________________
દ્રક રૂપરેખા”ને આ નાની પુસ્તિકા રૂપે રજુ કરવામાં આવે છે. એમાંયે જેઓના નામે આપણે શ્રીસંઘ વધુ પ્રકાશ માં આવ્યું છે. તે ૫૦ ૫૦ પુણ્યશ્લોક પ્રાતઃસ્મરણીય યુગપ્રધાન શ્રી ૧૦૦૮ શ્રીપાશ્વ ચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં જીવનપ્રસંગોમાંથી ત્યાગ ને તપશ્ચર્યા, સાહિત્યસેવા અને સહિષગુતા, ચમત્કાર અને બુદ્ધિપ્રભાવથી ભરપૂર છે. ચારે ક્ષેત્રમાં એ પૂજ્ય પુરૂષની સેવાઓ વિશિષ્ટ છે. એ સિવાય પૂ૦ શ્રી કલચંદ્રજી ગણિવર મહારાજ, પૂ. આચાર્ય શ્રી ૧૦૦૮ શ્રી બ્રાતૃચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. શાંતતમતિ શ્રીપુનમચંદ્રજી ગણિવર મહારાજ, પૂ. આચાર્ય શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજી મહારાજ, ૫૦ તપસ્વી શ્રી જગતચંદ્રજી ગણીમહારાજ આદિના ત્યાગ અને સાહિત્યસેવાની સુરભથી મઘમઘતા જીવનપ્રસંગે પ્રાપ્ત થયેલ વિગતે પરથી આ પુસ્તિકામાં ઉતારવામાં આવ્યા છે. સંભવ છે કે એમાં ઘણું ત્રુટીઓ રહી જવા પામી હોય પરંતુ વાંચકવર્ગને આ જીવનચરિત્રે એ પૂજ્યપુરૂષોના પગલે જવાની પ્રેરણ કરે એ ધ્યેયને સાન્નિધ્યમાં રાખીને જ આ પ્રયાસ કરવામાં આવ્યું છે. એટલું વાંચકવર્ગ બરાબર વિચારશે એવી આશા રાખવાનું અસ્થાને નથીજ.
આ પુસ્તિકાને સચિત્ર બનાવવા માટે સ્વ. પૂ. પ૦ આચાર્ય અને સ્વર્ગસ્થ તથા વિદ્યમાન પૂ. મુનિરાજે પિકી જેટલાના ફોટાઓ પ્રાપ્ત થયા છે તે તેમજ બીજા મંગાવીને બ્લેક બનાવરાવી સાચો ખ્યાલ વાંચકવર્ગને આપવા પ્રયાસ કરવામાં આવ્યા છે. આમાં ૨૮ ફેટા મૂકવામાં આવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com