીશ્વરજીએ વાદવિવાદ શરૂ કરી સ્વમત સમજાવવા પ્રયત્ન કર્યો પરંતુ જ્યાં કદાગ્રહ હાય ત્યાં સ્પષ્ટ સમજાય કયાંથી? આજે એજ લાંકાશાહને પ્રકાશમાં લાવવાના પ્રયત્ના સ્થાનકવાસી સમાજ તરફથી થઈ રહ્યા છે. પર’તુ જેમ જેમ સ્થાનકવાસીએ સરળભાવે વિચાર કરે છે તેમ તેમ તેમના મગજમાં મૂર્તિ પૂજા પ્રાચીન છે એ માન્યતા ઠસાતી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com