SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના વિહાર દરમ્યાન સચેટ અને અસરકારક ઉપદેશ વડે તેઓશ્રીએ ૩૫૦૦૦ ઘરોને જેની કર્યા અને જુદા જુદા સ્થળેએ એમની સામે વાદમાં ઉતરેલાઓને આ મહાપુરૂષ મહાત કર્યા. જેની સંખ્યા ૮૪ ની હતી. આ આચાર્ય ભગવાનના સમયમાં શ્રી હેમચંદ્રાચાર્ય હતા એમ ઈતિહાસના પ્રમાણથી મળી આવે છે. આચાર્ય ભગવાન “સકળવાદિ મુગટ શ્રી વાદિદેવસૂરિ અનેક જીવે પર ઉપકાર અને શાસનની પ્રભાવના કરતાં થકા સંવત ૧૨૨૬ ના શ્રાવણ વદી ૭ ને ગુરૂવારે કાળધર્મ પામી સ્વર્ગે સિધાવ્યા. ૮૩ વર્ષના આયુષ્યમાંથી ૭૪ વર્ષને કાળ એમણે મુનિ વેશમાં ગાળે જે દરમ્યાન ઠેરઠેર જૈનશાસનની પ્રભાવના કરીને એના વિરોધીઓને વાદમાં શીકસ્ત આપી. આ પ્રભાવિક પુરૂષને આપણે કેમ વિસરી શકીએ? આચાર્ય ભગવાન શ્રીમદ્વાદિદેવસૂરિના કાળધર્મ બાદ તેઓશ્રીની પાટે ઉત્તરોત્તર નીચેના સમર્થ અને વિદ્વાન આચાર્યો થઈ ગયા છે કે જેઓએ તપ, જપ, સંયમ દ્વારા જગતને ત્યાગધમને મહિમા અને પ્રભુ મહાવીરદેવે પ્રરૂપેલ અહિંસાના સિદ્ધાંતની જ્યોત જળહળતી રાખી છે. ૪૫ શ્રી પદ્મપ્રભસૂરિ ૫૦ શ્રી હેમતિલકસૂરિ ૪૬ , પ્રસન્નચંદ્રસૂરિ ૫૧ , રત્નશેખરસૂરિ ૪૭ , ગુણસમુદ્રસૂરિ પર , હેમચંદ્રસૂરિ ૪૮ , જયશેખરસૂરિ પ૩ , પૂર્ણચંદ્રસૂરિ ૪૯ , વજનસુરિ ૫૪ , હેમહંસસૂરિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034993
Book TitleParshwachandra Gaccha Tunk Ruprekha
Original Sutra AuthorN/A
AuthorJain Hathisingh Saraswati Sabha
PublisherJain Hathisingh Saraswati Sabha
Publication Year1941
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy