________________
૧૨૮
થોડા સમયમાં તીવ્ર બુદ્ધિબળ વડે સાધુના આવશ્યક ક્રિયાના સૂત્રો, દશવૈકાલિક, જીવવિચાર, નવતત્ત્વ, દંડક, લધુસંઘયણી, મોટી સંધયણ, ક્ષેત્રસમાસ, કર્મગ્રંથ, વાગ્યશતક, સિંદૂરપ્રકર, સાધુવંદના, છંદ, ગૌતમસ્વામી રાસ આદિ પુસ્તક કંઠાગ્ર કરી તેનું અધ્યયન કરતા. મીઠા જળથી જેમ વેલડીઓ વૃદ્ધિ પામે છે તેમ સુગુરૂના સહકારથી મુનિરાજ શ્રી પુનમચંદ્રજીની આત્મશક્તિઓ વિકસે છે.
તેઓશ્રી ગુરૂદેવની સાથે કચ્છ, કાઠીયાવાડ, ગુજરાત, મેવાડ, મારવાડ આદિ તીર્થસ્થળોએ વિચરતાં મહા પૂણ્યઉપાર્જન કરવા લાગ્યા. તેઓશ્રી દયાળ ને મીલનસાર સ્વભાવવાળા હેવાથી કેમાં વિદ્વાનમાં અને સર્વ જનમાં માનવંત સ્થાન ભોગવતા.
પૂર્વ મુ. શ્રી કુશલચંદ્રજી ગણી કે જેમને મુનિરાજ પર ખૂબ ઉપકાર હતું તે તેઓશ્રી કેમ ભૂલી શકે? સં. ૧૯૬ત્ના ભાદરવા સુદ ૧૦ મે પૂ. શ્રીકુશલચંદ્રજી ગયું અને સં. ૧૯૭૨ ના વૈશાખ વદ ૮ મે આચાર્યશ્રી બ્રાતૃચ દ્રસૂરીશ્વર રૂપી બે સૂર્ય અને ચંદ્રના અસ્તથી કમળ અને કુમુદની જેમ સ્વર્ગવાસના સમાચાર સાંભળી મુનિરાજ શ્રી પુનમચંદ્રજીની થઈ. પરંતુ એથી બીજો ઉપાય નહોતે. સુશિષ્યો હંમેશાં ગુરૂદેવની સાન્નિધ્યમાં રહેવા માટે તેમના જીવનમાંથી ઉત્તમ બેધપાઠ લઈ તેને પિતાના જીવનમાં ઉતારે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com