________________
પોતાના પૂ. ગુરૂદેવના સ્મરણાર્થે આજ સુધીમાં છ ગ્રંથમણકા બહાર પાડ્યા છે એ પરથી તેઓશ્રીની એ શક્તિ વિષે આપણને સહેજે ખ્યાલ આવે છે. તેઓશ્રીને હાથ આ પુસ્તિકાના લખાણ પર ફરવાથી તે સુંદર અને આદર્શરૂપ બની છે.
હવે છેલ્લે છેલ્લે પુરૂ પાડવામાં આવેલ સાહિત્ય અને વિગતે ઉપરથી આ પુસ્તિકાનું સારુંયે મેટર તપાસી યેગ્ય ભાષામાં ગોઠવી આપનાર, જૈનપ્રશ્નોના અભ્યાસી અને જાણીતા લેખક શ્રી ભગવાનજીભાઈ જગજીવનદાસ કપાસી જેઓ આપણા ગ૭ના સ્વામીભાઈ છે તેઓને પણ આભાર માન્યા સિવાય કેમ રહી શકાય.
અંતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ પુસ્તિકામાં સહાય કરનારા સને આ તકે આભાર માનીએ છીએ.
આ પુસ્તિકામાં ત્રુટીઓ રહી જવા પામી હશે તે બધાને વાંચકવર્ગ ક્ષમ્ય કરશે અને ધ્યેયને સાન્નિધ્યમાં રાખી એને બને તેટલો વધુ પ્રચાર કરશે એવી આશા સાથે વિરમીએ છીએ. શામળાની પોળ છે
લી૦ અમદાવાદ, વિજ્યાદશમી ૧૯૭૭ શ્રી જૈન હઠીસીંગ સરસ્વતી સભા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com