________________
૧૬૪
આ વર્ષમાં સભામાં વિદ્યાથી આની સંખ્યા ૫૯ ની તાવવામાં આવી છે. શિક્ષક તરિકે શ્રી સાંકળચંદ વાડીલાલભાઈ હતા કે જેમની મદદમાં બીજા વિદ્યાથીએ પણ કામ ઉપાડી લેતા કારણુ એક કે દાઢ કલાક જેટલા સમયમાં પ૯ વિદ્યાથી આને પહેાંચી વળવું એ એક શિક્ષક માટે શક્ય નહતું. આ ગૃહસ્થની સેવા માનદ્ કાઈપણ જાતના બદલા વિનાની કેવળ સ્વપરહિતની દ્રષ્ટિએ આપવામાં આવી હતી. મૂળથી ચાલતી પ્રથા મુજબ સભાના સહાયકના ત્રણ વર્ગો રાખવામાં આવેલા જેના લવાજમ અનુક્રમે રૂા. ] ૩] અને ર] રાખવામાં આવેલ. આવા સભાસદો ૮૦ હતા. એટલે ગઇ સાલ કરતાં ૩ ને ઘટાડા થયા. આયબિલની ઓળીનું ક્રૂડ શેઠ શ્રી મનસુખરામ નાનચંદ કેવળદાસ તરફથી કરવામાં આવતાં સારી રકમ ઉત્પન્ન થઇ હતી.
સ. ૧૯૮૮ ના ઉત્સવ બાદ મંદતાના કે ગમે તે કારણે પણ વાર્ષિક મહોત્સવ ચાર વર્ષ સુધી ઉજવાયેા નહેાતા. આવી અસ્થાના વાર્ષિક મહેાત્સવ નિયમિત ઉજવાય એ ઉત્તેજન અને આકર્ષણ અથે જરૂરી છે. આમ સંસ્થાને સ. ૧૯૮૮ પછીના વાર્ષિક ઉત્સવ સ. ૧૯૯૨ ના માગશર વધુ ૧૨ ને રવિવારના રાજ ઉજવાયેા હતા. ચાર વર્ષના ગાળામાં શિક્ષણની વ્યવસ્થાની ઉણપ અને પરિણામે ખળકાની હાજરીમાં પડેલા મહાન કુટકાના કારણે સભા બંધ રહેલી એ દુઃખદ સમાચાર છે. જે પુરૂષાએ એને આશિર્વાદ આપ્યા છે, જે પુરૂષ પેાતાના ઉત્સાહ અને ખંતથી ભાવી પ્રજાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com