________________
૧૨ સ્વજને વડિલેની અને વડિલો ગુરૂની આજ્ઞાને ઘોળીને પી જનારા નીકળે છે તેમ ભવિષ્યમાં વધુ ઉન્માદી નીવડે તેમાં શું નવાઈ? જૈનશાસનમાં થઈ ગયેલા તિર્ધર અને મહાપુરૂષોના માતાપિતાઓના જીવનમાંથી આપણે ધારીએ તે ઘણું મેળવી શકીએ તેમ છીએ. એમ થાય તે “આજના છેરાજ એવા છે–જમાનાને પવન છે” વગેરે કહેવાને સમય ન આવે. જેને માતપિતાઓને આવી બાબતમાં ઉપદેશ દેવાનું હોય કે ? નહિંજ. પરંતુ આજે કેટલાક વડિલેની રહેણી-કરણી એવી જોવામાં આવે છે કે પુત્રને દોષ દેવા કરતાં પુત્રના ભાવીની જવાબદારી અદા નહી કરનારા માતાપિતાને જ દોષીત લેખીએ. માતા આજે પુત્રને હાલરડું ગાતાં “પાટલે બેસી ના ” વિગેરે ગાતાં સાંભળીએ છીએ- બા આવ્યો” એવી ધમકી રડતાં શાંત રાખવા કે પિતાના કોઈ કાર્યમાં બાળક મસ્તી કરતા અટકે એટલા ખાતર આપીએ છીએ. આ બધાનું પરિણામ આજની પ્રજાની નિર્બળતામાં આવ્યું છે. જેના માતાઓએ તે સતીએના જીવનચરિત્ર-શ્રીતીર્થકરદેએ પિતાના પુત્ર માટે ચિંતવેલા સંસ્કારને હૃદયમાં ઓતપ્રોત કરી તેના હાલરડા ગાવા જોઈએ કે જેથી બાળક તેજસ્વી અને સંસ્કારી થાય પછી કઈ પૂર્વના પાપોદયે ધર્મવિરોધી બને છે તે જુદી વાત છે.
આથીજ વેલગશાહ અને વિમળાદેવીરૂપી સોનું ને સુગંધની જોડલીએ પોતાના બાળકમાં ઉચ્ચ પ્રકારના સંસ્કારે રેડવાની અહનિષ ચિતા સેવી હતી અને ગર્ભકાળ અને જન્મ પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com