Page #1
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
(नयविषयक लघु कृतिओनो संग्रह)
Page #2
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२ (नयविषयक लघु कृतिओनो संग्रह)
श्रुतभवन संशोधन केन्द्र
Page #3
--------------------------------------------------------------------------
________________
ग्रंथनाम : नयामृतम्-२ विषय : द्रव्यनुयोग (नयविषयक लघु कृतिओनो संग्रह) कर्ता : विविध विद्वान संपादक : मुनि वैराग्यरति विजय गणी प्रकाशक : शुभाषिलाषा ट्रस्ट (E-18511, Ahmedabad)
© श्रुतभवन संशोधन केन्द्र आवृत्ति : प्रथमा, वि.सं. २०७२ (ई. २०१६) पत्र : २२ + १७८ मूल्य : १००/
-: प्राप्तिस्थल :पूना : श्रुतभवन संशोधन केन्द्र,
४७/४८ अचल फार्म, आगममंदिर से आगे. सच्चाइ माता मंदिर के आगे, कात्रज, पुणे-४११ ०४६
Mo. 7744005728 (9-00 a.m. to 5-00 p.m.) अहमदाबाद : श्रुतभवन (अहमदाबाद शाखा)
उमंग शाह, अर्हम् फ्लेक्सीपेक, २०१, तीर्थराज कोम्प्लेक्स, एलीसब्रीज, वी. एस. हॉस्पिटल के सामने, मादलपुर, अहमदाबाद-६
Mo. 9825128486 : श्री गौरवभाई शाह
सी/१११, जैन एपार्टमेंट, ६० फीट रोड, देवचंद नगर रोड, भायंदर (वेस्ट)
मुंबई-४०११०१. मो.०९८३३१३९८८३ सुरत : श्री मितुलभाई धनेशा
C/o. सिया मेन्युफेक्चरींग, सुखदेव कोम्प्लेक्स, २ री मंझिल, टोरंट पॉवर हाऊस के पास, वास्तादेवी रोड, कतारगाम, सुरत-३९५००४
मो. ०९३७७०५९६७३ मुद्रण : धर्मेश पटेल, अहमदाबाद
मुंबई
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
| વિ.સં.૨૦૫૮(ઈ.સ. ૨૦૦૨)માં પ્રવચન પ્રકાશન દ્વારા 'નયામૃતમ્' પુસ્તક પ્રગટ થયું હતું. તેમાં સાત નયોનો પરિચય આપતી દસ કૃતિઓ પ્રગટ થઈ હતી. હકિકતમાં તે કૃતિઓના અંશ હતા. તે દરેક કૃતિઓ પ્રાકૃતસંસ્કૃત ભાષામાં હતી. વિ.સં.૨૦૭૧(ઈ.સ. ૨૦૧૫)માં પૂજ્ય ગુરુદેવ શ્રી વૈરાગ્યરતિવિજયજી ગણિવરે પૂજ્ય ઉપાધ્યાય શ્રીમાનવિજયજી મ.કૃત 'સપ્ત વિવરણ રાસ'નું સંપાદન કર્યું. તે દરમ્યાન સાત નન્ય વિષેની પ્રાચીનઅર્વાચીન ગુજરાતી ભાષામાં મળતી કૃતિઓ વિષે તપાસ કરી. ઘણી ઉપયોગી સામગ્રી મળી. વિશેષ રૂપે પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા વતી શ્રી હિરેનભાઈ દોશીએ આ વિષયની ઘણી જ માહિતી પૂરી પાડી. તેના આધારે એક વિશિષ્ટ સંકલન તૈયાર થયું.
આ તબક્કે આ શ્રી ક્લાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અહીંના મુદ્રિત પુસ્તકોના સૂચિપત્રમાં નિયતકાલીન શોધપત્રોમાં છપાયેલા અભ્યાસ નિબંધોની પણ નોંધ થાય છે. તેથી શોધવામાં અઘરા પડે તેવા વિષયોના લેખો સહેલાઈથી ઉપલબ્ધ થાય છે. સંદર્ભન્વેષી સંપાદકો માટે આવી ઝીણી ઝીણી માહિતી ખૂબ અગત્યની હોય છે. મહેનત માંગી લે તેવું આ કામ કરીને, સંસ્થા સંપાદન કાર્યને સમૃદ્ધ બનાવવામાં જે સહાય કરે છે તે અનન્ય છે.
આ સંકલનમાં સંસ્કૃત ભાષામાં, પ્રાચીન ગુજરાતી ભાષામાં અને અર્વાચીન ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થતા નય વિષયની પદ્યરચનાઓ અને ગદ્ય નિબંધોનો સંચય છે. તેનાથી નયનો અભ્યાસ કરવા ચાહતા જિજ્ઞાસુઓને ઘણી સ્પષ્ટતાઓ મળશે.
શ્રુતભવનમાં કાર્યરત સંપાદકગણ તેમજ શ્રુતભવન સંશોધન કેંદ્રની તમામ પ્રવૃત્તિનાં મુખ્ય આધારસ્તંભ માંગરોળ (ગુજરાત) નિવાસી માતુશ્રી ચંદ્રકલાબેન સુંદરલાલ શેઠ પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું
ભરત શાહ (માનદ અધ્યક્ષ)
૨૩-૮-૧૫
Page #5
--------------------------------------------------------------------------
________________
- 9િ
9
શ્રુતપ્રેમી
તપોવન સંસ્કાર પીઠ,
અમદાવાદ
તપોવન સંસ્કાર ધામ,
નવસારી
Page #6
--------------------------------------------------------------------------
________________
खंड-१ संस्कृत
(१.१) (१.२) सप्तनयविवरणम्। मुनिश्रीमतिचन्द्रजी
(१.३)
नयकर्णिका सटीका सह बालावबोध । मूल-उपाध्यायश्रीविनयविजयगणि, टीका-मुनिश्रीगंभीरविजयजी
सप्तनयसमाधातविवर्णतम् सह बालावबोध। शीलाङ्काचार्य।
खंड-२ गुजराती पद्य कृति
(२.१)
सप्तनयविवरण रास सह बालावबोध। उपाध्याय श्रीमानविजय प्रस्तावना ढाल - १ (कंडिका १-११)
द्रव्यार्थिक-पर्यायार्थिकस्वरूपम् ढाल - २ (कंडिका१२-२५) मूलनयजातिभेदकथनम् ढाल - ३(कंडिका२६-३६) सप्तनयदृष्टान्तकथनम् ढाल-४(कंडिका३७-४७) नैगमनयलक्षणस्वरूपकथनम् ढाल - ५ ( कंडिका४८-६३)
नामादिचतुर्निक्षेपस्वरूपकथनम् ढाल-६(कंडिका६४-७७)
-
-
-
-
-
-
-
-
-
अनुक्रमः
-
-
-
सङ्ग्रहनयस्वरूपकथनम् ढाल-७(कंडिका७८-८६)
व्यवहारनयस्वरूपकथनम् ढाल-८ (कंडिका८७-९६)
ऋजुसूत्रनयस्वरूपकथनम् ढाल - ९ (कंडिका९७-१०४) शब्दनयस्वरूपकथनम् ढाल १० (कंडिका १०५-११८)
सप्तभङ्गीस्वरूपकथनम् (११०-११८)
समभिरूढनयस्वरूपकथनम् ढाल ११ (कंडिका११९-१२९)
एवम्भूतनयस्वरूपकथनम् ढाल १२ (कंडिका १३०-१५७) नयानां परस्परविरोधः ढाल - १३ (कंडिका १५८-१६८)
नयानां परस्परविरोधपरिहारः ढाल १४ (कंडिका १६९-१८१)
रासप्रशस्तिः ढाल - १५(कंडिका १८२-१८९)
(२.२)
नयवचनगर्भित वीरजिन स्तवन सह बालावबोध । पण्डितश्रीन्यायसागरगणि।
(२.३)
नयविचारस्वाध्याय । उपाध्याय श्रीयशोविजयगणि
(२.४) नयनी अपेक्षाए सामायिक । उपाध्यायश्रीयशोविजयगणि
(२.५)
सप्तनयदृष्टांतिक सीमंधरजिन स्तवन । हीराचंद शेषकरण भंसाली
orm a 2.
१
३
१२
१७
२५
२७
६३
८०
८१
८२
Page #7
--------------------------------------------------------------------------
________________
खंड-३ गुजराती गद्य कृति
(३.१) नयस्वरूप। मुनिश्रीमतिचन्द्रजी (३.२) सप्तनयविचार-१। आचार्यश्रीपार्श्वचन्द्रसूरि
(३.३) सप्तनयविचार-२ | अज्ञात (३.४) सप्तनयविचारपत्र। अज्ञात
(३.५) सप्तनयअधिकार। अज्ञात
(३.६)
सप्तनयविचार - ३ | अज्ञात
(३.७) सप्तभंगीस्वरूप। अज्ञात
खंड-४ अर्वाचीन गुजराती कृति (निबंध)
( ४.१) गुजराती पद्यात्मक दार्शनिक कृतिओ। प्रो. हीरालाल रसिकदास कापडिया
( ४.२) सप्तनयनुं संक्षिप्त स्वरूप । मुनिश्रीकर्पूरविजयजी
(४.३)
सप्तनयादि अधिकार। मुनिश्रीपुण्यविजयजी
(8.8)
सप्तनयविचार। मुनिश्रीसंयमसागरजी 'लघुश्रमण'
परिशिष्ट
རྩེ
(२)
(३)
(४)
विशेषनामसूच
सप्तनयरासगतपारिभाषिकशब्दसूचि
संदर्भग्रन्थ
अमित उपाध्ये (संपादन सहायक) अतुल मस्के (सहायक)
कृष्णा माळी (सहायक)
भरत शिंदे (सहायक)
(६)
संपादकमंडल
मुनिश्री वैराग्यरतिविजयगणि (अभिवीक्षक),
भूपत वंश (प्रकल्प प्रमुख) विनय गायकवाड (सहायक) गणेश खेडकर (सहायक)
सिद्धनाथ गायकवाड (प्रबंधन सहायक)
तुषार सुर्वे (सहायक)
दिनेश उदागे (अनुवाद सहायक) भालचंद्र रोडे (सहायक)
८५
८७
१००
१०४
१०८
११०
१२०
१२१
१२३
१२५
१३०
१३६
१६१
१६३
१६६
१६९
१७३
वर्धमानजिनरत्नकोश विभाग (सहायक)
Page #8
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય
નયામૃતમ્-૨માં નય વિષયની પ્રાથમિક માહિતી આપતી કૃતિઓનું સંકલન છે. આ પૂર્વે ‘નયામૃતમ્’માં નય વિષેની કૃતિઓનું સંકલન કર્યું હતું. તેમાં સંસ્કૃત પ્રાકૃત કૃતિઓ હતી. નયામૃતમ-૨માં ગુજરાતી કૃતિઓનું પણ સંકલન છે. પ્રગટ અને અપ્રગટ બંને પ્રકારની કૃતિઓનું અહીં સંકલન છે. ઘણી ખરી પ્રગટ કૃતિઓ અપ્રચલિત છે એટલે તેમ જ વિષયને સર્વાંગીણ રૂપે સમજવામાં ઉપયોગી બને તેવી છે તેથી પુનઃ પ્રગટ કરી છે. સ્વરૂપ પરત્વે કૃતિઓને ચાર ખંડમાં વિભાજિત કરી છે. પહેલા ખંડમાં સંસ્કૃત કૃતિઓ છે. બીજા ખંડમાં પદ્યાત્મક ગુજરાતી કૃતિઓ છે. ત્રીજા ખંડમાં પ્રાચીન ગુજરાતીમાં રચાયેલી ગદ્ય કૃતિઓ છે. ચોથા ખંડમાં અર્વાચીન ગુજરાતી કૃતિઓમાં લખાયેલા નિબંધો છે. અર્વાચીન ગુજરાતી નિબંધાત્મક કૃતિઓને અહીં સ્થાન આપવાનાં બે કારણ છે. એક, આ નિબંધ નયના વિષયને સમજવામાં સહાયક થાય તેવા સબળ છે. બીજું, ત્રીજા ખંડમાં જે પ્રાચીન ગુજરાતી કૃતિઓનું સંકલન છે તેનો આધાર લઇને આ નિબંધો લખાયા છે. આથી પ્રાચીન ગુજરાતી પણ જલ્દી સમજમાં ન આવે તેવા વાચકો માટે તેમનો અભ્યાસ સ૨ળ થઇ શકશે. અહીં દરેક કૃતિનો ક્રમશઃ પરિચય પ્રસ્તુત છે.
ખંડ : ૧ - સંસ્કૃત કૃતિ
(૧.૧) નયકર્ણિકા સહ ટીકા
પૂજ્ય ઉપાધ્યાયશ્રી વિનય વિજયજી મ. રચિત નયકર્ણિકા ઉ૫૨ પૂ.મુનિરાજશ્રી ગંભીર વિજયજી મ.એ ટીકા રચી છે. પૂજ્યશ્રી વિદ્વાન હતા તેમણે અનેક ગ્રંથોના સંપાદન કર્યા છે. આ ટીકા યશોવિજય જૈન પાઠશાળા તરફથી વિ.સં.૧૯૬૩માં પ્રકાશિત થઈ છે.
હસ્તપ્રત માહિતી
૧) નયકર્ણિકા સટીક (ટીકાકર્તા-પૂ.ગંભીરવિ.મ.). શ્રીમોહનલાલજી મ. જૈન લાયબ્રેરી, મુંબઇ.ક્રમાંક૮૭૬. તેના ૬ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૨ પંક્તિ છે. શ્રીહર્ષમુનિજીએ પ્રત નવી લખાવી લાગે છે. શુદ્ધપ્રાયઃ છે. આ પ્રત સુ.નીતિતભાઇ સોનાવાલા દ્વારા પ્રાપ્ત થઇ છે.
૨) નયકર્ણિકા ટબાર્થ : શ્રીલબ્ધિ ભુવન જૈન સાહિત્ય સદન, છાણી ક્રમાંક-૮. તેના ૬ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૪ પંક્તિ છે. શુદ્ધપ્રાયઃ છે. આ પ્રત મુનિશ્રી પદ્મકીર્તિવિજયજી મ. દ્વારા પ્રાપ્ત થઇ છે. ટબાર્થ કૃતિ નવી લાગે છે.તેમાં દરેક શ્લોકનો શબ્દાર્થ અને ભાવાર્થ છે. કર્તા અજ્ઞાત છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
(૧.૨) સપ્ટન વિવરણમ્
સપ્તનયવિવરણના કર્તા શ્રી મતિચંદ્રજી છે. પૂજ્ય મતિચંદ્રજી નામે ત્રણ વિદ્વાન થયા છે. તેમાનાં કયા વિદ્વાને આ કૃતિ રચી તે નિશ્ચિત કહી શકાતું નથી." આ કૃતિ પૂ.આ.શ્રીશીલચંદ્રસૂરિજી મ.નાં સંપાદનપૂર્વક અનુસંધાન-૨૧માં પ્રગટ થઈ છે. પ્રતની પુષ્પિકાના આધારે સપ્તનયવિવરણે ચૂર્ણમ્ એ નામ દર્શાવ્યું છે અને કૃતિને અજ્ઞાતકર્તક જણાવી છે. તેમણે સ્વયં ગુર્જર ભાષામાં બાલબોધાત્મક કૃતિ પણ રચી છે. અહીં તે ત્રીજા ખંડમાં મુદ્રિત થઈ છે. (૩.૧) વિષય સમાન છે.
હસ્તપ્રત માહિતી
૧) સપ્ટન વિવરણ : પ્રવર્તકશ્રી કાંતિવિજયજી શાસ્ત્ર સંગ્રહ, છાણી. ક્રમાંક-૯૦. તેના ૫ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૫ પંક્તિ છે. પ્રત્યેક પંક્તિમાં ૪૭ અક્ષર છે.સંવત ૧૯૫૪ આસો સુદ ૨ ના દિવસે પ્રત લખાઈ છે. શુદ્ધપ્રાય છે. આ પ્રત મુનિશ્રી પદ્યકીતિવિજયજી મ. દ્વારા પ્રાપ્ત થઈ છે.
૨) સપ્ટન વિવરણ તથા ષદર્શનસમુચ્ચય : પ્રવર્તકશ્રી કાંતિવિજયજી શાસ્ત્ર સંગ્રહ, છાણી. ક્રમાંક૧૦૨૧. તેના ૧૦ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૬ પંક્તિ છે. પ્રત્યેક પંક્તિમાં ૩૭ અક્ષર છે. સંવત ૧૯૫૪ આસો સુદ ૨ ના દિવસે પ્રત લખાઇ છે. શુદ્ધપ્રાયઃ છે. આ પ્રતમાં પત્ર ૧થી પઅ સુધી સપ્તનયવિવરણ છે. પછી ષદર્શનસમુચ્ચય નામની પેટાકૃતિ છે. આ પ્રત મુનિશ્રી પદ્યકીર્તિવિજયજી મ. દ્વારા પ્રાપ્ત થઈ છે.
(૧.૩) સપ્તનયસમાધાનવિવર્ણનમ્
આ એક અંશકૃતિ છે. એટલે કે કર્તાની સ્વતંત્ર રચના નથી પણ અન્ય કૃતિનો એક ભાગ છે. સૂત્રકૃતાંગસૂત્ર પર પૂ.આ. શ્રીશીલાંકસૂરિજી મ.એ ટીકા રચી છે. તેના નાલંદા નામના અધ્યયનને અંતે તેમણે સાત નયોનું સ્વરૂપ દર્શાવ્યું છે. તેટલા ભાગને અલગ તારવી કોઇક અજ્ઞાત મુનિવરે તેનો અક્ષરાનુવાદ કરી સપ્તનયસમાધાનવિવર્ણનમ્ નામથી અલગ કૃતિ રચી છે. આ કૃતિમાં સાતે નયોના વિષયનું સંક્ષેપમાં વર્ણન છે. અનુવાદમાં સર્વેસિ પિયામાં વેવિદ્વત્તવ્યય સામેત્તા આ ગાથાના વક્તવ્યર્ચ પદનો અર્થ વક્તવ્યતાને બદલે વર્તવ્યતા કર્યો છે, જે પ્રચલિત નથી.
હસ્તપ્રત માહિતી- સપ્તનયવિવરણ : શ્રીલબ્ધિ ભુવન જૈન સાહિત્ય સદન, છાણી ક્રમાંક-૨૫. તેના ૧૩ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૪ પંક્તિ છે. વીજાપુરવાસી પં.અમૃતવિ. દ્વારા વેજલપુરમાં આ પ્રત લખાઇ છે. શુદ્ધપ્રાય છે. આ પ્રત મુનિશ્રી પાકીતિવિજયજી મ. દ્વારા પ્રાપ્ત થઇ છે.
ખંડ : ૨ - પદ્યાત્મક ગુજરાતી કૃતિ | વિક્રમની ૧૬-૧૭મી શતાબ્દીમાં સંસ્કૃત-પ્રાકૃત શાસ્ત્રોને અથવા તેના એક ભાગને ગુજરાતી પદ્યમાં ઢાળવાનો પ્રયાસ થયો વિપુલ સાહિત્યને કારણે જૈન પરંપરામાં વિપુલ પ્રમાણમાં સર્જન થયું. ખાસ કરીને
૧. જૂઓ ગુજરાતી સાહિત્ય કોશ ખંડ ૧ પૃ.૨૯૨
Page #10
--------------------------------------------------------------------------
________________
(૬)
ઉપદેશ અને કથાસાહિત્ય બહુ મોટા પ્રમાણમાં ગુજરાતી પદ્યમાં અવતર્યું. સાથે જ નય જેવા ગંભી૨ વિષયનું સાહિત્ય પણ સ૨ળ ગુજરાતી પદ્યમાં ઉતર્યું. એ ગૌ૨વ લેવા જેવી ઘટના છે.
(૨.૧) સપ્તનય વિવરણ રાસ સહ બાલાવબોધ
આ દ્રવ્યાનુયોગ વિષયક કૃતિ છે. આ કૃતિના કર્તા પૂ. ઉપા. શ્રી માન વિ.મ. છે. તેઓ ધર્મસંગ્રહના રચયિતા છે. તેમની નાની મોટી ૨૪ કૃતિઓ ઉપલબ્ધછે.
૧) ‘ભવભાવના બાલાવબોધ' આ. શ્રી હેમચંદ્રસૂરિકૃત ‘ભવભાવના’ પર (ગ્રંથાપ્ર-૩૬૦૦) (૨. ઇ. ૧૬૬૯),
૨) ‘સુમતિકુમતિ (જિનપ્રતિમા) સ્તવન’ (કડી- ૧૭) (૨.ઇ. ૧૬૭૨),
૩) ‘ગુરુતત્ત્વપ્રકાશ રાસ’(કડી- ૨૧) (૨.ઇ. ૧૬૭૫, મુદ્રિત),
૪) ‘તત્ત્વવિચારબોધક સપ્તનયવિચા૨ગર્ભિત સ્તવન/સપ્તનયવિવરણરાસ' (૧પ ઢાળ અને ૧૮૯ કડી) (૨.ઇ. ૧૬૭૫ આસપાસ, મુદ્રિત),
૫) ‘નવતત્ત્વપ્રકરણ બાલાવબોધ’(ગ્રંથાગ્ર- ૧૩૫૦) (૨.ઇ. ૧૬૬૯),
૬) ઉત્તરાધ્યયનસૂત્ર બાલાવબોધ’ (૨.ઇ. ૧૬૮૩/સં.૧૭૪૧, પોષ સુદ ૧૩),
૭) ‘આઠ મદની સજ્ઝાય’ (કડી-૧૦) (મુદ્રિત),
૮) ‘આદિનાથ સ્તવન’(૪ ઢાળ),
૯) ‘આંબિલતપ શ્રીસિદ્ધચક્ર સ્તવન' (કડી- ૨૫, ઢાળ ૪) (મુદ્રિત),
૧૦) ‘ગુણસ્થાનગર્ભિત શાંતિનાથવિજ્ઞપ્તિરૂપ સ્તવન’ (કડી-૮૫),
૧૧) ‘ચોવીશ જિનનમસ્કાર’,
૧૨) ‘ચોવીશી’ (મુદ્રિત),
૧૩) ‘નમસ્કારછંદ’ (કડી- ૩૦), (મુદ્રિત),
૧૪) ‘નમસ્કાર સજ્ઝાય’ (કડી- ૫૬),
૧૫) પચ્ચક્ખાણ સબ્ઝાય’,
૧૬) ‘પાર્શ્વનાથસ્થવિર સજ્ઝાય' (કડી- ૯),
૧૭) ‘માર્ગાનુસારી ગુણ સજ્ઝાય’ (કડી- ૧૭) (મુદ્રિત),
૧૮) મોહ૨ાજકથાગર્ભિત જિનવિનતિરૂપ મહાવીરજિન સ્તવન’(કડી-૫૩, ઢાળ-૬) (મુદ્રિત),
૧૯) ‘શ્રાવકના એકવીશગુણની સજ્ઝાય’ (કડી- ૧૧) (મુદ્રિત)
Page #11
--------------------------------------------------------------------------
________________
(૨૦)
૨૦) “શ્રાવકના બારવ્રતની સઝાય' (કડી- પ૬) (મુદ્રિત), ૨૧) “શ્રી સઝાય” (કડી- ૧૭), ૨૨) સાધુગુણ સક્ઝાય’ (કડી- ૭)
૨૩) ભગવતીસૂત્રની સક્ઝાયો/સક્ઝાયસંગ્રહની પોથી' (મુદ્રિત-૩૩, આમાંની કેટલીક સક્ઝાયો સ્વતંત્રરૂપે પણ મુદ્રિત છે),
૨) “ધર્મસંગ્રહ’. (સંસ્કૃત, મુદ્રિત)
સપ્તનયવિવરણ રાસની રચના મુખ્યત્વે વિશેષાવશ્યકભાષ્યના આધારે થઈ છે. આ કૃતિમાં કર્તાએ સાતે નયનું સંક્ષિપ્ત વિવરણ પ્રસ્તુત કર્યું છે. દરેક નયનું લક્ષણ, તેની માન્યતા, પોતાના સમર્થન માટે દરેક નયનએ રજૂ કરેલા દૃષ્ટાંત, પૂર્વ પૂર્વ નય કરતા ઉત્તર ઉત્તર નય કેવી રીતે સૂક્ષ્મ છે? તેની સ્પષ્ટતા, દરેક નય કેટલા નિક્ષેપ સ્વીકારે છે? તે, તથા પ્રસંગથી સપ્તભંગીનું સ્વરૂપ, આટલા વિષયો આવર્યા છે. પ્રસ્તુત કૃતિ પર બાલાવબોધની પણ રચના થઇ છે. મૂળ કૃતિના શબ્દાર્થ અને ભાવાર્થ સ્પષ્ટ કરવા બાળકોને સમજાય તેવી ગુજરાતી ભાષામાં જે વિવરણ થાય તેને બાલાવબોધ કહેવાય છે. બાલાવબોધમાં મૂળ ગાથામાં અર્થ સ્પષ્ટ કર્યા છે. જ્યાં જરૂર જણાઇ ત્યાં પદાર્થની સ્પષ્ટતા કરી છે. અનેક સ્થળે મૂળમાં પ્રયોજાયેલા સંદર્ભોમાં મૂળ ઉદ્ધરણ સ્થળ મૂક્યા છે. આ જોતાં બાલાવબોધ પણ મૂળ રાસકાર શ્રી માન વિ.મ.ની રચના છે. તેવું અનુમાન થઈ શકે છે.
પ્રસ્તુત કૃતિ આ પૂર્વે બે વાર પ્રકાશિત થઇ છે.
(૧) જૂની પ્રતમાં બાલાવબોધ સાથે પ્રગટ થઇ છે. તેમાં સંપાદક કે પ્રકાશકનો કોઇ ઉલ્લેખ નથી આ પ્રતમાં બાલાવબોધ પણ છે. બાલાવબોધને તત્કાલીન ગુજરાતી ભાષામાં રજૂ કરવા સંપાદકે બાલાવબોધની ભાષા તેમજ વાક્યરચનામાં ફેરફાર કર્યા છે.
(૨) વકીલ મોહનલાલ દલીચંદ દેસાઈએ જૈન શ્વેતાંબર કોન્ફરંસ હેરાલ્ડમાં મે ૧૯૧૭ના અંકમાં આ કૃતિ પ્રગટ કરી છે. આમાં કેવળ મૂળ રાસ છે, બાલાવબોધ નથી.
હસ્તપ્રત માહિતી
૧) સપ્ટન વિવરણ રાસ મૂલ : આ પ્રત આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર મહાવીર જૈન આરાધના કેંદ્ર, કોબામાં છે. ક્રમાંક-૨૭૧૭. આ પ્રતમાં કેવળ મૂળ રાસ છે, બાલાવબોધ નથી. પ્રત શુદ્ધ છે અને સંશોધિત છે. તેના ૧૬ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૨ પંક્તિ છે. પ્રત્યેક પંક્તિમાં ૪૧ અક્ષર છે. મૂળ કૃતિની પાઠ શુદ્ધિ માટે આ પ્રત બહુ ઉપયોગી બની છે.
૨) સપ્ટનયવિવરણ રાસ સહ બાલાવબોધ : આ પ્રત આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર
૧. જૂઓ-ગુજરાતી સાહિત્યકોશ,ખંડઃ૧,મધ્યકાળ. પત્ર-૩૦૮. સં.જયંત કોઠારી આદિ. પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ, ઈ.૧૯૮૯
Page #12
--------------------------------------------------------------------------
________________
મહાવી૨ જૈન આરાધના કેંદ્ર, કોબામાં છે. ક્રમાંક- ૧૦૭૭૮. આ પ્રત બાલાવબોધ સાથેની છે. તેના ૨૪ ૫ત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૬ પંક્તિ છે. પ્રત્યેક પંક્તિમાં ૩૯ અક્ષ૨ છે. શુદ્ધપ્રાયઃ છે.
(?)
૩) સપ્તનયવિવ૨ણ રાસ સહ બાલાવબોધ : આ પ્રત જૈન સંઘ હસ્તપ્રતસંગ્રહ, માંડલમાં છે. ક્રમાંકપોથી-૩૩, પ્રત-૪૩૮. પ્રત શુદ્ધ છે. તેના ૨૯ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૬ પંક્તિ છે. પ્રત્યેક પંક્તિમાં ૪૪ અક્ષર છે. આ પ્રત પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મ.(પાર્શ્વચંદ્ર ગચ્છ)ની પ્રે૨ણા દ્વારા પ્રાપ્ત થઇ છે.
નય જેવા ગંભીર વિષયને સરળ ભાષામાં ૨જૂ ક૨તી આ કૃતિનો વર્તમાન ગુજરાતી ભાષામાં અનુવાદ થાય તો વર્તમાન જિજ્ઞાસુઓને ઘણો લાભ થશે. સમયાભાવે એ કામ અહીં થઇ શક્યું નથી.
પરિશિષ્ટમાં ઉદ્ધરણ સૂચિ તેમ જ શબ્દસૂચિ પ્રસ્તુત કરી છે. તેથી પ્રસ્તુત કૃતિના અભ્યાસમાં સહાય
થશે.
(૨.૨) સપ્તનયવિચાર ગર્ભિત વી૨ જિનસ્તવન સહ બાલાવબોધ
આ કૃતિ પૂજ્ય તપગચ્છના પંડિત ઉત્તમસાગરના શિષ્ય શ્રી ન્યાયસાગરજી મ.એ રચી છે. બાલાવબોધની રચનાશૈલી જોતા તે સ્વોપન્ન જણાય છે. તેના કર્તા વિષે ગુજરાતી સાહિત્ય કોશ ખંડ ૧માં ન્યાયસાગર નામના પાંચ કૃતિકારોનો ઉલ્લેખ મળે છે. તેમાં આ કૃતિના કર્તા ન્યાયસાગરજી બીજા છે.
ન્યાયસાગ૨–૨ [ જ. ઇ. ૧૬૭૨/ સં. ૧૭૨૮, શ્રાવણ સુદ ૮- અવ. ઇ. ૧૭૪૧/સં. ૧૭૯૭ ભાદરવા વદ ૮] તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર ઉપાધ્યાયની પરંપરામાં ઉત્તમસાગરના શિષ્ય. મૂલ નામ નેમિદાસ. ભિન્નમાલમાં ઓસવાલ જ્ઞાતિમાં જન્મ, પિતાનું નામ મોટો સાહ. માતાનું નામ રૂપા. તેમણે કેસરિયાજીમાં દિગંબર સંપ્રદાયના નરેન્દ્રકીર્તિ સાથે વાદવિવાદ કરી તેમનો પરાભવ કરેલો. ઢૂંઢકોનો પણ તેમણે પરાભવ કરેલો. તેમનું અવસાન અમદાવાદમાં થયેલું.
(૧)
(૨)
‘સમ્યકત્વ વિચા૨ગર્ભિત મહાવી૨-સ્તવન’ (૬ ઢાલ,૨.ઇ.૧૭૧૦/ સં. ૧૭૬૬, ભાદરવા સુદ ૫, મુ.), ‘સમ્યકત્વ વિચા૨ગર્ભિત મહાવી૨-સ્તવનનો બાલાવબોધ (૨.ઇ.૧૭૧૮), ‘સપ્તશતિજિન-સ્તવન’ (૫૬ કડી,૨.ઇ.૧૭૨૪),
(૩)
(૪)
પિંડદોષવિચાર-સજ્ઝાય’ (૨.ઇ. ૧૭૨૫),
(૫)
(૬)
મહાવીર રાગમાલા-પ્રશસ્તિ’ (૨.ઇ.૧૭૨૮/ સં.૧૭૮૪, આસો વદ ૧૩), ‘બારવ્રત-રાસ’ (૨.ઇ.૧૭૨૮/૧૭૩૩/ સં.૧૭૮૪/૧૭૮૯, આસો વદ ૩૦), ‘આશાતના-સઝાય’(૬ કડી),
(૮) ‘આદિજિન-વિનતિ’ (૨૭ કડી, મુ.)
(૯)
(૧૦) બે ચોવીસી (મુ.),
ચૈત્યદ્રવ્યભક્ષણ/૨ક્ષણ ફલદૃષ્ટાંત-સજ્ઝાય’,
Page #13
--------------------------------------------------------------------------
________________
(૨૨)
(૧૧) નેમરાજુલગુણ વર્ણન (૧૧ કડી), (૧૨) નિગોદવિચારગર્ભિત મહાવીર-સ્તવન' ટબા સાથે, (૧૩) “પાર્શ્વનાથ દશગણધર-સક્ઝાય'(૮ કડી), (૧૪) “પાર્શ્વનાથના એકાદશ ગણધરની સઝાય'(૬ કડી), (૧૫) “મહાવીર-ગણધરસઝાય” (૭ કડી), (૧૬) “વીશી' (મુ), (૧૭) “વિંશતિ સ્થાનક વિધિગર્ભિત-સઝાય', (ર૪ કડી, રાઇ. ૧૭૨૪), (૧૮) ‘વીરભક્તિ” નામક બે રચનાઓ (૪ અને ૫ કડી,મુ) તથા (૧૯) ‘સૂર્યમંડન પાર્શ્વનાથ-સ્તવન” (મુ.)
આ કવિની રચનાઓ છે. આ ઉપરાંત તેમણે હિન્દી અને સંસ્કૃત ભાષામાં પણ સ્તવન, સક્ઝાયની રચના કરી છે.
અહીં કૃતિસૂચીમાં સપ્તનયવિચાર ગર્ભિત વીર જિનસ્તવનનો ઉલ્લેખ નથી તેથી આ કૃતિ અપ્રગટ છે તેમ માનવાને કારણ છે. આ કૃતિમાં નયોનો સામાન્ય પરિચય પ્રસ્તુત છે. સાતનયના અર્થો પ્રસ્થક, વસતિ અને પ્રદેશ દૃષ્ટાંત દ્વારા અહીં સમજાવ્યા છે. અંતે સાતેય નયનો સામાન્યાર્થ જણાવતા આઠ સંસ્કૃત શ્લોક નવા રચીને પ્રસ્તુત કર્યા છે. તે આ કૃતિની વિશેષતા છે.
હસ્તપ્રત માહિતી-સપ્તનય સહ બાલાવબોધ : આ પ્રત આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર મહાવીર જૈન આરાધના કેંદ્ર, કોબામાં છે. ક્રમાંક- ૧૫૭૮૧. આ પ્રત બાલાવબોધ સાથેની છે. તેના ૧૨ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૭ પંક્તિ છે. પ્રત્યેક પંક્તિમાં ૪૭ અક્ષર છે. શુદ્ધપ્રાયઃ છે. (૨.૩) નયવિચાર સજઝાય
આ કૃતિ પૂજ્ય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મ.એ રચી છે. તેની તેર કડી છે તેની પ્રત ૧૭૮૮માં માસુ રના દિવસે કર્તાના શિષ્ય લખી છે.) આ કૃતિમાં નયોનો સામાન્ય પરિચય પ્રસ્તુત છે. ગુર્જર સાહિત્ય સંગ્રહમાં મુદ્રિત થઈ છે.'
હસ્તપ્રત માહિતી-સપ્તનયસઝાય (કર્તા- પૂજ્ય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મ.) આ પ્રત શ્રી જૈનશાલા સંસ્થાપિત શ્રીનીતિવિજય શાસ્ત્રસંગ્રહ, ખંભાતમાં છે. ક્રમાંક-૪૭૮/૩૯૮૫ છે. તેનું ૧ પત્ર છે. પત્રમાં ૧૦ પંક્તિ છે. આ પ્રત સુ. બાબુભાઇ કોલસાવાલા દ્વારા પ્રાપ્ત થઇ છે.
૧. જૂઓ ગુર્જર સાહિત્ય સંગ્રહ આવૃત્તિ-૩ સંપ્રદ્યુમ્ન સૂ.મ.વિ.સં-૨૦૬૧ પ્રકા. શ્રુતજ્ઞાન પ્રસારક સભા પૃ.૪૮૯ ૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ આવૃત્તિ-૩ સંપ્રદ્યુમ્ન સૂ.મ.વિ.સં-૨૦૬૧ પ્રકા. શ્રુતજ્ઞાન પ્રસારક સભા પૃ.૪૮૯
Page #14
--------------------------------------------------------------------------
________________
(૩)
(૨.૪) નયની અપેક્ષાએ સામાયિક (સામાયિક નય) સ્વાધ્યાય
આ કૃતિ પણ પૂજ્ય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મ.એ રચી છે. તેની આઠ કડી છે. સાત નયની અપેક્ષાએ સામાયિક કોને કહેવાય? તેનું વિવરણ અહીં કર્યું છે. ગુર્જર સાહિત્ય સંગ્રહમાં મુદ્રિત થઈ છે.' (૨.૫) સપ્તનય દૃષ્ટાંતિક સીમંધર જિનસ્તવન
આ એક પદ્યાત્મક કૃતિ છે. તેની તેર કડી છે. તેના કર્તા હીરાચંદ શેષકરણ ભણસાલી છે. અહીં નયની વ્યાખ્યા તેમ જ દૃષ્ટાંત પ્રસ્તુત થયા છે. દાર્શનિક પૃષ્ઠભૂમિ ૫૨ નયનું વિવરણ ક૨વાનો કર્તાએ પ્રયાસ નથી કર્યો. પણ ધાર્મિક-આધ્યાત્મિક ભૂમિકાએ નય ૨જૂ કર્યા છે. જેથી ધર્મ કોને કહેવાય? ક્યા ધર્મને કયો નય માને? કયો નય પરિણામ રૂપ ધર્મ માને વગેરે બાબતો સ્પષ્ટ થઈ છે.
આ સ્તવન શ્રીચતુર્વિંશતિ જિન સ્તવનાવલી વિ. સં. ૧૯૬૩માં પેજ નં. ૮૮-૯૫ નંબરના પેજ ઉ૫૨ પ્રકાશિત થયું છે. આ કૃતિ આ. શ્રી કૈલાસસાગરસૂ. જ્ઞાનમંદિર, કોબાથી પ્રાપ્ત થઇ છે.
ખંડ ૩ ગદ્યાત્મક ગુજરાતી કૃતિ
(૩.૧) સપ્તનયસ્વરૂપ
આ કૃતિ સપ્તનયવિચાર, સપ્તનયસ્વરૂપ વિચાર, સપ્તનય બાલાવબોધ જેવા અનેક નામે મળે છે. તેના કર્તા શ્રી મતિચંદ્રજી છે. પૂજ્ય મતિચંદ્રજી નામે ત્રણ વિદ્વાન થયા છે. તેમાનાં કયા વિદ્વાને આ કૃતિ રચી તે નિશ્ચિત કહી શકાતું નથી.
આ એક નિબંધાત્મક કૃતિ છે. તેમાં ઉદાહરણ સાથે નય સમજાવ્યા છે. પ્રસ્થક, વસતિ અને પ્રદેશ દૃષ્ટાંતની ઘટના ક૨ી છે. અંતિમ શ્લોકમાં પોતાનું અભિધેય સપષ્ટ કર્યું છે કે સપ્તનયના અર્થો સદૃષ્ટાંત અહીં સમજાવ્યા છે.
હસ્તપ્રત માહિતી
૧) સપ્તનયસ્વરૂપ (કર્તા-પૂ.મતિચંદ્ર) : શ્રીમોહનલાલજી મ. જૈન લાયબ્રેરી, મુંબઇ. ક્રમાંક-૮૭૬. તેના ૧૪ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૩ પંક્તિ છે. પ્રત નવી લખેલી લાગે છે. શુદ્ધપ્રાયઃ છે. આ પ્રત સુ. પ્રદીપભાઇ સોનાવાલા દ્વારા પ્રાપ્ત થઇ છે.
૨) આ જ કૃતિની બીજી પ્રત આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર મહાવીર જૈન આરાધના કેંદ્ર, કોબામાં છે. ક્રમાંક-૦૬૪૪૯. સૂચિપત્રમાં સપ્તનયક્રમના નામે છે. ખરી રીતે સપ્તનયચક્ર નામ હોવાની સંભાવના વધુ છે. મહાવી૨ જૈન વિદ્યાલય, મુંબઇની પ્રત કરતા આ પ્રતમાં પાઠ અલગ અને વધુ છે. કૃતિના
૧. ગુર્જર સાહિત્ય સંગ્રહ આવૃત્તિ-૩ સં.પ્રદ્યુમ્ન સૂ.મ.વિ.સં-૨૦૬૧ પ્રકા. શ્રુતજ્ઞાન પ્રસારક સભા પૃ.૪૯૧ ૨. જૂઓ ગુજરાતી સાહિત્ય કોશ ખંડ ૧ પૃ.૨૯૨
Page #15
--------------------------------------------------------------------------
________________
(૨)
પ્રારંભવાક્ય અનુસાર અહીં સપ્તનયસ્વરૂપ નામ નિર્ધારિત કર્યું છે. તેનાં ૧૨ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૫ પંક્તિ છે. પ્રત વિ.સં.૧૭૮૩માં પંચરત્નવિજયજી દ્વારા ભૂજમાં લખાઇ છે.
૩) આ જ કૃતિની ત્રીજી પ્રત જૈનાનંદ પુસ્તકાલય, સુરતમાં છે. ક્રમાંક-૪૩૫૧ છે. તેના ૫ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૫ પંક્તિ છે. પ્રત વિ.સં.૧૭૫૬માં આ. શ્રી સુખમલજી ઋષિના શિષ્ય ઉદ્ધવજી ઋષિના શિષ્ય રામચંદ્રજી ઋષિ દ્વારા લખાઇ છે. આ પ્રત પૂ.આ.શ્રીમુનિચંદ્રસૂરિજી મ. દ્વારા પ્રાપ્ત થઈ છે.
) નયસ્વરૂપ : પ્રવર્તકશ્રી કાંતિવિજયજી શાસ્ત્ર સંગ્રહ જૈન પુસ્તકાલય, છાણીમાં છે. ક્રમાંક-૯૯૮ છે. તેના ૯ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૭ પંક્તિ છે. પ્રતને અંતે ભાષાવિદ્ધનય% સમક્ષ એવો ઉલ્લેખ છે. આ પ્રત મુનિશ્રી પદ્યકીર્તિવિજયજી મ. દ્વારા પ્રાપ્ત થઈ છે. (૩.૨) સપ્ટન વિચાર (૧)
આ કૃતિમાં અનુયોગ દ્વારસૂત્રની વ્યાખ્યા રૂપે ગુજરાતી ભાષામાં નયનો વિચાર પ્રસ્તુત છે. તેના કર્તા આ.શ્રી પાર્શ્વચંદ્રસૂરિજી વિષે ગુજરાતી સાહિત્ય કોશ ખંડ ૧માં આ પ્રમાણે જણાવ્યું છે.
પાર્થચંદ્ર-રાજ.ઈ.૧૪૮૧/સં.૧૫૩૭, ચૈત્ર સુદ ૯, શુક્રવાર-અવ.ઈ.૧૫૫૫/સં.૧૬૧૨, માગસર સુદ ૩, રવિવાર) બૃહત્ નાગોરીગચ્છના જૈન સાધુ. પાયચંદ/પાર્જચંદ્રગચ્છના સ્થાપક. આ.શ્રી પદ્મપ્રભસૂરિની પરંપરામાં બા.શ્રી સાધુરત્નસના શિષ્ય. જન્મ આબુની તળેટીમાં આવેલા હમીરપુરમાં. જ્ઞાતિએ વિસા પોરવાડ. પિતા વેલગ/ વેલ્ડગ/વેલા નરોત્તમ શાહ. માતા વિમલાદેવી. બાળપણનું નામ પાસગંદકુમાર.ઈ.૧૪૯/સં.૧૫૪૬, વૈશાખ સુદ ૩ના રોજ સાધુરત્ન દ્વારા દીક્ષા પ્રાપ્ત કરી. દીક્ષા પછી પાર્જચંદ્ર નામ. પડાવશ્યક પ્રકરણાદિ, વ્યાકરણ, કાવ્ય, કોશ, નાટક, ચંપ, સંગીત, છેદ, અલંકાર, ન્યાય, યોગ, જ્યોતિષ, કૃતિ, સ્મૃતિ, ષડ્રદર્શનો તથા જૈન ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસી અને તપસ્વી. તેમને ઉપાધ્યાયપદ ઈ.૧૪૯૯/મં.૧૫૫૪, વૈશાખ સુદ ૩ના રોજ નાગોરમાં અને આચાર્યપદ ઈ.૧૫૦૯/મં.૧૫૬૫, વૈશાખ સુદ ૩ના રોજ સલક્ષણ(શંખલ)પુરમાં શ્રીમન્નાગપુરીય તપાગચ્છાધિરાજ સોમવિમલસૂરિ દ્વારા આપવામાં આવેલું. ઈ.૧૫૧૩માં તેઓ યુગપ્રધાનપદ પામ્યા હતા. તેમણે વ્યાપક રીતે વિહાર કરી જૈન ધર્મનો બહોળો પ્રચાર કર્યો હતો. તેમનો શિષ્યસમુદાય વિશાળ હતો. તેમનું અવસાન જોધપુરમાં થયું હતું.
ગુજરાતી સાહિત્ય કોશ ખંડ ૧માં આ કૃતિ સંભવતઃ 'પદ્રવ્ય સ્વભાવ નય વિચાર’ નામે નોંધાયેલી છે અને તે મુદ્રિત હોવાનો ઉલ્લેખ છે. કૃતિનું અંતરંગ કલેવર જોતા તેમાં પદ્રવ્યનો સંદર્ભ દેખાતો નથી.
હસ્તપ્રત માહિતી
૧) સપ્ટન વિચાર (કર્તા-પૂ.આ.પાર્થચંદ્રસૂરિ) : મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ. ક્રમાંક-૬૦૬. તેના ૭ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૧ પંક્તિ છે. આ પ્રત સુ.બાબુભાઈ સરેમલજી દ્વારા પ્રાપ્ત થઈ છે. પ્રત શુદ્ધપ્રાયઃ છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
(?)
૨) આ જ કૃતિની અન્ય પ્રત આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર મહાવીર જૈન આરાધના કેંદ્ર, કોબામાં છે. ક્રમાંક-૦૬૩૯૯૯. આ પેટાકૃતિ છે. સૂચિપત્રમાં ગુણસ્થાનક-પદ્ભવ્યાદિવિચારના નામે છે. પત્રાંક ૨-અથી ૫-અ સુધી આ કૃતિ છે. તેને અંતે કર્તા તરીકે પૂ.આ.શ્રીપાર્શ્વચંદ્રસૂરિજીમ.નો ઉલ્લેખ છે. તેના ૭ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૮ પંક્તિ છે. શુદ્ધપ્રાયઃ છે.
૩) આ જ કૃતિની ત્રીજી પ્રત સંવેગી ઉપાશ્રય હસ્તપ્રતસંગ્રહ, વઢવાણમાં છે. ક્રમાંક-ડા.૬, પો.૧૮, પ્ર.૪૭૨. તેના ૩ પત્ર છે.પ્રત્યેક પત્રમાં ૧૮ પંક્તિ છે. પ્રત વિ.સં.૧૭૭૧માં વૈશાખ સુદ છઠના દિવસે ઋષિ વેલજીના શિષ્ય ઋષિ કાનજીના શિષ્ય ઋષિ ભોજાજી દ્વારા ધોરાજીમાં લખાઇ છે. આ પ્રત. પૂજ્ય મુનિરાજ શ્રીનયનરત્નવિજયજી મ. દ્વારા પ્રાપ્ત થઇ છે.
૪) આ જ કૃતિની ચોથી પ્રત સંવેગી ઉપાશ્રય હસ્તપ્રતસંગ્રહ, વઢવાણમાં છે. ક્રમાંક-પોથી-૪૦ પ્રત૨૧. તેના ૫ પત્ર છે. પ્રથમ પત્ર નથી. પ્રત્યેક પત્રમાં ૧૩ પંક્તિ છે. આ પ્રત. પૂજ્ય મુનિરાજ શ્રીનયનરત્નવિજયજી મ. દ્વારા પ્રાપ્ત થઇ છે. પ્રત સંશોધિત અને શુદ્ધપ્રાયઃ છે.
(૩.૩) સપ્તનય વિચા૨ (૨)
આ કૃતિમાં પણ અનુયોગદ્વાર સૂત્રના આધારે સપ્તનયનું સંક્ષિપ્ત વિવરણ છે. અહીં અલગ અલગ દૃષ્ટાંતોમાં નયોની યોજના કરી છે. નવતત્ત્વમાં નયોની યોજના કરી છે. છ દ્રવ્યોમાં નયોની યોજના કરી છે. તેમ જ અંતે સાત નયથી આઠ પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. જીવ કર્મનો કર્તા કેવી રીતે?, ભોક્તા કેવી રીતે ?, સ્વરૂપનો કર્તા કેવી રીતે?, સ્વરૂપનો ભોક્તા કેવી રીતે? જીવ કર્મનો અકર્તા કેવી રીતે?, કર્મનો અભોક્તા કેવી રીતે?, સ્વરૂપનો અકર્તા કેવી રીતે?, સ્વરૂપનો અભોક્તા કેવી રીતે?. કૃતિના કર્તા અજ્ઞાત છે. કૃતિમાં અત્ર તત્ર તેમની નમ્રતા ઉડીને આંખે વળગે છે. અંતમાં કર્તા કહે છે. 'આ નયોની યોજના મે મારી બુદ્ધિ અનુસા૨ ક૨ી છે. તેમાં કંઈ ખોટું લાગે તો જ્ઞાનીને પૂછી લેજો. તમે જો મા૨ા ક૨તા સારી=સવાઈ યોજના કરો તો મારૂં જ્ઞાન વધશે. મારૂં જ્ઞાન તો પૂછતાં વાંચતાં જ ખૂલે છે. નયનું જ્ઞાન ગહન છે. મને સમજ પડી તેમ લખ્યું છે.' કૃતિની ભાષા મારવાડી છાંટ ધરાવે છે.
હસ્તપ્રત માહિતી-સપ્તનયવિચા૨ (કર્તા-અજ્ઞાત) : આ પ્રત શ્રીજૈનશાલા સંસ્થાપિત શ્રીનીતિવિજયશાસ્ત્રસંગ્રહ, ખંભાતમાં છે. ક્રમાંક- ૪૬૮/૩૮૨૧ તેના ૫ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૩ પંક્તિ છે. પ્રત વિ.સં.૧૯૦૬માં શ્રીદોલતવિજયજી દ્વારા લખાઇ છે. આ પ્રત સુ. બાબુભાઇ કોલસાવાલા દ્વારા પ્રાપ્ત થઇ છે.
(૩.૪) સપ્તનયવિચારપત્ર
આ કૃતિમાં નયોનું સામાન્ય વર્ણન છે. જીવદ્રવ્યમાં સાતે નયોની યોજના કરી છે. આ કૃતિના કર્તા અજ્ઞાત છે.
હસ્તપ્રત માહિતી-સપ્તનયવિચા૨પત્ર (કર્તા-અજ્ઞાત) : આ પ્રત શ્રીવર્ધમાન જૈનઆગમમંદિર તીર્થ,
Page #17
--------------------------------------------------------------------------
________________
(૪૬)
પૂણેમાં છે. ક્રમાંક-૦૭૯ તેનું ૧ પત્ર છે. પત્રમાં ૧૬ પંક્તિ છે. આ પ્રત પૂ.આ.શ્રીહર્ષસાગરસૂરિજી દ્વારા પ્રાપ્ત થઇ છે.
(૩.૫) સપ્તનયઅધિકા૨
આ કૃતિમાં નયોનું અલગ રીતે વર્ણન છે. તેમાં સર્વ પ્રથમ દેવસેન પંડિતે દર્શાવેલ દસ દ્રવ્યાર્થિક અને ત્રણ પર્યાયાર્થિક નયોનું નિરૂપણ કર્યું છે. ત્યાર પછી સાત નયોનું વર્ણન છે. અહીં પણ ધાર્મિક પૃષ્ઠભૂમિને નજર સમક્ષ રાખી દૃષ્ટાંત વર્ણન ક૨વામાં આવ્યું છે. અનુયોગદ્વાર સૂત્રના આધારે વસતિ અને પ્રદેશ દૃષ્ટાંતનું વર્ણન છે. જીવમાં સાતે નયોની યોજના કરી છે. સાતે નયની દૃષ્ટિએ ધર્મની વ્યાખ્યા કરી છે. સાતે નયથી સિદ્ધની વ્યાખ્યા કરી છે. અંતમાં પ્રમાણનું નિરૂપણ કર્યું છે.
સમગ્રપણે જોતાં આ કૃતિ સ્વતંત્ર નથી જણાતી. કોઈ કૃતિનો અંશ હોય તેમ જણાય છે. આ કૃતિના કર્તા અજ્ઞાત છે.
હસ્તપ્રત માહિતી
૧) સપ્તનયઅધિકાર (કર્તા-અજ્ઞાત) : આ પ્રત શ્રોફ શાંતિલાલ મણિલાલ સંગૃહીત શેઠ મણિલાલ પીતાંબરદાસ હસ્તલિખિત શાસ્ત્રસંગ્રહ, ખંભાતમાં છે. ક્રમાંક-૧૧૩/૫૦૩ છે. તેના ૧૦ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૩ પંક્તિ છે. આ પ્રત સુ. બાબુભાઇ કોલસાવાલા દ્વારા પ્રાપ્ત થઇ છે.
૨) આ જ કૃતિની અન્ય પ્રત વાડીના ઉપાશ્રયમાં છે. ક્રમાંક-પોથી નં.૧૬૦-પ્રત નં-૧૧૯૪. તેના ૧૫ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૨ પંક્તિ છે. પ્રતના પ્રારંભના ૭ પત્ર નથી. આ પ્રત પૂ.આ.શ્રીમુનિચંદ્રસૂરિજી દ્વારા પ્રાપ્ત થઇ છે.
(૩.૬) સપ્તનયવિચા૨-(૩)
આ કૃતિમાં નયોનું એક એક વાક્યમાં સામાન્ય વર્ણન છે. આ કૃતિના કર્તા અજ્ઞાત છે.
હસ્તપ્રત માહિતી- પટ્ટાવલી વા વિવિધ વિષયસંગ્રહ (કર્તા-અજ્ઞાત) આ પ્રત આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર મહાવીર જૈન આરાધના કેંદ્ર, કોબામાં છે. ક્રમાંક- ૩૨૩૦૩. પટ્ટાવલી સાથે પેટાકૃતિરૂપે છે.
(૩.૭) સપ્તભંગીસ્વરૂપ
વિષયને સંલગ્ન હોવાથી પ્રસ્તુત સંપાદનમાં સપ્તભંગીસ્વરૂપ નામની લઘુકૃતિનો પણ સમાવેશ કર્યો છે. તેમાં સંક્ષેપમાં સાત ભાંગાનું વર્ણન છે. તેના કર્તા અજ્ઞાત છે.
હસ્તપ્રત માહિતી-સપ્તભંગીસ્વરૂપ (કર્તા-અજ્ઞાત) : આ પ્રત શ્રી ગુજરાતી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ સંચાલિત હસ્તલિખિત ભંડાર, કેનીંગ સ્ટ્રીટ, કલકત્તામાં છે ક્રમાંક-૨૦૧૦ તેનું ૧ પત્ર છે. પત્રમાં ૧૭ પંક્તિ છે. આ પ્રત સુ.બાબુભાઇ સરેમલજી દ્વારા પ્રાપ્ત થઇ છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
(૧૭)
ખંડ ૪ અર્વાચીન ગુજરાતી કૃતિ
(૪.૧) ગુજરાતી પદ્યાત્મક દાર્શનિક કૃતિઓ
આ પરિચયાત્મક લેખ જાણીતા વિદ્વાન પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયાએ એમ.એ) લખ્યો છે. તે જૈનધર્મપ્રકાશ ઈ. સ.૧૯૬૮ના વર્ષ વૈશાખ મહિનાના સાતમા અંકમાં છપાયો છે. લેખમાં પ્રો. હીરાલાલભાઈએ ૨૬ કૃતિઓનો પરિચય આપ્યો છે. તેમાં સપ્તનયવિવરણ રાસનો ઉલ્લેખ છે. અહીં બાવીસમી કૃતિ તરીકે નયચક્રરાસનો ઉલ્લેખ છે. તે વસ્તુતઃ ગુજરાતી પદ્યકૃતિ નથી પણ દિગંબર પંડિત દેવસેન કૃત નયચક્ર પર નિબંધ જેવી કૃતિ છે. તેની હસ્તપ્રત જોતાં આ માહિતી મળી છે. લેખમાં હીરાલાલભાઈને દાર્શનિક શબ્દ દ્વારા તત્ત્વજ્ઞાનાત્મક કૃતિઓ અભિપ્રેત હશે તેમ જણાય છે. કેમ કે જે કૃતિઓનો પરિચય પ્રસ્તુત થયો છે. તેમાંની મોટા ભાગની કૃતિઓ પ્રકરણ ગ્રંથનો વિષય ધરાવે છે.આ લેખ શ્રી મહાવીર જૈન આરાધના કેંદ્ર કોબા સંચાલિત આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરથી પ્રાપ્ત થયો છે. (૪.૨) સપ્ટનયનું સંક્ષિપ્ત સ્વરૂપ.
આ લેખ પૂજ્ય મુનિરાજ શ્રીકપૂરવિજયજી મ.એ લખ્યો છે અને તે આત્માનંદ પ્રકાશ વિ.સં. ૧૯૬૬ અંક ૭માં છપાયો છે. આ લેખમાં પૂજ્યશ્રીએ ઉપા. શ્રી વિનયવિજયજી મ.રચિત “નયકર્ણિકાના આધારે સાત નય, સપ્તભંગી, નિક્ષેપ અને પ્રમાણનું નિરૂપણ કર્યું છે. આ લેખ પણ આ. શ્રી કૈલાસસાગરસૂ. જ્ઞાનમંદિર, કોબાથી પ્રાપ્ત થયો છે.
(૪.૩) સપ્તનયાદિ અધિકાર
આ લેખ શ્રીઆત્મબોધ સંગ્રહ' નામના પુસ્તકમાં છપાયો છે. (પત્ર ૪૧૩થી૪૫૩) આના લેખકનું નામ લેખ સાથે દેખાતું નથી. પરંતુ પુસ્તકના પ્રારંભના પૃષ્ઠ ઉપર સંગ્રાહક તરીકે “આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજીના શિષ્ય આ. શ્રીચંદ્રસૂરિજીના શિષ્ય મુનિપુંગવ શ્રી ધર્મવિજયજી મ.ના શિષ્ય પુણ્યવિજય” આ પ્રકારનો ઉલ્લેખ મળે છે. પ્ર.શ્રી યેવલા જૈન સંઘ વિ. સં.૧૯૯૪) આ લેખમાં નયોનું કંઇક વિસ્તારથી વર્ણન છે. મધ્યકાળમાં રચાયેલી નય વિષયક ગુજરાતી કૃતિઓનો આધાર લીધો છે. સાથે જ દ્રવ્યાનુયોગનો વિષય પણ આવરી લીધો છે. ઉપાશ્રી દેવચંદ્રજી કૃત નયચકાલાપ પદ્ધતિમાં નયોના દિગંબર પદ્ધતિએ દર્શાવેલ ભેદનું વિવરણ પણ અહીં પ્રસ્તુત છે. અભ્યાસુઓ માટે આ લેખ ખાસ મનનીય સાબિત થશે. આ લેખ આ શ્રી કૈલાસસાગરસૂ, જ્ઞાનમંદિર, કોબાથી પ્રાપ્ત થયો છે.
(૪.૪) સપ્ટનયવિચાર
નયનો સામાન્ય પરિચય આપતા આ લઘુનિબંધના લેખક લઘુશ્રમણ છે. લઘુશ્રમણ' આ ઉપનામ પૂજ્ય આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મ. સા.ના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રીસંયમસાગરજી મ.નું છે. એમ કોબાની સૂચિ જોતા જણાય છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
(૪૮)
આ લેખ સાગર નામની પત્રિકાના ઈ. સ.૧૯૧૮ના વર્ષમાં પ્રકાશિત થયેલ અંક નં. ૨માં પ્રકાશિત થયેલ છે. આ લેખ આ. શ્રી કૈલાસસાગરસૂ. જ્ઞાનમંદિ૨,કોબાથી પ્રાપ્ત થયો છે.
અપ્રાપ્ય કૃતિઓ
આ સિવાય અજ્ઞાત કર્તૃક સપ્તનય રાસ અને તેનો બાલાવબોધ, સપ્તનયક્રમ આદિ કૃતિઓના નામ ઉપલબ્ધ થાય છે. પણ તેની અન્ય વિગતો મળતી નથી.
૧) સપ્તનય વિચા૨ સ્તવન : આ.શ્રી વિ.જ્ઞાનવિમલ સૂ.મ.એ આ નામે કૃતિ રચી છે તેવી નોંધ જ્ઞાનવિમલભક્તિપ્રકાશમાં પણ છે. ગુજરાતી સાહિત્ય કોશ(ખંડ ૧)માં આ કૃતિને ગદ્ય જણાવાઇ છે.' તેની એક પ્રત પાટણના ભંડા૨માં છે. તેનો ક્રમાંક ૧૪૪૦૭ છે. (પાક્ષિકખામણા બાલાવબોધ સાથે) આ પ્રતમાં સપ્તનયવિચાર સ્તવન નામની અપ્રગટ કૃતિ દેખાતી નથી. પ્રત મળે ત્યારે આ અપ્રગટ કૃતિ વિષે વધુ જાણકારી મળશે.
૨) નયપ્રકાશ રાસ : આ નામની કૃતિની નોંધ મધ્યકાલીન ગુજરાતી કૃતિ સૂચિમાં તેમ જ ગુજરાતી સાહિત્ય કોશ ખંડ ૧ માં છે. તેના કર્તા પીંપલગચ્છના મુ.પુણ્યસાગરજી છે. તેઓ સત્ત૨મી સદીમાં આ.શ્રીલક્ષ્મીસાગર સૂ.ના શિષ્ય આ.શ્રીવિનયરાજ સૂના શિષ્ય આ.શ્રીકર્મસાગર સૂ.ના શિષ્ય હતા. કૃતિનો રચનાકાળ વિ.સં.૧૬૨૧ છે. આ કૃતિની હસ્તપ્રત વિષે માહિતી મળી નથી. શ્રીપુણ્યસાગર નામના ત્રણ વિદ્વાનની માહિતી ઉપલબ્ધ છે. તેમાં બે ખરતર ગચ્છના છે અને એક પીંપલગચ્છના છે.
૩) નયરાગગીત કર્તા- અજ્ઞાત. આ પ્રત શ્રી સિદ્ધિ મેઘ મનોહર હસ્તલિખિત શાસ્ત્રસંગ્રહ ભાગ-૨, અમદાવાદમાં છે. ક્રમાંક-ડા.૧૦૬/પ્ર.૫૨૪૧ છે.
કોબાથી પ્રાપ્ત થયેલ સૂચિમાં નય વિષે અન્ય કૃતિઓની નોંધ મળી છે. તેની પ્રત કે સ્થળની માહિતી મળી નથી તેથી અહીં તેમનો કેવળ નામોલ્લેખ કરીને જ સંતોષ માનવો રહ્યો.
૪) સપ્તનયવિચા૨: કર્તા-અજ્ઞાત જૈન શ્રમણ, આદિવાક્ય-પ્રથમ પ્રમાણ નય લક્ષણ.
૫) સપ્તનયસંક્ષિપ્તસ્વરૂપઃ કર્તા- અજ્ઞાત જૈન શ્રમણ, આદિવાક્ય-અનંત ધર્માત્મક વસ્તુનઉ ૬) નૈગમાદિ સપ્તનય વિવ૨ણઃ કર્તા- અજ્ઞાત આદિવાક્ય-નૈગમ,સંગ્રહ, વ્યવહાર.
કૃતજ્ઞતા
મારા પ૨મ ઉપકારી ગુરુદેવ ૫૨મ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા, પિતૃગુરુદેવ પરમ પૂજ્ય મુનિપ્રવ૨શ્રી સંવેગરતિ વિજયજી મ.સા.ની પાવન કૃપા, બંધુમુનિવરશ્રી
૧. જૂઓ-પૃ.૧૪૭
૨. જૂઓ ગુજરાતી સાહિત્ય કોશ ખંડ ૧.પૃ-૨૪૯
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રશમરતિવિજયજી મ.નો સ્નેહભાવ તેમજ તપસ્વી મુનિરાજ શ્રીસંયમરતિવિજયજી મ. પ.પૂ.આ.દેવશ્રીવિજય રામસૂરીશ્વરજી મ. (ડહેલાવાળા)ના શિષ્યરત્ન પપૂ.આ.દેવશ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ. (ડહેલાવાળા)ના શિષ્યરત્ન મુનિરાજ શ્રી જિનરત્નવિજયજી મ.ના શિષ્યરત્ન મુનિરાજ શ્રી પ્રભુશાસનરત્નવિજયજી મ. તથા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રીહર્ષદેખાશ્રીજીમ.ના શિષ્યા સાધ્વીજી શ્રીજિનરત્નાશ્રીજી મ. સા.શ્રી મધુરહંસાશ્રીજી મ. સા.શ્રી ધન્યહંસાશ્રીજી મ.નો નિરપેક્ષ સહાયકભાવ મારી પ્રત્યેક પ્રવૃત્તિની આધારશિલા છે. તેમના ઉપકારોથી મુક્ત થવું સંભવ નથી.
સંપાદનના આ કાર્યમાં મને પૂજ્ય આ.શ્રી મુનિચંદ્રસૂ.મ.તરફથી માર્ગદર્શન, પ્રેરણા તેમજ સહાયતા પ્રાપ્ત થતી જ રહે છે. તેમની ઉદારચિત્તતાને શત શત નમન. જે મહાત્માઓ તેમ જ સંચાલકોએ ઉદારભાવે હસ્તપ્રત મેળવી આપી તેમનો ઋણી છું. સંપાદન કાર્યમાં શ્રુતભવન સંશોધન કેંદ્રના બધા સંશોધન સહકર્મિઓએ ભક્તિભાવથી સહકાર્ય કર્યું છે. તેથી તેઓ સાધુવાદને પાત્ર છે. આ ગ્રંથનું યથામતિ શુદ્ધ સંપાદન કરવાનો પ્રયાસ કર્યો છે. તેમ છતાં પણ પ્રમાદવશ કોઈ અશુદ્ધિઓ રહી ગઈ હોય તો વિદ્વાન પાઠકગણ સંપાદકના પ્રમાદને અને ભૂલને ક્ષમા પ્રદાન કરશે તેવી વિનમ્ર પ્રાર્થના છે.
- વૈરાગ્યરતિવિજય
વિ.સં. ૨૦૭૧, ભાદરવા વદ ૧૦ શ્રુતભવન, પૂણે
Page #21
--------------------------------------------------------------------------
________________
સાત નયનું સ્વરૂપ
શ્રી જૈનશાસનમાં આચાર્ય ભગવંતોએ તત્ત્વને યથાર્થરૂપે સમજવા માટે બે ઉપાય બતાવ્યા છે. પ્રમાણ અને નય. તત્ત્વાર્થસૂત્રમાં વાચક શ્રીઉમાસ્વાતિજીએ નયોને પ્રમાણ સમકક્ષ સ્થાન આપ્યું છે. પ્રમાણની જેમ નય પણ તત્ત્વાર્થના અધિગમનો ઉપાય છે. દર્શનશાસ્ત્રમાં પરીક્ષા માટે ‘પ્રમાણને ખૂબજ આવશ્યક માન્યું છે. વસ્તુતત્ત્વની પરીક્ષામાં પ્રમાણ જ્યાં ઉપયોગી છે ત્યાં નય સૂક્ષ્મ સૂક્ષ્મતમ સ્વરૂપને સમજવામાં સહાયક થાય છે.
પ્રત્યેક વસ્તુ સ્વભાવથી જ અનંતધર્માત્મક છે. વસ્તુતત્ત્વના અનંત ધર્મોનું એક સાથે જ્ઞાન કરવું છદ્મસ્થની સીમિત જ્ઞાનશક્તિથી પર છે. છદ્મસ્થ જ્ઞાતાના પ્રત્યેક બોધ અને પ્રત્યેક વચન નયની સહાયતાથી જ બોધજનક થાય છે. એટલે જ કહ્યું છે કે- ‘જેટલા નયવાદ છે એટલા વચનપથ છે. એટલા માટે જ વસ્તુતત્ત્વના જુદા જુદા પરિમાણને યથાતથ સમજવા માટે નયજ્ઞાન અતીવ આવશ્યક છે.
અનંતધર્માત્મક વસ્તુતત્ત્વના કોઈ એક ધર્મના પ્રાધાન્ય સાથે અભિપ્રાય રાખતી દષ્ટિ નય' કહેવાય છે. સામાન્ય રીતે નયના સાત પ્રકાર છે.
નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય, ઋજુસૂત્રનય, શબ્દનય, સમભિરૂઢનય, એવંભૂતનય.
(૧) નૈગમનય
નૈગમનય વસ્તુતત્ત્વના વિભિન્ન અંશોને ગૌણમુખ્ય ભાવથી ગ્રહણ કરનારી દૃષ્ટિ છે. આ અર્થગ્રાહી નય છે. મોટે ભાગે લોકમાં પ્રચલિત ઔપચારિક વ્યવહાર આ નયના આધારે પ્રવૃત્ત થાય છે. પંકજ નામના ફૂલનો અન્ય ફૂલો પર ઉપચાર કરવો નૈગમનયથી સંભવ છે.
(૨) સંગ્રહનય
સંગ્રહનય વસ્તુતત્ત્વના સત્ કે અનુસ્મૃત ધર્મનો સંગ્રહ કરે છે. આકારાદિથી જુદા જુદા પદાર્થોમાં સમાનતા અને એકતા શોધવી એ સંગ્રહનયનું કાર્ય છે. ‘નાતો પવન જેવા ન્યાય સંગ્રહનયની દૃષ્ટિ છે. સમૂહાંતર્ગત પ્રત્યેક પંકજોને એક રૂપથી જાણવા એ સંગ્રહાય છે. આ પણ અર્થગ્રાહી નય છે. વિશેષરૂપથી દ્રવ્ય અંશનો ગ્રાહક છે. (દ્રવ્ય = સમવાયી કારણ)
Page #22
--------------------------------------------------------------------------
________________
(૨૧)
(૩) વ્યવહારનય
લોકમાં પ્રચલિત અનૌપચારિક વ્યવહાર, વ્યવહાર નયની દૃષ્ટિ છે. આ પણ અર્થગ્રાહી નય છે. આ નયના અભિપ્રાયથી અતીતકાળમાં નષ્ટ અને આજે પણ અનુત્પન્ન પંકજનો પણ પંકજ પદથી વ્યવહાર થાય છે.
() ઋજુસૂત્રનય
વસ્તુતત્ત્વના વર્તમાન અને સ્વકીય (અનુપચરિત) સ્વરૂપનું ગ્રહણ કરનારી દૃષ્ટિ ઋજુસૂત્ર નય છે. આ પણ અર્થગ્રાહી નય છે. પરંતુ માત્ર પર્યાય જ આનો વિષય બને છે. આ નયના અભિપ્રાયથી અતીતમાં વિનષ્ટ અને આજે પણ અનુત્પન્ન પંકજ વર્તમાનકાળમાં વિદ્યમાન નથી, એટલા માટે અવસ્તુ છે. પંકજ તે જ છે જે વર્તમાનમાં દશ્યમાન છે.
પરવર્તી ત્રણ નય શબ્દપ્રધાન હોવાથી શબ્દગ્રાહી નય કહેવાય છે.
(૫) શબ્દનય
શબ્દનય દરેક શબ્દોમાં દરેક અર્થોની વાચકતા શક્તિનો સ્વીકાર કરે છે. “સર્વઃ સર્વાઈવાવેલા આ નયની ઉદ્ઘોષણા છે. મોટે ભાગે વિભિન્ન શબ્દો એક અર્થના વાચક હોય છે. તથા વિભિન્ન અર્થો એક શબ્દથી વાચ્ય બની શકે છે આ વાત શબ્દનયને માન્ય છે. પંકજકુમુદ-કમલ વગેરે શબ્દો એક જ અર્થના વાચક છે એ આ નયનો અભિપ્રાય છે.
(૬) સમભિરૂઢનય
દરેક શબ્દને પોતાની વાચકતા શક્તિ હોય છે, આવી દષ્ટિ સમભિરૂઢનયની છે. વ્યુત્પત્યર્થથી ભલે ને પંકે જાયમાન અન્ય પદાર્થ હોય પરંતુ પંકજ' પુષ્પવિશેષનો જ વાચક છે. એવી રીતે કુમુદ તેને કહીશું જે રાત્રિને આનંદિત કરે. પંકજકુમુદ-કમલ આ પ્રત્યેક પદની અર્થવાચકતા શક્તિ જુદી જુદી છે.
(૭) એવભૂતનય
પ્રત્યેક વસ્તુને પોતાનો ધર્મ અને પોતાની ક્રિયા હોય છે. અર્થપૂર્તિ માટે વસ્તુની વર્તનાને અર્થક્રિયા કહેવાય છે. વસ્તુનું નામાભિધાન પણ આ જ અર્થક્રિયાના આધારે થાય છે. એવંભૂતનયનો અભિપ્રાય છે કે વસ્તુ જ્યારે પોતાની નિયત અર્થક્રિયામાં પ્રવર્તમાન હોય ત્યારે જ તેના વાચક શબ્દનો પ્રયોગ સાન્તર્થ થઇ શકે છે, નહીંતર ન થઈ શકે. પંકજપદ પંકજનામક પુષ્પવિશેષરૂપ અર્થનું વાચક ત્યારે કહેવાય જ્યારે તે
Page #23
--------------------------------------------------------------------------
________________
'પંકે જાયમાન હોય. તેના પહેલા કે પછી તે પદ પંકજપદવાચ્ય નથી. આ નય તમામ ઔપચારિકતાને પાછળ રાખીને શુદ્ધ વસ્તુતત્ત્વને જૂએ છે. આ કારણે સૂક્ષ્મતમ છે.
નયોની આ સંક્ષિપ્ત તેમજ સ્થૂલ પરિભાષા છે. સામે નય ભલે ને એક બીજાથી જુદા હોય, કે વિરુદ્ધ લાગતા હોય પરંતુ અંતર્ગત રૂપથી પ્રત્યેક બીજા નયની સાથે અપેક્ષા સંબંધ રાખે છે. આને જ સાપેક્ષભાવ કહેવાય છે. સાપેક્ષભાવનો અભાવ હોય તો નય સુનય ન રહેતા નયાભાસ થઇ જાય છે.
પોતાની દૃષ્ટિનું પ્રાધાન્ય રાખવા છતાં પણ વિરોધી દૃષ્ટિનો સ્વીકાર કરવો તેમ જ એ દૃષ્ટિને નકારી ન દેવી એટલે સાપેક્ષભાવ. આ સાપેક્ષભાવ જ નયવાદનું હાર્દ છે. સાપેક્ષતા જ સંવાદિતાની જનેતા છે. રાગદ્વેષના વિલય સ્વરૂપ માધ્યસ્થ ભાવની સંપ્રાપ્તિ સંવાદિતાથી થાય છે. જેમાં મુખ્ય હેતુ સાપેક્ષ દૃષ્ટિકોણ હોય છે. દરેક દર્શન જો પ્રમાણ સાથે નયને જોડી દે તો આપમેળે જ વિરોધ ખતમ થઈ જશે અને વસ્તુતત્ત્વનું યથાર્થ તેમજ સંપૂર્ણ દર્શન થઈ શકશે. જરૂરત છે કે દરેક દર્શન નયોની ઉપયુક્તતાનો સ્વીકાર
કરે.
- વૈરાગ્યરતિવિજય
વિ.સં. ૨૦૭૧, ભાદરવા વદ ૧૦ શ્રુતભવન, પૂણે
Page #24
--------------------------------------------------------------------------
________________
खंड - १ संस्कृत कृति
Page #25
--------------------------------------------------------------------------
Page #26
--------------------------------------------------------------------------
________________
संस्कृत कृति
उपाध्यायश्रीविनयविजयगणिकृत
॥नयकर्णिका॥
(गंभीरविजयकृतटीका अज्ञातकर्तृक टबार्थ सहित) [मूल] वर्धमानं स्तुमः सर्वनयनद्यर्णवागमम्। सङ्खपतस्तदुन्नीतनयभेदानुवादतः॥१॥ [टीका] नीयन्ते प्राप्यन्ते सदंशाङ्गीकारेणेतरांशौदासीन्यतया वस्तुबोधमार्गं यैस्ते नयाः नैगमादयः। सर्वे च ते
नयाश्च सर्वनयास्त एव नद्यः सरितः तासामर्णवः समुद्रतुल्यः आगमो वाक्पथो यस्य स तथा। तं वर्धमानं = चरमजिनवरं वयं स्तुमः = स्तुतिविषयीकुर्मः। कुतः कस्मात्? तदुन्नीतनयभेदानुवादतः तत् =तस्य श्रीवर्धमानस्य उत् = प्राबल्येन नीताः = वचनरूपेण प्राप्ताः ये नयानां भेदाः = विशेषा: तेषामनुवादतः कथितस्यैव यत्कथनं तदनुवादस्तस्मात् अनुवादतः कुर्म इति शेषः कथम्?
सङ्क्षपतोऽल्पविस्तरत इति॥१॥ टबार्थ] [शब्दार्थ] श्रीवीरभगवान प्रते स्तविये छे सर्व नयरूप नदीयोना समुद्ररूप छे सिद्धांत आगम जे
एवा प्रते संक्षेपथी तेना प्ररूपेला एवा नयोना भेदोना अनुवादथी॥१॥ भावार्थ:- श्रीवर्धमानस्वामीने संक्षेपथी तेमना प्ररूपेला नयोना भेदोना अनुवादथी अमे स्तवित करिये छे। केवा
वर्धमानस्वामिने? सर्व नयरूप नदीयोना आश्रयरूप समुद्र समान छे जेना सिद्धांतो एवा वीर
भगवानने प्रशंसित करिये छे ए भावार्थ॥१॥ [मूल] नैगमः सङ्ग्रहश्चैव व्यवहारर्जुसूत्रको। शब्दः समभिरूद्वैवम्भूतौ चेति नयाः स्मृताः॥२॥ [टीका] नैगमेति। न एको गमो = विकल्पो यस्य स नैगमः पृथक् पृथक् सामान्यविशेषयोर्ग्रहणात्।(१)
सगृह्णाति विशेषान् सामान्यतया सज्ञायां क्रोडीकरोति यः सङ्ग्रहः।(२) वि = विशेषतयैव सामान्यम् अवहरति = मन्यते योऽसौ व्यवहारः।(३) ऋजु = वर्तमानमेव सूत्रयति = वस्तुतया विकल्पयति यः स ऋजुसूत्रकः।(४) द्वन्द्वे व्यवहारर्जुसूत्रको। काललिङ्गवचनैर्वाचकेन = शब्देन समं = तुल्यं पर्यायभेदेऽपि एकमेव वाच्यं मन्यमानः शब्दो नयः।(५) सम् = सम्यक्प्रकारेण यथा पर्यायैरारूढं अर्थं तथैव भिन्नवाच्यं मन्यमानः समभिरूढो नयः।(६) भूत-भूतशब्दोऽत्र तुल्यवाची, एवं =यथा वाचके शब्दे यो व्युत्पत्तिरूपो विद्यमानोऽर्थोऽस्ति तथाभूततत्तुल्यार्थक्रियाकारिणमेव वस्तु वस्तुवन्मन्यमान एवम्भूतो नयः।(७) द्वन्द्वे [द्विवचनम्।
इत्यमुना प्रकारेण हे! विभो! त्वया नयाः स्मृताः = स्वागमे कथिता इति शेषः॥२॥ [टबार्थ] [शब्दार्थ नैगमनय (१) संग्रहनय (२) वलि एम व्यवहारनय (३) ऋजुसूत्रनय (४) शब्दनय
(५) समभिरूढनय (६) एवंभूतनय (७) वलि ए सात नयो कह्या॥२॥
Page #27
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
भावार्थ:- हव नयकर्णिका ग्रंथकर्ता विनयविजयजी उपाध्याय प्रथम नयोनो उपदेश करे छे। नैगम (१) संग्रह
(२) व्यवहार (३) ऋजुसूत्र (४) शब्द (५) समभिरूढ (६) एवंभूत (७) ए सात नयो नामथी भगवाने
कहेला छे ए भावार्थ॥२॥ [मूल] अर्थाः सर्वेऽपि सामान्यविशेषा उभयात्मकाः। सामान्यं तत्र जात्यादि विशेषाश्च विभेदकाः॥३॥
ऐक्यबुद्धिर्घटशते भवेत्सामान्यधर्मतः। विशेषाच्च निजं निजं लक्षयन्ति घटं जनाः॥४॥ [टीका] अर्था इति। सर्वेऽपि निर्विशेषाः अर्थाः = जीवादयः पदार्थाः। सामान्यं च विशेषश्च तावेव सामान्य
विशेषौ उभौ अवयवौ आत्मा = स्वरूपं येषां ते सामान्यविशेषाः। उभयात्मकाः सन्ति नान्यथा इति त्वया प्रतिपादितम्। तत्र = तयोर्द्वयोर्मध्ये यद्वस्तुनो जात्यादिकरूपं तत्सामान्यम्। जातिर्जीवत्वाजीवत्वरूपा सा आदिर्यस्य तत् जात्यादि, आदिशब्दाद् द्रव्यत्वप्रमेयत्वादयो ग्राह्याः। वि = विशेषेण भेदकाः = पृथक्त्वस्य ज्ञापकाः ये चेतनत्वाचेतनत्वादयोऽसाधारणरूपा विशेषधर्मास्ते त्वया विभेदकाः विशेषाः प्रोक्ता इत्यर्थः॥३॥ हे! विभो! त्वदुक्तसामान्यधर्मतः एकाकारप्रतीतिः = एकशब्दवाच्यता सामान्यं जीवत्वघटत्वचेतनत्वादिकम्, सामान्यमेव धर्मः सामान्यधर्मस्तस्मात् घटशतेऽपि घटानां शतं घटशतं तस्मिन्नपि एकाकारा या बद्धिर्मतिः सा जाता यस्य स ऐक्यबद्धिरीदशो जनो भवेत् त्वदक्तसामान्यधर्मतः घटशतेऽपि घटत्वं लक्षयेदिति भावः। च = पुनः विशेषात्= त्वदुक्तविशेषधर्मतः जनाः = सर्वे नृसुरादयः प्राणिनो निजं निजं = स्वकीयं रक्तपीतवर्णादिविशेषणविशिष्टं घटं लक्षयन्तीत्यर्थः।
समुदायमध्येऽपि भेदकलक्षणैर्विभिद्य गृह्णन्ति न मुह्यन्तीति सम्मोहहारी महांस्तवोपकारः।।४॥ [टबार्थ| हवे ते साते नयोनां लक्षणो प्रत्येकना उदाहरणो साथे दर्शावे छे। परंतु इहां संक्षेपथी छ। [शब्दार्थ| अर्थो सर्वे पण सामान्य तथा विशेष ए बे युक्त अर्थो एवा। सामान्य ते तेमां जाति आदि विशेषो वली
तेना भेद दर्शावनारा॥३॥ एकपणानी बुद्धि घटना सैकडोमां थाय सामान्यधर्मथी, विशेषथी वली पोताना पोताना ओलखे छे
घट प्रते लोको॥४॥ भावार्थ:- प्रथम मुख्यताये अर्थो सर्वे पण सामान्य तथा विशेषण ए उभयात्मक छ। ते बेमां सामान्य ते जाति
प्रमुख। जाति ते मनुष्य, गाय, घोडो, वृक्ष इत्यादि विशेषो। ते सामान्यना एटले जाति प्रमुखना भेद प्रते दर्शावनारा जेम मनुष्य, क्षत्री, ब्रांमण, वाणियो, यवन प्रमुख। जेम गाय वली कपिला, गोरी, कालि प्रमुख। जेम घोडो वली पंचकल्याणी, आरबी, पाणीपंथो प्रमुख। वृक्ष जेम आम्र, कदंब, निंब प्रमुख। एम प्रत्येक पदार्थोनी व्यक्ती दर्शावे ते विशेष सो घडा लोकोना एकठा करेला होय तेमांथी सामान्यधर्मे करी —भो! देवदत्त! घटमानय एम कहे ते कीयो घडो लावो?—विप्रस्य श्वेतं मृन्मयं घटं समानय। एम विशेषयुक्त केवाथी विप्रनो श्वेतघडो ते लावी सके छ। एम सामान्य तथा विशेष बे प्रकारना अर्थो छ। तेमां जे जे प्रकारे जे नय अर्थ ग्रहण करे छे प्रत्येके करी ते व्याख्या करे छे ए भावार्थ॥३॥४॥
Page #28
--------------------------------------------------------------------------
________________
संस्कृत
[मूल] नैगमो मन्यते वस्तु तदेतदुभयात्मकम्। निर्विशेषं न सामान्यं विशेषोऽपि न तद्विना ॥५॥ [का] तदेतत् त्वदुक्तपूर्वो नैगमो = नैगमनामा नयः उभयात्मकं वस्तु मन्यते । उभौ द्वौ सामान्यविशेषौ अवयवौ आत्मा = स्वरूपं यस्य वस्तुनस्तदुभयात्मकं तत्तादृग्रूपं वस्तु = पदार्थं मन्यते = स्वीकरोति । कुतः? त्वदाज्ञायां निर्विशेषं सामान्यं न। निर्गतो = दूरीभूतो विशेषो = विशेषणं पर्यायो वा यस्य तन्निर्विशेषम्, ईदृग्रूपं सामान्यं न विद्यते । तद्विना = सामान्यं विशेष्यं वा द्रव्यं विना रहितो विशेषो न विद्यते। अतः उभयात्मकं गृह्णाति । (शं) तर्हि सम्यग्दृष्टिरयमिति चेन्न, अयं हि द्रव्यं पर्यायं च द्वयमपि सामान्यविशेषयुक्तं मन्यते ततो नायं सम्यग्दृष्टिरित्यर्थः॥५॥
[टबार्थ] [शब्दार्थ] नैगमनय माने वस्तु ते आ सामान्य विशेषे युक्त एवं विशेष वि सामान्य तथा विशेष ते पण नहि तेना विना ॥ ५॥
भावार्थ:- नैगम पेलो। ते वस्तुने सामान्य तथा विशेषे सहित छे एम माने छे कारण के सामान्य छे ते विशेष रहित होय नहि तेम ज विशेष पण सामान्य रहित न होय । जेम वृक्ष विना शाखाओ नहि, शाखाओ विना वृक्ष नहि एम स्वाभाविक संबंधे करी अभेदपणे बेने माने छे ए नैगम। एटले तैणे कालने वर्तमान कालरूपे माने छे ए भावार्थ ॥ ५ ॥
[टीका]
सङ्ग्रहः
[मूल] सङ्ग्रहो मन्यते वस्तु सामान्यात्मकमेव हि। सामान्यव्यतिरिक्तोऽस्ति न विशेषः खपुष्पवत् ॥ ६॥ विना वनस्पतिं कोऽपि निम्बाम्रादिर्न दृश्यते । हस्ताद्यन्तर्भाविन्यो नाङ्गुल्याद्यास्ततः पृथक्॥७॥ सङ्ग्रहनामा नयस्तु सामान्यं = द्रव्यसत्तामात्रं जातिमात्रं वा यत्तत्सामान्यं तदेवात्मा स्वरूपं यस्य तत्तथा। तद्वस्तु एव वस्तुतया मन्यते । कस्माद् ? हि सामान्यात्पृथक्भूतो विशेषो नास्ति न विद्यते, तद्विना विशेषः खपुष्पवत् आकाशकुसुमतुल्योऽस्तीति तवोपदेशो वर्तते तस्मात्॥६॥
=
यस्मात् सामान्यव्यतिरिक्तः
=
=
अस्यैवाभिप्रायं दृष्टान्तेन दृढयन्नाह—– वनस्पतिं = सामान्याभिधानाया वनस्पतेर्जातिस्तां विना तरुत्वत्यागेन निम्बाम्रादिः निम्बश्च आम्रश्च निम्बाम्रौ तावादी यत्र दृग्व्यापारे स निम्बाम्रादिः कोऽपि न दृश्यते= दृग्मार्गे नावतरति । यत्र यत्र वृक्षे दृग् व्याप्रियते तत्र तत्र वनस्पतित्वमेव दृश्यते। अतः सामान्यमेव वस्तु। एनमेव दृढयति — हि यस्माद् हस्तादिष्वङ्गेष्वन्तर्भाविन्यः अङ्गुल्यः, आदिशब्देन हस्ततललेखानखदन्ताक्षिपत्रादीनि यथा ततः हस्ताद्यङ्गतः पृथग् न भवन्ति तथा सामान्यतः पृथग् विशेषो नास्तीत्यर्थः ॥७॥
[टबार्थ] [शब्दार्थ] संग्रहनय माने छे वस्तु सामान्ययुक्त ज जे माटे सामान्यथी भिन्न (जुदो) छे नहि विशेष ते
आकाशना पुष्प जेवो ॥६॥
विना वनस्पतिना कोइ पण लेंबडा, आंबा प्रमुखोने न देखे हस्तादिना अंतर्भूत एवी जे माटे हि अंगुलि आदि तेथी जुदी ॥७॥
भावार्थ:- संग्रह नय बीजो। सामान्ययुक्त एवी ज वस्तु माने छे। कारण के सामान्यथी जुदो विशेष ते आकाशना पुष्प जेवो छे ज नहि। जेम आकाशना पुष्पनो अभाव छे तेम सामान्यथी जुदो विशेष अभाव छे।
Page #29
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
[मूल]
[टीका]
उदाहरण दाखवे छे। जेम कोइ पण वनस्पति विना लेंबडो, आंबो न देखे कारण के लेंबडा प्रमुखो वनस्पति जातिथी जुदा नथी। तेम वली बीजूं उदाहरण। तथा जेम हाथमां अंतर्भूत एवी आंगलीयो ते हाथथी जुदी नथी तेम। तात्पर्यार्थ जे के हाथ प्रमुख सामान्य छे आंगलीयो ते विशेष छे, पण एक विना एकनी संज्ञा ठरे नहि माटे एक ज छे ते बे पण। माटे संग्रहनय वस्तुने सामान्यात्मक ज माने छे इति भावार्थ।।६॥७॥ विशेषात्मकमेवार्थं व्यवहारश्च मन्यते। विशेषभिन्न सामान्यमसत् खरविषाणवत्॥८॥ वनस्पतिं गृहाणेति प्रोक्ते गृह्णाति कोऽपि किम्?। विना विशेषान्नाम्रादीस्तन्निरर्थकमेव तत्॥९॥ व्रणपिण्डीपादलेपादिके लोकप्रयोजने। उपयोगो विशेषैः स्यात्सामान्ये न हि कर्हिचित्॥१०॥ व्यवहारश्च =व्यवहारनामा नयः विशेषात्मकं =पर्यायस्वरूपमेवार्थं पदार्थं मन्यते= कक्षीकुरुते। कुतः? जिनोपदेशे विशेषभिन्नं =विशेषात्पृथग्भूतं सामान्यमसत् =नास्ति खरविषाणवद् रासभशृङ्गवत्। तर्हि विशेषमात्र एव पदार्थः॥८॥ एनमेवोदाहरति— यदा केनचिद्वक्त्रा कश्चिदादिष्टः –भो! त्वं वनस्पतिं गृहाण इति प्रोक्ते कथिते सति किं कोऽपि निम्बाम्रादीन् विशेषान् विना गृह्णाति? न कोऽपि गृण्हाति तत्= तस्मात्कारणाद् ग्रहणाभावात् तत्= सामान्यं निरर्थकं =निष्फलमेवेति॥९॥ तथा च व्रणपिण्डीव्रणं मनुष्यादीनां शरीरे प्रहारादि जातक्षतं तस्मै पिण्डीपट्टिकादि करणं तथा पादलेप: पादलेपकरणं तयोर्द्वन्द्वे आदिपदाच्चक्षुरञ्जनादिके लोकानां जनानां प्रयोजनं कार्यं तस्मिन् विशेषैः पर्यायैरुपयोगः साधनं स्याद्भवति सामान्ये सत्तामात्रे सति कर्हिचित्कदाचिदपि न हि कार्यसिद्धिर्भवतीत्यतो विशेष एव वस्तु॥१०॥ [शब्दार्थ) विशेष युक्त एवो ज अर्थ प्रते व्यवहारनय वली माने छे विशेषथी भिन्न एवं सामान्य ते नथी गर्दभना सेंघडाना जेवु॥८॥ वनस्पतिने झाडने ग्रहण कर एम कहे प्रकर्षे ग्रहण करे ते स्यु? ते माटे विना विशेषथी नहि आंबा प्रमुखने ते व्यर्था(नकामुं) ते माटे॥९॥ व्रणपिंडि (पोटिश) पादलेप (मलिम) आदिक एवा लोकना प्रयोजनमां कार्यमा उपयोग जे ते विशेषोए करी थाय छे सामान्ये करी नहि थाय क्याहिं पण॥१०॥ हवे व्यवहार नय तीजो। ते विशेषात्मक एवा अर्थने माने छ। एना मतमां विशेषथी भिन्न एवं सामान्य ते गर्दभना सेंघडा जेवू सर्वथा नथी। उदाहरण दर्शावे छे— जेम कोइ पुरुषने कोइ पुरुषे कडं के - वनस्पतिने ग्रहण कर। कहीने आंबा प्रमुख मंगावेला पण ते आंबादिक विशेषदर्शक शब्दोना कह्या विना केवल वनस्पति केहवा मात्रथी आंबा प्रमुखने लेइ न शक्यो। माटे विशेष विना सामान्य ते निरर्थक छ। बीजं उदाहरण— जेम लोकमां कोइने व्रणपिंडी (नारु प्रमुख रोग उपर बांधवानुं औषध अथवा पोटीश) तथा पादलेप (पगे चोपडवानुं औषध अथवा गोटको पादलिप्ताचार्यजी करता तेवो)
[टबार्थ
भावार्थ
Page #30
--------------------------------------------------------------------------
________________
संस्कृत कृति
[मूल]
७
तेनो उपयोग लोकना कार्यमां विना विशेष औषधियो नाम ये विशेषपणे औषधियोनुं नाम विना सामान्यथी कार्यसिद्धि कोइ प्रकारे न थाय । माटे व्यवहारनय ते विशेष ज प्रधान मांने छे ए व्यवहारनय ए भावार्थ ॥८॥९॥१०॥
ऋजुसूत्रनयो वस्तु नातीतं नाप्यनागतम्। मन्यते केवलं किन्तु वर्तमानं तथा निजम् ॥११॥ अतीतेनानागतेन परकीयेन वस्तुना । न कार्यसिद्धिरित्येतदसद्गगनपद्मवत्॥१२॥ नामादिषु चतुः स्वेषु भावमेव च मन्यते। न नामस्थापनाद्रव्याण्येवमग्रेतना अपि॥१३॥ [टीका] ऋजुसूत्रनयस्तु ऋजु = सरलं वर्तमानं सूत्रयति = सङ्कल्पयतीति ऋजुसूत्रः स चासौ नयश्च। नातीतम् अतीतः = पूर्वानुभूतपर्यायस्तं वस्तुतया न मन्यते, तस्य विनष्टत्वात्। नापि अनागतं = भविष्यभावम्, तस्याद्याप्यनुत्पन्नत्वात्। किन्तु केवलम् = एकं वर्तमानपर्यायम्, तथा निजं स्वकीयं च भावं वस्तुतया मन्यते, कार्यकारित्वात्॥११॥
=
कस्मादेवम्? इत्यतः आह अतीतो = विगतो भावस्तेन अनागतो = भविष्यमानो यो भावस्तेनापि । परकीयो यथा सामान्यनरस्य पूर्वतनो वा भविष्यत्पुत्रजीवोऽधुना राजपुत्रत्वं प्राप्तः परं सः परकीयस्तेन वस्तुना जिनैः कार्यसिद्धिर्नोक्ता इति कृत्वा एतदतीतानागतपरकीयपर्यायरूपं वस्तु गगनपद्मवद् = आकाशारविन्दवद् असद् = अविद्यमानं मन्यते॥१२॥
अयम् = ऋजुसूत्रनयः एषु = अनन्तरवक्ष्यमाणेषु चतुर्षु निक्षेपेषु एकं भावनिक्षेपमेव वास्तवं मन्यते, नामस्थापनाद्रव्याणि न मन्यते, तेषां परकीयत्वादनुत्पन्नविनष्टत्वाच्च । तत्र नाम वक्तु... रूपरूपं वा गोपालदारकादिषु गतमिन्द्राभिधानं परकीयम्। स्थापना चित्रपटादिरूपा परकीया । द्रव्यं पुनर्भाविभावस्य कारणं तच्चानुत्पन्नम्, भूतभावस्य कारणं तु विनिष्टम् । एवमग्रेतनाः शब्दादयस्त्रयो नयाः भावनिक्षेपमेव स्वीकुर्वन्तीत्यर्थः॥१३॥
[टबार्थ] [शब्दार्थ] ऋजुसूत्रनय जे ते वस्तु प्रते नहि अतीत (गयेला) नहि पण वली अनागत(आवनारुं) माने छे। केवल(एकलुं) स्युं? तो(फक्त) वर्तमान एवं (चालतुं) एवं तेम वलि पोतानुं॥११॥
अतीते भूतकालने करि अनागते भविष्यत्कालने पारके एवे करी वस्तुयो करी नहि कार्यनी सिद्धि एम आ जे तें अछतुं नथी आकाशना कमल जेवुं जेम नथी तेम ॥ १२॥
नाम, स्थापना, द्रव्य, भाव एम निक्षेपामां चारेमांथी भावनिक्षेपाने वली माने छे। नहि नाम, स्थापना, द्रव्य एम आगलना नयो पण ॥ १३ ॥
भावार्थ:- हवे ऋजुसूत्रनय चोथो ते त्रणकालमां भूत तथा भविष्यत् ए बे कालात्मक नथी मानतो केवल (एकलो) वर्तमानकालात्मक ज माने छे । तथा भूत भविष्यत् एवी परायी वस्तुये करि कार्यसिद्धि आकाश कमल जेवी नथी मूलथी जे एम। तथा वली चार निक्षेपा नाम (१) स्थापना (२) द्रव्य (३) भाव (४) ए चार निक्षापाओमां एकला भाव निक्षेपाने ज माने छे। एम आगलना नयो ते पण एकला भावनिक्षेपाने ज माने छे ए चोथो ऋजुसूत्रनय ए भावार्थ ॥११॥१२॥१३॥
Page #31
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
[मूल] अर्थं शब्दनयोऽनेकैः पर्यायैरेकमेव च। मन्यते कुम्भकलशघटायेकार्थवाचकाः॥१४॥ [टीका] शब्दनामा नयः शब्दः = पुंस्त्रीनपुंसकाद्यभिधायकोल्लापस्तत्प्रधानो नयः शब्दनयः। स अनेकैः
शब्दपर्यायैरुक्तोऽपि अर्थं = वाच्यं पदार्थमेकमेव मन्यते। कुतः? हि = यस्मात् कुम्भः कलशो घट: एते शब्दाः सर्वदर्शिभिर्जिनैरेकस्य घटाख्यपदार्थस्य वाचकाः कथितास्ततः सिद्धमनेकैः
पर्यायैरुक्तोऽप्यभिधेय एकम् एवेत्यर्थः॥१४॥ [टबार्थ[शब्दार्थ| अर्थ प्रते शब्द जे नय ते अनेकोए पर्यायो एव एवो ज वलि माने छ। कुंभ, कलश, घट जे
ते घट तथा प्रमुख एक ज पदार्थने कहेनारा छे॥१४॥ भावार्थ:- हवे शब्द नय पांचमो। जे ते अनेक पर्यायो एकार्थ प्रति ज माने छ। उदाहरण— जेम कुंभ, कलश,
घट ते सर्वे शब्दो एक घटरूप पदार्थने ज देखाडे छ। अर्थात् जेम घट, कलश, कुंभ एवा पर्याय जुदा जुदा छे पण वस्तुताये घडो ज छे तेम पट, चीवर, चैल, वस्त्र एवा पर्याय जुदा छ तथापि वस्तुताये
वस्त्र ज छे एम माने छे।।१४॥ मिल] ब्रूते समभिरूढोऽर्थं भिन्नं पर्यायभेदतः। भिन्नार्थाः कुम्भकलशघटाघटपटादिवत्॥१५॥ [टीका] समभिरूढः सम् = अतिशयेन व्याकरणव्युत्पत्त्याद्यारूढमेवार्थमभिमन्वानः समभिरूढो नयः
पर्यायभेदतः = पर्यायशब्देन भेदः पर्यायभेदस्तस्माद् भिन्नं = पृथगभूतमेवार्थं = वाच्यं ब्रूते = मन्यते कुतः? वर्धमानस्वामिना कुम्भकलशघटशब्दाः भिन्नार्थाः पृथगर्थवाचकाः कथिताः। यथा
कुम्भनात्कुम्भः, कलनात्कलशः, घटनाद् घटः, ततः सिद्धं शब्दभेदे वस्तुभेदो घटपटादिवत्॥१५॥ [टबार्थ] [शब्दार्थ बोले छे कहे छे समभिरूढ नय जे ते अर्थ प्रते भिन्न जुदो पर्यायना भेदथी भिन्न
अर्थवाला एवा कुंभ तथा कलश तथा घट, तथा घट तथा पट प्रमुख जेवा॥१५॥ भावार्थ:- हवे समभिरूढ नय छट्ठो। ते अर्थ प्रते पर्यायोना भेदथी जुदो केहे छ। जे कुंभ, कलश, घट जे ते घट
पट जेवा जुदो छे जेम कुंभा ते हाथीना कुंभस्थल जेवो छे, घट ते मेघनी घटा जेवो छे, कलश शिखर प्रासादनुं ते प्रासादना शिखर जेवो छ। अथवा मृत्तिका प्रमुखना अनेक पर्यायोना भेदथी
अर्थने भिन्न केहे छ। ए समभिरूढ नय ए भावार्थ ॥१५॥ [मल] यदिः पर्यायभेदेऽपि न भेदो वस्तुनो भवेत्। भिन्नपर्याययोर्न स्यात् स कुम्भपटयोरपि॥१६॥ [टीका] यदि शब्दपर्यायभेदेऽपि वस्तुनः =पदार्थस्य भेदो न भवेत्= न जातस्तर्हि भिन्नः पर्यायः शब्दो ययौ
स्तौ भिन्नपर्यायौ तयोः कुम्भपटयोरपि स भेदो न स्यादित्यर्थः॥१६॥ [टबार्थ] [शब्दार्थ] जो पर्यायना भेदे सते पण न भेद जे ते वस्तुनो थाय जुदा एवा ते पर्यायोनो न थाय सहित
कुंभ पटनो पण॥१६॥ भावार्थ:- पण जो वस्तुनो भेद न थाय तो ज अनेक पर्यायोए एक अर्थ प्रते ते घडो, इहां वस्तुनो भेद थयो
छे माटे एक अर्थ नही। एम अनेक पर्याये करी एक अर्थनो शब्दनय माने छे ए शब्दनय ए भावार्थ ॥१६॥
Page #32
--------------------------------------------------------------------------
________________
संस्कृत कृति
[मूल] एकपर्यायाभिधेयमपि वस्तु च मन्यते। कार्यं स्वकीयं कुर्वाणमेवम्भूतनयो ध्रुवम्॥१७॥
यदि कार्यमकुर्वाणोऽपीष्यते तत्तया स चेत्। तदा पटेऽपि न घटव्यपदेशः किमिष्यते?॥१८॥ टीका] एवम्भूतनामा नयः एकपर्यायाभिधेयमपि= एक एव यः पर्यायः शब्दः स एकपर्याय एकशब्दः
तेनाभिधेयमपि = वस्तुवाच्यं च = पुनः विद्यमानं भावरूपमपि ध्रुवं = निश्चयेन स्वकीयम् = आत्मीयं कार्यं = निजार्थक्रियां कुर्वाणं पश्यति तदैव तद्वस्तु वस्तुवन्मन्यते नान्यदा। अर्थक्रियाकारी सदिति जिनोपदेशो वर्तते अतो यश्चाऽर्थक्रियाकारी तदेव वस्त्वित्यर्थः॥१७॥ यदि स = पदार्थस्तदा = तस्मिन् काले कार्यमकुर्वाणोऽपि = स्वार्थक्रियामकुर्वन्नपि चेत्तत्तया = वस्तुतया इष्यते अभ्युपगम्यते भवान् तर्हि पटेऽपि घटव्यपदेशो = घटशब्दवाच्यता कथं नेष्यते? = कस्मान्न इच्छाविषयीक्रियते? किमत्रापराधः? यथा स्वार्थक्रियामकुर्वाणो घटो घटत्वव्यपदेशभाग् भवति तथा घटक्रिया...ऽववत्(मकुर्वन्) पटोऽपि घटो भवतु, स्वकार्यकरणाभाव[स्य] उभयत्रापि
समानत्वादित्यर्थः॥१८॥ [टबार्थ] [शब्दार्थ] एक पर्याये अभिधेय केहेवातुं एवं पण वस्तु वली माने छे कार्य प्रते पोताना प्रते करता
एवा प्रते एवंभूत नामा नय जे ते निश्चये॥१७॥ जो कार्य प्रते न करतो एवो ग्रहण करे तो ते माटे तेम ते जो तारे पटमां पण न हि घटनो व्यपदेश स्यु
चाहिये छ।।१८॥ भावार्थ:- हवे एवंभूत नय सातमो। ते एक पर्यायवाचक वस्तुने माने छे, पोताना कार्य प्रते करतो एवा माने छ।
जेम घट-पटादि जलधारण-देहादिआछादन प्रमुख क्रिया प्रते करता एवा माने छे। जो पोतानी क्रियाने न करता प्रते माने तो पटमां घटनो व्यपदेश किम न माने? अर्थात् घटमां पटनी अने पटमां घटनी
अतिव्याप्ति आवे। माटे स्वक्रियाने करता एवाने ज माने। ए एवंभूतनय सातमो ए भावार्थ ॥१७॥१८॥ मूल] यथोत्तरविशुद्धाः स्युर्नयाः सप्ताप्यमी तथा। एकैकः स्याच्छतं भेदास्ततः सप्तशताप्यमी॥१९॥
अथैवम्भूतसमभिरूढयोः शब्द एव चेत्। अन्तर्भावस्तदा पञ्चनयपञ्चशतीभिदः॥२०॥
द्रव्यास्तिकपर्यायास्तिकयोरन्तर्भवन्त्यमी। आदावादिचतुष्टयमन्त्ये चान्त्यास्त्रयस्ततः॥२१॥ [टीका] अमी = साक्षादुक्तपूर्वाः सप्तापि =सप्तसङ्ख्याका अपिः समुच्चयार्थः नयाः यथोत्तरविशुद्धाः यथा
यथा उत्तराः उपर्युपरि वर्तन्ते तथा तथा विशुद्धा ये ते यथोत्तरविशुद्धाः स्युः =भवन्ति। तथा एकैकः= एकश्च एकैक: नयः शतं = शतप्रमाणं भेदः = प्रकार: स्याद= भवति ततो अमी नयाः सप्तशतसङ्ख्याका अपि भवन्ति इत्यर्थः॥१९॥ अथ चेत्= यदि एवम्भूतसमभिरूढयोः एवम्भूतश्च समभिरूढश्च तौ तथा तयोर्द्वयोः शब्दनयेऽन्तर्भावो भवेत् तदा एवेत्यवधारणात् पञ्च नया भवन्ति तदा पञ्चशतीभिदः = पञ्चानां शतानां समाहारः पञ्चशती भिद्यन्ते आभिस्ता भिदः पञ्चशती च ता भिदश्चेति तथा नयानां भवन्तीत्यर्थः॥२०॥ अमी सप्तापि नयाः द्रव्यास्तिकपर्यायास्तिकयोरन्तर्भवन्ति। द्रव्यमेवास्ति तथा प्ररूपयन् द्रव्यास्तिक
Page #33
--------------------------------------------------------------------------
________________
१०
पर्यायं भावमेवास्ति तथाभिदधन् पर्यायास्तिकः, द्रव्यास्तिकश्च पर्यायास्तिकश्च तौ तथा । तयोर्द्वयोर्मध्ये अन्तर्भवन्ति = अवतरन्ति । आदौ = द्रव्यास्तिके आदिचतुष्टयं = नैगमादि चत्वारो भवन्ति। अन्ते भवोऽन्त्यस्तस्मिन्नन्त्ये = पर्यायास्तिके अन्त्यास्त्रयः = शब्दाद्याः भवन्तीत्यर्थः॥२१॥
नयामृतम् - २
[टबार्थ] [शब्दार्थ] हवे साते नयोनो उपसंहार करे छे । एक एक उत्तरना विशुद्धो नयो होवे नयो साते पण आ तेम ज एकेको होय सो भेदो तेथी सातसो नयो आ छे॥१९॥
हवे एवंभूत तथा समभिरूढ ए बे नयोनो शब्दनयमां एम ज जो अंतर्भाव थाय तारे पांच थाय नयो तेना पांचसो भेदो जे ते ॥ २० ॥
द्रव्यास्तिक तथा पर्यायास्तिक ए बेमां अंतर्भूत ए साते पण पेला द्रव्यास्तिमां प्रथमना चार तेम ज छेल्या पर्यायास्तिमां छेला त्रणे ते अंतर्भूत छे तेथी॥२१॥
भावार्थ:- हवे नैगमादि साते नयो एकथी एक उत्तरो करि विशुद्धो होये छे। तथा एकेकना सो सो भेदो थाय छे
तेथी सातेना सातसो भेदो थाय छे। तथा वली एवंभूत तथा समभिरूढ ए बे नयोनो शब्दनयमां समावेश थाय छे तेथी तारे पांच नयो थाये छे तारे तेओना पांचसो भेदो थाय छे। तेम ज वली द्रव्यास्तिक तथा पर्यायास्तिक ए बे नयोमां साते नयोनो समावेश थाय छे। तेमां पेहला द्रव्यास्तिकमां नैगम (१) संग्रह (२) व्यवहार (३) ऋजुसूत्र (४) ए चार तथा शब्द (१) समभिरूढ (२) एवंभूत (३) ए त्रण पर्यायास्तिकमां समाये छे एटले चार द्रव्यास्तिक अने त्रण पर्यायास्तिक छे॥१९॥२०॥२१॥
[मूल]
सर्वे नया अपि विरोधभृतो मिथस्ते सम्भूय साधुसमयं भगवन्! भजन्ते।
भूपा इव प्रतिभटा भुवि सार्वभौमपादाम्बुजं प्रधनयुक्तिपराजिता द्राक्॥२२॥ [टीका] हे! भगवन्! = हे! वर्धमानस्वामिन्! मिथः परस्परं विरोधभृतोऽपि = विरोधो विरुद्धाभिप्रायस्तं बिभ्रति धारयन्ति ये ते तथाविधाः, सर्वे = समस्ता अपि नयाः सम्भूय = एकीभूय साधु = समीचीनं सुन्दरं ते = तव समयं = सिद्धान्तं भजन्ते = सेवन्ते । के इव? भुवि प्रधनयुक्तिपराजिता, भुव पृथ्व्यां प्रधनाय = युद्धाय युक्तिः = प्रबलपुण्यबलेनापूर्वसैन्यरचना तया पराजिताः = पराजयं प्राप्ताः प्रतिभटाः, विपक्षे जेतारो भूपाः द्राक् =शीघ्रं सर्वाः = परिपूर्णषट्खण्डभूमिः भोग्या यस्य स सार्वभौमः = चक्रवर्ती तस्य पादाम्बुजं चरणकमलम् इवेत्यर्थः॥२२॥
=
भावार्थ:- हे
=
[टबार्थ] [शब्दार्थ] इहां सुधी श्लोक छंद हवे बे वसंततिलक छंदो करि भगवत्स्तुति छे। सर्वे एवा नयो जे ते पण विरोधना भरेला एवा परस्पर अन्योन्य ते नयो एकरूपे मतीने सारा एवा सिद्धांत प्रतें हे भगवन्! हे स्वामिन्! सेवे छे भजे छे राजाओ जेवा शत्रुओ जे ते पृथविमां चक्रवर्तिना चरणकमल युद्धरूप करि युक्तियो पराजय करेला तुरत एवा ॥ २२ ॥
भगवन्! सर्वे नयो परस्पर विरोध भरेला एवा पण सूधा थैने तमारा सिद्धांतने सेवे छे। जेम पृथविमां शत्रु राजाओ मांहोमांहि विरोधिऔ छता पण युद्धे करी पराजय करेला एवा चक्रवर्तिना चरणकमलने सेवे छे तेम युक्तिये करी पराजय करेला नयो ते आपना स्याद्वाद सिद्धांत ते भजेछे ए भावार्थ॥२३॥
Page #34
--------------------------------------------------------------------------
________________
संस्कृत कृति
[मूल] इत्थं नयार्थकवचःकुसुमैर्जिनेन्दुर्वीरोऽर्चितः सविनयं विनयाभिधेन। श्रीद्वीपबन्दरवरे विजयादिदेवसूरीशितुर्विजयसिंहगुरोश्च तुष्ट्यै॥२३॥
॥इति श्रीनयकर्णिका समाप्ता॥ टीका] इत्थं = पूर्वोक्तप्रकारेण नयानामर्थो नयार्थः सोऽस्ति येषां तानि नयार्थकानि, नयार्थकानि च तानि
वचांसि चेति। तान्येव कुसुमानि = पुष्पवृन्दं तैर्नयार्थकवचःकुसुमैः। जिनश्चासौ इन्दुश्च जिनेन्दुः = जिनचन्द्रो वीरो = वर्धमानस्वामी विनयेन सहितो यथा स्यात्तथा सविनयं भूत्वा विनयाभिधेन = विनयविजयेति नामकेन मया अर्चितः = पूजितः कुत्र? कस्मै ?श्रिया युक्ते द्वीपाख्यबन्दरवरे = जलधितटवर्तिनगरश्रेष्ठे यस्य नाम्नि विजयपदमादौ वर्तते स तथा विजयदेवसूरिस्तस्य सूरीशितुः शिष्यो विजयसिंहो यो मद्गुरुस्तस्य तुष्ट्यै = सन्तुष्टिकरणाय वीरविभुः पूजित इत्यर्थः॥२३॥
वृद्धिविजयशिष्येण गम्भीरविजयेन च। टीका कृतेयं कृतिभिर्वाच्यमानास्तु शङ्करी॥ [टबार्थ हवे नयवाद साथे स्तुतिनी पूर्णता तथा ग्रंथ रचq थयुं ते कारण प्रमुख दर्शावे छ। [शब्दार्थ] ए प्रकारे नयना अर्थयुक्त वचनरूप पुष्पोये करी जिनमां चंद्ररूप एवा वीर भगवान् अर्ध्या पूज्या
नम्रताये सहित एवा विनय छे नाम जेनुं एवा यो विनय विजये श्री दिवबंदरनामे श्रेष्ठ नगरमां एवामां विजय छे आदिमां देवसूरिराजना एवा विजयदेवसूरिराजना विजयसिंहगुरुना तथा प्रसन्नताने अर्थे।॥२३॥
एम नयकर्णिका संपूर्ण थे। भावार्थ:- श्री दिवबिंदरमा विजयदेवसूरि तथा विजयसिंहसूरि गुरुनी प्रसन्नताने अर्थे विनयविजये नम्रता साथे नयवादना वचनरूप पुष्पोये करि जिनमां चंद्ररूप एवा वीर भगवानने अर्ध्या (पूज्या) छे॥२४॥
इति नयकर्णिकाटबार्थः सम्पूर्णः।
१.श्रीमोहनलाल जैन लायब्रेरी प्रतक्रमांक ८८० की लेखनप्रशस्ति ||श्री।। लीखापितं हर्षमुनिजी।। अमदावादमध्ये||श्री।।
Page #35
--------------------------------------------------------------------------
________________
१२
(१.२) श्रीमतिचन्द्रजीकृतम्
॥सप्तनयविवरणम् ॥
नयामृतम् - २
अथ नयस्वरूपम्।
स्यात्कारमुद्रिता भावा नित्यानित्यस्वभावकाः। प्रोक्ता येन प्रबोधाय वन्दे तं वृषभं जिनम्।।
अनन्तधर्मात्मकस्य वस्तुन एकांशव्यवसायात्मकं प्रकाशात्मकं ज्ञानं नयः । श्रीसर्वज्ञमते सकलं वस्तु अनन्तधर्मात्मकं वर्णितमस्ति मयूराण्डवत् । यथा मयूराण्डमध्ये नानावर्णत्वमस्ति तदा मयूरे जाते तत्पक्षादौ नानावर्णत्वं भवति। असत्किमपि नोत्पद्यते आकाशकुसुमवत् । सदेव प्रादुर्भवति यथा मृत्पिण्डे घटघटीशराव ओदञ्चनादीनां सत्तास्ति तदा मृत्पिण्डे ते ते घटादिपर्याया उत्पद्यन्ते चेत्सत्यं अनन्तधर्मत्वं वस्तुन्यस्ति तर्हि वस्तु एकधर्मत्वेन कथमुच्यते? सत्यम्, अनन्तधर्मत्वं (स्य) वस्तुनि सत्तास्ति परम् एकस्मिन् काले वस्तुनः परिणामाः सङ्ख्येया असङ्ख्या वा भवन्ति । तथा यस्मिन् काले यः परिणामोऽस्ति तस्मिन् काले स एव भवति नापरः । यद्द्द्रव्यं यदा येन रूपेण परिणतं तदा तेनैव रूपेण परिणमति, न तु रूपान्तरेणेति वचनात्। यथार्थप्रमाणमित्युच्यते अयथार्थप्रमाणमिति। नयः प्रमाणस्यैकांशः । यतः—
नाप्रमाणं प्रमाणं वा प्रमाणांशस्तथैव हि। नासमुद्रः समुद्रो वा सामुद्रांशो यथैव हि ॥ समस्तांशस्थानं प्रमाणं तदेकांशो नयः । प्रमाणनयैः सकलभावावगमो भवति। नयाः सप्त । णेगमसंगहववहारे उज्जुसुए होइ चेव बोधव्वे । सद्दे य समभिरूढे एवंभूते य मूलनया॥
अथ नैगमनयार्थः । समस्तसामान्येन विशेषेण च मन्यते न केवलं सामान्येन न केवलं विशेषेण उभाभ्यां प्रकाराभ्यां मन्यते नैगमः। सकलभुवनत्रयमध्यवर्तिवस्तुकदम्बकस्य ग्राहकः स सामान्यधर्मः एक एव। शैवन्याय शास्त्रेऽप्युक्तमस्ति—नित्यमेकमनेकानुवर्ति सामान्यम्। तद्यथा — घटत्व-पटत्व-मनुष्यत्वादि। तथा जैनन्यायशास्त्रेऽपि सामान्यलक्षणम्—अप्रच्युतानुत्पन्नस्थिरैकरूपं हि सामान्यम्, द्रव्यं शाश्वतिकम्। यथा मृत्तिकापर्याया घटशरावादयः उत्पादविनाशधर्मास्तैः कृत्वा सामान्यद्रव्यमस्थिरमप्यस्ति अनेकरूपतां भजति।
अथ विशेषलक्षणं शैवनये सामान्यव्यावृत्तिधर्माणो हि विशेषाः । जैननयेऽपि विशेषलक्षणं पूर्वपूर्वाकारपरि-त्यागोत्तरपरिस्फूर्तिमन्तो हि विशेषाः पर्यायापरनामानः। ते घट-पट-मुकुट-लकुटादि तथा नर-नारकसुरादि। इत्यादिसामान्यविशेषवस्तुस्वरूपप्ररूपको नैगमनयः। जैना अपि वस्तुनि धर्मद्वयं मन्यन्ते सामान्यं विशेषश्च। सामान्यं विना विशेषो न स्याद्विशेषं विना सामान्यं न स्यात्। निर्विशेषं हि सामान्यं {न} भवेत् शशविषाणवदिति वचनात्।
सामान्यविशेषसप्तभङ्गी वस्तु स्यात्सामान्यम् (१) स्याद्विशेषम् (२) स्यात्सामान्यविशेषम् (३) स्यादवक्तव्यम्
Page #36
--------------------------------------------------------------------------
________________
संस्कृत कृति
(४) स्यादवक्तव्यं क्रमतः सामान्यकल्पनया (५) स्यादवक्तव्यं क्रमतो विशेषकल्पनया (६) स्यादवक्तव्यं युगपत्सामान्यविशेषकल्पनया (७) इति।
वस्तुनि कथञ्चित्प्रकारेण सामान्यद्रव्यधर्मत्वमस्तीति प्रथमभङ्गार्थः। (१) तथा तस्मिन्नेव वस्तुनि कथञ्चित्प्रकारेण विशेषधर्मः पर्यायोऽपि स्यादिति द्वितीयः।(२) तथा तस्मिन्नेव वस्तुनि समकाले सामान्यविशेषावपि स्यातामिति तृतीयः। (३) वस्तुनि अव्यक्तधर्मत्वं परमाणुरूपमस्तीति चतुर्थः।(४) तथानुक्रमेणैकदा सामान्यकल्पनया वस्तुस्वरूपं कथयितुमशक्यमतोऽवक्तव्यमिति पञ्चमः।(५) तथानुक्रमेणैकया विशेषकल्पनया वस्तुस्वरूपं कथयितुमशक्यत्वादवक्तव्यमिति षष्ठः। (६) तथा वस्तु युगपत्समकालं सामान्यविशेषत्वेन कथयितुमशक्यत्वादवक्तव्यमिति सप्तमः।(७) इति नैगमनयः।
अथ सङ्ग्रहनयः। सकलभुवनत्रयमध्यवर्तिकालत्रयभाविवस्तुकदम्बकस्य कथकः सङ्ग्रहः। तत्र दृष्टान्तो यथा घटोऽनैकैर्नीलपीतादिभिर्वर्णैर्यतो व्यक्तिमानस्ति तथापि सामान्यद्रव्येण स घट एव उच्यते। तथा श्वेतपीतरक्तकृष्ण-- दिवर्णवती व्यक्तियुक्तापि गौः सास्नादिगोधर्मत्वेन सा गौरेवोच्यते । तथा जातिगोत्रवर्णगन्धरसस्पर्शसंहननसंस्थानावगाहनादिभेदभिन्ना अपि मनुष्यामनुष्यत्वधर्मेण सर्वे मनुष्याः। तथा घटघटीशरावाद्यनेकपर्याया सन्ति परं मृद्र्व्य-मेकमेव। एवं सर्वत्र विचार्यं वस्तुतो यदविनाशिधर्मः द्रव्यं तत्सामान्यद्रव्यमनु पर्यायः पर्यायः समये समये विनश्यति।
अत्र विशेषवादिभिर्बोद्धचार्वाकादिभिः सामान्यं नाङ्गीक्रियते। तैः शाश्वतं किमपि न मन्यते सर्वं क्षणविनश्वरम्। सामान्याद्भिन्नो विशेषोऽभिन्नो वा? चेत्सामान्याद्भिन्नो विशेषस्तदा विशेषोऽवस्तुस्वभावो भविष्यति खरविषाणवत् वन्ध्यापुत्रवत्। सामान्य वस्तु स्थिरस्वभावम्, सामान्याश्रितो विशेषः सर्ववस्तुपर्यायग्राहकः सङ्ग्रहः। इति सङ्ग्रहनयः।
__ अथ व्यवहारनयः येन सकललोकस्य प्रवृत्तिनिवृत्तिर्वा जायते स व्यवहारः। व्यवहारः वस्तुपर्यायविशेषरूपो न तु सामान्यधर्मः। यथा जलार्थी पुमान् घटादिगवेषणं करोति, न तु मृद्रव्यस्य यतो व्यवहारे विशेषः एवोपकारी न तु सामान्यम्। वस्तु विशेष]धर्म एव व्यवहारसाधकः यतो विशेषं विना सामान्यं न भवति। निर्विशेषं हि सामान्य शशविषाणवत्। विशेषं विना सामान्यं शशविषाणतुल्यमसदुक्तं तत्कथं कार्यसाधकं स्यात्? मरुमरीचिकावत् असद्रूपत्वात्। व्यवहारनये विशेषपदाथैर्घटपटमुकुटलकुटादिभिः प्रयोजनम्। इति व्यवहारनयः।
अथ ऋजुसूत्रनयः ऋजुत्वेन सरलत्वेन सामान्येन वस्तुपदार्थप्ररूपकः ऋजुनयः। ऋजु वर्तमानकालीनाः पर्यायावर्तमानसमयानुकूलाः पर्यायाः स्वकीया न परकीयास्तान् कथयति ऋजुसूत्रार्थः।
तथा ऋजुसूत्रनयः लिङ्गवचनाद्यभेदेन समस्तवस्तु कथयति। अत ऋजुसूत्रनयो लिङ्गवचनभेदं न मन्यते। तथा निक्षेपचतुष्टयं मन्यते नाम(१) स्थापना(२) द्रव्य(३) भावरूपम् (४)। ऋजुसूत्रो वर्तमानसमयग्राही न तु योग्यायोग्यशब्दग्राही इति ऋजुसूत्रनयः।
(शब्दः) अथ शब्दनयः भाषावर्गणापुद्गलरूपः शब्दनयः। तेन शब्देन कृत्वा पदार्थस्य वाच्यवाचकभावसंयुक्तं क्रियते।
Page #37
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
तथा पूर्वं शब्दः पश्चादर्थोऽतः शब्दे प्राधान्यं ततः शब्दनयो नार्थनयः। अयमपि नयो वर्तमानपर्यायग्राही ऋजुसूत्रनयापेक्षयायं शुद्धस्तत्कथम्? स तु लिङ्गवचनशून्यं सामान्य वस्तु कथयति, अयं तु शब्दनयो लिङ्गवचनयुक्तं कथयति। यथा पुरुषस्त्रीज्ञानं पुरुषः पुरुषौ पुरुषाः, स्त्री स्त्रियौ स्त्रियः, ज्ञानं ज्ञाने ज्ञानानि सर्ववस्तुपदार्थलिङ्गवचनादिविशेषवाचकः शब्दनयः। इति शब्दनयः। ____ अथ समभिरूढनयः। तल्लक्षणं यावन्तो नामपर्यायशब्दाः सन्ति तावन्तः सर्वेऽपि व्युत्पत्त्या भिन्नभिन्नार्थप्रकाशकाः इति समभिरूढनयार्थः। यथा इन्द्रनामानि बहूनि सन्ति इन्द्रः, शक्रः, पुरन्दरः, शचीपतिरित्यादि सर्वाण्यपि इन्द्राश्रितानि परं व्युत्पत्त्या भिन्नार्थानि यथा इन्दति परमैश्वर्यं प्राप्नोतीति इन्द्रः, शक्नोतीति शक्रः शक्तिमान् शक्रः, पुरं पुरनामानमसुर दैत्यं दारयतीति पुरन्दरः, शच्याः पतिः शचीपतिः। एवं यावन्तो जगति नामपर्याया जीवाजीवाश्रिताः सन्ति ते सर्वेऽपि व्युत्पत्त्या भिन्नाभिधेयाः। तेषु एकार्थता मन्यते तदातिप्रसङ्गदोषः। यतः विजातीयेषु शब्देषु एकार्थप्रसञ्जनमतिप्रङ्गः दोषः। परस्परभिन्नार्थानामेकत्रावस्थानं सङ्करदोषः। इति समभिरूढनयः।
अथैवम्भूतनयः। व्युत्पत्तितुल्यार्थं नाम वक्तीति एवम्भूतनयः यथा मन्यते दुरितोपशान्त्यै जनैरिति मङ्गलं तीर्थं करोतीति तीर्थङ्करः वेवेष्टि विश्वमिति विष्णुः, शक्नोतीति शक्रः. वज्रं यस्यास्तीति स एव वज्री नान्यः, सहस्रमक्षीणि यस्य स एव सहस्राक्षो नान्यः। इत्यादि इति एवम्भूतनयः। इति सप्तनयाः।
एतेषां सप्तनयानां मध्ये आद्याश्चत्वारो नया अर्थप्रधानत्वादर्थनयाः अग्रेतनास्त्रयो नयाः शब्दस्य प्रधानत्वात् शब्दनयाः। आद्यास्त्रयो द्रव्यास्तिकानयाः न तु पर्यायान्मन्यन्ते। शेषाश्चत्वारः पर्यायास्तिकानयाः पर्यायान्मन्यन्ते न तु द्रव्यम्। एतेषां सप्तानां नयानां मध्ये एकम् एव नयं मन्यते स दर्नयवादी। सर्वान् नयान मन्यते स सुनयवादी सप्तनयपञ्चसमवायान् मन्यते स स्याद्वादमतिः। एकान्तवादी न जिनमतिः। बौद्ध-नैयायिक-साङ्ख्य-मीमांसकचार्वाकाः पञ्चैते एकान्तवादिनः। बौद्धाः क्षणिकवादिनः१ नैयायिकाः कर्तृवादिनः२ साङ्ख्याः प्रकृतिवादिनः३ मीमांसकाः कर्मवादिनः४ चार्वाका नास्तिकवादिनः। एषां भेदा भूयांसः सन्ति।
अथ सप्तनयान् प्रस्थक-वसति-प्रदेशादिदृष्टान्तत्रयेण कथयति। तत्र प्रस्थकदृष्टान्ते सप्तनयान् विवृणोति। प्रस्थको मानविशेष: मगधदेशप्रसिद्धः। कश्चित्सूत्रधारः प्रस्थककाष्टं छेत्तुं याति। केनापि पृष्टम्-क्व यासि? तदाशुद्धनैगमनयो भूत्वा तेनोक्वम्-प्रस्थकं छेत्तुं यामि। अत्र बहवो गमाः भासन्ति(न्ते) तावत्काष्टमपि न छेदितमस्ति तर्हि क्व प्रस्थकः स्यादन्तराले भूयांसो व्यवसाया भविष्यन्ति तदनु प्रस्थको भविष्यति तथापि कारणे कार्योपचारः स्यादेव। काष्टं प्रस्थः कार्यं भाविनि भूतोपचार इति नैगमनयवचनम्। सूत्रधारे काष्टं छेत्तुं प्रच्छन्ने(स्थिते) सति केनापि पृष्टम्—किं करोषि? प्रस्थं छिनद्मि। पूर्वनैगमवचनापेक्षया किञ्चिदिदं शुद्धं व्यास्याघटित्वा काष्टं प्रस्थाकारं कृतं तदा केन पृष्टम्-किं करोषि? प्रस्थं करोमि। पूर्वोक्तवचनादिदं शुद्धं तत्प्रस्थकाष्ठं विधिनोत्कीर्यमाणः सूत्रधारः केनापि पृष्टः—किं करोषि? तेनोक्तं प्रस्थं करोमि पूर्वोक्तनैगमवचनादिदं वचनं शुद्धम्। पूर्ववचनाद् उत्तरोत्तरवचनं शुद्धम्। यावत्प्रस्थको न भवति तावत्सर्वाण्यपि वचनानि नैगमनयस्य ज्ञातव्यानि। व्यवहारनयनैगमनययोः साम्यं वचनैरिति।
अथ सङ्ग्रहनयवचनम्। यथा स प्रस्थकः परिपूर्णनिष्पन्नः कण्ठपर्यन्तः धान्यभृतो धान्यादिभाजनं करोति तदा
Page #38
--------------------------------------------------------------------------
________________
संस्कृत कृति
१५
तं प्रति प्रस्थकं कथयति सङ्ग्रहनयः, नान्यथा। नैगमव्यवहारनयौ कारणे कार्यं मन्येते, सङ्ग्रहनयस्तु कारणे कार्यं न मन्यते, केवलं निष्पन्नं कार्यमेव मन्यते । नैगमव्यवहारौ अविशुद्धौ तदपेक्षया सङ्ग्रहनयः शुद्धः इति सङ्ग्रहः।
अथ ऋजुनयवचनम्। यथा केवलं धान्यमापहेतुभूतं मानविशेषः स एव प्रस्थको नान्यत्। ऋजुनयो वर्तमानसमयग्राही अतः सङ्ग्रहनयात् शुद्धः । सङ्ग्रहस्तु प्रस्थकमेयधान्यपुञ्जधान्यभृतप्रस्थक इत्यादिसमुदायस्य प्रस्थकः कथयति। अत ऋजुनयापेक्षया सङ्ग्रहनयोऽविशुद्धः यतोऽयं त्रिकालग्राही।
अथ शब्दादिनयत्रयाणामेकत्र दृष्टान्तं कथयति । एते शब्दादित्रयो नयाः शब्दस्य प्राधान्यं मन्यन्ते, न तु अर्थस्य। अत एते शब्दनयाः यत्र शब्दव्यवस्था तत्रैवार्थो वाच्यः । तर्हि प्रस्थकस्यावस्था प्रस्थकस्य ज्ञानोपयोगवति पुरुषे स्थितास्ति तर्हि स पुरुष एव प्रस्थको नान्यः । यो यादृशे यादृशे उपयोगे प्राणी वर्तते स तदुपयोगवान् कथ्यते। यथा रागोपयोगे वर्तते इति रागी, द्वेषोपयोगे वर्तते इति द्वेषी। तथा प्रस्थकस्योपयोगो यस्मिन्स नरः प्रस्थक उच्यते प्रस्थकोपयोगयुक्तः प्रस्थकः । श्रीहेमचन्द्राचार्याः शब्दादिभिस्त्रिभिर्नयैः प्रस्थकोपयोगी नरः एव प्रस्थको मन्यन्ते, न तूपयोगी। काष्टभाजनस्य प्रस्थस्य यद् ज्ञानं तत्पुरुषे एवास्ति, न तु काष्टे अचेतनरूपत्वाद्। इति प्रस्थदृष्टान्ते
सप्तनयभावना।
अथ वसतिदृष्टान्ते सप्तनयान् दर्शयति । यथा केनापि वैदेशिकपुरुषेण पाटलीपुत्रवास्तव्यो नरः पृष्टस्त्वं क्व वससि? तेनोक्तम्- लोकमध्ये । इदमविशुद्धनैगमवचनम्, लोकस्तु चतुर्दशरज्जुप्रमाणो न ज्ञायते त्वं क्व वससि? तदा तेनोक्तम्-अहं तिर्यग् लोके वसामि। प्रथमवचनात्किञ्चित् शुद्धमिदम्, लोकद्वयपरित्यागात्। पुनः पृष्टम्- तिर्यग् लोके क्व वससि? तेनोक्तम्- जम्बूद्वीपे । पूर्ववचनापेक्षयेदं शुद्धम्। पुनः पृष्टम्- क्व वससि? भरतक्षेत्रे। पूर्वोक्तादिदं शुद्धम्। पुनः पृष्टम्- क्व वससि? तेनोक्तम्- मगधदेशे। चतुर्थात्पञ्चमः शुद्धः, चतुर्थमध्ये द्वात्रिंशत्सहस्रदेशावभासता अस्ति पञ्चमे एक एव मगधदेशो भासते, नान्यः । पुनः पृष्टम्- क्व वससि ? तेनोक्तम्- पाटलिपुत्रनाम्नि नगरे। पञ्चमादयं षष्ठः शुद्धः। मगधदेशस्थ सकलपाटकभ्रान्तेरभावात्। पुनरुक्तम्- - देवदत्तस्य पाटके वसति । परं कीदृशे गृहे? तेनोक्तम्पूर्वाभिमुखप्रशस्तकमलादिचित्रोपलक्षितरुचिरणोपशोभितप्रशस्तरक्तनूतनकपाटयुक्ते रतायुन्नत्तगवाक्षलक्षे ईदृशे गृहेऽहं वसामि। एषोऽष्टमो नैगमनयः सप्तमनैगमात् शुद्धः। इति नैगमः। नैगमव्यवहारयोर्वचनं साम्यम्, न भिन्नत्वम्।
अथ सङ्ग्रह उच्यते। यदा स पुरुष आसनादौ उपविष्टो भवेत्तदैव तत्र वसतीति मन्यते सङ्ग्रहनयो नान्यथा। चलनादिक्रियायुक्तो नरो न तत्र वसतीति मन्यते सङ्ग्रहः। इत्थं सर्वत्र विचार्यम्। इति सङ्ग्रहनयः ।
अथ ऋजुनयः आसने आकाशप्रदेशाः सन्ति न तत्र सर्वत्र वसति किं तु यावत् आकाशप्रदेशान् अवरुध्योपविष्टोऽस्ति नरः स तत्रैव वसति नान्यत्र । प्रवर्तमानसमये वसति नान्यस्मिन्समये । एवं सर्वत्र ज्ञेयम् इति ऋजुनयः ।४
अथ शब्दादिनयत्रयं कथयति । सर्वं वस्तु स्वात्मन्येव वर्तते, न त्वात्मव्यतिरिक्तेऽधिकरण इति वचनात् सर्वोऽपि पुरुषादिपदार्थः स्वरूपे स्वभावे वसति, न तु परस्वभावे आकाशप्रदेशे इति वसतिदृष्टान्तः।
अथ प्रदेशदृष्टान्ते सप्तनयान् अवतारयति। क्वचिद्विद्वज्जनमण्डल्यां प्रदेशप्रवृत्तौ जायमानायां सत्यां केनापि पृष्टम्- कस्य मध्यप्रदेशः तदैकः कश्चित्पण्डितो नैगमनयबलं व्यवक्तीदं धर्मास्तिकायः (१) अधर्मास्तिकायः (२)
Page #39
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
आकाशास्तिकायः (३) जीवास्तिकायः (४) पुद्गलास्तिकायः (५) देशः (६)। सकलद्रव्यस्य कल्पनया विवक्षितः कियान् अंशो भागो देश उच्यते। एतेषां पूर्वोक्तानां षण्णां प्रदेशः इत्यव्यक्तं नैगमनयवचनम्। ___अथ सङ्ग्रहो वक्ति अरे! नैगम! मैवं वद। षण्णां प्रदेशो न, किं तु पञ्चानां धर्मास्तिकायादीनां प्रदेशोऽस्ति, न तु देशस्य प्रदेशः। द्रव्यस्यैकांशो देशो न तु द्रव्याद्भिन्नो देशः इति।
अथ व्यवहारनयो ब्रूते—अरे! सङ्ग्रह! मेत्थं ब्रूहि। पञ्चानां तदोच्यते यदा पञ्चानां साधारणो भवेत् पञ्चभ्रातृनिधानवत्। इत्थं वद। पञ्चविधः प्रदेशः, धर्मास्तिकायादीनां पञ्चविधत्वाद् इति।।
अथ ऋजुसूत्रनयो वक्ति–अरे! व्यवहार! मैवं भण यत्पञ्चविधः प्रदेशः। प्रदेशस्तु पञ्चास्तिकायविषयेऽस्ति प्रदेशे प्रदेशे यदि पञ्चविधत्वमुच्यते तदा पञ्चविंशति प्रदेशाः स्युः। अतो भाज्यप्रदेशान् वद एकस्मिन्प्रदेशे पञ्च विकल्पाः सन्ति अयं धर्मास्तिकायप्रदेशः (१) किं वा अधर्मास्तिकायप्रदेशः (२) किं वा आकाशास्तिकायप्रदेशः (३) उत जीवास्तिकायप्रदेशः (४) किं वा पुद्गलास्तिकायप्रदेशः (५)। एवं पञ्चविकल्पान् ऋजुसूत्रनयो वक्ति।
अथ शब्दनयो वक्ति हे! ऋजुनय! त्वं भाज्यप्रदेशं मा वद। एवमुच्यमाने एकस्मिन्प्रदेशे पञ्चानामपि धर्मास्तिकायादीनां भजना भविष्यति पञ्चपुरुषसेवकवत्। कदाचिद्धर्मास्तिकायस्य प्रदेशो भविष्यति कदाचिदधर्मास्तिकायस्य प्रदेशो भविष्यति। एवं पञ्चानामपि भजना स्यात् प्रदेशस्यात एवं वद धर्मप्रदेशः (१) अधर्मप्रदेशः (२) आकाशप्रदेशः (३) जीवप्रदेशः (४) पुद्गलप्रदेशः (५) एतेषां पञ्चानां मध्ये एकतमस्य प्रदेशः इति।
अथ समभिरूढनयो वक्ति धर्मप्रदेश इत्येवमुच्यमाने समासद्वयाभिव्याप्तिर्भवति। तत्पुरुषः कर्मधारयश्च। तत्पुरुषे क्रियमाणे धर्मे प्रदेशो धर्मप्रदेशः धर्मप्रदेशयोरैक्यम्। धर्मात्प्रदेशो भिन्नः प्रदेशाद्धर्मो भिन्नः भेदे तत्पुरुष इति वचनात्। अतोऽत्र कर्मधारयसमासः कार्यः। धर्मश्चासौ प्रदेशश्च धर्मप्रदेशः। अस्मिन् समासे धर्मद्रव्यप्रदेशयोरैक्यम्, न भिन्नत्वम्, अभेदे कर्मधारय इति वचनात् इति। ___ अथैवम्भूतनयो वक्ति– हे! समभिरूढनय! त्वं धर्मास्तिकायादिषु देशप्रदेशौ कल्पनया मन्यसे तदयुक्तम्, यतो देशप्रदेशौ धर्मास्तिकायादिस्कन्धादभिन्नौ। देशप्रदेशस्कन्धानामैक्यमेव, कल्पनया भिन्नत्वमस्ति तर्हि कल्पनया किं प्रयोजनम्? समस्तस्कन्धरूपो धर्मास्तिकायः स एव धर्मास्तिकाय उच्यते, न तु देशप्रदेशौ। एवं सर्वत्र धर्मास्तिकायादिषु ज्ञेयम्। इत्येवम्भूतनयवचनम्। इति प्रदेशदृष्टान्तः।
सप्तनयज्ञो जिनोक्तसिद्धान्ताधिकारी नान्यः। नयानां किल सप्तानामर्था दृष्टान्तपूर्वकाः। लिखिता संस्कृतरूपेण स्वात्मनः परहेतवे।।' एते सप्तनया मिथ्यादृष्टिभिर्न मन्यन्ते। इति श्रीसप्तनयविवरणं सम्पूर्णम् ॥
१. लिखिता मतिचन्द्रेण परोपकृतिहेतवे।। इति गुर्जरकृतेरन्ते। २. प्रतिलेखकप्रशस्तिः-संवत् १९५४ मिती आसोज सुदि २ वार मंगलवारा। लिखितं व्यासरताणी राधाकृष्णमंगुमल्लेन।। श्रीरस्तु।। कल्याणमस्तु।।
Page #40
--------------------------------------------------------------------------
________________
संस्कृत कृति
शीलाङ्काचार्यकृतम्। ॥सप्तनयसमाधानविवर्णनम्॥
॥श्रीशारदायै नमः॥
अथ स्याद्वादसिद्धान्तोक्तं प्रमाणलक्षणं प्रकाश्यते सङ्खपतः।
॥श्री सरस्वत्यैनमः॥ अथशब्द प्रारंभ तथा मंगलार्थे। हवे स्याद्वाद ते स्यात् अस्ति स्यान्नास्ति आदि सप्तभंगीप्रतिपादित सिद्धान्त शास्त्रमा जे प्रकारे करी उक्तं कहेलुं ते प्रमाणलक्षणं प्रमाणY जे लक्षण जे चिह्न जे ते प्रकाश्यते प्रगट करियै छैये। सक्षेपतः संक्षेपथी ते टुंकाणमां।
तद्यथा—सम्यग्ज्ञानं प्रमाणम्। तद् द्विधा प्रत्येक्षेतरभेदाद।
तत् ते जे छे यथा जिम छ तिम के छे सम्यक् सम्यक् ते यथार्थ एवं ज्ञान जाणवू ते रूप ततः ते ज द्विधा बे प्रकारे करी प्रत्यक्ष इंद्रीयोथी ग्रहण थाय ते इतर बीजुं ते परोक्ष इंद्रीथी न ग्रहे। भेदात् भेदथी।
अवधिमनःपर्यायादावेकदेशप्रत्यक्षौ। केवलं सकलप्रत्यक्षम्। मतिश्रुते परोक्षे।
अवधि शास्त्रोक्त सीमा- मनः मनना पर्याय अभिप्राय विचार आदौ ज्ञानप्ररव(थम?) विषे एकदेशप्रत्यक्षौ एक देशिक प्रत्यक्षो बेये। केवलं एकलु केवलज्ञान जे ते सकल सर्वदेशिक प्रत्यक्षं प्रत्यक्षा मति मतिज्ञान श्रुते श्रुतज्ञान ए बे ज्ञानो परोक्षे परोक्ष छे।
यद्वा सकलवस्तुसाधकं प्रमाणं प्रमीयते परिच्छिद्यते वस्तुतत्त्वं जैनज्ञाने तत्प्रमाणम्।
यत् जे माटे वा अथवा बीजे प्रकारे सकलवस्तुसाधकं सर्वपदार्थोना अभिप्रायोनुं साधन करनारुं जे ज्ञान ते प्रमाणं प्रमाणनामे ज्ञानरूप प्रमीयते यथार्थनिश्चय करिये ते परि सर्वप्रकारे करी छिद्यते द्रव्यादिनो विभागे करी ते वस्तु पदार्थ- जे तत्त्वं सारपणुं जैनज्ञाने जिनराजना ज्ञान विषे जे तत् ते ज प्रमाणं प्रमाण।
तद्विधा सविकल्पेतरभेदात्। तत् ते ज द्विधा बे प्रकारे सविकल्प तर्के करी सहित इतरभेदात् बीजं निर्विकल्प ते तर्करहित ए बे भेदथी
तेमां
सविकल्पकं मानसम्। तच्चतुर्विधं मतिश्रुतावधिमनःपर्यायरूपम्। निर्विकल्पं मनोहरं केवलज्ञानम्। सविकल्पकं सतर्क ते मानसं मनथी थयेटु जे तत् ते ज चतुः च्यारे विधं प्रकार मति मतिज्ञान (१) श्रुत
Page #41
--------------------------------------------------------------------------
________________
१८
नयामृतम् - २
श्रुतज्ञान (२) अवधि अवधिज्ञान (३) मनःपर्याय मनः पर्यायज्ञान (४) रूपं ए च्यार रूपे युक्त ते सविकल्प कहिये। निर्विकल्पं वितर्करहित ते मनोरहितं मनना तर्फे रहित मनना विच्यारे रहित ते केवलज्ञानं केवलज्ञान ते एक प्रकारे ।
किं च यथार्थानुभवः प्रमा। प्रमाकरणं प्रमाणमिति प्रमाव्युत्पत्तिः।
किं स्युं? च वली बीजे प्रकारे यथा जे रीते छे अर्थ अर्थ अभिप्राय अनुभव तेनुं जाणवारूप ज्ञान जे ते प्रमा प्रमा कहिये। प्रमा प्रमानुं जे करणं करवुं ते प्रमाणं प्रमाण कहिये इति ए रीते प्रमाण प्रमाण शब्दनी व्युत्पतिः निरुक्ति पदछेदार्थरूप छे।
प्रमाणेन सङ्ग्रहीतार्थैकांशो नयः । श्रुतविकल्पो विज्ञातुरभिप्रायो वा नयः । नानास्वभावेभ्यो व्यावृत्त एकस्मिन् स्वभावे वस्तु नयति प्राप्नोतीति वा नयश्चेति नयशब्दव्युत्पत्तिः।
प्रमाणेन प्रमाणे करी सङ्ग्रहित ग्रहण करेलो जे अर्थ अर्थ तेनो एक एक अंश अंश जे भाग तेनुं नाम जैनशास्त्रोमां नयः नय एवं छे।
श्रुतविकल्प सिद्धांतनो विचार वितर्करूप एवो विज्ञातुः जाणवा अनुकूल एवो अभिप्रायः विचारनो अध्यवसाय ते वा अथवा नयः ते नय।
नाना अनेकप्रकारना स्वभावेभ्यः स्वभावोथी ते मुख्यधर्मोथी जे व्यावृत्तः सामान्यविशेषार्थ ये क एकस्मिन् एक मुख्य एवा स्वभावे वस्तुना धर्मने विषे वस्तु पदार्थ प्रते प्राप्नोति पमाडे इति ए वा अथवा नयः नय कहिये च इति वली ए नयशब्दव्युत्पत्तिः नयशब्दनी व्युत्पत्ति ते निरुक्तिपदछेदरूप विग्रह ते ज।
तद्भेदाः यथा नैगमसङ्ग्रहव्यवहारर्जुसूत्रशब्दसमभिरूढैवम्भूताख्याः सप्तैव नयाः।
तत्भेदाः यथा ते नयना भेदो जिम छे तिम के छे नैगम नैगमनय ( १ ), सङ्ग्रह संग्रहनय ( २ ), व्यवहार व्यवहारनय (३), ऋजुसूत्र ऋजुसूत्रनय (४) शब्द शब्दनय (५) समभिरूढ समभिरूढनय (६) एवम्भूत एवंभूतनय (७) आख्याः नामना सप्त एव सात ज नयाः नयो ।
अथानुक्रमतश्चैतेषां लक्षणान्याह । तत्र तेषां मध्ये च नैगमाद्याश्चत्वारोऽप्यर्थनयाः । अर्थमेव प्राधान्येन शब्दोपसर्जनमिच्छन्ति। शब्दाद्यास्तु त्रयः शब्दनयाः शब्दप्राधान्येनार्थमिच्छन्ति ।
अथ हवे अनुक्रमतः अनुक्रमेथी च वलि एतेषां ए नयोनां लक्षणानि लक्षणोने आह के छे। तत्र तिहां तेषां ते नयो मध्ये नामांहि च वली नैगमाद्याः नैगमादिक चत्वारः च्यार ते अपि पण अर्थ अर्थ नयाः नयो छे । अर्थं अर्थ प्रतिं एव ज प्राधान्येन प्रधानतापणे करीने मुख्यता वडे करीने शब्दोपसर्जनं शब्दनुं अप्रधानपणुं ते शब्दनुं मुख्यपणुं नहि तेम इच्छन्ति इच्छे छे अर्थात् प्रतिपादन करे छे । शब्दाद्याः शब्दनयादिक ते तु तो त्रयः त्रण नयो ते शब्दनयाः शब्दनयो छे ते शब्दप्राधान्येन शब्दनी प्रधानतापणे अर्थं अर्थने इच्छन्ति इच्छे छे प्रतिपादन करे छे।
Page #42
--------------------------------------------------------------------------
________________
संस्कृत कृति
तत्र नैगमस्येदं स्वरूपम्। तद्यथा-सामान्यविशेषात्मकस्य वस्तुनो नैकेन प्रकारेणावगमः परिच्छेदो निगमः तत्र भवो नैगमः। महासामान्यायान्तरालसामान्यविशेषाणां परिच्छेदकः। तत्र महासामान्य सर्वपदार्थानयायिनी सत्ता आयान्तरालसामान्यं द्रव्यत्व-जीवत्व-जीवाजीवत्वादिकं विशेषाः परमाण्वादयः तद्गता वा शुक्लादयो गुणाः। तदेवं तत्रितयमप्यसाविच्छतीति निलयप्रस्थकादिदृष्टान्तैरनुयोगद्वारप्रसिद्धस्तत्स्वरूपमवसेयम् । अयं च नैगम: सामान्यविशेषात्मकवस्तुसमाश्रयणेऽपि न सम्यग्दृष्टि/देनैव सामान्यविशेषयोराश्रयणात्, तन्मताश्रित-नैयायिक-वैशेषिकवत्। १
तत्र तिहां नैगमस्य नैगमनयनुं इदं आ प्रकारे स्वरूपं लक्षणनो खुलासो छ। तत् यथा ते जेम उदाहरणे करी दर्शावे छे। सामान्यविशेषात्मकस्य सामान्य अने विशेष सहित एवा वस्तुनो पदार्थनो अनेकेन प्रकारेण
अवगम: अनेक प्रकारे करीने विभाग ते परिच्छेद सर्वप्रकारे विभाग ते निगमः ते निगमशब्दनो अर्थ। तत्र ते अर्थ विषे भव: थयेलो ते नैगमः तद्धित प्रत्यये करी नैगम शब्द सिद्ध थाय। महासामान्य महासामान्य अने आयान्तरालसामान्य आयांतराल सामान्य अने विशेषाणां विशेषोनो परिच्छेदकः सर्वप्रकारे विभाग करनार। तत्र तेमां महासामान्यं महासामान्य ते सर्वपदार्थानुयायिनी सर्वे पदार्थोना अनुगमन करनारी एवी सत्ता सत्ता जे सत्यपणुं आयान्तरालसामान्यं आयांतरालसामान्य ते जे प्रत्येक वस्तु विषे द्रव्यत्वजीवत्व द्रव्यपणुं, जीवपणुं जीवाजीवत्वादिकं जीवाजीवपणुं प्रमुख विशेषा: विशेषो ते जे परमाण्वादयः परमाणु प्रमुखो तद्गताः तेमां रहेला जे वा अथवा शुक्लादयः शुक्लादिक गुणाः गुणो तत् ते एवं एवी रीते तत् ते त्रितयं त्रेणे अपि पण ए नैगमनय इच्छति प्रतिपादन करे इति एम निलयप्रस्थकादिदृष्टान्तैः निलय, प्रस्थक प्रमुख दृष्टांतोये करीने अनुयोगद्वारप्रसिद्धः अनुयोगद्वारसूत्रमा प्रसिद्धो छे तेओये करी तत् तेनुं स्वरूपं स्वरूप जे ते अवसेयं समजवू। अयं आ च वली नैगमः नैगमनय सामान्य सामान्य विशेष विशेष आत्मक सहित वस्तु पदार्थनो समाश्रयणे आश्रय करे सते सामान्य ते जे साधारणथी घटपणुं प्रमुख जाति प्रकासकपणं अने विशेष ते जे घटमां माटि अथवा ताम्र प्रमुखने ते रीते जाणवू अपि पण न नहि समकीति नहि मिथ्यात्वी ज सम्यग्दृष्टिः समकीतदृष्टी भेदेन एव भेदे करीने ज सामान्यविशेषयोः सामान्य अने विशेषोना आश्रयणात् आश्रय करवाथी तत् मत ते मतना आश्रित आश्रय करनारा नैयायिक न्यायवाला तथा वैशेषिकवत् वैशेषिकनी परे जाणवू।
तथा सङ्ग्रहोऽप्येवंस्वरूपः। तद्यथा-सम्यक् पदार्थानां सामान्याकारतया ग्रहणं सद्ग्रहः। तथा ह्यप्रच्यतानत्पन्नस्थिरैकस्वभावमेव सत्तारूपं वस्त्वसावभ्यपगछति सत्तातो व्यतिरिक्तस्यावस्तत्वं खरविषाणस्येव। स च सङ्ग्रहः सामान्यविशेषात्मकवस्तुनः सामान्यांशस्यैवाश्रयणान्मिथ्यादृष्टिस्तन्मताश्रितसाङ्ख्यवत्।२
तथा तिम वली सङ्ग्रहः संग्रहनय अपि पण एवं एवी रीतना स्वरूपः स्वरूपनो तत् ते लक्षणे करी दर्शावे छ। यथा जिम सम्यक् सारी रीते पदार्थानां पदार्थोनु सामान्य साधारण आकारतया आकारपणे ग्रहणं ग्रहण करवू ते सद्ग्रहः सद्ग्रह कहिये। तथा तिम ज वली हि जे माटे अप्रच्युत नाशरहित अने अनुत्पन्न उत्पत्तीये रहित स्थिर अचल एवा एक एक स्वभावं स्वभाववालुं एव ज जे अर्थात् उत्पादव्ययरहित अने ध्रौव्यपणा युक्त वस्तु
Page #43
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
सत्तारूपं सत्तारूप ते एवं वस्तु पदार्थ असौ ए नय आ नय आसरे छे। अभ्युपगछति आश्रय करे छे प्रतिपादन करे छ। सत्तात: सत्ताथी व्यतिरिक्तस्य भिन्न जुदा पदार्थ- अवस्तुत्वं अपदार्थपणुं खरविषाणस्य गर्दभना सेंगडानी खरने सेंगडं न होय तेम इव। स ते च वलि सङग्रहः संग्रहनय सामान्य सामान्य विशेषात्मकस्य सामान्य अने विशेषयुक्त वस्तुनः वस्तुनो सामान्यांशस्य एव सामान्य अंशनें एव ज आश्रयणात् आसरवाथी मिथ्यादृष्टिः मिथ्यात्वी कहिये तत् ते मताश्रितसाङ्ख्यवत् मतने आश्रय करवाला सांख्यमतनी परे।२
व्यवहारनयस्य तु स्वरूपमिदम्। तद्यथा- यथा लोकग्राह्यमेव वस्तु यथा च शुष्कतार्किकैः स्वाभिप्रायकृतलक्षणानुगतं तथाभूतं वस्तु न भवत्येव। न हि प्रतिलक्षणमर्थानामात्मभेदो भवति। किं तर्हि? यथा यथा लोकेन विशिष्ठभूयिष्टतयार्थक्रियाकारि वस्तु व्यवह्रियते तथैव तद्वस्त्वित्याबालगोपालाङ्गनादिप्रसिद्धत्वाद् वस्तुस्वरूपस्य। इत्ययमप्युत्पादव्ययध्रौव्ययुक्तस्य वस्तुनोऽनभ्युपगमात् मिथ्यादृष्टिस्तथाविधरथ्यापुरुषवदिति।३
व्यवहारनयस्य व्यवहारनयनुं तु तो स्वरूपं स्वरूप इदं आ तत् ते यथा जिम बतावे छ। यथा लोकग्राह्यं जेम लोकोये ग्रहण करवा योग्य एव ज वस्तु वस्तु ग्रहे यथा जिम च वली शुष्क सुका तार्किकैः स्वाभिप्रायकृतलक्षणानुगतं नैयायिकियोये पोताना अभिप्रायन करेलुं लक्षण ते कोरा तर्कवादियोये पूर्वक कल्पनाये करेलु तथाभूतं तेवा प्रकारचें वस्तु पदार्थ न भवति न होय एव ज न हि नहि जे माटे प्रतिलक्षणं लक्षण लक्षण प्रते प्रत्येक लक्षणे अर्थानां अर्थोनो आत्मभेद पोतानो विभाग भवति होये किं स्युं तर्हि तारे यथा जिम यथा जिम लोकेन लोके विशिष्ट विशेषसहित एवो भूयिष्ठतया बहुधापणाये करी अर्थक्रियाकारि अर्थनि क्रियाने करनार वस्तु वस्तु जे ते व्यवह्रियते व्यवहारमा ग्रहण करे तथा तिम एव ज तत् ते वस्तु वस्तु इति एम आ सर्वे बाल बालक गोपाल गोवाल अङ्गना अने स्त्री आदि प्रमुखोने प्रसिद्धत्वात् प्रसिद्ध माटेथी वस्तु वस्तुना स्वरूपस्य स्वरूपनो इति एम अयं आ नय अपि पण उत्पाद उपजq व्यय नाशपणुं ध्रौव्य स्थिरस्वभावपणुं युक्तस्य ते सहित एवा वस्तुनः वस्तुना अनभ्युपगमात् ग्रहण करवाथी माटे मिथ्यादृष्टिः मिथ्यात्वी जे ते तथाविधरथ्यापुरुषवत् ते प्रकारनो मार्गमां जानार पुरुष परे जेम अजांण्यो मार्गि कोइ लोक बतावे ते मार्गे जाय पण पोते न जाणे तेम इति।३
ऋजुसूत्रमतं त्विदम्। ऋजु प्रगुणं तत्त्वविनष्टानुप्तन्नतयातीतानागतचक्रपरित्यागेन वर्तमानकाललक्षणभावि यद्वस्तु तत्सूत्रयति प्रतिपादयत्याश्रयतीति ऋजुसूत्रः। तस्यैवार्थक्रियाकारितया वस्तुत्वलक्षणयोगादित्ययमपि सामान्य विशेषोभयात्मकस्य वस्तुनः सामान्यांशपरित्यागेन विशेषांशस्यैव समाश्रयणाच्छौद्धोदनिवन्न सम्यग्दृष्टिः कारणभूतद्रव्यानभ्युपगमेन तदाश्रितविशेषस्यैव भावादिति।४
ऋजुसूत्रमतं ऋजुसूत्रनयनुं मत तु तो इदं आप्रकार, ऋजु ऋजु ते प्रगुणं सरल सुधुं तत्त्व तत्त्वे करी विनष्ट विनाश थये अनुत्पन्नतया तानु न उपजवापणुं अतीत अतीतकाल अनागत अनागतकाल चक्ररूप चक्राकार भ्रमणपरित्यागेन भ्रमणना त्यागवडे करीने अर्थात् अतीत अने अनागत ए बे कालना तजवा वडे करीने
Page #44
--------------------------------------------------------------------------
________________
संस्कृत कृति
वर्तमानकाललक्षण वर्तमानकालना लक्षणे करी थानार भावि थानार यत् जे वस्तु वस्तु तत् तेने सूत्रयति ग्रहण करे प्रतिपादयति प्रतिपादन करे आश्रयति आश्रय करे इति एम ऋजु ऋजु सूत्रः सूत्रनय तस्य तेना एव ज अर्थ अर्थनी क्रियाकारितया क्रियाना करवापणावडे करीने वस्तुत्व वस्तुपणाना लक्षण लक्षण योगात् योगथी इति एम अयं आ नय अपि पण सामान्यविशेष सामान्य अने विशेष ए उभय बे युक्त आत्मकस्य एवा वस्तुनः वस्तुना सामान्य सामान्यना अंश विभागना परित्यागेन तजवावडे करीने विशेष विशेषना अंशस्य विभागना एव ज समाश्रयणात् सम्यक् प्रकारे आश्रय करवाथी माटे शौद्धोदनिवत् बौद्धनी परे न नहि सम्यग् सम्यक्त्वी दृष्टि समकीति कारण हेतुरूप भूत भूत मुख्यद्रव्य द्रव्यना अनभ्युपगमेन न आश्रय करवा वडे करीने तत् ते विषे आश्रित विशेषस्य रहेलो एवा विशेषना एव ज भावात् भावथी इति एमा४
शब्दनयस्वरूपं त्विदम्। तद्यथा - शब्दद्वारेणैवात्यर्थप्रतीत्याभ्युपगमाल्लिङ्गवचनसाधनोपग्रहकालभेदाभिहितं वस्तु भिन्नमेवेच्छति। तत्र लिङ्गभेदाभिहितं वस्त्वन्यदेव भवति। तद्यथा पुष्यस्तारका नक्षत्रम्। एवं सङ्ख्याभिन्नं जलमयो वर्षाऋतुः। साधनभेदस्त्वयं एहि मन्ये रथेन यास्यसि यातस्ते पिता। अस्यायमर्थः - एवं त्वं मन्यसे यथाहं रथेन यास्यामीत्यत्र मध्यमपुरुषयोर्व्यत्ययः। उपग्रहस्तु परस्मैपदात्मनेपदयोर्व्यत्ययः। तद्यथा - तिष्ठति प्रतिष्ठते रमते उपरमतीत्यादि। कालभेदस्त्वग्निष्टोमयाजी पुत्रोऽस्य भविता। अस्यायमर्थोऽग्निष्टोमयाजी अग्निष्टोमेनेष्टवान् भूते णिनिर्भवितेति भविष्यदनद्यतने लुट्। तत्रायमर्थः णिनि प्रत्ययो भवितेत्यस्य सम्बन्धाद् भूतकालतां परित्यज्य भविष्यत्कालतां प्रतिपद्यते तेनेदमुक्तं भवत्येवम्भूतोऽस्य पुत्रो भविष्यति योऽग्निष्टोमेन यक्षति। तदेवम्भूतं व्यव हारनयशब्दनयो नेच्छति। लिङ्गाधभिन्नास्तु पर्यायाः अनेकविषयत्वे नेच्छति। तद्यथा घटः कुम्भः इन्द्रः पुरन्दर इत्यादि। अयमर्थव्यञ्जनपर्यायोभयरूपस्य वस्तुनो व्यञ्जनपर्यायस्यैव समाश्रयणान्मिथ्यादृष्टिरिति।५
शब्द नय शब्द नयनं स्वरूपं स्वरूप त तो इदं आ तत ते यथा जिम छे तिम के छे शब्द शब्दना द्वारेण द्वारे करीने एव ज अत्यर्थप्रतीत्य अति अर्थनी प्रतीति ते प्रतिज करीने अर्थात् परमार्थनी प्रतिजे करिने अभ्युपगमात् आश्रय करवाथी प्रतिपादन करवाथी लिंगवचन लिंग ते पुंलिग स्त्रीलिंगनपुंसकलिंग वचन ते एक वचन द्विवचन बहुवचन विभक्तियोनी साधन साधन सिद्ध करवू ते उपग्रह अनुकूल यथायोग्य काल त्रणकाल भेद भेदोये करी अभिहितं कहेलुं ते लिंग-वचन-साधन-उपग्रह-कालोना भेदोये कहेलुं एवं वस्तु पदार्थने भिन्नं जुएं एव ज इच्छति आसरे छ। तत्र तिहां लिङ्गभेदाभिहितं लिंगना भेदे करीने कहेलुं जे
वस्तु पदार्थ अन्यत् बीजू जुदं एव ज भवति थाय छे तत् ते यथा जिम दर्शावे छे पुष्य पुष्यपुल्लिंगना बले तारका तारका स्त्रीलिंगबले नक्षत्रं नक्षत्र नपुंसकलिंगबले एवं ए प्रकारे सङ्ख्या संख्यामांथी भिन्नं जुदं नक्षत्र नपुंसकलिंगे तारका स्त्रीलिंगे सामान्ये नक्षत्रोनां नाम छे पण पुष्य नक्षत्र पुलिंगना बलेथी सत्तावीश नक्षत्रनी संख्यामांथी आठमुं जु, थाय छे ते लिंगभेदे कहेलुं जाणवू। वर्षा तथा ऋतु ए स्त्रीपुरुष लिंगे छे पण जलमय ए विशेषण पुलिंगी होवाथी वर्षाकाल एम प्रतीति थाय छ। जलमय जलयुक्त एवो वर्षा वर्षा ऋतु ऋतु। साधनभेद साधनभेद तु तो अयं आ प्रकारे जेम एहि आव्य मन्ये मायूँ छु जाणुं छु हुं के रथेन रथ वडे करीने यास्यसि जाईस
Page #45
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
यातः गयो ते तारो पिता बाप अस्य आ पदोनो अस्य आ प्रकारे अर्थ: अभिप्राय छे के एवं एवं त्वं तुं मन्यसे माने छे जाणे छे के यथा जेम अहं हुं रथेन रथवडे करिने यास्यामि जाईस इति एम अत्र आ पदोमां मध्यम मध्यम जेम यास्यसि ए पदमां तुंजाइस हुंजाइस एम पुरुषयोः पुरुषोनो व्यत्ययः फारफेर थयो।
उपग्रहः अनुकूल ते उपग्रह ते तु तो परस्मैपद युष्मत् तुं पर आश्रिने आत्मनेपदयोः अस्मत् हुं पोताने आश्रिने व्यत्ययः फारफेर थाय उलटुं थq बीजो अर्थ थाय। तत् यथा ते जिम दाखलो दर्शावे छे तिष्ठति ते उभो रहे छे स्था= गति चालवीथी बंध थवं, प्रतिष्ठते प्रतिष्ठा करे छे, शोभावे छे, बेसे छे रमते रमत क्रीडा करे 'रमु क्रिडायां' क्रीडा करवामां उपरमति विरमे छे पाछो हवे छे निवृत्त करे छे इति आदि एम प्रमुख ए विगेरे।
कालभेदः कालभेद तु तो अग्निष्टोमयाजी अग्निष्टोम नामा यज्ञनो करनारो एवो अग्निष्टोम यज्ञे करी यजेत् यज्ञ करे ते अग्निष्टोमयाजी कहिये पुत्रो पुत्र जे ते अस्य आनो भविता थानारो थसे अस्य आ पदनो अयं आ अर्थ अभिप्राय छे के अग्निष्टोमयाजी अग्निष्टोमयाजी ते जे अग्निष्टोमेन इष्टवान् अग्निष्टोमे करीने यज्ञ न करतो हवो। भूते भूतकालमां णिनिः णिनिप्रत्यय भविता थानार थासे इति ए भविष्यत् ते थासे अनद्यतने अनद्यतन तेहवडेनो अने अनद्यतन ते घणा दिवसनो थयेलो ते अर्थ लुट् ते विषे लुट लकार थाय तत्र तिहां अयं आ अर्थ: अभिप्राय छे णिनिप्रत्ययः णिनि प्रत्यय जे ते भविता भविता इति ए अस्य आना सम्बन्धात् संबंधथी भूत थयेलो गतकालतां कालपणाने परित्यज्य परित्याग करीने भविष्यत् अनागत थानार कालतां कालपणाने प्रतिपद्यते प्रतिपादन करे पामे तेन तेणें ते कारणे करीने इदं आ प्रकारे उक्तं कहलुं भवति होये छ। एवं आवा भूतः प्रकारना अस्य आनो पत्रः पुत्र भविष्यति थासे यः जे अग्निष्टोमेन अग्निष्टोम यज्ञे करीने यक्षति यजन कर छे करसे तत ते एवम्भूतं एवा प्रकारनो व्यवहार व्यवहारनय शब्दनयः शब्दनय ए बे नयो न इच्छति न इच्छे आसरे लिङ्गादि अभिन्नाः लिंगादिको ये अभिन्न जुदा नहि एवा तु पर्यायाः पर्यायो अनेकविषयत्वे अनेक विषयपणा विषे न न इच्छति इच्छे तत् यथा ते जिम दर्शावे छे घटः घडो इन्द्रः इंद्र पुरन्दरः पुरंदर इति आदि ए प्रमुख अयं आ अर्थ व्यञ्जन अर्थ अने व्यञ्जनना पर्याय पर्याय ते नाम उभय ए बे रूपस्य रूप एवा वस्तुनः वस्तुनो व्यञ्जन व्यंजन पर्यायस्य पर्यायनो एव ज समाश्रयणात् आश्रय करवाथी मिथ्यादृष्टिः मिथ्यात्वी इति एम जाणवू।५
तथा पर्यायाणां नानार्थतया समभिरोहणात्समभिरूढः। न ह्ययं घटादिपर्यायाणामेकार्थतामिच्छति। तथा हि घटनाद्बटः कुट्टनात् कुट्टः कौ भातीति कुम्भः। न हि घटनं कुट्टनं भवति। तन्दनादिन्द्रः पुर्दारणात्पुरन्दर इत्यादेरपि शब्दप्रवृत्तिनिमित्तस्य न परस्परानुगतिरिति। तदयमपि मिथ्यादृष्टिः, पर्यायाभिहितधर्मवद्वस्तुनोऽनाश्रयणाद् ग्रहितप्रत्येकावयवान्धहस्तिज्ञानवदिति।६
तथा तिम ज वली पर्यायाणां पर्यायोने नानार्थतया अनेक अर्थपणा वडे करीने समभिरोहणात् सम्यक् प्रकारे आरोहण ते आरोपण करवाथी समभिरूढ समभिरूढ नय। न नै हि जे माटे अयं आ नय घटादिपर्यायाणां घटादिक पर्यायोनो एकार्थतां एक अर्थपणुं इच्छति इच्छे छे तथा तिम वली हि जे माटे घटनात् घडवाथी घटः घडो नाम थयुं कुट्टनात् कुटवाथी कुट्टः कुट्ट नाम थयुं कौ कौ ते प्रथविमां भाति इति भाति ते सोभे ते कुंभ कहिये न हि नै जे माटे घटनं घडवू ते कुट्टनं कुटq भवति होय छे। तथा तिम वली इन्दनात् ऐश्वर्यता करवाथी 'इदि ऐश्वर्ये'
Page #46
--------------------------------------------------------------------------
________________
संस्कृत कृति
धातु इन्द्रः इंद्र नाम छे पुर्दारणात् पुरन्दरः पुर दैत्य, नगर ते ने दारण ते विदारण करवाथी पुरन्दर एवं नाम थयुं छे इन्द्रनुं इत्यादेः ए प्रमुख उदाहरणोथी अपि पण शब्दप्रवृत्तिनिमित्तस्य शब्दनी प्रवृत्तिना कारणनो न नहि परस्पर अन्योअन्य मांहोमांहि अनुगति: अर्थोनुं अनुगमन विचारे इति एम तत् ते माटे अयं आ नय अपि पण मिथ्यादृष्टिः मिथ्यात्वी जे माटे पर्याय पर्याय अभिहित कहेला धर्मवद्वस्तुनः धर्मवान् वस्तुनो धर्मसहित पदार्थना अनाश्रयणात् न आश्रय करवाथी तेमाटे गृहीत ग्रहण कर्यु छे प्रत्येक एकेक अवयव अंग जेओने एवा पांच अन्ध आंधलाओने हस्ति हस्ति ते हाथीना ज्ञानवत् जाणवानी परे इति एमा६
एवम्भूताभिप्रायस्त्वयम्। यदेव शब्दप्रवृत्तिनिमित्तं चेष्टादिकं तस्मिन्घटादिके वस्तुनि तदेवासौ युवतिमस्तकारूढ- उदकाद्याहरणक्रियाप्रवृत्तो घटो भवति, न निर्व्यापार एव। एवम्भूतः तस्यार्थस्य समाश्रयणाद् एवम्भूताभिधानो नयो भवति। तदयमप्यनन्तधर्माध्यासितस्य वस्तुनोऽनाश्रयणान्मिथ्यादृष्टिः रत्नावल्यवयवे पद्मरागादौ कृतरत्नावलीव्यपदेशपुरुषवदिति।७
एवम्भूताभिप्रायः एवंभूतनयनो अभिप्राय तु तो अयं आ प्रकारे यत् जे एव शब्दप्रवृत्तिनिमित्तं एव शब्दनी प्रवृतिनुं कारण प्रवर्तवू चेष्टादिकं चेष्टादिक तस्मिन् ते घटादिके घटादिक पदार्थ विषे वस्तुनि वस्तुमां तत् ते एव ज असौ आ घट युवति स्त्रीना मस्तक मस्तक विषे आरूढ चडेलो एवो उदक जल आदि प्रमुख आहरणक्रिया लाववानी क्रियामां प्रवृत्तः प्रवर्तेलो एवो घटः घट भवति होय छे न नहि निर्व्यापारः निर्व्यापार ते क्रियारहित एव ज एवम्भूतः एवंभूतनय तस्य तेना अर्थस्य अर्थना समाश्रयणात् आश्रय करवाथी एवम्भूत एवंभूत अभिधाननयः नामा नय ते भवति होय छे तत् ते माटे अयं आ नय अपि पण अनन्तधर्म अनंतधर्म अनेकधर्मने अध्यासितस्य धारण करनारा एवा वस्तुनः वस्तुना अनाश्रयणात् न आसरवाथी मिथ्यादृष्टिः मिथ्यात्वी। रत्नावलि रत्नावलि हारना एक अवयवे अंगमां पद्मरागादौ पद्मरागादि विषे कृत कर्यो छे रत्नावली रत्नावलीनो व्यपदेश आरोप जेणे एवा पुरुषवत् पुरुषनी पेरे इति एम जाणवु।७
तदेवं सर्वे नयाः प्रत्येकं मिथ्यादृष्टयोऽन्योन्यसव्यपेक्षास्तु सम्यक्त्वं भजन्ति।
तत् एवं ते माटे ए प्रकारे सर्वे सर्वे नया: नयो प्रत्येकं प्रत्येक एकेकला मिथ्या मिथ्या दृष्टयः दृष्टियो मिथ्यात्वियो अन्योन्य माहोमांहिं सव्यपेक्षाः सविशेष अपेक्षित तु तो सम्यक्त्व सम्यक्त्वने भजन्ति भजे आसरे।
अत्र च ज्ञानक्रियाभ्यां मोक्ष इति कृत्वा ज्ञानक्रियानययोः सर्वेऽप्येते स्वधिया समवतारणीयाः।
अत्र इहां च वली ज्ञान ज्ञान अने क्रियाभ्यां क्रियावडे करीने मोक्षः मोक्ष मुक्ति इति एम कृत्वा करीने समजीने ज्ञान ज्ञान अने क्रिया क्रिया ए बे नययोः नयो विषे सर्वे अपि एते सर्वे पण ए साते नयोने स्वधिया पोतानि बुद्धिये करी समवतारणीयाः सम्यक् प्रकारे करीने उतारवा।
तत्रापि ज्ञाननय ऐहिकामुष्मिकयोञ्जनमेव फलसाधकत्वेनेच्छति, न क्रियाम्। क्रियानयस्तु क्रियामेव न ज्ञानम्। परमार्थस्तूभयमपि समुदितमन्योऽन्यसव्यपेक्षं पङ्ग्वन्धवदभिप्रेतफलसिद्धयेऽलमिति
Page #47
--------------------------------------------------------------------------
________________
२४
नयामृतम् -२
एतदुभययुक्त एव साधुरभिप्रेतमर्थं साधयति। उक्तं च—
सव्वेसिं पि णयाणं बहुविहवत्तव्वयं णिसामेत्ता । तं सव्वणयविसुद्धं जं चरणगुणट्ठिओ साहू। ॥इति सूत्रकृताङ्गटीकाकृता शीलाचार्येण नालन्दाध्ययनान्ते लिखितं सप्तनयसमाधानविवर्णनं समाप्तम्॥
तत्र तेमां अपि पण ज्ञाननयः ज्ञाननय जे ते ऐहिक इहांनुं आ भवनुं आमुष्मिकयोः परभवनुं ए बेमां ज्ञान ज्ञान एव ते ज फलसाधकत्वेन फलना साधकपणे करीने इच्छति इच्छे छे, न क्रियां नहि क्रिया । क्रियानयः क्रियानय जे ते तु तो क्रियां क्रियाने एव ज न नहि ज्ञानं ज्ञान परमार्थः परमार्थे तत्त्वथी तु तो उभयं बे य अपि पण समुदितं मल्येलापणुं अन्योऽन्य मांहोमांहिं सव्यपेक्षं सविशेष अपेक्षितपणुं पङ्गु पांगला अने अन्धवत् आंधलानी पेरे अभिप्रेत वांछित फलसिद्धये फलनी सिद्धिने अर्थे अलं समर्थ इति एम जांणवुं । एतत् उभय युक्त ए ज्ञान क्रिया बेये सहित एव जे साधु मुनि अभिप्रेतं वांछित एवा अर्थ अर्थ प्रते साधयति साधे छे इति एम उक्तं कह्युं छे च वली सिद्धांते सर्वेषां सर्वे अपि पण नयानां नयोनुं बहुविध बहु प्रकारे वर्तव्यतां वर्तवापणुं निशम्ययित्वा(?) निशम्य सांभलीने तत् ते सर्वनयविशुद्धं सर्वनयोये करि सुद्ध एवं यत् जे चरण चारित्र गुण गुणमां स्थित रहेलो ते साधु साधु होये ।
ए प्रकारे सूत्रकृतांग तेनी टीकाकर्ताये शीलाचार्ये नालंदनामे अध्ययनने अंते लखेलुं सातनयोनुं समाधाननुं वर्णन संपूर्णताने पाम्युं ॥
१. प्रतिलेखकप्रशस्ति-श्रीरस्तु इदं बालावबोधं पं. अमृतविजयेनालेखि विजापुरवासिना वेजलपुरे।
Page #48
--------------------------------------------------------------------------
________________
खंड - २
गुजराती पद्यकृति
Page #49
--------------------------------------------------------------------------
Page #50
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
(२.१)
॥ओं नमः सिद्धम्।। उपाध्यायश्री मानविजयजी कृत सप्तनयविवरण रास
(सहाटबार्थ)
(ढाल-१, चउपई) श्री गुरुचरणकमल अनुसरी, श्री श्रुतदेवी रीदइं धरी। तत्त्वरुचिनि बोधन काजि, करुं नय विवरण गुरुसाहाजि॥१.१॥ (१) सूत्र अरथ सवि नय संमति, संदरभित छई श्री जिनमति। आवश्यक निरयुक्तिं अस्यु, देखी कहवा मन उल्लस्यु॥१.२॥ (२) नयई करीनिं सयल पयत्थ, विचारवा बोल्या छई तत्थ। नय विचार करवो ते माटि, जिम पामो समकितनी वाटि॥१.३॥ (३) जो एणिं न विचारें अर्थ, तो तस सूत्र भण्यां सवि व्यर्थ। युगतायुगत भासइ विपरीति, महाभाष्य' माहिं कही रीति॥१.४॥ (४) सूत्रई कहिओ षड्विध व्याख्यान, तेहमां एहथी पदादिक भान। ग्रंथ विशेषावश्यकिं अस्यु, ते पंडितजन रीदयइं वस्युं॥१.५॥ (५) श्रुतज्ञानइ ति एहनिं अधीन, एहथी होइं निज मति पीन। ए चोथो अनुयोगदुआर, एहनो छे बहुलो विस्तार॥१.६॥ (६) चरणकरण जे धरतो सदा, स्वसमय संभालई नवि कदा। निजपरसमय विवेचन करी, आतमतत्त्व न निहालई फिरी॥१.७॥ (७) चरणकरण तस जाई वहिउं, संमति ग्रंथ माहिं इंम कहिउँ। नय विचारथी ते तो होय, ते माटे अभ्यासो सोय॥१.८॥ (८) भावनज्ञानइं एहथी मिलई, सुद्धमारगे दुरमत मति टलई। विसंवाद वरजित होइं बुद्धि, सकल तत्त्वनी पामइं शुद्धि॥१.९॥ (९) नयलक्षण दृष्टांत सरूप, जाणी माहोमाहिं विरूप।
अनेकांतपणे आदरो, मिथ्यामति दूरि परिहरो॥१.१०॥ (१०) १. नत्थि नएहिं विहणं सुत्तं अत्थो य जिणमए किंचि। आसज्ज उ सोआरं नए नयविसारओ बूया।। (विशे. २२७७) २. अत्थं जो न समिक्खई निक्खेवनयप्पमाणओ विहिणा। तस्साजुत्तं जुत्तं जुत्तमजुत्तं च पडिहाय इ।। (विशे. २२७३) ३. होइ कयत्थो वोत्तुं सपयं सुत्तं सुयं सुयाणुगमो। सुत्तालावन्नासो नामाइन्नासविणिओग।। (विशे. १००९)
सुत्तप्फासियनिज्जुत्तिविणिओगो सेसओ पयत्थाई। पायं सो च्चिय नेगममयाइ मयगोयरो होइ।। (विशे. १०१०) ४. चरणकरणप्पहाणा ससमय-परसमयमुक्कवावारा। चरणकरणस्स सारं णिच्छयसुद्धं ण याणंति।। (सन्मतितर्क ३.६७)
Page #51
--------------------------------------------------------------------------
________________
नयामतम-२
[मु.]
[टबार्थ
महाभाष्य तत्त्वारथ भाष्य, संमति प्रमुखनी लेई साखि। श्रीगुरुवचन थकी पणि लही, नयपरमारथ कहुं गहगही॥१.११॥ (११)
(ढाल-२, राग आसाउरी, नमो रे नमो श्रीशेजा ए देशी) प्रस्तुत वस्तुतणो अंशग्राही, अनिराकृत प्रतिपक्ष रे। अध्यवसाय विशेष जे एहवो, ते नय कहीइं लक्ष रे॥२.१॥ (१२) प्रथम नयनुं लक्षण कहीइं छइं। जाणवा इच्छ्युं जे वस्तु = घटपटादिक तेहनो अंश जे सत्ताप्रमुख = एकादिक अवयव तेहनो ग्रहेंनारो एहवो, अनि जे अंश ग्रह्यो तेहनो विरुद्ध जे अंश = असत्ता प्रमुख तेहनो अनिषेधक एहवो जे अध्यवसायविशेष = श्रुतज्ञाननो पर्याय ते नय कहीइं। एह ते लक्षण जाणवू अनि नय ते लक्ष्य छइं। इहां अंशग्राही कहतें प्रमाणने विषइं लक्षण जातुं निवारिठ। जे माटे प्रमाण ते समग्रवस्तु ग्राहक छई। अनि बीजइं विशेषणिं दुर्नयने विषे लक्षण जातुं निवारिउं ॥२.१॥ श्रीजिनवाणीसुं रंग कीजई, जिम मिथ्यामति छीजई रे। रागद्वेषनो नास करीजइं, केवलज्ञान लहीजइं रे॥ श्री.॥२.२॥ आंचली। (१३) जे प्रतिपक्ष तणो प्रतिपेखी, तेहनि दरनय जाणो रे। इंम नय दुरनय जाणी पटंतर, जिनमत कीजे प्रमाणो रे॥ श्री.॥२.३॥ (१४) जे सत्तादि अंशग्राही अध्यवसाय विशेष, असत्तादि विरुद्ध अंशनो निषेधक होइं तेह दुर्नय जाणवो। एहनिं नयाभास जाणवो। जिम घट छ ज इत्यादिक निर्धार वाक्य। इंणि प्रकारिं नय अनि दुर्नय तेहनो पटंतर जे भेद जाणीनिं जिनमत जे अनेकांतवाद ते अंगीकार करवो॥२.२,३॥ नय प्रापक साधक निरवरतक, निरभासक इति भाष रे। उपलंभक व्यंजक एक अरथा, इति तत्त्वारथ भाष्य रे॥ श्री.॥२.४॥ (१५) पामीइं ते विवेख्यो अर्थ जेणिं ते नय १, पमाडे विवक्षित अर्थ तें प्रापक २, साधइ विवक्षित वस्तुनें ते साधक ३, अतिसयें विवक्षित अर्थनिं जे वर्तावई = समजावें ते निरवरतक ४, अतिसयें विवक्षित वस्तुनि कहें ते निरभासक ५, एहवा शब्द विवक्षित पदार्थनिं ज्ञान विषं करें ते उपलंभक ६, विवक्षित अर्थनिं प्रगट करे ते व्यंजक ७, ए सर्व शब्द भिन्न छइ पणि अर्थ एक जाणवो। घटकलशकुंभादिक शब्द जुदा छे पण अर्थ एक छे तेम। एहवं तत्त्वार्थभाष्यने विषे कहिउं छइं॥२.४॥ द्रव्यार्थिक पर्यायार्थिक इति, मूल भेद तस दोय रे। द्रव्य ज अरथ विषय छइं जेहनि, ते द्रव्यार्थिक होय रे॥ श्री.॥२.५॥ (१६)
[टबार्थ
[मु.]
[टबार्थ
१. [टबार्थ] (श्री जिनवाणीने विर्षे रंग राच्या माच्या रहीए। जेथी करीने मिथ्यात्व दूर थाय अने एम करतां रागद्वेषनो पण नाश थाय, अने केवलज्ञानने पामे।। मु.) २. नयनो आभास पण शुद्ध नय नही मु. ३. नयाः प्रापकाः कारकाः साधका निर्वतका निर्भासका उपलम्भका व्यञ्जका इत्यनर्थान्तरम्। (तत्त्वार्थभाष्य १.३५)
Page #52
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
[टबार्थ] एह नयनुं लक्षण कहिउं। हवइं नयना भेद कहें छइं। एक द्रव्यार्थिक नय१, बीजो पर्यायार्थिक नय।
तेह नयना एह बई मूल भेद जाणवां। हवें द्रव्यार्थिकनुं स्वरूप कहई छई।।२.५॥ [म.] ए परमारथई द्रव्य ज वंछे, पज्जाय नि उपचारि रे।
सामान्य रूपिं अनवस्थानि, नहीं अरथांतर क्यारि रे॥ श्री.॥२.६॥(१७) [टबार्थ द्रव्यार्थिक ते स्युं कहीइं? एह द्रव्यार्थिक नय परमार्थि = तात्पर्यिं द्रव्यनि ज वांछइं पणि पर्यायनिं
नहीं। अनि एह नय पर्यायनिं सर्वथा न वांछइं तो दुर्नय थाइं ते माटइं पर्यायनि चंचा(चर्चा-सत्ता?) पुरुषनी परि उपचारिं माने। उपचार ते अछता गुणनो आरोप। पर्याय उपचारिक छे, पणि पारमार्थिक नही। ते उपरि हेतु कहें छई। एकरूपिं न रहे, खरविषाणादिकनी परि ते माटें पर्याय ते द्रव्य थकी भिन्न पदार्थ न होइं। इहां हेतु कहेते पंचावयव वाक्यरूप अनुमान सूचव्यु। पंचावयव ते-प्रतिज्ञा१, हेतु २, उदाहरण३, उपनय४, निगमन५। तिहां प्रतिज्ञा ते पक्षनें विर्षे कोईक धर्मनुं साधq, जिम पर्वतनें विषं वह्निनु साध। तिम इहां पर्यायनें विर्षे उपचारपणाचं साधq१। हेतु ते साध्य- साधनार वाक्य, जिम वह्निनु साधन धूम। तिम इहां सामान्य रूपिं अनवस्थान ते हेतु२। उदाहरण ते दृष्टांत. जिम धूमानुमानिं महानस। तिम ईहां खरविषाण३। पक्षनें विषई लिंगनों निर्धार करवो ते उपनय। जिम धूमानुमानिं वह्निव्याप्यधूमवंत ए पर्वत एहवं वाक्य तिम ईहां उपचारताव्याप्यसामान्यरूपअनवस्थितिवंत पर्याय ए वाक्य४ निगमन ते पक्षनें विषं साध्यनो निर्धार करवो ते। जिम धूमानुमानि पर्वत ते वह्निवंत ज ए वाक्य। तिम ईहां पर्याय ते औपचारिक ज एहवं वाक्य५।
ए पंचावयव वाक्य रूप अनुमानि करी पर्यायनिं उपचारपणुं साध्यु इति भावार्थः॥२.६॥ [मु.] आविर्भाव तिरोभाव मात्रिं, परिणमई द्रव्य ज नान्य रे।
उतफणकुंडलितादि अवस्था, नहीं अहिद्रव्यथी अन्य रे॥ श्री.॥२.७॥(१८) [टबार्थ हवइं पर्याय नथी तो नवनवें भाविं उपजें छे विणसें छे ते कोण? ते उपरि कहइं छइं-उत्पत्ति, विनास,
मात्रनिं ते ते विशेष बुद्धिनुं जे कहेंq तेहD कारण ते पर्याइं उपचार करीइं, पणि पारमार्थिक नहीं। परमार्थिं द्रव्य परिणाम तेह ज पर्याय पणि बीजी वस्तु नहीं ते उपरि दृष्टांत-आविर्भाव उत्फणपणे, तिरोभाव विफणपणे तावन्मात्रिं परिणामी अहि फणाटोप-विफण-कुंडलाकार प्रमुख जे अवस्था परिणाम ते सर्प रूप जे द्रव्य तेहथी अन्य नथी। उत्पत्ति विनास तन्मात्रिं परिणमें छइं ते द्रव्य ज पणि पर्याय नही। ते माटई द्रव्य ज छे पणि पर्याय नही। ते विशेष बुद्धिना कहेंवानुं करण ते पर्याय कहीई इति भावार्थः॥२.७॥
Page #53
--------------------------------------------------------------------------
________________
नयामतम-२
[टबार्थ
[मु.]
जो द्रव्यथी पर्याय भिन्न, तो होइं अवयव निजमात्र रे। तथा भिन्न देशिं पणि लहीइं, इय ते कल्पितमात्र रे॥ श्री.॥२.८॥(१९) हवें उक्तार्थनें विषे उपपत्ति देखाडें छइ। प्रसिद्धि तो एहवी छे जे द्रव्यना प्रदेश ते पर्याय, जिम पटना अवयव तंतू ते द्रव्यथी भिन्न मानीइं तो ते स्वतंतु ज होइं। अमें छे तो पटसंबद्ध, पणि पटथी व्यतिरिक्त तंतु कोई छई नही। ते माटें पर्याय पारमार्थिक नहीं इति भावः। तथा वली प्रकारांतरिं उपपत्ति देखाडें छइं- जो द्रव्यथी पर्याय भिन्न होइं तो अवयव पोताना ज होइं। द्रव्यथकी पर्याय भिन्नपणुं मानीइं तो घटादिक द्रव्यथी अन्य देशनें विषं पणि रूपादिक पर्याय पामीइं, अनि ते तो होइं नहीं। ते माटइं पर्याय ते कल्पितमात्र इति द्रव्यार्थिकमतम्॥२.८॥ बीजो पज्जयविषयी मानें, लय परकाशनी वृत्ति रे।
तदभाविं द्रव्यह उपचारी, गण संतानइं नित्ति रे॥ श्री.॥२.९॥(२०) [टबार्थ हवइं पर्यायार्थिकनु स्वरूप कहें छई। बीजो पर्यायार्थिक नय ते पर्यायनो ग्राहक ते उत्पत्ति-विनासनी
मुख्यता मानइं। जेह वस्तुनी उत्पत्ति-विनास तेह ज पारमार्थिक। ईहां पणि पूर्वपरि अनुमान जाणवू। ते किम? द्रव्य अपारमार्थिक उत्पत्ति-विनास मानइं। अभावइं वंध्यापुत्रनी परिं इत्यादिक। द्रव्य स्याने विर्षे उपचारी? ते कहे छइं-तेह उत्पत्ति-विनासनें अभाविं द्रव्य परमार्थिक नहीं, किंतु औपचारिक। पूर्वापरीभूत जे पर्यायपरंपरा तेहनें विषं द्रव्यनो उपचार करीइं, ते तो नित्य छइं॥२.९।। (२०) पज्जयथी नहीं द्रव्य अनेरो, तह उवलंभ अभावई रे।।
जीवादिकनां ज्ञानादिक गुण, तैलधार परि थावइ रे॥ श्री.॥२.१०॥ (२१) [टबार्थ हवइं कह्यां अर्थनी उपपत्ति देखाउँ छई। पर्यायथी द्रव्य कोई अन्य नथी। इहां कोईनि इम आसंका
उपजें, जे जीवादिकना ज्ञानादिक गुण ए अनुभविं भेद जाणइं ज छइं, ते उपरि कहइं छइ। जीवादिक ए अनुभव ते वाक्यरूप छे, पणि परमार्थि ज्ञानादिक गुणथी जीव कोई भिन्न नथी। ते उपरि दृष्टांत कहें छइं- [जीव?]ना ज्ञानादिक गुण ए भेद जणाई छइ ते तो भिन्नपणे अनुभव ना आवे माटइं। ए तो सहुनिं अनुभवसिद्ध छे तोहे तेलनी धाराए भेदबुद्धिनुं वाक्य कहेंवाइं छे। तिम एह पणि जाणवू इति भावः। ईहां कोई कहेस्ये जे पर्यायथी द्रव्य भिन्न नथी तो जीवादिकना ज्ञानादिक गुण ईहां षष्ठी किम बोले? ते उपरि कहें छइं-जिम तैलनी धार ईहां धाराथी व्यतिरिक्त कोई तेल छे नहीं तिम ईहां पण॥२.१०॥ (२१) कल्पितमात्रिं षष्ठी संभव, राहुना सिर परि वेद रे।
कारणकार्यइं नित्यानित्यइं, संतति गुणनइं भेद रे॥ श्री.॥२.११॥ (२२) [टबार्थ] इहां कल्पनामात्रिं षष्ठीनो संभव जाणवो पणि वस्तुगति भेद नहीं। ते उपरि दृष्टांत कहें छइं। राहु
मस्तक ईहां जिम भेद विना कल्पनामात्रिं षष्ठी बोलीइं छे तिम ईहां पणि जाणवू।
Page #54
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
हवें ईहां कोई कहेंसे जे राहुनुं सिर इत्यादिक स्थलिं कल्पनाइं षष्ठी संभव हो, पणि कथंचित् भेद विना न संभवें। जिम राहु ते धर्मी सिर ते तेहनो धर्म एतलो पणि दार्टीतिके तो गुण अनि गुण परंपराने अभेद ज छ। भेदनो कारण कोई धर्मभेद छइं नही, तो कल्पित मात्र पणि गुण विना द्रव्य छे नही, तो किम षष्ठी बोलाई छई ? ते उपरि इहां पणि भेद देखा. छई-गणपरंपरा ते कारण छई अनि केवल गुण ते कार्य छे। तथा गुणपरंपरा ते नित्य, केवल गुण ते अनित्य। इम गुणपरंपरा अनि केवल गुणनि कारणकार्य, नित्यानित्य रूप भेदनां कारण धर्म छइं इति भावः॥२.११॥ (२२) कोइ कहई दव्व पज्जय नयनिं, संमत दो वि पयत्थ रे।
पणि आदिम एकांत अभेदई, भेदिं अंतिम तत्थ रे॥ श्री.॥२.१२॥ (२३) [टबार्थ हवें ईहां मतांतर कहें छइं- कोई कहें छई जे द्रव्यनयनिं पर्यायनयनिं द्रव्यपर्याय रूप बेहु पदार्थ मान्य
छइं, पणि एतलो विशेष जे द्रव्यनय द्रव्यपर्यायनिं अभेदिं मानइं अनि पर्यायनय द्रव्यपर्यायनिं एकांत भेदें मानइं।।२.१२॥ (२३) तेह मृषा गुणगुणि दोय होवें, पर्यायमात्र अभेदई रे।
भेदई अंत्यनयई द्रव्य ग्रहते, द्रव्यार्थिक कुण वेदई रे ॥ श्री.॥२.१३॥(२४) [टबार्थ हवें तेह मत खंडें छई। एहदूं कहें जें तें जूलु। तिहां युक्ति कहें छइं। द्रव्य पर्यायनिं एकांत भेदि मानतें
इंद्र-पुरंदरादिक शब्दनी परि एकार्थता थाइं अनि पर्यायनयें द्रव्य पर्यायनिं एकांत भेदिं मानतें द्रव्यनय निरर्थक थाइं। द्रव्यनयनुं कार्य जे द्रव्य, ग्रहेंq ते तो पर्यायनये ज थयुं, तिवारिं द्रव्यनयनिं कुण जाणे?
इति भावः॥२.१३॥(२४) [मु.] एह विशेषावश्यक ग्रंथि, भाष्यो सार विचार रे।
यथासूत्र सद्दहणा धरता, लहीइं भवजल पार रे॥ श्री.॥२.१४॥(२५) [टबार्थ| तेह गाथाओ विशेषार्थीइ तिहांथी जाणवी। {ते ग्रंथ विषे तेनो सारो विचार बताव्यो छे अने सूत्र सिद्धांत उपर श्रद्धा करतां भव सायरथी तरी जइ पार पामीइ इति} ॥२.१४॥(२५)
॥इति द्रव्यार्थिक-पर्यायार्थिकस्वरूपम्॥
॥अथैतद्भेदाः॥
(ढाल-३, राग-सामेरी चालि) [मु.] द्रव्यार्थिकना चउ भेय, श्रीजिनभद्रादि कहेय।
नैगम संग्रह व्यवहार ऋजुसूत्र चोथो मनि धारि॥३.१॥(२६) [टबार्थ हवइं नयना उत्तरभेद कहें छइं। द्रव्यार्थिक नयना च्यार भेद श्रीजिनभद्रादिक कहें छइं। नैगम१ संग्रह२
व्यवहार३ ऋजुसूत्र४ ए च्यार। हवइं ऋजुसूत्रनें द्रव्यार्थिकपणानी साखि देखा. छई।
१. धनुषाकार कौंसगत पाठ को.ब(१०७७८) प्रतमां देखातो नथी.
Page #55
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
उज्जुसुयस्स एगे अणुवउत्ते आगमओ एगं दव्वावस्सयं पुहत्तं नेच्छइ त्ति। अर्थः-ऋजुसूत्रनें मतिं एक ज अनुपयोगी ते आगमथी द्रव्यावश्यक ए नय बहुत्वनें न वांछइं इति। श्रीजिनभद्रगणि क्षमाश्रमण इंम कहें छे। जे ए सूत्रिं ऋजुसूत्र द्रव्यग्राहक कह्यो तो पर्यायार्थिक किम कहिइं ? इति भावः॥३.१॥(२६) एक द्रव्यावश्यक भाखी, ऋजुसूत्र सूत्रिं इति साखी।
ऋजुसूत्र विना नय तीन, सिद्धसेनमतिं द्रव्य लीन॥३.२॥(२७) [टबार्थ ऋजुसूत्र नय एक द्रव्यावश्यकनो कहेंनार एहवी अनुयोगद्वारनी साखी छइं। ऋजुसूत्र विना नैगम१
संग्रह२ विवहार३ ए त्रिण नय द्रव्यार्थिक। हवें सिद्धसेनसूरिनुं मत कहें छे। अतीत, अनागत, परकीय, भेद पथक्त्वनें परिहारि ऋजसत्र स्वकीय कार्य साधकपणा माटें स्वकीय वर्तमान वस्तने ज ग्रहें इंम सिद्धसेनसूरि कहें छई। हवें सिद्धसेनसूरिने मते पूर्वोक्त सूत्र दुखाइं ते माटें तेहनुं समाधान कहें छे। उपयोग रूप अंशनि लेइनिं वर्तमान आवश्यक पर्यायने विषई सूत्रिं द्रव्यपदनो उपचार कही बोलाव्यो ए समाधान। जे माटई पर्यायनय मुख्य द्रव्य पदार्थनो ज निषेधक छे, उपचारिक द्रव्यनो निषेधक नही इति
भावः॥३.२॥(२७) [मु.] ए सदावश्यक पर्यायई, द्रव्य पद उपचार कहायइं।
शब्द समभिरूढ एवंभूत, पर्यायार्थिकिं अनुस्यूत॥३.४॥(२८) [टबार्थ एह छतो जे आवश्यक पर्याय तेहनें विर्षे द्रव्यपदनो उपचार कहें छ। शब्द, समभिरूढ, एवंभूत ए
त्रिण नय पर्यायार्थिकिं संबद्ध छई।।३.४॥(२८) [मु.] सिद्धसेन मतिं नय च्यार, पर्यायार्थिकना प्रकार।
ए उत्तर भेद छे सात, तत्त्वारथ पमुहथी ज्ञात॥३.५॥(२९) [टबार्थ] हवें सिद्धसेनसूरि मतिं पर्यायार्थिकना भेद कहें छेइं। सिद्धसेनसूरि मतिं ऋजुसूत्रादिक च्यार नय
पर्यायार्थिक जाणवा। ए बे मूल भेदना सात उत्तर भेद तत्त्वारथ प्रमुख ग्रंथ थकी जाण्या॥३.५॥(२९) [म.] एकत्विं अंतिम नय तीन, शबद नामिं अंतरलीन।
आदेशंतरि तत्त्व पंच, एहनो छे बहुल प्रपंच॥३.६॥(३०) [टबार्थ] हवें प्रकारांतरें कहें छे। अभेद विवक्षाई छेहला नय त्रिण शब्दनय नामि ज अंतर्भूत थया। जे माटई
शब्दना वाचक छई। त्यारिं वाचनांतरिं पांच नय कहीइं। छेहला त्रिण नयनि एकठा मेली एक शब्दनय ज कहीइं ते माटइं। एहनो बह विस्तार छई।।३.६।।(३०) भेदाभेद तणी विवक्ष्याइं, प्रत्येकिं नय सत सत थाइं। सप्तभंगी जो अभ्यासइं, तो समकित वासना वासइं॥३.७॥(३१)
Page #56
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
[टबार्थ ते देखाडे छई। भेद अनि अभेदनी विवक्षाइं प्रत्येकिं इकेकाना नय सो सो थाइं। एक पदार्थनिं भेदाभेद
सद्दहणा सप्तभंगीना अभ्यास विना न होइं इति भावः। हवें भेदाभेदनी विवक्षा देखाडे छई। तिहां सप्तभंगीनो जो अभ्यास करइं तो समकितनी वासना आवें, नही तो एकांतवादी थाइं॥३.७॥(३१) मुख्यवृत्तिं द्रव्यार्थिक, गुणगुणिनइं अभेदि कथक।
अन्योन्यइं जे तस भेद, उपचार बलिं ते वेद॥३.८॥(३२) [टबार्थ] मुख्यताई द्रव्यार्थिक नय द्रव्य पर्यायनिं अभिन्न मानइं, तेहनिं माहोमांहें भेद ते उपचारिं
मानइं॥३.८॥(३२) [मु.]
पर्यायार्थिक मुख्यवृत्तिं, भेद मानइं तेहनो नित्ति।
उपचारिं तास अभेद, मनि धारो धरिअ उमेद।।३.९॥(३३) [टबार्थ] पर्यायार्थिक नय मुख्यताइं भेद मानइं गुण अनि गुणिनो सदाइं, उपचारिं तेहनिं अभेद मानइं। एहवं मनें
धारवं हर्ष धरीनि। द्रव्यनयनीं मुख्यताई अभेदनी मुख्यता अनि भेदनो उपचार। पर्यायार्थिकनी
मुख्यताइं भेदनी मुख्यता अनि अभेदनो उपचार इति भावः॥३.९॥(३३) [म.] ग्रहई मुख्य अमुख्य प्रकार, नय जे दोय धर्म प्रचार।
कलपीजें ते अनुसार, तस वृत्ति अनें उपचार॥३.१०॥(३४) [टबार्थ] ग्रहें मुख्य अनि गौण प्रकारिं जे नय छई धर्म छई तेहनिं अनुसारि कलपीइं ते धर्मनी मुख्यता अनि
उपचार॥३.१०॥(३४) भिन्न विषय न भासई जेह, नय ज्ञानमां सरवथा तेह।
परनय निरपेखी माटइं, जावें मिथ्यामतिं वाटइ॥३.११॥(३५) [टबार्थ] इंम मुख्य-गौणता न कल्पें तो एकांतवादी थाइं ते कहें छइं। जिम द्रव्यनिं पर्याय, पर्यायनिं द्रव्य
अथवा भेद विवक्षाइं अभेद अभेद विवक्षाइं भेद इत्यादि भिन्न विषय न भासइं जेह नय ज्ञानमांहिं
सर्वथा तेह नय परनय पोताथी विरुद्ध नयना निषेधक माटइं मिथ्यात्वनें अनुसरिं।।३.११॥(३५) म. एह छे महाभाष्ये विचार, संमति संमतपणि धार।
स्यादवाद मतिं अनुसरीइं, जिम शिववधू लीलां वरीइं॥३.१२॥(३६) [टबार्थ ए अर्थ विशेषावश्यकें कह्यो छई। ते गाथा
एवं सविसयसच्चो, परविसयपरम्मुहो नओ जो उ। न नएसु न समुन्भड़, न य समयासायणं कुणइ॥ त्ति।।३.१२॥(३६)
॥इति मूलनयजातिभेदकथनम्॥
१. नई को.ब(१०७७८),
Page #57
--------------------------------------------------------------------------
________________
३४
नयामतम-२
[मु.]
॥अथ सप्तनयदृष्टांतकथनम्॥
(ढाल-४, राग-मारूणी, राय पदमरथ ए देशी) ए नय सप्त कहेइं विसुद्ध यथाक्रमि रे, प्रस्थक वसति प्रदेश। दृष्टांति करी भावो निज अनुभव करी रे, निसुणी शास्त्रनो लेश। भविजन सांभलो जी नय समुदाय आयति समुदायनो कारको रे॥ ४.१॥(३७) (आंचली) हवें नयना दृष्टांत कहइं छई। एह सात नय यथोत्तर विसुद्ध होइं। ते पाइली वसति प्रदेश ए त्रिणि दृष्टांत करीनिं भावो पोताना अनुभव साथिं शास्त्रनो लेश सांभलीनि। सर्वनय उत्तरकालनें विषं सम्यक् प्रकारिं उदयनो करनार छइं। मोक्षनो प्रापक छइं। सम्यक्त्व रूप छे एतला माटइं॥४.१॥३७)
[टबार्थ
[मु.] वनगम दारु छेदन छोलन कोरवइं रे, मृदुकरणिं उदभेद।
एह स्थलिं नैगम व्यवहारह नय तणो रे, सुद्ध यथोत्तर भेद॥ भ०॥४.२॥(३८) [टबार्थ| प्रथम नैगम नयनो दृष्टांत देखाउँ छई। जिम कोईक पुरुष पालीने अर्थे वनमां जाइ काष्ट छेदई छोलइं,
कोरइं, सुकुमाल करें यावत् पाइली नीपजइं। एक कालस्थानकनें विषइ नैगम अनि व्यवहार ए बें नय
कारणिं कार्योपचार कही बोलावइं। आगल्या आगल्या भेद शुद्ध जाणवा॥४.२॥(३८) [मु.] संग्रहचित्तऽमित धान्यादिक भृतनि कहें रे, नहीं न्यूनाधिक रित्त।
मानमेयोभयनि ऋजुसूत्र कहइं नहीं रे, ए किं मानोपपत्ति?॥भ०॥४.३॥(३९) [टबार्थ] हवें संग्रहनय केहाने पाली कहे छे ते बतावे छे। संग्रहनय ते पालीपणें नीपनी वस्तु ते पणि मानोपेत
सघलें अंसे सरखी, अमेय वस्तुइं भरी तेहनिं पाली कहें। जे मात्रै ए नय सुद्ध छे। कारणिं कार्योपचार अनि कार्य अणकरवा वेलाइं पालीनिं न मानें। उछी अधिकी अथवा रिक्त तेहनि पाली न मानइं। हवें ऋजुसूत्र बोलें छइं। ऋजुसूत्र नय ते मान जे पाली, मेय जे धान्यादिक ए बेहुनि पाली कही बोलाव।। ऋजुसूत्र तो अर्थ क्रिया साधक पर्यायनि ज मानें इति भावः। जे माटई अनेरा एकं विना माप न थांइंइ।।४.३॥(३९) प्रस्थक भाविं परिणत आतम प्रस्थको रे, शब्दादिक मत एह।
प्रस्थक ज्ञाअक प्रस्थक करतृक ज्ञानथी रे, नहीं अतिरिक्त को तेह॥भ०॥४.४॥(४०) [टबार्थ प्रस्थक भाविं परिणम्यो जे आत्मा ते ज प्रस्थक कहीइं। मबीइं(प्रमीइं) जेणे करी ते प्रमाण एहवी
करण व्युत्पत्तिं करी परिच्छेद रूप जे जीवस्वभाव तेह ज प्रमाण कहीइं। ते तो जीवथी भिन्न नथी ते माटइं जीव तेह ज प्रस्थक कहीइं। जे माटें अछतें पणि प्रस्थकादिकें धान्यराशि दीठइं थकें जे धान्यकलन शक्तिवंतनिं अथवा अतिसय ज्ञानिं प्रस्थक परिच्छेद बुद्धि थाई छ। अनि नालिकेरद्वीपादिकथी आव्याने छतें पणि प्रस्थकादिकिं प्रस्थकपरिच्छे पी उपजती ते माटें
Page #58
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
[मु.]
[टबार्थ
[मु.]
[टबार्थ
काष्टमय मान ते अनेकांत जाणवा अनिं प्रमाणना कारण माटें ते काष्टमयनिं प्रस्थकादिक मानरूपपणूं कहीइं तो प्रमेय जे धान्यादिक तेहनिं अप्रमाणपणुं कहीउं जोई। ते माटइं प्रस्थक ज्ञान तेह ज प्रस्थकप्रमाण जाणवू इति भावः। जे माटइं प्रस्थकनो जाणनार अनि प्रस्थकनो करनार अन्य कोई प्रस्थक छे नही॥४.४॥(४०) लोकप्रभृति गृहकोण लगिं निवसन कहें रे, नय नैगम व्यवहार। संग्रह संथारावृत्त क्षेत्रप्रदेशकिं रे, अन्य सकल उपचार॥भ०॥४.५॥(४१) हवें वसति दृष्टांत कहें छइं। लोक आदि देई यावत् गृहकोण तिहां लगि वसवू मानइं नैगम अनि व्यवहार नया संग्रह नय कहइं- संथारइं आवर्या में आकाशप्रदेश तेतलें ज वसति कहइं, बीजा गृहकोण लगें जे वसतिभेद कह्या ते उपचार जाणवां॥४.५॥(४१) जे आकाश प्रदेशइं स्वय अवगाढ छे रे, ऋजसूत्र मानि तिहां य। तेह पणि वरतमान सामायिकी जाणवी रे, प्रतिष्पि(क्ष)ण थिरता किहांय?॥ भ०॥४.६॥(४२) जे आकाशप्रदेशिं पोतें अवगाढ छइं तेह वसति संथारें आवर्यो जे आकाशप्रदेश तिहां जो वसति मानीइं गृहकोणादिकिं पणि मानी जोईई। संथारावृत्त आकाश प्रदेशिं संस्था(था)रें ज अवगाढ छइं पणि पोतें नहीं इति भावः। पूर्वोक्त वसति कही ते पणि वर्तमान समयनी जाणवी। जे माटें ऋजुसूत्रने अतीत अनागतनुं मानवू नथी। ऋजुसूत्र नय माने ते उपरि हेतु कहें छई। समय समय प्रति आत्मप्रदेशनिं स्थिरता नथी। जे माटइं प्रति समय चलोपगरण माटे तेतला ज आकाशप्रदेशने विषइं अवगाहवानो संभव छ।।४.६॥(४२) आतमभाविं आतमवसतिं न परद्रव्ये रे, इंम शब्दादिक भाव। विण संबंधिं नही अन्यनो अन्य स्थलिं रे, आधाराधेयभाव॥ भ०॥४.७॥(४३) हवें शब्दादिकनुं मत कहें छई। आत्म स्वरूपनें विषं आत्मानी वसति, पणि परद्रव्ये नहीं इम शब्दादिकनय कहें छे। तेह उपरि हेतु कहें छइं। ए नय परसंघातिं संबंधनिं न मानें। तादात्म अनि तदुत्पत्तिमांहिं एकेंनी अनुपपत्ति ते माटें संबंध विना अन्य द्रव्यनो अन्य द्रव्यनें विषइं आधाराधेयभाव न होइं। इति वसतिदृष्टांत॥४.७(४३) पंचास्तिकायनिं देश ए छतो प्रदेस छइं रे, इंम नैगम कहणहार। देश विना पंचनो हुई कहइं संग्रह नयो रे, पणविह इति व्यवहार॥ भ०॥४.८॥(४४) हवइं प्रदेश दृष्टांत कहें छ। धर्म१ अधर्म२ आकाश३ पुद्गल४ जीव५ ए पंचास्तिकाय। प्रदेश ते स्कंधसंबद्ध ज निर्विभाज्य भाग, अनि पांच अस्तिकायनो प्रदेश प्रसिद्ध ज छ। देशनो अवयव प्रदेश छे ते माटें एह तथा छठो देश जे खंधनो अवयव रूप ए छतो प्रदेश होइं तो पणि प्रदेश कहीइं इति
[म.]
[टबार्थ
[म.]
[टबार्थ
१. नैगम संग्रह तथा व्यवहारना मत कहे छ। मु.
Page #59
--------------------------------------------------------------------------
________________
३६
नयामृतम्-२
भावः। ए नैगम नयनुं मत कहें छ। देशनो प्रदेश न कहीइं। 'दासेन में' ए न्याय माटें। देशनिं पर संबद्ध माटें पोतानो प्रदेश न कहेंवाई। ते माटें पांच अस्तिकायनो ज प्रदेश होइं। इंम संग्रह नय कहें छई। हवें व्यवहार नय कहें छई। पांचनो तो(जो) कहीइं तो पांचनो साधारण होइं जेम पांचनु धन तिम ए नथी, ए तो प्रत्येकि संबंध ठे माटें पांच प्रकारनो प्रदेश इति भावः। पांच प्रकारि प्रदेश होइं इम व्यवहार कहें छे॥४.८॥४४॥ प्रत्येकि पणविधनी होई प्रसंजना रे, इति ऋजुसूत्र कहेय।
ते माटें पंचनो भजनाइं भाखवो रे, हवई शबद वदेय॥ भ०॥४.९॥(४५) [टबार्थ हवें ऋजुसूत्र नय कहें छे। जो पंचविध प्रदेश कहीइं तो पंचास्तिकायना प्रदेश माटे पांचेनिं पंचविध
एहवी प्रसक्ति थाई। इम ऋजुसूत्र कहई छई। ते माटें पांच अस्तिकायनो स्यात् पद योगिं कहेंवो। 'स्याद् धर्मास्तिकायस्य', 'स्याद् अधर्मास्तिकायस्य' ए प्रकारिं कहेंवो। हवें शब्दनय कहें छइं॥४.९॥४५॥ तेहनइं विषइं तथा तेह ज तेहनो प्रदेशको रे, अन्यथा न होइं निरदेश।
समभिरूढ वदई होइ सप्तमी भेदिका रे, तेह ज तेहनो प्रदेश॥ भ०॥४.१०॥(४६) [टबार्थतेहनें विर्षे धर्मास्तिकायरूप धर्मास्तिकायनो प्रदेश। इंम पांचेंनिं जाणवू। नहीं तर धर्मास्तिकायनो
प्रदेश अधर्मास्तिकायनिं विषे होइ इत्यादिक प्रसंजना होई। हवें समभिरूढ कहें छई। सप्तमी भेदिं होइं। 'कुंडे बदर' इत्यादिकने विषई कुंडथी बदर भिन्न जणाई तिम इहां सप्तमीइं धर्मास्तिकायादिक थकी धर्मास्तिकायादिकनो प्रदेश भिन्न जणाइं ते माटें धर्मास्तिकायादिक तेहज धर्मास्तिकायनो
प्रदेश इम कहें ॥४.१०॥४६॥ [मु.]
एवंभूत मतिं सवि द्रव्य अखंडका रे, नही देशादि प्रकार।
इमं दृष्टांत घटादिक द्रव्यिं भावतां रे. होइं सुमति विस्तार॥भ०॥४.११॥(४७) [टबार्थ हवें एवंभूत कहें छे। देशी ते देश इंम कर्मधारय कीधे वृक्षपादप इत्यादिकनी परिं एकार्थता थाइं ते
माटें देशीमात्र अथवा देशमात्र अखंड वस्तु मानवं, पणि देश प्रदेश कल्पना नहीं। ते माटें एहनें मतिं कर्मधारय पणि युक्त नही इति भावः। सर्वद्रव्य अखंडित छई। देश-प्रदेश कल्पना ते व्यर्थ। ए त्रिण दृष्टांत कह्या ते घटादिक द्रव्ये पणि भावतां थका नयनें विषं बुद्धि प्रकास थाइं॥४.११॥(४७)
॥इति सप्तनयदृष्टांतदर्शनम्॥
१. हवइं प्रदेश दृष्टांत कहें छ। धर्म१ अधर्म२ आकाश३ पुद्गल४ जीव५ ए पंचास्तिकाया तथा छठो देश जे खंधनो अवयव प्रदेश ते स्कंधसंबद्ध ज निर्विभाज्य भाग, अनि
पांच अस्तिकायनो प्रदेश प्रसिद्ध ज छ। देशनो अवयव प्रदेश छे ते माटें एह तथा जे बंधनो अवयव रूप ए छतो प्रदेश होई। ए नैगम नयनुं मत कहें छ। मु. २. दासेन मे खर: क्रीतो दासोऽपि मे खरोऽपि मे। ३. प्रदेश अधिक मु.
Page #60
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
॥अथ नैगमस्वरूपकथनम्॥
(ढाल ५, राग सारिंग मल्हार, ईडर आंबा आंबली रे ए देसी) [मु.] हवें नैगमादिक नयतणां रे, लक्षण विवरी कहेस।
विण लक्षण किम जाणीइं रे, वस्तु स्वरूप विसेस॥ चतुर नर निसुणो श्री जिनवाणि, ए तो सविनय रयणनी खाणि॥ चतुर.॥५.१॥(४८)
(आंचली) [टबार्थ| हवें नैगमादिक नयमां प्रत्येकिं लक्षण कहीस। लक्षण ते असाधारण धर्म। ते लक्षण कह्या विना किम
जणाई वस्तुनुं विशेष स्वरूप?॥४८॥ निगम नाम संकल्पको रे, तद विषई अभिप्राय।
ते नैगम नय भाखिइं रे, क्रम विसुद्ध बहुधाय॥ चतुर.॥५.२॥(४९) [टबार्थ| निगम कहीइं संकल्प कारणे कार्योपचाररूप ते ग्राही जे अभिप्राय ते नैगम नय कहीइं। {अने}
अनुक्रमिं आगलो आगलो विसुद्ध जाणवो॥५.२॥४९॥ [मु.] सामान्यनिं विशेषनि रे, मानइं युगति तस एह।
नित्य अखंड अनेकगं रे, होइं सामान्यह तेह॥ चतुर.॥५.३॥(५०) [टबार्थ| एहनुं मति विवरई छई। सामान्य पदार्थ अनि विशेष {बेहु} पदार्थ मानें। ए बेऊनि ए नय तेहनी
युगति आगलि कहीइं छइं तेह। तिहां प्रथम सामान्यनु लक्षण कहें छे। ए दृष्टांतिं देखाडे छ। त्वशब्दें वाय(च्य) जिम अनइंक घट तेहनें विर्षे घटपणुं ते सामान्य कहीइं। ते घट नासिं पणि नास न पामें ते माटें नित्य। अनें अनेक घटनें वि घटपणुं एक ज छे। अने ते घटपणुं सर्व घटनें विषइं व्याप्त छई। इति लक्षणयोजना। नित्य एक अनि अनेक व्यापी एहवें सामान्य होइं॥५.३॥(५०) एकाकार प्रत्यय तणो रे, हेतु द्रव्यादिक वृत्ति।
नहीं तो भिन्न विलक्षणिं रे, किम सत् इति अनुवृत्ति?॥ चतुर.॥५.४॥(५१) [टबार्थ] सरखी बुद्धिनुं कारण द्रव्य गुण कर्मने विषई वरतें ते पूर्वोक्त सामान्य जाणवू। माहोमाहिं भिन्न लक्षण
अनि स्वरूपिं पणि भिन्न एहवा जे द्रव्य गुण में कर्म तेहनें विषई सत् एहवी एकाकार बुद्धि प्रवर्ते छे तेहर्नु कारण ते सामान्य ते द्रव्यादिकथी भिन्न छइं इति भावः। किम सत् एहवी एकाकार बुद्धि थाइं छे? जो सत्ता सामान्य द्रव्यादिकथी भिन्न न होइं तो भिन्न अनि विलक्षण जे द्रव्यादिक तेहनें विर्षे एकाकार बुद्धि तोहि ज थाइं जो तिहां कोईक सामान्य ते पदार्थ छइं इति भावः॥५.४॥(५१)
१. ए प्रमाणे सप्तनयना दृष्टांत कह्यां। हवें नैगम स्वरूप कहे छ। अधिक मु. २. नहि माटे लक्षण बतावे छे अधिक मु.
Page #61
--------------------------------------------------------------------------
________________
नयामतम-२
[टबार्थ
म.]
[मु.]
इंम गोत्वादिक मानवा रे, पणि सामान्य विशेष। स्वजातीय विजातीइं रे, वृत्ति व्यावृत्ति विशेष॥ चतुर.॥५.५॥(५२) जिम सत् सामान्य कहिउं तिम गोत्वादिक पणि जाणवां। पणि एतलो भेद-सत्ता ते महासामान्य कहीइं अनि गोत्वादिक ते सामान्य-विशेष कहीइं। विशेष ते परथकीं व्यावृत्ति बुद्धिनुं कारण। ते लक्षण आगली गाथाइं कहेंसें। सत् ए महासामान्य कहीइं द्रव्यादिक त्रिण्येने विषं व्यापक माटें। अने गोत्वादिक ते सामान्य-विशेष कहीइं। जे माटि सर्व गोने विषई अनुगत बुद्धिना कारण माटें सामान्य कहीइं। अनिं अस्वादिक थकी निवर्तन बुद्धि माटें विशेष कहीइं। अनि सत्ता ते कोईथी व्यावर्तक नथी इति भावः। तिहां हेतु कहें छई। गो तिं स्वजातीय अपर सर्व गोपिंड, विजातीय अस्वादिक तेहनें विर्षे अनुक्रमिं वर्तवं अनिं निवर्तवू थाई छे ते माटें॥५.५॥(५२) तुल्य संस्थानादिक छतें रे, होइ व्यावृत्ति बुद्धि।
तस कारण परमाणुइं रे, वरती विशेषनी शुद्धि॥ चतुर.॥५.६॥(५३) [टबार्थ हवें विशेष पदार्थ- लक्षण कहें छई। संस्थान, गुण, क्रिया, एकदेश, अतीतानागतत्व एतलां सरिखां
छतें पणि भिन्न बुद्धि थाई छई। ते बुद्धिनुं कारण परमाणुआने विषं विशेष कहीइं। वैशेषिक मतिं परमाणु परिमंडलसंस्थानि छई। ते आकार सर्व परमाणुनिं सरखो छ। तोहिं पणि योगीनि भेद ग्राहिका बुद्धि थाइं छे तेहर्नु कारण ते विशेष पदार्थः। ते द्रव्यादिकथी भिन्न छ। इंम सर्व पार्थिव परमाणुआ सरखा गुणना छे। अग्निना उध्वत्व लक्षण एकक्रियावंत छई। इम वायुना तिर्यग्गमन क्रियावंत छ। तथा ए[क] आकाशप्रदेशथी जिवारिं एक परमाणुओ स्थितिक्षयें अन्य प्रदेशें जाइं तिवारें ज अन्य परमाणु स्थिति उत्पत्ति ते आकाशप्रदेशे आवी रहें। ते एक देशातीतानागतत्वं ए वैशेषिक प्रक्रियाई जाणवू। ए गुणक्रियादिक पणि सरखै हुँतें परमाणुइं भिन्न बुद्धिनु कारण ते विशेष पदार्थ इति भावः।।५.६॥(५३) हवइं सिद्धांती वदई यदा रे, सामान्य बुद्धिनुं हेत।
सामान्य तो गोत्वादिकिं रे, तह विशेषि लहेत॥ चतुर.॥५.७॥(५४) [टबार्थ| हवइं सिद्धांतवादी कहें छइं। सामान्य बुद्धि वचननु कारण सामान्य मानीइं तो गोत्वादिक जाति तथा
विशेषनें विषं सामान्य मान्युं जोईई। जिम अनेक गोपिंडने विषई ‘अयं गौः' 'अयं गौः' एह एक बुद्धिनुं कारण ते सामान्य तिम गोत्वादिक सामान्यिं पणि ‘ए गोत्वजाति’ ‘ए अस्वत्व जाति' इत्यादिक जातिरूप एक बुद्धि थाइं छइं। तथा ‘अयं विशेषः’ ‘अयं विशेषः' एहवी एक बुद्धि थाइं
छ। ते मात्रै गोत्वादिक जातिं अनि विशेषिं सामान्य मानिवू जोईइं इति भावः॥५.७॥५४॥ [म.] जो जेणिं विशेषीइं रे, बुद्धि वचन ते विशेष।
तो पर-अपर सामान्यनि रे, मान्यो जोईइं विशेष॥ चतुर.॥५.८॥(५५) [टबार्थ जो जेणिं करी जेहनें विर्षे विशेष बुद्धि ऊपजें ते विशेष कहीइं। तो परसामान्य जे सत्ता सामान्य अपर
Page #62
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
[मू.]
[मू.]
[टबार्थ] इणी रीतिं सामान्य विशेषनें निराकरी हवें यथास्थित कहें छें। ते माटें अनेक वस्तुनो जे सरखो परिणाम होइं ते सामान्य कही । अनेक वस्तुनें विषं जूदो जूदो परिणाम तेह विशेष कहीइं॥५.१०॥५६॥
[मू.]
[टबार्थ]
सामान्य जे गोत्वादिक तेहनें विषें गोत्वादिक मान्यो जोईइं ।
जिम तुल्य संस्थानादिक छतें पणि परमाणुई भिन्न बुद्धिनुं कारण विशेष मानो छो तो पर सामान्यें अपर सामान्यथी भिन्नतानी बुद्धि ऊपजें छ । अनिं अपर सामान्यिं पर सामान्य थकी भिन्नता बुद्धि ऊपजें छइं। ते माटें पर-अपर सामान्यें पणि विशेष मान्यो जोईइं छई इति भावः ॥ ५.९॥(५५)
ते माटई जे वस्तुनो रे, होई समान परिणाम ।
ते सामान्य जे विसदृशो रे, तेह विशेषनुं नाम ॥ चतुर.॥५.१०॥(५६)
३९
बार्थ] एकाकार बुद्धि अनें भिन्न बुद्धि तेहनुं कारण तेहज सामान्य विशेष रूप पर्याय जाणवो। एटला माटे सामान्य विशेष ते अन्य पदार्थ द्रव्यरूप वस्तु थकी हुंती किम एकांतिं कही ? परयायनिं द्रव्य थकी कथंचित् अभेद माटइं इति भावः॥५.११॥५७॥
[मू.]
अनुवृत्ति व्यावृत्ति बुद्धिनो रे, हेतु तेह ज परयाय ।
इति अरथांतर वस्तुथी रे, किम एकांतिं कहाय ॥ चतुर.॥५.११॥(५७)
एह विशेषावश्यकं रे, छड़ सघलो विस्तार।
नैगम निक्षेपा तणारे, मानई च्यार प्रकार ॥ चतुर. ॥५.१२॥(५८)
एह विशेषावश्यकिं कह्यो छें सघलोइं विस्तार विशेषार्थीइं तिहांथी जोवुं । हवें नैगमनय केला निक्षेपा मानें ते कहइं छें। नैगमनय नाम१ स्थापना २ द्रव्य३ भाव४ रूप च्यारें निक्षेपा मानें छ । ते देखाडें छें॥५.१२॥(५८)
घट इति नाम ते घट ज छें रे, वाच्य वाचकनई अभेदि ।
होई नियत पदसकतिनो रे, एकांत अभेद उछेद ॥ चतुर ॥५.१३॥(५९)
[टबार्थ] घट एहवुं जे नाम ते घट ज कही । अर्थ अनिं शब्द कथंचित् अभेद छें माटें। जे पदिं जे अर्थ वाच्य ते नियत पदशक्ति कही । अनिं वाच्य वाचकनिं एकांत भेद मानीइं तो तेह नियत पदशक्तिनो उछेद थाइं।
घट ते पार्थिवपुद्गलरूप छ । शब्द भाषापुद्गलरूप छें तो ते बेहुनिं किम अभेद कहीइं ? तो ते उपरि उपपत्ति देखाडें छइं। घट शब्दें घट पदार्थनो बोध थाई छ । तिहां पटनो बोध नथी थतो। तो जाणइं छई जे घट शब्द अनिं घट पदार्थनिं किंचित् अभेद छई इति भावः । इति नामनिक्षेपकसिद्धिः॥५.१३॥(५९)
Page #63
--------------------------------------------------------------------------
________________
नयामतम-२
[मु.]
तुल्य परिणामपणा थकी रे, घटाकार घट एव।
मत्पिंडादिक द्रव्य घडो रे, ते पणि घट ज कहेव॥चतुर.॥५.१३॥(६०) [टबार्थ| सरिखा परिणामपणे करी घटनो आकार तेह घट ज कहीइं। इति था(स्था)पनासिद्धिः। मृत्पिंडादिक जे
घटनुं कारण तेह पणि घट ज कहीइं॥५.१३॥(६०) परिणाम-परिणामि भावनी रे, अन्यथा न होई उपपत्ति।
भाव घटइं घटपदतणी रे, असंदिग्धपणे वृत्ति॥ चतुर.॥५.१४॥(६१) [टबार्थ| ते उपरि हेतु कहें छई। घटरूप कार्य ते परिणाम, मृत्पिंडरूप कारण ते परिणामी। ए संबंधनुं कारण
कार्यनिं भेद मानें ते(तो) घटमानपणुं न होइं। इति द्रव्यनिक्षेपकसिद्धिः। भावघटनें वि तो घटपदनी संदेह रहित ज शक्ति छइं। भावघटनें तो सहूइं घट मानें छे तिहां उपपत्ति सी देखाडवी?॥५.१४॥(६१) भावनिक्षेपो मानतइं पणि, नहि द्रव्यार्थिक हाणि।
परतंत्रइं पज्जाय गहइं रे, श्रीभद्रबाहुनी वाणि॥चतुर.॥५.१५॥(६२) [टबार्थ ईहां कोई कहेंसें जे भाव तो पर्याय कहीइं अनि तेहनि मानतें हुँतें नैगमनिं पर्यायार्थिकता थाई। तो ते
ऊपरि कहइं छइं। नैगम नयनिं भावनिक्षेपो मानतें पणि द्रव्यार्थिकपणानी हाणि नही। जे माटें द्रव्यार्थिक पणि उपचारिं पर्यायनिं मानें। श्रीभद्रबाहस्वामि का छे आवश्यक निर्यक्तिं। गाथा जीवो गुणपडिवन्नो नयस्स दव्वट्ठियस्स सामाईयं॥ इति।।
जीव समभावरूप गुणसंयुक्त ते द्रव्यार्थिकनयनें लेखें सामायक कहीइं इति अर्थः॥५.१५॥(६२) [म.] प्रत्येकिं नामादिका रे, सामान्यग्राही एक।
वंछइं विशेषग्राही तथा रे, भिन्न विगति अनेक॥चतुर.॥५.१६॥(६३) [टबार्थ हवें समय नामादिक निक्षेपा केतली संख्याइं मांनइं ते कहइं छइं। नैगम सामान्य अनि विशेष बेहुनि
मानें तेणिं नैगम बे प्रकारेंनो। तिहां सामान्यग्राही नैगम तो अनेक घटनें घटत्व रूपिं संग्राह्या माटें एक ज मानें। प्रत्येकिं नामादिक ४(च्यार) निक्षेपाइं सामान्यग्राही नैगम इकेकी संख्याइं मानइं। विशेषग्राही नैगम ते जूदी जूदी अनेक व्यक्तिनें मानें इति भावः।।५.१६॥(६३)
॥इति नैगमनयलक्षणस्वरूपकथनम्॥
Page #64
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
॥अथ नामादिचतुर्निक्षेपस्वरूपकथनम्॥
(ढाल-६, राग-परजीओ, सीता हरी रावण जब आव्यो ए देशी) [म.] इहां प्रसंगिं विवरी कहई, निक्षेपानो विचार रे।
जेहनो अनुयोगद्वारिं बोल्यो, सवि वस्तुई अधिकार रे॥
सुणो प्राणी रे जिनवाणी गुणनी खाणी रे॥६.१॥(६४) आंचली [टबार्थ] ईहां नयना अधिकारमाहें निक्षेपानो प्रसंग आव्या मात्रे विवरीनिं विचार कहीइं छई। जेह निक्षेपानो
अनुयोगद्वारसूत्रिं सर्व वस्तुई अधिकार बोल्यो छई। यतःजत्थ य जं जाणिज्जा, निक्खेवं निक्खिवे निरविसेस। जत्थ य नो जाणिज्जा, चउक्कयं निक्खवे तत्थ॥६.१॥(६४) नाम जे वस्तुतणुं अभिधानक, थापना तस आकार रे।
भूतभावी भावनुं जे कारण, तेह द्रव्य मनि धारि रे॥ सुणो०॥६.२॥(६५) [टबार्थ| नाम निक्षेपो ते कहीइं जे शब्दें वस्तु घटादिकनें बोलावीइं। थापना कहीइं ते वस्तुना आकारनिं। थयो
अनि थासें जे पर्याय तेह- कारण ते द्रव्यनिक्षेप मनिं धरवो॥६.२॥(६५) [मु.] कार्यापन्न ते भाव कहीजई, ए चउ वस्तुना धर्म रे।
वाच्य-वाचकभाविं भाव संबद्ध, नाम तणो ए मर्म रे॥ सुणो०॥६.३॥(६६) [टबार्थ कार्यपणे परिणम्यो ते भाव कहीइं। ए च्यारें निक्षेपा घटादिक वस्तुना धर्म। तिहां हेतु कहें छे। वाच्य
ते अर्थ वाचक ते शब्द वाच्य-वाचकसंबंधिं भावनें विषइं नाम संबद्ध छे॥६.३॥(६६) थापना सम परिणामपणे करी, परिणामि ताई द्रव्य रे।
एम विशेष परस्परि भावी, कीजइं निजमति भव्य रे॥ सुणो०॥६.४॥(६७) [टबार्थ थापना सरिखें परिणामिं परिणम्या माटें भाव संबद्ध छई। द्रव्य परिणामी माटें परिणामरूप भावें संबद्ध
छई। इंम माहोमाहिं विशेष जाणी आपणी मतिनो विस्तार कीजें।६.४॥(६७) [मु.] नामनइं वंछइं शबद नयवादी, वस्तु स्वरूप प्रशस्त रे।
तत्प्रत्यय हेतु माटइ धरम परि, नाम रहित नहीं वस्त रे॥सुणो०॥६.५॥(६८) [टबार्थ] सुगतमतना अनुसारी अर्थने विर्षे शब्द नथी एहवा वचन थकी नामनिं वस्तुनो धर्म ज नथी मानता।
ते प्रतिं कहइं छइं। नामनइं वांछई छई शब्दनयवादी जे वस्तुनो मुख्य धर्म छइं ते वस्तुनुं जे ज्ञान तेहना कारण माटें पोताना धर्मनी परइं। एतले अनुमान प्रमाण साध्यु इति। नाम विना कोई वस्तु छे नहीं॥६.५॥(६८)
Page #65
--------------------------------------------------------------------------
________________
नयामतम-२
[मु.] लक्ष्य लक्षण व्यवहार शबदधी, क्रिया सवि तदधीन रे।
शबदनयइं इम निज मति थाप्यइं, थापनानय वदई पीन रे॥सुणो०॥६.६॥(६९) [टबार्थ तिहां नामने वस्तु धर्मतानी मुख्यता विशेष प्रकारिं देखा. छई। लक्ष्य जीवादिक, लक्षण
उपयोगादिक, व्यवहार अध्येषणप्रेषणादिक, शब्द जे घटादिक ध्वनिः, बुद्धि ते घटादिक वस्तुनो निश्चय, क्रिया ते उत्क्षेपणादिक। ए सर्व नांमनें वसि छ। एणी रीतिं शब्दनयवादीइं एकांतिं नामनिं था थकें थापनानय बोलें छई। थापनानय पणि युक्तिं पुष्ट छइं॥६.६॥(६९) शबद वस्तु किरिया फल संज्ञा, मत्यादिक सवि भाव रे।
छइं आकाररूप जगमाहिं, निराकार अभाव रे॥सुणो०॥६.७॥(७०) [टबार्थ शब्द जे पौद्गलिक छे माटें आकारवंत ठे। वस्तु जे घटादिक ते पणि आकारवंत छ। क्रिया
उत्क्षेपणादिक तेह आकारवंत क्रियावंतथी अभिन्न माटें। फल पणि कर्तृसाध्य घटादिक तेह पणि आकारवंत छ। संज्ञा=नाम ते पौद्गलिक माटें आकारवंत छ। मतिज्ञान ते पणि ज्ञेयाकारिं परिणम्या माटें आकारवंत। इत्यादिक सघली वस्तु आकारवंत छई जगमाहिं, पणि आकार विना कोई वस्तु नथी॥६.७॥(७०) वदति द्रव्यनय स्वपरिणामथी, कोंण अनेरो आकार रे।
उतफण-विफण-कुंडलिताकृतियुत, अहिपरि ते अविकार रे॥सुणो०॥६.८॥(७१) [टबार्थ द्रव्यार्थिक नय कहें छइं। स्वशब्दिं द्रव्य तेहनो परिणाम जे पूर्व पर्यायनें नासिं अपर पर्यायनी उत्पत्ति
तावन्मात्र विना कौंण बीजो आकार छे? अपितु कोई नही। ईहां दृष्टांत कहें छइं। उत्फण, विफण, कुंडलितादिक आकार युक्त जे सर्प तेहने विर्षे स्यु नवु उपर्नु? अनि मूलगुं नास स्युं पाम्यु? जिणे
विकार होइं तेवू तो कई नथी। ते माटें विकार रहित ज जाणवों॥६.८॥(७१) [मु.] उदभव लयनि कार्योपचारि, कलपित हेतुता एहनई रे।
नटपरि नित्य इति हेतु ज मानो, कार्य नही त्रिण्य भुवनि रे॥ सुणो०॥६.९॥(७२) [टबार्थ ईहां कोई इंम कहें छ। जे सर्पादिक द्रव्ये उत्फणादिक पर्याय उपजें छे, विफणादिक नास पामें छइं इंम
उत्पाद नासनी प्रत्यक्षताइं उत्पादादिरहित किम कहीइं? ते उपरि कहें छ। जिम सर्प द्रव्यनें उत्फणविफणरूप परिणामनो आविर्भाव-तिरोभाव छ। तेहनि कार्यतानो उपचार करीइं छइं ते माटें सर्पनि कारणतानो उपचार कीधो पणि परमार्थिक उत्पादादि रहित द्रव्य ज छ। ते तो नित्य छई। इमं कारण जगमाहिं मानवू, अनि कारणपणुं तो पूर्वापरपरिणामनें पूर्व परिणाम थाइं छे। तिहां कार्यता कोईनी नही इति भावः। उत्पत्ति अनि नास मात्र रूप जे परिणाम तेहनि कार्यनो उपचार करीइं छइं तेह माटें कल्पनाई कारणपणुं ए द्रव्यनि कहीइं पणि नटनी परिं नित्य छे। एतला माटें द्रव्य रूप कारण मानो पणि कार्य कोई छई नही जगमाहिं।।६.९॥(७२)
Page #66
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
[मू.]
अह भावनय बोलई क्षणवादी, भाव भिन्न नहीं द्रव्य रे ।
प्रतिक्षण भाव उपजें विणसई, हेतु विना जगि भव्य रे ॥ सुणो० ॥६.१०॥ (७३)
[टबार्थ] हवें पर्यायनय कहें छें। ते क्षणिक वस्तुनिं मानें। पर्यायथी अन्य कोई द्रव्य छें नही। प्रतिं समयें पर्याय ज उपजें विणसें छइं कारण विना जगनें विषे हे ! भव्य ! कार्य ते कारण निरपेक्ष ज उपजें छें। अपेक्षा तो छती वस्तुनी होइं अनिं मृत्पिंडादिक कारण वेलाई घटादिक कार्य छई नही। जो अविद्यमाननी अपेक्षा करीइं तो शशकशृंगनी पणि करी जोई । ते माटें कार्य ते कारण विना ज छई इति भावः ॥ ६.१०॥ (७३)
[मू.]
[टबार्थ]
४३
प्रति समयइं अपरापररूपिं, थावाथी सवि वस्तु रे ।
कार्य रूप छड़ नहीं को कारण, इंम च्यारदं वदनं व्यस्त रे ॥ सुणो० ॥६.११॥ (७४)
समय समय दीठ नवनवइं परिणामिं परिणमवा माटें सर्व वस्तु जे मृत्पिंडादिक ते कार्य रूप ज छें। पणि अवस्थित रूप कारण कोई छई नहीं। ए पर्यायनयनुं मत छे। इंम च्यारे नय बोलें जूदा जूदा॥६.११॥(७४)
तव सवि नयमय जिणमय बोलइं, मूंको निज मत कूप रे
शबद अरथ बुद्धि परिणति भाविं, सवि चउ पज्जय रूप रे॥ सुणो० ॥६.१२॥ (७५)
[मू.]
[टबार्थ] हवें सिद्धांतवादी कहई छ । तिवारिं सर्व नय संमत श्रीजिनमत कहें छई। हे! नयवादीओ! मूंकी दीओ मतरूप कूपनिं। शब्द जे नाम, अर्थ जे आकार, बुद्धि जे तेहनुं ग्रहेंवु ए परिणामपण सर्व वस्तु च्यारे पर्यायमय छें। पणि नयवादीइं एकेको पर्याय मान्यो ते खोटुं छे ।
नामादिक चतुष्टयात्मक ज वस्तुइं घटादिक शब्दनी तेहना अर्थबोधकपणा माटें परिणति दीठी। अर्थ जे पृथुबुध्नोदरादिक आकार तेहना पणि नामादिक चतुष्टयात्मकपणें ज परिणाम दीसें छें। बुद्धिनो पणि तदाकारग्रहणरूपपणा माटें परिणामनादिक चतुष्टयात्मकनें विषें ज दीठो, पणि नामादिक इक पर्यायात्मकनें विषें शब्दादिक परिणति न थाई। अनिं अविशिष्टपणें घटादिक वस्तु उच्चरई नामादिक च्यारें पणि भासे छें। ते माटें सर्वे वस्तु च्यार पर्यायरूप छें इति भावः॥६.१२॥(७५)
एह विलक्षण निज आश्रयनिं, भेद अभेदना कार रे ।
प्रत्येकिं द्रव्यादि विकल्पिं, आश्रय भेद अपार रे ॥ सुणो०॥६.१३॥(७६)
[मू.]
[टबार्थ] ईहां कोई कहेंसें जो सर्व वस्तु चतुःपर्यायात्मक छें तो नामादिकनें स्युं सर्वथा भेद नथी? ते उपरि कहें छइं। एह नामादिक धर्म माहोमाहिं भिन्न स्वरूप थका पोतानो आश्रय जे घटादिक धर्म तेहनि पणि किंचित् भेदकारी किंचित् अभेदकारी । ते किम ? नामादिक इकेक पर्यायनें विषं द्रव्य, क्षेत्र, काल, भावनी वि[क]ल्पनाई द्रव्यना भेद अनंत थाई।
कोईकिं इंद्र एहवुं पद उच्चरें थकें अन्यनिं एहवो विकल्प उपजें जे एणिं नामेंद्र विवेक्ष्यो, अथवा स्थापनेंद्र वा, द्रव्येंद्र वा, भावेंद्र ? हवें नामेंद्र पणि द्रव्यथी गोपालदारक, किं क्षत्रियदारक, कें
Page #67
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
[मु.]
ब्राह्मणदारक के शूद्रदारक? इत्यादि। तथा क्षेत्रथी पणि नाम इंद्र स्युं भरतक्षेत्रनो किं वा ऐरवतक्षेत्रनो, किं वा विदेहक्षेत्रनों? इत्यादि। कालथी पणि स्युं अतीतकालनो किं वा वर्तमानकालनो किं वा अनागतकालनो के अनंतसमयभावी, के असंख्यातसमयभावी, के संख्यातसमयभावी? इत्यादि। भावथी पणि सुं कृष्णवर्ण, किं वा नीलवर्ण, किं वा रक्तवर्ण, किं वा पीतवर्ण, किं वा शुक्लवर्ण? किं वा दीर्घ किं वा ह्रस्व? इत्यादि। इंम एक पणि नामेंद्रनो आश्रयभूत जे अर्थ तेहनिं द्रव्यादिक भेदिं अनंत भेद भासें छई। तथा स्थापनादिक आश्रयनिं पणि उक्त रीतिं प्रत्येकिं अनंतभेदपणुं अनुसरवू। ए रीति नामादिक पर्याय भेदकारी जाणवा इति भावः॥६.१३॥(७६) जब एक वस्तुई चउनी विवक्ष्या, होइं अभेदक त्यारि रे। इंम नय समुदयथी सवि लहीइं, शास्त्र अरथ सुविचारिं रे॥ सुणो०॥६.१४॥(७७) हवे च्यारेंनि अभेदकपणे देखाडे छई। जिवारिं एक वस्तु घटादिकिं नामादिक च्यारेनी विवक्षा करीइं तिवारिं अभेदकारी होइं। इंणी रीति नय समुदाय थकी सर्व पामीइं शास्त्रनो अरथ भलें विचारें करी। हवई जिवारि च्यारे एक वस्तुइं प्रतीतीइं तिवारिं अभेदकारी। ते किम? जेम एक पण शक्रादिकने विषे इंद्र एहवो शब्द ते नाम, तेहनो आकार ते स्थापना, उत्तर उत्तर अवस्थानुं कारणपणुं ते द्रव्य, दिव्यरूपपणानी संपत्ति; वज्रधरणादिक परमऐश्वर्यसंपन्नता ते भाव। इंम च्यारइं पर्याय अभेदपणे भासइं इति भावः॥६.१४॥(७७)
॥इति निक्षेपस्वरूपम्॥
[टबार्थ
॥अथ संग्रहनयस्वरूपकथनम्॥ (ढाल-७, राग-केदारो गोडी, कपूर होइं अति ए देशी)
नैगमादिक अंगीकर्या रे, अरथ सकल विस्तार। सामान्यरूपिं संग्रहइं रे, ते संग्रहनय सार रे॥७.१॥(७८)
भविजन धारो गुरु उपदेश, एहथी नासई कुमति किलेस रे भवि।।आंचली॥ [टबार्थ नैगम प्रमुख नये मांन्या जे अरथ घटादिक सकल विस्तारिं व्यस्तपणइं इति भावः। तेहनिं घटत्वादिक
जातिरूपिं एकपणइं संग्रहइं ते संग्रहनय कहीइं। नैगमादिकं व्यक्तिं भिन्न अर्थ मान्या तेहनिं जाति एकपणे संग्रहइं ते संग्रहनय इति भावः॥७.१॥(७८) केवल सत्ता मात्रनि रे, अंगीकारई नय एह।
सकल विशेष सत्ता रूपिं रे, अंतरलीना तेह रें॥भवि०॥७.२॥(७९) [टबार्थ] एक सत्ता सामान्यनि ज मानें संग्रहनय एह। द्रव्यादिक सर्व भिन्न भिन्न पदार्थ पणि सत्ता रूप
सामान्यने विषइं अंतरभूत थया छइं। द्रव्यादिक सर्व वस्तु सत् रूप ज छे इति भावः॥७.२॥(७९)
Page #68
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
वृक्षादिकनी प्रतीतिका रे, होइं वनस्पती जन्य।
जेणिं जेह पतीजीई रे, तेहथी ते नही अन्य रे॥ भवि०॥७.३॥(८०) [टबार्थ आम निंब प्रमुखनी बुद्धि थाइं छे ते वनस्पती सामान्यथी ज। जेहथी जेहनी बुद्धि उपजइं तेहथी तेह
भिन्न किम कहीइं?॥७.३॥(८०) अंगुल्यादिक हस्तथी रे, जिम कांई भिन्न न होय।
वनस्पति सामान्यथी रे, तिम वृक्षादिक जोय रे॥ भवि०॥७.४॥(८१) [टबार्थ] एह उपरि युक्ति कहें छई। अंगुली प्रमुख ते हस्त थकी जिम कांई भिन्न नथी तिम वनसपतीरूप जे
सामान्य तेह थकी अंब, लिं(नी)ब, कदंबादिक वृक्ष भिन्न नथी।।७.४॥(८१) [मु.] इंम दृष्टांतिं भावीइं रे, सत शबदइं सवि भान।
तह द्रव्यत्वादिक रूपिं रे, सवि द्रव्यादिक ज्ञान रे॥ भवि०॥७.५॥(८२) [टबार्थ] ए रीतिं पूर्वोक्त दृष्टांतिं करी दार्टीतिकें भावना करीइं ते देखाडे छई। सत् ए शबदि द्रव्य-गुणादिक
सर्वनुं भान थाई छई तिम द्रव्यत्व, गुणत्व प्रमुख रूपिं समस्त द्रव्य-गुणादिक भासें छई।।७.५॥(८२) [म.] ए पणि निक्षेपा चउरे, मानइं प्रत्येकि एक।
कोइ कहइं ए थापना रे, वंछइं नहीं सुविवेक रे॥ भवि०॥७.६॥(८३) [टबार्थए संग्रहनय पणि च्यारे निक्षेपा माने छई। पणि एकेकें निक्षेपें अनेक वस्तुनिं एकत्व रूपिं माने। ईहां
मतांतर कहें छइं। कोई कहें संग्रहनय थापना निक्षेपानि मानें नहीं। जे माटें एहनो विवेक विशेष छई। घटपटादि अनेक नामनिं नाम रूपिं एक ज मानइं। इंम शेष निक्षेपें पणि भावना करवी इति
भावः॥७.६॥(८३) [म.] नाम संकेत विशेष छइं रे, ते थापनाई संत।
ते माटें नाम निक्षेपइं रे, थापना संग्रह हुँत रे॥ भवि०॥७.७॥८८४) [टबार्थ] ते देखाडे छई। नाम निक्षेपो ते आपआपणी वस्तुई संकेत विशेष छई। ते संकेत थापनाइं पणि छई। ते
कारणिं नाम निक्षेपानि वि संकेत रूप थापनानो पणि संग्रह थाइं छइं।।७.७॥(८४) म.]
तेह मषा पित्रादिकई रे, विहित संकेत विशेष।
शबद पुद्गल रूप नाम छइं रे, थापना आकृति विशेष रे॥ भवि०॥७.८॥(८५) [टबार्थ हवें तेह मत दूधे छई। तेह कहें छे ते जुर्छ। जे माटें पिता प्रमुखई कीधो जे संकेत विशेष देवदत्तादिक
एहवो जे भाषावर्गणाना पुद्गल रूप तेहनिं नाम कहीइं अनि थापना तो आकार विशेष छे
औदारिकादिकवर्गणा रूप॥७.८॥(८५) ते माटंइ नामादिकिं रे, बहु संख्याई जेह। निज निज जाति एकता रे, ग्रहीइं संग्रह तेह रे॥ भवि०॥७.९॥(८६)
म.]
Page #69
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
[टबार्थ हवें फलित कहें छे। पूर्वोक्त भेद माटइं नामादिक च्यारइं निक्षेपा व्यक्तिं बहू छई। तेहनिं आपआपणी जे नामादिक जाति तेणिं करी एकत्व रूपिं ग्रहीए ते संग्रहनय कहीए॥७.९॥(८६)
॥इति संग्रहनयः॥
॥अथ व्यवहारनयः॥
(ढाल-८, राग-रामगिरी, छानो निं छपी रे कंताए देशी) [मु.] जे अनुयायी लोक व्यवहारनिं रे, अध्यवसाय विशेष।
ते व्यवहार कह्यो नय सूत्रमा रे, मानइं एह विशेष॥८.१॥(८७) [टबार्थ हवई व्यवहारनयनुं स्वरूप कहें छे। जे अनुसरइं लोक व्यवहारनिं एहवो जे अध्यवसाय विशेष ते
व्यवहारनय कहीइं सूत्रमाहिं। एह नय विशेष पदार्थनि मानइं। लौकिक व्यवहार विशेषनि उद्देशी
प्रवर्तइं ते माटें एह नय विशेषनो माननार इति भावः॥८.१॥(८७) [मु.]
श्री जिनवाणी प्राणी आदरो रे, हरखी परखी रे चित्ति।
नय अंतर निरपेखी देखी, ऊवेखीइं सवि मिथ्यामत नित्ति॥८८॥आंचली।। [टबार्थ] अन्य नयनो निषेधक एहवो दुर्नय जाणी निषेधीइं।।८.२॥(८८) [मु.] घटपट प्रमुख विशेषथी अन्यनो रे, नहीं लोकिं व्यवहार।
वार्ता मात्र प्रसिद्ध सामान्य छइं रे, खकुसुम परिं ते असार॥श्री०॥८.३॥(८९) [टबार्थ हवें एहनुं मत कहें छई। घटपटादिक जे विशेष वस्तु तेह थकी बीजा कोई सामान्यनो लोकनें विर्षे
व्यवहार नथी। ते माटें कहेवा मात्रे प्रसिद्ध छे सामान्य पदार्थ। आकाशकुसुमनी परिं ते अछतो छ। घट-पटप्रमुख विशेषनो व्यवहार तो दीसें छे पणि सत्ता सामान्य किस्यानो विवहार थातो नथी तो ते किम मानीइं? इति भावः॥८.३॥(८९) जल आहरणादिक उपयोगीया रे, घटपट आदि विशेष।
अरथक्रिया अनिमित्त सामान्यनि रे, मान्यानो स्यो किलेस?॥ श्री०॥८.४॥(९०) [टबार्थ] वली युक्ति देखाडे छइं। जल आणवा प्रमुख क्रियाना करनार घटादिक विशेष ज दीसें छ। ते माटें
अरथ अनि क्रियानुं कारण नहीं एहवं ते सामान्य ते मानवानो स्यो जंजाल करवो? ॥॥८.४॥(९०) [म.] जे संग्रहइं दृष्टांति वनस्पति दाखीउ रे, ते पणि मुज अनुकूल।
कुण वृक्षादि विशेषथी अन्य छइं रे, वनस्पती, रे मूल?॥ श्री०॥८.५॥(९१) [टबार्थ हवें पूर्वि संग्रहवादीइं सामान्य मानवानो दृष्टांत देखाड्यो ते दूधे छे। जे संग्रहनयिं दृष्टांत वनस्पतिनो
कह्यो ते पणि माहरें ज मिलतो ज छ। वृक्ष-आम्र-लिंबादिक जे विशेष वस्तु ते थकी बीजो वनस्पतीसामान्य कुंण छइं? आम्रप्रमुख सर्व वृक्षादिकनें व्यक्तिं जूदां बोलावीइं तिवारिं वनस्पतीइं वाच्य कोई [विशेष दीसता नथी इति भावः॥८.५।।(९१)
Page #70
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
[मू.]
संग्रह संगृहीत अरथ विभाजको रे, जिम सत द्रव्य पर्याय ।
जीव अजीव दुविध द्रव्य भावीइं रे, इंम पज्जय पणि थाय॥श्री०॥८.६॥(९२)
[टबार्थ] हवे फलितार्थ कहें छ । संग्रहि महासत्ताइं सर्व वस्तु संग्रही तिहां सत्ता सामान्यें सर्व सद्रूप संग्रहें मान्युं तिहां व्यवहारनय कहें - ते सत् बे प्रकारें [एक] द्रव्य बीजो पर्याय । वली तिहां पणि संग्रहिं द्रव्यत्वरूपिं सकल द्रव्यंनो, पर्यायत्वरूपिं सकल पर्यायनो संग्रह कीधो तिहां वली विवहार भेद करई छइं। द्रव्य पणि बे प्रकारे जीव द्रव्य तथा अजीव द्रव्य । इम द्विधा भावी । इंम पर्याय पण द्विधा भावीइं॥८.६॥(९२)
[मू.]
सहभावी क्रमभावी इति दुविधा कह्या रे, रूपादिक सहभावि।
नवीन पुराणादिक क्रमभावीया रे, इंम बहुविध मनि भावि॥श्री०॥८.७॥(९३)
[टबार्थ] ते देखाडें छें। एक पर्याय सहभावी द्रव्यनें संघातिं ज नींपना बीजा क्रमभावी अनुक्रमिं थया इंम बे प्रकारें कह्या। तिहां वर्णादिक ते सहभावी कही । गुण एहवा संज्ञाइं बोलावी । नवा जूना प्रमुख क्रमभावी पर्याय इंम अनेक प्रकारिं विशेष भावीइं । जे माटें द्रव्य पणिं अनेंक, तद्गत पर्याय पणि अनंत। तिहां पूर्व पूर्व भेद संग्रह संमत, परपर तेह ( भेद) व्यवहारसंमत इति तात्पर्य: (र्यम्)॥८.७॥(९३) पज्जयथी गुणविगतिं भिन्न दाखव्यो रे, संमति ग्रंथिं रे जोय । जो 'त्रीजो पदारथ पामीड़ रे, तो त्रीजो नय होय ॥ श्री० ॥८.८॥(९४)
गुण
[टबार्थ] ईहां कोइ कहेसें सत्ताना भेदक द्रव्य अने पर्याय एं बे पदार्थ कह्या । तिहां त्रीजो गुण पदार्थ कां न कह्यो? ते उपरि कहें छइं। पर्यायथी गुण कांई विगति जूदो नथी कह्यो । संमति ग्रंथनें विषं विचा जूओ। तिहां उपपत्ति कहें छ । जो गुण पदार्थ त्रीजो होइं तो द्रव्यार्थिक-पर्यायार्थिकनी पर गुण ग्राहक गुणार्थिक पणि त्रीजो नय जोईइं। ते तो नथी ते माटें गुण जूदो नहीं इति भावः ॥८.८॥(९४)
४७
[मू.]
[मू.]
निश्चयथी पंचवरणिं भमरई कालिमा रे, अंगीकरइं सवि लोक ।
तिम एह नय पणि अंगीकरई मुदा रे, इति लोकिं सम रोक॥ श्री०॥८.९॥(९५) [टबार्थ] वली व्यवहारनयनो ज विषय देखाडे छें। निश्चयनयनें लेखें पंचवर्णसंयुक्त भमरो तिहां केवल कालो गुण मानें सर्व प्राणी । तेह लोकनी परिं ए व्यवहारनय पणि इंम ज मानें। एतला माटें लौकिक व्यवहारनिं ज अनुसरई।। ८.९।। (९५)
[मू.]
कुंडी श्रवइं वाट जाई इत्यादिकिं तथा रे, प्राई इछई उपचार।
ए नय इति तत्त्वारथ भाष्यमां रे, मानई निक्षेपा ए च्यार ॥ श्री० ॥८.१०॥(९६)
[टबार्थ] वली विषयांतर देखाडे छ । कुंडी श्रवें छई, मार्ग जाई छें इत्यादिकिं प्राई उपचार बोलाई छ । जे
१. गुणसद्दमंतरेणावि तं तु पञ्जवविसेससंखाणं। सिज्झइ णवरं संखाणसत्थधम्मो तङ्गुणोंत्ति।। (सन्मतितर्क ३.१४)
Page #71
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
माटें आवें छइं प्राणी, कहेंवाई कुंडीनिं। जाइं छे हीडनार, कहेंवाइं वाटनिं इति भावः। ए व्यवहार नय मत तत्त्वार्थभाष्यमाहिं का छे। तथाहि— लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः। इति। एह नय पणि निक्षेपा च्यारे मानइं। तिहां प्रत्येकिं बहुत्व माने ते जाणवू।।८.१०॥(९६)
॥इति व्यवहारनयस्तृतीयः॥
॥अथ ऋजुसूत्रः॥ (ढाल-९, राग-सारिंग, पूरव भव हवइं सांभलो जातिस्मरण योगिं रे ए देशी) निज अनुकूल अरथ जिके, वरतमान कालीन रे। तदग्राही अभिप्रायको ते, ऋजुसूत्र अदीन रे॥९.१॥(९७)
सवि नय सविनय धारीइं, वारीइं स्वाभिनिवेश रे॥ आंचली।। [टबार्थ] हवें ऋजुसूत्रनुं स्वरूप कहें छई पोताना कार्यनो साधक एहवो जे अर्थ, तेह पणि वर्तमान कालनो
तेहनो ग्राहक जे अध्यवसाय ते ऋजुसूत्र कहीइं। निवारीइं पोताना कदाग्रहनि।।९.१॥(९७) ए नय मांनइं नही कदा, अतीत अनागत वस्त रे।
उपलंभाभाविं करी, गगनकसम परिं अस्त रे॥सवि०॥९.२॥(९८) [टबार्थ] ए ऋजुसूत्रनय कि वारिइ मानें नहीं अतीत वस्तुनिं अनि अनागत वस्तुनि। तिहां हेतु कहें छई।
प्राप्तिनइं अभाविं करी। आकाशकुसुमनी परिं नास्तिरूप जाणवू। इहां पंचावयव अनुमान वाक्य
जाणवु।।९.२॥(९८) [मु.] परकीय वस्तुनिं पणि नहीं, मानइं प्रयोजनाभावइं रे।
परधन परि कुंण कामर्नु?, निजथी निफल पावइं रे॥सवि०॥९.३॥(९९) [टबार्थ
तथा पारकी वस्तुनिं पणि न मानें। कामिं नावई माटें। तिहां दृष्टांत कहें छई। पारका धननी परिं। पारकुं वस्तु स्यां कांमनु? पोतानी ज वस्तुइं पोतें फल पामइं। ईहां पणि अनुमान जाणवू।।९.३॥(९९) व्यवहार वादीनई वदइं, जो व्यवहाराभावई रे।
संग्रह संमत पणि तज्यु, सामान्यह निज भावइं रे॥सवि०॥९.४॥(१००) [टबार्थ हवें ईहां स्वयुक्तिं व्यवहारनयनी दूषे छई। व्यवहार वादीनिं कहें छई। जो विवहार विना संग्रहि मांन्युइं
पणि तिं छांड्युं सत्ता सामान्य पोताने मति।।९.४॥(१००)
अतीत अनागत पारकुं, तो किम मानइ वस्त रे।
व्यवहाराभाव तुल्यता, निष्फलता पणि जुस्त रे॥सवि०॥९.५॥(१०१) [टबार्थअतीत अनागत पारकी परकीय वस्तुनिं तो किम मानई छे? अतीतादिक वस्तु किम मानें छइं
Page #72
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
[मू.]
[मू.]
जादृश अरथनो वाचको, किम मानइं अभिधान? रे।
तथा तथाविध अरथनुं, विषयी पणि किम ज्ञान ? रे॥सवि०॥९.६॥(१०२)
[टबार्थ] पूर्वोक्त रीतिं अतीतादिक जे अर्थ तेहनो कहेंनार एहवो जे शब्द ते किम मानइं? तिम तेहवा अर्थनुं ग्राहक ज्ञान पणि किम कहीइं ? वाच्यनें अभाविं तद्वाचक जे शब्द तेह पणि निरर्थक थाई इति भावः । विषयनें अभाविं तेहनुं ज्ञान पणि व्यर्थ इति तात्पर्य : (र्यम् ॥९.६॥(१०२)
वनस्पति प्रमुखनो किस्यो व्यवहार लोकिं छें नहीं। आम्र प्रमुख विशेषथी ज विवहार प्रवर्ते छ । तो सामान्य मानवुं नहीं। ए युक्तिं तिं सामान्य निषेध्युं । तो अतीत अनिं भावी अनिं परकीय वस्तुनो किस्यो विवहार छें नहीं। अनिं तेहथी फल प्राप्ति पणिं छें नहीं। तो अतीतादिक वस्तु किम मानें छ ? इति भावः। व्यवहारनो अभाव तो बेहु ठामि सरखो छे । अनिं फलनिः पत्तिनो पणिअभावर्धा छइं॥९.५॥(१०१)
४९
परमारथ ए नय तणो, निज संप्रतिकालीन रे ।
नामादिक चड निक्षेपा, प्रत्येकिं एक लीन रे ॥ सवि० ॥९.७॥ (१०३)
[टबार्थ] हवें ए नयनो तात्पर्य विशदपणें कहें छ । एह नयनो तात्पर्यार्थ ए जाणवो - पोताना, ते पण वर्तमान कालना नाम प्रमुख चारें निक्षेपानिं प्रत्येकिं एकेको मानहं । परकीय नामादिकनिं न मानें ते माटें प्रत्येकिं इकेको ज मानें इति भावः ॥ ९.७॥(१०३)
[मू.]
[मू.]
तह परयाय अनेकनो, अरथ अभिन्न ज मूल रे।
सूक्ष्म क्षणिक पज्जय कह्यो, मनुष्यादिक थूल रे ॥ सवि०॥९.८॥(१०४)
[टबार्थ] तथा इंद्र पुरिंद्रादिक जे अनेक पर्याय तेहनो मूल अर्थ ते एक ज एहवुं मानें। ए ऋजुसूत्रनय सूक्ष्म तथा बादर कही। सूक्ष्म ते सूक्ष्म पर्यायनो ग्राही । सूक्ष्म पर्याय ते वर्तमान सामायिक जाणवो। जीवनिं मनुष्यादिक जे सर्व पर्याय ते बादर जांणवो । लिंग - वचननें भेदिं पणि अर्थ ते अभिन्न ज| लिंगभेद जिम तटः, तटी, तटम्। वचनभेद जिम जलम् आपः । एहवें भेदिं पणि अर्थ ते एक ज इति भावः॥९.८॥(१०४)
॥इति ऋजुसूत्रश्चतुर्थः॥
॥ अथ शब्दनयः ॥
(ढाल-१०, राग-सुणि छहेंनी पीउडो परदेशी ए देशी)
जे सुविशेषित ऋजुसूत्र संमत, अरथग्राही अभिप्राय रे ।
ते नय शब्द को एह मानइ, भावरूप परयाय रे ॥१०.१॥(१०५) श्रीजिनमत धारो एकांतई, जिहां सविनय अनेकांतई रे॥आंचली ॥
[टबार्थ] हवें शब्दनयनुं स्वरूप कहें छें । जे विशेष प्रकारेइं विशेष्यो एहवो जे ऋजुसूत्र मान्य अर्थ तिहनो
Page #73
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
ग्रहेनारो जे अध्यवसाय ते शब्दनय कहेंवो। एह नय अंगीकार करइं। कार्यापन्न रूप जे पर्याय तेहनि पूर्वथी विशेषता आगलि कहवास्ये। भाव विना बीजा त्रिण निक्षेपानि न मानें इति
भावः॥१०.१॥(१०५) [मु.] नामादिक घट त्रयनिं न मानइं, तत कारय अणकरवइं रे।
पट परि इति प्रत्यक्ष विरोधइं, तह लिंगनइं अणधरवइं रे॥ श्री.१०.२॥(१०६) [टबार्थ] तिहां युक्ति कहे छइं। नामादिक त्रिण निक्षेपाना घटनें ए न मानइं। तिहां हेतु कहें छे। ते भावघटनुं जे
कार्य जल आहरणादिक तेहना अणकरनार माटइं। तिहां दृष्टांत कहें छे। पटनी परिं। ईहां अनुमान सूचव्यु। जिम पट जल आहरणादिक घटकार्यनइं न करइं तिम नामादिक घट पणि ते कार्यनें करें नहीं। ए रीतिं प्रत्यक्ष विरोध छई। वली बीजुं कारण कहें छई। लिंग ते घटनु पृथुबुध्नोदराद्याकाररूप
तेहनि नामादिक घट नथी धरता ते माटें पणि तेहनें न मानइं॥१०.२॥(१०६) [मु.] कहें ऋजुसूत्रनि अतीत अनागत, जो घटनुं नवि मानई रे।
तुल्य प्रयोजनाभावि हुंतइं, नामादि किम वानइं रे॥श्री.१०.३॥(१०७) [टबार्थ] हवें ऋजुसूत्रने दूर्षे छे। ऋजुसूत्रनिं कहें छे – अतीत अनागत जो घटनिं तुं नथी मानतो। जल
आहरणादिक कार्य नथी करतो ते माटें। कार्यनो अभाव तो ईहां पणि सरखो छई। तो नामादिक घटनें
किम मानें?॥१०.३॥ (१०७) [मु.] बहु परयायई अरथ एक वंछड़, पणि लिंग-वयणनई भेदइ रे।
भिन्न अरथ मानइं इति ऋजुथी, शबद विशेषित वेदई रे॥श्री.१०.४॥(१०८) [टबार्थ हवें ऋजुसूत्र थकी एहनी विशेषता कहैं छे। इंद्रपुरिंद्रा(पुरंदरा)दिक जे अनेक पर्याय तेहनो अर्थ एक
ज मानइं। पणि ऋजुसूत्रथी एतलो विशेष लिंग-वचननें भेदि। तटः, तटी, तटम् इति लिंगभेद; जलम्, आप इति वचनभेद। एणी रीति अर्थ जूदो मानें। एतलो ऋजुसूत्र थकी शब्दनय विशेष मानें। ऋजुसूत्र लिंग-वचन भेदिं अर्थ अभिन्न मानें, ए ते भेद मानें इति भावः॥१०.४॥(१०८) सप्तभंग भाख्या जिनशासनि, तेह माहिलें कोई भंगई रे।
सुविशेषित घट संमत एहनइं, अविशेषित ऋजु अंगि रे॥श्री.१०.५॥(१०९) [टबार्थ वली ऋजुसूत्र थकी एहनो विशेष देखा. छई। सप्तभंगी श्री जिनशासनिं कही छ। ते माहें १लें(पहेलें)
अमें २इं(बीजई) भांगई विशेष्यो जे घट ते एहनिं मान्य। अने ते भांगानी विवेक्ष्या विना ऋजुसूत्र
मानई। एह पणि ऋजुसूत्र थकी शब्दनय विशेष जाणवो॥१०.५॥(१०९) [म.] सप्तभंगी ईहां कही; विवरी, प्रथमिं छतो घट देख्यो रे।
उरध ग्रीवादिक निज परयाई, सदभाविं सविशेष्यो रे॥श्री.१०.६॥(११०) [टबार्थ ईहां अधिकार आव्या माटें सप्तभंगी विवरीनिं कहीइं छई। प्रथम भांगो कहें छे। स्यादस्ति घटः।१
Page #74
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
तिहां स्यात् एहवू पद ते अनेकांतता, वाचक छइं। ऊद्ध्वग्रीवादिक जे पोताना पर्याय तेहनी सत्ताइं विवेक्ष्यो हुँतो घट द्रव्य कुंण रूपिं छइं? ते कहें छइं। घट द्रव्य आपणा द्रव्य, क्षेत्र, काल, भावरूप पर्याइं छतो छ। स्यात् कहेंतां कथंचित् इति भावः॥१॥१०.६॥(११०) पर परयायई असदभाविं करी, विशेषित नहीं कुंभ रे। स्वपरोभय परयाई सत्ता, असत्ताई कुंभ रे॥श्री.१०.७॥(१११) युगपद् विशेषित होइं अवाच्यो, एकदा एकदेश रे।
असंकेतिक दोय अरथ कहें नहीं, ए त्रिण्य सकलादेश रे॥श्री०॥१०.८॥(११२) [टबार्थ हवें बीजो भांगो कहई छई। स्यान्नास्ति घटः।२ पर जे घटादिकना द्रव्य, क्षेत्र, काल, भावरूप जे
पर्याय तेहनी असत्ताइं विवेक्ष्यो थको नथी घट द्रव्य इति द्वितीय भंगः॥२॥ हवें त्रीजो भांगो स्यादवक्तव्यो घटः।३ पोताना पर्यायनी सत्ता अनि अपर पर्यायनी असत्ताइं घट द्रव्य।। साथिं विवेक्ष्यो थको अनिर्वचनीय छे। तिहां युक्ति कहें छइं। एकिं कालिं अनि एकें शब्दिं जेहनो संकेत नहीं एहवा बे अर्थ न कहेंवाइं एतला माटें अवक्तव्य इति तृतीयः॥३॥ ए त्रिण्य भांगा अखंड द्रव्यनी अपेक्षाइं विवेक्ष्या माटें सकलादेश कहीइं॥१०.७, ८॥(१११, ११२) तह एकदेशइं निजपरयाई, सदरूपिं सविशेष्यो रे।
अपरइं परभावई असत्त्वइं, अस्ति नास्ति इति रेष्यो रे॥श्री०॥१०.९॥(११३) [टबार्थ हवें चोथो भांगो स्यादस्ति नास्ति घटः।४ घट द्रव्य तेहना एक देशनै वि पोताना परयायनी सत्ताई
विवेक्ष्यो थको अनइं बीजें देशे पर पर्यायनी असत्ताइं विवेक्ष्यो थको अस्ति नास्ति कहीइं। इति चतुर्थो भंगः॥४॥१०.९॥ (११३) एकदेशइं निजभावई सत्त्वइं, विशेष्यो अन्यदेशई रे।
युगपद ग्रह तें घट तव होवें, अस्ति अवाच्य आदेशइं रे॥श्री.१०.१०॥(११४) [टबार्थ हवें पांचमो भांगो स्यादस्ति अवक्तव्यो घटः।५ एकदेशनें विषं पोतानें पर्यायनी सत्ताइं विवेक्ष्यो, अन्य
बीजे देशिं समकालिं स्व-पर पर्यायनी सत्ता असत्ताई विवेक्ष्यो घट अस्ति अवाच्य एहवो कहीइं इति पंचमः॥५॥१०.१०॥ (११४) परभाविं एक देशइं असत्त्वइं, अपरइं युगपद कहेवइं रे।
अरपित नास्ति अवाच्य कहीजइं, सघले स्यातपद वहवइं रे॥श्री.१०.११॥(११५) [टबार्थ हवें छट्ठो भांगो। स्यान्नास्ति अवक्तव्यो घटः।६ एकदेसिं परपर्यायनी असत्ताई अनिं बीजें स्थानकिं
उभय पर्यायनिं समकालिं कहेंवें विवेक्ष्यो घट नास्ति अवाच्य कहीइं॥६॥ सघले भांगें स्यात् पद जोडते अर्थ थाइं॥१०.११॥ (११५)
Page #75
--------------------------------------------------------------------------
________________
नयामतम-२
[मु.]
सदभाविं एकदेशई स्वभाविं, एकिं परपरयाई रे।
असत्त्वइं अन्यदेसिं युगपद, विशेषित कहवाइं रे॥श्री.१०.१२॥(११६) [टबार्थ हवें सातमो भांगो स्यादस्ति नास्ति अवक्तव्या७ एक देसिं पोताना पर्यायनी सत्ताइं, अनि बीजें देसिं
पर पर्यायनी असत्ताइं। वली अपरदेसिं उभय पर्यायनी सत्ता-असत्ता समकाल विवेक्षाइं कहवाइं॥७॥ ॥१०.१२॥ (११६) घट अस्ति नास्ति अवाच्य आदेशइं, ए सप्तभंगी पूरी रे।
स्यादवाद मत लीना मानइं, शबदादिक अधूरी रे॥श्री.१०.१३॥(११७) [टबार्थ] ते कहें छे। घट अस्ति नास्ति अवक्तव्य। इंम शब्दे बोलाई। ए सप्तभंगी संपूर्ण थई अनेकांतमतवादी
मानें। अनि शब्दादिक नयवादी ओछी मानें, कोई भांगो मानइं। घट अस्त्येव इत्यादिक निर्धार वाक्य
कहें पणि स्यात् पदनी योजना न करइं इति भावः॥१०.१३॥(११७) [मु.] एह विशेष कह्यो महाभाष्यइं, सप्तभंगीनुं बीज रे।
ते अभ्यसी परमारथ सीधो, भींजाडी निज मीज रे॥श्री.१०.१४॥(११८) [टबार्थ
अहवा पच्चुपन्नो रिउसुत्तस्साविसेसिओ चेव। कुंभो विसेसिअयरो सम्भावाईहिं सद्दस्स॥ सब्भावासब्भावोभयप्पिओ सपरपज्जओ उभयओ। कुंभांकुंभावत्तव्वोभयरूवाई भेउ सी॥
त्ति॥१०.१८॥(११८) ॥इति शब्दनयः पञ्चमः॥
[म.]
[टबार्थ
॥अथ समभिरूढः॥
(ढाल-११, राग-सामेरी) परयाय बहुनो अर्थ रे, एकत्वई इछई व्यर्थ रे। अर्थ रे, प्रत्येकि सवि शबदनो रे॥११.१॥(११९) हवें समभिरूढनुं स्वरूप कहें छई। इंद्रपुरिंदरादिक जे अनेक पर्याय तेहनो एक ज अर्थ वांछे छे। शब्दनय जे माटें सर्व शब्दनो अर्थ प्रत्येकिं जूदो मानइं अनिं समभिरूढ कहें छइं— ते खोटुं॥११.१॥(११९) एहवो अध्यवसाय रे, ते समभिरूढ कहाय रे। थाय रे, पूरवथी पणि सूक्षमो रे॥११.२॥(१२०) सर्व शब्दनि जूजूआ अर्थ मानवानो जे अध्यवसाय ते समभिरूढ कहीइं। पूर्व नय पर्याय भेदि पणि अर्थ अभिन्न माने अनि अति भिन्न मानइं इति सूक्ष्यमता। एह नय पूरवल्याथी सुद्ध जांणवो॥११.२॥(१२०)
[मु.]
[टबार्थ
Page #76
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
कहइं शबदवादी वेदि रे, लिंगनिं वयणनि भेदि रे।
भेद रे, मानइं जो तुं अरथनो रे॥११.३॥(१२१) [टबार्थ हवें तिहां युक्ति कहें छ। समभिरूढ एहवं कहें छे— शबदनयवादी मानें जें लिंग-वचननें भेदिं जो तुं
अर्थ भेद मानें छइं॥११.३॥(१२१) [मु.] संज्ञांतरि तो केम रे, मानइं नहीं भेद एम रे।
तेम रे, इहां पणि ध्वनि भिन्नता रे॥११.४॥(१२२) [टबार्थ] तो संज्ञाभेदि किम अर्थभेद नहीं मानइं? लिंग-वचननें भेदिं जिम शबद भेद छे तो संज्ञाभेदि शब्दे भेद
ज छई।।११.४॥(१२२) ते माटइं संज्ञाभेदि रे, अरथनो मानो भेद रे।
उछेद रे, अन्यथा होइं नियतिनो रे॥११.५॥(१२३) टबार्थ ते माटें संज्ञाभेदि अरथनो भेद मानो। इंम न मानीइं तो उच्छेद थाइं नियतिनो। इंम जो न मानीइं तो
घटपटादिक जे भिन्न भिन्न शब्द तेहनो अर्थ पणि भिन्न भिन्न एहवी नियतिनो उछेद थाइं। घट, कलश इंहा शब्दभेदिं अर्थ एक मानीइं तो घट, पट सबदें पणि अर्थ एक ज मनाइं इति
भावः॥११.५॥(१२३)॥ [मु.] घट कुंभ कुट इत्यादि रे, थंभादि परि अन्य वादि रे।
नादि रे, भिन्न प्रवृत्तिनिमित्तथी रे॥११.६॥(१२४) [टबार्थ] घट, कुंभ, कुट इत्यादिक शब्द थंभादिकनी परि अन्य अर्थना वाचक छ। शब्द प्रवृत्तिनिमित्त जूदा
माटे। घट शबद थकी स्थंभ शबद भिन्न अर्थनो वाचक छ। प्रवृत्तिनिमित्त बेहु शब्दे जूदा माटें। घट शब्दे घटत्व स्थंभ शब्दें स्थंभत्व प्रवृत्तिनिमित्त छ। तिम घट शब्द अनि कलश शब्दें पणि
प्रवृत्तिनिमित्त भिन्न छइं इति भावः॥११.६॥(१२४) [मु.] घट कहीइं चेष्टायोगि रे, कुट शबद कोटिल्य योगि रे।
लोगि रे, कुंभ कुस्थिति पूरवइं रे॥११.७॥(१२५) [टबार्थ हवें पर्याय शब्दनि भिन्न शब्द प्रवृत्ति देखाडे छ। घट शब्दनो अर्थ चेष्टारूप, कुट शब्द ते
कुटिलपणाने सबंधिं प्रवर्ते, कुटिल आकारवंत माटें कुट इति भावः, कुंभ शब्द ते कु कहेंता पृथवी
तेहनें विषं स्थिति पूरवा माटइं प्रवर्तइ॥११.७॥(१२५) [म.] घटाकारथी अभिन्न रे, घट करण किरिया विन्न रे।
भिन्न रे, होइं ते घट करमथी ए॥११.८॥(१२६) [टबार्थ] घटना करनारथी अभिन्न ज छइं घट करवानी क्रिया प्रसिद्धपणइं। अनि तेह ज क्रिया भिन्न छइं घट
रूप कर्मथी। जल आहरणादिक चेष्टावंत ते घट इति भावः॥११.८॥(१२६)
Page #77
--------------------------------------------------------------------------
________________
नयामतम-२
[मु.]
परयाय संकर दोष रे, अन्यथा होइं इति रोष रे।
कोष रे, वस्तु निज निज धरमनो रे॥११.९॥(१२७) [टबार्थ पर्याय ते वस्तुना धर्म तेहनो संकर जे एकत्व एहवो दोष थाई। जो कर्तानी क्रियानि घटनें विषं संबद्ध
मानीइं। तो एह रोष समभिरूढ वादी करई छई। ते माटें कोष कहेंतां सघली वस्तु आप आपणा धर्मनी आधार छ।।११.९॥ (१२७) इति करत किरिया करमि रे, संक्रमई नहीं त्यजि भरम रे।
मरम रे, एह घट कुंभादिकिं रे॥११.१०॥(१२८) [टबार्थ हवें फलितार्थ कहई छई। एतला माटें कर्तानी क्रिया कर्मिं संक्रमें नहीं। ए भर्म छांडें जांणो। ए मर्म
घटकुंभादिक पर्याय सबदें पणि मानवो। तिहां भिन्न भिन्न प्रवृत्तिनिमित्त रूप धर्मनो संकर न थाइं
इति भावः॥११.१०॥ (१२८) [मु.] एह युगतिनो विस्तार रे, विशेषावश्यकिं सार रे।
प्यार रे, एहनि पणि भावस्युं रे॥११.११॥(१२९)। [टबार्थ गाथा
घटकार विवक्खाए कत्तुरणत्थंतरं जओ किरिया। न तदत्थंतरभूए समवाओ नाम उसासे॥ कुंभंमि वत्थुपज्जयसंकराइप्पसंगदोसाओ। जो जेण जं च कुरुए तेणाभिन्नं तयं सव्वं॥ एह नय पणि भावनिक्षेपाने मानें॥११.११॥(१२९)
॥इति समभिरूढः षष्ठः॥
॥अथैवंभूत नयः॥
(ढाल-१२, राग-गोडी, इंणि परि राजि करंत रे ए देशी) [म.] अध्यवसाय विशेष रे, व्यंजन अरथनो।
जेह विशेष गवेषतो ए॥१२.१॥(१३०) [टबार्थ] शब्द अनि अर्थना विशेषनी अपेक्षा करतो एहवो जे अध्यवसाय विशेष॥१२.१॥(१३०) [मु.] एवंभूत नय तेह रे, सूत्रि दाखीओ।
किरिया परिणत मानतो ए॥१२.२॥(१३१) [टबार्थ| ते एवंभूतनय जाणवो। अनुयोगद्वार सूत्रनइं विर्षे कह्यो। जे शब्दनें विर्षे जे क्रिया तेणिं परिणम्यो ते
अर्थनिं मानइं एहवो छइं॥१२.२॥(१३१) [मु.] दीपन किरिया शून्य रे, जिम दीपक नहीं।
दीप शबद वाचक नही ए॥१२.३॥(१३२)
Page #78
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
[टबार्थ| तिहां दृष्टांत कहें छ। प्रकाशनी क्रियाइं रहित तेहनि जिम दीपक न कहीइं। अनि दीपक शब्द पणि
प्रकास शून्यनो वाचक नहीं। प्रदीप शब्द प्रकाशवंत ज अर्थ कहीइं। अन्यथा संशयादिक दोष होइं। ते किम? दीपन क्रियारहित पणि दीप जो होइं तो दीप शब्द उच्चरे — इंणिं प्रकाशवान अर्थरूप दीप कहो. किं वा अप्रकाशक जे अंधोपलादिक कह्यो? इंम संसय ऊपजें। तथा ____इंणे अंधोपलादिरूप ज कह्यो पणिं दीप न कह्यो इंम विपर्यय पणि उपजें। तथा दीप कहें अंधोपलादिकनो बोध थाइं अनि अंधोपलादि कहें दीपनो बोध थाइं। इंम संकर दोष पणि उपजें। ते माटें प्रकाशवंत तेह ज दीप शब्द कहीइं। अनि दीप लक्षण जे अ- - - -[र्थ तेहनो?] ज वाचक दीप शब्द इति भावः॥१२.३॥(१३२) शबद वसिं अभिधेय रे, अभिधेय वशि शबद।
इंम उभयथी विशेषीइं ए॥१२.४॥(१३३) [टबार्थ शब्दनि वसि अर्थ अनि अर्थनें वशिं शब्द इम इकेकनि विशेष करीइं। जिम दीप सबद प्रकाशक
वस्तुनो वाचक अनि प्रकाशक वस्तु ते दीप शब्दनो अर्थ इति भावः॥१२.४॥(१३३) [मु.] स्त्री मस्तकि आरूढ रे, जल आहरणादि।
किरिया युतनि घट कहइं ए॥१२.५॥(१३४) [टबार्थ| वली बीजुं उदाहरण कहें छई। स्त्रीना मस्तकनें विषं धर्यो जलआहरणादिक जे चेष्टा तेणिं सहित
तेहनिं घट कहीइं॥१२.५॥(१३४) [मु.] गृहकोणादिकई थाप्यो रे, तेह घडो नहीं।
चेष्टा विण ए नय मतिं ए॥१२.६॥(१३५) [टबार्थ] पणि घरना खूणा प्रमुखने वि स्थाप्यो तेहनिं घट न कहीइं। घटनी चेष्टा तिहां छे नहीं ते माटें।
एवंभूतनयनें मति॥१२.६॥(१३५) समभिरूढ नई भाषइं रे, घट पद व्युतपत्ति। अछते जो कुट पद तणो ए॥१२.७॥(१३६) मानइं अरथ तुं भिन्न रे, तो चेष्टा विण।
कालिं घट पणि किम घडो ए॥१२.८॥(१३७) [टबार्थ हवें पूर्व नयनिं दर्षे छे। समभिरूढ नयनिं कहें छइं — घटपदनी व्युत्पत्ति जे चेष्टायोग रूप ते नथी ते
माटई कुट शब्दनो॥अरथ तुं जूदो मानें छइं। ते चेष्टारहित कालिं घट शब्द घट किम बोलावई
छइं?॥१२.२, १२.८॥(१३६, १३७) [म.] व्युतपत्ति अरथ अभाव रे, छे ठामि तुल्य।
सूक्ष्म दृष्टि इंम कीजीइं ए॥१२.९॥(१३८)
Page #79
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
[टबार्थ व्युत्पत्ति अरथनो जे अभाव ते बेहु ठामि सरखो छ। इंम सूक्ष्म दृष्टि विचार कीजीइं। घट शब्दनी
व्युत्पत्ति जिम कुट शब्दिं नथी तिम घरकोणादिकिं मूक्यो छे तिवारिं पणि नथी इति
भावः॥१२.९॥(१३८) [म.] इंम संसारी जीव रे, प्राण धरण माटई।
सिद्ध जीव नही ए मतिं ए॥१२.१०॥(१३९) [टबार्थएह नयनें मतिं संसारी ते जीव कहीइं। प्राणधारी माटें। जीव पदनो अर्थ ते प्राणधारण रूप छई। जीव
प्राणधारणइंणे) इति वचनात्। ए नयइं मतिं सिद्धनिं जीव न कहिइं, प्राणधारी नथी माटइं। एवं जीवाजीवो संसारी पाणधारणाणुभवो। सिद्धो पुण अजीवो जीवपरिणामरहिओ त्ति॥
॥१२.१०॥(१३९) [मु.] ए महाभाष्यिं भाष रे, ए अनुसारथी।
कहुं श्वेतांबर क्रिया ए॥१२.११॥(१४०) [टबार्थ] श्वेतांबरनी प्रक्रिया आगली गाथाथी कहें छई॥१२.११॥(१४०) [म.] जीव नोजीव अजीव रे, तह नोअजीव।
कीधइं इंम आकारणइं ए॥१२.१२॥(१४१) [टबार्थ] जीव१ नोजीव२ अजीव३ नोअजीव४ इंम च्यारे आमंत्रणे बोलावें थकें॥१२.१२॥(१४१)
जीव प्रतिं पण भाव रे, ग्राही नैगम पमुह।
जीव पण गति वंछइं ए॥१२.१३॥(१४२) [टबार्थ जीवनें विषं औपशमिक१ क्षायिक२ क्षायोपशमिक३ औदयिक४ पारिणामिक ए पांच भावनिं ग्रहतां
जे नैगम प्रमुख नय ते जीवनिं पांचं गतिने विर्षे वांछई। च्यार गतिं अनिं पांचमुं मोक्ष एहनें विषं पाचें भाव छ। तिहां च्यारें गतिं क्षायोपशमिक इंद्रिय१ औदयिकी गति२ पारिणामिक जीवत्व३ श्रेणिकादिकनिं क्षायिकभाविं सम्यक्त्व४ श्रेण्यारूढने औपशमिक५ ए पांचे भाव छई। सिद्धनें पणि
क्षायिक१ औदयिक२ पारिणामिक३ ए त्रिण्य भाव होइं इति भावः॥१२.१३॥ (१४२) [म.]
नोजीव इति आहवानई रे, अजीव कई जीवना।
देश प्रदेश प्रति वदई ए॥१२.१४॥(१४३) [टबार्थनोजीव इंम आमंत्रणिं वांछइ। केंतो नोशब्द निषेधनो वाचक ए पक्षे अजीव कहें, अथवा नोशब्द एक
देशवाची ए पक्षे जीवना देश प्रदेशनिं कहें।।१२.१४॥(१४३) आकारित अजीविं रे, पुद्गल द्रव्यादी। तह नोअजीव आकारितिं ए॥१२.१५॥(१४४)
Page #80
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
[टबार्थ
[मु.]
[टबार्थ]
[मु.]
[टबार्थ]
जीव द्रव्य पतीजइं रे, केतो जीवना। देश प्रदेश हवई ए नयो ए॥१२.१६॥(१४५) अजीव एहवं आमंत्रण] कीधइं पुद्गलद्रव्य आदि शब्दें धर्म, अधर्म, आकाश, काल द्रव्य जाणवा। तथा नोअजीव एहवं आमंत्रण] कीधइं जीव द्रव्यनो बोध थाइं। नोशब्द निषेध वाची ए पक्षि। अथवा नोशब्द देश निषेधक ए पक्षिं पुद्गलादिक जीव द्रव्यना देश प्रदेश जाणीइं। ए च्यारें बोलने प्रश्ने नैगमादिक नयने मतिं उत्तर कह्यो। हवें एवंभूत नय कहें छे ॥१२. १५,१६॥ (१४४,१४५) जीव प्रतिं औदयिक भावग्राहक एह। जीव वदई संसारीनिं ए॥१२.१७॥(१४६) जीव प्रति औदयिक भावनो वांछनार एह एवंभूत नय। ते माटें जीव ते संसारीनिं ज कहइं॥१२.१७॥ (१४६) नोजीव इति अजीव रे, के सिद्धह प्रति। अजीव इति आकारितिं ए॥१२.१८॥(१४७) पुद्गलादिके सिद्ध रे नोअजीव इति। आकारण कीधइ हुंतइ ए॥१२.१९॥(१४८) नोजीव एहवें आमंत्रणिं अजीवनें कहइं। नोशब्द देश निषेधक ए पक्षं के सिद्ध प्रतिं कहें, जे माटें सिद्ध ते संसारी जीवनो एक देश छई, अजीव एहवं आमंत्रण कीधई पुद्गलादिक पांचे द्रव्य कहइं। नोअजीव एहवं आमंत्रण कीधे हुंतइं॥१२. १८,१९॥(१४७,१४८) ग्रहई संसारी जीव रे, देशप्रदेशनी। कलपन तो एहनिं नही ए॥१२.२०॥(१४९) संसारी जीवनिं कहें नोशब्द निषेधक वाची ए पक्षि। अनि देश निषेधकनी अपेक्षाइं तो अजीवना देश प्रदेश ग्रहीइं। तेहनी कलपना तो एह नयनें मतिं छे नही, अखंड द्रव्यनि ज मानइं॥१२.२०॥(१४९) एवंभूताभिप्रायइं रे, सिद्ध ज जीव छई। भावप्राणनइं धारवइं ए॥१२.२१॥(१५०) हवें ईहां दिगंबरनुं मत कहें छे। एवंभूत नयनें मतिं सिद्धनि ज जीव कहीइं। भावप्राणना धरवा माटें। भाव प्राण ते ज्ञान१ दर्शन२ रूप चेतना। तिक्काले चउपाणा, इंदियबलमाउआणपाणो या ववहारो सो जीवो, णित्थयदो दुचेयणा जस्स॥ त्ति ॥१२.२१॥(१५०) इति कोइक ते मिथ्या रे, जीव प्रति एह। तुरियभाव ग्राहक कह्यो ए॥१२.२२॥(१५१)
[म.]
[टबार्थ
[टबार्थ]
Page #81
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
[टबार्थ एहवू दिगंबर कहें छे ते खोटुं। तिहां हेतु कहें छई। जीवने विर्षे एवंभूत नय औदयिक भावनो ज
ग्राहक कह्यो छे। तो क्षायिक भावना जे केवलज्ञानादिक तेहनिं किम ग्रहइं?॥१२.२२॥(१५१) [म. आयुकर्मोदय रूप रे, जीवन अरथनो।
छइं सदभाव संसारीइं ए॥१२.२३॥(१५२) [टबार्थ हवें फलितार्थ कहें छे। आयुकर्मना उदय रूप जे जीवन शब्दना अरथनी सत्ता संसारी जीवनें विर्षे
छई। जीव कहीइं प्राणधारीनिं अनि प्राण तो औदयिक भावना ते ए नय माने ते माटइं आउखारूप जे प्राण तेहनें उदयिं संसारीनि जीव कहीइं। अनि यद्यपि इंद्रिरूप प्राणनिं क्षायोपशमिकपणुं छे तथापि
प्रधानपणे आयुकर्मोदय लक्षणनिं ज जीवन अर्थ- ग्रहण ईहां कीधुं इति भावः॥१२.२३॥(१५२) [म.] सिद्धनिं जीवत्व दाख्यं रे, मलयगिरी मुखिं।
ते तो नैगमादिक मति ए॥१२.२४॥(१५३) [टबार्थ सिद्धनिं जीवपणुं कहिउं मलयगिरी प्रमुखि ते तो नैगमादिक नयनें लेखें जाणवू ॥१२.२४॥(१५३) [मु.] एह नयाभिप्रायई रे, पन्नवणादिकि।
जीवन पज्जययुत्तपणइं ए॥१२.२५॥(१५४)॥ [टबार्थ] अनेक शास्त्रिं पणि सिद्धनि जीव कही बोलाव्या छे ते ग्रंथनिं अनि ए ग्रंथने विरोध थाइं ते निराकरें
छ। एह नयनें मतिं पन्नवणादिक सूत्रिं प्राणधारणरूप पर्याययुक्तपणे करी॥१२.२५॥(१५४) [म.] जीव अशाश्वतो दाख्यो रे, इंम सवि ग्रंथनि।
संमत अरथ विभावीडं ए॥१२.२६॥(१५५) [टबार्थ] जीव अशाश्वतो कह्यो। इंणी रीति सर्व सूत्रने संमत अरथ विचारीइं। जो क्षायिकभाविं निश्चय प्राण
अपेक्षाइं जीव कह्यो होइं तो शाश्वतो कहत इति भावः॥१२.२६॥(१५५) [म. ए नयमतिं पणि सिद्ध रे, सत्त्वनि आतम ए।
व्यपदेश लहइं सही ए॥१२.२७॥(१५६) [टबार्थ हवें ए नयनें मतिं सिद्धनि जीव न कहीइं तो स्युं कही बोलावीइं? ते ऊपरि कहें छइं। एवंभूत नय मति
पणि सिद्धनिं सत्त्व कहीइं, सत्तायोग माटइं। तथा आत्मा कहीइं, नवनवा पर्यायनि अतति कहेंतां पांमें ते आत्मा। ए अर्थयोगें एहवें शब्दई बोलावीइं॥१२.२७॥(१५६) ए नयनिं पणि इष्ट रे, भाव निक्षेपक।
इति नय सपतक दाखीया ए॥१२.२८॥(१५७) [टबार्थ एवंभूतनयनिं पणि भाव निक्षेपो ज मान्य छइं। इंणी रीतिं साते नय कह्या स्वरूप थकी॥१२.२८॥(१५७)
॥इत्येवंभूतनयः सप्तमः॥
Page #82
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
[नयानां परस्परविरोधः]
(ढाल-१३, राग-मल्हार, वीरमाता प्रीतिकारिणी ए देशी) [मु.] मूल नय जाति भेदि, कह्या नैगमादि सरूप।
सूक्ष्म भेद एहना होइं, प्रत्येकिं शत रूप॥१३.१॥(१५८)
श्रीजिनवर मत निरमलुं, जिहां सवि नय भासइं॥आंचली।। [टबार्थ| मूलनय सात जाति भेदि कह्या नैगम प्रमुख स्वरूप थकी। सूक्ष्मभेद व्यक्तिं करीइं तो एह सात नयनें
एकेकाना प्रत्येकि सो सो भेद थाइं॥१३.१॥(१५८) [म.] अरथनय आदिम चउ, यदा त्रिण्ये शबदनय एक।
मूल नय पंचना पंचसिं, आदेशांतरि छेक॥श्रीजिन०॥१३.२॥(१५९) [टबार्थ पहेंला च्यार नयनिं अरथनय कहीइं । अर्थ अपेक्षाइं प्रवर्ते माटई। आगल्या त्रिण्य नय शब्दनय
कहीइं। शब्द अपेक्षाइं प्रवर्त्या माटइं। तिवारिं मूल नय पंच थाई। तेहना उत्तर भेद पांचसिं थाइं।
वाचनांतरिं उत्कृष्ट भेद एतला जाणवा॥१३.२॥(१५९) [मु.] संग्रहनि व्यवहारथी, नैगम किहां एक भिन्न।
एह कारणि परिभाषिका, सूत्रइं सातनी विन्न॥श्रीजिन०॥१३.३॥(१६०) [टबार्थ| संग्रहनय अनि व्यवहारनय थकी नैगमनय कोइक ठामि प्रदेशादिक दृष्टांतनं जूदो छइं। ते मात्रै प्रसिद्ध
भाषा अनुयोगद्वारादिक सूत्रिं सातनी जांणवी। नैगम सामान्यग्राही तथा विशेषग्राही इंम बे प्रकारें छे। तिहां पहेलो संग्रह मांहिं बीजो व्यवहारमांहिं भलें तोहें प्रदेशादिक दृष्टांत जूदो छ। माटें सात नय
कहींइं इति भावः॥१३.३॥(१६०) [मु.] भेद असंख्य पणि संभवई, इति भाष्यमा भाख्यु।
ते सवे समुदित जे धरइं, तेणिं समकित चाख्यु॥श्रीजिन०॥१३.४॥(१६१) [टबार्थ भेद असंख्यातापणि ऊपजई। एहवं विशेषावश्यकें अत्र गाथा
जावंतो वयण पहा तावंतो वा नयाविसद्दाओ। ते चेव य परसमया सम्मत्तं समुदिया सव्वे॥ तेह समकिती जाणवो ॥१३.४॥(१६१)। एकेक अंश ग्रही अंधका, कहें जिम गज पूरो।
तिम अहंकार नयवादिनि, जाणइं अंश अधूरो॥श्रीजिन०॥१३.५॥(१६२) [टबार्थ इकेका नयना माननार मिथ्यादृष्टि होई। ते ऊपरि दृष्टांत कहें छे। इकेक अंस जे सुंडि प्रमुख तेहना
ग्रहेंनार जे अंध पुरुष जिम एकेका अंसनें हाथी पूरो कही बोलावई तिम अहंकारी नयवादी एकेक अंसनिं संपूर्ण वस्तु करी जाणइं॥१३.५॥(१६२)
Page #83
--------------------------------------------------------------------------
________________
नयामतम-२
[मु.]
चक्षुदरसी जिम हाथीओ संपूरण देखई।
समकिती तिम नय सकलस्युं, पूरण वस्तु विशेषज्ञ॥श्रीजिन०॥१३.६॥(१६३) [टबार्थ
हवें स्यादवादीनिं सम्यग्दृष्टिपणुं दृष्टांत तें देखाडे छ। देखतो पुरुष जिम हाथीनिं सर्वावयव संयुक्त
मानें। तिम समकितदृष्टी नय समस्तिं करी सकलांसिं संपूर्ण वस्तुनिं मानें।।१३.६॥(१६३) [म.] योग वैशेषिक विचरिया, नैगम अनुसारिं।
संग्रहरंगि वेदांतिया, कापिल व्यवहारिं॥श्रीजिन०॥१३.७॥(१६४) [टबार्थ] हवें षटदर्शन कुंण कुंण नयनें अनुसारिं प्रवा ? ति कहें छई। नैयायिक अनि वैशेषिक प्रवर्त्या
नैगमनयनें मतिं, संग्रहनयें वेदांति प्रवा , सांख्य व्यवहारिं प्रवा ॥१३.७॥(१६४) बौद्ध ऋजुसूत्र मुख नय थकी, मीमांसक नय भेलइं।
पूरण वस्तु जैना वदई, षट दरसन मेलइं॥श्रीजिन०॥१३.८॥(१६५) [टबार्थ] बौद्ध ते ऋजुसूत्र प्रमुख नय थकी प्रवर्त्या, मीमांसक ते घणा नयनीं मेलें प्रवर्त्या । सर्वनय संमतपूरण
वस्तुनें जैन मानइं। छए दर्शननें मेलिं॥१३.८॥(१६५) छूटक रतन माला इति, व्यपदेश न पामइं।
एक दोरइं तेह संकुल्यां, माला संपजइं नामि॥श्रीजिन०॥१३.९॥(१६६) [टबार्थ छूटां रतननिं माला एहवं न कहेंवाई। एकें दोरइं जिवारिं परोया थकीं। माला एहवं नाम
थाइं॥१३.९॥(१६६) [मू.] तिम सवे दरसन साचला, इकेकां न कहाय।
सार स्यादवाद सूत्रिं करी, गुंथ्यां समकित थाय॥श्रीजिन०॥१३.१०॥(१६७) [टबार्थ] तिम ए दृष्टांतिं सघलां दर्शन साचां भिन्न भिन्न न कहेंवाइं। स्यादवाद रूप जे दोरो तेणिं करी गुंथ्यां
थकां सत्य थाई॥१३.१०॥(१६७) नित्य अनित्य पक्षपातीया, माहोमांहिं ते दृषइं।
जिम बेहू कुंजर जूजता, करदंतनिं मूषइं॥श्रीजिन०॥१३.११॥(१६८) [टबार्थ| एकदर्शनी नित्यपणाने मानता बीजा अनित्यपणानि मानता माहोमांहिं दूषण दीइं। जिम बे हाथी
लढता थकां सूंडित दांत प्रमुखने वजाडे॥१३.११॥(१६८) साधक स्यादवादक तिहां, लक्षइं भिन्न सरूप।
दोयनिं समोवडि लेखवई, न हारइं निज रूप॥श्रीजिन०॥१३.१२॥(१६९) [टबार्थ साधक तो स्यादवाद रूप छ। तिहां बेहूनां जूदां जूदां सरूप जाणई। बेहूनिं बरोबरि लेखवइं। पोताना
साधकपणाना रूपनि हारें नही। एकंनो पक्षपाती नही ते माटइं॥१३.१२॥(१६९)
म.]
Page #84
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
[नयानां परस्परविरोधपरिहारः]
(ढाल-१४, राग-धन्याश्री, कहणी करणी तो विण साचो ए देशी) [म.] इंम विरोध परसपरिं देखी, सेवि नयनिं निज रूपिं रे।
जे संदेह धरइ मनि बूडई, ते मिथ्या मत कूपिं रे॥१४.१॥(१७०) श्री जिनवाणी अमृत समाणी, पिजइ लीजइं स्वाद रे। जिनमति जाणी थिरता आणी, त्यजीई आग्रहवाद रे॥१४.२॥(१७१) आंचली॥ संदेहि होइं समय आसायण, इति महाभाष्यिं भाख्यु रे।
तेह कारण समुदित अभ्यासो, जो वंछो श्रुत राख्यु रें॥ श्रीजिन०॥१४.३॥(१७२) [टबार्थ] एवं सविसययससच्चे पर विसयपरंमुहे णये नाउं। नेएसु न संमुज्जइ न य समयासायणं
कुणइ॥१४.१,२,३॥ (१७०, १७१, १७२) (विशे. २२७२) श्रुत परिशीलन ए विण न होइं, ए श्रुत जलनिधि पोत जी। एह थकी घटि परगटि होइं, निरमल ज्ञान उद्योत जी॥ श्रीजिन०॥१४.४॥(१७३) भिन्न भिन्न विषयिक नयलयथी, होवई मुनि श्रुतज्ञानी जी। बृहतकल्पभाष्ये ते भाख्यो, केवली सम शुभध्यानी जी॥ श्रीजिन०॥१४.५॥(१७४) एह अनोपम चिंतामणि सम, शास्त्र पिटकथी लेई जी। प्राकृत भाषा दोरई गुंथ्यो, भविजन कंठि ठवेई जी॥ श्रीजिन०॥१४.६॥(१७५) सम्यग्दृष्टीने रुचि वाधइं, एह विचार सुणतां जी। जे नही छल छलीया गुणभरीया, तस अनुमतिए भणतां जी॥ श्रीजिन०॥१४.७॥(१७६) नयरहस्य जो लघु निंदीजइं, तो होइं अरथनी हाणी जी। योगदृष्टिसमुच्चयमांहिं, एहवी रीति वखाणीजी॥ श्रीजिन०॥१४.८॥(१७७) श्रोता मति परिमाणि कहेंवो, नयविशारद सूरिंजी।। आवश्यकनियुक्तिं भाख्यु, नहीं बुधजनमन दूरि जी॥ श्रीजिन०॥१४.९॥(१७८) आसज्ज उ सोआरं, नये नयविसारओ बूया॥१४.९॥(१७८) एहथी मिथ्यामति सवि भाजइं, होवई वस्तु प्रकाश जी। आरतिध्यान निवारक ऊलसे, चिदानंद विलास जी॥ श्रीजिन०॥१४.१०॥(१७९) एह विचित्र नयवाद विचारी, कीजई उपशमभाव जी।
सूत्रिं पणि एहनुं फल दाख्युं, राग द्वेष अभावजी॥ श्रीजिन०॥१४.११॥(१८०) [टबार्थ यत उपदेशः
सव्वेसिं पिणयाणं, बहुविहवत्तव्वयं णिसामित्ता। तं सव्वणयविसुद्धं, जं चरणगुणट्ठिओ साहू॥ त्ति
[टबार्थ
Page #85
--------------------------------------------------------------------------
________________
नयामतम्-२
[मु.]
[मु.]
ते माटें उपशमना अरथी, साधु महावैरागी जी। ते धरज्यो करज्यो मुझ उपरि, कृपा दृष्टि बडभागी जी॥ श्रीजिन०॥१३.१२॥(१८१)
[रासप्रशस्तिः ] (ढाल-१५, राग-धन्याश्री, गुणतणी वेलडी ए देशी) श्रीतपागच्छ नंदनवनि सुरतरु, जाणीइं जे जगि जुगप्रधानो। जगतगुरु बिरुदधारी महिमानिधी, श्रीगुरु हीरविजयाभिधानो॥१५.१॥(१८२) श्री जिनशासन जगिं जय जय करुं॥ तास पाटिं हवो सुरगुरु अभिनवो, श्रीविजयसेनसूरी प्रसिद्धो। साहिवर परषदि वाद जिती करी, गुरुसवाई जिणिं बिरुद लीधो॥श्रीजिन०॥१५.२॥(१८३) श्रीविजयतिलकसूरीसरू तस पटि, उदयगिरि उगीओ वरदिणंदो। कुमतिमतितिमिरहर सुमतिउद्योतकर, विहितभविजनचकवयआणंदो॥
श्रीजिन०॥१५.३॥(१८३) तास पाटि जनानंदकारी गुरु, श्रीविजयाणंदसूरी[स] सीहो। ज्ञानसमतादिगुणरयणरोहणगिरी, प्रवरवैराग्यरंजित निरीहो॥ श्रीजिन०॥१५.४॥(१८४) तास पाटि सदागुणिं गणि राजतो, श्रीविजयराजसूरि सूरीशो। देशनासरसरस भविजन रीझतो, जेहनी चढती दिन दिने जगीसो॥ श्रीजिन०॥१५.५॥(१८५) तास गुरु भाई बुधशांतिविजयगुरु, शमदमादिक गुणवंत संत। जास सुपसायें सुरमणिसम मि लघु, श्रीजिनवरमत अति लसंत॥ श्रीजिन०॥१५.६॥(१८६) तस विनयी मानविजयाभिधो वंदति, निजशकति श्रुतभगति आणी। तत्त्वरुचि भविकजन भणत सुणतां हुयो, शुभफलदायिनी एह वाणी॥
श्रीजिन०॥१५.७॥(१८७) जे मतिमंदभाविं करी एहमां, शास्त्र विपरीत कहेंवायुं होय। तेहर्नु मुजनि मिच्छा मि दुक्कडं हुयो, सोधज्यो संत गीतार्थ सोय॥ श्रीजिन०॥१५.८॥(१८८) भणत सुणतां होइं समकित निरमलुं, एह सुरमणिसमो नयविचार। सतत अभ्यासतां होइं समता गुणो, एह अनंत कल्याणकार॥ श्रीजिन०॥१५.९॥(१८९)
॥इति सप्तनयविवरणरास संपूर्णः॥
मू.
म.
[मू.
Page #86
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
६३
(२.२) पंडित न्यायसागर रचित सप्तनयविचारगर्भित वीरजिनस्तवन
(बालावबोधसहित)
श्रीगुरुभ्यो नमः। [मूल| सिद्धारथ त्रिशलातणो नंदन गुणमणिखाणि।
नयवचने करी वीनवू, आगमथी मति आणि॥१॥ मूल नयागममां कह्या, नैगम प्रमुख जे सात। ते विवरी कहुं लेशथी, शुद्ध यथोत्तर थात॥२॥
प्रकृत वस्तुना अंशनें ग्रहइं तदितरथी उदास। अभिप्राय प्रतिपत्तुनो, ते नय आगमवास॥३॥ [बाला] प्रथम नयनें लक्षण कहीइं छइ। नीयते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्यार्थस्यांशः तदितरांशौदासीन्यतः सप्रतिपत्तरभिप्रायविशेषो नयः। अथवा अनन्तधर्मात्मकस्य वस्तन एकांशव्यवसायात्मकं प्रकाशकं ज्ञानं नयः। अनंत धर्मात्मक वस्तुनुं जे एकांश तेहनुं प्रकाशक एहवू जे ज्ञान ते नय कहीइं। श्रीवीतराग मतनें विर्षे सकल वस्तु अनंतधर्मात्मक वर्णवी छे, मयूरांडवत्। जिम मोरना इंडामाहिं अनेक धर्म छई तो इंडाथी मोर नीपजई तिवारें नव नव रंग विचित्रता प्रगटई छई। अछतुं कांइं उपजतुं नथी, ऊपजें तेहि ज सत्य हुइ आकाशकुसुमवत्। जिम आकाश कुसुमनी नास्ति छइं तो ऊपजतुं पिण नथी इम मृत्पिडने विषइं पिण घट-घटी-शराव-उदंचनादिकनी सत्ता छे तो ते माहिथी तेहवा तेहवा पर्याय ऊपजई छई। अत्र कोइक पूछस्यें—जो तुम्हे अनंत धर्म वस्तुनें विषई कहो छो तो एकइं धर्मे करी वस्तुनें कांइ बोलावो छो? तो तेहनइं इम कहीइं—अम्हे अनंत धर्मनी सत्ता मानां छां, पिण परिणाम ते एके कालई संख्याता असंख्यातानो छई। तथा जिणे कालई जे परिणाम छइं तेणइं कालइं अपर परिणाम न हुई। यद् द्रव्यं यदा येन रूपेण परिणमति तदा तेनैव रूपेण न तु रूपान्तरेणेति वचनात्।
हवें नयनें प्रमाण कहीइं किं वा अप्रमाण कहीइं? प्रमाण ते यथार्थ- कहिवू, अप्रमाण ते अयथार्थ- कहि। यथार्थः प्रमाणमित्यच्यते। अयं वार्थः अप्रमाणमिति नयः प्रमाणस्यैकांश: इम कोइ पछइ तेहनइ इम कहीइ
नाप्रमाणं प्रमाणं वा प्रमाणांशस्तथैव हि। नासमुद्रः समुद्रो वा समुद्रांशो यथैव हि॥
नय ते प्रमाणनो अंश छइं। जे प्रमाण नही अप्रमाण नही तेहनइं प्रमाणांश कहीइ। कथंचित् प्रमाणनें कहें छइं ते माटइ समुद्रजलपसलीनी परि। जिम समुद्रमाहिथी जलनी पसली भरी छई तेतला जलनइं समुद्र न कहीइं तेहनइं ज जो समुद्र कहीइं तो पूठिला जलनइं समुद्रपणुं टलस्यें समुद्र नाम एक छ। तिम असमुद्र पिण न कहीइं। जो तेतला जलनइं समुद्रपणुं नथी तो पूठिला जलने पिण समुद्रपणुं टलिस्य। ते माटें पसली समुद्र जलने समुद्रांश कहीइं। तिम नयनें पिण प्रमाणांश कही।
तथा समस्तांश जेहनइं विषइं रह्या छई तेहनइं प्रमाण कहीइं। समस्तांशस्थानं प्रमाणमिति वचनात्।
Page #87
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
प्रमाणनयैरधिगमः। प्रमाण अनें नय करी सकल वस्तुनुं अधिगम छइ।
ते नय सात प्रकारनो छइ। नैगम (१) संग्रह (२) व्यवहार (३) ऋजुसूत्र (४) शब्द (५) समभिरूढ (६) एवंभूत (७) ए सात मूल नय। यदुक्तम् अनुयोगद्वारसूत्रे नयस्वरूपम्— से किं तं नए? सत्त मूलनया पन्नत्ता। णेगमे संगहे ववहारे उज्जुसूए सद्दे समभिरूढे एवंभूए।
तत्थणेगेहिं माणेहिं मिणइ त्ति णेगमस्स निरुत्ती। सेसाणं पि नयाणं लक्खणमिणमो सुणह वोच्छं॥ संगहियपिंडियत्थं संगहवयणं समासओ बिंति। वच्चइ विणिच्छियत्थं ववहारो सव्वदव्वेसु॥ पच्चुप्पन्नगाही उज्जुसूओ नयविही मुणेयव्वो। इच्छइ विसेसिअतरं पच्चुप्पन्ननयो सद्दो ॥ वत्थूओ संकमणं होइ अवत्थु नए समभिरूढे। वंजणअत्थतदुभयं एवंभूओ विसेसेड़॥ नायंमि गिण्हियव्वं अगेण्हियव्वंमि चेव अत्थंमि। जड़/य/व्वमेव इइ जो उवएसो सो नओ नाम॥ सव्वेसि पि नयाणं बहुविहवत्तव्वयं निसामित्ता। तं सव्वनयविसुद्धं जं चरणगुणट्ठिओ साहू॥ ए पहिली बीजी त्रीजी गाथानो अर्थ॥१॥२॥३॥
(ढाल : १ जगजीवन जगवाल्ह हो ए देशी) [मूल] तुझ आगम मुझ मनि वस्यो (ए आंकणी)
ते नय दुविधई भाषियो, प्रथम द्रव्यार्थिक एक लाल रे। पर्यायार्थिक भेदथी, बीजो भाष्यो छेक लाल रे॥ तुझ०॥४॥ (१.१) तिहां त्रिविधड पहिलो कहो. नैगम संग्रह छेद लाल रे। तिम त्रीजो व्यवहार नय, ए द्रव्यार्थिक भेद लाल रे॥ तुझ०॥५॥(१.२) पर्यायार्थिक च्यार जे, नय ऋजुसूत्रनें सद्द लाल रे।
समभिरूढ तीजो वली, एवंभूत भद्द लाल रे॥तुझ०॥६॥(१.३) [बाला.] ते सर्वनय २ बि प्रकारमाहिं आवइं। ते प्रकार केहा? एक द्रव्यार्थिक, बीजो पर्यायार्थिक।
स च द्वेधा द्रव्यार्थिक-पर्यायार्थिकभेदात्, द्रवति ताँस्तान् पर्यायानिति द्रव्यं तदेवार्थः सोऽस्ति यस्य विषयत्वेनेति द्रव्यार्थिकः।
पर्येति उत्पादविनाशौ प्राप्नोतीति पर्यायः स एवार्थः सोऽस्ति यस्यासौ पर्यायार्थिकः। तिहां आद्य त्रिण प्रकारनो। तत्राद्यस्त्रिधा—नैगम-संग्रह-व्यवहारभेदात्।
हवइ नैगम देखाडइ छइ। सच्चैतन्यमात्मनीति। अत्र चैतन्यस्य प्राधान्यं विशेष्यत्वात् सदित्यस्याप्राधान्यं विशेषणत्वात् नैगमेन विवक्ष्यते।
सङ्ग्रहो यथा विश्वमेकं सदिति। अत्र सत्स्वपि घटपटादिविशेषेषु सर्वत्र सत्ता(तै)कत्वेनाशेषार्थानामेकत्वं गृह्यते सामान्येनैव।
Page #88
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
सङ्ग्रहगृहीतस्य सामान्यस्य यो विभाजकः = विभागकारी अभिप्रायो व्यवहारः । यथा यत्सद्द्रव्यं पर्यायो वेति।
अथ पर्यायार्थिकस्य भेदाश्चत्वारः। ऋजुसूत्र-शब्द-समभिरूढैवम्भूताश्चेति। एष्वाद्यो यथा अयं हि सदपि द्रव्यं न ज्ञापयति। क्षणध्वंसेन पर्यायान् प्रधानतया दर्शयति यथा सुखं सम्प्रत्यस्तीति । अनेनात्मानं अवगणय्य सुखाख्यं पर्यायमात्रं प्रदर्श्यते।
शब्दनयो यथा बभूव, भवति, भविष्यति सुमेरुरिति। अत्रातीतानागतवर्तमानकालत्रयभेदात् कनकाचलस्य पर्यायत्वेन भेदः शब्दनयः प्रतिपद्यते। द्रव्यरूपतयात्वभेदमेव।
समभिरूढस्तु पर्यायभेदेऽर्थस्यापि भेदं मन्यते । यथा इन्दनादिन्द्रः शकनाच्छक्र इति। समभिरूढस्तु इन्दनादि क्रियायां सत्यामसत्यां च इन्द्रादि व्यपदेशं लभते ।
६५
एवम्भूतस्तु इन्दनादिक्रियां कुर्वन्तमेव इन्द्रादिव्यपदेशमभ्युपगच्छति। उदाहरणं यथा इन्दनक्रियामनुभवन्निन्द्रः, शकनक्रियापरिणतः शक्र इत्यादि सङ्क्षेपतो नयविमर्शविशेषो दर्शितः । चोथी पांचमी छट्ठी गाथानो अर्थ ॥४॥५॥६॥
[मूल]
प्रथम च्यार कोई कहें, द्रव्यार्थिकमां भेद लाल रे ।
पर्यार्थिकमां वली, अंतिम त्रिण निरवेद लाल रे ॥ तुझ०॥७॥(१.४) अथवा पांच प्रकारनो, नैगम धुरि सद्दंत लालरे।
अंतरभाव हुई सद्दमां, अंतिमद्वय नय संत लाल रे॥८॥ (१.५)
पांचशती हुई पांचना, उत्तर भेद उदार लाल रे।
सप्तशती तिम सप्तना, नयचक्रड़ विस्तार लालरे॥९॥(१.६)
[बाला.] इहां केतलाइक आचार्य पहिला चार नयनैगमादिक द्रव्यार्थिकमां कहें छइ अनें पाछिला त्रिण नयशब्दादिक पर्यायार्थिकमां गणें छई ए पिण मतांतर छ ।
[मूल]
अथ पांच प्रकारनो नय। नैगम ( १ ), संग्रह (२), व्यवहार ( ३ ), ऋजुसूत्र (४), शब्द (५)। समभिरूढ (१), एवंभूत (२) ए बइ नय शब्दनयमाहिं अंतर्भाव थाई। एवं पंच नयना द्रव्यगुणपर्यायथी अर्पण-अनर्पणाइ करी पांचसइ भेद थाई। अनें सात नयना ए रीतिं सातसई भेद था । ते शतारनयचक्राध्ययनमाहिं पूर्वि हुंता हिवणां द्वादशारनयचक्रमांहि छइं। ए सात नय संक्षेपइं कह्यो। ए सातमी, आठमी, नोमी गाथानो अर्थ॥७॥८॥९॥
छइं सामान्यविशेष ए, उभय धर्म सवि अर्थ लाल रे ।
जाति सामान्य तिहां वली, व्यक्ति विशेष समर्थ लाल रे ॥ तुझ०॥१०॥ (१.७)
बहु घटमां मति एकता, ए सामान्यनो धर्म लाल रे ।
प्रतिव्यक्ति कहइ भिन्नता, तेह विशेषनो मर्म लाल रे ॥११॥ (१.८)
नैगम मानें वस्तुनें, उभयात्मक सवि देह लाल रे।
नहि सामान्य विशेष विण, तिम सामान्य विण एह लाल रे ॥ १२॥ (१.९)
Page #89
--------------------------------------------------------------------------
________________
६६
[बाला.] हवइ विस्तारइं कही छ । प्रथम नैगमनो अर्थ लिखीयइं छइ ।
तत्थ—
गेहिं माणेहिं मिणइ त्ति णेगमस्स निरुत्ती ।
नयामृतम् - २
अर्थ— तत्थ कहितां तिहां सात नयनें विषई नैगमनयस्युं कहीइं जे अनेक माण कहितां मान अर्थ जाणवा विचार सामान्य विशेषादिक तेणिं करी पदार्थनो भाव मिणइ कहितां जाणइ ते नैगमनय कहिवाई। ए नैगम शब्द निरुक्ति कहितां व्युत्पत्ति जाणवी । एतलें स्युं कह्युं ? शिष्यनें श्रीगुरु दृष्टांतिं करी प्रीछवें छइं। जिहां अनेक प्रकार विचार करी एक पदार्थनो भाव जाणीइं ते नैगमनय जाणवो। अथवा सामान्यरूपइं तथा विशेषरूपई करी सहित वस्तुनइ कहें पिण एकाकी सामान्य रूपई अथवा विशेषरूपइं कु वस्तुनें न कहइ ते नैगमनय कही ।
तत्र सकलभुवनत्रयमध्यवर्ती वस्तुकदंबकनें ग्रहें ते सामान्य धर्म कही । सामान्य धर्म ते एक छे। यथा शैवन्यायइं—–नित्यमेकमनेकानुगतं सामान्यम्। नित्य छई एक छई अनेकनें विषइ रहि छइ ते सामान्य कहीइं। द्रव्यत्व, घटत्व, पटत्व, मनुष्यत्वादि लक्षण जाणिवुं । तथा जैनन्यायेऽपि – अप्रच्युताव्यु (नु)त्पन्नस्थिरैकरूपं हि सामान्यम्। तच्च द्रव्यमेव न तु पर्यायास्तेषां तद्विलक्षणत्वात्। जे ऊपजें नही विणसें नही स्थिर एकरूप त्रिणि कालनइं विषइं ते सामान्य जाणिवुं, पिण पर्याय न जाणवा । तेहनो तो उत्पाद विनाश छइं तेणें करी अस्थिर छई, अनेकरूपता धर्म छइ। यथा शैवन्यायें व्यावृत्तिधर्माणो हि विशेषाः । जेणई करी वस्तुनी व्यावृत्ति कीजें ते विशेष कहियइ। व्यवहार साधक विशेष ज छइं। ते घट-पट-मुकुटादि, नर-नारकादिक। ए सामान्य-विशेषनो अर्थ कहिओ। ए बिं प्रकार वस्तुनें कहइ, पिण एक प्रकारनें न कहें ते नैगमनय कहई । एतलई गुणनिष्पन्न नाम थयुं। जैनन्यायेऽपि विशेषलक्षणम् पूर्वसर्वाकारपरित्यागोत्तरोत्तरपरिस्फूर्तिमन्तो हि विशेषाः पर्यायापरनामानः ।
जैननयनें विषइ पिण विशेषनुं लक्षण कहइ छइ । पूर्वपूर्व आकारनो परित्याग उत्तरोत्तरनी परिस्फुर्तिवन्त हुइ ते विशेष कहीइं। बीजुं विशेष नाम पर्याय कही ।
अत्र कोऽपि पृच्छति—जैना अपि वस्तुनि धर्मद्वयं मन्यन्ते । सामान्यं विशेषश्च। सामान्यं विना विशेषो न स्याद्विशेषं विना सामान्यं न स्यात्, निर्विशेषं हि सामान्यं {न} भवेत् शशविषाणवदिति वचनात्।
अत्र कोई एक पूछिस्यें जैन पिण वस्तुनें विषइ बि धर्म मानइ छ । एक सामान्य बीजो विशेष। सामान्य विशेष विना नथी, विशेष सामान्य विना नथी ते माटें जैन पिण केवल नैगम मतावलंबी हुस्य । तेहनइ इम कही – जैन कथंचित् प्रकारइं अभिन्न कहइ छइ, पिण सर्वथा प्रकारइं नथी कहितो ।
सामान्यविशेषनी सप्तभंगी छइ । वस्तु स्यात् सामान्यम् (१) स्याद् विशेषम् (२) स्यात् सामान्यविशेषम् (३) स्याद् अवक्तव्यम् (४) क्रमतः सामान्यकल्पनया स्याद् अवक्तव्यम् (५) क्रमतो विशेषकल्पनया स्याद् अवक्तव्यम् (६) युगपत्सामान्यविशेषकल्पनया स्याद् अवक्तव्यम् (७) इति।
वस्तुनइं विषदं कथंचित्प्रकारइं सामान्य धर्म छई। सामान्य ते द्रव्यपणुं छइ । इति प्रथमो भङ्गः । (१) तथा तेहिज वस्तुनें विषदं कथंचित्प्रकारई विशेष धर्म छइ । विशेष पर्याय कही । द्वितीयो भङ्गः। (२)
Page #90
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
६७
तथा तेहिज वस्तुनइं विषई समकालई उभय धर्म पिण छइ। एक सामान्य बीजो विशेष। तृतीयो भङ्गः।(३) ।
तथा तेहिज वस्तुनइं विषइं अवस्तु [आवक्तव्य धर्म पिण छइ। एक कोईइ करी कहिवा योग्य पिण नथी। चतुर्थो भङ्गः।(४)
तथा अनुक्रमें एकाकी सामान्य कल्पनाइ ज करीनइ वस्तुनइ कहिवानइं अवक्तव्य छ।। इति पञ्चमो भङ्गः।(५)
तथा एहज अनुक्रमइ एकाकी विशेष कल्पनाइ ज करीनइ वस्तु कहिवानइं अवक्तव्य छइ। षष्ठो भङ्गः।(६)
तथा तेहिज वस्तु युगपत् कहितां समकालइ सामान्यविशेषज्ञ करी कहिवाने अवक्तव्य छइ। इति सप्तमो भङ्गः।(७)इति नैगमः।
वस्तुनि कथञ्चित्प्रकारेण सामान्यद्रव्यधर्मत्वमस्तीति प्रथमभङ्गार्थः। (१) तथा तस्मिन्नेव वस्तुनि कथञ्चित्प्रकारेण विशेषधर्मः पर्यायोऽपि स्यादिति द्वितीयः।(२) तथा तस्मिन्नेव वस्तुनि समकाले सामान्यविशेषावपि स्यातामिति तृतीयः।(३) तथा तस्मिन्नेव वस्तुनि अवक्तव्यधर्मत्वं परमाणुरूपमस्तीति चतुर्थः।(४) तथाऽनुक्रमेणैकया सामान्यकल्पनया वस्तुस्वरूपं कथंपि(थयि)तुमशक्यमतोऽवक्तव्यमिति पञ्चमः।(५) तथाऽनुक्रमेणैकया विशेषकल्पनया वस्तुस्वरूपं कथयितुमशक्यत्वादवक्तव्यमिति षष्ठः।(६) तथा वस्तु युगपत् समकालं सामान्यविशेषत्वेन कथयितुमशक्यत्वादवक्तव्यमिति सप्तमः।(७)
हवइं दृष्टांतइं करी नैगमनय देखाडइं छइं। जिम कोइ एक पुरुष किणहि पुरुषई पूछिउं—अहो! पुरुष! तुं किहां वसई छइं? तेणइं का हुं लोकइमांहि वसुं छु। इम कहिहुं तइ नैगमनयवादी सामान्यविशेषादिक करी पूछइ छइ–लोकमाहिं तुं केहइं लोकइ वसइं उर्द्धलोकइ अथवा अधोलोकइ अथवा तिर्यक् लोकइ? तिवारइं पेलें कह्यु—तिर्यक् लोकइ वस्तुं। तिवारइ नैगमनयवादी कहइ छइं—तिर्यक् लोकमांहि असंख्याता द्वीप असंख्याता समुद्र छइं तुं केहइ द्वीपइ वसइ? तिवारइ ते कहइ हुं जंबूद्वीपइं वसुं। तिवारइं वली नैगमवादी पूछइं—जंबूद्वीपमाहिं भरतादिक क्षेत्र अनेक छइ तुं केहइ क्षेत्रई वसें? तिवारइ ते पुरुष कहइ हुं भरतक्षेत्रई वसुं। तिवारें वली नैगमवादी पूछइ— अहो! पुरुष! भरतक्षेत्रमांहि अनेक ग्राम, आगर, नगर, खेड,कब्बड, मडंब, द्रोणमुख, पट्टण, आश्रम, संनिवेष, राजधानी छइं तिण कारणइं किहां वसें? पेलें कयुं हुं पाडलीपुरे वसुं। तिवारें पृच्छक बोल्यो—पाडलीपुरे अनेक ब्राह्मण, क्षत्रिय, वैश्य, शूद्रनां अनेक शतसहस्र, लाख घर छइं तुं किहां वसइं? तिवारइं ते कहइ हुं देवदत्तने घरे वसुं। तिवारें वली ते पूछइ— अहो! पुरुष! देवदत्तने घरि अनेक ओरडा, साल, पडसाल, चित्रसाला, सभा, गवाक्ष, आव
आवास छइ तं किहां वसइं? तिवारइं ते कहें हं उरडई वसं। इम जे एकभाव सामान्यविशेषाधिक गमई बोलीइं तिहां नैगमनय जाणवो।
हवें ए नैगमनो विशेष देखाडई छइ। लोकमध्ये वसुं ए अशुद्ध नैगम प्रथम बीजी वार पूछउँ तिवारें तिर्यक् लोक माहिं वसुं छु। ए पहिलाथी कांइ एक शुद्ध छई। पहिलामाहिं तो त्रिलोक भासतां हतां ए माहिंतो एक ज लोक भासे
Page #91
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
छइ। वली त्रीजी वार पूछु तिवारइं इम का हुं जंबूद्वीपमांहि वसुं छु ए बीजाथी शुद्ध छे। बीजामांहिं असंख्याता द्वीपसमुद्र भासता हुंता एमांहि तो एक ज द्वीपसमुद्र भासे छे। वली चोथी वार पूछु तिवारें कहुं हुं भरतक्षेत्रइं वसुंछु ए त्रीजाथी शुद्ध छइं। त्रीजामांहि तो सप्त क्षेत्र भासतां हंतां। एमाहिंतो एक ज क्षेत्र भासइ छइं। पछइं का हं मगधदेशे वसुं छु। चोथाथी शुद्ध इं चोथामांहि तो छत्तीस हजार देश भासता हुंता एमांहि तो एक ज मगधदेश भासें छई। पछइ वली का हुं पाटलीपुर वसुं छइं ए पांचमाथी शुद्ध छड़। पंचमामांहिंतो अनेक ग्राम नगर भासतां हुतां एमांहि तो एक ज नगर भासइं छइ। वली पूछ्यो तिवारें का हुं देवदत्त साहने पाडइ वसुं छु। ए छट्ठीथी शुद्ध छइ। छट्ठामांहि तो घणा पाडा भासता हुंता एमांहि तो एक ज पाडो भासई छई। पछइं वली कां हुं जे चित्रित बारणइं नकसीकाम छइ, उंचौ झरुंखो छइ, उपरि बंगलो छइं तेणें घरि वसुं छु ए सातमाथी शुद्ध नैगम एमांहि पिण घणा गमा छइं। ऊपरि वली भूमिका, विचली भूमिका भूहिरां प्रमुख घणा ठाम छइं न जाणीइं किहां वसतो हुसइं। ते माटइ ए नैगमनय। ए दशमी इग्यारमी बारमी गाथानो अर्थः॥१०॥११॥१२॥ [मूल] सयल भुवनमां वस्तु जे, कालत्रय तस ठाम लाल रे।
ते पर्यव सवि संग्रहें, संग्रहनय तिणि नाम लाल रे॥ तुझ०॥१३॥ (१.१०) सामान्यात्मक वस्तुनें, संग्रह मानें एक लाल रे। विण सामान्य खपुष्पवत्, नहि विशेष अनेक लाल रे॥ तुझ०॥१४॥ (१.११) विण वणस्सइ को नहि, अंबादिक तरुवंद लाल रे। अलगी कबहि न संभवई, कर विण अंगुलि मंद लाल रे॥ तुझ०॥१५॥ (१.१२) प्रवृति निवृत्ति हुई लोकनी, जेणिं ते व्यवहार लाल रे। ते पर्यव छई वस्तुनो, पिण सामान्य म धारि लाल रे॥ तुझ०॥१६॥ (१.१३) वली व्यवहार कहइं सुणो, व्यक्ति रूप सवि अर्थ लाल रे। व्यक्ति भिन्न सामान्य जे, खरविषाण परि व्यर्थ लाल रे॥ तुझ०॥१७॥ (१.१४) कोइ वनस्पति लें कहइं, तेस्युं ज्यइं तिणि वार लाल रे। आम्रफलादि विशेष विण, ते सवि शून्य असार लाल रे॥ तुझ०॥१८॥ (१.१५) औषध करि कोई कहें, न कहें तेहनुं नाम लाल रे। सामान्यथी सीझें नहि, हुई विशेषथी काम लाल रे॥ तुझ०॥१९॥ (१.१६) ए त्रिण आगममां कह्या, द्रव्यार्थिक करी छेद लाल रे।
हवें सुणिइं कहुं लेशथी, पर्यायार्थिक भेद लाल रे॥ तुझ०॥२०॥ (१.१७) [बाला| हवइं संग्रहनयनो अर्थ लिखीयइं। संग्रह ते कोनई कहीइं? सकलभुवनत्रयमध्यवर्ती
त्रिकालकलितवस्तुनें ग्रहें ते संग्रहनय कहीइं। यदुक्तम्संगहियपिडियत्थं संगहवयणं समासओ बिंति। वच्चइ विणिच्छियत्थं ववहारो सव्वदव्वेसु॥
जिहां भावनो अर्थ पिंडित संग्रहीइं पिंडितस्युं कहीइ, जिहां एक शब्द बोलतां घणा संग्रहीइं ते पिंडितार्थ एहवं तीर्थंकर गणधर संग्रहनयनुं वचन बोलई। ए संग्रहनय एक सामान्य अर्थ ज कहई, पिण विशेष न कहई। जिम मार्ग
Page #92
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
जातां आगलइं वृक्षावली देखी गहन स्वरूप जाणी का आगलि वन छइं ए सामान्य वचन ए संग्रहनय कहीइं। जे कारणइ वनशब्द बोलातें जे वनमाहिं नानाप्रकार धव-खदिर-पलास-अंब-निंब-जंब-कदंब-ताल-तमाल-नागपुन्नागाशोकादि वृक्ष तथा शश-शृगाल-हरिण-रोझ-संबर-शूकर-सिंह-चित्रकादिक अनेक जीव तथा भील नीभालि अनेक गोकुल-वावि-पुक्खरणी-सरोवर-कूप-द्रहादिक अनेक जलाश्रय इत्यादिक अनेराई घणा भाव संग्रहीइ छइ परं वचन एक ज आगलें वन छइं तेणें कारणिं संग्रहनय। (२)
हवइ व्यवहारनय कहीयें छई। जे सर्व द्रव्यने विगत निश्चय एतलई स्यो? भावनिश्चय ते कहीइं जे तत्त्वदृष्टि पुरुष अनेक अनेक अधिका भाव एक पदार्थनई आश्रय जाइं ते भाव तिहां नथी परं लोक प्रसिद्ध एक कोइ अर्थ ते विनिश्चयार्थ जाणवो एहवो जे अर्थ ते सर्वद्रव्यनइं विषई प्रवर्ते छई। ते व्यवहार नय जाणवो। ए नय सामान्य अर्थ न बोलइ जिम जगमाहिं घट पदार्थ छइ। तो कहइ व्यवहारि प्रवर्तइं? लोकप्रसिद्ध जल आणवा काजइं। इणिपरि वस्त्र पहिरवाने काजइं, स्तंभ घरना आधारनइ काजि, पुस्तक भणवानइ काजइं; वांचवाने काजें इत्यादिक लोकप्रसिद्ध एकेको व्यवहार बोलइं।
बीजी परि एकेको पदार्थ अनेक व्यवहारें प्रवर्ते छई। एतावता सामान्य नहि अनि निश्चय पिण नहि एणिं कारणे व्यवहारनय जाणवो।
अथवा जे जगमांहि घटपटादि वस्तु छइ। यद्यपि ते पंच वर्ण, बइ गंध, पंच रस, आठ स्पर्श, पंच संस्थान एतलई स्यो भाव? जिहां एक वर्ण, एक गंध, एक रस, एक स्पर्श, एक संस्थान तिहां तत्त्वदृष्टिं पंच वर्ण, बइ गंध, पंच रस, आठ फरस, पंच संस्थान छइ तथापि लोकप्रसिद्धइ जिहां जे नीलादि वर्ण प्रकट दीसइ ते पदार्थ तेहवो कहीइं। ए व्यवहारनय जाणवो। व्यवहारनय वीतराग पिण कबूल करें। यदुक्तम्
ववहारो वि हु बलवं जं वंदइ केवली वि छउमत्थं। आहाकम्मं भुंजइ सुयववहारं पमाणंतो॥ जड़ जिणमयं पवज्जह ता मा ववहारनिच्छए मुअह। ववहारनयच्छेए तित्थुच्छेओ जओ भणिओ॥
ए सात नयमध्ये पहिला च्यार नयनें विषइं अर्थ प्रधान छइ ते माटें अर्थनय कहीइं। आगल्या तीन नय शब्द प्रधान ते माटइं शब्दनय कहीइं। तथा पहिला तीन द्रव्यास्तिक नय कहीइं। द्रव्यनइ ज अर्थ कहें परमार्थ थकी, पिण पर्यायनें न कहें ते माटें द्रव्यास्तिकनय कहीइं। आद्यास्त्रयो द्रव्यास्तिका इति वचनात्। तथा छेहला च्यार नय पर्यायास्तिक जाणवा वस्तु थकी पर्याय ज छइ, पिण द्रव्य नथी इम कहइ ते पर्यायास्तिक नय कहीइं। शेषाश्चत्वारः पर्यायास्तिका इति वचनात्।। ___ तथा द्रव्यास्तिक पिण बें प्रकारनो छइ। एक अशुद्धद्रव्यास्तिक, बीजो शुद्धद्रव्यास्तिका तत्र अशुद्धद्रव्यास्तिक बिं प्रकारनो। एक नैगम, बीजो व्यवहार। ए बिहुँने अशुद्धद्रव्यास्तिक कह्या तेहनो परमारथ कहइं छइ। अनंत परमाणु पुंजनें अनंत व्यणुक खंधने इम संख्यात असंख्यात अनंत प्रदेशीया खंधनइं एकगुणकालादि, द्विगुण कालादि, अनंकगुणकालादि संयुक्तनें तथा त्रिकालादि संयुक्तनें तथा त्रिकाल विषयनइं प्रत्येकिं प्रत्येकिं द्रव्य कहइं। अनेकता प्रतिपादक छइ ते माटइं अशुद्ध कहीइं। तथा संग्रहनय ते शुद्धद्रव्यास्तिक जाणवो। ते केवल परमाणुनें ज द्रव्य कहइं। ते पिण एक गुणकालादिक संयुक्त होइं तेहनइं ज द्रव्य कहइं, पिण द्विगुण कालादिकनो
Page #93
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
विनाश छइ ते माटइं द्रव्य किम कहीइं? ते माटें नित्य ते परमाणु ज छई। तेहनइं द्रव्य कहीइं ए द्रव्यास्तिकना त्रण भेद कह्या। ए तेरमी, चौदमी, पन्नरमी, सोलमी, सत्तरमी, अढारमी, ओगणीसमी, वीसमी गाथानो अर्थः॥ १३॥१४॥१५॥१६॥१७॥१८॥१९॥२०॥
(ढाल : २ प्रणमी श्रीगुरुना पयपंकज ए देशी) [मूल] ऋजुता सरलपणें कहें वस्तु, ते ऋजुसूत्र कहावें।
वर्तमानकालें जे वर्तइ, ते निज पर्यव भावई रे, भविका नय विचार मन धरीयई, जिम जन आणा वरीइं रे भविका० ॥२१॥ (२.१) अतीत अनागत परकीय जे वस्तु, तेहथी कार्य न सीझइं। गगन कमल परि असनादिक जे, तेहथी किम ध्रापीजइ॥ भ०॥२२॥ (२.२) द्रव्यादिक जे चार निक्षेपा, तेहमां भावने माने।
शब्दादिक द्वय नय पिण त्रिणने, सूत्र परिकरें कानइं भ०॥२३॥ (२.३) [बाला] हवइं पर्यायास्तिकना च्यार भेद कहें छई। तिहां प्रथम भेद ऋजुसूत्र ते कहें छई।
पच्चुन्नगाही उज्जसुओ नयविहि मुणेयव्वो। इच्छइ विसेसियरं पच्चुन्नं जओ सद्दो॥ ऋजु कहितां सरल कहियइं जे सरलपणे वस्तुनें कहें ते ऋजुसूत्रनय कहीयें।
अथवा ऋजुश्रुत पिण कहीइं। ए नय समस्त ज्ञानमाहिं एक श्रुतज्ञाननइं ज वांछइं। बीजां बिहुं ज्ञान थकी मुख्यवृत्तिं तेहनो प्रायइं परोपकारनो कारण नथी जणा, श्रुतज्ञान ज सर्वजीवनें हितनुं कारण छइ तिणि कारणइं ऋजुश्रुतनय पिण कहीयइं। ____ हवइं ऋजुसूत्रनो ज अर्थ विस्तारइं छइं ते किम? जिम एक वस्तुनें विषइं अनंत पर्याय कहीयइं छइ। विणठा जे पर्याय ते वर्तमाननी अपेक्षाइं वक्र छइं सांप्रत भासता नथी ते माटइं। तिम अनागत पर्याय हजी ऊपना नथी ते पिण वर्तमानकालथी वक्र छई। वक्र कहितां प्रतिकूल काहता त स
| वक्र छई। वक्र कहितां प्रतिकल कहितां ते समयने भजता नथी सरल तेहि ज जे पर्याय वर्तमान वर्तमान कालई वर्तइ छ। वर्तमान समयनइं अनुकूल छे। ते पिण पोताना पर्याय लेवा, बीजी वस्तुना नही। ते कार्यसाधक नथी पोताना पर्याय साधक छइं, स्वकीय धनवत्। जिम पोतानी गांठई धन वर्तइं छइ। तेहथी कार्यसिद्धि हुई छइं, पिण पराया धनथी कोइ गरज सरती नथी। एतलई वर्तमानकालई वर्ते छई। जे पोताना पर्याय तेहनें ज अस्ति रूपइं कहइं, पिण बीजानें न कहई। ऋजुसूत्रनो एशब्दार्थ जाणवो।
तथा वली ऋजुसूत्रनय लिंगनो भेद मानइं नही। शब्दनई विषइं लिंग त्रण प्रकारचें छई। पुल्लिंग (१), स्त्रीलिंग (२), नपुंसकलिंग (३) ए संसारमांहि जेतला शब्द छे ते त्रिणिं लिंगई करी बोलीयइ छई। ते मध्ये घट-पट-भटमुकुटादिक शब्द पुलिंगई छई, पुल्लिंग वाचक छइ। भलो घट छइ, भलो पट छइं इम अर्थनी ध्वनि ऊपजें छइं। तथा हेला-शाला-मालादिक शब्द स्त्रीलिंग वाचक छइ। भली शाला छे, भली माला छइं इम अर्थ प्रगट छई। तथा मूलफल-पत्रादिक शब्द नपुंसकलिंग वाचक छइं। भलु फल छइं इम अर्थ थापइ। ते निपुण बुद्धिना धणीनें पूछिज्यो, अथवा व्याकरण भणज्यो जिम खबर पडंइं।
Page #94
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
एहवो लिंगभेद यद्यपि भासें छे पिण ऋजुसूत्रनय न माने ते कहें छे। जिम कोइ एक समुद्र नदी सरोवर प्रमुखना उपकंठनें तट कहिये छ। ते तट त्रिण्हें लिंगे छ। अर्थ भेद पिण भिन्न भिन्न कहई छई, पिण वर्तमान समय कालमांहिं भेद न कह्यो अनइं ऋजुसूत्र तो वर्तमान कालने ज कहें छइ, बीजो कोइ भेदांतरनै कहितो नथी। बीजा घणाइं भेद छइं पिण वर्तमान समयमांहि तो कोई भेद नथी। ए परमार्थ जोतां लिंगभेद न घटइं ऋजुसूत्रने विषइं।
तिम वली वचन भेद पिण मानें नहि। वचन पिण व्याकरणइ तीन कह्या छई। एकवचन (१), द्विवचन (२) बहुवचन (३) एकोऽस्ति, द्वौ स्तः, बहवः सन्ति ए वचनभेद यद्यपि वस्तुनई विषई भासें छइं पिण वर्तमान समय एक ज छइं ते माटें ऋजुसूत्रनय वचन भेद न मानें।
तथा नाम, स्थापना, द्रव्य, भाव ए च्यार निक्षेपा न मानें। नामइंद्रनइं इंद्र कहइं, थापना इंद्रनें इंद्र कहें, द्रव्य इंद्रनें इंद्र कहें, भावइंद्रने पिण इंद्र कहें। वर्तमानकाले जे निक्षेपो वर्ततो हुंइं तेहनें तिम कहें। ऋजुसूत्र वर्तमान समयग्राही छई। पिण योग्यायोग्य शब्दार्थ ग्राही नथी।
चतुर्णां निक्षेपाणां मध्ये आद्यास्त्रयो द्रव्यास्तिकनये भावनिक्षेपस्तु पर्यायास्तिकनये इति तत्त्वार्थे। ऋजुसूत्र भावनिक्षेपो ज माने, बीजा न मानें।
अत्र प्रसंगथी च्यार निक्षेपानो अर्थ विस्तारइ लिखीयई छई। पहिलो नाम निक्षेपो (१), बीजो थापनानिक्षेपो (२), त्रीजो द्रव्यनिक्षेपो (३), चोथो भावनिक्षेपो (४)। निक्षेप कहितां रचना कहीयें, निधि कहीइं।
ते मध्ये प्रथम निक्षेपानो अर्थ लिखीये छई। जे अन्य अर्थनइ विषई रह्यो हुई, अर्थशून्य हुई, बीजाना पर्यायनें कहें नही, पोतानी इच्छाई करी कह्यो हुई एहवं जे वस्तुनुं नाम तेहनई नाम निक्षेपो कहीयें। तत्र दृष्टान्तः—जिम कोइक गोपाल दारक- इंद्र एहवं नाम छइं पिण ते नाम सौधर्मा सभाने विषं वर्ते छइं, बत्तीस लाख विमानना अधिपतिनें घटे पिण ते दरिद्र ग्वालणीना बालकनें न घटें ए नामगुणनिष्पन्न भावेंद्रने ज घटें पिण निर्गुण नामनें विषं न घटें गर्वगहेली माताई मोहांधकार व्याकुलचित्तथकी आयणीपुसीइं नाम दीधुं छई पिण परमार्थ कोइ नथी एतलें भावशून्य ते नामनिक्षेपो कह्यो इति नामनिक्षेपो। (१) __ हवें स्थापनानिक्षेपानो अर्थ लिखीयें छं। भावरहित हुई पिण भावपणानो अभिप्राय कल्पीने मांडी हुई तेहनें थापना कहीइं। ते थापना बे प्रकारनी। स्थापना-द्विधा स(द्)भूतस्थापना असद्भूतस्थापना च। सद्भूता यथारूपं प्रतिबिम्बम् असद्भूता अक्षादिषु गुरुस्थापना। तत्र दृष्टान्तः– जिम कोई एक मोही प्राणीइं पाषाणनी मूरति घडावी मस्तकें मुकुट पहिरावी, कानें हुंडल घाली, कोटि हार घाली, हाथें वज्र आपी, वस्त्र विभूषित करी थापी ते ऊपरिं तन-धन-मन समर्पण करें छइं जे माहरें इंद्र एहि ज, एहनी सेवा भक्ति गुणग्राम कीधां सकल वांछितनी प्राप्ति होइ इम जाणी सेवां करे छे पण मूरति पाषाणनी छे, तेणें कांइ शुभाशुभ कर्तव्य जाणवू नथी, जे जाणहार छे ते तो भावेंद्र छे, सौधर्मा सभानें विषं विराजें छई। ते भणी परमार्थ जोतां थापना पिण मोहनी कल्पना छई।
तथा अत्र कोइ पूछिस्थे— नाम थापना बेमांहिं भेद किस्यो छइं? अर्थशून्य तो बेहुं छे ते माटें अभेद कहो। तेहनें इम कहिइं—नाम-थापनामांहिं अर्थथकी भेद नथी, पिण कालथी भेद छे। नाम ते यावत् काल तांइं नामधारक वस्तु रहइं तावत्काल तांई तेणिं नामइं बोलावीजई छई। एतलें नामनो क्षणे क्षणे परावर्त न थाइं यथा मेरु जंबूद्वीप
Page #95
--------------------------------------------------------------------------
________________
७२
नयामृतम् - २
मगधादिक नाम छइं। ते जां तांइं द्वीपदेशादिक छई तां तांइ इणि ज नामई कहीसई इम देवदत्त - यज्ञदत्तादिक नाम छइं जा ताइं ते पर्याय जीवइं धर्यो छइं तां तांइं तेणि नामें बोलावीयइं पिण ते जीवतां थकां विचिमांहि नाम लोपातुं नथी। अत्र कोई एक पूछिस्यइं—कोइ एक नाम पिण विचिमांहि लोपातुं दीसई छ । जिम कोइ एकनुं नाम बालावस्थानें विषं धनपाल हतुं पछइं केतलेंक दिवसें लोकें पिंडपाल नाम दीधुं । ते माटें नाम पिण लोपातुं दीसें छें। तेहनें इम कहीइं —अरे! भाई! ते कह्यं ते खरुं पिण घणे ठामें नाम यावत्काल ताइं रहितुं दीसे छें अनें कोइ नाम फिरतुं दीसइ छइं। ते माटें ए विचार अत्र न लेवो । आचार्यनी विवक्षा नथी। अत्र ते नाम यावत्कालीन हुइं तेहि ज लेवुं। तथा थापना पिण यावत्काल न हुई अल्पकालनी पिण हुई ऋषभ (१), चंद्रानन (२), वारिषेण (३), वर्द्धमान (४) इणि नामइ जिननी थापना नित्य विमान भवनपर्वतादिकनें विषें कहीइं छें तेहनी आदि नथी अनें अंत पिण नथी।
अत्र कोइ पूछिस्यें—'स्थाप्यते इति स्थापना' जे थापी हुई तेहनें थापना कहीइं एहवो थापना शब्दनो अर्थ प्रगट छें व्याकरणशास्त्रे अनें ए तो कोइ पुरुष अथवा देवताई थापी नथी जेहनी आदि न लाभे ते थापी पिण किम कहीइं? तेहनें इम कही – अरे ! भाई ! थापना शब्दनो अर्थ बीजो पिण छें। 'अर्हदादिरूपेण सर्वदा तिष्ठतीति स्थापना ' अर्हदादिकनें रूपें करी सर्वदा रहइ छइं ते थापना कहीइं ए अर्थ थापना शब्दनो नित्यनें विषं करिवो, अनित्यनें विष पूर्वि कह्यो ते अर्थ लेवो।
अत्र कोइक पूछिस्यें— एतो पुद्गलद्रव्य विश्रसापरिणामें करी तेहवें आकारइं परिणम्या छई अनें पुद्गलपरिणाम ते असंख्यातकाल उपरांत रहइ नही ए वस्तुनी आदि अंत नथी कहिता ते स्या माटइं? तेहनें इम कहीइं—स्याद्वादमतनें अनुसारइं असंख्यातकाल पछी ते पुद्गल अपर परिणाम भजें छें। वली तेहनें ठामइं बीजा पुद्गल तेणि वर्णे तेणें गंधें तेणें रसें तेणें फरसें तेणें संस्थाने तेतला नवा आवीनें संक्रमें ते माटें तदाकारपणें शाश्वता छें। पिण तेहि ज पुद्गल कांइ अनादि अनंत काल तांइं रहिता नथी । अनंत पुद्गलनो चयोपचय होइ रह्यो छइं। तथा चोक्तं जीवाभिगमे
तत्थ अणेगे जीवा य पुग्गला य चयंति उवचयंति। इति नित्य स्थापना।
हवइ अनित्य स्थापना कहि छ । जिम कोइ एक बालकें लाकडीनो घोडो थापी ते ऊपर चढीनें केतलाइक काल तांइं रामति कीधी । पछें वली तेहि ज लाकडानो हाथी थापीनें रामति कीधी। पोतानी जिम जिम इच्छा थाती गई तिम थोडा कालमाहिं घणी भांतिनी थापना फेरवीं । इम वली कोई एक बालकीइं वस्त्रनी ढूली करी गहिणें वस्त्रें शृंगारीनइं दीकरी थापी। क्षणांतरिं बहु बहिंन खोत्री सखी प्रमुखनी कल्पना मोहदशाइ करी फेरवी ए अनित्य थापना। हवें द्रव्यनिक्षेपो कहे छें। अतीत अनागत पर्याय तेहनुं कारण तेहनें द्रव्य कही । यदुक्तम् अनुयोगद्वारवृत्तौभूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके। तद्द्रव्यं तत्त्वज्ञैः सचेतनाचेतनं दृष्टम्।। इति वचनात्। तत्र दृष्टान्तः– जिम कोई एक राजानो प्रधान मुद्रा सुंपी छइ । पछई वली केतक कालई मनोभंग थयो। तिवारइं राजाइं तेहनी प्रधानवटी ऊतारी राजमुद्रा पाछी लीधी । तिवार पछी पिण सहुको लोक तेहनें प्रधान कहें छें। ए अतीत पर्यायनुं कारण कह्युं हवई । अनागत पर्यायनुं कारण कहई छ । जिम कोई राजपुत्र अत्यंत रूपवान छई मोटी निलाडवटी छ, विशाल नेत्र छें इत्यादिक बत्तीस लक्षणें विराजमान छ । जनमपत्रिकामध्ये राजयोग माल-
Page #96
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
७३
बीजा पिण औदार्यधैर्यादि गुणवंत छ । राजाई पिण युवराज पद दीधुं छ । तिवारे लोक तेहनें इम कहें छइ जे ए राजा हुस्यें। यद्यपि हवणां राजा नथी पिण आगलि राजा हुस्य । ए अनागतपर्यायनुं कारण कह्युं। इम अचेतन पिण अतीत अनागतपर्यायनुं कारण छइं तेहनें द्रव्य कही । अतीत जे घट-घटी- शरावप्रमुख पर्यायनुं कारण मृद् द्रव्य छइं। एहनें विषें ए पर्याय पूर्वी हूता तथा अनागत जे कपाल-मालादिक पर्याय तेहनुं पिण कारण एहि ज मृद् द्रव्य छें। एहनें विषें घट-घटी प्रमुखपर्याय होणहार छे । एतलई भावशून्य ते द्रव्यनिक्षेपो जाणवो। भाव ते वर्तमान पर्यायनइं कहइ छइं। इति द्रव्यनिक्षेपः।
हवें भावनिक्षेपो कहे छइं। वर्तमान पर्यायनें भाव कही । जे भावई करी वर्तइ छें तेहनें भावनिक्षेपो कही । तत्र दृष्टान्तः– जिम कोइ जीवद्रव्य पुण्यप्रकृतिनें उदयें सौधर्मा सभानें विषदं इंद्रपणें वर्ते छ । बत्तीस लाख विमानवासी सुर ओलगइं छइं तेहने इंद्र कही । इम अरिहंत पिण तेहनें कहीइं जे ज्ञान-दर्शन-चारित्रें करी विराजमान होइं, चोत्तीस अतिसय, पात्तीस वचनातिशय, अष्ट महाप्रातिहार्ये करी शोभायमान तेहनें अरिहंत कही । इम चक्रवर्ति-बलदेववासुदेव तेहि ज विद्यमानपणें हुई पिण नाम, स्थापना, द्रव्यनई न कहिइं, तेहथी गरज सरती नथी। जिम कोइकनुं नाम अमर छइं। पिण ते तो मरण पामें छें। तथा नाम धनपाल छई अनें पेट पोतानुं पिण भरी सकतो नथी इत्यादिक नामथी परमारथ को न पामीइं। इम थापना पिण विचारवी जिम पाषाणनी पूतलीनां स्त्रीसरिखा अंगोपांग छइं पिण तेह थी कामी पुरुषनी गरज सरती नथी । इम पत्थरनी गाय-भैंस लाकडाना घोडा - हाथी प्रमुखथी कार्यसिद्धि नथी थाती। इम द्रव्य पिण विचारी लेवो। जिम कोइक बालकनी माता मरी गई छें तेहनें आंचलें धाव्यें दूधनी प्राप्ति न हुइ। तथा कोइ पुरुष रूपपात्र राजानी स्त्री देखी व्यामोह पाम्यो ते ऊपर कोई ज्ञानी गुरु पूछ्याथी कह्यो– ए नारी आवते भवें ताहरी स्त्री होस्यें। इम सांभली खुसी थयो पिण तेहनें जाइ मिलाइ नहि। तथा कोइ पुरुषनी स्त्री मरीनइं राजानें घरे कन्या हुई छइ। एकदा समयइं ते पुरुषनी दृष्टिं पडी महामोह पाम्यो पूछयुं कोई गुरुनें जे ए ऊपर माहरो मोह तेस्यां माटइं? गुरु कहइं ज्ञानबलई ए ताहरी पूठिले भवें स्त्री हुती । ते सांभली प्रमोद पाम्यो पिण राजलोकमध्ये जाइ मिलाइ नही। तें माटइं द्रव्यथी पिण सिद्धि नही, गरज तो केवल भावथी सरें छइ ।
अत्र कोइ पूछिस्यइ—जो पहिलां तीन निक्षेपाथी सिद्धि नथी तो प्रतिमा स्यानें मानो छो? तेहनें इम कही — जे भावें वीतराग ओलखिस्यें ते वीतरागनी मूरतिनें पिण ओलखि तेहनें प्रतिमाथी परमार्थ दिशा आवई।
वली कोई पूछिस्यें—–जो भावई वीतराग ओलख्यो छें तो वली थापना मानवानुं स्युं काम छइं? एह तो मोहदशानुं कारण छ । तेहनें इम कही — जे समकिती जीवई कांइ सकल मोहकर्म जीतां नथी ते माटें समकिती जीवइं वीतरागनी मूरति भरावी छें। तेहनें देखी देखीनें वीतरागनई याद करई छ । विधिसुं द्रव्यस्तव भावस्तव करें छइं। द्रव्यपूजाथी पुण्य उपार्जई भावपूजाथी निर्जरा करइ छें। भावो हि कारणं पुंसां भणितो बंधमोक्षयोरिति
वचनात्।
ए च्यार निक्षेपा ऋजुसूत्रनय न मानें। ऋजुसूत्र वर्तमान समयग्राही छ । तथा एक वस्तुना घणा नाम छइं। यथा वनमाली, बलिध्वंसी, कंसाराति इत्यादिक कृष्णनां नाम छ । पिण पर्याय सर्वना भिन्न छ । वनमाला कंठें छई ते माटें वनमाली कहीयइ छ । बलिनें मार्यो ते माटइं बलिध्वंसी कहीइ छें । इत्यादिक पर्यायार्थ ऋजुसूत्रनय कहें। वर्तमान समयनें ज कहें अर्थभेद विचारतां वर्तमानपणुं वही जाएं। एतलई गुणनिष्पन्न नाम ऋजुसूत्रनय कह्यो।
Page #97
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
अयं हि सदपि द्रव्यं न ज्ञापयति। क्षणध्वंसिनः पर्यायान् तु प्रधानतया दर्शयति। यथासुखं सम्प्रत्यस्तीति अनेनात्मानम् अवगणय्य सुखाख्यं पर्यायमात्रं प्रदर्श्यते इति ऋजुसूत्रनयः। ए बीजी ढालनी पहिली, बीजी, त्रीजी, गाथानो अर्थः॥१॥२॥३॥ [मूल] भाषावर्गणा रूप जे पुद्गल, ते शब्दनय कहीयइं।
तेणिं सकल पदारथ तेहनी, वाच्य वाचकता ग्रहीइं रे॥ भवि०॥२४॥ (२.४) शब्दनय पर्याय अनेकइ, एक ज अर्थ प्रकाशें।
जिम घट कलश कुंभादिक शब्दइं, केवल घट मनि भासइ रे॥ भवि०॥२५॥ (२.५) [बाला.] हवें शब्दनय कहे छ। शब्दनयो यथा बभूव, भवति, भविष्यति सुमेरुरिति। अत्रातीतानागतवर्तमानकालत्रयभेदात् कनकाचलस्य पर्यायत्वेन भेदं शब्दनयः प्रतिपद्यते। द्रव्यरूपतया त्वभेदमेव। समभिरूढस्तु पर्यायभेदेऽर्थस्यापि भेदं मन्यते यथा इन्दनादिन्द्रः शकनाच्छक्र इति। समभिरूढस्तु इन्दनादिक्रियायां स[त्यायामस]त्यायां च इन्द्रादिव्यपदेशं लभते। एवम्भूतस्तु इन्दनादिक्रियां कुर्वन्तमेव इन्द्रादिव्यपदेशमभ्युपगच्छति। उदा(ह)रणं यथा इन्दनक्रियामनुभवन्निन्द्रः शकनक्रियापरिणतः शक्र इति। ___ एते शब्दादि त्रयो नयाः शब्दस्य प्राधान्यं मन्यन्ते, न त्वर्थस्य अत एते शब्दनयाः। यत्र शब्दव्यवस्था तत्रैवार्थवाच्य इति। ____ भाषावर्गणा रूप पुद्गलनो परिणाम ते शब्द कहीइं। तेणिं करी पदार्थनइं वाच्यवाचकभाव संयुक्त कीजें छइं। अर्थनइ अप्रधान मानें शब्दनै प्रधान मानें ए धर्म माटे शब्दनई विषइं शब्दनयनो उपचार कीजें। उपचार ते आरोप कहीइं। अन्यत्र स्थितस्य वस्तुनः अन्यत्रारोप उपचार इति वचनात्। जिम कोइ एक पुरुष विषई क्रूरगुण देखीनें सिंहनो उपचार कीजें छई। जे पुरुषसिंह छई तिम अत्र पिण शब्दनें विर्षे अर्थनी अप्रधानता अमें शब्दनी प्रधानता। तथा ऋजुसूत्रथी ए नय शुद्ध छे। ते देखीने शब्दनै विषइं शब्दनय कहीइं। ए शब्दनय पिण वर्तमान पर्यायनइं कहें, अतीत अनागत पर्यायनें न कहइं छई। ऋजुसूत्र लिंगवचननें भेद न कहइं, शब्दनय लिंगादि भेद कहइ छ। जिम तट शब्द पुल्लिंगई, तटी स्त्रीलिंगई, तटं नपुंसकलिंगई ए अर्थ ते एक ज बोलई छइं, पिण उपचार करता लिंगभेद साक्षात् भासई छई। इम वचनभेद पिण छइं। एको नरः, द्वौ नरौ, बहवो नराः तथा देवः, देवता, दैवतं ए त्रिणि शब्दनी प्रवृत्ति भिन्न कही छई। अनइं ऋजुसूत्र तो एक प्रवृत्ति कहइं ते माटइं ए नय शुद्ध जाणवो इति शब्दनयः। ए चोथी पांचमी गाथानो अर्थः॥४॥५॥ मूल] समभिरूढ नय पर्यवभेद, अर्थभेद पिण बोलें।
कुंभादिक जे घट पर्याया, ते घट पट सम तोलई रे॥भवि०॥२६॥ (२.६) जो पर्यव भेदें नवि होवई, अर्थ भेद तो कहीइ।
तिम घट पट पर्यायनें सघलइं, तिहां पिण भेद न लहीइ रे॥भवि०॥२७॥ (२.७) [बाला.] हवें समभिरूढ नय कहें छइ। जेतलाइक नामना पर्याय शब्द छे, ते सर्व भिन्न भिन्न अभिधेय कहें छई। ए समभिरूढ नय कहीइं। ते किम? जिम इंद्रना पर्याय नाम घणा छइं शक्र, पुरंदर, शचीपति इत्यादिक नाममाला मध्ये ए सर्व इंद्रनां नाम छ। पिण पर्याय जुजुआ ते कहै छेइ— यथा शक्नोतीति शक्रः शक्तिवंत ते शक्र
Page #98
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
कहीइं। पुरं दारयतीति पुरन्दरः। इन्दति परमैश्वर्यं प्राप्नोतीति इन्द्रः। इम सर्व नामनी व्युत्पत्ति भिन्न छई। व्याकरण भण्ये खबरि पडें शब्दज्ञान वांछै। तेव्हने व्याकरण प्रमुख भण्यां जोइइं। श्रीअनुयोगद्वारसूत्रे बत्तीस दोष वर्णया छइ। तिहां ए परमारथ चाल्यो छ। जे शब्दशास्त्र, न्यायशास्त्र भण्या विना सिद्धांत वांचैं जुठं सद्दई छइ ते माटैं। यदुक्तं सम्मतौ
चरणकरणप्पहाणा, ससमयपरसमयमुक्कवावारा। चरणकरणस्स सारं निच्छयसुद्धं ण याणंति॥
तथा निपुणबुद्धीइं ए नय चित्तमां धरवो। जेतला एक शब्द छै, ते सर्व भिन्न भिन्न पर्यायनें कहेंइ छई। तथा ते सर्वनें विर्षे एकार्थवाचकता मानीइं तो अतिप्रसंग तथा संकरदोष लागई। अतिप्रसंग ते स्युं कहिइं? हवइं अतिप्रसंगनो अर्थ कहें छे। विजातीयेषु शब्देषु एकार्थप्रसञ्जनमतिप्रसङ्गः। विजाति शब्दने विषई एक अर्थ मांनीइं तो सर्व शब्दमात्रनो एकज अर्थ हुइ जाइ। परस्परभिन्नार्थानामेकत्रावस्थानं सङ्करः। एम अनेक दोष लागई। स्यादवादवादीने पुछी लेज्यो इति समभिरूढनयः ए छट्ठी, सातमी गाथानो अर्था।६॥७॥ मूल]
शकन क्रिया करतो हई शक्र, इंदनक्रिय(या) थी इंद्र। तदभावइं शक्रादि न मानें, एवंभूत नयेंद्र रे॥भवि०॥२८॥ (२.८) जो कारिज अणकरतो ताहरें, एवंभूत अणुसरवो तो।
व्यपदेश घटादिकनो पिण, न घटइं पटनइ करवो रे॥भवि०॥२९॥ (२.९) [बाला] हवें एवंभूत नय कहइ छ। जे शब्द जेहथी क्रियानें कहें छे ते क्रियानें भजतो हुंइ। तिवारें जेहनें नामें करी बोलावींइ तेहनें एवंभूतनय कहियें। ते किम? जिम एक घट शब्द छै। तेहनो अर्थ चेष्टादि क्रिया लक्षण हैं। चेष्टा ते क्रिया कहियें। घट चेष्टायामिति वचनात्। काइ एक नवयुवति जल भरवा गई छइ। निर्मल जलस्युं कुंभ भर्यो छै, सुंदर इंढोवणि नीचें धरी । सर्व दिशिने विषै जलख्यु कुंभ भर्यो आई कह्यो छ। ते घट मस्तकनइ विर्षे धरीने निर्भय साहंकार थकी लीलाइ बांह लोडावती पणघटे चालिं पावें छई। चालतां नरनें मंगलिक सुचती थकी इत्यादिक क्रिया सहित हुइ तिवारै घट कहिइ, पिण एहवी क्रियाए (र)हित खाली घटनें घट न कहिए। इम शक्रपरंदरादिक शब्द पिण जाणवा। जे जे शब्दनो जेहवो जेहवो अर्थ छडं ते ते अर्थनें भलै तिवारें तेहनें तिणे नामिं करि कहै। शक्र तेहनें ज कहीइं जे शक्तिनें फोरवतो हुई, पुर नामा दैत्यनइं मारें तिवारहे पुरंदर इम अर्थनें न भजइं तिवारें शक्रादिक न कहिथें। ए समभिरूढ थकी एवंभूत नय शुद्ध छैइ।
ते एवंभूत नय तथा ए सात नय अवधारण सहित हुई ते दुर्णय जाणवा। अवधारणं ते जे एक कोइ नय हाथि लीधो 3 तेहनें ज मानें बीजा नय सर्वत्र थापी नाखई तिवारे ते दुर्नयवादी कहिइं। अवधारण रहित हुई तिवारें सुनय कहीयें। एक कोइ नयनें कहैं तिवारें बीजा नयनें विषं उदास भाव राखें पिण जडमूल खी नहि तिवारै सुनय कहिइं। ए सात नय संयुक्त वीतरागमत स्याद्वाद कहिएं जिहां एकांतवाद तिहां जिनमत नही। तथा बौद्ध १ क्षणिकवादी छइ। नैयायिक कर्तावादि छइ २। सांख्य ३ सप्तति प्रत्यियवादि(सत्प्रतिपत्ति)। मीमांसक कर्मवादी छइ ४। चार्वाक ५ नास्तिक ए पांच मत जांणवां। एहना विस्तार श्रीहरिभद्रसूरिकृत षट्दर्शनसमुच्चयनी टीकामां छई। ए आठमी, नोमी गाथानो अर्थ॥८॥९॥
Page #99
--------------------------------------------------------------------------
________________
नयामतम-२
[मूल]
प्रस्थक वसतिं पएस , दृष्टांतइं हुइ यथोत्तर। शुद्ध ए सवि मेली अर्थ विचारें, जैन मती ते बद्ध रे॥ भवि०॥३०॥ (२.१०) नय एकांत लेइ जे चालें, मिच्छावादि तेह । तेहनां वयण न सुणीयें कांने, धरीयें सुमकित रेह रे॥ भवि०॥३१॥ (२.११) माहोंमाहें नित्य विरोधी, नय सघला छे स्वामी। चक्री नृप परि पिण नित्य सेवें, तुझ आगमशिर नामी रे ॥ भवि०॥ ३२॥ (२.१२) नय योजन कुसुमइं म्हि पूज्या, वीरजिनेसर भावें। पंडित उत्तमसागर सेवक, न्यायसागर गुण गावे रें॥ भवि०॥ ३३॥(२.१३)
कलस
जय वीर जिनवर सयल सुखकर दुरित दुक्ख निवारणो, नय वयण रयणिं चरण पूजित नयन अमृत पारणो। तपगच्छ ताजा वड दिवाजा श्रीउत्तमसागर बुधवरो, तास सीस पभणे न्यायसागर सयल संघ मंगल करो॥३४॥(२.१४)
॥इति नयाः॥ हवें ए सात नय प्रस्थक (१), वसति २, प्रदेश ३, दृष्टांतें करी अवतारइ छ । तत्र प्रस्थक ते धान्य भरवानो माप कहीइ। कोइ देशइ टोइओ अथ पाली अपर नाम कहइ छ। कोई सूत्रधार प्रस्थक घडवानें काजें कुठार हाथि लेइ वन भणि चाल्यो छुइ। तेहवें एक पुरुष सन्मुख मील्यो तिणें पूछयो—तुं किहां जाइस? तिणें असुद्ध नैगमवादी हुइ उत्तर कह्यो हुं प्रस्थक छेदवा जाउं छु। एहनें विर्षे घणा गमा भासें छइ। प्रस्थक तो घणे कालें निपजसैं तिवारे पहेली केटलाइ व्यवसाय करस्ये पिण कारणने विषइं कार्यनो उपचार हैं। कारण ते काष्ट अमें कार्य ते प्रस्थका कारणथी कार्य ऊपजावणहार छै। ते मात्रै उपचारिं करी कहुं जे प्रस्थक छैदवा जाउं छु।
तथा सूत्रधार वनमांहि जाइ काष्ट छेदवा लागो तिवारें वलि कोइ पुरुषं पूछ्यौ—तुं स्यूं छेदें छइ? तिवारें कहुं हुं प्रस्थक छेदं छु। कारणनें विर्षे कार्यनो उपचार हैं। ते माटें काष्ट अमें कहें प्रस्थक छेदूं छु। ए पहिला नैगमथी कांइक शुद्ध छई। कांइ एक प्रस्थकनें ए क्रिया ढुकडि ते मांटे। ___ तथा वासलातूं ते सूत्रधार काष्ट छेदें घटइ छ। तिवारै कोइ एके पूछ्यो—तुं स्यूं घडे छइ? तिवारें कहिउँ प्रस्थक घडं छु। ए बीजाथी शुद्ध छ। ___ तथा सूत्रधार वीजणे करी काष्ट उकेरतो हुतो तिवारे कोए एकइं पूछ्युं तुं स्यूं उकेरे छइ? तिवारे तेणें कडुं हुं प्रस्थक उकेरुं छु। त्रीजाथी शुद्ध छै। तथा सवली सरहाणइ चढ्यो देखीने पूछ्युं—जे तुं स्युं समारे ? तिवारे का—जे प्रस्थक समारं छु। ए चोथाथी शुद्ध छइ। इम जावत् प्रस्थक न नीपजें तावते जे जे वचन कहे ते सर्व नैगमनय कहिये।
Page #100
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
७७
इम व्यवहार पिण जांणवो। व्यवहार पिण नैगम समान छै। ते माटे भिन्न अवतारस्युं नही।
हवै संग्रहनो दृष्टांत कहेइ छ । सङ्गृह्णाति क्रोडीकरोति सामान्यरूपतया सर्वं वस्तु स सङ्ग्रहः । जिवारे संपूर्ण कंठ पर्यंत धांने करी भह्यो होए तिवारे ज तेहने प्रस्थक कहे छइ । संग्रह सामान्य धर्मनो ग्राहक छे। अन्न सामान्य धर्म एहि ज जांणवो। धान्यनुं जे मांन तेहनी मेयता कहिता प्रमाणता तेहनें भजे तिंवारें प्रस्थक कहिइ। पहिला बै नय नैगम अनइ व्यवहार तत्कारणिकभूत काष्टनें पिण प्रस्थक कहिता ते माटे अशुद्ध कह्या संग्रहनय एथी सूध जाणवो । प्रस्थक नीपना पछी पोता पोताने कार्य जे धांन्य मांनता रूपनें भजे तिवारें ज प्रस्थक कहि ।
हवइ ऋजूसूत्रनय कहियं छइ। धांन मापवानो हेतुभूत जे मापलो तेहने प्रस्थक कहइ तथा तेणे माप्युं जे धांननो ढिगलो ते तेहने पण प्रस्थक कहि । ऋजुसुत्रनय वर्तमान समय ग्राही हैं। संग्रहथी ए शुध छैं ते तिण कालइ ग्राहि छै। माटे अशुध जांणवो।
हवे शब्दादिक तीन नयनो एकठो ज दृष्टांत कहइ हैं। ए तीन नय शब्दनय छे। शब्द प्रधान मानें छइ पिण अर्थ प्रधान मांनता नथी। जिहां शब्दनी व्यवस्था छइ तेहने ज अर्थ कहे ते शब्द व्यवस्था तो प्रस्थक ज्ञानना उपजोगवंत पुरुषनें विषें रही छै। ते माटें पुरुषने प्रस्थक कहि । जेहवा जेहवा उपजोगने विषे जे ते प्राणी वर्ते छइ तिवारे ते ते उपजोगवंत कहिइ छै। जिम रागोपयोगने विषें वर्ते छइ तेहनइ रागी कहिये, विरागोपयोगने विषें वर्ते छें तेहने विषें विरागी कहिइ। तिम इहां पिण प्रस्थकनो उपजोगवंतनें प्रस्थक कहि ।
तथा प्रस्थक शब्दइं प्रस्थक निश्चयात्मक ज्ञान कहियें । ज्ञांननों उपजोग छैं ते तो चेतन धर्म छ । ते किम जडात्मक काष्ट भाजनने विषें हुई? तथा प्रस्थकः निश्चयात्मकमानमुच्यते निश्चयश्च ज्ञानं तत्कथं जडात्मनि काष्टभाजने वृत्तिमति भविष्यति ? चेतनाचेतनयोः सामान्याधिकरण्याभावात् तस्मात्प्रस्थकोपयुक्त एव प्रस्थक इति हेमचन्द्राचार्याः । ते माटें ए तीन नय करी प्रस्थक उपजोगी पुरुषनें ज प्रस्थक कहइ, पिण तदनुपजोगी काष्टभाजनने प्रस्थक न कहैं। चेतन धर्म उपयोग छै । इति प्रस्थक दृष्टांत ।
हवइं वसति दृष्टांतइं सात नय अवतारई छ । कोइ पाडलिपुरे वास्तव्य जिनने कोइक विदेशी नरें पूछयुं—तुं किहां वसें छइ? तिवारें तेणे कहुंऊ—लोक मध्यें वस्तुं छु। ए अशुद्ध नैगम इत्यादिक पूर्वि वसति दृष्टांतें भाव्यो छैं। तिम ज नैगम नय लेवो ।
हवे व्यवहार कहेंइ छें। व्यवहारनो दृष्टांत नैगमपणें जांणवो कांइ फेर नथी ते माटे त्रीजा ठामथी बीजे ट्ठामें भण्यो छैं। अत्र कोइक शिष्य पूछेंस्यै— जे छेहलो नैगमनो भेद लौकि[क] नये नहि घटैं। तें किम ? जो ग्रामांतरे न गयो हुइ तो कहियै जे घरे वस्यें हैं एहवो चरम नैगम छइ । अने व्यवहार तो ग्रामांतरें गयो छै तोहइ पिण इम कहिवाइ छइ—— देवदत्त पाडलिपुर नगरे ज वसे छै। तो ए नय नैंगम समान किम कहियें? तेहने इम कहियें— अहो! भव्यजन! व्यवहारनयें पिण एहवो ज कांइ नथी नियम नथिं जे ग्रामांतरें गयो छइ तोहि पिण वसतो ज कहियई लोक इमपि किवारेंकि बोले छें। देवदत्त एतला दिन पाडलिपुरें वसतों पिण हवणां ग्रामांतरें गयो छैं। एहवो व[च]न तो नैगम पिण कहावे छइ ते माटे नैगम सम जांणवो इति व्यवहारः ।
Page #101
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
___ हवे संग्रह कहे छइ। ते पुरुष जिवारें आसनादिकने विषं बेठो हुंइ तिवारे वसतो कहिइं, जिवारें चलनक्रिया भजे ॐ तिवारें वसतो न कहिये। इम सर्वत्र बे ठाने ज वसतो कहिइ इति संग्रहः। हवे ऋजुसूत्र कहे छइं आकाशनें विषइं तो घणा आकाश प्रदेश छइं ते माटइं सर्वनइं विषई वसतो न कहिइ, जेतला आकाश प्रदेश रोक्या छे तेतलाने ज वि वसे छ। ते पिण वर्तमान समये वसतो कहिये पिण अतीत अनागत कालें न कहिये। इति ऋजुसूत्रः। ___ हवें शब्दादिक त्रिण नय कहे छइ। ते पुरुष वसे 3 पिण आत्मस्वरूपें ज पिण परस्वरूपें नथी वसतों जे जे वस्तु वर्ते छइ ते सर्वे आप आपणे स्वभावें पिण परस्वभावें न कहिए। सर्वं वस्तुं स्वात्मन्येव वर्तते न तु आत्मव्यतिरिक्तेऽधिकरणे इति वचनात्। इति वसतिदृष्टान्तः।
हवे प्रदेश दृष्टांते सात नय अवतारें छई। जिम को एक पंडित मंडलीने वि प्रदेशनी चर्चा थाइं छे। तिवारे कोइ एक नवतरें पुरूषे पूछ्यो। ते प्रदेश केहा? तिवारें एक नैगमनय लैइ बोल्यो छनो प्रदेश। छ ते कुण? धर्मास्तिकाय (१), अधर्मास्तिकाय (२), आकाशास्तिकाय (३), जीवास्तिकाय (४), पुद्गलास्तिकाय (५), देश (६)। देश ति सकल द्रव्यनो भिन्न विवक्ष्यो छइ। ए छनो प्रदेश कहितां छ प्रदेश भाख्या ते माटें नैगम न कहीयइ।
तिवारें पछी संग्रहनय बोल्यो अरे! नैगम तुं छनो प्रदेश न कहें, पांचनो कहे। धर्मास्तिकाय (१), अधर्मास्तिकाय (२), आकाशास्तिकाय (३), जीवास्तिकाय (४), पुद्गलास्तिकाय (५) ए पांचनों कहैं, पिण छठो देश भिन्न न कहैं ते कोइ पंचास्तिकायथी जूयो नथी देश तो द्रव्यमांहें ज अंतर्भवि छइ। सामान्यपणे एक प्रदेश पांचनो कहइ।
हवें व्यवहार बोल्यो—अरे! संग्रह तुं इम म कहें जे पांचनो एक प्रदेश छै। पांचनो तो कहिये जो साधारण होइं पंचभर्तृनिधानवत्। ते माटे म कहैं पंचविध प्रदेशः प्रदेश पांच प्रकारनो छ। धर्मास्तिकायनो संबंधी (१), अधर्मास्तिकायनो संबंधी (२), आकाशास्तिकायनो संबंधी (३), जीवास्तिकायनो संबंधी (४), पुद्गलास्तिकायनो संबंधी (५) एवं पंचविधः।
प★ ऋजुसूत्र बोल्यो—अरे! व्यवहार तुं पंचविध प्रदेश कहै छइ तें म कहैं प्रदेश तो पंचास्तिकायने विर्षे हैं। ते एकेक प्रदेश पांच प्रकारनो कहीयें तो पांच पांचां पचवीस प्रदेश थाइं ते मा भाज्य प्रदेश कहें। भाज्य कहितां भजना एतलें एक प्रदेशने विषं पांच विकल्प छइं। यथा धर्मास्तिकायप्रदेश (१), किंवा अधर्मास्तिकायप्रदेश (२), अथवा आकाशास्तिकायप्रदेश (३), उत जीवास्तिकायप्रदेश (४), किंवा पद्लास्तिकायप्रदेश (५). एवं पंच विकल्प कहि।
पछै शब्दनय बोल्यो—अरे! ऋजुसूत्र तुं भाज्य प्रदेश कहै छै ति म कहैं इम कहेता एकनें पांचनी भजना हुस्यें, पांच पुरुषना सेवकनी परें। किंवारेक धर्मास्तिकायनो हुस्य, किवारेक अधर्मास्तिकायनो हुस्य। एम पांचनी भजना होस्यै के पांमस्यै ते माटें इम कहैं धर्मप्रदेशः, अधर्मप्रदेशः इत्यादिक पांचमांहिं एक कोइ एक निरधार करीनें कहइं।
पछइं समभिरूढे बोल्यो धर्मप्रदेशः कहेतां व्याकरणने विषं बें समास भासै छइ। एक तत्पुरुष (१), बीजो कर्मधारय (२), जो तत्पुरुष कीजें तो धर्मे प्रदेशो धर्मप्रदेशः इम कहितां धर्म अमें प्रदेशने विर्षे भेद पामें छे। भेदे तत्पुरुष इति वचनात्। अमें धर्मश्चासौ प्रदेशश्च धर्मप्रदेश इति कर्मधारयें धर्मद्रव्य विशिष्ट प्रदेश छइं ए समासं करता
Page #102
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
७९
धर्म अने प्रदेशने विर्षे भेद नथी पडतों। अभेदे कर्मधारय इति वचनात्। अत्र घणो विचार छइ। पिण अवैयाकरण पुरुषनई रस न ऊपजें ते मात्रै नथी लख्यो । ___ तिवारै पुठिं एवंभूत नय बोल्यो—अरे समभिरूढ तुं धर्मास्तिकायादिक. विषं देशप्रदेशनी कल्पना कहैं ते न घटें जो तुं देसप्रदेश कहें छइं ते स्युं धर्मास्तिकायथी जूया , किंवा एक छइं? जो तुं जूया मानीश तो किंवारेक जुआ पिण लाभस्य। अने देशप्रदेश तो खंधथी जूआ होइं नही अनें जो एक मानीस तो वली देशप्रदेशनी कल्पना स्याने कहैं छइ? समस्त धर्मास्तिकायने धर्मास्तिकाय कहइ पिण देशप्रदेशने न कहैं। इम अधर्मास्तिकायादिक पिण जांणवा। इति प्रदेश दृष्टांत। ए तीनइं दृष्टांते दृष्टांतई कंरि नय समझी लेज्यों। ए नय प्रीछीस्यो तो जिनेंद्रमत अनुकूल हौंसै। ए अर्थ दशमा काव्यनो छै।
उक्तञ्चनयास्तव स्यात्पदलाञ्छिता इमे रसोपविद्धा इह लोहधातवः। भवन्त्यभिप्रेतफला यतस्ततो भवन्तमार्याः प्रणता हितैषिणः॥ उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ! दृष्टयः। न च तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरिस्त्विवोदधिः॥ शुद्धद्रव्यं समाश्रिताः सङ्ग्रहस्तदशुद्धितः। नैगमव्यवहारौ तां शेषाः पर्यायमाश्रिता॥१॥ अन्यदेव हि सामान्यमभिन्नज्ञानकारणम्। विशेषोऽप्यन्य एवेति मन्यते नैगमो नयः॥२॥ सद्रूपतानतिक्रान्तं स्वस्वभावमिदं जगत्। सत्तारूपतया सर्वं सङ्ग्रह्णन्सङ्ग्रहो मतः॥३॥ व्यवहारस्तु तामेव प्रतिवस्तुव्यवस्थिताम्। तथैव दृश्यमानत्वाद् व्यवहारयति देहिनम्॥४॥ तत्र ऋजुसूत्रनीतिः स्याच्छुद्धपर्यायसंश्रिता। नश्वरस्यैव भावस्य भावोऽस्तीति वि(नि)योगतः॥५॥ अतीतानागताकारकालसंस्पर्शवर्जितम्। वर्तमानतया सर्वमृजूसूत्रेण सूत्र्यते॥६॥ विरोधिलिङ्गसङ्ख्यादिभेदाद्भिन्नस्वभावताम्। तस्यैव मन्यमानोऽयं शब्दः प्रत्यवतिष्ठते॥७॥ तथाविधस्य तस्यापि वस्तुनः क्षणवर्तिनम्। ब्रूते समभिरूढस्तु सञ्जाभेदेन भिन्नताम्॥८॥ एकस्यापि ध्वनेर्वाच्यः सदा तन्नोपपद्यते। क्रियाभेदेन भिन्नत्वादेवम्भूतोऽभिमन्यते॥९॥
॥इति श्रीसप्तनयश्लोकाः॥ ॥इति सप्तनयबालबोधसम्पूर्णः॥"
१.लेखकप्रशस्ति : लि. मुनीसुंदरलिपिकृतम्।।
Page #103
--------------------------------------------------------------------------
________________
नयामतम-२
(૨.)
ઉપાધ્યાયશ્રી યશોવિજયગણિરચિત
નયવિચાર સજઝાય પ્રણમું શ્રીશંખેસર પાસ, સમરું ગુરુગુણ-લીલવિલાસ, ધ્યાઉં હૃદય વલી શ્રુતદેવિ, નયવિચાર કેહસું સંખેવિ.|૧| પહિલો નૈગમ નય મન ધરો, બીજો સંગ્રહ ચિતિ અનુસરો ત્રીજો નય મોટો વ્યવહાર, ચોથો તે ઋજુસૂત્ર વિચાર.|રા પંચમ શબદ ધરે નિજ ટેક, સમભિરૂઢ છો સુવિવેક, એવંભૂત કહિઓ સાતમો, નામ સાત નયનાં મનિ રમોસા હવે કહયું વિવરો એહ તણો, જે જિમ માનેં તે તિમ સુણો, નૈગમ દીસે જેહ અશેષ, તે માટે સામાન્ય વિશેષ|૪|| વૃક્ષ કહું સામાન્ય જણાઇ, સહકારાદિક વિશેષ ઉપાય, દર્શન પ્રથમ લહે સામાન્ય, ઇહાપોહ વિશેષ જ સામાન્યાપા સંગ્રહ ન માનેં ઇક જાતિ, તરૂ વિણ કુણ નિંબાદિક ભાતિ, વિધ ગોચર છઇ સકલ પ્રમાણ, ભેદક વિકલ્પ અવિદ્યા ઠણા૬િIL માને નય વ્યવહાર વિશેષ, જેહની છે પરિણામેં રેખ, ગો દૂઝે ગો નવિ સામાન્ય, નામ ન લીજે ધાન્ય.II નય ઋજુસૂત્ર કહે જે અર્થ, તે ખિણભંગુર અન્ય અનર્થ, સ્વભાવભેદે કિરિયા-ભેદ, અર્થ એક કિમ કહિઇ વેદાZIL સંખ્યા લિંગ વિભેદઈ ભિન્ન, અર્થ શબ્દનય કહે અભિન્ન, સમભિરૂઢ નય વચનૅ હુઆ, ઇંદ્ર-પુરંદર-હરિ જુજુઆ||૯|| એવંભૂત કહે ઘટ તદા, નીર ભરીનેં આણાં યદા, બીજી વેલા ઘટ નવિ કહું, શબ્દ અરથ એક સરખા લહું ૧OIL એ વિવરો ભાખ્યો નય તણો, નવઇ તત્ત્વમાં એ વિધિ ગણો, સદગુરૂ-વયણે નિશ્ચલ રહો, કુવિકલ્પે શ્રદ્ધા મ મ દહો||૧૧|| ગીતારથ જાણે નય ઘણા, દાસ હુઈ રહિઈ તેહ તણા, તો મારગ-અનુસારી ભાવ, પામીજે ભવજલનિધિ નાવા૧૨ શ્રીનવિજ્ય સુગુરૂથી લહિયા, વાચક જસવિજયૐ નય કહિયા, એહ જાણી જે કિરિયા કરે, દુત્તર ભવસાયર તે તરે ૧૩||
ઇતિ નયસઝાય સંપૂર્ણમ્.'
૧. સં. ૧૭૮૮ મા.શુ.૨. ઉ. શ્રી યશોવિજયગણિશિષ્યાનુશિષ્યન લખિત
Page #104
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
(ર.૪) ઉપાધ્યાયશ્રી યશોવિજયગણિરચિત નયની અપેક્ષાએ સામાયિક
[[રાગ સોરઠ અથવા ધન્યાશ્રી]
ચતુર નર! સામાયિક નય ધારો. ટેક. લોકપ્રવાહ છાંડ કર અપની, પરિણતિ શુદ્ધ વિચારો. ચતુર નર! ||૧| દ્રવ્યત અખય અભંગ આતમાં, સામાયિક નિજ જાતિ, શુદ્ધ રૂપ સમતામય કહીયે, સંગ્રહ નકકી બાતિ. ચતુર નર! ||રા અબ વ્યવહાર કહે યે સબ જન, સામાયિક હુઈ જાએ, તાતેં આચરના સો માને, ઐસા નૈગમ ગાએ. ચતુર નર! IBIL આયરણા ઋજુસૂત્ર શિથિલકી, બિન ઉપયોગ ન માને, આચારી ઉપયોગી આતમ, સો સામાયિક જાને. ચતુર નર! ||૪|| શબ્દ કહે સંજત જો ઐસો, સો સામયિક કહિયે, ચોથે ગુનઠાને આચરના, ઉપયોગ ભિન્ન લહિયે. ચતુર નર! ||૨|| અપ્રમત્ત ગુણઠણે ઈર્યાકો, સમભિરૂઢ નય સાખી, કેવલજ્ઞાન દશા થિતિ ઉનકી, એવંભૂતે ભાખી. ચતુર નર! IIGII સામાયિક નય જો નહુ જાને, લોક કહે સો માને, જ્ઞાનવંતકી સંગતિ નાહી, રહિયો પ્રથમ ગુનાને. ચતુર નર! liા સામાયિક નય અંતરદષ્ટ, જો દિન દિન અભ્યાસું, જગ જસવાદ લહે સો બેઠો, જ્ઞાનતંતકે પાસે ચતુર નર! |૮|
Page #105
--------------------------------------------------------------------------
________________
नयामतम-२
(૨.૧)
હીરાચંદ ભણસાલી રચિત સપ્તનય દૃષ્ણતિક સીમંધર જિન સ્તવન. શ્રી સીમંધર સાહેબ સાચો, મારગ નયે દેખાડેજી ; સપ્તમયે દષ્ટાંત બેસાડી, સ્યાદ્વાદ અમી' ચખાડેજી|| શ્રી.||૧|| પાલ્યર્થે લાકડું લેવા જતાં, પાલી લેવા બોલેજી ; નૈગમ નયની વાણી જાણે, હૃદય ધરો મન તોલેજી શ્રી. રા' અંક માપ તણી જે વ્યાખ્યા, શાત્રે બહુ વિધ ભાખીજી ; સંગ્રહ નય તિહું કાળ સત્તા ગ્રહી, એક ગણત્રી દાખીજી શ્રી II લાવ દાતણ એ હુકમ સુણીને, પૂરી સામગ્રી લાવેજી ; જળ લોટો અંગુઠો મંજન, દાતણ સંગ્રહે પાવેજી. શ્રી.||૪|| સામાયક પૌષધ પડિકમણું, દેવ સેવા વ્યાપારેજી ; ચાકરી નોકરી કરતાં પેખી, વ્યવહાર કરણીજ' ધારેજીII શ્રી./પા બાહિર ગુણ દેખી કરે સેંચણ, બાહિર ગુણનો ગ્રાહીજી; અંતરંગ સત્તા નવિ માને, આચાર ક્રિયા અનુગ્રાહીજી'II શ્રી.[૬IL અતીત અનાગત કાળ અપેક્ષા, છંડી નિજ મત દાખજી; શ્રાવક ને સાધુ વ્યવહારે, સાધુ ઋજુસૂત્ર” ભાણેજી|| શ્રી.૭ ||
૧. અનેકાંત માર્ગરૂપી અમૃત. ૨. પાલી બનાવવા માટે લાકડુ લેવા જતાં તેને કોઈ પૂછે કે “તમે ક્યાં જાઓ છો?” તો જવાબમાં કહે કે “પાલી લેવા જાઉ છું.” એ તેનું બોલવું નૈગમ નયની
અપેક્ષાએ છે. ૩. શાસ્ત્રમાં ઘણા પ્રકારની અંક માપની વ્યાખ્યા દેખાડી છે. તે અંક માપ જે વસ્તુ યા જીવન વિશેષણ છે, તે વસ્તુ યા જીવના ત્રણે કાળના સ્વભાવ, યા પ્રદેશ
એકત્રિત કરી એક ગણત્રી સંગ્રહ નયની અપેક્ષાવડે દેખાડી છે. એટલે કે, અંક અને માપ સંબંધી જૈન સિદ્ધાંતમાં જે જે વ્યાખ્યા કરેલી છે, તે પ્રાયે ભૂત વર્તમાન,
અને ભવિષ્યની સત્તા વાચી હોઈ સંગ્રહ નયની અપેક્ષાએ કરેલી છે. ૪. નોકર યા ઘરનું માણસ “દાતણ લાવ, ” એવો શેઠ તરફથી હુકમ સાંભળતાં દાતણ, પાણીનો લોટો, મંજન, અંગુઠો વગેરે દાતણમાં ઉપયોગી દરેક ચીજ લાવી
હાજર કરે છે, એ સંગ્રહનયની અપેક્ષાએ સમજવું. ૫. વ્યવહાર નય કરણી અથવા ક્રિયાગ્રાહી હોઈ જે જેવી ક્રિયા કરે, જેવી કે સામાયકમાં બેઠેલાને સામાયક કરતો કહે, એ રીતે ક્રિયાવાચી છે. ૬. વળી તે વ્યવહાર નય બાહિર ગુણ દેખીને તે ઉપર જ પોતાનો મત દર્શાવે છે. ક્રિયા કરનારનાં અંતરંગ પરિણામ સારાં કે નરસાં છે, તે તરફ વ્યવહાર નય લક્ષ
આપતો નથી, પણ આચાર અને ક્રિયાને જ તે જુએ છે. ૭. ઋજુસૂત્રનય ભૂત અને ભવિષ્યનો વિચાર લક્ષમાં ન લેતાં ફક્ત વર્તમાન કાળમાં કોઇ શ્રાવક કે શ્રાવિકા જે પરિણામે વર્તતા હોય, તે પરિણામ ઉપર લક્ષ આપે,
એટલે કે, શ્રાવક સાધુને વ્યવહારે વર્તતો હોય, ઈરિયાસમિતિથી ચાલતો હોય, ભાષા સુમતિથી બોલતો હોય, સામાયકમાં વધારે વખત ગાળતો હોય, જમીને થાળી ધોઈ પીતો હોય, તે થાણીને વસ્ત્રથી કોરી કરી નાંખતો હોય, સચિતનો ત્યાગી હોય, મનને વસ્તુની વિભાવ દશામાં જવલ્લે પ્રવર્તાવતો હોય, વચન તોળીને બોલતો હોય, સાવદ્ય કામમાં કાયાને ન પ્રવર્તાવતો હોય, એવા એવા સાધુના ગુણ ચિત્ત સ્થિર રાખી, મન કાયમ કરી, વર્તનાર શ્રાવક યા શ્રાવિકાને ઋજુસુત્રનયની અપેક્ષાએ સાધુ કે સાધ્વી કહી શકાય.
Page #106
--------------------------------------------------------------------------
________________
गुजराती पद्यकृति
શુદ્ધાશુદ્ધ વિચારવડે જે', નિજ વસ્તુ નિરધારેજી; ઉપયોગવંતને જીવ કહે તે, ઋજુસૂત્ર નય ધારે શ્રી..||૮|| આતમ ગુણ અવરાયલ તેને, પ્રભુ દર્શને પ્રગટાવેજી; વસ્તુને વસ્તુગત જાણે, તે નય શબ્દ કહાવેજી.|| શ્રી. એ નય' જાણે કાર્યની સિધ્ધિ, ગ્રંથિભેદ તે હોવેજી; પૂર્વોપાર્જિત મિચ્છ પુંજને, અલ્પ સમયમાં ધોવેજી॥ શ્રી.||૧૦|| સિદ્ધાવસ્થા પામ્યા વિણ કહે, કેવળીને' તો સિદ્ધજી; સમભિરૂઢ તણી એ વ્યાખ્યા, જાણો જગ પ્રસિદ્ધજી|| શ્રી.|૧૧|| અર્થ ક્રિયાકા૨ી સત્પ્રસ્તુ, જે જિન આગમ ભાખીજી; તે વસ્તુને વસ્તુપણે પણ, એવંભૂતે' દાખીજી|| શ્રી.૧૨/ જળભર ઘટ પેખી સ્રી શિ૨ ૫૨, એવંભૂત ઘટ જાણેજી; નય સાતે દ્રષ્ટાંતે કરીને, હીરાચંદ પ્રમાણેજી શ્રી.૧૩||
૧. ઋજુસૂત્ર નય વસ્તુને શુદ્ધ અથવા અશુદ્ધ ઉપયોગવડે ગ્રહણ કરે છે.
૨. ઉપયોગવંતને જ જીવ માને છે.
८३
૩. શબ્દ નયના પરિણામે ચઢેલ પુરુષ યા સ્ત્રી પોતાના આત્મિક ગુણ જે કર્મનાં આવરણોથી ઢંકાઈ ગયા છે, તેને પ્રભુની પ્રતિમાના આલંબનવડે પ્રગટ કરી, વસ્તુને મૂળ સ્વરૂપથી પીછાણી લે છે.
૪. એ શબ્દનયને પરિણામે ચઢતાં જીવ ગ્રંથિભેદ કરે છે, અને વધારેમાં વધારે અર્ધ પુદ્ગલ પરાવર્ત જેટલો સંસારમાં ભ્રમણ કાળ તેને બાકી રહે છે. અને મિથ્યાત્વનાં દળીયાને થોડા સમયમાં ઉપશમાવે છે યા નાશ કરે છે.
૫. કેવળીભગવંતને સિદ્ધ કહી બોલાવે, તે સમભિરૂઢનયનું અપેક્ષાવાચી વચન જાણવું.
૬. વસ્તુના ભાવાર્થ સહિત તેનો જે ઉપયોગ થઇ શકે, યથાર્થ પરિપૂર્ણ રીતે થાય, એવી અસ્તિ ધરાવનાર વસ્તુને (છતાંપદને) વસ્તુપણે માને-ગ્રહે તે એવંભૂત નય. માટીયા ધાતુનો ઘડો પાણીથી ભરી, તેને કોઈ સ્ત્રી માથે મૂકી ઘેર લાવતી હોય, ત્યારે પાત્રને એવંભૂત નય ઘડો કરી કહે.
Page #107
--------------------------------------------------------------------------
Page #108
--------------------------------------------------------------------------
________________
खंड - ३
गुजराती गद्यकृति
Page #109
--------------------------------------------------------------------------
Page #110
--------------------------------------------------------------------------
________________
गुजराती गद्यकृति
(३.१) श्रीमतिचन्द्रजीरचित ॥नयस्वरूप॥
अथ नयस्वरूप लिख्यते। स्यात्कारमुद्रिता भावा नित्यानित्यस्वभावकाः। प्रोक्ता येन प्रबोधाय वन्दे तं वृषभं जिनम्॥१॥ अनन्तधर्मात्मकस्य वस्तुन एकांशे व्यवसायात्मकं ज्ञानं नयः।
अनन्तधर्मात्मक वस्तुनुं जे एकांश तेहनुं प्रकासक एहवू जे ज्ञानं ते नय कहीयै। श्रीवीतरागमतने विषे सकल वस्तु अनन्तधर्मात्मक वर्णवी छै मयूराण्डवत्। मोरना इंडामाहिं अनेक धर्म छै तो इंडाथी मोर नीपजै छै तिवारै नव नव रंग विचित्रता प्रगटे छै अछतों काई उपजतुं नथी। उपजे तेहि ज जे सत्य हुइं आकाशकुसुमवत्। जो आकाशकुसुमनी नास्ति छै तो ते उपजतुं पिण नथी इम मृत्पिडने विषे पिण घट-घटी-शराव-उदिंचनादिकनी सत्ता छै तो तेमाहिथी तेहवा तेहवा पर्याय ऊपजै छ। ____ अत्र कोइक पूछि स्यै जो तुम्हे अनन्तधर्म वस्तुनें विषै कहो छो तो एकइं धर्मे करी वस्तुनें कांई बोलावो छो? तेहनें इम कहीयै—अम्हे अनन्तधर्मनी सत्ता माना छां पिण परिणाम ते एके कालें संख्याता असंख्यातानुं छइं। तथा जेणे काले जे परिणाम छै तेणें कालें अपर परिणाम न हुवें। यद् द्रव्य यदा [ये/नरूपेण परिणमति, न तु रूपान्तरेणेति वचनात्
हिवें ए नयनें प्रमाण कहिये किंवा अप्रमाण कहियै? प्रमाण ते यथार्थ- कहिंदूं, अप्रमाण ते अयथार्थ- कहिदूं। इम कोइ पूछ तेहनें इम कहियें— नाप्रमाणं प्रमाणं वा प्रमाणांशस्तथैव हि। नासमुद्रः समुद्रो वा समुद्रांशौ यथैव हि। (तुलना-नयोपदेश-९)
नय ते प्रमाणनो अंश छ। जे प्रमाण नही अप्रमाण नही तेहनें प्रमाणांश कहिये, कथंचित्प्रमाणने कहे 3 ते माटें। समुद्र जल पसलीनी परें। जिम समुद्रमांहिथी जलनी पसली भरी छै तेतला जलने समुद्र न कहिये जो तेहनें ज समुद्र कहिये तो पूठिला जलने समुद्रपणुं टलेस्यै। समुद्र नाम एक छै तिम। असमुद्र पिण न कहिये जो तेतला जलनैं समुद्रपणुं नथी तो पूठिला जलने पिण समुद्रपणुं टलसें ते माटे पसली ज में समुद्रांश कहिये तिम नयनें पिण प्रमाणांश कहिये।
तथा समस्तांश जेहने विषै रह्या छै तेहने प्रमाण कहीयें। प्रमाणनयैरधिगमः प्रमाण अमें नयें करी सकल वस्तुनुं अधिगम छै।
ते नय सात प्रकारना छ। नेगमसंगहववहारे, उज्जुसुए चेव होइ बोधव्वे। सद्दे य समभिरूढे एवंभूए य मूलनया॥
पहिलो नय नैगम(१) बीजो संग्रह(२) त्रीजो व्यवहार(३) चोथो ऋजुसूत्र(४) पांचमो शब्द(५) छठो समभिरूढ(६) सातमो एवंभूत(७) ए सात मूलनय।
Page #111
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
प्रथम नैगमनो अर्थ लिखीयें छै। सामान्यरूपें तथा विशेषरूपें करी सहित वस्तुने माने पिण एकाकी सामान्यरूपें अथवा विशेषरूपे ज वस्तुनें न कहें ते नैगम कही।
तत्र सकलभुवनत्रयमध्यवर्ती वस्तुकदंबकनें ग्रहें ते सामान्य धर्म कहीयें। सामान्य धर्म ते एक छै यथा शैवनये नित्यमेकमनेकानुवर्ति सामान्यम् नित्य छे एक छे अनेकनें वि रहिउं छे ते सामान्य कहीयें। द्रव्यत्व, घटत्व, पटत्व, मनुष्यत्वादि लक्षण जाणवू। तथा जैनन्याये जैनना न्यायमांहि पणि इंम कह्यो छै अप्रच्युतानुत्पन्नस्थिरैकरूपं हि सामान्यम्, तच्च द्रव्यमेव न तु पर्यायास्तेषां तद्विलक्षणत्वात्। जे उपजें नही विणसें नही स्थिर एकरूप त्रिणि कालने विषै सामान्य ते जाणिवू। ते तो द्रव्य ज जाणिवं, पिण पर्याय न जाणिवा। तेहगें तो उत्पादविनास छै तेणे करी अस्थिर छै अनेकरूपता भजे छइं। यथा शैवन्याये व्यावृत्तिधर्माणो हि विशेषाः। जेणे करी वस्तुनी व्यावृत्ति कीजें ते विशेष कहीयें। जैन न्यायमांहि पणि विशेषतुं एहवू लक्षण का छे पूर्वपूर्वाकारपरित्यागोत्तरोत्तराकारपरिस्फूर्तिमन्तो हि विशेषाः पर्यायापरनामानः। पूर्वपूर्वाकारने त्यजें हैं उत्तरोत्तराकारने भनें 3 तेहने विशेष कहीइं तेहनो अपरनाम पर्याय छ। व्यवहार साधक विशेष ज छै। ते घट-पटलकुट-मुकुटादिक नर-नारकादिक जाणवउं। ए सामान्य-विशेषतुं अर्थ कहिउं। ए बे प्रकार वस्तुनें कहें पिण एक प्रकार न कहै ते नैगम कहीयै। एतले गुणनिष्पन्न नाम थयु। ___ अत्र कोइ एक पूछिस्यै जैन पिण वस्तुने विषै बि धर्म माने छे एक सामान्य बीजो विशेष। सामान्य विना विशेष नथी, विशेष विना सामान्य नथी, निर्विशेषं हि सामान्यं भवेत् शशविषाणवत् (मीमांसा श्लोकवार्तिकसू.५.१०.)ते माटें जैन पिण केवल नैगममतावलंबक हुस्यै। तिहनें इम कहियें जैन कथंचित्प्रकारें भिन्न भिन्न पणि कहै छै कथंचित्प्रकारें अभिन्न पणि कहै छै पिण सर्वथा प्रकारें नथी केतो। सामान्य-विशेषनी सप्तभंगी छ। वस्तु
स्यात् सामान्यम्(१) स्याद्विशेषः(२) स्यात्सामान्यविशेषौ(३) स्याद् वक्तव्यम्(४) स्यादवक्तव्यं क्रमतः सामान्यकल्पनया(५) स्यादवक्तव्यं क्रमतो विशेषकल्पनया(६) स्यादवक्तव्यं युगपत्सामान्यविशेषकल्पनया(७) इति। वस्तुने विषै कथंचित्प्रकारे सामान्यधर्म छ। सामान्य ते द्रव्यपणुं छे। इति प्रथमो भंगः(१)
१. धर्म मो.मुं. २. आ वाक्य को. प्रतमा नथी ३. आ वाक्य को. प्रतमां नथी
Page #112
--------------------------------------------------------------------------
________________
गुजराती गद्यकृति
तथा तेहिज वस्तुने विषै कथंचित्प्रकारे विशेष धर्म छै। विशेष पर्याय कहीयै। द्वितीयो भंगः(२) तथा तेहिज वस्तुनें विषै समकाले उभय धर्म पिण छ। सामान्य-विशेषौ। तृतीयो भंगः(३) तथा वस्तुनें विषै अवक्तव्य धर्म पिण छे केवल एक कोईई करी कहिवा योग्य पिण नथी। चतुर्थो भंगः(४) तथा अनुक्रमे एकाकी सामान्यकल्पनाई ज करीने वस्तु कहिवाने अवक्तव्य छै। इति पंचमो भंगः(५) तथा ए अनुक्रमे एकाकी विशेष कल्पनाई ज करीने वस्तु कहिवाने अवक्तव्य छै। इति षष्ठमो भंगः(६) तथा तेह ज वस्तु युगपत्कहतां समकालें सामान्य-विशेषे कहिवाने अवक्तव्य छ। इति सप्तमो भंगः (७)
तेह माटें जैनस्याद्वादी 3 अमें स्याद्वादने विषं तो साते नयनो समावेश छे तेह माटें २बें केवल नेंगमनयावलंबी न कहीइं नैगममतावलंबी ते नैयायिक वैशेषिक प्रमुख जाणिवा ॥इति नैगमः॥
हिवै संग्रहनो अर्थ लिखीयै छ। सकलभुवनत्रयमध्यवर्ति त्रिकालकलित वस्तुनें कहै ते संग्रह कहियें। तत्र दृष्टांतः—जिम सकल नवनवरंग विचित्रित घट हैं। व्यक्तिभेद करी भिन्न भिन्न दीसै 3 पिण सामान्य धर्म घटत्व, द्रव्यत्व एक ज छै तेणे करी सर्वने घट कहियै। तथा गौरी, काली, नीली प्रमुख नव नव व्यक्ति गायनी ॐ पिण गोत्व धर्मपणुं सास्नादिक असाधारण धर्मपणुं सर्वने विषै सामान्य छै ते माटें सर्वनें सामान्यपणे गाय कहीयै छै। तथा अतीतानागतवर्तमान कालने विर्षे जे मनुष्य हुया, हुई है, हुस्यै तेहनें विषै वर्ण, गंध, रस, स्पर्श, संस्थान, संघयण,अवगाहना, नाम, क्षेत्र प्रमुख विचारता घणूं परस्परइं भेद छै पिण मनुष्यपणुं सर्वनें विषै सामान्य छे, सर्वनें मनुष्य कहियै। तथा भांति भांतिना घट, घटी, शराव,उदंचनादिक पर्याय छै पिण सर्वनें विषै मृतद्रव्य एक ज छै,सर्व माटीना कहीयै छ। इम सर्वत्र विचारी लेवो। वस्तु थकी सदाई शाश्वतुं सामान्य पिण पर्याय नथी तेहनुं प्रति समयै विनाश छै।
अत्र केवल विशेषवादी जे बौद्धचार्वाकादिक तेहनें पूछीयै— तुम्हे जे सामान्य नथी मानता विशेष मानो छो संसारमांहि विशेष छे सामान्य नथी सामान्यतो मानीयें जो कांइ वस्तु शाश्वतु मानीये ते तो सर्व क्षणे क्षयी दीसै छै एहवं तुम्हारा लोकायितशास्त्रमांहि कहिउं छे पिण ते असत्य हैं। ते किम? जो तूं विशेष मानें छे ते विशेष सामान्यथी भिन्न छै किं वा अभिन्न छे? जो तूं सर्वथा भिन्न कहिसै तो ते विशेष अवस्तु स्वभाव हुसें खरविषाण-व्योमकुसुमवंध्यापुत्रनी परें। एतली जें वस्तु कहिवानी छे पिण अवस्तुभूत छे तिम विशेष पिण हुसें। अजें जो सर्वथा अभिन्न कहिसे तो सामान्य तेहि ज विशेष थास्य। ते क्षणभंगुर नही हुई। सामान्यनो विनाश नथी। ते माटें अम्हारउं मत साचुं थयु। जे सामान्य तेहि ज पदार्थ कहियें। सामान्यमांहि सर्व विशेषतुं समावेस छे एतलैं गुणनिःपन्न नाम थयुं। सर्व वस्तुना पर्यायनें संग्रहें तेह ते संग्रह कहिये।। इति संग्रहनयः॥२॥
१. जुओ टिप्पणि ५ २. ते....जाणिवा मो.मु प्रतमा नथी ३. घटमुदाहरणं कृत्वा ब्रूमहे सप्तभंगी। स्याद् घटः(१) स्यादघटः(२) स्याद्धटश्चाघटश्च(३) स्यादवक्तव्यो घटः(४) स्याद् घटश्चावक्तव्यश्च(५) स्यादघटश्चावक्तव्यश्च(६)
स्याद्धटश्चाघटश्चावक्तव्यश्चेति(७) सप्तमो भंगः आ वाक्य को. प्रतमां नथी अहीं होवू जोइए। ४. देखिई ५. विशेष कहिई ति वारि वस्त सर्व नित्य हस्यै सामान्यनउ नाश नथी आ प्रमाणे को.प्रतमां छे.
Page #113
--------------------------------------------------------------------------
________________
नयामतम-२
हिवै विवहारनो अर्थ लिखीये छ। ववहारो वि हु बलवं जं वदड़ केवली वि छउमत्थं। आहाकम्मं भुंजइ सुअववहारं पमाणंतो॥ जड़ जिणमयं पवज्जह ता मा ववहारनिच्छएसुमुअह। ववहारनयच्छेदे तित्थुच्छेओ जओ भणिओ॥
ओहेसु अ उवउत्तो जं किंचि गिण्हड़ य असुद्धं। तं केवली वि भुंजड़ अपमाणं सुयं भवे इअरा॥ जेंणे प्रकारें सकल लोक प्रवर्तइं निवर्तइं तेहने व्यवहार कहिये। ते प्रकार ते वस्तुना पर्याय जाणिवा पिण सामान्य धर्म न जाणिवं। ते किम? जिम संसारमध्ये जल भरवाने काजे जलार्थी पुरुष घट-घटी-शराव-उदंचनादिक भणी प्रवर्तइं छे पिण मृत्पिंडद्रव्य भणी कोई प्रवर्ततुं नथी। व्यवहारनय उपगारी विशेष छे पिण सामान्य नथी। तथा वस्तु पिण तेहि ज जे व्यवहार साधक हुइ। तथा विशेष विना एकाकी सामान्य दीसतुं पिण नथी। निर्विशेषं हि सामान्यं भवेत् शशविषाणवत्। (मीमांसाश्लोककवार्तिक ५.१०)
विशेष विना सामान्य शशविषाणसरी छे ते किम कार्य साधक हुइं ? मरुमरीचिकावद् असद्रूपत्वात्। मरुदेसें जिम मृगतृष्णा देखीनें जलार्थी मृग दोडी दोडी मरे छे पिण जलावाप्ति नथी हुंती तिम सामान्य पिण एहवं असद्रूप छ। तथा जे सद्रूप , तेहखें उपलंभ , पिण असद्रूपनो उपलंभ नथी अने जेहनो उपलंभ नही तेहनी अधिक कल्पना स्या माटें करवी? ते माटें विशेष तेहि ज पदार्थ कहिये घट-पट-मुकुटादिक जाणिवा पिण घटत्व, पटत्वादि न जाणिवा।। इति व्यवहारनय॥
हिवै ऋजुसूत्रनय कहीयै छ। ऋजु कहितां सरल कहिये जे सरलपणे वस्तुनें कहें ते ऋजुसूत्रनय कहियें। ते किम? जिम एक वस्तुने विषै अनन्त पर्याय कहियै छ। विणवा(स्यां) जे पर्याय ते वर्तमाननी अपेक्ष्यांये वक्र छै, सांप्रति भासता नथी ते माटें। तिम अनागत पर्याय हजी उपना नथी तो पिण वर्तमानकालथी वक्र छे। वक्र कहितां प्रतिकूल। प्रतिकूल कहितां ते समयनें भजता नथी। सरल तेहि जे जे पर्याय वर्तमानकाल वर्तइं जें वर्तमान समयने अनुकूल छ। जिम पोतानी गांठे धन वर्तइं छे तेहथी कार्य सिद्धि हुई छे पिण पराया धनथी कोई गरज सरती नथी। एतलै वर्तमान वर्तलै वर्तइं छे जे पोताना पर्याय तेहनेंईज अस्ति रूपें कहै पिण बीजाने न कहैं ऋजुसूत्रनुं ए शब्दार्थ जाणिवू। __तथावली ऋजुसूत्रनय लिंगनो भेद मानें नही शब्दनें वि लिंग त्रणि प्रकारचें , पुलिंग(१) स्त्रीलिंग(२) नपुंसकलिंग(३) ए संसारमांहिं जेतला शब्द छे तेणि त्रिण लिंगे करी बोलीजै छ। ते मध्ये घट, पट, भट, मुकुटादिक शब्द पुल्लिंग वाचक छ। भलो घट छै, भलो पट छै इम अर्थनी ध्वनि ऊपजें हैं। तथा हेला, शाला, मालादिक शब्द स्त्रीलिंग वाचक छ। भली शाला छै, भली माला , इम अर्थ प्रगटै छै। तथा मूल, फल, पत्रादिक शब्द नपुंसकलिंग वाचक छै। भलू फल छै, इम अर्थ थायें। ते निपुण बुद्धिना धणीनें पूछिजो अथवा व्याकरण भणिज्यो जिम खबर पडै। एहवं लिंगभेद यद्यपि भासै छै पिण ऋजुसूत्र नय न मानें। ते कहे छे—जिम कोइक समुद्र, नदी, सरोवर प्रमुखना उपकंठेने तट कहिइ छै ते तट एहै लिंगै छे अर्थभेद पिण भिन्न भिन्न कहें छै, पिण वर्तमान समयकालमाहें भेद न कह्यो अने ऋजुसूत्र तो वर्तमानकालने ज कहै छै, बीजा कोई भेदंतरनें कहितो नथी। बीजा घणाइ भेद छै पिण वर्तमान समयमांहि तो कोई भेद नथी। ए परमार्थ जोतां लिंगभेद न घटै ऋजुसूत्रने विषै।
Page #114
--------------------------------------------------------------------------
________________
गुजराती कृति
९१
तिमवली वचनभेद पिण मानें नही । वचन पिण व्याकरणें तीन कह्या छै। एकवचन (१) द्विवचन (२) बहुवचन(३)। एकोऽस्ति, द्वौ स्तः, बहवः सन्ति ए वचनभेद यद्यपि वस्तुनें विषै भासै छै पिण वर्तमान समय एक ज छैं ते माटे ऋजुसूत्रनय वचनभेद न मानें।
तथा नाम, स्थापना, द्रव्य, भाव ए च्यार निक्षेपा मांने । नाम ते इंद्रनै इंद्र कहै, थापना इंद्रने इंद्र कहै, द्रव्य इंद्रनै इंद्र कहै, भावैंद्रनै पिण इंद्र कहै। वर्तमानकालै जे निक्षेपो वर्ततो हुइ तेहनें तिम कहै । ऋजुसूत्र वर्तमानसमयग्राही छै पिण योग्यायोग्य शब्दार्थग्राही नथी ।
अत्र प्रसंगथी च्यार निक्षेपानुं अर्थ लिखीयै छें।
चतुर्णा निक्षेपाणां मध्ये आद्याः त्रयो द्रव्यास्तिकनये भावनिक्षेपस्तु पर्यायास्तिकनये इति तत्त्वार्थे। पहिलो नाम निक्षेपो(१) बीजो थापना निक्षेपो । स्थापना द्विधा - सद्भूतस्थापना (१) असद्भूतस्थापना(२) सद्भूता यथा रूपं प्रतिबिंबम्, असद्भूता - अक्षादिषु गुरुस्थापना (२) । त्रीजो द्रव्यनिक्षेपो ( ३) चौथो भावनिक्षेपो ( ४ ) । निक्षेप कहतां रचना कहियै, निधि कहियै । ते मध्ये प्रथम निक्षेपानुं अर्थ लिखीयै छै । जे अन्य अर्थनै विषै रह्यो हुइ अर्थशून्य हुइ, बीजा पर्यायने कहै नही, पोतानी इच्छाई करी को हुई एहवुं जे वस्तुनो नाम तेहनें नाम निक्षेप कहीयैं। तत्र दृष्टांतः—जिम कोइक गोपालदारकनुं इंद्र एहवुं नाम छें पिण ते नाम सौधर्मा सभानें विषें वर्तै छें बत्तीस लाख विमानना अधिपतीनें घटें पिण ते दरिद्र ग्वालणीना बालकनै न घटैं ते माटें अर्थशून्य छै। तथा बीजा जे इंद्रना पर्यायनाम मरुत्वान्, मघवा इत्यादिक ते कांई गोपालदारकनै न घटै । ए नाम सर्वगुणनिःपन्न भावेंद्रनें ज घटै पिण निर्गुण नामनें विषै न घटै। गर्भगहेली माताइं मोहांधकार व्याकुल चित्त थकी आपणी खुसीइं नाम दीधों छें पिण परमार्थ कोई नथी एतलौ भावसून्य ते नाम निक्षेप कह्यो। इति नाम निक्षेपो(१)॥
हिवैं थापनानिक्षेपनुं अर्थ लिखीयै छै । भावै रहित हुई पिण भावपणानुं अभिप्राय कल्पनें हुइ तेह थापना कहीयै। तत्र दृष्टांत : - जिम कोइ एक मोही प्राणीइं पाषणनी मूरति घडावी, मस्तकि मुगट पहिरावी, कांनें कुंडल घाली, कोटिं हार घाली, हाथें वज्र आपी, वस्त्र विभूषित करी इंद्र करी थापी ते उपरि तन, धन, मन समर्पण करे छें जे माहरें इंद्र एहि ज, एहनी सेवा, भगति, गुणग्रांम कीधां सकल वांछितनी प्राप्ति हुसै इम जाणी सेवा करें छें पिण ते मूरति पाषाणनी छै। तेणें कांइ शुभाशुभ कर्तव्य जाणवुं नथी । जे जाणणहार छै ते तो भावेंद्र छें। सौधर्मा सभाने विषै विराजै छै। ते भणी परमार्थ जोतां थापना पिण मोहनी कल्पना छै ।
तथा अत्र कोइ पूछिस्यै नाम थापना माहें भेद किस्यो छै? अर्थसून्य तो बेहुं छै ते माटै अभेद कहो। तेहने इम कहियें—नाम थापनामाहें अर्थ थकी भेद नथी, पिण कालथी भेद छै। नाम ते यावत्काल तांइ नामधारक वस्तु रहै तावत्काल तांई तेणें नामें बोलावी । जें एतलें नामनो क्षण क्षणै परावर्तन था । यथा मेरु, जंबूद्वीप, मगधादिक नाम छै ते जां जां [अ]र्धद्वीपदेशादिक छै तां तांइ इणै ज नाम कहीसै । इम देवदत्त यज्ञदत्तादिक नाम छै जां तांइ ते पर्याय जीवै धर्यो छै तां ताई तेणै ठामें बोलावीइ छै पिण ते जीवतां थका विचिमांहि नाम लोपातुं नथी।
अत्र कोई एक पूछिस्यै— जे कोई एक नाम पिण विचिमांहि लोपातुं दीस्यै छै। जिम कोइ एकनुं नाम बालक अवस्थानें विषै धनपाल छै पछै केतलेक दिवसे लोके पिंडपाल नाम दीधु ते माटें नाम पिण लोपातुं दीसै छै। तेहनें
Page #115
--------------------------------------------------------------------------
________________
९२
नयामृतम् - २
इम कहियै— अरे भाइ! तें कह्यु ते खरं पिण घणै ठामे नाम यावत्कालतांई रहितो दीसै छै अनें कोई नाम फिरतो दीसै छै ते माटे ए विचार अत्र न लेवो। आचार्यनी विवक्षा नथी अत्र जे नाम यावत्कालीन हुइ तेहि ज लेवें।
तथां थापना पिण यावत्कालनी हुयै अने अल्पकालनी पिण हुयै । ऋषभ, चंद्रानन, वारिखेण इ नामे जिणनी थापना नित्य भवन, विमान, पर्वतादिकनै विषै कही छै । तेहनी आदि नथी, अंत पण नथी।
अत्र कोइ एक पूछिस्यै—स्थाप्यते इति स्थापना । जे थापी दुइ तेहनैं थापना कहियै एहवुं थापना शब्दनुं अर्थ प्रगटै छै। व्याकरणशास्त्रे अनें एतो कोई पुरुष अथवा देवतांइं थापी नथी जेहनी आदि न लाभैं ते थापी पिण किम कहाइं? तेहनें इम कहीइं—अरे भाइ ! थापना शब्दनुं अर्थ बीजुं पिण छै। अर्हदादि रूपेण सर्वदा तिष्ठती(ति) स्थापना। अर्हदादिकनें रूपें करी सर्वदा रहै छै ते थापना कहिई ए अर्थ थापना शब्दनो नित्यनें विषै करिवुं, अनित्यनें विषै पूर्वे कह्यो ते अर्थ लेवो ।
अत्र कोइ एक पूछिसै—ए तो पुद्गलद्रव्य विस्रसा परिणामै करी तेहवै आकारें परिणम्या छें अने पुद्गलपरिणाम ते असंख्याता काल उपरांत रहै नही । तो ए वस्तुनी आदि अंत नथी कहता ते स्या माटै? तेहनें इम कहीइं—स्याद्वादमतेंनें अनुसारै असंख्याता काल पछी ते पुद्गल अपर परिणाम भजै छै । वली तेहनें ठामै बीजा पुद्गल तेणै वर्णै, तेणें गंधै, तेर्णै रसै, तेणें फरसै, तेणें संठाण तेतला नवा आवीनें संक्रमै ते माटै तदाकारणै सास्वता हैं पिण तेहि ज पुद्गल कांई अनादि अनन्तकालतांई रहिता नथी। अनं त पुद्गलनुं चयोपचय हुइ रह्यो छै। तथा चोक्तं जीवाभिगमसूत्र—
तत्थ अणेगे जीवा य पुग्गला य चयंति उवचयंति। इति नित्यस्थापना। (जीवाजीवाभिगम प्रतिपत्ति- इ सू ८७)
हिवै अनित्यस्थापना कहै छै। जिम कोईक बालकै लाकडानुं घोडो थापी ते उपरि चढीनें केतलाइक काल तां रामति कीधी। पछैवली तेहि ज लाकडानों हाथी थापीनें रामति कीधी। पोतानी जिम जिम इच्छा थाती गई तिम तिम थोडा कालमांहि घणी भांतिनी थापना फेरवी । इम कोइएक बालिकायै वस्त्रनी ढला करी गहें, वस्त्रै शृंगारीनें दीकरी थापी। क्षणांतरै बहु, बहिन, पोत्री, सखाप्रमुखनी कल्पना मोहदशाईं करी फेरवी ए अनित्य थापना २।
हिवै द्रव्यनिक्षेपो कहै छै। अतीत अनागत पर्याय तेहनुं कारण तेहनें द्रव्य कही । अथ दष्टांत-जिम कोई एक राजानो प्रधांन छै। प्रधान मुद्रा सुंपी है। पछैवली केतलैक कालै मनोभंग थयो ए जाइं। तेहनी प्रधानवटी उतारी राजमुद्रा पाछी लीधी। ति वारै पछी पिण सहुको लोक तेहनें प्रधान कहै छै। ए अतीतपर्यायनुं कारण कहिउं।
हिवै अनागत पर्यायनुं कारण कहै छै। जिम कोइ राजानुं पुत्र अत्यंत रूपसुंदर छै। मोटी निलाडवटी छै, विशाल नेत्र छै इत्यादिक छत्तीस लक्षणै विराजमान छै । जन्मपत्रिका मध्यै राजयोग्य मालाग्रह इम बीजा पिण उदार्य, धैर्यादि गुणवंत छै। राजाइं पिण युवराज पद दीधो छै तिवारै लोक तेहनें इम कहै छै जे ए राजा हुस्यै। यद्यपि हिवणा राजा नथी पिण आगलि राजा हुस्यै । ए अनागत पर्यायनुं कारण कहिउं ।
इम अचेतनद्रव्य पिण अतीत अनागत पर्यायनुं कारण छै तेहनें द्रव्य कहीयै । अतीत जे घट-घटी- शरावप्रमुख पर्यायनुं कारण मृत् द्रव्य छै । एहनें विषै ए पर्याय पूर्वे हुंता । तथा अनागत जे कपालमालादिक पर्याय तेहनुं पिण
Page #116
--------------------------------------------------------------------------
________________
गुजराती गद्यकृति
कारण एहि ज मृत् द्रव्य छै, एहने ज विषै ए पर्याय होणहार छै। एतलै भावशून्य ते द्रव्यनिक्षेपो जाणिवो। भाव ते वर्तमान पर्यायनें कहै छै। इति द्रव्यनिक्षेपो(३)
हिवै भावनिक्षेपो कहै छै। वर्तमान पर्यायनें भाव कहीयें। जे भावे करी वर्ते छै तेहनें भावनिक्षेपो कहीयै। तत्र दृष्टांत:- जिम कोइ जीवद्रव्य पुन्य प्रकृतिनें उदै सौधर्मा सभानै विषै इंद्रपणे वर्ते हैं, बत्तीस लाख विमानवासी सुर ओलगै छै तेहनै इंद्र कहियें। इम अरिहंत पिण तेहनें कहीइं जे ज्ञान-दर्शन-चारित्रे करी विराजमान हुई चोत्तीस अतिशय, पांत्तीस वचनातिशय, अष्टमहाप्रतिहार्यै करी शोभायमान छै तेहने अरिहंत कहीयै। इम चक्रवर्ति, बलदेव, वासुदेव तेहि ज जे विद्यमानपणें हुई पिण नाम, स्थापना, द्रव्यनै ज कहियै तेहथी गरज सरती नथी। जिम कोई एकनो नाम अमर छै पिण ते तो मरण पांमै छै, तथा नाम धनपाल छै नें पोता, पेट पिण भरी सकतो नथी इत्यादिक। नामथी परमार्थ को न पांमीयै। इम थापना पिण विचारवी। जिम पाषाणनी पूतलीना स्त्री सरीखा अंगोपांग छै पिण तेहथी कामी पुरुषनी गरज नथी सरती। इम पत्थरनी गाई, भैंसि; लाकडीना घोडा, हाथी प्रमुखथी कार्यसिद्धि नथी थाती।
इम द्रव्य पिण विचारी लेवें। जिम कोइ एक बालकनी माता मरी गई छै तैहने आचलें धाव्यै दुधनी प्राप्ति नही छै। तथा कोइ पुरुष रूप पात्र राजानी स्त्री देखी व्यामोह पाम्यो ते उपरि कोई ज्ञानी गुरु पूछयांथी कह्यो ए नारी आवतें भवें ताहरी स्त्री हुस्यै। इम सांभली खुसी थयो पिण तेहनें जाई मिलाइ नही। तथा कोइ पुरुषनी स्त्री मरीनै राजानै घरै कन्या हुइ छै एकदा समै ते पुरुषनी दृष्टिं पडी महामोह पांम्यो। पूछयो कोइ गुरुने —जे ए उपरि माहरो मोह ते स्या माटें? गुरु कहै ज्ञानबलै —ए ताहरी पूठिलै भवै स्त्री हुंती। ते सांभली प्रमोद पांम्यो पिण राजलोकमध्ये जाइ मिलाइ नही। ते माटै द्रव्यथी पिण सिद्धि नही। गरज केवल भावथी सरै छ।
अत्र कोइ पूछिसै—जो पहिला तीन निक्षेपाथी सिद्धि न छै तो प्रतिमा स्यानै मानो छौ? तेहनें इम कहिइं— जे भावै वीतराग ओलखिस्यै ते वीतरागनी मूरतिनै पिण ओलखिस्यै। थापना देखीनें भावै वीतराग हुंता तेहनुं स्वरूप
ओलखीयै छै। जे इणै आसनमुद्राइं वीतराग बेसता। जो एहवी आसनमुद्रा तो तेहिनी ज हुंती जो रागद्वेष रहित हुता। ए परमार्थ चित्तमांहि धरीने प्रतिमा मानवी। तथोक्तम्
जाकै मुख दरससों, भगतके नयनकों थिरताकी बानी चढे, चंचलता विनसी मुद्रा देखि केवली की मुद्रा याद आवै, जहां जांकै आगै इंद्र की विभूति दीसै तिनसी, जाको जस जंपत प्रकास जगमें हृदैमैं, सोइ सुद्धमति होइ हुंतीजु मलिनसी,
कहित बनारिसी सुमहिमा प्रगट जाकी सोहै, जिनकी छबी है विधमान जिनसी॥ एवे द्वियो पि(?)(समयसार नाटक-५२)
एतला माटै वीतरागनै ओलखै तेहनै प्रतिमाथी परमार्थ दिसा आवै।
वली कोई फिरी पूछिस्यै —जो भावै ज वीतराग ओलख्यो छै तो वली थापना मानवानुं स्युं काम छै? एतो मोहदशानुं कारण छै। तेहनें इम कहीयै— जे समकिती जीवै कांइ सकल मोह कर्म जीतो नथी ते माटें समकिती जीवै
Page #117
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
वीतरागनी मूरति भरावी छ। तेहनें देखी देखीने वीतरागनै याद करै छै। विधिसुं द्रव्यस्तव, भावस्तव करै छै। द्रव्यपूजाथी पुन्य उपार्जे, भावपूजाथी निर्जरा करै छै।
भावो हि कारणं पुंसां भणितो बंधमोक्षयोरिति वचनात्। इति भावनिक्षेपो(४)। ए च्यार निक्षेपा ऋजुसूत्रनय मानै। वर्तमान समयग्राही ए नय छ।
तथा एक वस्तुना घणा नाम छ। यथा-वनमाली, बलिध्वंसी, कंसाराति इत्यादिक कृष्णना नाम छ पिण पर्याय सर्वना भिन्न छै। वनमाला कंठे छै ते मा वनमाली कहीयै, बलीने मार्यो ते मा बलीध्वंसी कहीयै इत्यादिक पर्याय अर्थ ऋजुसूत्रनय न कहैं वर्तमान समयनै ज कहै। अर्थभेद विचारतां वर्तमानपणुं वही जायै एतलै गुणनिःपन्न नाम ऋजुसूत्रनय कह्यो। इति ऋजुसूत्रनयः॥ _ हिवै शब्द नय कहै छ। भाषावर्गणा रूप पुद्गलनुं परिणाम ते शब्द कहीयै। तेणे करी पदार्थ, वाच्यवाचकभाव संयुक्त कीजै छै। अर्थ, अप्रधान मानें, शब्दनें प्रधान मांनै एह धर्म माटै शब्दनै विषै शब्दनयनु उपचार कीजै। उपचार तै आरोप कहीयै। जिम कोई एक नरनै विषै क्रूर गुण देखीनै सिंहनो उपचार कीजै छे जे पुरुषसिंह छै तिम अत्र पिण शब्दनै विषै अर्थनी अप्रधानता अनें शब्दनी प्रधानता देखीनै शब्दनै विषै शब्दनय कहियै। ए शब्दनय पिण वर्तमान पर्यायनें कहें, अतीत अनागतनै न कहई। तथा ऋजुसूत्र थकी ए नय सुद्ध छै। ते देखाडै छै। ऋजुसूत्र लिंगवचन ते भेद न कहै, ए नय लिंगादि भेद कहै छै। जिम तटशब्द पुल्लिंगै, तटी स्त्रीलिंगै, तटं नपुंसक। ए अर्थ तो एक ज बोलै छै पिण उच्चार करतां लिंगभेद साक्षात् भासै छै। इम वचन पिण भेद छै। एको नरः, द्वौ नरौ, बहवो नराः, तथा देवः, देवता, देवतम् ए त्रिण शब्दे प्रवृत्ति भिन्न कहीइं छै। अनै ऋजुसूत्र तो एक प्रवृत्ति कहै ते माटे ए नय शुद्ध जाणिवो। इति शब्दनयः॥(५) ___ हिवै समभिरूढ नय कहै छै। जेतला एक नामना पर्याय शब्द छै ते सर्व भिन्न भिन्न अभिधेय कहै छै। ए समभिरूढ नय कहीयै। ते किम? जिम इंद्रना पर्याय नाम घणा छै शक्र, पुरंदर, शचीपति इत्यादिक नाममाला मध्ये ए सर्व इंद्रना नाम छ पिण पर्याय जूदा जूदा छै। ते कहै छै— यथा शक्नोतीति शक्रः; शक्तिवंतनें शक्र कहीये, पुरं दारयतीति पुरन्दरः, इन्दति परमेश्वर्यं प्राप्नोतीति इन्द्रः। इम सर्व नामनी व्युत्पत्ति भिन्न छै। व्याकरण भण्यै खबर पडै। शब्दज्ञानवांछकै जैनेंद्र प्रमुख व्याकरण भणिवो। श्रीअनुयोगद्वारसूत्र बत्तीस दोष वर्णव्या छै। तिहां ए परमार्थ चाल्यो छै। उक्तं चचरणकरणप्पहाणा, ससमयपरसमयमुक्कवावारा। चरणकरणस्स सारं, णिच्छयसुद्धं ण याणंति॥
(उपदेशमाला २६९-१०३) जे शब्दशास्त्र, न्यायशास्त्र भण्यां विना सिद्धांत वाचै छै ते जीव ज्ञानावरणी कर्म बांधै छै। वांकुं विषमुं अर्थ कहै छै ते मा। तथा तेहना श्रोता दर्शनावरणीय कर्म उपार्जे छै, झर्छ सरदहै छै ते माटें। तथा निपुणबुद्धीइं ए नय चित्तमांहि धरवो। जेतलाएक शब्द छै ते सर्व भिन्न भिन्न पर्यायनै कहे छै। तथा ते सर्वने विषै एकार्थ वाचकता मानीइ तो अतिप्रसंग तथा संकर दोष लागै। अतिप्रसंगनुं अर्थ कहै छै—विजातीयेषु शब्देषु एकार्थप्रसञ्जनमतिप्रसङ्गः। विजातीय शब्दने विषै एक ज अर्थ मानीयै तौ सर्व शब्दमात्रनो एक ज अर्थ हुइ जाय।
Page #118
--------------------------------------------------------------------------
________________
गुजराती गद्यकृति
परस्परभिन्नार्थानामेकत्रावस्थानं सङ्करः। इम अनेक दोष लागे। स्याद्वाद वक्ताने पूछि लीज्यो। इति समभिरूढनयः॥(६)
हिवै एवंभूतनय कहै छै। जे शब्द जेहवी क्रियानें कहै छै ते क्रियानै भजतो हुइ तिवारे ज तेहनै ते नामें करी बोलावीयै तेहनें एवंभूतनय कहीयै। ते किम? जिम एक घट शब्द छै तेहनो अर्थ चेष्टादिक्रिया लक्षण छै। चेष्टा ते क्रिया कहीयै, घट चेष्टायामिति वचनात्। कोइ एक नवयुवती जल भरवा गई छै। निर्मल जलसुं कुंभ भर्यो छै, सुंदर ईंढोवणी नीचें धरी छै, सर्व दिशिनै विषै जलसुं कुंभ भर्यो आईकयो छै। ते घट मस्तकें धरीनै निर्भय साहंकार थकी लीलाई बाह डोलावती पणघटै चाली आवै छै। चालता नरनै मंगलीक सूचवती थकी इत्यादिक क्रिया सहित हुइ तिवारै घट कहीयै, पिण एहवी क्रियारहित वाली घटनै घट न कहीयै। इम शक्र पुरंदरादिक शब्द पिण जाणिवा। जे जे शब्दनो जेहवो जेहवो अर्थ छै ते ते अर्थनें भजै तिवारै जे तेहनै तेणै नामें करी कहै। शक्र तेहने ज कहीयै जे शक्तिनै फोरवतो हुवै, पुरनामा दैत्य मारै ते पुरंदर इम अर्थ, न भजै तिवारै शक्रादिक न कहीयै ए समभिरूढ थकी एवंभूतनय शुद्ध छै। इति एवंभूतनयः॥(७) ___ ए सात नया ते मध्ये पहिला चार नयनै विषै अर्थ प्रधान छै ते माटें अर्थनय कहीयै। आगला तीन नय शब्द प्रधान ते मा★ शब्दनय कहीयै। तथा पहिला तीन द्रव्यास्तिकनय कहीय, द्रव्यने ज अर्थ कहै परमारथ थकी पिण पर्यायनै न कहै ते माटै द्रव्यास्तिकनय कहिये। आद्यास्त्रयो द्रव्यास्तिका इति वचनात्। तथा छेहला चार नय पर्यायास्तिक जाणिवा। वस्तुपरमार्थ पर्याय छै पिण द्रव्य नथी इम कहै ते पर्यायस्तिकनय कहीयै। शेषाश्चत्वारः पर्यायास्तिका इति वचनात्। ___ तथा द्रव्यास्तिक पिण बे प्रकारर्नु छै। एक अशुद्ध द्रव्यास्तिक, बीजो शुद्ध द्रव्यास्तिक कह्या। तेहर्नु परमार्थ कहै छै। अनन्त परमाणुं पुंजनें, अनन्त व्यणुकखंधनें, इम संख्यात, असंख्यात, अनन्त प्रदेसीया खंधनें एकगुण कालादि, द्विगुण कालादि, अनन्तगुण कालादि संयुक्तनें तथा त्रिकाल विषयनें प्रत्येकै प्रत्येकै द्रव्य कहै अनेकता प्रतिपादक छै ते माटें अशद्ध कहीयै। तथा संग्रहनय ते शद्ध द्रव्यास्तिक जाणिवो। ते केवल परमाणनेइं ज द्रव्य कहै। ते पिण एकगुण कालादिक संयुक्त हुयै तेहनें ज द्रव्य कहीयै। पिण द्विगुण कालादिकनो विनाश छै ते माटें द्रव्य किंम कहीयै? बि माटै नित्य ते परमाणुं ज छै। तेहनें द्रव्य कहीयै।
तथा ए सात नय अवधारण सहित हुई तो दुर्नय जाणिवा। अवधारण ते जे एक कोई नय हाथी लीधुं छै तेहने ज माने बीजा नय सर्वथा उथापी नाखै तिवारै ते दुर्नय वादी कहीयै। अवधारण रहित हुई तिवारै सुनय कहीयै। एक कोइ नयनें कहै तिवारै बीजा नयनै विषै उदास भाव राखै पिण जडमूलथी उथापै नही तिवारे सुनय कहीयै।
एक्केक्को य सयविहो सत्तनय सया हवंति।(प्रवचनसारोद्धार-९४८) ए सात नय संयुक्त वीतराग मत स्याद्वाद कहीयै। उक्तं च— उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ दृष्टयः। न च तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः॥ (द्वात्रिंशिका ४.१५) समुद्रने विषै जिम सकल नदी समाइ तिम वीतराग! ताहरै विषै सर्व नयनी दृष्टी समावें छै। तथा जिम ते न
Page #119
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
दीउंमांहें समुद्र न माई तिम एकांत नयनें विषै तूं पिण न माई। जिहां एकांतवाद छै तिहां जिनमत नही।
तथा बौद्ध (१) क्षणिकवादी छै। नैयायिक (२) कर्तावादी छै। सांख्य (३) प्रकृतिप्रत्ययवादी छै। मीमांसक (४) कर्मवादी छ। चार्वाक (५) नास्तिक ए पांच मत जाणिवा। विस्तरस्तु श्रीहरिभद्रसूरिकृत षड्दर्शनसमुच्चये।
ए सात नय प्रस्थक (१) वसति (२) प्रदेश (३) ए तीन दृष्टांतें करी कहै छै।
तत्र प्रस्थक ते धान्य भरवानो मापो कहीयै। सिंधूदेशे ढोइयो कहै छ, अथवा पायली अपर नाम। कोइ सूत्रधार प्रस्थक घडवाने काजै कुवार हाथै लेई वन भणी चाल्यो छै। तेहवै एक पुरुष सन्मुख मिल्यो। तेणें पूछ्यो— तुं किहां जाईस? तेणै असुद्ध नैगमवादी हुइते उत्तर कह्यो— जे हुं प्रस्थक छेदवा जाउं छु। एहनै विषै घणा गंमा भासै छ। प्रस्थक तो घणै कालें नीपजस्यै। तिवार पहिली केतलाई व्यवसाय करस्यै पिण कारणनै विषै कार्यनं उपचार छै। कारण ते काष्ट कार्य ते प्रस्थकः। कारणथी कार्य उपजावणहार छै ते माटै उपचारै करी कहिउं जे प्रस्थक छेदवा जाउं छु। तथा सूत्रधार वनमांहि जाई काष्ट छैदवा लागो तिवारें वली कोई पुरुषै पूछे —एं तुं स्युं छेदै छै? तिवारै कह्यों— हुं प्रस्थक छेदूं छु। कारणनै विषै कार्यनो उपचार छै ते माटे छेदै छै काष्ट अनें कहै छै प्रस्थक छैद् छु ए नैगमथी कांइ एक शुद्ध छ। कांइ एक प्रस्थकनै ए क्रिया ढंकडी ते माटें तथा ते सूत्रधार वांसोलासुं काष्ट घडै छै तिवारै कोइकैं पूछ्यो—तुं स्युं घडई छै? तिवारै कहिउं जे— प्रस्थक घडु छु। ए बीजाथी सुद्ध छै। तथा ते सूत्रधार बीजणै करी काष्ट उकेरतो हुँतो तिवारै कोई एकै पूछ्यों तुं सुं कोरै छै? तिवारै तेणै कह्यो —हुं प्रस्थक उऊरु छु। ए त्रीजाथी सुद्ध छै। तथावली सरहाणे चढ्यो देखीनै पूछ्यो ते—तुं सुं समारै छै? तिवारै कह्यो जे प्रस्थक समारं छु। ए चोथाथी शुद्ध छै। इम जावत्प्रस्थक न नीपजै तावत् जे जे वचन कहै ते सर्व नैगमनय कहिये। इम विवहार पिण जाणवो। विवहार पिण नैगम समान छै ते माटें भिन्न अवतारस्युं नही।
हिवै संग्रहनुं दृष्टांत कहै छै। समृण्हाति क्रोडीकरोति सामान्यरूपतया सर्वं वस्तु स संग्रहः। विप्रो(?) धान्येन व्याप्तः प्रस्थो यथा। जिवारे ते संपूर्ण कंठ पर्यंत धाने करी भरी हुई तिवारे ज तेहने प्रस्थक कहै। संग्रह सामान्य धर्मनो ग्राहक छै। अत्र सामान्य धर्म एहि ज जाणिवो धान्यनुं जे मान तेहनी मेयता कहतां प्रमाणता तेहनै भजै तिवारै प्रस्थक कहीयै। पहिला बे नय नैगम अमें व्यवहार ते कारणीकभूत काष्टनै पिण प्रस्थक कहता हता ते माटें अशुद्ध कह्या संग्रहनय तेहथी शुद्ध जाणिवं। प्रस्थक नीपना पछी पोतानो कार्य जे धान्य मानता रूप ते भजइं तिवारे ज प्रस्थक कहै।
हिवै ऋजुसूत्रनय कहै छ। धान मापवानो जे हेतुभूत ते मापलो तेहने प्रस्थक कहै तथा तेणै माप्यो जे धान्यनो ढिगलो तेहनें पिण प्रस्थक कहै। ऋजुसूत्रनय वर्तमान समय ग्राही छै। संग्रह थकी ए शुद्ध छै, ते त्रिणि कालग्राही छै ते माटें अशुद्ध जाणिवो।
हिवै शब्दादिक तीन नयनो एकठो ज दृष्टांत कहै छै। ए तीन शब्दनय छै। शब्द प्रधान मानै छै पिण अर्थ प्रधान मानता नथी। जिहां शब्दनी व्यवस्था छै तेहने ज अर्थ कहै। ते शब्द व्यवस्था तो प्रस्थक ज्ञानना उपयोगवंत पुरुषनें विषै रही छै ते माटें ते पुरुषनै प्रस्थकहं कहीयै जेहवा जेहवा उपयोगनै विषै जे जे प्राणी वर्ते छै तिवारै ते ते
१. कुहाडी २. नजीक
Page #120
--------------------------------------------------------------------------
________________
गुजरात कृति
९७
उपयोगवंत कहीइं छै, पिण तदनुपयोगी काष्टभाजननै प्रस्थक न कहै । चेतन धर्म उपयोग छे। ते किम ? जिम रागोपयोगनै विषै प्राणी वर्ते छै तेहनै रागी कहीयै, विरागोपयोगीनें विरागी कहीयै तिम अत्र पिण प्रस्थकनुं उपयोगवंतनै प्रस्थक कहीयै तथा प्रस्थक शब्दे प्रस्थक निश्चयात्मक ज्ञान कहीये। ज्ञाननो उपयोग छें ते तो चेतन्य धर्म छै। ते किम जडात्मक काष्ट भाजननै विषै हुई?
तथा प्रस्थको निश्चयात्मकं मानमुच्यते निश्चयश्च ज्ञानं तत्कथं जडात्मनि कष्टभाजने वृत्तिमनुभविष्यति? चेतनाचेतनयोः सामानाधिकरण्याभावात्तस्मात्प्रस्थकोपयुक्त एव प्रस्थक इति श्रीहेमचंद्राचार्याः। ते माटें ए तीन नय करी प्रस्थक उपयोगी पुरुषनै ज प्रस्थक कहै। जिन धर्मवंत(?) काष्टनै विषै हुवै। इति प्रस्थकदृष्टांतः॥ (१)
हिवै वसतिदृष्टांतै सात नय अवतारै छै। कोइ पाडलीपुरनगर निवासी जननें कोई एक विदेशी नरें पूछयो—जे तुं किहां वसै छै? तिवारे तिणै कह्यो– हुं लोकमध्ये वसुं छु। ए अशुद्ध नैगम। लोक तो चौदै राज प्रमाण छै, न जाणीइं केही जागाइं वसतो हुसै। वली क्षणांतरै पूछयों तिवारें कह्यो–जे हुं तिर्यंग्लोकमांहि वसुं छु। ए पहिलाथी कांइएक शुद्ध छै। पहिलामांहि त्रिलोक भासता हता, ए माहें तो एक लोक भासै छै। पछीवली क्षणांतरें पूछयों तिवारें इम कह्यो—जे हुं जंबूदीपै वसुं छु। ए बीजाथी शुद्ध छै। बीजामांहि असंख्याता द्वीप-समुद्र भासता हुंता, एमांहि तो एक ज द्वीप भासै छै। पछैवली क्षणांतरें पूछयुं तिवारै कह्यो–जे हुं. भरतक्षेत्रें वसुं हुं । ए त्रीजाथी शुद्ध छै। त्रीजामांहि तो सप्त क्षेत्र भासता हुंता, एमांहिं तो एक ज क्षेत्र भासै छै। पछैवली क्षणांतरै पूछ्युं तिवारें कह्यो – हुं मगधदेशैं वसुं छं। ए चौथाथी शुद्ध छै। चौथामांहि तो बत्तीस हजार देश भासता हुंता, एमांहि तो एक ज मगध देश भासै छै। पछैवली क्षणांतरें पूछ्यों तिवारै को जे – हुं पाडलीपुर नामा नगरें वसुं छु। ए पांचमाथी शुद्ध छै। पांचमां मांहि तो अनेक ग्राम-नगर भासता हुंता, ए मांहि तो एक ज नगर भासै छै । वली पूछयों तिवारै कह्यो जे—हुं देवदत्त साह पाडे वसुं छु। छठाथी ए सुद्ध छै। छट्ठा मांहि तो घणा पाडा भासता हुंता, ए मांहि तो एक ज पाडो भासै छै। पछैवली कह्यो जे–हुं घरनो चित्रित बारणो छै, नकसी काम छै, ऊंचो झरोखो छै, ऊपरि बंगलो छै, पूर्व सन्मुख द्वार छै तेणै घरें वसुं छं। ए सातमाथी शुद्ध नैगम। एमांहि पिण घणा गमा छै। ऊपदिली भूमिका, विचाली भूमिका, भूहिरा प्रमुख घणा ठाम छै, न जाणीइं किहां छै सतो (बेसतो?) हुसै ते माटें। इति नैगम।
हिवै व्यवहार कहै छै। व्यवहारना दष्टांत नैगमनी परें जाणिवो, कांई फेर नथी ते माटे त्रीजा ठाम थी बीजै ठामे भण्यो छै। अत्र कोइ एक शिष्य पूछिस्यै जे – छेहलो नैगमनो भेद लोकिकनयें नही घटें। ते किंम? जो गामांतरे न गयो हुयै तो कहियै, जे घरै वसै छै एहवो चरमनैगम छै अनै व्यवहारनयै तो गामांतरे गयौ छै तो पिण इम कहिवाइ छै जे देवदत्त पाटलीपुरनगरें ज वसै छै तो ए नय नैगम समान किम कहीयै ? तेहनैं इम कहीयै— अहो भव्यजन ! व्यवहारनयै पिण एहवो ज कांई नियम नथी । जे ग्रामांतरे गयो छै तो पिण वसतो ज कहियै । लोक इम पिण किवाक बौलैं चैं—देवदत्त एतला दिन पाटलीपुरनगरें वसतो पिण हिवणां ग्रामांतरै गयो छै। एहवो वचन तो नैगम पि कहीयै छै ते माटें नैगम समान जाणिवं। इति व्यवहार ।
हिवै संग्रह कहै छै। ते पुरुष जिवारै आसनादिकनै विषै बैठो हुइ तिवारै वसतो कहीयै जिवारै चलनक्रिया भजै छै तिवारै वसतौ न कही । इम सर्वत्र बैठानेंई ज वसतो कहियै । इति संग्रह।
Page #121
--------------------------------------------------------------------------
________________
९८
नयामृतम् - २
हिवै ऋजुसूत्रनय कहै छै। आसननै विषै तो घणोई आकाश छै ते माटें सर्वनें विषै वसतो नथी जेतला आकाश प्रदेश रोक्या छै तेतलानें ज विषै वसै छै तो पिण वर्तमानसमयै वसतो कहीयै पिण अतीत-अनागतकालै न कहीइं। इति ऋजुसूत्रः ।
हिवै शब्दादिक तीन नय कहै छै। ते पुरुष वसै छै पिण आत्मस्वरूपै ज परस्वरूपै नथी वसतो। जे जे वस्तु वर्ते छें ते सर्व आपआपणै स्वभावै, पिण परस्वभावैं न कही । सर्वं वस्तु स्वात्मन्येव वर्तते न तु आत्मव्यतिरिक्ते अधिकरणे इति वचनात्। इति वसतिदृष्टांत।
हिवै प्रदेश दृष्टांते सात नय अवतारै छै । जिम कोइ एक पंडितमंडलीनें विषै प्रदेशनी चरचा थायै छै । तिवारै कोइइ एक नवतरपुरुषं पूछ्यो – ते प्रदेश केहना ? तिवारै एक नैगमनय लेईनैं बोल्यो छनो प्रदेश छै। कुण? धर्मास्तिकाय (१) अधर्मास्तिकाय (२) आकाशास्तिकाय (३) जीवास्तिकाय (४) पुद्गलास्तिकाय (५) देस (६) देस ते सकल द्रव्यनो भिन्न विवक्षो छै। ए छनो प्रदेश कहतां छ प्रदेश भास्या ते माटें नैगम कहीयै (१)
तिवारे पछै संग्रहनय बोल्यो – अरे नैगम! तुं छनो प्रदेश म कहि, पांचनो कहि। धर्मास्तिकाय (१) अधर्मास्तिकाय (२) आकाशास्तिकाय (३) जीवास्तिकाय (४) पुद्गलास्तिकाय (५) ए पांचनो कहि, पिण छठो देश भिन्न म कहि । ते कांई पंचास्तिकायथी जूदो नथी । देशनो द्रव्यमांहि ज अंतर्भाव छै। सामान्यपणै एक प्रदेश पांचनो कहि।(२)
पछै व्यवहार बोल्यो – अरे संग्रह ! तुं इम म भणि जे पांचनो एक प्रदेश छै। पांचनो तो कहीइं जो साधारण हुई, पंचभ्रातृनिधानवत्। ते माटै इम कहि- पंचविधः प्रदेशः। प्रदेश पंच प्रकारनो छै। धर्मास्तिकाय संबंधी (१) अधर्मास्तिकाय संबंधी (२) आकाशास्तिकाय संबंधी (३) जीवास्तिकाय संबंधी (४) पुद्गलास्तिकाय संबंधी (५) ए पंचविधः।(३)
पछै ऋजुसूत्रनय बोल्यो— अरै व्यवहार ! तुं पंचविध प्रदेश कहै छै ते म कहि। प्रदेश तो पंचास्तिकायनै विषै छै। ते एकेक प्रदेश पंच प्रकारनो कहतो पांच पंचा पचवीस प्रदेश थायै । ते माटे भाजप्रदेश कहि। भाजकहितां भाजना, एतलै एक प्रदेशने विषै पांच विकल्प छै। यथा धर्मास्तिकायप्रदेशः (१) किं वा अधर्मास्तिकायप्रदेशः (२) अथवा आकाशास्तिकायप्रदेश: (३) उत जीवास्तिकायप्रदेश: (४) किं वा पुद्गलास्तिकायप्रदेशः (५) ए पंच विकल्प कहि।(४)
पछै शब्दनय बोल्यो—अरे ऋजुसूत्र ! तुं भाज्य प्रदेश कहै छै ते मा कहि। इम कहितां एकनै विषै पांचरी भजना हुस्यै। पंच पुरुषना सेवकनी परै । किवारेक धर्मास्तिकायनो हुस्यै तिवारेक अधर्मास्तिकायनो हुस्यै इम पांचेनी भजना पांमिस्यै। माटें इम कहि। धर्मप्रदेशः अधर्मप्रदेशः इत्यादिक पांचमांहि एक कोइ एक निर्धार करीनै कहै । (५)
पछै समभिरूढनय बोल्यो — धर्म प्रदेश कहतां व्याकरणरै विषै बे समास भासै छै । एक तत्पुरुष (१) बीजो कर्मधारय (२) । जो तत्पुरुष कीजै तो 'धर्मे प्रदेशो धर्मप्रदेश:' इम कहतां धर्म अनें प्रदेशनै विषै भेद पामै । भेदे तत्पुरुषः इति वचनात्।अने धर्मश्चासौ प्रदेशश्च धर्मप्रदेशः, धर्मद्रव्यविशिष्टप्रदेश छै ए समास करतां धर्म अनें प्रदेशनै
Page #122
--------------------------------------------------------------------------
________________
गुजराती कृति
९९
विषै भेद नथी पडतो। अभेदे कर्मधारयः इति वचनात्। अत्र घणो विचार छै पिण अवैयाकरणी पुरुषनै रस न उपजै ते माटें नथी लिख्यो। (६)
तिवारै पछै एवंभूत नय बोल्यो — अरै समभिरूढ ! तुं धर्मास्तिकायादिकनै विषै देश-प्रदेशनी कल्पना कहै ते न घटै। जो तुं देश-प्रदेश कहै छे ते सुं धर्मास्तिकायथी जूदा छै किं वा एक छै? जो तुं जूदा मानीस तो किवारैक जूदा पिण लाभस्यै अनें देश प्रदेश तो खंधथी जूदा हुयै नही । अने जो एक मानीस तो वली देश-प्रदेश कल्पना स्यानै कहै छै? समस्त धर्मास्तिकायनै धर्मास्तिकाय कहि पिण देशप्रदेशनें न कहै । इम अधर्मास्तिकायादिक पिण जाणिवा ।
ए सात नयना सातसय भेद थाइं । द्रव्यगुणपर्यायथी अर्पणा अनर्पणाई करी । ते शतारनयचक्राध्ययनमांहि पूर्वे हुंता। हिवणा द्वादशारनयचक्रमांहि छै। इति प्रदेशदृष्टांतः।
ए तीनें दृष्टांते करी नय समझी लीज्यो । ए नय प्रीछिस्यो तो जिनेंद्रमत अनुकूल हुस्यै। उक्तं च—
नयास्तव स्यात्पदलाञ्छिता इमे रसोपविद्धा इव लोहधातवः । भवन्त्यभिप्रेतफला यतस्ततो भवन्तमार्याः प्रणता हितैषिणः ॥ (जैनमुक्तावली - २४४) नयानां किल सप्तानामर्था दृष्टान्तपूर्वकाः । लिखिता मतिचन्द्रेण परोपकृतिहेतवे। ॥इति सप्तनयविचारः समाप्तः ।।
Page #123
--------------------------------------------------------------------------
________________
१००
नयामतम-२
(३.२) आ. श्रीपार्श्वचन्द्रसूरिविरचित
॥सप्तनयविचार॥ अथ सप्तनयविचारो लिख्यते।
से किं तं नये? सत्त मूलनया पन्नत्ता। तं जहा—णेगमे संगहे ववहारे उज्जुसुए सद्दे समभिरूढे एवंभूते। (अनुयोगद्वार-सूत्र ७१५)
श्रीजिनवचन मूलभूत सात नय प्ररूप्या छइ। ते केहा? नैगमनय (१), संग्रहनय (२), व्यवहारनय (३), ऋजुश्रुत(सूत्र)नय (४), शब्दनय (५), समभिरूढनय (६), एवंभूतनय (७)। एहनां संक्षेपइं नाम भण्यां छइ। हवइ एहनओ विचार संक्षेपई लखीइ छ।।
तत्थणेगेहिं माणेहिं मिणइ त्ति णेगमस्स [य] निरुत्ती। इति सूत्रम्। (अनुयोगद्वार-सूत्र १३६)
एहनउ अर्थ-तत्थ कहतां तिहां सात नय विषइ नैगमनय ते स्यनुं कहीइ? जे अनेक मान अर्थ जाणवाना विचार सामान्य विशेषादिक तिणि करी पदार्थनो भाव मिणइ एतावता जाणइ ते नैगमनय कहइवाइ। ए नैगमशब्दनी निरुक्ति कहतां व्युत्पत्ति जाणवी। एतलइ स्यउं काउं दृष्टांति करी प्रीछवइ छइ। जिहां अनेक प्रकार विचार करी एक पदार्थनउ भाव जाणीइ ते नैगम। जिम को एक पुरुष किणही पुरुषइं पूछ्यउ अहो! पुरुष! तउं किंहां वसइं? तिणि काउं— हउं लोकि वसउं। इम कह्यइ छतइ नैगमनयवादी सामान्य विशेषादिक करी पूछइ छइ–लोकमांहि तउ केहइ लोकि वसई ऊर्ध्वलोकि अथवा अधोलोकि अथवा तिर्यग्लोकि? तिवारइं पेलई काउं—हउँ तिर्यग्लोकि वसउं। तिवारइं नैगमवादी वली पूछइ तिर्यग्लोकमांहि असंख्याता द्वीपसमुद्र छइ तो केहइ द्वीपि वसइ? तिवारइं ते कहइ— हउं जंबूद्वीपि वसउं| तिवारइं वली नैगमवादी पूछइ—जंबूद्वीपमांहि भरतादिक क्षेत्र अनेक छइ तउं केहइ क्षेत्रि वसइं? तिवारइं ते पुरुष कहइ हउं भरतक्षेत्रि वसउं। तिवारई वली नैगमवादी पूछ।—अहो! भरतक्षेत्रमांहि अनेक ग्राम, नगर, आगर, खेड, कब्बड, मडंब, द्रोणमुख, पट्टण, आश्रम, सन्निवेश, राजधानी छइ। तिणि कारणि तउ किहां वसइं? पेलई काउं—हउं पाडलीपुरि वसउं। तिवारइ पृच्छक बोल्यउ—पाडलीपुरि अनेक ब्राह्मण, क्षत्रिय, वैश्य, शूद्रना अनेक शतसहस्र लाख घर छइ तउं किहां वसइ? तिवारइं ते कहइ हउं देवदत्तनइ घरि वसउं| तिवारइं वली पूछइ अहो! देवदत्तनइं घरि अनेक उरासाल(उरडा), पट्टसाल, चित्रशाली, सभा, गवाक्ष, आवास छइ तउं किहां वसइं? तिवारइं ते कहइ हउं उरडई वसउं। इम जे एक भाव सामान्यविशेषादिकगामिइं बोलीयइ तिहां नैगमनयवादी जाणवओ इम अन्यत्र पणि जाणवउ विचारवउ। इति नैगमनयविचार।
१. नंदी अणुओगदाराई,सम्पा.पुण्यवि.म., प्रका.महावीर जैनविद्यालय २. नंदी अणुओगदाराई,सम्पा.पुण्यवि.म., प्रका.महावीर जैनविद्यालय ३. पछइ को. ४. =ओरडो
Page #124
--------------------------------------------------------------------------
________________
गुजराती कृति
हवइ आगिला नयनां लक्षण कहइ छइ । गाथा—
सेसाण पि नयाणं, लक्खणमिणमो सुणह वुच्छं ॥
संगहियपिंडियत्थं, संगहवयणं समासओ बिंति ।
वच्चइ विणिच्छियत्थं ववहारो सव्वदव्वेसु ॥ (अनुयोगद्वार - सूत्र १३७ )
जिहां भावनउ अर्थ ते पिंडित संग्रहिया | पिंडित ते स्यउं कही ? जिहां एक जि शब्द ग्रहतां घणा शब्द ग्रहीइ ते पिंडितार्थ एहवउ संग्रहनयनउ वचन तीर्थंकरगणधरादिक बोलइ । ए संग्रहनय एक सामान्य अर्थिइ छइ, न तु विशेषार्थ । जिम मार्ग बोलतां आगलि वृक्षावली देखी गहन स्वरूप जाणी काउं—आगलि वन छ । ए सामान्य वचन ए संग्रहनय कहिय । जिणि कारण वन शब्द कहीतइ जे वनमांहि नानाप्रकार धव, खदिर, पलाश, अंब, निंब, जंबू, कदंब, श्रीताल, तमाल, पुन्नाग, नाग, अशोकादिक वृक्ष तथा शश, शृगाल, हरिण, रोझ, शंबर, सिंह, चित्रादिक अनेक जीव तथा भीलादिकनी अनेक पालि, अनेक गोकुळ, वावि, पुष्करणी, सरोवर, कूपादिक अनेक जलाश्रय संग्रहीइ। परं वचन एक जु— आगलि वन छ । तिणि कारणि संग्रहनय। एतलई संग्रहनय थयउ।
१०१
हवइ व्यवहारनय विचारी छइ । जे सर्व द्रव्यनइ विषइ विगत निश्चय एतलइ स्यउ ? भाव निश्चय ते कहीइ जे तत्त्वदृष्टि पुरुष अनेक अनेक अधिका भाव एक पदार्थनइ आश्रइ जाणइ ते भाव जिहां नथी परलोक प्रसिद्ध एक कोई अर्थ ते विनिश्चयार्थ जाणवउ । एहवउ जे अर्थ सर्व द्रव्यनइ विषइ प्रवर्तइ ते व्यवहारनय जाणवउ । ए नय सामान्य अर्थ न बोलइ। जिम जगमांहि घटपदार्थ छइ ते कहइ द्रव्यव्यवहारइ प्रवर्तइ ? लोकप्रसिद्ध जल आणवानइ काजि, इणिपरि वस्त्र पहरवानइ काजि, स्तंभ घरना आधारनइ काजि, पुस्तक वाचवा भणवानइ काजि इत्यादि लोकप्रसिद्ध एकेको व्यवहार बोलाइ । बीजी परि एकेको पदार्थ अनेक व्यवहारि प्रवर्तइ छइ । एतावता सामान्य नही अनइ निश्चय पण नही। इणि कारणि व्यवहारनय जाणवो ।
अथवा जे जगमांहि घटपटादि वस्तु छइ ते यद्यपि पंचवर्ण, द्विगंध, पंचरस, अष्टस्पर्श सहित छइ। एतलइ स्यउ भाव? जिहां एकवर्ण, एकगंध, एकरस, एकस्पर्श तिहां तत्त्वदृष्टिवं पंचवर्ण हो । दोइ गंध, पंचरस, आठस्पर्श छइ तथापि लोकप्रसिद्धइं जिहां जे नीलादि वर्ण प्रगट दीसइ ते पदार्थ तेहवउ कही । ए व्यवहारनय जाणवो ।
हवइ ऋजुश्रुतनय कहीइ छ ।
पच्चुपन्नगाही, उज्जुसुओ णयविही मुणेयव्वो ।
इच्छइ विसेसियतरं, पच्चुप्पन्नं नओ सद्दो॥ (अनुयोगद्वार - सूत्र १३८)
प्रत्युत्पन्न कहतां वर्तमानकाल तेहनउ साधनहार जे भाव तेहनो ग्रहणहार ऋजुश्रुतनय जाणवउ। अथवा ऋजुसूत्रनय कहीइ ते किम? जे अतीतकाल ते ग्यउ, अनागत काल ते नथी उपनओ तेहनउं ग्रहवउं । ग्रहवउं ते कुटिलभाव। ते बेवइँ परहरी ऋजु कहतां सरल वर्तमानकाल भाव ते सूत्रइं तिणि कारणि ऋजुसूत्रनय कहवाइ।
१. बोहत्थं को. ४. वच्चइ. को.
२. ३. नंदी अणुओगदाराई, सम्पा. पुण्यवि.म., प्रका. महावीर जैन विद्यालय
Page #125
--------------------------------------------------------------------------
________________
१०२
ए नय सर्व ज्ञानमांहि एक श्रुतज्ञानई ज वांछइ । बीजा ज्ञान थकी मुख्यवृत्तिरं तेहवउ प्रायइं परोपकारनउ कारण नथी जाणीनउं श्रुतज्ञान सर्व जीवनई हितूउं कारण छ । तिणि कारणि ऋजुश्रुतनय श्रुतज्ञान बहु बहु करी ग्रहइ । ए ऋजुश्रुतनय जाणवो।
नयामृतम् -२
हिवइ शब्दनय कहइ छइ। ऋजुश्रुत नयनी परि ए पुण प्रत्युत्पन्न ज नउ ग्रहणाहार छइ। तो माहोमांहि भेद केहउ? ते कहइ छइ। ऋजुश्रुतनयवादी सामान्यगत अर्थ ग्रहइ । जे पर लिंगभेद तथा वचनभेद कांइं न करइ। जिम त[ट] ए पुरुषलिंग, तटी ए स्त्रीलिंग, तटम् ए नपुंसकलिंग । परं ऋजुसूत्रनय तटनउ अर्थ ग्रह | लिंगनओ विशेष कांई न गणइ अथवा गुरुः एकवचन, गुरवः ए बहुवचन । इहां बहू शब्दई गुरुइज ग्रहिय । परं एकवचन-बहुवचननउ विशेष न गिणइ ।
हवइ शब्दनयवादी विशेषइं विशेष शब्द ग्रहइ तिणि कारणि शब्दनय कहइवाइ । ए नय शब्दनां लिंगवचनादिक जे भेद छइ ते विशेषई जूजूआ ग्रह । तथा सम्यक् प्रकारि कार्य साधक शब्द बोल । जिम इंद्रना निक्षेपा ४ कह्या। ते किम? नामेंद्र, स्थापना इंद्र, द्रव्येंद्र, भावेंद्र। एहमांहि शब्दनयवादी इम कहइ नाम, स्थापना, द्रव्य ए इंद्र न कहइवाइ। जे भणी इंद्रनउ जे कार्य ते करी न सकइ । इणि कारणि इंद्र न कहीइ। आकाशकुसमवत्। जिम फूलनउ कार्य आकाशकुसुम थकी न थाइ तिम इहां पण जाणवउं । एकभाव इंद्र ते इंद्र कहीइ [जे पुर नामक दैत्यने दारइ ते] पुरंदर कहीइ। इत्यादि इंद्र नाम भाव इंद्रनइ मान । ए शब्दनयनउ विचार।
हिवइ समभिरूढनय कहीइ छइ । गाथा—
वत्थुओ संकमणं, होइ अवत्थू नए समभिरूढे। वंजणअत्थतदुभए, एवंभूओ विसेसेइ॥
(अनुयोगद्वार - सूत्र १३९) '
समभिरूढ नयनइं मतिइं वस्तु शब्दई पदार्थ इंद्रादिक तेहनउ संक्रमण कहतां अनेरा तदर्थ नामांतर विषइं अवतारिवउं ते अवत्थु कहतां असंभव कहइवाइ । समभिरूढनयवादी इम कहइ — एतलई स्यउ भाव ? जिम इंद्र सौधर्मादि देवलोकनउ स्वामी एक नाम ऊपरि शिष्य पूछइ – भगवन्! इंद्र स्यउं कही ? तिवारइं श्रीगुरु इंद्रना भाव अनेरा पर्याय कही प्रीछवइ छइ । ते किम? इंद्रनई शक्र कही । पुरंदर कही । अनेराइ इंद्रनां नाम जे छइ ते कही प्रीछवइ। परं एतलां नामांतरे करी पदार्थ एक इंद्र लाभ । समभिरूढनय इम न कहइ इंद्र, शक्र, पुरंदर एहना अर्थ अनेरा छइ तो इंद्रनो अर्थ किम प्रकासइ? तिणि कारणि इंद्र जे शक्र कहीइ ते अवस्तु। इंद्र जे पुरंदर कहियइ ते पुण अवस्तु संभवइ नही। यथा 'इदु परमैश्वर्ये' ए इंद्रपदनी धातु । एतलई इंद्र पदनो अर्थ परमैश्वर्य सहित । शक्रनउ अर्थ शक्तिइं करी प्रधान। पुरनाम शत्रु तेहनइं विदारणहार ते पुरंदर। जउ इंद्रनउ अर्थ ते शक्र अनइं पुरंदर सहित किम मिलइ? अनइ शक्र पुरंदर ए इंद्रनइ अर्थि न मिला। एतलई शक्र, इंद्र, पुरंदर ए एकार्थ किम कहइवाइ ? इम अनेरे अर्थि वर्तमान शब्द अनेरा अर्थनइं पर्याय मेलीयइ तओ इंद्रनइ पर्याय घट स्यइ न कहियइ ? इत्यादि समभिरूढ नयना भाव अनेक छइ परं ए वानगीमात्र लिख्या छ ।
१. जे पर.... नपुंसकलिंग नास्ति को.
२. नंदी अणुओगदाराइ, सं. पुण्य वि.म., प्र. महावीरजैन विद्यालय
Page #126
--------------------------------------------------------------------------
________________
गुजरात कृति
१०३
हवइ एवंभूतनयनो विचार लिखीयइ छइ । वंजणअत्थ त्ति । व्यंजन कहतां शब्द, अर्थ कहतां तेहनउ भाव ए बेवइ जे विशेषइं जेहवउ शब्दार्थ तेहवउ नित्यभावि निश्चई करी स्थापइ ते एवंभूतनय जाणवओ । जिम किणही पुरुषनउ नाम कुलवर्धन ए शब्दनउ अर्थ जे कुलनइ वधारइ ते कुलवर्धन कही । जे एहवउ ते पुरुष गुणइ थाइ तउ कुलवर्धन सही। एवंभूतनय इम मानइ—जइ ते कुल वधारइ नही तेउ कुलवर्धन किम कहियइ? इणि कारणि अनेक भाव छइ। जे रूडा वर्ण सहित ते सुवर्ण । अथवा रुडउ जेहनउ वर्ण ते सुवर्ण। रत्ननउ आगर ते रत्नागर। सुधा अमृतनउ आगर ते सुधाकर। एतलई सोनउं- सुवर्ण, समुद्र - रत्नाकर, चंद्र - सुधाकर इत्यादि अनेक भाव जेहवा नाम तेहवा परिणाम जे थाइ ते एवंभूतनयवादी प्रमाण करइ । एतल एवंभूतनयनउ स्वरूप संक्षेपइं कह्यउ।
हवइ ए सात नयमांहि जइ निश्चई भावि एक नय प्रमाण करी जे आगम अर्थ विचारइ ते दुर्नयवादी बोलाइ । सात नय मेली बोलीयइ ते अनेकांतवादी श्रीवीतरागनउ मार्ग जाणवउ ।
ए सात नय थकी ७०० नय उपजइ छइ । वली घणेरा भेद छइ ते सर्व प्रमाण करी एक बोल थापतां श्रीवीतरागनी आज्ञा प्रमाण था । एकांतवाद ते मिथ्यात्व । इम जाणी वीतरागनी वाणी साची सद्दही श्रीसम्यक्त्व विमल करिव ।
तमेव सच्चं नीसंकं जं जिणेहिं पवेइयं । इति श्रीपंचमांगवचनात्। (भगवती श. १. उ. ३ सू. १६६ ) इति सप्तनयस्वरूपम्॥
१. सूत्रादुद्धृत्य बालावबोधार्थं वार्तारूपं लिखितं। ऊनाधिकलिखने दुष्कृतं मिथ्या भूयात्॥ (श्रीमहावीर जैन विद्यालय पुस्तकालय, मुंबई ह.प्र.क्र.६०६) श्रीपासचंद्रसूरिभिः कृतं विवरणम् इति को. ६३९९९
Page #127
--------------------------------------------------------------------------
________________
१०४
(३.३)
अज्ञातकर्तृ ॥सप्तनयविचारः॥
नयामृतम् - २
[१] अथ नयविचार अनुयोगद्वारे सूत्रे ए रीते लगाडी छै ते रीत लगाडवी जुगत छै। श्वेतांबरमते तो ए परमाण छै पछे आप आपरी उक्त लगावे तेहनी वे जांणे पिण शास्त्रनो मत देखाड्यो वाहीजें | अमुकें शास्त्रमां ए रीते लगाडी छै। अनुयोगद्वारे पाथा' उपर सात नय लगाडी तेहना च्यार विकल्प कीया। प्रथम तो पाथो लेवा वनमें चाल्यौ ने लकडी काटी घडतां तथा पाथो नीपजवू को तेहने पाथो कहे? ते नैगमविवहार ने मतें पाथो कहै, दोय नयनो एक विकल्प कीयो ने पाथो धांन मापण रे कांम आवे । धांननो संग्रह होय तेहने संग्रहनय पाथो कहै। अनै ऋजुसूत्रनय ते पाथाने पाथो कहे अने धान पाथाथी माप्यो ते धांनने पाथो कहे। अने शब्द, समभिरूढ, एवंभूत ए तीन नयनो एक विकल्प कह्यौ ते तो पाथानें विषें जीवनो उपयोग तेहनें ज पाथो कहै । पथागारसपथो' ए पाठ पिण जड लकडीनें पाथो न कहें।
[२] दूजो दृष्टांत वसती उपर कह्यौ ते किणहीक पूछयौ तु किहां वसें? तरे कह्यौ हुं लोकमें वसु छु। पछे तिरछो लोक, जंबूद्वीप, देश, नगर, घरमें वसतो कह्यौ । तठाताई नेगमव्यवहारनो मत अने संग्रह तो संथारे वेगे तिण वसतो मान्यो ओर ऋजु तो असंख्यात आकाश परदेश अवगाया तिहां वसतो कयो अने शब्द, समभिरूढ, एवंभूत तौ आत्माना स्वभावमां वसतो मांन्यौ। आसनायवसांमी ए पाठसुं एहना च्यार विकल्प कर्या अने परदेशीनी पृच्छायें सात विकल्प कर्या। फेर च्यार निखेपा माथै सात नय लगाइ तिहां तेहना पिण च्यार विकल्प कर्या ।
नैगम, विवहार तो एक आवश्यकनें एक मांने अने घणा आवश्यकने घणा मांने अने संग्रह तो एक तथा घणा आवश्यकने एकही ज माने अर ऋजु तो एक आवस्यगही ज मांने तेही पोतानौ, घणा न वांछै अने शब्द, समभिरूढ, एवंभूत तो आवस्यगने विषै भाव हुवें तो माने।
[३] फेर संखमाथे सात नय लगाडी ए रीतें नैगम, संग्रह, विवहार तो आगले भवें संख ऊपजसी तेहने संख कहें अनेक जुतो संखनो आउखो बंध्यो पछै संख कहे अने शब्द, समभिरूढ, एवंभूत तो संखने सन्मुख हुवो संखपणे उपज्यौ तरें भावसंख कहें एहना तीन विकल्पही ज कीया। फेर ऋजुसूत्रों द्रव्यही ज गिणी अनें केईक आचार्य भावने गिणी पिण देईचंद जीना नयचक्र में कह्यौ ।
अनें ऋजुसूत्रनय वरतमान काले जे भाव होय ते मांनें । ज्ञान उपयोगने ज्ञान कहे, दर्शन उपयोगनें दर्शन कहै, सामायक उपयोगी ते सांमायकी कहें, कषाय उपयोगीनें कषाई कहें, पिण ए वात तो नही शुद्धभाव ऋजुनय मांनों शुद्ध अशुद्ध दोनु मानौ नियाय । ततौ पछै प्रश्न कर्यौ — ए रीत तौ शब्दनय ही मांनै पछै फेर मांहोमांहि फेर शु पड्यौ? तरें कह्यौ तर्कशास्त्रै एहवो कयो ऋजु कारणरूप अने शब्द कारजरूप ए फेर पाम्यौ।
[४] हिवे एह बोलांने अनुसारे नवतत्त्व षट्द्रव्य उपर लगाडुं हुं । प्रथम तो जीवतत्त्व अजीवतत्त्व दोय ही ज छै। एहनां संयोगथी सात तत्त्व ऊपना । तेहमें पिण पुन्यतत्त्व अरु पापतत्त्व ए दोय तत्त्व तेही ज आठ करम तेहथी पांच
१. =प्रस्थक २.पत्थयाहिगारजाणगो पत्थओ(अनुयोगद्वासूत्र-४७४)
३. देवचंद्र ४.
न्याय
Page #128
--------------------------------------------------------------------------
________________
गुजरात कृति
१०५
तत्त्व ऊपना मूलकारण एहीज रीतें पुन्य-पापरो आश्रव, पुन्य-पापरो ही संवर, पुन्य-पापरी ही निर्जरा, पुन्य-पापरो ही बंध, अनें मोख पिण पुन्य-पापनो ही ज छें।
[५] हिवे पुन्य तत्त्व ऊपरें सात नय लगाडे छें। नव प्रकार पुन्य कयो । तेहमां पहिलो अण पुन्यें कह्यो किण ही साधु तथा रांक पुरबलआंण जाचना करी तरे नेगम नयनें मते तो दान देवा उठ्यो । संग्रहनयनें मते अनादिक हाथे लीधो। व्यवहारनयने मतें तेहनें पात्रे पड्यौ । अर ऋजुनयनें मते अंतरक्रिया करे शुभ लेस्या कारणभाव सातावेदनीयादिक करमना पुद्गलवर्गणानो संचय थयो । शब्दनयनें मते कर्मनो विपाक स्थितिपाक उदै आयौ। समभिरुढनयनें मतें रस, वीर्य, पदारथ भोगव्यो । एवंभूतनयनें मते आत्मा में सुख जीवनो गुणनो भोगवतो हुवो।
हिवें पापतत्त्व। पहिलो प्राणातिपात पाप कह्यौ अठारै में। तेहमां किणही पारधीनें मृगना मांसनी ईछा हुई। ते नैगमने। संग्रहनय शस्त्र लेई वनमें चाल्यौ । व्यवहारे क्रिया करी मृग मार्यौ । ऋजनें मतें अशुभलेश्या कारण भाव असाता वेदनीयादिकं बयासी प्रकृति उपार्जी। शब्दनयनें मतें कर्मस्थितिपाक ऊदे आव्यौ ते कार्यभाव। समभिरूढनयनें मते पापभोगवण रूप प्रवृत्ति थई तेवाइ ज पदारथ भोग। एवंभूत नयनें मते आतमारे दुखपणानो वेदवा थयो, जीवनो दुख गुण तेहीज भोगव्यौ ।
[६] हिवें आश्रवतत्त्व उपर सात नय। कर्मनो श्रववो ते आश्रव। नैगमनयने मते तो लेश्यानो उदय हुवो। लेश्या योग नै उदै कही। संग्रहनयनें मतें कर्म आवरणरो बारणो खुल्यो । व्यवहारनयनें मते योगरी क्रिया कर कर्म वर्गणा ग्रही। ऋजुनें मतें जीवना परदेसां पुद्गल ग्रास्या गीलीया पिण ए क्रिया जीवना भावनिमत्त सहाइ विना हुवे नही । शब्दनयनें मते मिथ्यात्वादिक जीवना भाव। अनें समभिरूढनें मतें ते भावै जीवनी प्रकृति। अने एवंभूत नयनें मते ते भावै जीवनो मगन हुवणौ।
[७] ५ संवरतत्त्व। नैगमनयने मतें करम हलका थयां जथाप्रवृतिना परणाम थया । संग्रहनयनें मतें गुरुपास जाय पंच महाव्रत तथा बारें व्रत आदर्या । व्यवहारनयनें मतें समिति - गुप्ति में प्रवृत्तिण थयो। ऋजुने मते आवता कर्म ज्ञानावरणादि रुकांणा। शब्दनयनें मते चउदें प्रकृतिनो उपशम थयो, निज शक्ति प्रगटी । समभिरूढनें मतें आत्मानें थिरता प्रकटी, चंचलता मिटी । एवंभूतनै मतै आनंद सुख प्रगट्यौ जो संवर पदपाय आनंदे। ए समयसार में साख अने ठा[णां]गसूत्रे' दस सुख कह्या तिहां नवमो सुख संवरी साधनो कह्यौ सर्वार्थसिद्धना देवांथी अनंतगुणो इधको' कह्यौ।
[८] हिवें निर्जरातत्त्व। नैगमनयने मतें पूर्वे संचित कर्म जीर्ण थया । संग्रहनयने मतें सूत्रे वेदना निर्जरा कही ते करम वेदीया। व्यवहारनयनें मतें योगक्रिया कर कर्मारी परिसाटणा करी कर्म झाटकर दूर किया। ऋजुने मते देशथी कर्म तोडी जीवप्रदेश देश थकी ऊजलो हुवो। शब्दनयनें मते बारें प्रकार जीवना भाव ऊपना। समभिरूढनें मतें बारें प्रकार तप मांयलो अणसण अर अब्भिंतर तपमें सुभ ध्यान तेहनो ध्यायवो सेणिबंध थयो। एवंभूतनयनें म इच्छारोध हुवो आतम सत्ता एक थया ।
१. दसविहे सोक्खे पण्णत्ते। तं जहा— आरोग्गदीहमाउं, अड्ढेज्जं कामभोगसंसत्तं। अत्थि सुहभोगणिक्खम्ममेव तत्तो अणाबाहे। (स्थानांग १०-८३) २. =अधिक
Page #129
--------------------------------------------------------------------------
________________
१०६
नयामृतम्-२
[९] हिवे बंधद्वार। नेगमने मते करम आश्रवद्वारें आया ते प्रदेश जीवनाथी सनमुख थया। संग्रहनयनें मतें प्रदेशांथी बंधाणा। व्यवहारने मते पुरांणा कर्माथी एकमेक थया। ऋजुनें मते जीवना प्रदेश बंधाणा। शब्दनय मतें सिद्धांते रागबंध द्वेषबंध कह्यौ जीवना भाव रागद्वेष अज्ञान में थया। समभिरूढने मते जीव आर्तरौद्रध्याने रह्यौ। एवंभूतने मते किणही जीवनै नखसिख लांबां वध्यो दुःखी थाय तिम जीव दुखी थयो बंधभाव भोगवतां।
[१०] हिवें मोखतत्त्व। नैगमनें मतें कर्मारी थिति पूर्ण थई अनादि बंधी थी तें। संग्रहनयनें मतें करम दूर थया। व्यवहारने मते शुक्लध्यांननी क्रिया थई। ऋजुने मते हंसना अंस कहतां प्रदेश उजला थया। शब्दनयनें मते आठ गुण प्रगट्या केवलज्ञान केवलदरसण आदि। समभिरूढने मतें गुणांमें रयण थयो। एवंभूतने मते अनंत आनंद ऊपनो, सुख ते कारण सुखीपणौ ते कारज सुखगुणप्रवृत्ति ते क्रिया इति नवतत्त्व।
[११] पहिलो जीवतत्त्व कयो। तेहना चवदें भेद किया। ते उपर तो संखनी परे नय लागे छ। तथा
च्यार गति ८४लाख जीवा उपर ए रीते संभवे। अनुयोगद्वारमतें तो उहांतो तीन विकल्प कर्या अरु तीनांथी समझ न पडै तो सात नय कर दीखाया। कोई जीव आगलें भवे नारकीमें ऊपजसि मनुष्यथी ते उपर लगाडै छै। नैगमनयनें मते तो मनुष्यपणै छै अने आगला नेरियाना भवनौ आउखो न बांध्यो तेहा नेरीयो कहै। मनुष्यने पेहला तिर्यंचनो भव थो तेहथी मनुष्यपणामें आवें तरे छ बोल पहला बांध नीकलै ए भणे ती सूत्रनी साख गइनामे जाइनामे हइनामे खइनामे अवगाहनानामे सरनामे। (समवायांग ८२.६) तेहमें खइनामे कहतां आगलें भवै क्षेत्रफरसना योग परवरती बिध लेश्यादिक बंध होय तेह परमाणे भोगवै तेहथी नेगम तो तठाथी नेरियो कहे। अरु संग्रह तो वाटै वहतो तथा अपर्याप्ता मनुष्य थया नेरीयो कहै। अरु व्यवहारतौ पर्याप्तौ हुवां कुमारगेपरवर(?) तांने नेरियो कहै। अरु ऋजु तो नारकीनो आऊखो बांध्या पछे नेरीयो कहै। ते कारण ऋजु कारणरूप अने शब्द कार्यरूप नेरियापणानो भोगववो। शब्दनयनें मते अपर्याप्तानें नेरियो कहे। समभिरूढनयनें मतें नारकीना भावमें प्रवर्ततो क्षेत्र वेदना सहै। एवंभूतनें मतें परमाधामी मार दै दुःख भोगवें उत्कष्टा तरें नेरीयो कहें। एवंभूतनें मते अस्त्रीने माथे जलधरण किरिया करतो एकही पर्याय छै-छीन हुवे तिवारें घट कहें ए न्याय जाणवो। अरु एकली जीव उपरि ओर रीते लागे।
[१२] अरु अजीव उपर सात नय ते धर्मास्तिकाय ऊपरें सात नय। नैगमनें मतें तो खंद, देश, प्रदेश तीन भेद अभेद रुकर धर्मास्तिकाय द्रव्य मांगे। संग्रहनय एक द्रव्यरू एक सत्ता कर माने। व्यवहारनय असंख्यात प्रदेशरूपा एक परदेश विषे षट्गुणी हांणवृद्धिरूप माने। ऋजनें मते जीव पुद्गल वर्तमानकाले चलावें ते माने। अरु शब्दादिक तीन नय तो आत्माना उपयोगनें ही ज धर्मास्तिकाय कहै। पाथाने दृष्टांते पथागारसपथो। ते तीन नयना तीन विकल्प। शब्दनयनें मते ज्ञाननो उपयोग कारण। एवंभूतनै मते जाणपणो कारज। समभिरूढने मते ज्ञानगुणप्रवत्ति क्रिया थई। ए रीते पिण अधर्मास्तिकाय जाणवी। __[१३] हिवें आकाशास्तिकाय उपरि सात नय। नैगमादि सात नय मध्ये जीव कर्मनो कर्ता किसें नय करी?(१), अ जीवकर्मनो भोगता किसें नय करी?(२) जीव स्वरूपनौ कर्ता किसी नय करी?(३) जीव स्वरूपनो भोक्ता किसी
१. पत्थयाहिगारजाणगो पत्थओ(अनुयोगद्वासूत्र-४७४)
Page #130
--------------------------------------------------------------------------
________________
गुजराती गद्यकृति
१०७
नय करी?(४) ए प्रश्न साते नये जाणवौ। जीव कर्मनो अकर्ता किसी नय करी?(५), जीवकर्मनो अभोक्ता किसी नय करी?(६), जीव स्वरूपनो अकर्ता किसी नय करी?(७) जीव स्वरूपनो अभोगता किसी नय करी?(८) प्रश्न मध्ये पिण सातनयविचारणा मारी मतसारु ग्रंथांने अनुसारे ए रीते लागे।
प्रथम प्रश्न—जीवकर्मनो कर्ता किसी नय करी? ते शुद्ध निश्चै जीव रागद्वेषविभावपरणांमनो कारण पाय ऋजुनयनें मते। विवहारनी क्रियायें पुन्य-पापनो आश्रव कर बंधतत्त्व थया ने संग्रहनय सतारया ए रीते करता।
दुजो प्रश्न—करमनो भोगता ते पुन्य पापना बंधनो उदयकाल आया कर्म निर्जरं तरै पेला वेदना पछे निर्जरासु वेदवो तेही ज भोगववो ते अष्टकर्मकारण पाय जीवना सुखदुखरूप विभावपरणांम थाय ते असुद्ध शब्द नय करी जीव भोक्ता।(२)
जीव स्वरूपनौ कर्ता किसी नय अर स्वरूपनो भोक्ता किसी नय? ते इहां कर्म संबंधनो भेद नही एकला जीकामांही ज स्वरूपनो करता भोगतापणो छ। ते जीवद्रव्यमध्ये अनंतगुण कह्या। ते गुण आप आपणो कारजनी प्रवर्तना करै छै, नवा नवा कारण कारज समै समै उपजे छे। ते ज्ञानगुण कारण, जांणपणो ते कार्य, ज्ञानगुणप्रवर्ती ते किरिया(१)। सुखगुण कारण, सुख ते कारज, सुखगुणप्रवर्तन ते क्रिया। (२) इहां सुखगुणप्रवर्तना ते तो करतापणो अर सुख ते भोक्तापणो ए रीतें स्वरूपनो करतापणो भोगतापणो। अर इहां नय पुछोसु सिद्धमें नय न कही। अर अवस्था सर्वथासिद्धमै छ। फेर एवंभूतनय लगावै तो नजीकपणाथी लागै एवं ४ प्रश्ननो जबाब।
बाकी च्यार प्रसननो जबाब। जीवकर्मनो अकर्ता किसी नय? और कर्मनो अभोक्ता किसी नय? ते
जीव तेरमें गुणठाणै ईरियावहीकी क्रियायें सातावेदनी करमनो करता हुँतो ते जोगनिरोध कीधा पछी अक्रिय हुवो ते अकर्ता ते एवंभूतनयनें मते अकर्ता हुवो। पिण भोगतापणो चवदमै गुणठांणै छै ते च्यार कर्म निजरै छै ते वेदना विना निर्जरा हुवै जेनही अर अभोगता करमनौ समस्त करम रहत हुवाई ज हुवै ते सिद्धावस्थायेही जछै। इहां पिण सिद्धमैं नय नही कही। फेर एवंभूत आपारी कल्पनायै लगावें तो लागै ए कर्मनो अकर्ता-अभोक्तापणो कह्यौ। ____ जीव स्वरूपनौ अकर्ता किसी नय करी? अर स्वरूपनो अभोक्ता किसी नय करी? ते ए रीते शुद्धनिश्चं नय शुद्ध संग्रह नय करी वस्तुनै नित मांनै नित ते सत, सत ते अनादि परिणामी भावें जीव देवता, नारकी, मनुष्य, तिर्यंचपणै न हवौ कटस्थ अवस्थायै अर्थक्रियानौ कर्ता नही। कर्ता नहीं तिहां भोक्ता पिण नही। कर्ता विना भोगता हवै जन इहां नय शुद्धनिश्चें परणांमिक भाव स्वभाविक भाव छै तेमैं सिद्ध-संसारिनो भेद नही। सिद्ध-संसारीरो भेद तो उदय कषायादिक भावकरम जनन छै। तेमैं छ नय शुद्ध संग्रह फेर लागे छै। ए रीते मारी समझ माफक लगाया हैं। इणमाहि कोई अयथारथ लागो हुवै तौ पुछ लेजो। फेर आप कांई सवाय वात कर लगावो तो लगाय दीखावतो ज्यु मारै सवाय ज्ञान खुले। मारे तो ज्ञान पुछीयां-वांचियासुई ज वधै छै। नयनो ज्ञान गहन छै समझमें आई तिम लिखीयो छै।
॥इति सातनयविचार संपूर्ण।।'
१. प्रतिलेखकप्रशस्ति—सं.१९०६रा चैत्र सुद १५ दिने। ल दोलतविजय आत्मार्थे हेते।
Page #131
--------------------------------------------------------------------------
________________
१०८
नयामतम-२
(३.४) अज्ञातकर्तृक
॥सप्तनयविचारपत्र॥ हिवै श्रीवीतरागना वचन बि प्रकारना छइ। एक द्रव्यार्थिक नय(१) बीजौ पर्यायार्थिक(२)। जिम मेरु सासती वसत द्रव्यार्थकनयें सासती छइ, पर्यायें असासती छई।
हिवै सात नय कहें छइ। नैगमनय(१) संग्रहनय(२) व्यवहारनय(३) ऋजुसूत्रनय(४) शब्दनय(५) समभिरूढनय(६) एवंभूतनय(७)।
हिवें अर्थ लिखै छै। नैगम कहतां महासामान्य अंसग्राही छै, अंस4 पिण संपूर्ण वस्तु कहइ। जिम सूक्ष्म निगोदीया जीवमें अक्षररै अनंतमै भागे ज्ञान थकां सिद्ध समान कहै। वली १३ १४में गुणठाणै वर्ततां कमरा एक अंस थकां संसारी कइं इत्यादि(१)
संग्रह नय सत्ताग्राही छै। सर्व जीव एक समान छै, सत्तागुण घटै नही। यथा जीवरा २ भेद सिद्ध(१) अनै संसारी(२)
हिवै व्यवहार नय कहै छै जीव अनै पुदगलरा भेद विहचै ते व्यवहार नय कहीजै। जिम जीवना भेद २-सिद्ध(१) अनै संसारी(२), संसारीना २ भेद-अजोगी(१) सजोगी(२), सयोगीना बि भेद-केवली(१) छद्मस्थ(२), छद्मस्थना २ भेद-क्षीणमोह(१) उपशांतमोह(२)। ए बिहे १०रा ९।८ गुणठाणे, ए श्रेणि प्रतिपन्नना २ भेद-अप्रमत्त(१) प्रमत्त(२), प्रमत्तना २ भेद सर्वविरति(१) देशविरति(२), देशविरतिना२ भेद विरति(१) अविरति(२), अविरतिना २ भेद-समकिती(१), मिथ्यात्वी(२), मिथ्यात्वीना २ भेद-भव्य(१) अभव्य(२), भव्यना २ भेद-शुकलपक्षी (१) किसनपक्षी(२), शुकलपक्षीना २ भेद-परित्त संसारी(१) अपरित्त संसारी(२)। इण भांति भेद करै ते व्यवहार नय। अथवा जीवरा भेद १/२/३/४/५/६/७/८/९/१०/११/१२/१३/१४/ आथ] ५६३। अथ अनंता। ए सर्व व्यवहारें कर्मनइ उदै नाम व्यवहारें दीधा नि(वि?)हचै।
जीवनै १ भेद छै, वली पुदगलना २ भेद-परमाणु(१) खंध(२), खंधना २ भेद-सूषम खंध(१) बादरखंध(२) तेहना २ भेद-सचित्त(१) अचित्त(२), तेहना २ भेद-जीवगृहीत(१) जीवअग्री(गृही)त(२)। इण भांति अनेक भेद विहचै ते व्यवहार नय त्रीजारौ वचन जाणवौ।
पुदगलरा ४ भेद करै ते व्यवहारे परमाणुमांहे मिलनबिछडन सकति छइ तिण वास्ते पुद्गलास्तिकाय कहीजै।
हिवै वर्तमानकाल वर्तता भाव ग्रहै ते ऋजुसूत्रनया जिम साधुरा परिणाम में वरतता गृहीनै पिण साधु कहीजै, गृहीपरिणामे वरतता साधुनै पिण गृही कहीजै। वली मनुष्यतिर्यंचनें पिण नरकना आयुखानौ बंध थयां पछी नारकी कहीजै, इम देवतिरजंच विचारणा। यथा श्रीविवाहपन्नतीसूत्रे
१. =सूक्ष्म), २. =विभजन, विघटना, ३. =तिर्यंच
Page #132
--------------------------------------------------------------------------
________________
गुजराती गद्यकृति
नेरयिए णं भंते! नेरइएसु उ/व/वज्जे अनेरइए नेरईयेसु उ/व/वज्जे? गोयमा! नेरईए नेरईएसु उ/व/वज्जे। (भगवती श.४ उद्दे.९)
इम ऋजुसूत्र नय आलावौ छै।
अक्षररूप नामनें मुख्य कहै सो शब्दनय। जिम प्राणानुं धरै ते जीव, नही तौ वचन अगोचर छै। व्याकरण मध्ये शब्द नीपजै तेहनौ अर्थ हुवै ते कहै। जिम रागद्वेष जीपिं जिन।
हिवे शब्द रे भेदें पिण अर्थरो भेद न माने ते समभिरूढनय कहीजइ। जिम इंद्र, शक्र, पुरंदर, देवराज सर्वनै इंद्र कहीजै सब्दमें(नय) जुदा जुदा अर्थ बोलै छै पिण रूढेइं इही ज कहीजै।
शब्दमध्ये जेहवौ अर्थ छइ तेही ज बोलै ते एवंभूतनय जाणवौ। जिम परम ऐश्वर ज पणाथी इंद्र कहीजै, शक्र नाम सिंहासनमांहै बैसै तारे शक्र कहीजै। ए नय ७मौ सर्वथी सुद्ध छै । केवलज्ञानादि गुण प्रगट हुयै सिद्ध कहै। गुणपर्याये सहित संपूर्ण अवस्था प्राप्त वस्तुने वस्तु कहै। यथा सिद्धि स्थानक प्राप्त जीवने सिद्ध कहै।
हिवें जीव द्रव्यसुं सात ७ नय जोडै छ। नैगम करि तीन काल जयवंत सासतौ जीव छै। संग्रहनय करि अनंतगुणपर्याय सहित जीव छै। व्यवहार नय करि जीव सकर्मी छइ। ऋजुसूत्र नय करि कर्म बंधनै उपयोगे वर्ततौ सकर्मी छ। तेहि ज कर्मना क्षयना उपयोगमें वर्ततौ अकरमी शबद नय करि जीव इसौ नाम कहणी आवै। समभिरूढ नय करि जीव गुणपर्यायनै ओलखै। एवंभूतनय करि वस्तुनी सन्नाय है शुद्ध केवलज्ञानदर्शल(न) प्राण धरै ते जीव कहीजै। इम छ द्रव्यनै ७ नय लगावणां उपयोगसुं।।
१. =जिते
Page #133
--------------------------------------------------------------------------
________________
११०
नयामतम-२
अज्ञातकर्तृकः ॥सप्तनयअधिकारः॥
॥श्री जिनाय नमः॥ हिवै एक-अनेकपक्षथी निश्चै ज्ञान कहिवाने नय कहै। सर्वद्रव्यमें अनेक स्वभाव छै। ते एक वचनथी कह्या जाय नहीं तिणे मांहोमांहे संखेपपणें कहै छ। तिहां मल नयना बि भेद छै। एक द्रव्यार्थिक (१) बीजो पर्यायार्थिक(२) तिहां द्रव्यार्थिकनो अर्थ कहै छै उत्पादव्यय पर्याय गौणपणे द्रव्यनी गुणसत्तानै ग्रहै ते द्रव्यार्थिक कहीजै। ते द्रव्यार्थिक नयना दस भेद छै।
नित्य द्रव्यार्थिक सर्वद्रव्य नित्य छै(१)।
अगुरुलघु अने क्षेत्रनी अपेक्षा न करै, मूलगुणने पिंडापणे ग्रहै ते एक द्रव्यार्थिक (२)। जे ज्ञानादिक गुणे सर्वजीव एक सरिखा छै तिणे सर्व जीव एक कहै।
स्वद्रव्यादिकने ग्रहै ते सत् द्रव्यार्थिक जिम सत् लक्षणं द्रव्यम्(३)। अनै कहिवा जोगा गुण अंगीकार करै ते वक्तव्य द्रव्यार्थिक(४)। अशुद्ध द्रव्यार्थिक अज्ञान आत्मानो छै(५)। अन्वय द्रव्यार्थिक सर्व द्रव्य, गुण, पर्याय सहित छै(६)। परमद्रव्यार्थिक सर्वद्रव्यमूल सत्ता एक छै(७)। शुद्ध द्रव्यार्थिक जीव सर्वना आठ प्रदेश निर्मला छै(८)। सत्ता द्रव्यार्थिक जीवना असंख्यात प्रदेश एक समान छै(९)। परमभावग्राहक द्रव्यार्थिक गुणगुणी द्रव्य ते एक छ। आत्मा ज्ञान रूप छै(१०)। ए द्रव्यार्थिकना दस भेद कह्या। पर्यायार्थिक नय कहै छै— पर्यायाने ग्रहै ते पर्यायार्थिक। तेहना छ भेद छ। द्रव्यपर्याय—भव्यपणो, सिद्धपणो(१)। द्रव्यव्यंजनपर्याय आपना प्रदेश माने(२)।
गुणपर्याय—जे एकथी गुण अनेकता थाई। जिम धर्मादि द्रव्य आपणै चालनादि गुणथी अनेक जीव पुद्गलने सहाय करै(३)।
गुणव्यंजनपर्याय—जे एक गुणना घणा भेद छ (४)। स्वभावपर्याय—अगुरुलघु(५)। ए पांच पर्याय सर्वद्रव्यमें है।
Page #134
--------------------------------------------------------------------------
________________
गुजराती कृति
विभावपर्याय—–जीव पुद्गलमैं छै। अने छ पर्याय बीजा कहै छै -
अनादिनित्य पर्याय——–मेरुप्रमुख (१)।
सादिनित्य पर्याय—सिद्धपणो (२) ।
अनित्य पर्याय—समय समयमें छ द्रव्य ऊपजै विणसै छै (३)। अशुद्धअनित्य पर्याय—जन्ममरण थाय छै (४)।
उपाधिपर्याय—कर्मसंबंध (५)।
शुद्ध पर्याय जे मूलपर्याय सर्वद्रव्यना एक सरीखा छै (६)।
ए पर्यायार्थिकनो स्वरूप कह्यो ।
१११
हिवै सात नय कहै छै— नैगम नय ( १ ) संग्रह नय ( २ ) विवहार नय ( ३ ) रिजूसूत्र नय ( ४ ) शब्द नय (५) समभिरूढ नय(६) एवंभूत नय (७) ए सात नयना नांम जांणवा।
हिवै पहिलो नैगम नय कहै छै— नही छै एक गमो ते नैगम। एक अंस गुण ऊपनो हुवै तेणे वस्तुपणो मांनै ते नैगमनय कहीजै। अत्र दृष्टांत – जिम किणही मनुष्यने पाइली' ल्यावण मन थयो । तिवारै वनमें काठ लेण चाल्यौ। सुमुहो' कोई मनुष्य मिल्यो –तुं किहां जाय छै ? इम पूछ्यौ । तिवारै तिन कह्यो — जे पाइली लेवा जाउं छु। तो इणै पाइली तो घडी नथी पिण मनमें चिंतवी ते थई गिणी । ए सर्व संसारी जीवने सिद्ध समान कहै छै । जे सर्व जीवना आठ प्रदेस निर्मला सिद्धरूप छै । तिणे एकें अंसे सिद्ध छै। ते कारण सिद्ध समान कह्या । ते नैगम नयना त्रिण भेद छै । वर्तमान अतीत आरोपण नैगम ( १ ) वर्तमान अनागत आरोपण नैगम (२) वर्तमान नैगम (३) अतीत नैगम केहने कहीयै? जे वीरनो निर्वाण आज थस्यै। ए अतीत नैगम। अनागत नैगम केहने कहीयै? जे पद्मप्रभुनो निर्वाण आज थस्यै ए अनागत नैगम। एतलै नैगम नय कह्यौ।
हिवै संग्रहनय कहै छै। सत्ता ग्रहे ते संग्रह। जे कारणै एक नाम लीधां सर्व गुण, पर्याय परिवार सहित आवै ते संग्रह नय जाणिवो। अत्र दृष्टांत कहै छै । जे कारणे किणही मनुष्य परभात दांतणनी विरियां धरवा (बा) रणे आय आपणे चाकरसुं कहै—जे दांतण ल्यावो । तिवारै ते दास लोटी, पांणी, रुमाल, दांतण सर्व ले आवै । ते दांतण क नाम ले मंगाव्यो पिण सर्वनो संग्रह थयो तिंम द्रव्य एहवो नांम कह्यो द्रव्यना गुण, पर्याय सर्व आवै। ते संग्रह नयना बे भेद छै। एक सामान्य संग्रह(१) जे द्रव्यपणो सामान्य लेतां जीव अजीवनो भेद न पड्यो अनै बीजो विशेष संग्रह (२) विशेषता अंगीकार करै छै जे जीव द्रव्य इम कह्यां अजीव सर्व टल गया ए संग्रह नय कह्यो ।
हिवै विवहारनय कहै छै। विवहरण कहतां बाह्य स्वरूप देखीनें भेद विहचै जे बाहिर दीसता गुण देखै ते मांने अंतरंग सत्ता न मानै एतलै ए नय में आचार क्रिया मुदै छै । अंतरंग परिणामनो उपयोग नथी । जे कारण नैगम, संग्रह ज्ञानरूप धांनना परिणाम विना अंस तथा सत्ताग्राही छै तिम इहां करणी मुख्य छै। ते विवहार नयपणें जीवनी
१.
धान्यमाप
२. सन्मुख - सामे
Page #135
--------------------------------------------------------------------------
________________
नयामृतम्-२
विवस्था अनेक भांत छै। तिहां नैगम संग्रह नय करी सर्व जीव सत्ताइं एकरूप छै पिण व्यवहार नय जीवना बे भेद छै—सिद्ध(१) संसारी(२)। संसारी जीवना बे भेद छै—अजोगी चौदमें गुण ठाणे वर्तमान केवली लीधा छै। बीजो सजोगी। सजोगीना बे भेद_एक केवली(१) बीजो उपशांतमोह(२) उपशांत मोहना बे भेद छै_अकषाई(१) ईग्यारमे गुणठाणेंना जीव, सकषाई(२)। सकषाईना बे भेद छै—एक सूक्ष्म सकषाई दशमें गुणठाणाना जीव, बादर कषाइ(२)। बीजा बादर कषाइना बे भेद छै—एक श्रेणिप्रतिपन्न(१) बीजा श्रेणिरहित(२)। श्रेणिरहितना बे भेद छै—एक अप्रमादी(१) बीजा प्रमादी(२)। प्रमादीना बे भेद—एक सर्वविरति(१) बीजा देसविरति(२)। देसविरतिना बे भेद—एक विरतिपरिणाम(१) अविरतिपरिणाम(२)। अविरतिना बे भेद—एक अविरती समकिती(१), बीजो मिथ्यात्वी(२)। मिथ्यात्वीना बे भेद छै—एक भव्य(१) बीजो अभव्य(२)। भव्यना बे भेद छै—एक ग्रंथिभेदी(१) बीजो ग्रंथिअभेदी(२)। इम जे जीव जेहवो दीसे छै ते तेहवो मांने ए विवहार छ।
इम पुद्गलना भेद करवा ते कहै छै—पुद्गल द्रव्यना बे भेद छै—एक परमाणुआ(१) बीजो खंध(२)। खंधना बे भेद छै—एक जीवसहित जे जीवनों लागा(१) बीजो जीवरहित घडो प्रमुख अजीव खंध(२)। जीवसहित खंधना बे भेद छै—एक सूक्षम(१) बीजो बादर(२)। __ इहां वर्गणानो विचार लिखीयै छै तिहां पुद्गलनी वर्गणा आठ छै—उदारिकवर्गणा(१), वैक्रियवर्गणा(२), आहारकवर्गणा(३), तेजसवर्गणा(४), भाषावर्गणा(५), ऊसासवर्गणा(६), मनोवर्गणा(७), कर्मवर्गणा(८) ए आठ वर्गणाना नांम। बे परमाणुआ भेला थाइ तिवारे द्वणुक खंध थाइ, तीन परमाणुआ भेला थाइ ते त्रिणुक खंध थाई। इम संख्याते परमाणुए संख्याताणुक खंध थाइं, असंख्याते असंख्याताणुक खंध थावे, अनंते परमाणुए मिलि अणंताणुक खंध थावै। ए सर्व जीवनें अग्रहण योग्य छै अमें अभव्यथी अनंतगुण अधिका परमाणुआ भेला थयां ऊदारिकनी लेवा योग्य वर्गणा थाय। इण अनंतगुण अधिक वर्गणा नामें दल थाइं तिवारै वैक्रीनी वर्गणा थायें। इम वैक्री अनंतगुण परमाणु मिल्या आहारक वर्गणा थायै। एम सर्व वर्गणा एक एकथी अनंतगुणा अधिक परमाणुआ मिलै ते सर्व अनंत गुणा थायै एतलै पहिलीथी बीजी वर्गणा, बीजीथी तीजी वर्गणा इम सातमी मनोवर्गणाथी आठमी कर्मवर्गणामें अनंतगुणा परमाणुं अधिक छै। इहां उदारिक(१), वैक्रिय(२), आहारक(३), तेजस(४) ए च्यार वर्गणा बादर छै। इणांमें पांच वर्ण, बे गंध,पांच रस, आठ फरस ए वीस गुण छै भाषा(१), ऊसास(२), मन(३), कार्मण(४) ए च्यार सूक्ष्म वर्गणा छ। एमें पांच वर्ण, बे गंध,पांच रस, चार फरस ए सोलै गुण छ। एकलै परमाणुएमें एक वर्ण, एक गंध, एक रस, बेइ फरस ए पांच गुण छ। इम पुद्गल खंधना अनेक भेद छै।
हिवै विवहारनयना छ भेद छै। शुद्ध विवहार(१) जे गुणठाणानो छोडवो उपरिला गुणठांणानो लेवो अथवा ज्ञान-दर्शन-चारित्रगुण निश्चै नय एकरूप छै। ए शिष्यने समझाइवाने जुदा भेद कहवा ते शुद्ध विवहार(१)।
बीजो अशुद्ध विवहार जे जीवमें अज्ञान-राग-द्वेष लागा छै ते अशुद्धपणे छै ए अशुद्ध विवहार(२)। त्रीजो शुभ विवहार जे पुण्यनी क्रिया करणी ते शुभ विवहार(३)। चोथो अशुभ विवहार पापरूप अशुभ कर्म जीव जिणथी करै(४)।
Page #136
--------------------------------------------------------------------------
________________
गुजराती गद्यकृति
११३
उपचरित विवहार जे कारण धन, घर, कुटंब परतक्ष आंपांसुं जूदा छै पिण जीव अज्ञानीपणे आपणा करि जांण्या छै ते उपचरित विवहार(५)।
छट्ठो अनुपचरित विवहार जे शरीर आदिक परवस्तु छै यद्यपि जीवथी जुदा पिण परिणामिक भाव लोलीपणे एक ठामि ज रह्या छै ते जीव आपणा करि जांणे ते अनुपचरित विवहार जाणवो। एतलै विवहारनय कह्यो।
हिवै ऋजुसूत्रनयनो विचार कहै छ। अतीतकाल अनागतकालनी अपेक्षा न करै वर्तमान कालें जे वस्तु जेहवै गुणे परिणांमें वरतै ते वस्तु तेहवै परिणामें मांगे। ए नय परिणामग्राही छै। जे जीव गृहस्थ छै पिण अंतरंग साधु समान परिणाम छै तो ते जीव साधु कहीजै अने जे जीव साधुने वेसे छै पिण मनपरिणाम विषयाभिलाषी सहित छै। जे सदा सर्व वस्तु में एक वर्तमान समय वर्ते छै एतलै जे जीव गये काल अज्ञानी हतो अमें आगलें काल ज्ञानी भावे अज्ञानी थासी ते बहुकालनी अपेक्षा न करै एक वर्तमान समय जे जेहवो तेहनें तेहवो कहै। एक सूक्ष्म ऋजुसूत्र छै(१) अनें बादर मोटका बाह्य परिणाम ग्रहै ते थूल ऋजुसूत्र। एतलै ऋजूसूत्र नय कह्यो।
शब्द नय कहै छै जे वस्तु गुणवंत अथवा निर्गुण ते वस्तु ते नाम कही बोलावीयै भाषावर्गणाथी शब्दपणे वचन गोचर थायें ते शब्दनय। जे कारण अरूपी द्रव्य वचनस्युं ग्रह्या जायें नही पिण वचनस्युं कहिवा ते शब्दनय कहीजै। इहां जे शब्दनो जे अरथ हुवै ते पणो ते वस्तुमें पांमीयें तिवारै ते वस्तु शब्द नामै कहीजै। घट जे चेष्टा तेहने करतो ते घट ए शब्द नयमें व्याकरण नीपना अनें बीजा पिण सर्व शब्द लीधा। ते शब्द नयना चार भेद छे—नांम(१), थापना(२), द्रव्य(३), भाव(४)।
ए च्यार निक्षेपाना पिण एही ज नाम छ। ते विस्तारस्युं कहै छ। हिवै प्रथम नामनिक्षेपो कहै छ। जे आकार गुण वस्तुनें नामें करी बोलावणो ते नामनिक्षेपो कहीजै। जे लाकडीनो कटको एकलेइ किणेकै जीव कही नाम कह्यो ते नामजीव जाणवो। जिम काली दोरडीने सापनी बुद्धे करीने घाउ करै हणै तेहनें सापनी हिंसा लागै ए नामसर्प थयो। ते वास्तै इम नामतप अथवा नामसिद्ध जिम वड प्रमुखने सिद्धवड इम कही बोलावै छै। णामं आवकहियं (अनुयोगद्वार ७९) ए सूत्र साख छ। __हिवै थापनानिक्षेपो कहै छ। जे किणहीमें जे केहनो आकार देखीने तेहने ते वस्तु कहै एतलै चित्राम अथवा काष्टपाषाणनी मूर्ति तेहने घोडा हाथीनो आकार छै ते घोडा हाथी कहवायै ते थापना जाणवी। ए थापना निक्षेपें सहित होवै। जिम थापनासिद्ध जिनप्रतिमा प्रमुख। इहां थापना सद्भाव पिण होवै असद्भाव पिण होवै। अकृत्रिम नंदीश्वरने विषै जिनप्रतिमा, कृत्रिम इहां जे प्रतिमा ए सर्व थापना जाणवी। जिम चित्रांमनी स्त्री जिहां मांडी होइ तिहां साधु न रहै जे कारण थापना स्त्री छै इम जिनप्रतिमा जिन समांन जाणवी।
इहां केइ अज्ञानी जीव कहै—जे थापनामें ज्ञानादिक गुण नथी तिणे मानवी पूजवी नही। तेहने उत्तर दीजै—जे थापनारूप स्त्रीमें स्त्रीना गुण केहवा छै पिण विकारनो कारण थाये छै तो जिनप्रतिमा धांननो कारण छै। अमें जो हिंसा थायें छै तिणे भगवंते दयामें धर्म कह्या छै तिहां कहीजे–जे परदेसी राजा केसीगुरुने वांदिवा बीजै दिन घणै
१. =ध्यान
Page #137
--------------------------------------------------------------------------
________________
११४
नयामतम-२
आया खलु सामाइयं(भगवती श.१ ३.९.सू.९२७) ए आलावैथी जाणिज्यो। तथा जीव स्वरूप जाण्यां विना तप, संयम पुण्यप्रकृति देवभवनो कारण छै। पुव्वतवेणं पुव्वसंजमेणं देवलोए उववज्जंति तो चेव णं आयभाववत्तव्वयाए।
(भगवती श.२.उ.५,१०२) ए आलावो भगवतीमांहि कह्यो छ।
तथा जे क्रियालोपी आचारहीन छै अने ज्ञानहीन छै अनें गच्छनी लाजै सिद्धांत भणै वांचै छै, व्रत पच्चक्खाण करै छै ते पिण द्रव्यतः जाणवो। अनुयोगद्वारमें कह्यो छै—
जे इमे समणगुणमुक्कजोगी, छक्कायनिरणुकंपा, हया इव उद्दामा, गया इव निरंकुसा, घट्टा मट्ठा तुप्पोट्ठा पंडुरपाउरणा जिणाणं आणाए सच्छंद विहरिऊण उभओकालं आवस्सगस्स उवटुंति तं लोगुत्तरियं दव्वावस्सया(अनुयोगद्वार-२०)
अर्थ-जिणांने छक्कायनी दया नथी, घोडानी परै, उन्माद हाथीनी परै निरंकुश छै आपणे सरीरने धोवता, मसलता ऊजलै कपडै सिणगार कीधां गच्छने ममत्व भावै माचता, स्वेच्छाचारी वीतरागनी आज्ञान्या भांजता जे तप क्रिया करै छै ते पिण द्रव्यनिक्षेपैमें छै। अथवा ज्योतिष-वैद्यक करै छै अने आपनी लोक पासै महिमा करावै छै अने आपनें आचार्य-उपाध्याय कहावी लोक पासै महिमा करावै छै ते पणि बद्धा खोटै रूपीयै सरिखा छै, घणा भव भमीसी, अवंदनीक छै। ए साख उत्तराध्ययन अनाथी अध्ययनथी जांणज्यो। ____ अनें जे सूत्रना अर्थ गुरुमुखै सीख्या विना, नयप्रमाण जांण्यां विना, निश्चै आत्मस्वरूप ओलख्यां विना, नियुक्ति विना उपदेश देवै छै ते आप तो संसार मांहि बूडै पिण जे तिणें पासै बेसै तेहनें पिण लेई बूडै छै। ए प्रश्नव्याकरणसूत्रनी अनुयोगद्वारनी साख छै—
अज्झत्थं चेव सोलसमं इत्यादि (प्रवचनसारोद्धार-६९६) अनें भगवतीसूत्रमें पिण कह्यो छै— सुत्तत्थो खलु पढमो, बीओ निज्जुत्तिमीसओ भणिओ। इत्तो तईयणुओगो, नाणुन्नाओ जिणवरेहिं॥
(भगवती.९४) अनें केई इम कहै छै जे म्हे सूत्र ऊपरि अर्थ करां छां नियुक्ति टीकानो स्यो काम छै? ते पिण मृषावादी छै। जे प्रश्नव्याकरणमां कह्यो छै—
वयणतियं लिंगतियं इत्यादि जांण्यां विना अने नय-निक्षेपा जांण्या विना उपदेस दैवै छै ते मृषावादी छै। इम अनेक सूत्रमें साख छै तिणें बहुश्रुत पासें उपदेस सुणवो। उत्तराध्ययनमें बहुश्रुतनें मेरुनी समुद्रनी कल्पवृक्षनी उपमा दीधी छै। एतलै नामथापना द्रव्य ए त्रिण निक्षेपा भाव निक्षेपा विना अशुद्ध छ।
हिवै भाव निक्षेपो कहै छै जे नाम, आकार,लक्षण गुणसहित वस्तु ते भाव निक्षेपो जांणवो। उवओगो भावः। इति वचनात्।
१. कालतियं वयणतियं लिंगतियं तह परोक्खपच्चक्ख। उवणयऽवणयचउक्कं, अज्झत्थं चेव सोलसम।। (प्रवचनसारोद्धार ६९६)
Page #138
--------------------------------------------------------------------------
________________
गुजराती गद्यकृति
११५
आडंबरसुं आयो ते वांदनामें हिंसा थइ पिण लाभकारण गिणी तोटो न थयो। बीजो मल्लिनाथ छ मित्र प्रतिबोधवाने पूतलीनो दृष्टांत कह्यो। सो हिंसा तो घणी थई पिण लाभकारण गिणी। इम भाव सुद्ध थकां हिंसा नही लागती।
अथवा केइ इम कहै छै ते अम्हे आपणे थांनके बैठा नमोत्थु णं कहस्युं अमने लाभ थासी। ते खरो पिण भगवतीसूत्र में भगवंतनी वंदनाने अधिकारै तिहां जाय वंदना कीधाना मोटा फल कह्या। तथा निक्षेपाने अधिकारै इम कह्यो जे भाव निक्षेपो एकलो थायै नही नाम, थापना, द्रव्य मिल्याई ज थाइं।
तिणे थापना मानवी अवस्य। जे थापना न माने तेहनें इम कहीजे–जे चित्रांमनी मूरतिने हिंसा परिणांमे फाडै तेहनें हिंसा लागै छै तिम जिनवरने धांने जिनप्रतिमा पूजतां लाभ थाई छै। इम युक्ति करतां अने आगम साखे पिण जिनप्रतिमा जिनसमांन मानवी। माने ते आराधक अने प्रतिमा न माने तिणे थापना निक्षेपो उथाप्यो अने थापना उथापी तिवारै द्रव्य, भाव पिण उथापै छै। तिवारै त्रण निक्षेपा उथाप्या तिवारै सिद्धांत उथाप्यो। तिणे जिन प्रतिमा न मांने ते विराधक छै। एतलै थापना निक्षेपो थाइं।
हिवै द्रव्य निक्षेपो कहै छै। जेहमें नाम पिण होवै आकार थापना गुण पिण होवै अमें लखण होवै पिण आत्मोपयोग तेपणे वरतो न हवै ते न मिलै ते द्रव्यनिक्षेपो जांणवो। एतलै अज्ञानी जीव जीव स्वरूपना उपयोग विना द्रव्य जीव छ। अणुवओगो दव्वं (अनुयोगद्वार-१३) ए अनुयोगद्वारनो वचन छै।
वली कहवो छै पद, अक्षर, मात्रा शुद्ध सिद्धांत वाचतां पूछतां अर्थ करै छै गुरुमुख सद्दहै ते पिण शुद्ध निश्चै सत्ता उलख्यां विना सर्व द्रव्यनिक्षेपैमें छै। जे भाव विना द्रव्य छै ते पुण्यबंधनो कारण छै पिण मोक्षनो कारण नही छै। एतलै जे करणी रूप कष्ट तपस्या करै छै अनै जीव-अजीवनी सत्ता नही ओलखी ते भगवतीसूत्रमें अविरती अपच्चक्खांणी कह्या। तथा जे जे एकली बाह्यकरणी करै छै अमें आपने साधु कहावै छै ते मृषावादी छै। उत्तराध्ययनमें कह्यो छै। न मुणी रण्णवासेणं (उत्तराध्ययनसू.२५-२९) ए वचने नाणेण य मुणी होड़ (उत्तराध्ययनसू.२५-३०) इणे वचनें ज्ञानी ते मुनी छै, अज्ञानी ते मिथ्यात्वी छ।
तथा कोइक गणितानुयोगना नरकदेवताना बोल अथवा यति-श्रावकनो आचार जांणीनें कहै—जे अम्हे ज्ञानी छु ते ज्ञानी नथी, द्रव्य-गुण-पर्याय जांणे ते ज्ञानी कहीजै। उत्तराध्ययनें मोक्षमार्गमें कह्यो छै। अत्र गाथाएयं पंचविहं नाणं दव्वाण य गुणाण या पज्जवाण य सव्वेसिं नाणं णाणीहिं दंसियं॥
(उत्तराध्ययन २६-५) ए पंच वस्तु सत्ताइं जाण्या विना ज्ञानी नही अनें नव तत्त्व ओलखै ते समकिती एहवें ज्ञान दर्शन विना जे कहै अम्हे चारित्रीया छु ते पिण मृषावादी छ। जे कारणे उत्तराध्ययनमे कह्यो छै—
नादंसणिस्स नाणं, नाणेण विना ण हुंति चरणगुणा। (उत्तराध्ययनसू.२८-३०)
ए वचन छै ते कारणे आज ज्ञानहीन केइक क्रियानो आडंबर दिखाडै छै ते ठग छै। तेहनो संग न करणो। ए बाह्य करणी अभव्यने पिण आवै, तिणे ऊपर राचवो नही अने आत्माने स्वरूप ओलख्यां विना सामयक, पडिक्कमण, पच्चक्खाण द्रव्यनिक्षेपैमें पुण्याश्रव छ, संवर नथी। भगवतीसूत्रमें
Page #139
--------------------------------------------------------------------------
________________
११६
नयामृतम्-२
एतलै पूजा दांन शील तप क्रिया ज्ञान सर्वभाव निक्षेपे सहित लाभ कारण छै। ___ इहां केइ कहै छै—मन परिणाम दृढ करी कीजै ते भाव कहीजै ते कूडा छै। ए तो सुखनी वांछाए मिथ्यात्वी पिण घणाहि करै छै ति न गिणवो। इहां ज सूत्र साख वीतरागनी आज्ञायें हेय, उपादेय परीक्षा करी अजीव, आश्रव, बंध उपरि हेय त्यागभाव; जीवना स्वगुण, संवर, निर्जरा, मोक्ष उपरि उपादेय परिणाम भाव कहीजै। एतलै रूपी द्रव्य ते गुण कहीजै अमें अरूपी गुण ते भाव। एतलै मन-वचन-कायाथी लेश्यादिक सर्व द्रव्यनिक्षेपैमैं छै अने ज्ञान, दर्शन, चारित्र, वीर्य, ध्यान प्रमुख जीवगुण सर्व भावमें छ। ए भावनिक्षेपो नाम, थापना, द्रव्यसुं सहित छै। एतलै च्यार निक्षेपा कह्या।
हिवै च्यार निक्षेपा लगाय दिखाडै छै। नामजीव मांचै नें वाणमें एक वांणनें जीव कही बोलावै छै। थापना जीव मूर्ति प्रमुख जे थापीजै। द्रव्य जीव एकेंद्रीथी पंचेंद्री पर्यंत सर्व जीव पिण उपयोग भेलै नही ति वारै। भाव जीव जे जीव स्वरूप ओलखी समकितना उपयोगमें है।
इम धर्मास्तिकायादिक द्रव्यमें जांणवो नामथी बोलावणो जिम धर्म द्रव्य। थापना धर्मास्तिकाय अक्षर एहवा लिखणा अथवा दृष्टांत कारणे कांई वस्तु थापवी। द्रव्य धर्मास्तिकाय जे असंख्यात प्रदेशी धर्मद्रव्य छै। भावनिक्षेपैमें धर्मास्तिकाय जिवारै चलण गुणनी अपेक्षा सहित ओलखीयै।
हिवै नामसाधु केहनो साधु एहवो नाम छै। थापनासाधु जे थापना कीजै। द्रव्यसाधु जे पंचमहाव्रत पालै, क्रिया अनुष्ठान करै, आहार सूझतो लै पिण ज्ञान ध्यांन मोक्षनो तेहवो उपयोग नथी। भावसाधु जे साधुनी करणी करै भाव संवर मोक्षनो साधक ते साधु कहीजै।
नामअरिहंत जे किणहीकनो अरिहंत नाम छै। थापना अरिहंतनी प्रतिमा। द्रव्य अरिहंत जिहांतिई केवलज्ञान न ऊपनो तिहांताई छद्मस्थ थका भगवंतनो जीव। भाव अरिहंत जे केवल ज्ञान पाम्या पछै लोक अलोक देखै ते जांणवो। इम सिद्धमें पिण जांणी कहवा।
तथा नाम ज्ञान एहवो किणही जीवनो भावें अजीवनो नाम। थापना ज्ञान पुस्तकमें लिख्यो थको। द्रव्यज्ञान जे उपयोग विना सिद्धांतनो भणवो अथवा अन्यमतीना शास्त्र सर्व अथवा ज्ञशरीरादि द्रव्यज्ञान जाणवो। भावज्ञान नवतत्त्वनो जाणवो।
तथा नामतप तप एहवो केहनो नाम। थापनातप पुस्तकांमे तपनी विधिनो लिखनो। द्रव्यतप पुण्य रूप तप मासक्षमण करवो। भावतप परवस्तु ऊपर त्यागनो परिणाम। इम संवरादिक सर्व च्यार च्यार निक्षेपा जांणवा।
तथा अनुयोगद्वारमें कह्यो छै— जत्थ य जं जाणिज्जा णिक्खेवं णिक्खवे निरवसेस। जत्थ य णो जाणिज्जा चउक्कयं णिक्खवे तत्थ॥
(अनुयोगद्वार-७) ए च्यार निक्षेपा कह्या। इहां पहिला तीन निक्षेपा ते धुरला च्यार नयमध्ये द्रव्य छै अनें भावनिक्षेपो ते शब्दादिक तीन नय छै। तो इहां च्यार निक्षेपा शब्दनयमां का कह्या? इहां नामादिक एहवा नाम ते च्यार निक्षेपा नाते
Page #140
--------------------------------------------------------------------------
________________
गुजराती गद्यकृति
शब्दरूप छै पिण निक्षेपानी परणितिरूप वस्तु ते तीन निक्षेपा वस्तु आदि च्यार नयमें छै, भाव निक्षेप वस्तु ते शब्दादिक नयमें छै इम सरदहज्यो। एतलै शब्दनय कह्यो। ___हिवै छट्ठो समभिरूढनय कहै छै। जे वस्तुना केतला गुण प्रगट्या छै केतला नही प्रगटसी अवस्य एहवी वस्तुनें वस्तु कहै ते वस्तुना नामांतराना वाचक अर्थरूप धर्म प्रगट हवै ते पर्यायने ते वस्तु कहीये, जे अर्थ पर्याय प्रगट्या नही ते वस्तु पर्यायपणो ते वस्तुमें न कहै छतां प्रगट पर्याय ते एक करी जांणै जिम जीव चेतन आत्मा एहनो नामार्थ धर्म प्रगट्या ते तेमां गणी पदार्थनो एक अर्थ कहै ते समभिरूढनय कहीजै। ए एक अंस ओछी वस्तुनें पिण पूरी वस्तु कहै।
हिवै एवंभूतनय कहै छै। जे वस्तु आपणे गुणे संपूर्ण छै अने आपणी क्रिया करै छै ते वस्तुना वचन पर्याय तथा वस्तु धर्म सर्वप्रगट प्रवर्ततां हवै तेहने ते वस्तु कहीजै, जिम मोक्षस्थानक पहुंतै जीवने सिद्ध कहै जिम पांणी भर्यो, स्त्रीना माथा ऊपरि आवतो, जलधरण क्रिया करतो घडो कहीजै। ए एवंभूतनय कह्यो। एतलै सात नय कह्या। ____ हिवै सात नयना दृष्टांत अनुयोगद्वारसूत्रथी(सूत्र-४७४) लिखीयै छै। जिम कुणही पुरुषै किणही बीजै पुरुषने पूछ्यो—तुं किहां वसै छै? हुं तो लोकमें वसुं छु। ए अशुद्ध नैगमा वली पूछ्यो—जे लोकना त्रिणि भेद छै अधोलोक(१) तिरछो लोक(२) ऊर्ध्वलोक(३) तिहां तुं किहांमें रहै? तिवैरै सुद्ध नैगम कह्यो— जे तिर्छ लोकमें रहुं छु। वली पूछ्यो—जे तिर्छ लोकमें असंख्याता द्वीपसमुद्र छै तुं किसा द्वीपमें रहै छै? तिवारै विशुद्धतर नैगम कह्यो—जे जंबूद्वीपमा रहुं छु। वली पूछ्यौ—जंबूद्वीपमा क्षेत्र घणा छै तुं किसा क्षेत्रमें रहै छै? तिवारै अतिशुद्ध नैगम बौल्यो— जे भरत क्षेत्रमें रहं छु। भरतना छ खंड छै इम कह्यो तिवारै कह्यो देसमें नगर णांम घणा छै ते तूं किहां रहै छै? तिवारै कह्यो—जे हुं आपणे गांम में रहुं छु। वली पाडो छै, घर छै ते बताव्यो। तिहांतांइ नैगम नय जाणवो।
अमें संग्रह नय बोल्यो—जे आपण शरीरमें वसुं छु। विवहार नय बोल्यो—जे संथारै बैठो तेतलै बिछावणामें रहुं छु। ऋजुसूत्र नय कह्यो—आपणा सभावमे रहुं छु। शब्द नय कहै—जे हुं आपणा असंख्याता प्रदेशमे वसुं छु। समभिरूढ नय कहै छै हुं आपणै गुणमें रहुं छु। एवंभूत नय कहै—जे ज्ञानदर्शन गुण में वसुं छु।ए दृष्टांत कह्यो तिम कहवो सर्व वस्तुमें।
तथा कोईक प्रदेशमात्र क्षेत्र अंगीकार करी पूछ्यो—जे ए प्रदेश केहनो छै? तिवारै नैगम नय कह्यो—जे छ द्रव्यनो प्रदेश छै। जे कारण एक आकास प्रदेश में छ द्रव्य भेला छ।
तिवारै संग्रह नय बोल्यो—काल तो अप्रदेश छै ते सर्व लोक में एक समय छै ते एक आकास प्रदेश में जुदो नथी तिण काल विना पांच द्रव्यनो छ।
तिवारै विवहार नय बोल्यो—जे द्रव्य मुख्य दीसै छै तेमां वसुं छु।
तिवारै ऋजूसूत्र नय बोल्यो—जे जिण द्रव्यनो उपयोग दे पूछीजै ते द्रव्यनो छै ते जो धर्मास्तिकायनो उपयोग तो धर्मास्तिकाय प्रदेश छै जो अधर्मास्तिकायनो उपयोग ये पूछ्यो तो अधर्मास्तिकाय प्रदेश कहीजै।
Page #141
--------------------------------------------------------------------------
________________
११
नयामृतम्-२
तिवारै शब्दनय बोल्यो—जे नाम ले द्रव्य पूछी जेतलो ते द्रव्यनो प्रदेश छै।
समभिरूढ नय बोल्यो—जे एक आकास प्रदेशमें धर्मास्तिकायनो एक प्रदेश छै, अधर्मास्तिकायनो एक प्रदेश छै, जीवना अनंता प्रदेश छै, पुद्गलना अनंता परमाणुं प्रमुख पिण छै।
अने एवंभूतनय बोल्यो जे प्रदेश द्रव्यनी क्रिया गुण अंगीकार करी देखीजै ते समयमें ते प्रदेश ते द्रव्यनो गिणीजै। ए प्रदेश में सात नय कह्या।
हिवै जीव में सात नय कहै छै। नैगमनय कह्यो—गुणपर्यायवंत ते जीव शरीर सहित। एतलै शरीरमांहि जे बीजा द्रव्य पुद्गल-धर्मास्तिकायादिक ते सर्व तिण जीवमें गिणणा।
तिवारै संग्रहनय बोल्यो—असंख्यात प्रदेशी ते जीव। एतलै एक आकास प्रदेस टल्यो बीजा सर्व माहि गिणाणा।
तिवारै विवहारनय बोल्यो—जे विषय लेइ काम चिंता रै जे जीव। एतलै धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाश, बीजा पुद्गल सर्व टल्या पिण पांच इंद्री, मन, लेश्या पुद्गल छै ते जीव में गिणाणा। जे कारण विषयादिक तो इंद्री लेइं छै ते जीवथी न्यारा छ। पिण इहां जीव भेला कीधा तिवारै।
तिवारै ऋजुसूत्रनय कहै छै—जे उपयोगवंत ते जीव। इणे इंद्रीयादि सर्व टल्या पिण ज्ञान अज्ञानना भेद न टल्या ।
तिवारै शब्दनय बोल्यो—नामजीव, थापनाजीव, द्रव्यजीव, भावजीव ते जीवें गुण-निर्गुणनो भेद न पड्यो।
तिवारै समभिरूढनय बोल्यो—जे ज्ञानादि गुणवंत ते जीव। तिवारै मतिज्ञान, श्रुतज्ञान इत्यादिक जे साधक अवस्थाना गुण ते जीवसरूपमें आव्या।
तिवारै एवंभूतनय बोल्यो—जे अनंतज्ञान, अनंतदर्शन, अनंतचारित्र, शुद्ध सत्तामात्र ते जीव। इणें नये जे सिद्धावस्थामें गुण हता तेही ज ग्रह्या। ए साते नय जीव कह्यो।
हिवै साते नये धर्म कहै छै। नैगमनय कहै सर्व धर्ममें छ। जे कारण सर्व धर्म में चाहै छै। ए नय अंसरूप धर्मनांम धर्म कहै।
तिवारै संग्रहनय बोल्यो— जेवडेरै आदर्यो ते धर्म कहीजै। ते अनाचार छोड्या पिण कुलाचारने धर्म कह्यो। तिवारै विवहारनय बोल्यो—सुखनो कारण ते धर्म। इणे पुण्य करणीने धर्म कही मांन्यो।
तिवारै ऋजुसूत्रनय बोल्यो जे उपयोगसहित वैराग्यरूप परिणाम ते धर्म कहीजै। इणे नयमें यथाप्रवृत्तिकरणना परिणाम प्रमुख सर्व धर्ममें गिण्या। ते मिथ्यात्वीने पिण थाई।
तिवारै शब्दनय बोल्यो—जे समकिती ते धर्म। समकित धर्मनो मूल छै।
तिवारै समभिरूढ नय बोल्यो—जे जीव-अजीव नवतत्त्व छ द्रव्यने ओलखी जीव सत्ता ध्यावै अजीवनो त्याग करै एहवो ज्ञान-दर्शन-चारित्रनो शुद्ध निश्चैना परिणाम ते धर्म। इणे साधकसिद्ध परिणाम ते धर्मपणे लीधा।
Page #142
--------------------------------------------------------------------------
________________
गुजराती कृति
११९
तिवारै एवंभूतनय बोल्यो— शुक्लध्यांन रूपातीत परिणाम क्षपकश्रेणि कर्मक्षयना कारण ते साधनधर्म। जे जीवनो मूल स्वभाव ते वस्तुधर्म । जे मोक्षरूपकार्य नीपना सिद्धमा रहै ते धर्म कहै छै। सात नय धर्म कह्यो।
हिवै सात नय सिद्ध कहै छै । नैगमनय — सर्व जीव सिद्ध छै । जे आठ रुचक प्रदेश सर्व जीवना सिद्ध समान निर्मल छै तिणें सर्व जीव सिद्ध छै ।
इणें जे पर्याय नय करी कर्म सहित अवस्था ते
तिवारै संग्रहनय बोल्यो— सर्व जीवनी सत्ता सिद्ध समांन टाली अने द्रव्यार्थिक नयनी अवस्था अंगीकार व (क) रवी ।
तिवारै विवहारनय बोल्यो - जे विद्यालब्धिप्रमुख गुणें करी सिद्ध थयो । ते सिद्धपणें बाह्यतप प्रमुख गुण अंगीकार कीधा।
तिवारै ऋजुसूत्रनय बोल्यो— जिणें सिद्ध सत्ता आपणें आत्मानी सत्ता उलखी छै अनें ध्यांननो उपयोग तेहि ज वरतै छै ते समय जे जीव सिद्ध । इणें समकिती जीव सिद्ध समान छै इम कह्यो ।
तिवारै शब्दनय बोल्यो–जे शुद्ध शुक्लध्यांन परिणाम नामादि निक्षेपें ते सिद्ध।
समभिरूढनय बोल्यो—केवलज्ञान, केवलदर्शन, यथाख्यातचारित्र ए गुणवंत ते सिद्ध । इणे तेरमें गुणठांणें चउदमें गुणठांणे केवली सिद्ध कह्या।
एवंभूतनय—सकल कर्म खपाय लोकनें अंतें विराजमान अष्टगुणसंपन्न ते सिद्ध जांणवा। ए सिद्ध पदमें नय
कह्या।
इम सात नयमांहि जे कोइ उथापै ते वचन अप्रमांण छै।
हिवै प्रमांण नो विचार कहै छै । ते प्रमाणना बे भेद छै—एक प्रत्यक्ष प्रमाण (१) बीजो परोक्ष प्रमाण (२) । तिहां प्रत्यक्ष प्रमाण कहै छै। जे जीवनें आपणा उपयोगस्युं जे द्रव्यनें जांणें ते प्रत्यक्ष प्रमाण कहीजै। तिहां केवली छए द्रव्य प्रत्यक्ष प्रमाण जांणे, देखै छै । ते केवलज्ञान प्रत्यक्ष ज्ञान छै । मनः पर्यायज्ञान मनोवर्गणा प्रत्यक्ष जांणे छै। अवधिज्ञान पुद्गल द्रव्यने प्रत्यक्ष जांणें छै । तिणें ए दोय ज्ञान देश प्रत्यक्ष छै। बीजो छद्मस्थ ज्ञान सर्व परोक्ष प्रमांण छै। ते परोक्ष प्रमांण कहै छै। जे मतिज्ञान, श्रुतज्ञाननो उपयोग परोक्ष प्रमांण छै। जे शास्त्रबलस्युं जांणे ते परोक्ष कहीजै। ते परोक्षना त्रिण भेद छै—अनुमान प्रमाण (१), आगमप्रमाण (२), उपमान प्रमाण (३)। अनुमान कहितां कोइक सहि नांण देखी जे ज्ञान थायें जिम धुंओ देखी अग्निनो सहिनांण अनुमान थाये। आगम कहतां शास्त्रनी साखथी जे वात जांणीयै। जिम आपै देवलोक, नरक, निगोदनो विचार जांणीयै छै ते आगम प्रमाणसुं । अनें किणही वस्तुनो दृष्टांत देनें ओलखायें ते उपमान प्रमाण जांणवो। एतलै प्रमांण कह्यो ।
॥इति सातनयअधिकार समाप्त ॥
Page #143
--------------------------------------------------------------------------
________________
१२०
नयामतम-२
(३.६) अज्ञातकर्तृक ॥सप्तनयविचार॥
नैगम(१) संग्रह(२) व्यवहार(३) ऋजुसूत्र(४) शब्द(५) समभिरूढ(६) एवंभूत(७) ए सात नय जाणवानां भेद कहि छइ। नैगमनय सामान्यविशेषात्मक वस्तु मानइ। यथा घटोऽस्ति सामान्यधर्मवचनं अथ एह जि घटनइ विषइ विशेषधर्म बोलइ। यथा गोरोऽयं घटः पृथुबुध्नाद्याकारवान् इति विशेषधर्मवचनम् इति नैगमः।१
संग्रहनय एक सत्ता सामान्य मानइ। छती वस्तु मानइ। यथा घटो रक्तादि वर्ण करी सहित छइ। रक्तादिक विशेष छइ तउ संतपणइ करी सामान्यपणुं जाणिवु। तेह भणी सामान्य थकी विशेष जूउ नही इति संग्रहनयः।२
व्यवहारनय विशेषइं ज मानइं सामान्यपणुं नचुं(?) तेह भणी सामान्य थकी विशेष जूउ मानइ। यथा पाणी आणिवा भणी घटपदार्थ विशेषधर्म प्रचुंजिउ जोइइ। सामान्यवचनि कार्यसिद्धि न थाइ। घटविशेष वचनव्यवहार कार्यसिद्धि थाइ। इति व्यवहारनयः।३
ऋजुसूत्र वर्तमानपदार्थ मानइ। यथा घट छइ ए वर्तमानकाल बलवंत, अतीतकाल गयओ, अनागत आवस्यइ। अतीत अनइ अनागत एव ऋजुपणइ करी रहीत। सरल वर्तमानकालि वर्ततउ पदार्थ मानइ इति ऋजुसूत्रनयः।४
शब्दनय वर्तमानकालि वर्तता पदार्थ समान लिंगपर्याय करी वस्तुविशेष मानइं शब्दिं करी। यथा घटः कुंभः कुट इति घटशब्दपर्याय कहइ। इति शब्दनयः।५
समभिरूढ इसिउं मानइ। घटादिकपदार्थ थकी कुंभादिक पदार्थ जूजूआ मानइ। यथा घट थकउ पट जूठ। इति समभिरूढनयः।६
एवंभूतनय इसिउं मानइ। पदार्थ क्रिया करतउ पदार्थपणउ मानइ, अन्यथा न मानइं। यथा घट इति पदार्थ घटचेष्टा करतउ स्त्रीमस्तकी आरूढ थकउ पाणी आणतउ घट कहीइ। कुंभ इति कौ पृथिव्यां भातीति कुंभः। पृथिवीनइ विषइ शोभइ ते कुंभ कहीइ। इति एवंभूतनयः।७
॥इति सप्तनयविचारः संपूर्णः॥
Page #144
--------------------------------------------------------------------------
________________
गुजरात कृति
(३.७)
अज्ञातकृ
॥सप्तभंगीस्वरूप॥
१२१
सप्तभङ्गीस्वरूपं लिख्यते। यथा—
सिया अत्थि (१) सिया णत्थि (२) अत्थिणत्थि सिया पुणो (३) ।
सिया चेव अवत्तवो जुगवं विहिनिसेहओ ॥
सिया अत्थि अवत्तवो (५) चेव विहिनिसेहउ । सिया णत्थि अवत्तवो तहेव जिणभासिओ ॥ (६) सिया अत्थि सिया णत्थि अवत्तवो सिया तहा (७)। सत्तभंगी जिणुद्दिट्ठा सव्वभावेसु संमया ॥
अर्थ —सकलपदार्थं आपणइं रुपडं छतो द्रव्य - क्षेत्र - काल-भावें छ । जिम हमणां उपनो घडो पोतानें रूपें छई अनइं द्रव्यथी पृथवीरूपें छई, क्षेत्रथी राजनगरनो हुई, कालथी शीतकालनो हुई, भावथी सुवर्णे हुइं। इमं इंणी रीतें सकलपदार्थ द्रव्य-क्षेत्र-काल- भावथी आपआपणें रूपें छें। स्यादस्ति लक्षण पहिलो सप्तभंगीनो भेद । (१)
अनें सकल पदार्थ पररूपें द्रव्य-क्षेत्र-काल- भावथी नथी । जिम हवणानो उपनो घडो वस्त्ररूपें नथी, द्रव्यथी जलरूपें नथी, क्षेत्रथी स्थंभतीर्थनो नथी, कालथी उष्णकालनो उपनो न हुई, भावथी स्यांमरूपें नथी। इंम सकलपदार्थ पररूपें द्रव्य-क्षेत्र - काल - भावें नथी । ए स्यान्नास्ति लक्षण बीजो। (२)
अनें सकल पदार्थ अनुक्रमें विचार्यं स्वद्रव्य-क्षेत्र - काल-भावें छतापणुं अनें पर द्रव्य-क्षेत्र-काल-भावें अछतापणुं तेणें करी अनुक्रमें सहित ज छें। जिम घडानें विषं पोतानें द्रव्य-क्षेत्र - काल-भावें कही रीतें छतापणानुं भाववुं । अनुक्रमें पर द्रव्य-क्षेत्र-काल-भावनुं अछतापणुं तेहनुं अनुक्रमें भाववुं । तेणें सहित घडो छइं। ते स्यादस्तिनास्ति लक्षण त्रीजो सप्तभंगीनो भेद। (३)
अनें सकलपदार्थ स्व द्रव्य-क्षेत्र - काल-भावें छतो अनें द्रव्य-क्षेत्र-काल-भावें अछतो पणि एकें कालें कही न सकीइं। ते एहवो कोइ शब्द नथी जे एकें कालें छता अछता लक्षण२ गुणनें बोलें। ए स्यादवक्तव्य लक्षण चोथों सप्तभंगीनो भेद। (४)
अनें सकलपदार्थ द्रव्य-क्षेत्र-काल-भावें विधिकल्पनाई छता पणि समकाल विधि - निषेधकल्पनाई अवक्तव्य ज छें। जिमं सुवर्णमेरुपर्वत द्रव्यरूपें सास्वतो छई अनें पर्याय रूपें असास्वतो छइं पणि एकें कालें सास्वतो असास्वतो कही न सकीइं । ए स्यादस्त्येव स्यादवक्तव्यमेव लक्षण पांचमो सप्तभंगीनो भेद । (५)
अनें सकल पदार्थ द्रव्य-क्षेत्र -काल- भावें नथी पणि स्वरूपें छतापणाथी एक कालें निषेध - विधिकल्पनाई अवक्तव्य ज छें। जिम सेलडी, गोल, खांड, साकर एहनें परस्परें यद्यपि भिन्नपणुं ज छें, माधुर्यपणानो अंतर घणो छइं पणि सेलडीपणें ऐक्य छैं। ते भिन्नपणुं एकत्व कही न सकीइं । यत उक्तम्—
इक्षुक्षीरगुडादीनां माधुर्यस्यान्तरं महत्। तथापि न तदाख्यातुं सरस्वत्यापि शक्यते॥
Page #145
--------------------------------------------------------------------------
________________
१२२
नयामृतम् -२
स्यान्नास्त्येव स्यादवक्तव्यमेव लक्षण ए छट्ठो सप्तभंगीनो भेद। (६)
अनें अनुक्रमें सकल पदार्थ स्व द्रव्य-क्षेत्र - काल-भावें छइ, पर द्रव्य-क्षेत्र - काल-भावें नथी अनें समकालें विधि-निषेधकल्पनाइं अणकहिंवा योग्य छें। जिम घडो द्रव्य-क्षेत्र-काल-भावें अनुक्रमें पोतानें रूपें छइं, पटादिकनी अपेक्षाइं नथी अनें एकें समयें सद्रूप - असद्रूप अणकहिंवायोग्य पणि छें ज। इंम एकपदार्थनें विषें स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्य एव लक्षण सप्तभंगीनो सातमो भेद। (७)
इम एक पदार्थनें विषें ए कल्पना किंम घटें? तिहां दृष्टांत – जिम कोइनें साधुनें दूधनो नियम ने दूध विना दहि, घी, छासि, सकलगोरस जिमइं अनें जेहनें दहीनो नियम ते दही विंना सर्व दुग्धादि कल्पें अनें जेहनें गोरसनियम ते दूध, दही, घी, छासि कांइं न कल्पें तिम जे पूर्वे एक एक भेद स्यादस्ति (१) स्यान्नास्ति(२) स्यादवक्तव्यमेव(३) लक्षण देखाड्या तेहनें अनें संकलितरूप सातमो भेदनो अंतर जाणवो। उक्तञ्च—
पयोव्रतो न दध्यत्ति न पयोऽत्ति दधिव्रतः । अगोरसव्रतो नोभे तस्माद् वस्तु त्रयात्मकम्॥
इंम सप्तभंगी जिनप्ररूपी सर्वपदार्थे संमतम्॥
(आप्तमीमांसा-६०)
Page #146
--------------------------------------------------------------------------
________________
खंड - ४ अर्वाचीन गुजराती कृति
Page #147
--------------------------------------------------------------------------
Page #148
--------------------------------------------------------------------------
________________
अर्वाचीन गुजराती कृति
१२५
(૪૨) ગુજરાતી પદ્યાત્મક દાર્શનિક કૃતિઓ
લેખકઃ- પ્રો.હીરાલાલ રસિકદાસ કાપડિયા એમ. એ. દર્શનશાસ્ત્રોનો ઉદ્ભવ-આપણા આ દેશમાં પરાપૂર્વથી ઉત્તમ કોટિના તત્ત્વચિંતકોએ સત્યના સાચા સંશોધન પાછળ પુષ્કળ પ્રયાસ કર્યો છે. એમને જે સત્યનો સાક્ષાત્કાર થયો-સત્યનાં જે મહામૂલ્ય દર્શન એમને થયાં તે એમણે સંતને છાજે એવી વાણીમાં જનતા સમક્ષ રજૂ કરેલ છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અનુલક્ષીને અપાયેલી આ દેશનાઓ આગળ ઉપર વ્યવસ્થિત રીતે લિપિબદ્ધ કરાતા એ દર્શનશાસ્ત્રોરૂપે પરિણમી.
લોકગિરામાં આશ્રય-આ શાસ્ત્રોની ભાષા પાઈય પ્રાકૃત) કે સંસ્કૃત હતી, તે જ્યારે સામાન્ય લોકો સહેલાઇથી સમજી શકે એવી પરિસ્થિતિ રહી નહિ ત્યારે એને જનતાની ભાષામાં ઉતારવાનો અને એ દ્વારા તત્ત્વજ્ઞાનનાં વિવિધ મનનીય ક્ષેત્રોથી જનતાને પરિચિત બનાવવાનો માર્ગ ગ્રહણ કરાયો. આના પરિણામે આપણને જૈન દર્શનના મૌલિક સિદ્ધાંતોને ગુજરાતી ભાષામાં પદ્યસ્વરૂપે રજૂ કરતી કૃતિઓ આજે મળી આવે છે.
ગુજરાતીની ઉત્પત્તિ-આ દાર્શનિક કૃતિઓની રચના ગુજરાતી ભાષાના ઉદ્ગમકાળથી તો આગળની હોઇ જ ન શકે. આજે લગભગ આઠસો વર્ષ થયાં ગુજરાતી ભાષા ઉભવી છે. એનો ઉદ્ગમ-કાળ તે કલિકાળ-સર્વજ્ઞ હેમચંદ્રસૂરિની ઉત્તરાવસ્થાનો સમય છે. અત્યાર સુધીમાં જે ગુજરાતી પદ્યાત્મક સાહિત્ય ઉપલબ્ધ થયું છે એ સૌમાં શાલિભદ્રસૂરિએ વિ. સં. ૧૨૪૧ માં રચેલો ભરતેશ્વર-બાહુબલિ રાસ સૌથી મોખરે છે. | દાર્શનિક સાહિત્ય-મહાનુભાવોનાં ઉત્તમ ચરિત્રોને આલેખતી પદ્યાત્મક કૃતિઓ જેટલા પ્રમાણમાં જોવાય છે તેનાથી અડધા પ્રમાણમાં પણ દાર્શનિક સ્વતંત્ર કે અનુવાદાત્મક કૃતિઓ હજી સુધી તો મળી આવી નથી. જેટલી કૃતિઓ મળે છે એ તમામ મારા જોવામાં જ આવી નથી તો એ સર્વેના પરિચયની તો વાત જ શી કરવી? તેમ છતાં તે દિશામાં સંશોધન કરવા જેવું છે એમ લાગવાથી હું આ લેખ લખવા લલચાયો છું. આશા છે કે-અહીં હું જે કૃતિઓ ગણાવું તેમાં ખાસ ઉમેરવા લાયક જે કૃતિઓ રહી જાય તે સૂચવવા વિશેષજ્ઞો કૃપા કરશે.
ન્યાયાચાર્યનો ફાળો-જૈન ગ્રંથકારોમાં ન્યાયાચાર્ય યશોવિજયગણિ અનેક રીતે અગ્રસ્થાન ભોગવે છે. એમણે સ્વપરસમયના સાહિત્યનું આકંઠ પાન કરી જે અમૂલ્ય કૃતિઓ ભિન્ન ભિન્ન ભાષામાં સર્જી છે તે
૧. ગુજરાતી પદ્યાત્મક સાહિત્યની આછી રૂપરેખા જૈ. સા. સં. ઇ. ૬૫૭, ૭૦૯, ૭૧૮, ૭૬૬-૭૮૫, ૮૯૫-૯૧૧, ૯૭૫-૯૮૫ અને
૯૯૬-૯૯૮ એ ક્રમાંકવાળી કંડિકાઓ પૂરી પાડે છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
१२६
नयामृतम्-२
વડે જૈન સાહિત્ય ખૂબ જ દીપે છે. દુર્ભાગ્ય એટલું જ છે કે એમની આ તમામ રચનાઓને સાચવી રાખવા જેટલું પણ કાર્ય થઇ શક્યું નહિ. એમની નવ્ય ન્યાયાદિથી પરિષ્કૃત કૃતિઓ વાંચતાં વિચારતાં એમ લાગે છે કેન્યાયને અંગેનું સમગ્ર સાહિત્ય એમણે એક યા બીજા સ્વરૂપે પોતાની કૃતિ દ્વારા આપણને પીરસ્યું છે. એમનો ઉપનિષદો, ગીતા વગેરેનો બોધ અસાધારણ હતો. એમાંની રોચક, પ્રેરક અને સુબોધક સામગ્રી એમણે પોતાની કૃતિઓમાં મનોરમ રીતે વણી લીધી છે. આવા એક પ્રકૃષ્ટ અભ્યાસીને હાથે દ્રવ્ય-ગુણપર્યાયનો રાસ રચાયો છે.
રાસ એટલે?-સામાન્ય રીતે રાસ' શબ્દથી કોઇ કથા, વાર્તા કે ચરિત્રના નાયકના યશોગાનને લગતી રસિક પદ્યાત્મક કૃતિ એવો અર્થ કરાય છે અને સમજાય છે. પરંતુ અહીં તો આ “રાસ' શબ્દ ‘રસમય પદ્યરચના” એવા અર્થમાં વપરાયો છે. કિસ્સા, કહાની અને વાર્તાની એટલે કે કથાનુયોગની વિશેષતઃ રુચિ ધરાવનારને આ દ્રવ્યાનુયોગને લગતી કૃતિમાં આનંદ ઓછો આવે, પરંતુ દ્રવ્યાનુયોગનું મહત્ત્વ સમજનાર અને એના અભ્યાસ માટે અભિરુચિ રાખનાર તો આ દ્રવ્ય-ગુણ-પર્યાય-રાસ વાંચી-વિચારી ખૂબ જ આનંદ મેળવે તેમ છે.
આ કોઇ સામાન્ય કૃતિ નથી. એની પાછળ શતમુખી પ્રતિભા છે. આનું મૂલ્ય બરાબર સમજાયાથી તો ગુજરાતી કૃતિને અંગે જે વિવરણ-બાલબોધ ગુજરાતીમાં યશોવિજય ગણિએ રચેલ છે, તેના અમુક ભાગનો ઉપયોગ કરી વિનીતસાગરના શિષ્ય ભોજસાગરે દ્રવ્યાનુયોગતર્કણા નામનો ગ્રંથ સંસ્કૃતમાં રચ્યો અને એને સંસ્કૃત સ્વોપલ્શ વૃત્તિથી વિભૂષિત કર્યો. આ સંસ્કૃત ગ્રંથ ૧૫ અધ્યાયોમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનું સ્વરૂપ રજૂ કરે છે. વિશેષમાં એમાં પ્રમાણ અને નયનું નિરૂપણ છે અને એ આગમો અને સમ્મઇપયરણ જેવાના આધારે યોજાયેલો છે. આ ગ્રંથ હિંદી અનુવાદ સહિત પરમશ્રુત પ્રભાવક મંડળ તરફથી વીર સંવત્ ૨૪૩૨ માં છપાયો છે. વિ. સં. ૧૭૮૫ થી ૧૮૦૯ ના ગાળામાં આ ગ્રંથ રચાયો છે.
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ વિ.સં. ૧૭૧૧ માં રચાયો છે. એના ઉપરનો બાલાવબોધ ટબ્બો D ળનાં ના' થી શરૂ થાય છે. આ જોતાં એ સ્વોપ જણાય છે આ રાસનો આદિમ ભાગ તેમ જ અંતિમ ભાગ જૈન ગુર્જર કવિઓ (ભા. ૨, પૃ.૨૮-૩૦) માં અપાયેલ છે.
પ્રકરણ રત્નાકર (ભા.૧, પૃ.૩૩૭-૪૧૨) માં ઉપર્યુક્ત રાસ છપાયો છે. ગુર્જર સાહિત્ય સંગ્રહ (ભા.૨) માં આ રાસ ઉપર્યુક્ત ટબ્બા તેમજ રાસના છૂટા બોલ સહિત છપાયો છે તે પ્રશંસાપાત્ર પ્રયાસ છે. તેમ છતાં પાલણપુરના ભંડારમાં વિ.સં. ૧૭૧૧ માં લખાયેલી અને કોઇ કોઇ સ્થળે કર્તાના હસ્તાક્ષરમાં લખાણવાળી હાથપોથી છે તો આને આધારે આ રાસ સ્વોપજ્ઞ બાલાવબોધ સહિત વિશિષ્ટ ટિપ્પણાદિ સહિત પ્રકાશિત થવો ઘટે. દ્રવ્યાનુયોગના અર્થીને તો આ ખાસ ઉપયોગી થશે.
૧. દા. ત. અધ્યાત્મસારમાં ગીતાનાં કેટલાક પદ્યો ગૂંથી લેવામાં આવ્યાં છે.
Page #150
--------------------------------------------------------------------------
________________
अर्वाचीन गुजराती कृति
१२७
જીવવિચાર સ્તવન-સત્યવિજયના શિષ્ય વૃદ્ધિવિજયે વિ.સં. ૧૭૧૨ માં આ સ્તવન ૨ચ્યું છે. એમાં નવ ઢાલ છે. એ પ્રક૨ણાદિ વિચા૨ગર્ભિત શ્રી સ્તવન સંગ્રહ’માં શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગ૨ ત૨ફથી ઇ.સ. ૧૯૧૪માં છપાયું છે'
જીવવિચા૨ ભાષા-પાર્શ્વચંદ્ર ગચ્છના હર્ષચંદ્રના ગુરુભાઇ નિહાલચંદ્રે આ કૃતિ મકસૂદાબાદ’ માં વિ.સં. ૧૮૦૬ માં રચી છે. એમાં ૧૮૬ કડી છે. આ કૃતિનું નામ વિચારતાં એમાં જીવના ભેદ-પ્રભેદોની હકિકત હશે એમ લાગે છે. જો એમ જ હોય તો એ એક રીતે 'ઓંટોલોજિ' (Ontology) ની કૃતિ ગણાય.
પુદ્ગલ-ગીતા-ચિદાનંદે આ કૃતિ દ્વારા પુદ્ગલ સંબંધી એક જાણે નિબંધ ન લખ્યો હોય તેવી આ કૃતિ છે. આ સજ્જન-સન્મિત્ર' (પૃ.૫૦૫-૫૧૩) માં છપાઇ છે. આમાં કોઇ કોઇ સ્થળે હિંદીની છાંટ છે.
નવતત્ત્વ ભાષા —આના કર્તા પણ ઉપર્યુક્ત નિહાલચંદ્ર છે. એમણે આ કૃતિ વિ.સ. ૧૮૦૭માં ‘મકસૂદાબાદ’ માં રચી છે.
'નવતત્ત્વવિચાર સ્તવન —સત્યવિજયના શિષ્ય વૃદ્ધિવિજયે ઘોઘામાં વિ. સં. ૧૭૧૩ માં આ સ્તવન રચ્યું છે. આના પ્રારંભિક અને અંતિમ ભાગ જૈન ગુર્જર કવિઓ ( ભા. ૨, પૃ. ૧૫૧–૧૫૨ ) માં નોંધાયેલો છે.
નવતત્ત્વનું સ્તવન —જીવાદિ નવતત્ત્વનું સ્વરૂપ પર્યાપ્તિ વગેરે બાબત સહિત આમાં અપાયેલું છે. આની રચના દુહા અને ચોપાઈમાં છે. મણિવિજયના શિષ્ય ભાગ્યવિજયે વિ.સ. ૧૭૬૬માં પાટણમાં આ સ્તવન રચ્યું છે. એ ઉપર્યુક્ત પ્રક૨ણાદિ સંગ્રહમાં છપાયું છે.
નવતત્ત્વ સ્તવન —ડુંગરવિજયના શિષ્ય વિવેકવિજયે ૧૮ ઢાલમાં આ સ્તવન વિ. સં. ૧૮૭૨ માં ‘દમણ’માં રચ્યું છે. શરૂઆતના ચાર ‘દુહા’ અને ‘કલસ’ પૂરતો ભાગ જૈન ગુર્જર કવિઓ . ( ભા. ૩, ખં. ૧, ૨૮૫–૨૮૬ ) માં અપાયેલો છે.
ચૌવીસ દંડકનું સ્તવન –નામ, લેશ્યા ઇત્યાદિ ૨૯ દ્વા૨ ચોવીસ દંડકને અંગે આ સ્તવનમાં છ ઢાલમાં વિચારાયાં છે. આના કર્તા ઉત્તમવિજયના શિષ્ય પદ્મવિજય છે. એમણે આ સ્તવન મહાવીરસ્વામીની સ્તુતિરૂપે રચ્યું છે. આ ઉપર્યુક્ત પ્રકરણાદિ સંગ્રહ માં પ્રકાશિત થયેલું છે.
ચૌવીસ દંડકનુ સ્તવન – પાર્શ્વનાથની સ્તુતિરૂપે આ સ્તવન વિજયહર્ષના શિષ્ય ધર્મચંદ્રે ‘જેસલમે૨’ માં વિ. સં. ૧૭૨૯ માં દિવાળીને દિવસે રચ્યું છે. આમાં ગતિ આગતિનું સ્વરૂપ આલેખાયું છે. આ સ્તવન પણ ઉપર્યુક્ત પ્રકરણાદિ સંગ્રહમાં છપાવાયું છે.
૧. આ એની બીજી આવૃત્તિ છે.
૨. આ પહેલી આવૃત્તિના પૃષ્ઠ છે.
૩. જુઓ જૈન ગૂર્જર કવિઓ ( ભા. 3. ખંડ 2, પૃ. ૧૦૯૯), ૪. એજન પૃ. ૧૨૦૦,
૫. “દીપોત્સવી પર્વનું રહસ્ય” એ વિષયને અંગે વડોદરા રેડિઓ સ્ટેશનેથી મેં વાર્તાલાપ ગઈ દિવાળીએ ૨જૂ કર્યો હતો. એ અહીંના સાપ્તાહિક
નામે ગુજરાતમિત્ર તથા ગુજરાતદર્પણના તા. ૧૯–૧૦—૫૧ ના અંકમાં પ્રસિદ્ધ થયો છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
१२८
नयामृतम् - २
ચતુર્દશગુણસ્થાન સ્તવન —શાંતિનાથની સ્તુતિરૂપે મિથ્યાત્વ, સાસ્વાદન ઈત્યાદિ ચૌદ ગુણસ્થાનોનું સ્વરૂપ આઠ ઢાલમાં વિધિપક્ષના કીર્તિરત્નસૂરિના શિષ્ય સૌભાગ્યરત્નસૂરિએ વર્ણવ્યું છે. આ પણ ઉપર્યુક્ત પ્રકરણાદિ સંગ્રહમાં પ્રસિદ્ધ કરાયું છે.
ગુણસ્થાનવિચાર સ્તવન – બાહડમેરુ’ ના મંડનરૂપ સુમતિનાથની સ્તુતિદ્વારા વાચક વિજયહર્ષના સાનિધ્યે મુનિ ધર્મસિંહે વિ.સ. ૧૭૨૯ માં આ સ્તવન રચ્યું છે. એમાં છ ઢાલ છે અને અંતે કળશ છે. એ ઉપર્યુક્ત પ્રક૨ણાદિ સંગ્રહ માં છપાવાયું છે.
=
ગુણઠાણાવિચા૨ બત્રીસી – આ સકલવિજયના શિષ્યના શિષ્ય માનવિજયે વિ. સં. ૧૭૩૪માં ત્રણ ઢાલમાં રચી છે અને એ ઉપર્યુક્ત પ્રક૨ણાદિ સંગ્રહ માં છપાવાઈ છે.
આઠ યોગદૃષ્ટિની સજ્ઝાય' — મિત્રા, તારા ઈત્યાદિ આઠ દૃષ્ટિનું વિસ્તૃત વર્ણન ન્યાયાચાર્ય યશોવિજયગણિએ કર્યુ છે. આ સજ્ઝાય ગુર્જર સાહિત્યસંગ્રહ (ભાગ.૧) માં તેમજ અન્યત્ર છપાયેલી છે.
કર્મપ્રકૃતિની સજ્ઝાય —કર્મની ૧૫૮ પ્રકૃતિ બે ઢાલમાં મણિવિજયે વર્ણવી છે. એમાં કપૂરવિજયનું નામ છે. એ આ કર્તાના ગુરુ હોય એમ લાગે છે. આ સજ્ઝાય ઉપર્યુક્ત પ્રકરણાદિ સંગ્રહમાં પ્રકાશિત થયેલી છે.
ચાર ધ્યાનની સજ્ઝાય – આર્ટ, રૌદ્ર, ધર્મ અને શુક્લ એ ચા૨ ધ્યાનનું સ્વરૂપ નવ ઢાલમાં ભાવવિજયે વિ. સં. ૧૬૯૬ માં ’ખંભ' નગ૨માં વર્ણવ્યું છે. આ સજ્ઝાય પણ ઉપર્યુક્ત પ્રક૨ણાદિ સંગ્રહમાં છપાવાઇ છે.
જ્ઞાન, દર્શન ને ચારિત્રનો સંવાદ – જ્ઞાનવાદી પ્રથમ પોતાનું મહત્ત્વ દર્શાવે છે, ત્યારબાદ સમ્યક્ત્વવાદી પોતાનો પક્ષ ૨જૂ કરે છે. અંતમાં ક્રિયાવાદી પોતાનો મહિમા વર્ણવે છે. આમ અહીં જ્ઞાન, દર્શન અને ચારિત્રનો પરસ્પર સંવાદ છે. આની ૨ચના આઠ ઢાલમાં સૌભાગ્યસૂરિના શિષ્ય લક્ષ્મીસૂરિએ વિ. સં. ૧૮૨૭માં કરી છે. આ સંવાદપણું ઉપર્યુક્ત પ્રક૨ણાદિ સંગ્રહમાં છપાવાયો છે. વિશેષમાં સજ્જન સન્મિત્રની ઇ. સ. ૧૯૧૩ ની પ્રથમ આવૃત્તિ ( પૃ. ૩૧૭–૩૨૨ ) માં પણ આ સંવાદ છે. અહીં કર્તા તરીકે લક્ષ્મીસૂરિને બદલે “વિજયલક્ષ્મીસૂરિ’ એવુ નામ સંપાદકે ૨જૂ કર્યું છે.
નિશ્ચય—વ્યવહાર–ગર્ભિત શાંતિજિન સ્તવન—નિશ્ચય નયવાદી પોતાનું મંતવ્ય ૨જૂ કરે છે ત્યાર બાદ વ્યવહા૨ નયવાદી પણ તેમ કરે છે. આ બંનેના એકાંતિક કથનમાં ભૂલ બતાવી બેનો અનેકાંતદૃષ્ટિએ સમન્વય સાધવાનું કાર્ય શાંતિનાથની સ્તુતિરૂપે ન્યાયાચાર્ય' યશોવિજયગણિએ છ ઢાલમાં કર્યું છે. આની રચના યુગભુવનસંયમમાન” વર્ષમાં એટલે કે વિ. સં. ૧૭૩૪ માં કે ૧૭૩૨ માં કરાઇ છે. આ સ્તવન “ગુર્જરસાહિત્યસંગ્રહ” (ભા. ૧) માં છપાયેલું છે.
નિશ્ચય વ્યવહા૨ગર્ભિત સીમંધરસ્વામીસ્તવન—સીમંધરસ્વામીને વિજ્ઞપ્તિરૂપે રચાએલું આ સ્તવન નિશ્ચયનય અને વ્યવહારનયનું સ્વરૂપ વર્ણવે છે. આ સ્તવન ‘ન્યાયાચાર્ય’ યશોવિજયગણિએ ચા૨ ઢાલમાં રચ્યું છે. અને એ પણ ઉપર્યુક્ત ગુર્જરસાહિત્યસંગ્રહ (ભા. ૧) માં પ્રકાશિત થયેલું છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
अर्वाचीन गुजराती कृति
१२९
નય૨હસ્યગર્ભિત સવાસો ગાથાનું સ્તવન – આ સ્તવન પણ સીમંધરસ્વામી ને વિજ્ઞપ્તિરૂપે છે. એના કર્તા પણ ન્યાયાચાર્ય યશોવિજયગણિ છે. એમાં અગિયા૨ ઢાલ છે. એના વિષય અનુક્રમે નીચે મુજબ છેઃ—
શુદ્ધ દેશનાનું સ્વરૂપ, આત્મસ્વરૂપનો પરિચય, આત્મ તત્ત્વનો વિચાર, શુદ્ધ નયનો વિચાર, વ્યવહારની સિદ્ધિ, મુક્તિનો માર્ગ, દ્રવ્ય ભાવ સ્તવ, જિનપૂજાથી નિર્જરા અને સાચી ભક્તિ યાને પ્રભુ પ્રત્યે પ્રેમ.
નય વિચાર યાને સાત નયનો રાસ –દાર્શનિક વિષયને અંગે રાસ રચવાની પહેલ ન્યાયાચાર્ય યશોવિજયગણિએ ક૨ી છે. એ અ૨સામાં માનવિજયે નૈગમાદિ સાત નયોને અંગે રાસ રચ્યો છે.
નયચક્રરાસ — વિ. સં. ૧૭૨૬ માં હેમરાજે આ રાસ રચ્યો છે.
સમકિતના ષસ્થાન સ્વરૂપની ચોપાઈ – આને સમ્યક્ત્વચતુષ્પદી પણ કહે છે. એમાં સમ્યક્ત્વનાં છ સ્થાનોનું નિરૂપણ છે. ન્યાયાચાર્ય યશોવિજયગણને હાથે ઇદલપુર’ ના ચોમાસા દરમ્યાન વિ. સં. ૧૭૩૩ માં થઇ છે. આના ઉપર ટબ્બો છે. આ મૂળ કૃતિના આદિમ અને અંતિમ ભાગ જૈન ગુર્જર કવિઓ ( ભા.૨, પૃ. ૩૪-૩૫) માં છે. સમગ્ર કૃતિ જૈન કથારત્નકોષ (ભા. ૫, પૃ. ૨૮૨–૩૧૯) માં છપાઇ છે. આ કૃતિ ગુર્જરસાહિત્યસંગ્રહ (ભા. ૧, પૃ. ૫૫૪–૫૭૧) માં પણ પ્રકાશિત થયેલી છે. એમાં અંતમાં સંસ્કૃતમાં લખાણ છે. આ ચોપાઇમાં આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરાયું છે અને બૌદ્ધ મતને માન્ય ક્ષણિકવાદનું નિરસન કરાયું છે. જીવ કર્તા તેમજ ભોક્તા છે. આ વાતનું અહીં પ્રતિપાદન છે. અનિર્વાણવાદ અને નિયતિવાદનું અહીં ખંડન કરાયું છે.
–
સમ્યક્ત્વવિચા૨ગર્ભિત મહાવી૨ જિન સ્તવન – ઉત્તમસાગ૨ના શિષ્ય ન્યાયસાગરે આ સ્તવન છ ઢાલમાં વિ. સં.૧૭૬૬ માં રચ્યું છે અને એ “શ્રી” દંડકાદિ જૈન પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ” માં પૃ. ૪૯-૫૯માં છપાયું છે. આમાં સમ્યક્ત્વના બે, ત્રસ, પાંચ અને દસ પ્રકારોનું નિરૂપણ છે. ત્યારબાદ યથાપ્રવૃત્તિક૨ણ વગેરેનો વિચાર કરાયો છે. વિપાકોદય અને પ્રદેશોદય સંબંધી કેટલીક બાબત રજૂ કરાઈ
છે.
–
સંયમશ્રેણિનું સ્તવન – ઉત્તમવિજયે આ સ્તવન સુરતમાં વિ. સં. ૧૭૯૯ માં ચાર ઢાલમાં રચ્યું છે અને એ ઉપર્યુક્ત શ્રી દંડકાદિસંગ્રહ માં છપાયું છે.
-
અધ્યાત્મકલ્પદ્રુમચોપાઇ – સહસ્રાવધાની મુનિસુંદરસૂરિષ્કૃત અધ્યાત્મકલ્પદ્રુમના અનુવાદરૂપે આ ચોપાઈ રંગવિલાસે વિ.સં. ૧૭૭૭ માં રચી છે.
૧. આ સજ્ઝાયની એક હાથપોથી વિ. સં. ૧૭૩૬માં લખાયેલી છે.
૨. એમને અંગેના સાહિત્ય માટે જૂઓ સીમંધરસ્વામી શોભાતરંગનો મારો “પરિચય” (પૃ.૬૪-૬૮)
૩. વસ્તુતઃ આ ગુજરાતી પદ્યકૃતિ નથી પણ દિગંબર પંડિત દેવસેન કૃત નયચક્ર ૫૨ નિબંધ જેવી કૃતિ છે. તેની હસ્તપ્રત જોતાં આ માહિતી મળી છે. સં.
૪. આ સંગ્રહના પ્રકાશક માસ્તર ઉમેદચચંદ રાયચંદ છે અને એમણે આ સંગ્રહ ઇ. સ. ૧૯૨૦ માં છપાવ્યો છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
१३०
नयामतम-२
(૪.૨) સપ્ત નયનું સંક્ષિપ્ત સ્વરૂપ
(નયકર્ણિકાનુસાર)
લેખકઃ મુનિરાજ શ્રી કપૂરવિજયજી મહારાજ અનંત ધર્માત્મકવસ્તુ પૈકી કોઇ સદ્ અંશનો સ્વીકાર કરી ઇતર અંશોમાં ઉદાસીન રહેનાર નય કહેવાય છે. અર્થાત્ વસ્તુના અનેક ધર્મો માંહીથી અમુક (ગુણ) ધર્મનો જ મુખ્યપણે સ્વીકાર કરનાર અને બાકીના ધર્મોમાં મધ્યસ્થપણું રાખનાર નય કહેવાય છે. પરંતુ અમુક ધર્મનો જ સ્વીકાર કરી બાકીના સર્વ ધર્મોનો સર્વથા નિષેધ કરનાર તો નયાભાસ કહેવાય છે. યદ્યપિ ઉક્ત કારણથી નય પણ અનંત હોઇ શકે છે તો પણ શૂલપણે સાત નયોમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ સાત નો મુખ્ય છે.
(૧) નૈગમનય-વસ્તુ માત્રને સામાન્ય રૂપે અને વિશેષ રૂપે એમ ઉભય રૂપે માન્ય કરે છે. (૨) સંગ્રહનય-વસ્તુ માત્રને કેવળ સામાન્ય રૂપે જ માન્ય કરે છે. | (૩) વ્યવહારનય-વસ્તુ માત્રને વિશેષ રૂપે જ માન્ય રાખે છે. (૪) ઋજુસૂત્રનય-અતીત અને અનાગત ભાવને નહિ સ્વીકારતાં કેવળ વર્તમાન ભાવને જ કબૂલ
રાખે છે; અને નામ સ્થાપના દ્રવ્યને નહિ સ્વીકારતા કેવળ ભાવને જ માન્ય કરે છે. (૫) શબ્દનય-કુંભ, કલશ અને ઘટાદિક પર્યાય શબ્દો વડે એક જ વાચ્ય પદાર્થને સ્વીકારે છે. (૬) સમભિરૂઢનયભિન્ન ભિન્ન પર્યાય શબ્દો વડે ભિન્ન ભિન્ન વાચ્ય-પદાર્થને માને છે. (૭) એવંભૂતનય-પોતાનું કાર્ય કરનાર વસ્તુનેજ વસ્તુગતે વસ્તુ માને છે. ઉક્ત નયોનું કંઇક વિશેષ સ્પષ્ટીકરણ.
(૧) સામાન્ય તે જાતિ વિગેરે અને વિશેષ તે ભિન્ન ભિન્ન વ્યક્તિ એમ ઉભયને નૈગમનય માને છે. સામાન્ય ધર્મથી સેંકડો વ્યક્તિઓમાં એકતાબુદ્ધિ પેદા થાય છે. અને વિશિષ્ટ ધર્મથી દરેક વ્યક્તિ ભિન્ન ભિન્ન ઓળખી શકાય છે. મતલબ કે વિશેષ વિના સામાન્ય નથી અને સામાન્ય વિના વિશેષ નથી. એમ નૈગમનય માન્ય રાખે છે. એ નય અંશગ્રાહી હોવાથી એક દેશને પણ સંપૂર્ણ માની લે છે. જેમ કે દરેક સંસારી જીવના આઠ રૂચક પ્રદેશ નિર્મળ (સિદ્ધ ભગવાનની જેવા શુદ્ધ) હોવાથી નૈગમન સંસારી જીવને પણ સિદ્ધ સમાન લેખે છે.
(૨) સામાન્ય સિવાય કોઈ વિશેષ આકાશ પુષ્પની જેમ નથી એવું સંગ્રહાયનું માનવું છે. તે એવી દલીલ કરે છે કે વનસ્પતિ વિના નિમ્બ, આંબાદિક કંઈ બીજું નથી અને આંગળી, નખ પ્રમુખ હાથથી ન્યારાં નથી, હાથમાં જ તે બધાંનો સમાવેશ થઈ જાય છે. સંગ્રહ નય સત્તા ગ્રાહી હોવાથી અને સર્વ જીવોની સત્તા
Page #154
--------------------------------------------------------------------------
________________
अर्वाचीन गुजराती कृति
१३१
સિદ્ધ સમાન હોવાથી તે સર્વ સંસારી જીવોને પણ સિદ્ધ સમાન જ માને છે. કેમકે તે સર્વ જીવોમાં સમાનતા બુદ્ધિ જ રાખે છે.
| (૩) વ્યવહારનય વિશેષથી જૂદું સામાન્ય સ્વીકારતો જ નથી. એવી દલીલ કરે છે કે કેરી, કેળાં વિગેરે વિશેષ સ્પષ્ટીકરણ કર્યા વિના સામાન્યતઃ વનસ્પતિ લેવાનું કોઇને કહ્યું હતું તે શું ગ્રહણ કરી શકશે? વળી મલમપટ્ટી વિગેરે લોક હિતકારી કાર્યોમાં વિશેષનો જ ખપ પડે છે, સામાન્યનો કંઇ તેવો ખપ પડતો નથી.
() ઋજુસૂત્રનય વર્તમાનસમયગ્રાહી હોવાથી અતીત અનાગત ભાવને તજી કેવળ વર્તમાન પર્યાય વાળા પોતાના ભાવને જ વસ્તુપણે માન્ય રાખે છે, કેમકે એથી જ કાર્ય સિદ્ધ થાય છે, પણ અતીત અનાગત અને પરાયાભાવથી કંઇ કાર્ય સિદ્ધ થઈ શક્યું નથી. તેથી તે આકાશ પુષ્પની જેમ અસત્ છે. અને વર્તમાન સમયમાં વર્તતો પોતાનો ભાવ જ પ્રમાણ છે. એવી દલીલથીજ ઋજુસૂત્ર વિગેરે નયો નામ સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપાને મૂકી કેવળ ભાવ નિક્ષેપાને જ સ્વીકારે છે.
(૫) શબ્દનય કુંભ, કલશ અને ઘટાદિક સર્વે પર્યાય શબ્દો એક ઘટ પદાર્થના જ વાચક હોવાથી શબ્દનય અનેક પર્યાયો વડે એક જ અર્થને માન્ય કરે છે. જાતિ, લિંગના વ્યત્યય (જુદાપણા)થી પણ તે અર્થનો વ્યત્યય સ્વીકારતો નથી જેમકે ઇટ: ધટ: ધટી ઘટી, પટ: પ૮, પટી વિગેરે, તેમજ સ્ત્રી, તંત્ર, દ્વારા પ્રમુખ એવી દલીલથી જ શબ્દનય એક જ સાધ્ય દૃષ્ટિથી સધાતા અનેક સાધનોને તેમ જ શુદ્ધ સાધ્ય દૃષ્ટિ યુક્ત અનેક પ્રકારના સાધનોને સાધતા સર્વ સાધક જનોને સમાન લેખે છે. તેથી જ તે શુદ્ધભાવ યુક્ત પુરૂષ
સ્ત્રી કે કૃત્રિમ) નપુંસકને એક સરખી રીતે મોક્ષના અધિકારી માને છે. કેમકે લિંગ વિશેષથી તે અર્થનો વિપર્યય માનતો નથી. શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય પણ સદ્ભાવનો જ સ્વીકાર કરે છે, તેથી શુદ્ધ ભાવ જ સર્વત્ર માન્ય થાય છે, કેમકે શુદ્ધ ભાવ યુક્ત મધ્યસ્થ જનો એક જ સાધ્યદૃષ્ટિથી મોક્ષ અનુકૂળ ગમે તે સાધન સાધે તેથી તેમનો અવશ્ય મોક્ષ થાય જ છે.
(૬) સમભિરૂઢ નય પર્યાયભેદથી અર્થાતુ કુંભ, કલશ, ઘટાદિક જુદા જુદા પર્યાયથી અર્થભેદ માને છે. એ નય કંઈક ન્યૂન અર્થને પણ સંપૂર્ણ માને છે તેથી તે કેવળજ્ઞાનીને પૂર્ણ સિદ્ધ સમાન જ માને છે. પર્યાયભેદે અર્થભેદ માનવામાં તે નય એવી દલીલ કરે છે કે જો ભિન્ન ભિન્ન પર્યાયથી અર્થ ભેદ માનવામાં ન આવે તો ઘટ, પટ થકી પણ અર્થ ભેદ થવો ન જોઇએ, સર્વત્ર આત્મત્વ સામાન્ય છતાં ભિન્ન ભિન્ન આત્મા વ્યક્તિઓની ગુણ સંપદાદિક પણ ભિન્ન ભિન્ન માનવી જોઇએ, એમ ઉપરની દલીલ પુરવાર કરે છે.
(૭) એવંભૂત નય એક જ પર્યાય શબ્દ વડે કહેવા લાયક વસ્તુ પણ જો પોતાનું કાર્ય કરતી સાક્ષાત્ દેખાય તો જ તેને એવંભૂત નય વસ્તુગતે વસ્તુ માને છે. જો નિજ અર્થક્રિયાને અણકરતી વસ્તુને વસ્તુગતે વસ્તુ માનવામાં આવે તો પછી પટ ને ઘટ માનવામાં શો વાંધો આવે ?
ઉપર બતાવેલા સાત નય પૈકી ઉપર ઉપરના નયો વિશુદ્ધ વિશુદ્ધતર છે. જો એક એક નયના શત શત ભેદ કરવામાં આવે તો સાત નયના સાતસો ભેદ થાય, અને સમભિરૂઢ તથા એવંભૂત નયનો શબ્દ નવમાં સમાવેશ કરવામાં આવે તો ૫00 ભેદ થાય છે. વળી એ સર્વ નયોનો દ્રવ્યાસ્તિક નય અને પર્યાયાસ્તિક
Page #155
--------------------------------------------------------------------------
________________
१३२
नयामृतम्-२
નયમ અંતર્ભાવ છઇ શકે છે. દ્રવ્યાસ્તિક નયમાં પ્રથમના ચાર નયોનો અને પર્યાયાસ્તિક નયમાં પછીના ત્રણ નયોનો સમાવેશ થઈ જાય છે.
પરસ્પર વિરૂદ્ધ અભિપ્રાયને ધારણ કરનાર ઉક્ત સર્વ નયો એકઠા મળીને સર્વજ્ઞ ભગવાનના સુંદર સમય (સિદ્ધાંત) ને અનુસરે છે. જેમ અપૂર્વ સૈન્ય રચનાદિક યુક્તિ વડે પરાજિત થયેલા વિપક્ષ વિદારક ભૂપાલો સાર્વભૌમ (ચક્રવર્તી)ના ચરણકમળને તેના પ્રબળ પુણ્યોદયથી આવીને સેવે છે અને સર્વ પ્રકારના વૈર વિરોધને દૂર કરી સમભાવને ધારણ કરે છે તેમ પૂર્વોક્ત નવો પણ સ્વસ્વવિરૂધ્ધ અભિપ્રાયને સાતિશય સર્વજ્ઞ પરમાત્માના પવિત્ર શાસનને તાબે થઇ દૂર કરે છે. તેથી યુક્તજ કહ્યું છે કે - સ્યાત્ પદથી વિશેષિત નહિ કરેલું સર્વ કંઇ પ્રમાણપણે નથી અને અપ્રમાણ પણ નથી, પરંતુ સ્યાસ્પદવિશેષિત એવું સર્વ કંઇ પ્રમાણ જ છે. એ જ સર્વ નયનું જાણપણું સમજવું. સ્યાદ્વાદ સર્વત્ર જયવંત છે.
હવે પ્રસંગોપાત સપ્તભંગીનું સ્વરૂપ સંક્ષેપથી સમજવા લાયક છે. (૧) સ્યા અસ્તિ (૨) સ્યાત્ નાસ્તિ (૩) સ્યાત્ અતિ નાસ્તિ (૪) યાત્ અવક્તવ્ય (૫) સ્યાત્ અસ્તિ અવક્તવ્ય (૬) સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય (૭) સ્યા અસ્તિ નાસ્તિ યુગપ અવક્તવ્ય. ઉક્ત સપ્તભંગીથી જીવ અજીવાદિક વસ્તુ માત્રનું યથાર્થ ભાન થઈ શકે છે.
(૧) સ્યાત્ અસ્તિ-સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વસ્તુમાત્રમાં અસ્તિ ધર્મની પ્રતીતિ થાય છે. સ્યાત્ પદ અનેકાંત વાચક છે. તેથી અસ્તિ ધર્મની અત્ર મુખ્યપણે પ્રતીતિ થાય છે. તો પણ નાસ્તિ ધર્મનો નિષેધ થતો નથી, પરંતુ નાસ્તિ ધર્મની પણ ગૌણપણે પ્રતીતિ થાય જ છે.
(૨) સ્યાત્ નાસ્તિ-પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વસ્તુ માત્રમાં નાસ્તિ ધર્મની પ્રતીતિ થાય છે. અર્થાત્ વસ્તુમાત્રમાં જેમ અસ્તિત્ત્વ)ધર્મ રહે છે. તેમજ નાસ્તિધર્મ પણ રહે છે. તાત્પર્ય કે-વસ્તુમાત્રમાં નાસ્તિ ધર્મનું પણ અસ્તિત્વ રહેલું છે જો વસ્તુમાં નાસ્તિધર્મ અસ્તિરૂપે રહેતો ન હોય તો ઘટ-પટાદિક વ્યવહારનો જ લોપ થઈ જાય અર્થાત્ ઘટ અને પટમાં કંઈ તફાવત રહેવા પામે નહિ. ઘટમાં જેમ ઘટરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું અસ્તિત્વ છે તેમ જ તેમાં પટરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું નાસ્તિત્વ પણ છે. ફક્ત સપ્તભંગીમાં નાસ્તિ અસત્ત્વ) ધર્મની મુખ્યપણે પ્રતીતિ થાય છે. તેમજ અસ્તિ ધર્મની ગૌણપણે પ્રતીતિ થઈ શકે છે.
(૩) સ્વાતું અસ્તિ સ્વાતુ નાસ્તિ-વસ્તુમાત્રમાં જેવો અસ્તિધર્મ રહે છે તેવો જ નાસ્તિધર્મ પણ રહે છે. એક જ ક્ષણમાં ઉભયધર્મનું અસ્તિત્વ હોવાથી ઉભય ધર્મની અત્ર એકી સાથે પ્રતીતિ થઈ શકે છે તેથી આવો વિકલ્પ સંભવ છે.
Page #156
--------------------------------------------------------------------------
________________
अर्वाचीन गुजराती कृति
१३३
() ચાતુ અવક્તવ્ય-અસ્તિધર્મ અને નાસ્તિધર્મ વસ્તુમાત્રમાં સાથે સાથે વિદ્યમાન છતાં તે ઉભય એક જ સમયમાં કહી શકાતા નથી. વળી અતિધર્મ અનંતા છે તેમ જ નાસ્તિધર્મ પણ અનંતા છે તો તે એક જ સમયમાં સાથે શી રીતે કહી શકાય? માટે તે અવક્તવ્ય છે એવો વિકલ્પ પણ પ્રભવે છે.
(૫) સ્યાત્ અતિ અવક્તવ્ય-અસ્તિધર્મ પણ અનંતા છે તેથી સર્વ અસ્તિધર્મ પણ એક જ સમયમાં અવક્તવ્ય છે. આ ભંગીમાં મુખ્યપણે અસ્તિ ધર્મસમેત અવક્તવ્યત્વની પ્રતીતિ થાય છે.
(૬) સાત્ નાસ્તિ અવક્તવ્ય-નાસ્તિધર્મ પણ અનંતા છે તેથી સર્વ નાસ્તિધર્મ પણ એક જ સમયમાં અવક્તવ્ય છે. આ ભંગીમાં મુખ્યપણે નાસ્તિધર્મ સમેત અવક્તવ્યત્વની પ્રતીતિ થાય છે.
(૭) સ્વાતુ અસ્તિ નાસ્તિ અવક્તવ્ય-અત્ર ભંગીમાં અસ્તિ નાસ્તિ ઉભય ધર્મ સમેત અવક્તવ્યત્વની પ્રતીતિ થાય છે. જેમ જીવાદિક વસ્તુના અસ્તિત્વ નાસ્તિત્વ આશ્રી સપ્તભંગી બતાવી તેમજ નિત્યત્વ અનિત્યત્વ ધર્મ આશ્રી પણ સપ્તભંગી પૂર્વાપર વિરોધ રહિત સમજી લેવી.
(૧) સ્થાનિત્ય પર્વ નીવઃ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી). (૨) સ્થાનિત્ય જીવ નીવઃ પર્યાયાર્થિક નયની અપેક્ષાથી) (૩) સ્થાનિત્ય પર્વ નિત્ય વ નીવઃ (ઉભય નયની અપેક્ષાથી) (૪) સર્વત્ર જીવ નીવઃ નિત્ય અનિત્ય ધર્મોને યુગપત્ કહી નહી શકવાથી) (૫) નિત્ય : (નિત્ય અનંત ધર્મો પણ કહી નહી શકવાથી) (૬) નિત્ય સવરૂધ્યેઃ (અનિત્ય અનંત ધર્મ પણ કહી નહિ શકવાથી)
(૭) ચનિત્ય પર્વ નીવ: સ્થાનિત્યઃ ચાવડ્યઃ (નિત્ય અને અનિત્ય અનંત ધર્મોને એકી સાથે કહી નહિ શકવાથી.).
હવે પ્રસંગોપાત ચાર નિક્ષેપાનું સ્વરૂપ લેશ માત્ર કહીએ છીએ.
(૧) નામનિક્ષેપો-ગુણની અપેક્ષા રાખ્યા વિના ગમે તે સચેત અચેત કે મિશ્ર વસ્તુનું જે નામ રાખવામાં આવે છે, જેમકે કિશોરચંદ, સુખલાલ, મહાદેવ પ્રમુખ.
(૨) સ્થાપના નિક્ષેપો-કોઈ પણ વસ્તુનું લખેલું આલેખેલું કે કલ્પના કરેલું રૂપ વિશેષ. સ્થાપના બે પ્રકારની છે. ૧) સદ્ભુત સ્થાપના ૨) અસલ્કત સ્થાપના. તે પણ અલ્પ કાળ માટે, તેમ જ કાયમ માટે એમ બે પ્રકારે હોઈ શકે છે. તે અનુક્રમે ઇત્વર કાલિક અને યાવત્રુથિક કહેવાય છે.
(૩) દ્રવ્ય નિક્ષેપો-ભાવ હેતુક યાને વસ્તુ સ્વરૂપ નિમિત્ત ભૂત દ્રવ્ય નિક્ષેપો કહેવાય છે. (૪) ભાવ નિક્ષેપો અમુક વસ્તુના સદ્ભૂત ગુણયુક્ત ભાવને ભાવ નિક્ષેપો કહે છે.
ઉક્ત ચાર નિક્ષેપા હરેક વસ્તુ ઉપર લાગુ પડે છે. તેમાં જેનો ભાવ સાચો છે તેના નામાદિક સમસ્ત નિક્ષેપા સફળ છે અને જે સદ્ભાવ શૂન્ય છે તેના શેષ નિક્ષેપ પણ અફળ છે. દાખલા તરીકે અરિહંત, સિદ્ધ, ભગવાન, ભાવાચાર્ય, ઉપાધ્યાય તથા નિગ્રંથ મુનિરાજ પ્રમુખના સર્વ નિક્ષેપા સફળ જ છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
१३४
नयामृतम्-२
(૧) નામ અરિહંત-આદીશ્વરજી, અજીત, સંભવ, અભિનંદન, સુમતિનાથ પ્રમુખ. એ સર્વે નામ સાર્થક ગુણ નિષ્પન હોવાથી જપનારને કલ્યાણકારી છે.
(૨) સ્થાપના અરિહંત-અરિહંત ભગવાનની પ્રતિમા યા પ્રતિબિંબ પ્રભુના સદ્ભુત અનંત ગુણની પ્રતીતિ કરાવવા સમર્થ હોવાથી તે અવશ્ય આરાધવા યોગ્ય છે. શાશ્વતી અહંત-પ્રતિમાઓ રિષભ, ચંદ્રાનન, વારિષણ અને વર્ધમાન એ ચાર ભગવાનના નામે સ્વર્ગ-મૃત્યુ અને પાતાળમાં સદાકાળ વિદ્યમાન જ છે. ઉક્ત પ્રતિમાના અધિકાર મુજબ ભાવિક જનો ભગવંતની પ્રતિમા નિર્માણ કરે કરાવે તે અશાશ્વતી પ્રતિમા સર્વત્ર પ્રસિદ્ધ છે. તેમાં સદ્ભૂત ગુણનો આરોપ કરીને તેની સેવા ભક્તિ કરવામાં આવે તે સર્વ સફળ છે.
(૩) દ્રવ્ય અરિહંત-અરિહંત ભગવાનના અતીત, અનાગત અને વર્તમાન કાળના જીવદ્રવ્ય સમજવા.
(૪) ભાવ અરિહંત-સમવસરણમાં વિરાજમાન અષ્ટપ્રાતિહાર્યયુક્ત ભાવ અરિહંત છે. એવી જ રીતે સદ્ભૂત ગુણ યુક્ત સર્વ સિદ્ધ, આચાર્ય પ્રમુખ આશ્રી સમજવું
સ્થાવર તીર્થ ઉપર ચાર નિક્ષેપા આવી રીતે સમજવા. (૧) નામતીર્થ-શત્રુંજય ગિરનાર, અષ્ટાપદ, પ્રમુખ નામ. (૨) સ્થાપનાતીર્થ-તીર્થની રચના, ચિત્ર અથવા નકશો પ્રમુખ સ્થાપના તીર્થ સમજવા. (૩) દ્રવ્યતીર્થ-તીર્થ સંબધી કોઇ પણ વસ્તુ યા વિભાગ. (૪) ભાવતીર્થ સદ્ભૂત ગુણ યુક્ત સાક્ષાત્ શત્રુંજયાદિક તીર્થ પ્રમુખ. અધ્યાત્મ ઉપર ચાર નિક્ષેપા નીચે મુજબ છે. (૧) નામ અધ્યાત્મ-અધ્યાત્મ એવું નામ માત્ર. (૨) સ્થાપના અધ્યાત્મ-અધ્યાત્મ એવા અક્ષર વાળું પદલખેલું અથવા કોરેલું) (૩) દ્રવ્ય અધ્યાત્મ-ઉપયોગ શૂન્ય અધ્યાત્મ જ્ઞાન માત્ર.
(૪) ભાવ અધ્યાત્મ-મોહ મમત્વ રહિત કેવળ આત્માર્થીપણે આત્મશુદ્ધિને માટે ઉપયોગ સહિત શુદ્ધ કરણી કરવામાં આવે તે ભાવ અધ્યાત્મ કહેવાય છે.
અરિહંતાદિક પરમેષ્ઠિને ચારે નિક્ષેપાએ ઉપયોગ સહિત ધ્યાવતાં અનેક ભવસંચિત કર્મમલનો ક્ષય થઈ જાય છે. પરતું કુદેવ-કુગુરૂ પ્રમુખને ધ્યાવતા થકા તો ભવભ્રમણ માત્ર ફળ મળે છે એમ સમજી સદ્ભુત ગુણશાળી અરિહંત પ્રમુખનું જ ભવ્યજનોએ પુષ્ટ આલંબન ગ્રહ્યા કરવું
પ્રસંગોપાત મંગલ શબ્દ ઉપર સંક્ષેપથી ચાર નિક્ષેપા કહીએ છીએ તે સુજ્ઞજનોએ લક્ષમાં રાખવા. (૧) નામ મંગળ-મંગળ એવું કોઇનું નામ રાખ્યું હોય તે. (૨) સ્થાપના મંગળ-મંગળ એવા લખેલા અથવા કોરેલા અક્ષર અથવા તો જેનું નામ મંગલ પાડ્યું છે
તેની મૂર્તિ.
(૩) દ્રવ્ય મંગળ-ભંભા, ભેરી, દહિ, દુર્વા, ગોળ, શુલ શુકન પ્રમુખ અથવા ઉપયોગ રહિત મંગળ અર્થનો જાણકાર.
Page #158
--------------------------------------------------------------------------
________________
अर्वाचीन गुजराती कृति
१३५
(૪) ભાવ મંગળ-ઉપયોગ સહિત મંગળ પદના જાણકાર અરિહંત, સિદ્ધ, આચાર્ય પ્રમુખ શુધ્ધ આત્મ વ્યક્તિઓ.
પ્રમાણ
પ્રત્યક્ષ પ્રમાણ-સર્વ પ્રત્યક્ષ અને દેશ પ્રત્યક્ષ એમ બે પ્રકારનું છે. સર્વ પ્રત્યક્ષ સર્વજ્ઞ સર્વદર્શી એવા વીતરાગ પરમાત્માને જ હોઈ શકે છે. અને દેશ પ્રત્યક્ષ તો અવધિજ્ઞાની અને મન:પર્યવજ્ઞાનીને હોઈ શકે છે. અત્ર સ્વપરનો સ્પષ્ટ નિશ્ચય કરાવી આપનાર જ્ઞાન જ પ્રમાણ લેખવામાં આવ્યું છે. તેથી આત્માનું સંપૂર્ણ સ્વરૂપ સર્વજ્ઞ સર્વદર્શી જ જાણી દેખી શકે છે. બીજા સાતિશય જ્ઞાની પણ તેને દેશથી જાણી દેખી શકે છે. જેમ તે પોતાના આત્માને જાણે દેખે છે તેમ જ અન્ય આત્માને જાણે દેખે છે, તથા જડ પદાર્થને પણ જાણી દેખી શકે છે. અરૂપી એવા આત્માને તેમ જ આકાશ આદિક અરૂપી જડ પદાર્થોને અતીન્દ્રિય જ્ઞાન દર્શન વડે જ યથાર્થ જાણી દેખી શકાય છે. તેથીજ તે અતીન્દ્રિય જ્ઞાન જ પ્રત્યક્ષ પ્રમાણ હોઈ શકે છે. નૈયાયિક દર્શની ચક્ષુ ઇંદ્રિયને પ્રત્યક્ષ પ્રમાણ કહે છે તે મિથ્યા ઠરે છે. ચક્ષુ ઇંદ્રિયથી અરૂપી દ્રવ્યો જાણી કે દેખી શકાતા જ નથી તેથી તે અપ્રમાણ છે. ફક્ત જ્ઞાન જ સ્વપરનો સારી રીતે નિશ્ચય કરી શકે છે. તેથી તે જ પ્રમાણભૂત છે. જડ એવી ઇંદ્રિયથી અતીન્દ્રિય આત્માનો નિશ્ચય શી રીતે થઈ શકે?
પરોક્ષ પ્રમાણ-જેથી વસ્તુ ધર્મનો અસ્પષ્ટ બોધ થાય તે પરોક્ષ પ્રમાણ છે. સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન, અને આગમ એમ પરોક્ષપ્રમાણ પાંચ પ્રકારનું છે.
(૧) સ્મરણ-સંસ્કારજન્ય બોધથી અનુભવેલી બાબતનું એ એવા પ્રકારનું જ્ઞાન થયું તે સ્મરણ કહેવાય છે. જેમકે એ તીર્થકરનું બિંબ, એ શાંતિ, એ આનંદ ઇત્યાદિ.
(૨) પ્રત્યભિજ્ઞાન-અનુભવ તથા સ્મૃતિના યોગથી જે વસ્તુ વિષયક નિશ્ચય જ્ઞાન થાય તે પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. યથા આ ગૌ એ તે જાતની જ છે. ગોદશ જ ગવાય છે. એ જ આ જિનદત્ત છે ઇત્યાદિ.
(૩) તર્ક-આ આ છતે જ હોય, એ અન્વય વ્યાપ્તિ અને અન્યથા એ ન જ હોય, એ વ્યતિરેક વ્યાપ્તિ સંબધીજ્ઞાનને ઊહ અથવા તક કહે છે. જેમ કે જે કોઈ ધૂમાડો હોય છે તે વહ્નિ છતાં જ હોય છે વહિનના અભાવે ધૂમાડાનો પણ અભાવ જ હોય છે.
(૪) અનુમાન-સ્વાર્થ અનુમાન અને પરાર્થ અનુમાન એમ બે પ્રકારનું છે.
(૫) આગમ-સર્વથા રાગદ્વેષ રહિત સર્વજ્ઞ સર્વદર્શી અહત્ પ્રણીત અવિરૂદ્ધ વચનને શાસ્ત્રકાર આગમ પ્રમાણ કહે છે. સમ્યગ્દષ્ટિને તે સમપણે પરિણમે છે તેથી તે સમ્યજ્ઞાન કહેવાય છે. મતિ નિર્મળ હોય તો શ્રુતજ્ઞાન નિર્મળ થાય છે. પુનઃ શ્રુતજ્ઞાનના યોગે મતિ વિશેષે નિર્મળ થતી જાય છે. પરંતુ તે પ્રત્યેક જ્ઞાન ઇંદ્રિય અને મન યોગે પ્રાપ્ય હોવાથી પરોક્ષ જ કહેવાય છે. સર્વજ્ઞ પ્રણીત આગમ દીપકની પેઠે જ્ઞાન-પ્રકાશ કરી અનાદિ અજ્ઞાન અંધકારને દૂર કરે છે. જીવાજીવાદિક પદાર્થ સાર્થને સમ્યગૂ રીતે જાણવા માટે તે પરમ ઉપકારી છે. તેથી પ્રમાદ પટલને તજી આત્માર્થી જનોએ અતિ આદરપૂર્વક આરાધવા યોગ્ય છે. અત્યારે જ્યારે સાતિશય જ્ઞાનનો વિરહ છે ત્યારે તે ભવ્ય જનોને પરમ આધારભૂત છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
१३६
नयामतम-२
(૪.૩) સપ્ત નયાદિ અધિકાર
પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મ. નયનો વિષય ઘણો જ ગહન હોવાથી એ ખાસ ગુરૂગમથી સમજવા યોગ્ય છે, અને સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવો જોઇએ. સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવાથી તેમાંથી ઘણો આત્મિક બોધ તરી આવે છે. જ્યાં સુધી આત્મદ્રવ્યનું લક્ષણ, સામાન્ય વિશેષ સ્વભાવ વિગેરે સદ્દહવામાં ને જાણવામાં નથી આવેલું હોતું, ત્યાં સુધી પ્રાયઃ ઉચ્ચ ગુણઠાણું દૂર હોય છે. પૂજ્ય ઉપાધ્યાયજી શ્રીમાન્ યશોવિજયજી મહારાજે કહ્યું છે કે - જિહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્ય, તિહાં લગે ગુણઠાણું ભલું, કિમ આવે તાણ્યું?
આતમતત્ત્વ વિચારીએ. ઉક્ત ગહન વિષયમાં મારી વિશેષ કાંઈ જ સમજ નથી, પરંતુ સ્કુલ બુદ્ધિથી સામાન્ય માત્ર ખ્યાલ છે. તેથી તેમાં કોઈ ભૂલ રહી જવા પામી હોય તો તે એ વિષયના જ્ઞાતા સુજ્ઞ વાંચકો સુધારી ગ્રહણ કરે.
(૧) નૈગમ નય - અંશ ગુણગ્રાહી જેમ સૂક્ષ્મ નિગોદીયા જીવમાં અક્ષરનાં અનંતમાં ભાગનું જ્ઞાન છતાં સિદ્ધ સમાન કહે છે. (આઠ રૂચકપ્રદેશ નિરાવરણ હોવાથી) વળી જે કાર્ય કરવાની ઇચ્છાને કર્યું કહે. સર્વ જીવોના આઠ રૂચકપ્રદેશ નિર્મળ સિદ્ધરૂપ છે, જે જાણી એક અંશે સિદ્ધ સમાન કહે છે. તેના ત્રણ ભેદ છે. ૧) ભૂતાર્થ નૈગમ, ૨) ભાવિ નૈગમ ૩) વર્તમાન બૈગમ.
૧) ભૂત નૈગમ-આ સમજવાને ભૂતકાળમાં વર્તમાનનું એવી રીતે આરોપણ થાય છે કે-જેમ આજે દિવાળીને દિવસે શ્રી વીરપ્રભુ મોક્ષપદને પામ્યા.
૨) ભવિષ્ય નૈગમ- આ નય ભાવી વાતને ભૂતવતું માને છે, જેમકે-શ્રી જિનેશ્વરદેવને સિદ્ધ કહી શકાય.
૩) વર્તમાન નૈગમ- વર્તમાનના આરોપણથી જેમ (કાંઇ રાંધેલું હોય તો પણ) એમ કહેવાય છે કેરસોઈ રંધાય છે આમાં ભૂત ક્રિયાને ગ્રહણ કરીને ભૂતકાલિક વચનનો નાશ થાય છે. બીજી રીતે કેવળી સિદ્ધ છે, તે ભાવિમાં વર્તમાનનું આરોપણ થયું. ભાવાર્થ એવો છે કે-વર્તમાન કાળમાં જિન અવસ્થા છે થોડા કાળ પછી સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થવાના છે. જો કે વર્તમાન જિન અવસ્થામાં સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ નથી, તો પણ આરોપથી કેવળી સિદ્ધ છે એમ કહી શકાય છે.
(૨) સંગ્રહ નય-આ નય સત્તાગ્રાહી છે સર્વ જીવ સત્તાગુણે સરખા છે. બીજમાં જેમ વૃક્ષની સત્તા છે. માત્ર નામ લેવાથી સર્વ ગુણ-પર્યાય આવે. જેમ કોઈ લાડુ જમવાનું કહે, તે ભેગા દાલ, ભાત. શાક વિગેરેનો સમાવેશ થાય છે. તેના બે ભેદ-સામાન્ય અને વિશેષ.
Page #160
--------------------------------------------------------------------------
________________
अर्वाचीन गुजराती कृति
१३७
૧) સામાન્ય-સઘળા દ્રવ્ય અવિરોધ સ્વભાવવાળા છે તે સામાન્ય સંગ્રહ. દષ્ટાંત-જેમ એક દ્રવ્યના સદ્ભાવમાં છએ દ્રવ્યની પ્રાપ્તિ થાય છે
૨) વિશેષ-જ્યારે એમ કહેવાય કે-સર્વ જીવો અવિરોધી છે તથા સંસારી અને સિદ્ધના જીવો અનંત ચૈતન્ય લક્ષણયુક્ત હોય તે જીવ કહેવાય. એ જીવના પાંચસો ત્રેસઠ ભેદ થાય છે, છતાં સઘળા જીવો
અવિરોધી છે, અર્થાત્ જીવને ધારણ કરવામાં કોઈ પણ જીવને વિરોધ નથી આવતો. આ પ્રમાણે છે દ્રવ્યમાંથી એક જીવદ્રવ્ય વિશેષનું ગ્રહણ કરવાથી બીજો ભેદ સિદ્ધ થાય છે.
સામાન્ય માત્રને ગ્રહણ કરવાવાળું જ્ઞાન તે સંગ્રહ કહેવાય છે એટલે જેમાં સંપૂર્ણ વિશેષનું રહિતપણું હોય તે સામાન્ય કહેવાય. એટલે પોતપોતાની જાતને ઇષ્ટ છે તે દ્વારા સંપૂર્ણ વિશેષોનું જે એક જ રૂપથી ગ્રહણ કરાય તે સંગ્રહ, તેના બે ભેદ છે. ૧) પરસંગ્રહ ૨) અપરસંગ્રહ તેમાં જે સંપૂર્ણ વિશેષોથી ઉદાસીન રહીને માત્ર સત્તાને જ શુદ્ધ દ્રવ્ય માને, તે પરસંગ્રહ કહેવાય છે. જેમકે સંસાર સત્પણાને લીધે એક છે. સત્પણામાં વિશેષ નહિ હોવાથી. અથવા સત્તારૂપ જ્ઞાન તો સઘળા પદાર્થમાં છે જ એમ માનવાથી, જ્ઞાન સઘળા પદાર્થોમાં છે તેથી સર્વત્ર સત્તારૂપ એકત્વ છે અને સત્તારૂપ એકત્વથી સઘળા પદાર્થોનો સંગ્રહ થાય છે. તાત્પર્ય એવું છે કે-પરસંગ્રહમાં એક સત્ રૂપપણાને ગ્રહણ કરવાથી જગતના સંપૂર્ણ વિશ્વ સત્ સ્વરૂપથી એક કહેવાય છે.
(૩) વ્યવહાર નય-બાહ્ય ગુણગ્રાહી છે. જેમ જીવ અમર છતાં કોઈ કહે કે-અમુક જીવને મારવાથી હિંસા થાય છે, ઇત્યાદિ અહિંસા આચાર ક્રિયા મુખ્ય છે. સંગ્રહ નયના ભેદક વિષયને દર્શાવનાર વ્યવહાર નય કહેવાય છે. તેના બે ભેદ-૧) સામાન્ય સંગ્રહ નયનો ભેદક વ્યવહાર નય અને ૨) વિશેષ સંગ્રહનો ભેદક વ્યવહાર નય.
૧) સામાન્ય-કોઈ કહેશે કે-જીવ અને અજીવ બને પરસ્પર વિરૂદ્ધ ધર્મવાળાં છે, છતાં બંનેની દ્રવ્યસંજ્ઞા કેમ થઇ શકે? તેના જવાબમાં સમજવાનું કે દ્રવ્યનો અર્થ એવો છે કે જે અનેક પર્યાયમાં પ્રાપ્ત થઈ જાય તે દ્રવ્ય અને તે પ્રમાણે જીવ અને અજીવ બંને સાધારણ દ્રવ્ય પદથી ગ્રહણ કરાય છે. જેમકે-જીવના દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી વિગેરે પર્યાયો છે, તેમ અજીવના સુવર્ણ મૃત્તિકાદિ દ્રવ્ય. પણ ઘટ, કુંડળ, શરાવ આદિ પર્યાયમાં પ્રાપ્ત થાય છે. જીવ અને અજીવ બંનેના પર્યાયોમાં દ્રવ્ય અનુગત છે, માટે દ્રવ્ય એવું પદ જીવ-અજીવ બંનેને માટે સામાન્ય સંગ્રહ છે. માટે પ્રથમ ભેદ સામાન્ય સંગ્રહ ભેદક વ્યવહાર નય સમજવો.
૨) વિશેષ-આનું તાત્પર્ય એવું છે કે-જીવદ્રવ્યના સંસારી અને સિદ્ધ એવા બે ભેદ પાડતાં સામાન્યમાં વિશેષ વ્યવહાર નય થાય છે. આમાં પણ સંસારી જીવને સામાન્ય માની તેના દેવ મનુષ્ય, તિર્યંચ વિગેરે વિશેષ ભેદ થઈ શકે. દેવને સામાન્ય ગણી વૈમાનિક વિગેરે ચારને વિશેષ વ્યવહાર કહેવાય. એવી રીતે ઉત્તરોત્તર વિવક્ષાને અનુસારે સામાન્ય વિશેષની ભાવના કરવી જોઈએ. આ વ્યવહાર નયનું પ્રયોજન એવું છે કે સામાન્ય સંગ્રહથી વ્યવહાર ચાલી શકતો નથી, માટે "દ્રવ્ય લાવ" એમ કહેવાથી એવી આકાંક્ષા જરૂર થાય કે-કયું દ્રવ્ય? જીવ કે અજીવ? જીવમાં પણ સંસારી કે સિદ્ધ? સંસારીમાં મનુષ્ય, દેવ વિગેરે એમ ઉત્તરોત્તર પર્યાયો થઈ શકે. આ જ રીતે સર્વત્ર સામાન્યવિશેષભાવની વ્યવસ્થા સમજી લેવી.
Page #161
--------------------------------------------------------------------------
________________
१३८
नयामृतम्-२
() ઋજુસૂત્ર નય - આ નય હંમેશાં વર્તમાનકાળની વસ્તુને ગ્રહણ કરે છે. ભૂત અને ભવિષ્યકાળ કુટિલ હોવાથી તેનો ત્યાગ કરે છે. ઋજુ શબ્દનો અર્થ સરલ થાય છે, એટલે વર્તમાનકાળ ભાવી વસ્તુને તે માને છે. ભૂતકાળ નષ્ટ થયેલો છે અને ભવિષ્યકાળ ઉત્પન્ન થયેલો નથી. તેથી તે બંને અસત્ છે. જે તેવી અસત્ વસ્તુને માનવી તે કુટિલતા છે, માટે તેને માનતા નથી. આવી ઋજુસૂત્ર નયની મુખ્ય માન્યતા છે.
ઋજુસૂત્ર નયમાં સૂત્ર શબ્દનો અર્થ વ્યવહાર અથવા પ્રવૃત્તિ પણ થાય છે. એટલે ઋજુ-સરલ છે વ્યવહાર-પ્રવૃત્તિ જેમાં, તે ઋજુસૂત્ર નય કહેવાય છે. અથવા સૂત્ર શબ્દને ઠેકાણે શ્રુત એવો શબ્દ પણ હોઈ શકે છે. એટલે તેનો એવો અર્થ થાય છે કે જેનું શ્રુત-જ્ઞાન સરલ હોય છે, તે ઋજુશ્રુત અર્થાત્ શેષ જ્ઞાનમાં મુખ્ય ઋજુશ્રુત કહેવાય છે. વળી તેવા પરોપકાર સાધન વડે શ્રુતજ્ઞાનને જ્ઞાન માને છે. કારણ-પરની વસ્તુથી પોતાનું કાર્ય સિદ્ધ થતું નથી. માટે જે પર વસ્તુ છે તે વસ્તુ ન સમજવી. વળી નરજાતિ, નારીજાતિ અને નપુંસકજાતિ એ જુદી જુદી જાતિવાળા અને એકવચન, દ્વિવચન અને બહુવચન એ ત્રણ વચનવાળા શબ્દોથી તે નય એક જ વસ્તુને જણાવે છે. જેમકેતટ શબ્દની તટ:, તટી, તટ-એ ત્રણે જાતિ અને ગુરુ, ગુરૂ, મુર:- એ ત્રણે વચનો-તે જાતિ અને વચનથી એક જ વસ્તુ છે એમ એ નય દર્શાવે છે. તેમ જુસૂત્ર નય ઇંદ્ર વિગેરેના નામ, સ્થાપના વિગેરે નિક્ષેપ ભેદ છે, તેને જુદા જુદા માને છે અને જે નય આગળ કહેશે તે અતિ શુદ્ધ હોવાથી જાતિ અને વચનના ભેદથી વસ્તુના ભેદ માને છે. અને નામ, સ્થાપના અને દ્રવ્ય ત્રણ નિક્ષેપોને માનતા નથી. આ પ્રમાણે ઋજુસૂત્ર નયની પ્રરૂપણા છે.
વિશેષ જે નય વર્તમાન પરિણામ ગુણગ્રાહી છે. જેમ કોઈ જીવ ગૃહસ્થ છે પણ અંતરંગ મુનિપરિણામે વર્તે છે તેથી મુનિ કહે અને મુનિમાં ગૃહસ્થના ગુણ હોવાથી ગૃહસ્થ કહે તે જે જેવો હોય તેવો બોલાવે.) એટલે કે-આ નય ભૂત-ભવિષ્યથી રહિત કેવળ વર્તમાનકાળનો જ સ્વીકાર કરે છે. તેમાં પોતાના આત્માના અનુકૂળ કાર્યના પ્રત્યયને માને છે, પણ પર પ્રત્યયને નહિ. તેના બે ભેદ-(૧) સૂક્ષ્મ ઋજુસૂત્ર (૨) સ્કૂલ ઋજુસૂત્ર
૧) સૂક્ષ્મ ઋજુસૂત્ર-એટલે તે સૂક્ષ્મ પર્યાયને માને છે કેમકે આ નયની અપેક્ષાએ સર્વ પર્યાય ક્ષણિક છે. ઉત્પાદ વ્યય અને ધ્રુવ દરેક પદાર્થમાં ક્ષણે ક્ષણે થાય છે. અને તેથી વર્તમાનકાળે જે પર્યાયની સ્થિતિ વર્તતી હોય તેને આ નય ગ્રહણ કરે છે. જે પર્યાય વર્તમાનકાળે વર્તતો હોય તે જ અનુકૂળ વર્તમાન પર્યાયને ગ્રહણ કરે તે સૂક્ષ્મ ઋજુસૂત્ર.
૨) સ્થૂલ ઋજુસૂત્ર-આનો અર્થ એવો છે કે-શૂલપણે વર્તમાન મનુષ્યાદિ પર્યાયને માને છે, પણ અતીત અનાગત નારક, તિર્યંચ આદિ પર્યાયને માને નહિ. વ્યવહાર નય છે તે તો ત્રણે કાળના પર્યાયને ગ્રહણ કરે છે. તેથી કરીને પૂલ ઋજુસૂત્ર નયની સાથે વ્યવહાર નયનો સંકર દોષ થાય છે એમ સમજવું નહિ. કેમકેભૂત-ભવિષ્યની કડાકૂટથી રહિત એવા સરલ વર્તમાન ક્ષણ સ્થાયી પર્યાય માત્ર સૂચિત કરવા રૂપ જે નયનો મુખ્ય અભિપ્રાય છે તેને જ ઋજુસૂત્ર કહે છે.
(૫) શબ્દનય- અર્થને ગૌણપણાથી અને શબ્દને મુખ્યપણાથી જે માનવામાં આવે તે શબ્દ ન કહેવાય
Page #162
--------------------------------------------------------------------------
________________
अर्वाचीन गुजराती कृति
१३९
છે. આ નય વર્તમાન વસ્તુને ઋજુસૂત્રથી વિશેષ માને છે. પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસક-એ ત્રણ જાતિ ભિન્ન હોવાથી તેની વાઢતા તે નય ભિન્ન માને છે. વળી તે એકવચન, દ્વિવચન અને બહુવચન-એ વચનના ભેદને લઇને અભિધેય-અર્થમાં પણ ભેદ માને છે. આકાશ-પુષ્પની જેમ કાર્યસાધક ન હોવાથી. નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપને તે નય માનતો નથી. આ નય પાછળના નયથી શુદ્ધ હોવાને લઈને વિશેષપણે મનાય છે. સમાન લિંગ તથા વજનવાળા ઘણા શબ્દોનો એક જ અભિધેય-અર્થ શબ્દ નય માને છે. જેમ ઇંદ્રને શક, પુરંદર વિગેરે નામથી કહે છે તે શબ્દ નય છે. જો શબ્દ નયની પ્રવૃત્તિ બરાબર લક્ષ્યમાં રાખી હોય તો માનવહૃદયમાંથી કેટલીક શંકા દૂર થઈ જાય છે, અને તેથી સિદ્ધાન્તનું સ્વરૂપ યથાર્થ રીતે સમજાય છે.
(૬) સમભિરૂઢ નય- એક વસ્તુનું સંક્રમણ જ્યારે બીજી વસ્તુમાં થાય, ત્યારે તે વસ્તુ અવસ્તુ થઇ જાય છે, આ મત સમભિરૂઢ નયનો છે. આ નય એવું માને છે કે-વાચકના ભેદથી વાચ્ય-અર્થનો પણ ભેદ થાય છે. જેમકે ઇન્દ્ર એ શબ્દરૂપ વસ્તુનું સંક્રમણ શક શબ્દમાં થાય, ત્યારે ઇન્દ્રવાચક શબ્દ જુદો થાય છે. એટલે ઇન્દ્ર શબ્દનો અર્થ ઐશ્વર્યવાળો ફન્દ્રતિ શ્વર્ય પ્રાપ્નોતીતીન્દ્રઃ) શક શબ્દનો અર્થ શક્તિવાળો શિવનોતીતિ શ:) અને પુરંદર શબ્દનો અર્થ શત્રુના નગરને નાશ કરનારો થાય છે. તે બધા ઇન્દ્રવાચક છે, પણ તેના વાચ્ય-અર્થ જુદા જુદા હોવાથી તે જુદા જુદા છે, એમ સમભિરૂઢ નય માને છે. જો એ બધા શબ્દોનો એકાર્થ માને તો અતિપ્રસંગ દૂષણ આવે, અને દૂષણને લઇને ઘર, મ વિગેરે શબ્દોનો પણ એક અર્થ થવાનો પ્રસંગ આવે (ઘટનો અર્થ જુદો છે-કુંભનો અર્થ જુદો છે) અને જ્યારે તે પ્રસંગ ઘટે તો પછી ઇન્દ્ર શબ્દ અને શક્ર શબ્દનો એક જ અર્થ થાય અને તે એક અર્થ હોવાથી, ઇન્દ્ર ઐશ્વર્યને જણાવનાર શક શબ્દનો શકનશક્તિને જણાવનારા શબ્દમાં સંક્રમિત થવાથી તે બંને એકરૂપ થઈ જાય, તો તે શબ્દની ખૂબી ઉડી જાય છે, તેથી તેમ ન થવું જોઇએ. કારણ કે-ઇન્દ્ર શબ્દનો અર્થ ઐશ્વર્યવાચક છે, તે શક્તિ અર્થને જણાવનારા શક્ર શબ્દના અર્થનો પર્યાય થઇ શકે નહિ. જો એમ થાય તો સર્વ પર્યાયોની અંદર સંકર-(મિશ્રણ) પણાનો દોષ આવે અને તે દોષને જ અતિપ્રસંગ દૂષણ કહે છે.
(૭) એવંભૂત નય એવંભૂત એ નયનો શબ્દાર્થ એવો છે કે- એવું એટલે એવી રીતે ભૂત એટલે પ્રાપ્ત હોવું તે એવંભૂત કહેવાય છે. અર્થાત્ પર્વ નિં મૂતં? એવી રીતે શું થયું? એમ દર્શાવવું તે એવંભૂત નય છે. આ નય તો જે વખતે જે ક્રિયા જે પરિણામને પામેલી હોય, તે પરિણામની સ્થિતિને માન્ય રાખે છે. જેમ કેરાજા જ્યારે સિંહાસને બેઠો હોય, છત્ર ચામરે કરી સંયુક્ત હોય તેને રાજા કહે, પણ સામાન્ય મનુષ્યની સ્થિતિમાં હોય તેને રાજા કહે નહિ. સમભિરૂઢ અને એવંભૂત-એ બેમાં એવો ભેદ જણાય છે કે-સમભિરૂઢ તો રાજા શબ્દના અર્થથી તેને ગમે તે વખતે રાજા તરીકે ગ્રહણ કરે છે અને એવંભૂત નય તો રાજાપણાંના સાહિત્યરૂપ ક્રિયામાં જ્યારે પરિણત હોય ત્યારે રાજા કહે છે. પણ સ્નાન કરતો હોય અને કોઈ રાજાપણાનું સાહિત્ય ન હોય ત્યારે રાજા કહે નહિ. મતલબ કે જેમાં ક્રિયાનું પ્રધાનપણું હોય તેને એવંભૂત નય માન્ય રાખે છે. અને જાતિ,ગુણ,સંજ્ઞા દ્રવ્ય તથા ક્રિયા એમ પાંચ પ્રકારે જે શબ્દોની પ્રવૃત્તિ કહેલી છે તે તો વ્યવહાર નયથી જ છે પણ નિશ્ચય નયથી નથી, એવું આ નયનું માનવું છે. તાત્પર્ય એવું છે કે-શબ્દની તો ક્રિયા વાચકતાને અનુસાર પ્રવૃત્તિ હોવી જોઇએ, કારણ-ઇન્દ્ર ઐશ્વર્યયુક્ત હોય છે. છતાં જ્યારે ઐશ્વર્ય
Page #163
--------------------------------------------------------------------------
________________
१४०
नयामृतम् -२
ન
અનુભવ કરતો હોય ત્યારે જ ઇન્દ્ર કહી શકાય. બીજી રીતે જેમ ઘટ ધાતુ છે, તેનો અર્થ ચેષ્ટા કરે તે ઘટ કહેવાય છે. જે ચેષ્ટા ન કરે તે ઘટ પદનો વાચ્ય-અર્થ નહિ. જે ઘટ એ પદનો વાચક શબ્દ ચેષ્ટા રહિત હોય તે ઘટ કહેવાય નહિ. અને ઘટનો વાચક શબ્દ પણ નહિ. આ પ્રમાણે માનવું તે સાતમો એવંભૂત નય કહેવાય છે.
પ્રથમના ત્રણ નય નૈગમ, સંગ્રહ અને વ્યવહા૨ નય-એ દ્રવ્યાર્થિક નયના ભેદ છે અને ઋજુસૂત્ર, શબ્દ સમભિરૂઢ અને એવંભૂત-એ ચા૨ નય પર્યાયાર્થિક નયના ભેદ છે. જે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના પણ ભેદ આગળ બતાવવામાં આવશે.
સાત નય જે કહ્યા, તેમાં નિશ્ચય અને વ્યવહાર બે મૂલ નય છે. એ સાત નયમાં જે પહેલાં છ નય છે તે વ્યવહારમાં છે, અને છેલ્લો એવંભૂત નય નિશ્ચય નયમાં આવે છે. એ છએ નયે જે કાર્ય છે તે અપવાદે કારણરૂપ છે અને સાતમે એવંભૂત નયે જે કાર્ય છે છે. ઉત્કૃષ્ટ-ઉત્સર્ગે નિશ્ચય કાર્યરૂપ છે. તેથી જ પહેલા છ નયને વ્યવહા૨માં ગણ્યા છે અને સાતમો કાર્યરૂપ જે એવંભૂત નય તેને નિશ્ચયમાં ગણ્યો છે. આ સાતે નયમાં દ્રવ્ય નય અને ભાવ નય પણ લાગુ પડે છે.તે વિષે કેટલાક વિદ્વાનોનો જુદો જુદો મત છે, તથાપિ એકંદર રીતે તેમનો આશય એક જ છે.
શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણજી મહારાજ નૈગમ, સંગ્રહ વ્યવહાર અને ઋજુસૂત્ર-એ ચા૨ નયમાં નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિક્ષેપ દ્રવ્યાસ્તિકપણે રહેલા છે અને શબ્દાદિક ત્રણ નય પર્યાયાસ્તિકપણે ભાવ નિક્ષેપમાં રહેલા છે એમ કહે છે. અને શ્રીસિદ્ધસેનદિવાકરજી મહારાજ પ્રથમના નૈગમ, સંગ્રહ અને વ્યવહા૨ એ ત્રણ નયમાં દ્રવ્યાસ્તિકપણે ત્રણ નિક્ષેપા અને ઋજુસૂત્ર વિગેરે ચાર નયમાં પર્યાયાસ્તિકપણે ભાવ નિક્ષેપામાં રહેલા છે એમ કહે છે. આ પ્રમાણે તેમના જુદા જુદા મત છે, તથાપિ તેમનો આશય એક જ છે, અને બંને આચાર્ય મહારાજઓનું વચન પ્રમાણ છે તે આ રીતેઃ
વસ્તુની ત્રણ અવસ્થા કહેવાય છે.૧-પ્રવૃત્તિ ૨-સંકલ્પ અને ૩-પરિણતિ. જે વસ્તુની અંદર યોગ વ્યાપારરૂપ ક્રિયા છે તે પ્રવૃત્તિ કહેવાય છે. ચેતનાના યોગ સાથે મનનો વિકલ્પ તે સંકલ્પ અને પરિણામ રૂપાંતર પામવું તે પરિણતિ કહેવાય છે. તેથી કોઇ આચાર્ય પ્રવૃત્તિધર્મ અને સંકલ્પધર્મ એ બંનેને ઔદયિક મિશ્રિતપણાને લઇને દ્રવ્ય નિક્ષેપો કહે છે. અને જે વસ્તુનો પરિણતિધર્મ છે તેને ભાવ નિક્ષેપો કહે છે. કોઇ આચાર્ય તો વિકલ્પ તે જીવની ચેતના માટે તેને ભાવ નયમાં ગવેષે છે અને પ્રવૃત્તિને વ્યવહા૨ નયમાં માને છે. સંકલ્પને ઋજુસૂત્ર નયમાં ગણે છે અને પરિણતિમાં એકવચન પર્યાયરૂપ તે શબ્દ નયમાં ગણે છે, વળી બીજા નયને માટે એમ પણ માને છે કે સંકલ્પ વચન પર્યાયરૂપ સમભિરૂઢ નય વચન તથા અર્થના પર્યાયરૂપ એવંભૂત નય અને તે ત્રણ શુદ્ધ નય ગણાય છે.
નિશ્ચય અને વ્યવહા૨ નય જે કહેવાય છે, તેમાં વ્યવહા૨ નયનાં ભેદ થઇ શકે છે, તે અશુદ્ધ વ્યવહા૨ અને શુદ્ધ વ્યવહા૨.
પહેલો ભેદ ઉદયભાવરૂપ વ્યવહા૨ નય-આપણા શરીરમાં જે જીવ છે, તે જીવને રાગદ્વેષઅજ્ઞાનરૂપ
Page #164
--------------------------------------------------------------------------
________________
अर्वाचीन गुजराती कृति
१४१
અશુદ્ધતા અનાદિકાળથી લાગી રહેલ છે. તે જીવ અશુદ્ધ વ્યવહાર નવે છે. અને અશુદ્ધતાની ચીકાશને લઇને જીવને પ્રકૃતિરૂપ સત્તાપણે કર્મરૂપ દલીયા રહેલાં છે તે જો કે સંગ્રહ નયને મતે છે તથાપિ વ્યવહારરૂપે જાણવાના છે. જે જીવે અતીતકાલે કર્મના દલીયા ગ્રહણ કરેલ હતા અને ભવિષ્યકાલે ભોગવવાના છે. અને વર્તમાનકાલે સત્તાએ રહી પ્રવર્તે છે વળી તે દલીયા સ્થિતિ પાકે વ્યવહાર નયે ઉદયરૂપભાવે અજ્ઞાનપણે ઉપયોગ વિના એકેન્દ્રિય, વિકલેન્દ્રિય વિગેરે સંમૂર્ચ્છિમ જીવો ભોગવે છે. તે ઉદયભાવરૂપ વ્યવહા૨ નય કહેવાય છે તાત્પર્ય એવું છે કે-અશુદ્ધ વ્યવહા૨ નયમાં નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ નય પ્રવર્તે છે. ઋજુસૂત્ર નય તે ઉપયોગમાં વર્તે છે.
બીજો ભેદ ઉપચરિત વ્યવહા૨ નય-અશુદ્ધ વ્યવહારનો બીજો ભેદ ઉપચરિત વ્યવહા૨ નય જે જીવ આ સંસારના દરેક પદાર્થો, જેવા કે- ઘ૨, હાટ, મકાન, ભાઈ, પિતા, સ્ત્રી, કુટુંબ, પરિવાર, ગ્રામ, ગરાસ, લક્ષ્મી વિગેરે કે જે પ્રત્યક્ષપણે તેનાથી જુદા છે, છતાં પોતે તેનો સ્વામીરૂપ કર્તા થઇ પ્રવર્તે છે, અને ઋજુસૂત્ર નયના ઉપયોગ સાથે વર્તે છે. તે ઉપચરિત વ્યવહાર નય કર્તા કહેવાય છે,અને તેની ચીકાશથી જીવ શુભ-અશુભ કર્મરૂપી દલીયા ગ્રહાણ કરે છે. તે ગ્રહણ કરવા તે રૂપ વ્યવહા૨ નય છે. અને કોઇ જીવ ચૈત્ય, ઉપાશ્રય, જ્ઞાનના ઉપકરણો વિગેરે સારા પદાર્થો કે જે તેનાથી ભિન્ન છે. છતાં જીવ તે ઉ૫૨ ૫ોતાનું સ્વામીત્વ માને તે પણ ઉપચરિત વ્યવહાર નય છે. અને તે શુભ સાધનોની ચીકાશથી શુભ કર્મરૂપ દલીયા ગ્રહણ કરે છે. તે ગ્રહણ કરવારૂપ જ વ્યવહા૨ નય સમજવો. ઉપચરિત વ્યવહા૨ નયે કરી શુભાશુભરૂપ બે પ્રકારે દલિયાનુ ગ્રહણ કરી, તે દલીયા જીવે પોતાની પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા છે. તે સંગ્રહ નયના મતે છે, પણ તે વ્યવહારરૂપ ગણાય છે અને નૈગમ નયના મત પ્રમાણે જીવે ભૂતકાલે જે દલિયા ગ્રહણ કર્યાં હતાં અને આવતે ભવિષ્યકાળે ભોગવશે તથા વર્તમાનકાળે પ્રકૃતિરૂપ સત્તાપણે રહ્યા છે, તે નૈગમ નય જાણવો અને વ્યવહા૨ નયના મતે તે દલિયા સમ્યક્ત્વધારી જીવ ઉદયરૂપભાવે ઉદાસપણે ભિન્ન રહી ભોગવે છે, તેમાં ભોગવવારૂપ તે કોરો વ્યવહા૨ નય સમજવો અને જે મિથ્યાત્વી જીવ ઋજુસૂત્રના ઉપયોગ સાથે રહી માંહે મળી ભોગવે છે, તે બાધકરૂપ વ્યવહા૨ નય સમજવો. આ પ્રમાણે ઉપચરિત વ્યવહા૨ નયમાં નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર એ ચા૨ નય જાણી લેવા.
ત્રીજો ભેદ અશુભ વ્યવહા૨ નય- જે જીવ ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, નિંદા, ઇર્ષા, ચાડી, મૃષા, અદત્ત, મૈથુન ઇત્યાદિક અનેક પ્રકારે વિવાહ વિગેરે વ્યાપાર વાણિજ્યરૂપ ક૨ણી ઋજુસૂત્રના ઉપયોગ સહિત કરે, તે અશુભ વ્યવહા૨ કહેવાય છે. અને તેની ચીકાશે અશુભ કર્મરૂપ દલીયાનું ગ્રહણ કરવું તે ગ્રહવારૂપ વ્યવહા૨ નય જાણવો. પૂર્વની જેમ તેમાં પણ નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર એ ચાર નય પ્રવર્તે છે.
ચોથો ભેદ શુભ વ્યવહા૨ નય- કોઈ જીવ દાન,શીલ,તપ,ભાવ,દયા,સેવા,ભક્તિ,પૂજા, અને પ્રભાવના વિગેરે શુભ ક૨ણી ઋજુસૂત્ર નયના ઉપયોગ સહિત કરે, તે શુભ વ્યવહા૨ નય અને તેની ચીકાશે શુભ
Page #165
--------------------------------------------------------------------------
________________
१४२
नयामृतम् -२
કર્મરૂપ દલિયાનુ ગ્રહણ કરવું તે ગ્રહવારૂપ વ્યવહા૨ નય સમજવો. તે નયમાં નૈગમ, સંગ્રહ,વ્યવહાર અને ઋજુસૂત્ર-એ ચા૨ નય આવી શકે છે.
પાંચમો ભેદ અનુપચરિત વ્યવહા૨ નય- કોઇ જીવ ઋજુસૂત્ર નયના ઉપયોગે અજાણપણે શરીરાદિક દ્રવ્યકર્મરૂપ પ૨વસ્તુ કે જે પોતાથી પ્રત્યક્ષપણે જુદી છે, તેને જીવ અજ્ઞાને ક૨ી પોતાની જાણે છે, અને પોતાના શ૨ી૨ને વિષે જીવબુદ્ધિ રાખે છે, તે અનુપચરિત વ્યવહા૨ નયથી કર્તા છે એમ સમજવું. અને તે અનુપચરિત વ્યવહા૨ નયમાં નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર એ ચા૨ નય ઘટાવી શકાય છે.
આ પ્રમાણે અશુદ્ધ વ્યવહાર નયના મૂલ ભેદ એક અને તેના પાંચ ઉત્તરભેદ છે, અને તે દરેક પદાર્થમાં ઘટાવી વસ્તુરૂપ યથાર્થ રીતે ઓળખી શકાય છે.
શુદ્ધ વ્યવહા૨ નય- શબ્દ નયના મતે સમ્યક્ત્વભાવથી માંડીને છઠ્ઠા તથા સાતમા ગુણઠાણા પર્યંત સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ સર્વ શુદ્ધ વ્યવહાર નયે વર્તે છે. તેમાં પાંચ નયની ઘટના થાય છે તે આ રીતે
પહેલા નૈગમ નયના મતે આઠ રૂચક પ્રદેશ સદાકાલ સિદ્ધ સમાન નિર્મલા છે, બીજા સંગ્રહ નયને મતે સિદ્ધસમાન પોતાના આત્માની સત્તા અસંખ્યાત પ્રદેશરૂપ છે, ત્રીજા વ્યવહાર નયના મતે ઉ૫૨થી ગુણઠાણા માફક પોતાની કરણી કરે છે, ચોથા ઋજુસૂત્ર નયના મતે સંસાર તરફ ઉદાસી વૈરાગ્યરૂપ પરિણામ વર્તે છે અને પાંચમા શબ્દ નયના મતે જીવ-અજીવરૂપ સ્વ-૫૨ની હેંચણ કરી જેવી હતી તેવી જ શુદ્ધ-નિર્મળ સ્વઆત્માની પ્રતીતિ કરી છે. એવી રીતે સમ્યક્ત્વભાવથી માંડીને છઠ્ઠા-સાતમા ગુણઠાણા પર્યંત ઉપરથી વ્યવહા૨દૃષ્ટિએ જોતાં એક શબ્દ નય અને અંતરંગ નિશ્ચય દૃષ્ટિએ પાંચ નય જાણવા. એ શબ્દ નયને મતે શુદ્ધ વ્યવહારનું સ્વરૂપ કહેલું છે.
હવે સમભિરૂઢ નયને મતે આઠમા-નવમા ગુણઠાણાથી માંડીને તેરમા ચૌદમા ગુણઠાણા પર્યંત કેવળી ભગવાન તે શુદ્ધ વ્યવહા૨ નયે વર્તે છે. તેમાં છ નય ઘટાવી શકાય છે. જે ઘટાવાથી શુદ્ધ વ્યવહાર નયનું સ્વરૂપ સા૨ી ૨ીતે જાણી શકાય છે. તે આ રીતે
પોતાના આત્મની સિદ્ધ સમાન સત્તા જે આગળ ઓળખી હતી તે શુદ્ધ નિર્મળપણે પ્રગટ કરી છે. એ સંગ્રહ નયનો મત છે.
આઠ રૂચક પ્રદેશ જે આગળ આવરણ રહિત હતા તે તેવા ને તેવા જ વર્તે છે, એ નૈગમ નયનો મત
છે.
અંતરક૨ણીરૂપ સ્વરૂપમાં ૨મવારૂપ ક્રિયા કરે છે અને બાહ્ય કરણીરૂપ ક્રિયા પણ સાચવે છે, એ વ્યવહા૨ નયના મતે છે.
જે શુદ્ઘ ઉપયોગમાં વર્તે છે, તે ઋજુસૂત્ર નયના મતે છે. ક્ષાયિક સમ્યક્ત્વ ગુણ પ્રગટયો છે તે પણ પોતાની પાસે છે, તે શબ્દ નયના મતે છે.
Page #166
--------------------------------------------------------------------------
________________
अर्वाचीन गुजराती कृति
१४३
શુક્લ ધ્યાનરૂપ શ્રેણિભાવના ત્રીજા પાયાની અંતરાલે રહી વર્તે છે, એ સમભિરૂઢ નયના મતે છે.
એ રીતે શ્રેણિભાવ પર્યત કેવલી ભગવાનના સ્વરૂપમાં ઉપરથી વ્યવહારષ્ટિએ તો એક સમભિરૂઢ નય કહેવાય છે, અને અંતરંગદષ્ટિએ જોતાં તો છે નય જાણી લેવા. આ પ્રમાણે સમભિરૂઢ નયને મતે શુદ્ધ વ્યવહારનું સ્વરૂપ કહેલું છે.
શુદ્ધ નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ- એવંભૂત નયને મતે અષ્ટકર્મનો ક્ષય કરી અષ્ટગુણસંપન્ન લોકને અંતે વિરાજમાન છે અને સાદિ અનંતમે ભાગે વર્તે છે, એવા સિદ્ધ પરમાત્મા તે શુદ્ધ નિશ્ચય નય સમજવા. તેની અંદર સાતે નયની પ્રાપ્તિ થાય છે તે આ રીતે -
સિદ્ધ પરમાત્માને આઠ રૂચક પ્રદેશ જે ભૂતકાલે નિરાવરણ હતા, ભવિષ્યકાલે નિરાવરણ રહેશે અને વર્તમાનકાલે નિરાવરણ રહે છે, તે નૈગમ નયના મતે છે.
જે સિદ્ધ પરમાત્માએ પોતાના આત્માની સત્તા અંતરંગ શુદ્ધ નિર્મળપણે જેવી હતી જ નિરાવરણપણે પ્રગટ કરેલી છે, તે બીજા સંગ્રહ નયને મતે છે.
જે પલટણ સ્વભાવે પ્રતિસમય નવા નવા શેયની વર્તનારૂપ પર્યાયનો ઉત્પાદ વ્યય થઈ રહ્યો છે, તે ત્રીજા વ્યવહાર નયને મતે છે.
જે સિદ્ધ પરમાત્મા પોતાના પરિણામિકભાવે રહી સામાન્ય વિશેષરૂપ ઉપયોગમાં સદાકાલ વર્તે છે, તે ચોથા ઋજુસૂત્ર નયના મતે છે.
જે આગળ જીવ-અજીવની બેંચણ કરી ક્ષાયિક સમ્યકત્વરૂપ ગુણ પ્રગટ્યો છે, તે પણ પોતાની પાસે છે, તે પાંચમા શબ્દ નયને મતે છે.
જે અનંત ચતુષ્ટયરૂપ લક્ષ્મી પ્રગટ કરી છે તે પણ પોતાની પાસે છે, તે છઠા સમભિરૂઢ નયને મતે છે. સિદ્ધ પરમાત્મા અષ્ટકર્મનો ક્ષય થતાં અષ્ટ ગુણ પ્રગટ કરી લોકને અંતે વિરાજમાન વર્તે છે, તે એવંભૂત નયનો મત છે.
એવી રીતે સિદ્ધના સ્વરૂપમાં અંતરંગ દષ્ટિએ જોતાં કાર્યરૂપ સાતે નય પ્રાપ્ત થઈ શકે છે અને ઉપરથી વ્યવહાર દૃષ્ટિએ જોતાં તો એક એવંભૂત નય આવી શકે છે.
એ સાતે નયની ઘટના કયા પદાર્થ ઉપર લગાડવી ઉત્તમ છે? અને તેમાંથી કઈ કઈ બાબત જાણવા યોગ્ય છે તે નીચે પ્રમાણે -
પ્રથમ તો છ દ્રવ્યમાં સાતે નય લગાડવા જોઇએ. જેમ કે આકાશ પ્રદેશ છે, તેની અંદર સાતે નય પ્રવર્તે છે. આકાશ પ્રદેશ એક છતાં નૈગમ નયના મતે તે છ દ્રવ્યોથી મિશ્રિત છે. સંગ્રહ નયને મતે એક કાલદ્રવ્ય અપ્રદેશી છે, કારણ કે-સર્વ લોકમાં તેનો એક સમય વ્યાપી રહેલો છે. તેથી તે આકાશ પ્રદેશમાં કાલ જુદો નથી. માટે સંગ્રહ નયના મતે એક કાલ દ્રવ્ય વિના બાકીના પાંચ દ્રવ્યનો એક પ્રદેશ કહી શકાય છે. તથા
૧. પરિવર્તન
Page #167
--------------------------------------------------------------------------
________________
१४४
વ્યવહા૨ નયને મતે જે દ્રવ્ય જેમાં મુખ્ય દેખાય છે, તે દ્રવ્યનો એ પ્રદેશ કહેવાય છે. તથા ઋજુસૂત્ર નયને મતે જે સમયે જે દ્રવ્યનો ઉપયોગ આપી પૂછાય, તે સમયે તે પ્રદેશ તે દ્રવ્યનો કહેવાય છે. જેમ ધર્માસ્તિકાયનો ઉપયોગ આપી પૂછવામાં આવે, તો તે ધર્માસ્તિકાયનો પ્રદેશ કહેવાય છે અને જો અધર્માસ્તિકાયનો ઉપયોગ આપી પૂછીએ તો તે અધર્માસ્તિકાયનો પ્રદેશ કહેવાય છે એવી રીતે જે સમયે જે દ્રવ્યનો ઉપયોગ આપી પૂછવામાં આવે તે પ્રદેશ તે દ્રવ્યનો કહેવામાં આવે છે. વળી જે દ્રવ્યનું નામ લઈ પૂછવામાં આવે, તે પ્રદેશ તે દ્રવ્યનો કહેવાય એ શબ્દ નયના મતથી સમજવું. એક આકાશ પ્રદેશમાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ રહ્યો છે. તથા અધર્માસ્તિકાયનો પણ એક પ્રદેશ રહ્યો છે. તથા જીવ અનંતાના અનંતા પ્રદેશ રહ્યા છે અને પુદ્ગલ ૫૨માણુઓ પણ અનંતા રહ્યા છે. એ સમભિરૂઢ નયનો મત છે. અને જે સમયે જે પ્રદેશ જે દ્રવ્યનો ગણાય છે, એ એવંભૂત નયનો મત છે.
આ પ્રમાણે આકાશ પ્રદેશમાં છ દ્રવ્યનું સ્વરૂપ સાત નયથી જાણી શકાય છે અને તે જાણવાથી વસ્તુસ્વરૂપનો નિઃશંક બોધ પ્રાપ્ત થાય છે
હવે જેવી રીતે વસ્તુસ્વરૂપમાં ઘટાવ્યું તેવી રીતે લૌકિક વાર્તાના દૃષ્ટાતમાં ઘટાવે છે તે આ રીતેઃ
કોઈ વિદ્વાને પૂછ્યું તમે ક્યાં રહો છો?
ઉ.-હું આ લોકમાં રહું છું.
પ્ર.-લોક તો ત્રણ છે, તેમાં ક્યા લોકમાં રહો છો ?
ઉ.-હું તિર્આ લોકમાં રહું છું
પ્ર.-તે લોકમાં તો અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્ર છે, તેમાં તમે ક્યા દ્વીપમાં રહો છો? ઉ.-હું જંબૂદ્વીપમાં રહું છું.
પ્ર.-જંબૂદ્વીપમાં ઘણા ક્ષેત્રો છે, તેમાં તમે ક્યા ક્ષેત્રમાં રહો છો?
ઉ.-હું ભરતક્ષેત્રમાં રહું છું.
પ્ર.-ભરતક્ષેત્રમાં બત્રીશ હજાર દેશ છે, તેમાં ક્યા દેશમાં વસો છો?
नयामृतम् - २
ઉ.-હું સૌરાષ્ટ્ર દેશમાં વસું છું.
પ્ર.-સૌરાષ્ટ્ર દેશમાં ઘણા શહેરો અને ગામો છે, તેમાં તમે ક્યા શહે૨માં કે ગામમાં વસો છો?
ઉ.-હું પાલીતાણા નગરીમાં રહું છું.
પ્ર.-તે નગરીમાં ઘણી શેરીઓ છે, તેમાં તમે કઈ શેરીમાં રહો છો?
ઉ.-હું ભાટ શેરીમાં રહું છું.
આ પ્રશ્નો અને ઉત્તરો આપ્યા તેમાં શુદ્ધ નૈગમ નય ઘટે છે.
હવે બીજું દૃષ્ટાંત-કોઈ આસ્તિક શ્રાવક હતો. તેને કોઈ ઉત્તમ પુરૂષે સંગ્રહ નયને મતે પૂછ્યું કે-તમે ક્યાં વસો છો?
Page #168
--------------------------------------------------------------------------
________________
अर्वाचीन गुजराती कृति
१४५
ઉ. હું શરીરમાં વસું છું. પછી તેણે વ્યવહાર નયે પૂછ્યું તમે ક્યાં વસો છો? ઉ.હું સંથારા-બિછાના ઉપર બેઠો છું. પછી તેણે ઋજુસૂત્ર નયને મને પૂછ્યું તમે ક્યાં વસો છો? તેણે કહ્યું-હું ઉપયોગમાં રહું છું. અહીં જ્ઞાન-અજ્ઞાનનો ભેદ પાડવામાં આવતો નથી.) પછી તેણે શબ્દ નયને મને પૂછ્યું-તમે ક્યાં રહો છો? તેણે કહ્યું હું સ્વભાવમાં રહું છું. પછી તેણે સમભિરૂઢથી પૂછયું - તમે ક્યાં રહો છો? તેણે કહ્યું-હું ગુણમાં રહું છું. પછી એવંભૂત નયને અનુસરી પૂછયું તમે ક્યાં રહો છો? તેણે ઉત્તર આપ્યો કે હું જ્ઞાન, દર્શન અને ચારિત્રરુપ ગુણમાં રહું છું. આ પ્રમાણે એક જાતના પ્રશ્નમાં સાતે નય ઘટાવી શકાય છે. હવે જીવ (આત્મા) ઉપર ઘાવી સમજાવે છે.
જીવ ગુણ-પર્યાય સહિત છે. શરીરમાં જીવપણું માનવાથી બીજા પુદ્ગલ તથા ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય સર્વે જીવમાં ગણાણા, તે નૈગમ ના સમજવો.
અસંખ્યાત પ્રદેશી જીવમાં આકાશ પ્રદેશ ટાળી બાકી સર્વ દ્રવ્ય ગણાણા, એ સંગ્રહ નયનો મત છે.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય તથા બીજા પુદ્ગલો ટાળ્યા પણ પંચેન્દ્રિય મન લશ્યાના પુદ્ગલ છે તે જીવમાં ગણ્યા તે વ્યવહાર નયનો મત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે - એ નયના મતથી એમ મનાય છે કે જે વિષયાદિક છે તેને તો ઈન્દ્રિયો રહે છે. તેથી તે જીવથી જુદાં છે છતાં તેને જીવની સાથે ગ્રહણ કરેલા છે.
જે ઉપયોગવંત છે તે જીવ છે. એટલે સર્વ ઈન્દ્રિયાદિકને જીવથી જુદા ટાળ્યા અને જ્ઞાન તથા અજ્ઞાનનો ભેદ જીવથી જુદો ટાળ્યો નહિ, એ ઋજુસૂત્ર નયનો મત છે.
નામજીવ, સ્થાપનાજીવ, દ્રવ્યજીવ અને ભાવજીવ એ ચાર નિક્ષેપે જીવપણું છે. તેમાં ગુણી કે નિર્ગુણી એવો ભેદ ન ગણ્યો એ શબ્દ નયનો મત છે.
જે જ્ઞાનાદિ ગુણવંત તે જીવ એટલે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ઇત્યાદિક સાધક સિદ્ધરૂપ પરિણામ તે જીવનું સ્વરૂપ છે, આ પ્રમાણે માનવું તે સમભિરૂઢ નયની પ્રવૃત્તિ છે.
અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર જે શુદ્ધ સત્તા માત્ર તે જીવ છે, એવી રીતે સિદ્ધઅવસ્થાના ગુણોનું ગ્રહણ કરવું તે એવંભૂત કહેવાય છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
१४६
नयामतम्-२
એ રીતે જીવની અંદર સાત નયની ઘટના થાય છે. હવે ધર્મ ઉપર ઘટાવે છે.
આ જગતમાં સર્વે ધર્મને ચાહે છે અને તેથી સર્વ ધર્મને તેઓ ધર્મને નામે બોલાવે છે, એ નૈગમ નયનો મત છે.
જે અનાચારને છોડી કુલાચારને ધર્મ માને - એટલે જે વડીલોએ આચરેલો તે ધર્મ માને, તે સંગ્રહ નયનો મત છે.
જે સુખનું કારણ તે ધર્મ કહેવાય-એટલે પુણ્યરૂપ કરણી તે ધર્મ, એ વ્યવહાર નયનો મત છે.
ઉપયોગ સહિત ઉદાસભાવે વૈરાગ્યરૂપ પરિણામ તે ધર્મ-એટલે જે યથાપ્રવૃત્તિકરણરૂપ પરિણામ પ્રમુખને ધર્મ કરી માને છે અને તે તો પહેલે ગુણઠાણે મિથ્યાત્વીને પણ થાય, એ પ્રમાણે ઋજુસૂત્ર નયનો મત છે.
જે અંતરંગ સત્તાગતના ભાસનરૂપ સમ્યક્ત તે ધર્મ છે. એટલે જે સમ્યક્ત છે તે ધર્મનું મૂળ છે એમ જાણવું તે શબ્દ નયનો મત છે.
જીવ-અજીવરૂપ નવતત્ત્વ, પદ્રવ્ય, નય, નિક્ષેપા, પ્રમાણ, ઉત્સર્ગ, અપવાદ, નિશ્ચય, વ્યવહાર, દ્રવ્ય, ભાવનું સ્વરૂપ જાણી જીવસત્તાનું ધ્યાન કરવું અને અજીવસત્તાનો ત્યાગ કરવો અને જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ શુદ્ધ નિશ્ચય નયના પરિણામ તે ધર્મ જાણે, તે સમભિરૂઢ નયનો મત છે. એ નયના મતવાળો સિદ્ધરૂપ પરિણામ તે ધર્મપણે કરી માને છે.
શુદ્ધ શુક્લધ્યાન, રૂપાતીત પરિણામ, ક્ષપકશ્રેણી-એ કર્મક્ષયના જે કારણો છે તેને સાધન ધર્મ તરીકે જાણે અને જીવનો મૂલ સ્વભાવ મોક્ષરૂપ કાર્ય નિષ્પન્ન-સિદ્ધિમાં રહે તે ધર્મ માનવો તે એવંભૂત નયનો મત
એ પ્રમાણે ધર્મની અંદર સાતે નયની ઘટના થાય છે.
ઉપર કહેલા સાત નય જો અવધારણ-નિશ્ચય સહિત હોય તો તે દુર્નય કહેવાય છે. અને જો તે અવધારણ રહિત હોય તે સુનય કહેવાય છે. જ્યારે સર્વ સુનય મળે છે, ત્યારે સ્યાદ્વાદ-જૈનમત પ્રતિપાદિત થાય છે.
જૈન સિદ્ધાંત અને જૈનમત સમજવાને માટે ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યનું સ્વરૂપ અને સાત નવ જાણવા જોઈએ જ્યાં સુધી સાત નયનું સ્વરૂપ સમજવામાં આવે નહિ, ત્યાં સુધી તત્ત્વનું સ્વરૂપ સમજવામાં આવતું નથી. છ દ્રવ્ય, જીવ, અજીવ વિગેરે સર્વ પદાર્થો અને તેની ઘટના નયની રીતિથી જ સમજાય છે.
પ્રથમ આત્માને માટે થોડું જાણવું જોઇએ આપણા સર્વજ્ઞ પરમાત્માએ આત્માને ત્રણ પ્રકારે જણાવ્યો છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા.
જે જીવ મિથ્યાત્વના ઉદયથી શરીર, સ્ત્રી, ધન, પુત્ર, પુત્રી વિગેરે પરિવારમાં તથા પોતાના ગૃહ, વૈભવ,
Page #170
--------------------------------------------------------------------------
________________
अर्वाचीन गुजराती कृति
१४७
નગર, દેશ, મિત્ર વિગેરે ઇષ્ટ વસ્તુઓમાં રાગબુદ્ધિ અને શત્રુ વિગેરે અનિષ્ટ વસ્તુઓમાં શ્રેષબુદ્ધિ ધારણ કરે છે, તે બહિરાત્મા કહેવાય છે. તેને વિદ્વાનો ભવાભિનન્દી પણ કહે છે, કારણ કે-તે જીવ બાહ્ય વસ્તુને તત્ત્વ સમજે છે અને ભોગવિલાસમાં આનંદ માને છે. બાહેરની વસ્તુઓ ઉપર પોતાના જીવનનો ઉપયોગ કરનાર જીવ બહિરાત્મા કહેવાય છે.
જે જીવ ચોથાથી બારમે ગુણસ્થાને રહી અંતર્દષ્ટિવાળો હોય, તે અંતરાત્મા કહેવાય છે. તેવા જીવને તત્ત્વ ઉપર શ્રદ્ધા હોય છે. તે કર્મના બંધના હેતુઓને સારી રીતે જાણે છે. તે લાભ તથા હાનિને સમાન રીતે જાણે છે, સુખ-દુઃખમાં સરખી રીતે વર્તે છે, હર્ષ-શોક ધારણ કરતાં નથી અને સદા પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરે છે. એ અંતરાત્મા જીવ ઉત્તમ મનોવૃત્તિને લઈ સમજે છે કે-જ્યારે કર્મ ઉદય આવે ત્યારે જીવ પોતે જ પોતાની મેળે ભોગવે છે, તેને કોઈ પણ સહાય કરી શકતું નથી. જ્યારે તેને કોઈ પણ દ્રવ્યની હાનિનુકશાની થાય છે, ત્યારે તે અંતરાત્મા જીવ પોતાના મનમાં એવો વિચાર કરે છે કે- ‘જે દ્રવ્યાદિ વસ્તુ નષ્ટ થઈ છે તે પર વસ્તુ છે. તેની સાથે મારે કાંઈ પણ સંબંધ નથી. મારો સંબંધ તો આત્મપ્રદેશમાં ભાવ સંબંધ કરી સમેત છે. તે સંબંધ જ્ઞાન લક્ષણવાળો છે. તે મારો સંબંધ કદી પણ નષ્ટ થવાનો નથી.” આ પ્રમાણે વિચાર કરનાર અંતરાત્માને દ્રવ્યાદિકની હાનિ થવાથી કાંઈ શોક થતો નથી. કદી કોઈ દ્રવ્યાદિકનો લાભ પ્રાપ્ત થાય, તો તે સુજ્ઞ જીવ પોતાના હદયમાં વિચારે છે કે - “આ પૌદ્ગલિક વસ્તુની સાથે મારો સંબંધ થયો, તેથી મારે તે ઉપર ખુશી થવાનું શું છે?” આ પ્રમાણે મનન કરનારો માનવ આત્મા તેથી તે ઉપર રાગ ધારણ કરતો નથી. આવા પ્રકારના જે જીવો તે અંતરાત્મા કહેવાય છે.
પોતાના શુદ્ધ સ્વભાવને પ્રતિબંધ કરનારા કર્મરૂપી શત્રુઓને હણી, નિરૂપમય કેવળજ્ઞાનાદિ સંપત્તિ પ્રાપ્ત કરી જે જગતના સર્વ પદાર્થોને કરામલવતું જાણે છે અને અવલોકે છે, તે તેરમા તથા ચૌદમાં ગુણસ્થાને રહેનારો જીવ પોતાના શુદ્ધ સ્વરૂપમાં રહેવાથી સિદ્ધાત્મા અથવા પરમાત્મા કહેવાય છે.
આ ત્રણ પ્રકારના આત્માને વિષે જે પહેલો બહિરાત્મા કહ્યો તે ભવાભિનન્દી હોવાથી અધમ ગણાય છે, તેથી તેને ઉચ્ચ સ્થિતિ મેળવવાને માટે અંતરાત્મા થવાની જરૂર છે. તે અંતરાત્માની પદવી પ્રાપ્ત કરવાને તેણે જીવ-અજીવ વિગેરે નવતત્ત્વો અને દેવ, ગુરૂ, ધર્મ-એ ત્રણ તત્ત્વો તથા છ દ્રવ્ય તત્ત્વો એનું જ્ઞાન મેળવવું જોઈએ.
જૈનશાસ્ત્રમાં જીવાસ્તિકાય આદિ છ દ્રવ્ય તત્ત્વ કહેવાય છે. તેમાં પ્રથમ દ્રવ્યનું લક્ષણ શું? એમ સમજવાથી દ્રવ્ય-ગુણ-પર્યાય સારી રીતે જાણવામાં આવે છે. દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ સમજાય એથી છ દ્રવ્ય તત્ત્વો સહેલાઈથી સમજી શકાય છે.
દ્રવ્ય- આ જગતમાં દ્રવ્યનું લક્ષણ સત્ કહેવાય છે. જે સત્ છે તે દ્રવ્ય છે. ‘ઉત્પાદ્રવ્ય ધ્રોસ’ ઉત્પત્તિ, વિનાશ, ધ્રુવતા-એ ત્રણથી જે યુક્ત હોય તે સ કહેવાય છે.અર્થાતુ, જે વસ્તુ ઉત્પન્ન થાય, સ્થિર થાય અને નષ્ટ થાય તે સત્ કહેવાય છે. જે દ્રવ્ય ગુણ અને પર્યાયનું સ્થાનક છે, અને જે અતીત, અનાગત અને વર્તમાન એ ત્રણે કાળને વિષે એક જ સ્વરૂપમાં રહે પરંતુ પર્યાયમાં જેમ ફેરફાર થાય છે, તેમ તે પોતે
Page #171
--------------------------------------------------------------------------
________________
૨૪૮
नयामृतम्-२
પોતાનો સ્વસ્વભાવ મૂકી પરભાવપણું અંગીકાર ન કરે તેવા પ્રકારના દ્રવ્યને નિજજાતિદ્રવ્ય એટલે સ્વસ્વભાવરૂપ દ્રવ્ય કહેવાય છે. જેવી રીતે જ્ઞાનાદિક ગુણપર્યાયનું ભાજન જીવદ્રવ્ય ગણાય, રૂપાદિક ગુણપર્યાયનું સ્થાન પુદ્ગલદ્રવ્ય ગણાય, ઘટાદિ ગુણપર્યાયનું ભાજન માટી દ્રવ્ય ગણાય.
પર્યાય- દ્રવ્યને માટે પર્યાયને લઈને બે પ્રકાર દર્શાવ્યા છે. એક અગુરુલઘુ દ્રવ્ય, બીજું ગુરૂલઘુ દ્રવ્ય. તેમાં જે સ્થિર હોય તે અગુરુલઘુ કહેવાય છે. દાખલા તરીકે સિદ્ધક્ષેત્ર. સિદ્ધક્ષેત્ર કદી પણ ચલાયમાન થતું નથી તેથી તે અગુરુલઘુ કહેવાય છે. જે વસ્તુ તિચ્છિ ગતિ કરનાર કે ચલિત હોય તે ગુરૂલઘુ કહેવાય છે. તેના દાખલા તરીકે-પવન. તે અગુરુલઘુ દ્રવ્યનો જે વિકાર તે સ્વભાવ પર્યાય અને સ્વભાવ પર્યાયથી જે ઉલટો તે વિભાવ પર્યાય કહેવાય છે. દ્રવ્યની ક્રમિક એક પછી એક એમ પ્રગટ થનાર અવસ્થાઓને પર્યાય કહે છે. જેમ મનુષ્યાદિ અવસ્થાઓ અનુક્રમે એક પછી એક ઉત્પન્ન થાય છે, પણ તેમાંના એક પણ અવસ્થા સ્થાયી રહેતી નથી જેમકે-મનુષ્યપણું અમુક કાળપર્વત હોય છે, ત્યાર પછી તિર્યચપણું થાય, પછી દેવપણું પ્રાપ્ત થાય, તથા મનુષ્યપણામાં બાલ્ય, યૌવન અને વૃદ્ધત્વાદિ અવસ્થાઓ, પુગલના વર્ણ, ગંધ, રસ, સ્પર્શાદિ પર્યાયો છે. આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના જીવ અને પુદ્ગલ સાથે જીવ અને પુગલની ક્રિયા અનુકૂલ જે સહાય તે તેના પર્યાય છે. એમ એક માણસ જ્યાં બેઠો હોય ત્યાં આકાશ અને અધર્માસ્તિકાય સંયોગ રૂપે રહે તેથી તે સંયોગાકાશ અને સંયોગિક અધર્માસ્તિકાય કહેવાય છે. હવે જ્યારે તે માણસ ત્યાંથી અન્યત્ર જાય, ત્યારે આકાશાસ્તિકાય અને અધર્માસ્તિકાય વિભાગરૂપે રહે છે ઈત્યાદિ.
પર્યાયો સંખ્યાથી, લક્ષણથી, પ્રદેશવિભાગથી એમ ત્રણ પ્રકારે છે અને ઉપચારથી નવ પ્રકારે છે. લક્ષણથી ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રણ પ્રકારે છે. તે દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપ પરસ્પર કથંચિત્ ભિન્ન, કથંચિત્ અભિન્ન છે. પર્યાયના બે પ્રકાર છે-વિભાવ પર્યાય અને સ્વભાવ પર્યાય. અન્ય દ્રવ્યના સંયોગથી જે પર્યાય પ્રગટ થાય છે, તે વિભાવ પર્યાય' કહેવાય છે. અને દ્રવ્યના સંયોગ વિના સ્વાભાવિક જે થાય તે સ્વભાવ પર્યાય.” જેમકે મુક્ત આત્માને પ્રતિ સમય શુદ્ધ જ્ઞાનાદિ સ્વરૂપનો અનુભવ થવો, અથવા એક પરમાણમાં એકગુણ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ કે અનંતગુણ વર્ણાદિનો ફેરફાર થવો, તે બધા સ્વભાવ પર્યાય કહેવાય છે.
ગુણ- દ્રવ્યના સ્વાભાવિક ધર્મને ધારણ કરે, તે ગુણ અને કમભાવી ધર્મ તે પર્યાય છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય એમ ત્રણ પ્રકારે ભિન્ન છે તથા લક્ષણાદિકથી અભિન્ન છે. જીવ દ્રવ્યનો ઉપયોગ ગુણ છે, પુદ્ગલ દ્રવ્યનો ગ્રહણ ગુણ છે, ધર્માસ્તિકાયનો ગતિeતુ ગુણ છે, અધર્માસ્તિકાયનો સ્થિતિહેતુ ગુણ છે, આકાશાસ્તિકાયનો અવકાશ આપવાનો ગુણ છે તેમ જ કાળનો પરાવર્તન ગુણ છે.
અગુરુલઘુ ગુણની સ્પષ્ટતા “જૈનધર્મપ્રકાશ” માં વાંચવામાં આવેલી, તે આ નીચે પ્રમાણે પાઠકોની જાણ ખાતર મૂકી છે.
સિદ્ધના જીવોને ગોત્રકર્મના ક્ષયથી અગુરુલઘુ ગુણ પ્રગટે છે. તે ગુણના અર્થમાં કેટલાક સુજ્ઞ પણ અરૂપીના અગુરુલઘુ ગુણ પર્યાય) તરફ ખેંચાઈ જાય છે. પણ તે ગુણનો અર્થ આત્મપ્રબોધ ગ્રંથમાં પરમાત્મા પ્રકાશમાં નીચે પ્રમાણે છેઃ
Page #172
--------------------------------------------------------------------------
________________
अर्वाचीन गुजराती कृति
१४९
ઉચ્ચ ગોત્રના ઉદયથી જીવ ઉચ્ચ કહેવાય છે અને નીચ ગોત્રના ઉદયથી જીવ નીચ-હલકા ગણાય છે. તે બંને પ્રકારનું ગોત્રકર્મ સર્વથા ક્ષય થવાથી અગુરુલઘુ ગુણ પ્રગટે છે. જેથી સિદ્ધના જીવો ઉચ્ચ કે નીચ કહેવાતા નથી, સર્વ સિદ્ધોમાં સમાનભાવ હોય છે. પુગલના ૨૨ પ્રકારના પરિણામમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ૨૦ પ્રકાર ઉપરાંત વાયુ તિર્થો વહે છે. તેને ગુરૂલઘુ પરિણામવાળો અને સિદ્ધશિલા તથા જ્યોતિષીના વિમાન વિગેરેને અગુરુલઘુ પરિણામવાળા સમવાયાંગ સૂત્રમાં કહ્યા છે.”
આત્મદ્રવ્યના ગુણલક્ષણ) તથા સ્વભાવ એ વસ્તુ પ્રથમ જાણવી જોઈએ. તે લક્ષણ બે પ્રકારના છે.
આત્માને વિષે સામાન્ય લક્ષણ ૮ છે અને વિશેષ લક્ષણ ૬ છે, અને સર્વ દ્રવ્ય આશ્રીને કહેતાં સામાન્ય લક્ષણ ૧૦ છે અને વિશેષ લક્ષણ ૧૬ છે.
એમાં પ્રથમ દ્રવ્યના સામાન્ય લક્ષણ ૧૦- અસ્તિત્વ-૧, વસ્તુત્વ-૨, દ્રવ્યત્વ-૩, પ્રમેયત્વ-૪, અગુરુલઘુત્વ-૫, પ્રદેશત્વ-૬, ચેતનત્વ-૭, અચેન–-૮, મૂર્તત્વ-૯, અને અમૂર્તત્વ-૧૦. એ દશ દ્રવ્યના સામાન્ય લક્ષણ-ગુણ કહેવાય છે. આ સર્વ દ્રવ્ય આશ્રીને કહ્યું.
હવે તે દ્રવ્યના દશ સામાન્ય ગુણોના સંક્ષેપથી અર્થ:
જે દ્રવ્યનું સત્ રૂપપણું નિત્યવાદી ઉત્તર સામાન્ય અને વિશેષ સ્વભાવનું આધારભૂત છે. જે થકી લોકમાં સભૂતપણાનો વ્યવહાર થાય છે, તે “અસ્તિત્વ' નામે પ્રથમ ગુણ.
દ્રવ્યનું સામાન્ય અને વિશેષરૂપપણું-જાતિવ્યક્તિરૂપપણું, એ ‘વસ્તુત્વ' નામે બીજો ગુણ. દ્રવ્યના સ્વરૂપમાં જે સત્ લક્ષણ કહ્યું, તે દ્રવ્યત્વ' નામે ત્રીજો ગુણ. પ્રમાણ વડે જે માપી શકાય-જાણી શકાય, તે પ્રમેયત્વ' નામે ચોથો ગુણ.
પ્રત્યેક સમયે દ્રવ્યમાં છ ગુણની વૃદ્ધિનહાનિ થયા કરે તે “અગુરુલઘુત્વ' નામે પાંચમો ગુણ, આ ગુણ સૂક્ષ્મ હોવાથી કહી શકાય તેવો નથી, જે માત્ર આગમપ્રમાણથી જ ગ્રાહ્ય છે.
જે ક્ષેત્રપણે જેટલા અવિભાગી પરમાણુ-પુદ્ગલો હોય, તે પ્રદેશત્વ” નામે દ્રવ્યનો છઠ્ઠો ગુણ. જેનાથી વસ્તુનો અનુભવ થાય આત્માનો અનુભવરૂપ ગુણ), તે ચેતનત્વ' નામે સાતમો ગુણ છે. વસ્તુમાં જ્ઞાનનું રહિતપણું અજીવ માત્રનો ગુણ), તે “અચેતનત્વ' નામે આઠમો ગુણ. જે વસ્તુમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ હોય, તે “મૂર્તત્વ' નામે નવમો ગુણ. જે દ્રવ્યમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ ન હોય, તે “અમૂર્તત્વ' નામે દશમો ગુણ.
હવે દ્રવ્યના વિશેષ લક્ષણ (ગુણ) ૧૬ઃ-૧ જ્ઞાન, ૨-દર્શન, ૩-ચારિત્ર, ૪-વીર્ય, પ-વર્ણ, ૬-ગંધ, ૭-રસ, ૮-સ્પર્શ, ૯-ગતિeતુત્વ, ૧૦સ્થિતિહેતુત્વ, ૧૧-અવગાહનહેતુત્વ, ૧૨-વર્તનાહેતુત્વ, ૧૩-ચેતનત્વ, ૧૪અચેનત્વ, ૧૫-મૂર્તત્વ, ૧૬-અમૂર્તત્વ. એ સોળ દ્રવ્યના વિશેષ ગુણો કહેવાય છે.
જીવના-જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ચેતનત્વ અને અમૂર્તત્વ-એ છ ગુણ જીવના છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
१५०
नयामतम-२
પુદ્ગલના- વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અચેતનત્વ અને મૂર્તત્વ-એ છ ગુણ પુદ્ગલના છે. ધર્માસ્તિકાયના- ગતિ હેતુત્વ, અચેતનત અને અમૂર્તત્વ એ ત્રણ ગુણ. અધર્માસ્તિકાયના- સ્થિતિહેતુત્વ, અચેતનત અને અમૂર્તત્વ એ ત્રણ ગુણ. આકાશાસ્તિકાયના- અવગાહનહેતુત્વ, અચેતનત્વ અને અમૂર્તત્વ એ ત્રણ ગુણ. કાળદ્રવ્યના- વર્તનાહેતુત્વ, અચેતનત્વ અને અમૂર્તત્વ એ ત્રણ ગુણ.
એ સોળ ગુણમાં સ્વજાતિની અપેક્ષાએ ચેતનત, અચેતનત્વ મૂર્તત્વ અને અમૂર્તત્વ એ ચાર ગુણો સામાન્ય ગુણ અને પરજાતિની અપેક્ષાએ વિશેષ ગુણ થાય છે. પરસ્પર પ્રહણ કરવાથી).
હવે જીવાદિ દ્રવ્યના સામાન્ય અને વિશેષ સ્વભાવ એકવીશ પ્રકારે કહેલા છે તે કહે છેઃ
જીવદિ દ્રવ્યના બધા મળીને એકવીશ સ્વભાવ છે. તેમાં અગીયાર સામાન્ય સ્વભાવ અને દશ વિશેષ સ્વભાવ તે આ પ્રમાણે
સામાન્ય સ્વભાવ અગીયાર- ૧-અતિ સ્વભાવ, ર-નાસ્તિ સ્વભાવ, ૩-નિત્ય સ્વભાવ, ૪-અનિત્ય સ્વભાવ, પ-એક સ્વભાવ ૬-અનેક સ્વભાવ, ૭-ભેદ સ્વભાવ, ૮-અભેદ સ્વભાવ, ૯-ભવ્ય સ્વભાવ, ૧૦અભવ્ય સ્વભાવ, ૧૧-પરમ સ્વભાવ. એ અગીયાર સામાન્ય સ્વભાવ કહેવાય છે.
વિશેષ સ્વભાવ દશ-૧-ચેતન સ્વભાવ, ૨-અચેતન સ્વભાવ, ૩-મૂર્ત સ્વભાવ, ૪-અમૂર્ત સ્વભાવ, પએક પ્રદેશ સ્વભાવ, ૬-અનેક પ્રદેશ સ્વભાવ, ૭-વિભાવ સ્વભાવ, ૮-શુદ્ધ સ્વભાવ, ૯-અશુદ્ધ સ્વભાવ ૧૦ઉપચરિત સ્વભાવ. એ દશ દ્રવ્યના વિશેષ સ્વભાવ છે.
આ એકવીશમાંથી ૧-અનેક પ્રદેશ સ્વભાવ, ૨-મૂર્ત સ્વભાવ, ૩-ચેતન સ્વભાવ, ૪-વિભાવ સ્વભાવ, પશુદ્ધ સ્વભાવ, ૬-અશુદ્ધ સ્વભાવ એ છ સ્વભાવ કાઢીએ ત્યારે કાલ દ્રવ્યને વિષે પંદર સ્વભાવ રહે છે તે આ પ્રમાણે- ૧-અતિ સ્વભાવ, ર-નાસ્તિ સ્વભાવ, ૩-
નિત્ય સ્વભાવ, ૪-અનિત્ય સ્વભાવ, પ-એક સ્વભાવ, ૬-અનેક સ્વભાવ, ૭-ભેદ સ્વભાવ, ૮-અભેદ સ્વભાવ, ૯ભવ્ય સ્વભાવ, ૧૦-અભવ્ય સ્વભાવ, ૧૧-પરમપરિણામિક) સ્વભાવ, ૧૨-અચેતન સ્વભાવ, ૧૩-અમૂર્ત સ્વભાવ, ૧૪-એક પ્રદેશ સ્વભાવ, અને ૧૫-ઉપચરિત સ્વભાવ એ પંદર કાલ દ્રવ્ય' ના સ્વભાવ જાણવા.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં ઉપરના પંદર સ્વભાવમાં એક અનેક સ્વભાવ વધારવાથી સોળ સ્વભાવ જાણવા.
હવે તે દ્રવ્યના સ્વભાવ તેમાં પ્રથમ અગીયાર સામાન્ય સ્વભાવના અર્થ કહે છેઃપોતાના સ્વભાવ-લાભથી કદાપિ દૂર ન રહેવું, તે દ્રવ્યનો ‘અતિ સ્વભાવ' કહેવાય છે. જે પરરૂપપણે ન થાય, તે દ્રવ્યનો ‘નાસ્તિ સ્વભાવ' કહેવાય છે. દ્રવ્યની અંદર પોતપોતાના ક્રમભાવી નાના પ્રકારના પર્યાય શ્યામતા, રક્તત્વાદિક જે ભેદક કહેવાય
Page #174
--------------------------------------------------------------------------
________________
अर्वाचीन गुजराती कृति
१५१
છે, તે ભેદક છતાં પણ દ્રવ્ય તેનું તે જ રહે. એટલે પૂર્વે અનુભવ કરેલું જ્ઞાન જેનાથી થાય, તે દ્રવ્યનો નિત્ય સ્વભાવ” કહેવાય છે.
જે દ્રવ્યના પર્યાયમાં પરિણામ-રૂપાંતર થાય અર્થાત્ જેના રૂપમાં ઉત્પાદ-વ્યય રહેલા છે, તે દ્રવ્યનો ‘અનિત્ય સ્વભાવ છે.
સહભાવી સ્વભાવના જે એક રૂપને લઇને આધાર થાય, તે દ્રવ્યનો એક સ્વભાવ કહેવાય છે. જેમ રૂપ, રસ, ગંધ અને સ્પર્શનો એક આધાર ઘડો છે, તેવી રીતે એક દ્રવ્યની અંદર વિવિધ પ્રકારના ધર્મનો આધાર, તે દ્રવ્યનો ‘એક સ્વભાવ’ કહેવાય છે.
એકમાં અનેક સ્વભાવ જોવામાં આવે, તે દ્રવ્યનો ‘અનેક સ્વભાવ કહેવાય છે. જેમ માટી એક દ્રવ્ય છે. પણ તેની અંદર બીજા અનેક દ્રવ્યનો પ્રવાહ રહેલો હોય છે, તેથી તે દ્રવ્ય અનેક સ્વભાવી ગણાય છે.
આકાશ એક દ્રવ્ય છે, પણ તેની અંદર ઘટાકાશ વિગેરે ભેદ જોવામાં આવે છે. એક ગુણ અને બીજો ગુણી, એક પર્યાય અને બીજો પર્યાયી વિગેરે સંજ્ઞા અને સંખ્યા વિગેરે લક્ષણાદિકના ભેદ એક દ્રવ્યમાં પાડી શકાય છે, તેથી તે દ્રવ્યનો ભેદ સ્વભાવ” કહેવાય છે.
એ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજન, ગુણ, ગુણી વિગેરેનો એક સ્વભાવ હોવાથી, અભેદવૃત્તિએ દ્રવ્યનો ‘અભેદ સ્વભાવ” પણ કહેવાય છે.
એક જ દ્રવ્ય અનેક કાર્ય-કારણની શક્તિવાળું હોય, તે ભવિષ્ય કાળમાં પર સ્વરૂપાકાર થઈ શકે છે, તેથી દ્રવ્યનો તે ‘ભવ્ય સ્વભાવ છે.
જે ત્રણે કાળ પર સ્વરૂપમાં મળે તો પણ પર સ્વરૂપાકાર ન થાય, તે દ્રવ્યનો ‘અભવ્ય સ્વભાવ છે. જે જે પરિણામિક ભાવ મુખ્ય હોય, તે દ્રવ્યનો પરમભાવ સ્વભાવ' છે. જે મકે- ‘જ્ઞાન સ્વરૂપ આત્મા’.
આ પ્રમાણે દ્રવ્યના અગીયાર સ્વભાવ જાણવા યોગ્ય છે. આ તેના સંક્ષિપ્ત અર્થ કહેલા છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ અન્ય ગ્રંથોમાં જોઈ લેવું.
હવે દ્રવ્યના દશ વિશેષ સ્વભાવ સંક્ષેપથી કહે છેઃ
જે ચેતનપણાનો વ્યવહાર પ્રવર્તે છે. તે દ્રવ્યનો “ચેતન સ્વભાવ છે, અને તેનાથી ઉલટી રીતે જે પ્રવર્તે તે દ્રવ્યનો “અચેતન સ્વભાવ છે.
જે દ્રવ્ય રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ વિગેરેને ધારણ કરે, તે તેનો ‘મૂર્ત સ્વભાવ છે. તેથી જે ઉલટો તે અમૂર્ત સ્વભાવ છે.
એકત્વ પરિણતિ અને અખંડ આકારના સંનિવેશનું જે ભાજનપણું તે “એકપ્રદેશ સ્વભાવ છે. વળી જે ભિન્ન પ્રદેશની કલ્પનાએ કરીને અનેક પ્રદેશ વ્યવહારનું યોગ્યપણું હોય, તે દ્રવ્યનો ‘અનેક સ્વભાવ છે.
દ્રવ્ય પોતાના સ્વભાવથી જુદી રીતે વર્તે છે, તેથી તેનો ‘વિભાવ સ્વભાવ છે. દ્રવ્ય કેવળ શુદ્ધ અને ઉપાધિભાવ રહિત અંતર્ભાવ પરિણમન પણ હોઈ શકે છે, તે તેનો શુદ્ધ
Page #175
--------------------------------------------------------------------------
________________
१५२
नयामृतम्-२
સ્વભાવ છે. વળી તેનાથી વિપરીત એટલે ઉપાધિજનિત બહિર્ભાવ પરિણમનપણું પણ હોય છે, તેથી તે તેનો અશુદ્ધ સ્વભાવ છે.
દ્રવ્યના નિયમિત સ્વભાવનો બીજા સ્થાનમાં ઉપચાર કરવામાં આવે છે, તેથી તેનો ઉપચરિત સ્વભાવ કહેવાય છે. આ પ્રમાણે દ્રવ્યના વિશેષ સ્વભાવ છે.
દ્રવ્યનો વિશેષ ઉપચારિત સ્વભાવ કહ્યો, તેમાં જે ઉપચરિત એટલે ઉપચાર કહેવાય છે, તે ઉપચરિત સ્વભાવ બે પ્રકારે છે. એક કર્મજન્ય અને બીજો સ્વાભાવિક. પુદ્ગલના સંબંધને લઇને જીવની અંદર જે મૂર્તપણું કહેવું, પણ જીવ તો અમૂર્ત છે અને પુદ્ગલ તે તો મૂર્ત છે, સંબંધે આવીને મળ્યું છે તથાપિ જૂઠ જ છે. તે પુદ્ગલનો ચેતનને વિષે ઉપચાર કરીને ચેતનને મૂર્તિમાન માનવો, તે કર્મજનિત’ ઉપચાર છે. અને સહજ-સ્વાભાવિક જે ઉપચાર તે નિર્મળ સિદ્ધનો જીવ છે. જેમ સિદ્ધને અનંતું જ્ઞાન કહેવું તે સિદ્ધાત્માને કાંઈ જુદું નથી. સ્વભાવે જ્ઞાન અને આત્મા એક જ છે. અહીં આ ભેદ કરીને જ્ઞાન જુદું દેખાડ્યું તે ઉપચાર થયો. એ સહજ-સ્વાભાવિક ઉપચરિત થયું, ત્યાં તે સિદ્ધને વિષે કર્મઉપાધિ તો છે જ નહિ, માટે એ સ્વાભાવિક જ ભેદ થયો જેથી ઉપચાર જાણવો.
ઉપર કહેલા દ્રવ્યના સામાન્ય અને વિશેષ સ્વભાવો ન માને, તો તેના મતમાં ઘણા દૂષણ આવે છે તે નીચે પ્રમાણે
જો એકાંતે અસ્તિ સ્વભાવ માને અને નાસ્તિ સ્વભાવ ન માને તો સર્વ પદાર્થમાં સંકર (મિશ્રણ) વિગેરે દૂષણો લાગે છે.
કારણ કે તેમ માનવાથી સર્વ દ્રવ્યની જુદી જુદી નિયત સ્વરૂપાવસ્થા નહીં થાય અને તેથી જગતું એકરૂપ થઈ જાય છે. અને જેથી એ વાત સર્વ શાસ્ત્ર તથા વ્યવહારની વિરૂદ્ધ બને છે. તેથી બીજા પદાર્થની અપેક્ષાએ દ્રવ્યાનો નાસ્તિ સ્વભાવ પણ માનવો જોઇએ તેમ જો એકાંતે દ્રવ્યનો નાસ્તિ સ્વભાવ માને તો જગતું બધું શૂન્ય થઈ જાય, તેથી એમ પણ ન માનવું જોઈએ.
જો એકાંત દ્રવ્યને નિત્ય માને તો અર્થક્રિયાકારિત્વનો અભાવ થઈ જાય, જેથી દ્રવ્ય પરંપરા વગર નાશ પામી જાય. જો એકાંત અનિત્ય માને, તો પણ દ્રવ્યનો નિરન્વય થશે.
જો એકાંત એક સ્વભાવ માને, તો વિશેષનો અભાવ હોવાથી અનેક સ્વભાવ વિના મૂળ સત્તારૂપ સામાન્યનો પણ અભાવ થઈ જાય કારણ કે-વિશેષ વિના સામાન્ય અને સામાન્ય વિના વિશેષ ગધેડાના શીંગડાની જેમ અસત્ થઈ જાય. જો દ્રવ્યને એકાંતે અનેક રૂપ માને તો દ્રવ્યનો અભાવ થશે. નિરાધાર હોવાથી તેમજ આધાર-આધેયના અભાવથી દ્રવ્યનો અભાવ થવો જોઈએ.
જો દ્રવ્યને એકાંત ભેદ માને તો વિશેષના આધાર વિના ગુણપર્યાયનો બોધ ન થાય, કારણ કે આધાર આધેયના અભેદ વિના બીજો સંબંધ ઘટી શકે નહિ. તેથી દ્રવ્યની અંદર રહેલ અર્થ અને ક્રિયાના અભાવથી દ્રવ્યનો અભાવ થઈ જાય, જો એકાંત અભેદ માને તો સર્વ પદાર્થ એક રૂપ થઈ જાય, તેથી આ દ્રવ્ય છે, આ
Page #176
--------------------------------------------------------------------------
________________
अर्वाचीन गुजराती कृति
१५३
દ્રવ્યનો ગુણ છે અને આ દ્રવ્યનો પર્યાય છે, એવા વ્યવહારમાં વિરોધ આવી જાય અને તે વિરોધને લઈ ને દ્રવ્યનો પણ અભાવ થઈ જાય.
જો દ્રવ્યને એકાંતે ભવ્ય સ્વભાવી માનવામાં આવે, તો સર્વ દ્રવ્ય પરિણામી થઈ બીજા દ્રવ્યના રૂપને પ્રાપ્ત કરે, અને તેમ કરવાથી સંકર વિગેરે દૂષણો દ્રવ્યને લાગુ પડી જાય. જો દ્રવ્યને એકાંત અભવ્ય સ્વભાવી માને, તો સર્વથા શૂન્યપણાનો પ્રસંગ આવે.
જો દ્રવ્યને પરમ સ્વભાવી ન માને, તો દ્રવ્યની અંદર પ્રસિદ્ધ રૂપ શી રીતે આપી શકાય? કારણ કેઅનંત ધર્માત્મક વસ્તુને એક ધર્મથી કહેવી તેનું નામ પરમભાવ સ્વભાવ કહેવાય છે, તેની અંદર બાધ આવી જાય.
જો દ્રવ્યને એકાંત ચૈતન્ય સ્વભાવ માને તો સર્વ વસ્તુ ચૈતન્યરૂપ થઈ જાય, અને તેમ થવાથી ધ્યાન અને ધ્યેય, જ્ઞાન અને શેય, ગુરૂ અને શિષ્ય વિગેરે મર્યાદાનો ભંગ થાય. એમ થવાથી સર્વ શાસ્ત્રીય વ્યવહાર બંધ પડી જાય. જો દ્રવ્યનો એકાંત અચેતન સ્વભાવ માને, તો સર્વ ચૈતન્ય ધર્મનો ઉચ્છેદ થઈ જાય.
જો દ્રવ્યને એકાંત મૂર્ત સ્વભાવી માને, તો આત્માને મુક્તિની સાથે વ્યાપ્તિ જ ન થાય. જો એકાંત અમૂર્ત સ્વભાવ માને, તો આત્મા કદી પણ સંસારી થાય જ નહીં.
જો દ્રવ્યને એકાંત એક પ્રદેશ સ્વભાવી માને, તો અખંડ પરિપૂર્ણ આત્મા અનેક કાર્યનો કર્તા નહીં થઈ શકે. જેમ માટીનો ઘડો અવયવવાળો છે, તે ઘડાના અવયવ કંપે છે, પણ પોતે અવયવી ઘડો કંપતો નથી. તો "ચાલે છે' એ પ્રયોગ શી રીતે સિદ્ધ થાય? જેમ એક પ્રદેશમાં થતા કંપનો પરંપરાએ સંબંધ છે, તેમ એક દેશમાં થતા કંપના અભાવનો પણ પરંપરાએ સંબંધ છે, માટે દેશથી ચાલે છે, અને દેશથી ચાલતો નથી એમ અઅલિત વ્યવહારમાં અનેક પ્રદેશ માનવા જોઈએ. જો દ્રવ્યનો અનેક પ્રદેશ સ્વભાવ ન માને, તો આકાશ વિગેરે પરમાણુનો સંયોગ શી રીતે ઘટી શકે ? કેમ કે-પરમાણુ તો આકાશ દ્રવ્યના એક પ્રદેશને અવગાહે તે વારે આકાશ અવગાહ્યો કેમ કહેવાય? દેશથી તે એકવર્તી છે. જેમ ઇંદ્રનું કુંડલ” જો કે કુંડલ તો ઇંદ્રના કાનનું છે, પણ કાન એ ઇંદ્રનો એક દેશ છે, તેથી તેને લઈને તે ઇંદ્રનું કુંડલ કહેવાય છે. તેવી રીતે પરમાણુવૃત્તિ આકાશની સાથે દેશથી માને, તો આકાશાદિકને પ્રદેશ ઈચ્છતા નથી તો પણ માનવા જોઇએ. બંને ન માને તો પરમાણુવૃત્તિ રહિત થઈ જાય, તેથી દ્રવ્યને અનેક પ્રદેશ સ્વભાવી માનવું યોગ્ય છે. જો દ્રવ્યને એકાંતે અનેક પ્રદેશ સ્વભાવી માને, તો તેને અર્થ તથા ક્રિયાના કરનારપણાનો અભાવ અને સ્વ સ્વભાવની શૂન્યતાનો પ્રસંગ આવે.
જો દ્રવ્યને એકાંતે વિભાવ સ્વભાવ માને તો મોક્ષનો જ અભાવ થઈ જાય. રાગ-દ્વેષની પરિણતિ તે જ ચેતનનો વિભાવ સ્વભાવ છે.
જો એકાંત શુદ્ધ સ્વભાવ માને તો આત્માને કર્મનો લેપ લાગે જ નહિ, અને જ્યારે એમ થાય તો પછી સંસારની વિચિત્રતાનો અભાવ થઈ જાય. જો એકાંત અશુદ્ધ સ્વભાવ માને તો કદી પણ આત્મા શુદ્ધ જ થાય નહીં.
Page #177
--------------------------------------------------------------------------
________________
१५४
नयामृतम्-२
જો એકાંતે દ્રવ્યને ઉપચરિત સ્વભાવી માને, તો આત્મા કદી પણ જ્ઞાતા થાય નહીં. સ્વ-પરની વિરક્ષા કેમ થાય? પર અપેક્ષાએ આત્મા માની આત્મા તે પણ ન કહેવાય અને એકાંતે અનુપચરિત સ્વભાવ માને, તો આત્મા સ્વ-પર વ્યવસાયી જ્ઞાનવાળો થઈ શકે જ નહીં, કારણ કે-જ્ઞાન પોતાના વિષયમાં અનુપચરિત છે, પરંતુ પરના વિષયમાં પરની અપેક્ષાએ જણાતા પરથી નિરૂપણ થયેલા સંબંધપણાને લઈને ઉપચરિત છે.
આ પ્રમાણે સ્યાદ્વાદમતની પદ્ધતિ પ્રમાણે દ્રવ્યના સર્વ સ્વભાવ માનવા જોઈએ, દ્રવ્યના બધા સ્વભાવો દ્રવ્યને લાગુ પડે છે. એકાંતે કોઈ એક જ સ્વભાવ દ્રવ્યને લાગુ પડતો નથી અને તેથી આહત ધર્મનો સ્યાદ્વાદમત સર્વ પ્રકારે વિજયી થાય છે. સ્યાદ્વાદ સિદ્ધાંતનું સ્વરૂપ નયની સાથે મિશ્ર કર્યા વગર સમજાય તેવું નથી. વિવિધ પ્રકારના સ્વભાવવાળા દ્રવ્યને પ્રમાણથી જાણવાને માટે સ્યાત્ અને નય-એ બંનેને મિશ્ર કરવા જોઈએ. તેથી સ્વદ્રવ્યની અપેક્ષાએ અતિરૂપ અને પરદ્રવ્યની અપેક્ષાએ નાસ્તિરૂપ ઈત્યાદિ જે દ્રવ્યની સિદ્ધિ છે, તે સારી રીતે સમજવામાં આવી શકે છે.
વસ્તુને તેના વિવિધ પ્રકારના સ્વભાવોમાંથી નિવૃત્ત કરી એક સ્વભાવમાં લાવે તે નય' કહેવાય છે. અથવા પ્રમાણથી સંગ્રહ કરેલા અર્થનો જે એક અંશ તે નય’ કહેવાય છે. નયચક્રમાં એમ લખે છે કે-એક વસ્તુ અનંત ધર્મવાળી છે, તેમાંથી એક ધર્મની મુખ્યતા કરવાનું જે જ્ઞાન તે નય કહેવાય છે. દાખલા તરીકે જીવ વિગેરે જે એક દ્રવ્ય છે તે અનંત ધર્માત્મક છે, એટલે તેમાં ઘણા ધર્મો રહેલા છે. તેમાંથી એક ધર્મનું ગ્રહણ કરવું અને તેની અંદર રહેલા બાકીના ધર્મનો નિષેધ ન કરવો, તેમ તેમનું ગ્રહણ પણ ન કરવું અર્થાત્ તે દ્રવ્યના અનંત ધર્મમાંથી એક ધર્મને મુખ્ય કરવો તે 'નય' કહેવાય છે. જો તે દ્રવ્યના એક અંશને માની બાકીના અંશોનો નિષેધ કરે, તો તે 'નયાભાસ' કહેવાય છે. એ નયાભાસ જૈનમત સિવાય બીજા મતમાં આવે છે.
જેટલા વચનના માર્ગો છે તેટલા નયના વચનો છે, અને જેટલા નયના વચન છે તેટલા એકાંત માનવાથી અન્ય મતો છે, તેથી સર્વ નયનું સવિસ્તર સ્વરૂપ કહી શકાય તેમ નથી. ઉપર જે નયના લક્ષણો કહ્યા છે, તે નય મુખ્ય રીતે-૧.દ્રવ્યાર્થિક નય અને ૨-પર્યાયાર્થિક નય એમ બે પ્રકારે છે. તેમ વળી તે નિશ્ચય નય અને વ્યવહાર નય-એવા બે પ્રકારે પણ ગણેલા છે. તે દ્રવ્યાર્થિક નય, પર્યાયાર્થિક નય, નિશ્ચય નય અને વ્યવહાર નય-એ સર્વ નયના મૂળ ભેદ છે. તેમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ નિશ્ચય નયના સાધન-હેતુ છે એમ સમજવું. જેની અંદર ઉપર કહેલ દ્રવ્ય પ્રયોજનરૂપે હોય, તે દ્રવ્યાર્થિક નય’ કહેવાય છે એટલે દ્રવ્ય છે અર્થ-પ્રયોજન જેનું, તે દ્રવ્યાર્થિક કહેવાય છે
દ્રવ્યાર્થિક નયના દશ ભેદ. ૧-કર્મ ઉપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય, ૨-ઉત્પાદવ્યયગૌણત્વેન સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક, ૩ભેદકલ્પના નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક, ૪-કર્મોપાધિસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક, પ-ઉત્પાદત્રય સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક, ૬-ભેદકલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક, ૭-અન્વય દ્રવ્યાર્થિક, ૮-સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક, ૯પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક, ૧૦૫રમભાવ ગ્રાહક દ્રવ્યાર્થિક.
Page #178
--------------------------------------------------------------------------
________________
अर्वाचीन गुजराती कृति
१५५
(૧) કપાધિનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક :-નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ-એ ચારે ગતિ સંસાર કહેવાય છે, અને તેમાં જે જીવોનું ગમનાગમન થાય તે સંસારી જીવ કહેવાય છે. એ સંસારી જીવ શુદ્ધ નિશ્ચય નયથી આઠ રૂચક પ્રદેશપ્રમાણ નિર્મળ છે. અને તેથી સર્વ સંસારી પ્રાણી માત્રને સિદ્ધ સમાન ગણીએ, એટલે તેનો સહજ ભાવ જે શુદ્ધાત્મ સ્વરૂપ તેને આગળ કરીએ અને તેમના ભવપર્યાય એટલે સંસારિક ભાવ છે તેને ગણીએ નહિ અર્થાત્ તેની વિરક્ષા ન કરીએ, તે ‘કર્મોપાધિ નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક નય' કહેવાય છે, એ ઉપરથી એમ સમજવાનું છે કે-ચૌદ ગુણસ્થાનક અને ચૌદ માર્ગણાની અપેક્ષા સંસારી જીવમાં અશુદ્ધ નયની વિવક્ષા થાય છે. પણ માત્ર ભાવનું જ ગ્રહણ થાય તે આત્મા શુદ્ધ નયની વિવક્ષાથી સિદ્ધ સમાન જ છે.
(૨) ઉત્પાદવ્યય ગૌણત્વે સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક :- 'ઉત્પાદ્રવ્યયધ્રોવ્યયુ સ’ એવું તત્ત્વાર્થનું વચન છે. એટલે જે પદાર્થની ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા છે તે પદાર્થ સત્ છે. દ્રવ્યાર્થિક નયના આ બીજા ભેદમાં ઉત્પાદ અને વ્યયની ગૌણતા અને સત્તાની એટલે નિત્યપણાની મુખ્યતા બતાવી. અને જ્યારે ઉત્પાદ વ્યયને ગૌણ મનાય ત્યાં સત્તા માત્ર માન્ય રહે છે, અને તેથી આ નયથી દ્રવ્યના નિત્ય સ્વરૂપનું પ્રહણ થાય છે. અને જે નિત્ય છે. તે ત્રણે કાળમાં નિશ્ચય સ્વરૂપે રહે છે. જો કે દરેક દ્રવ્યના પર્યાય ક્ષણે ક્ષણે પરિણામી એટલે રૂપાંતરને પામનારા છે. તથાપિ જીવ તથા પુદ્ગલાદિ દ્રવ્યની સત્તા કદી પણ ચલાયમાન થતી નથી. આ પ્રમાણે દ્રવ્યના નિત્યપણાને લીધે દ્રવ્યની ઉત્પત્તિ અને નાશનું ગૌણપણું કરી તેની સત્તાને મુખ્ય મનાવે, તે બીજો ‘ઉત્પાદ-વ્યય-ગૌણત્વેન સત્તા ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નય’ કહેવાય છે.
(૩) ભેદકલ્પનાનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક :-જેમાં ભેદની કલ્પના નથી. જેવી રીતે જીવદ્રવ્ય તથા પુદ્ગલાદિ દ્રવ્ય પોતપોતાના ગુણપર્યાયથી અભિન્ન છે, તેવી રીતે જેમાં ભેદકલ્પના નથી તે ત્રીજો ભેદ કહ્યો છે. જો કે દ્રવ્યનો ગુણપર્યાયથી ભેદ જણાય છે, તો પણ ભેદનું અર્પણ નહિ કરતાં માત્ર અભેદનું જ ગ્રહણ કરીએ તો આ ત્રીજો ભેદ સિદ્ધ થાય છે. તેથી જે દ્રવ્ય છે તે જ ગુણ અને તે જ પર્યાય છે, કારણ કેતદાત્મકપણું છે. જેમ એક મોટા વસ્ત્રને ફાડીને તેમાંથી જ નાનું વસ્ત્ર કાઢ્યું હોય, તો તે નાનું વસ્ત્ર મોટા વસ્ત્રનો પર્યાય હોવાથી તેમાં જ સમાઈ શકે છે. તેવી જ રીતે જેટલા ગુણ અને પર્યાય છે તે સઘળા તદાત્મકપણાથી દ્રવ્યરૂપ જ છે. ભેદ અને અભેદ આ સ્થળે વિવક્ષાને અનુસારે જાણવા જોઈએ. અર્થાત્
જ્યારે દ્રવ્યપણાની વિવક્ષા કરવામાં આવે ત્યારે દ્રવ્યપણાથી ગુણપર્યાય અભિન્ન જ છે, અને જ્યારે પર્યાયરૂપથી વિરક્ષા કરીએ ત્યારે દ્રવ્યથી ગુણપર્યાય ભિન્ન છે.
() કર્મોપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક જ્યારે આત્મા કર્મને ગ્રહણ કરે છે, ત્યારે તે કર્મોપાધિ સહિત કહેવાય છે, અને કર્મના સંયોગથી આત્મિક દ્રવ્યની અશુદ્ધતા તે આ ચોથો ભેદ કહ્યો છે. આનું લક્ષણ એવું છે કે-આત્મા કર્મભાવમય થાય છે એટલે કર્મની પ્રકૃતિ આત્મપ્રદેશ સાથે એકત્ર થાય છે, ત્યારે આત્મા તાદેશરૂપ અર્થાત્ કર્મસ્વરૂપ દેખાય છે. ક્રોધની કર્મપ્રકૃતિ ઉદયથી આત્મા ક્રોધી કહેવાય છે, માનકર્મના ઉદયથી જીવ માની કહેવાય છે. જેમ લોઢાનો ગોળો અગ્નિમાં મૂકી રાતો બનાવ્યો હોય તે કાળે તે ગોળાને અગ્નિરૂપ જાણવો. આત્મા સ્વભાવે શુદ્ધ છે. ક્રોધમોહાદિ ઉદયથી તે જ્યારે ક્રોધમય કે મોહમય
Page #179
--------------------------------------------------------------------------
________________
१५६
नयामृतम्-२
બની જાય છે, તે સમયે આત્માને તે રૂપ જાણવો એ આ નયથી સિદ્ધ થાય છે. આવા જ કારણસર આત્મિક દ્રવ્યના આઠ કર્મની ઉપાધિથી આઠ ભેદ કહ્યા છે.
(૫) ઉત્પાદ વ્યય સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક :-એક જ સમયમાં દ્રવ્યનો ઉત્પાદ વ્યય અને ધ્રુવ થાય છે. કોઈ કહેશે કે એક જ વખતે તે ત્રણે ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યસ્વરૂપ એક જ પદાર્થમાં કેવી રીતે થઈ શકે? તો તેનો જવાબ એવો છે કે-જેમ સોનાના કડાની ઉત્પત્તિનો જે સમય છે તે સોનાના બાજુબંધને નાશ કરવાનો પણ સમય છે, પણ એ બંને પૂર્વાપર પર્યાયમાં સુવર્ણ તે ધ્રુવ (નિત્ય) સ્વરૂપથી વિદ્યમાન છે. વળી ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યરૂપ માનવાથી પ્રમાણવચન થાય છે, પણ નયવચન ન થાય એમ માનવું એ પણ ખોટું છે. કેમકે મુખ્ય અને ગૌણભાવને ગ્રહણ કરીને આ લક્ષણોનું ગ્રહણ થવાથી સૌ પોતપોતાના અર્થગ્રહણમાં મુખ્ય નય છે પણ પર અર્થમાં નથી.
(૬) ભેદકલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક :- જે દ્રવ્ય ભેદભાવની કલ્પનાને ગ્રહણ કરે છે, અર્થાત્ આ નયમાં ભેદકલ્પનાની અપેક્ષા રહે છે, “માત્મનઃ પુન:' એટલે આત્માના શુદ્ધ ગુણો. આ સ્થળે આત્મા અને તેના ગુણોને જુદા દર્શાવ્યા. જેમકે “મક્ષોઃ પાત્ર એટલે ભિક્ષનું વાસણ. હવે વાસણ અને ભિક્ષુ જેમ જુદા કીધા, તેમ આત્મા અને તેના ગુણોને છઠી વિભક્તિથી જુદા પાડ્યા, તે ભેદભાવની કલ્પના કહેવાય. હવે ખરું જોતાં ભિક્ષુ અને પાત્રનો જેવો ભેદ છે તેવા ભેદ આત્માનો અને તેના જ્ઞાનાદિક ગુણોનો નથી, અર્થાત્ ગુણ ગુણીનો ભેદ નહિ, તો પણ ભેદની કલ્પનાની અપેક્ષાવડે અશુદ્ધ દ્રવ્યાર્થિક નયના મત પ્રમાણે એમ કહી શકાય છે.
(૭) અન્વય દ્રવ્યાર્થિક :-દરેક દ્રવ્યનો અન્વય તેના ગુણપર્યાયને વિષે હોય છે, એટલે દ્રવ્ય એક ગુણપર્યાય સ્વભાવી હોય છે. જેમકે ઘટ દ્રવ્ય છે તેનો રૂપાદિક ગુણ અને કંબુગ્રીવાદિ પર્યાયમાં અન્વય છે, કારણ કે ગુણપર્યાયના રહેવાથી ઘટ આદિ દ્રવ્ય અવશ્ય રહે છે અને તે અન્વય કહેવાય છે. જેના રહેવાથી જેની ઉત્પત્તિ થાય તે તેનો અન્વય છે. જેમ કે-દંડ સત્તામાં ઘટની ઉત્પત્તિ છે. એટલે દંડ હોય તો ઘટની ઉત્પત્તિ થાય છે, માટે આ અન્વય કહેવાય છે. દ્રવ્ય સ્વરૂપનો સંપૂર્ણ રીતે ગુણપર્યાયમાં અન્વય છે. તેથી કરીને જ્યારે દ્રવ્ય સ્વરૂપ જણાય છે, ત્યારે તેના સર્વ ગુણપર્યાય જાણેલા કહેવાય છે. માટે એક સ્વભાવના અન્વયથી સાતમો ભેદ સમજવો.
(૮) સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક --પોતપોતાના દ્રવ્ય આદિને ગ્રહણ કરવાવાળો આઠમો દ્રવ્યાર્થિક નયનો ભેદ છે. આદિ શબ્દથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ-એ ચારેનું ગ્રહણ થાય છે, ઘટ આદિ પદાર્થ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ તથા સ્વભાવથી સત્ રૂપપણે જ દેખાય છે. સ્વદ્રવ્યથી ઘટ મૃત્તિકાનો બનેલો છે, સ્વક્ષેત્રથી પાટલીપુરનો છે, સ્વકાળથી અમુક ઋતુનો છે અને સ્વભાવથી ઘટ શ્યામ કે રક્ત છે. આ પ્રમાણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ-એ ચારેમાં ઘટ દ્રવ્યની સત્તા સિદ્ધ થાય તે પ્રમાણ છે-સિદ્ધ છે. માટે “સ્વદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નય’ નામનો આઠમો ભેદ જાણવો.
(૯) પરદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક-આ નવમો ભેદ આઠમા ભેદથી ઉલટો છે, એટલે ‘પદ્રવ્યાદિ
Page #180
--------------------------------------------------------------------------
________________
अर्वाचीन गुजराती कृति
१५७
ગ્રાહક નામનો છે. જેમ સ્વ દ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક નયથી ઘડો સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વભાવની અપેક્ષાએ સત્ છે, તેમ તે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પરભાવની અપેક્ષાએ અસત્ છે જેમકે ઘટની અપેક્ષાથી પટ દ્રવ્ય પર છે. માટે પરદ્રવ્યથી ઘટ અસત્ છે, ભરતક્ષેત્રની ઘટ મથુરા-પાટલીપુર જ્યાં બનતો હોય તેનાથી બીજા ગામનો કહેવો તે ક્ષેત્રથી અસત્ છે, ઘટ જો વસંતઋતુમાં બન્યો હોય તો ગ્રીષ્મઋતુથી એ અસત્ છે, અને ભાવથી શ્યામ, રક્તાદિપણાથી અસત્ છે. માટે પરદ્રવ્યાદિકથી દ્રવ્ય અસત્ અર્થમાં જણાય છે. આ પ્રમાણે જે માનવું તે નવમો પરદ્રવ્યાદિ ગ્રાહક દ્રવ્યાર્થિક નય જાણવો.
(૧૦) પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિક નય-દ્રવ્યની અંદર અનેક જાતના ગુણો રહેલા હોય છે, તેમાંથી જે ઉત્કૃષ્ટ ગુણનો ભાવ ગ્રહણ કરવામાં આવે અને તેથી તે દ્રવ્ય સિદ્ધ થાય, તે ‘પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિક નય' કહેવાય છે. જેમ આત્મા એ પદાર્થજ્ઞાન સ્વરૂપ કહેવાય છે. જો કે તે આત્માની અંદર દર્શન, ચારિત્ર, વીર્ય, અનંત ગુણો રહેલાં છે, તથાપિ સર્વની અંદર જ્ઞાનસ્વભાવ ઉત્કૃષ્ટ છે, કારણ કે-બીજા દ્રવ્યથી જ્ઞાન સ્વભાવવડે આત્મા જુદો દેખાય છે, તેથી આત્માને જ્ઞાન એ પરમ ઉત્કૃષ્ટ ભાવ છે. તેથી કરીને આત્માની અંદર અનેક સ્વભાવ રહેલા છે. તે છતાં ‘જ્ઞાનમય’ આત્મા એમ કહેવાય છે, તે આ નયથી કહેવાય છે. એવી રીતે બીજા પણ છે જે દ્રવ્યો પરમભાવ-અસાધારણ ગુણથી દેખાતાં હોય અને તેથી તેમની ઓળખ થતી હોય તો તેમની અંદર પણ “પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિક નય' જાણી લેવો. અર્થાત્ બીજા દ્રવ્યોના પણ અસાધારણ ગુણરૂપ પરમભાવનું ગ્રહણ કરી લેવું જોઈએ.
આ પ્રમાણે દ્રવ્યાર્થિક નયના દશ ભેદ સ્મરણમાં હોય તો કદી પણ શંકા ઉત્પન્ન થાય નહિ. કોઈ પણ દ્રવ્ય વિષે વિચાર કરવાથી-તેની અંદર આ નયની યોજના કરવાથી નિઃશંક હૃદયમાં જ્ઞાનનો શુદ્ધ પ્રકાશ પડે
હવે પર્યાયાર્થિક નય - ઉત્પત્તિ અને વિનાશને પ્રાપ્ત થાય તે “પર્યાય' કહેવાય છે. તે માટે આગમમાં કહ્યું છે કે- અનાદિ અને અનંત એવા દ્રવ્યમાં તેના પોતાના પર્યાયો જલતરંગની જેમ ક્ષણ ક્ષણે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે.”
તે પર્યાયો છ છ પ્રકારે હાનિ અને વૃદ્ધિ અને રૂપે ગણાય છે. પર્યાયના બે પ્રકાર કહેલા છે. ૧સહભાવી પર્યાય. ર-ક્રમભાવી પર્યાય.
જે સહભાવી પર્યાય તે દ્રવ્યનો ગુણ છે. જેમ આત્મા એ પદાર્થ છે, તેની અંદર વિજ્ઞાન શક્તિ છે. તે તેનો ‘સહભાવી પર્યાય' કહેવાય છે. આત્માને સુખ, દુઃખ, હર્ષ, શોક વિગેરે થાય છે, તે તેનો ‘ક્રમભાવી પર્યાય' કહેવાય છે
પર્યાયના સ્વભાવ અને વિભાવ તથા દ્રવ્ય અને ગુણ-એ ચાર પ્રકારે ભેદ થઈ શકે છે. એટલે ૧સ્વભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય, ર-સ્વભાવ ગુણ વ્યંજન પર્યાય, ૩-વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય, ૪-વિભાવ ગુણ વ્યંજન પર્યાય.
Page #181
--------------------------------------------------------------------------
________________
१५८
नयामृतम् -२
જેમ જીવનો ચરમ શરીરથી કાંઈક ન્યૂન સિદ્ધ પર્યાય છે, તે તેનો સ્વભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય' કહેવાય છે.
જીવની અંદ૨ અનંતજ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય વિગેરે ગુણ છે, તે સ્વભાવ ગુણ વ્યંજન પર્યાય’ કહેવાય છે.
જીવની જે ચોરાશી લાખ યોનિના ભેદ છે, તે ‘વિભાવ દ્રવ્યયંજન પર્યાય' કહેવાય છે, અને જીવને મતિ વિગેરે છે તે તેનો ’વિભાવ ગુણ વ્યંજન પર્યાય’ કહેવાય છે.
તેવી રીતે પુદ્ગલને હ્રયણુક (બે અણુ) વિગેરે વિભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય' રસથી બીજો ૨સ અને ગંધથી બીજો ગંધ ઈત્યાદિ જે પુદ્ગલના વિકાર તે તેનો વિભાવ ગુણ વ્યંજન પર્યાય' પુદ્ગલનો જે અવિભાગી પુદ્ગલ ૫૨માણુ તે સ્વભાવ દ્રવ્ય વ્યંજન પર્યાય’ અને પુદ્ગલનો એક એક વર્ણ, ગંધ, રસ અને અવિરૂદ્ધ બે સ્પર્શ, એ તેનો સ્વભાવ ગુણ વ્યંજન પર્યાય' કહેવાય છે. તેવી રીતે એકત્વ-પૃથક્ત્વાદિ પણ પર્યાય છે.
એકનો જે ભાવ તે ‘એકત્વ’ એટલે જુદા જુદા પરમાણુ હોય તે છતાં એકપણું. જેમકે- ‘આ ઘડો છે’ એ પ્રતીતિનો હેતુ તે એકત્વ. પૃથક્ક્સ એટલે જુદાપણું એ જ્ઞાનનો હેતુ છે. સંખ્યા (ગણત્રી થઈ શકે તે) સંસ્થાન (સ્થિતિરૂપ), સંયોગ (મળવાપણું) અને વિભાગ (જુદા જુદા ભાગ પડી શકે તે) એટલા પર્યાયના લક્ષણો છે.
પર્યાયાર્થિક નયઃ તેના છ ભેદ.
અર્થ-પ્રયોજન હોય તે પર્યાયાર્થિક નય કહેવાય છે. તેના છ પ્રકારો.-૧અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક, ૨-સાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક, ૩-ઉત્પાદ વ્યય ગ્રાહક અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક, ૪-સત્તા સાપેક્ષ નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક, પ-કર્મોપાધિ નિરપેક્ષ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક, ૬-કર્મોપાધિ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક નય.
(૧) અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિકઃ- જેની આદિ એટલે શરૂઆત ન હોય તે અનાદિ કહેવાય તથા જેની ઉત્પત્તિ કે વિનાશ નહિ થતાં ત્રણે કાળમાં નિશ્ચળરૂપે રહે તે નિત્ય કહેવાય છે. જે પદાર્થ અનાદિએ હોય અને નિત્ય હોય તે પર્યાય ‘અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયર્થિક નય' તરીકે સમજવો. જેમકે-મેરૂપર્વત પુદ્ગલ દ્રવ્યનો પર્યાય છે અને તે પ્રવાહની અપેક્ષાએ અનાદિ નિત્ય છે, કારણ કે-તે શાશ્વતો છે. જો કે અસંખ્યાતકાળે અન્યોન્ય પુદ્ગલોનું સંક્રમણ થાય છે, પણ તેનો સંસ્થાન આકાર છે તે તો એનો એ જ રહે છે. એવી રીતે રત્નપ્રભાદિક પૃથ્વી કે શાશ્વતી પ્રતિમાઓ ગણી શકાય. એ બધા અનાદિ નિત્ય પર્યાય છે. આ ઉ૫૨થી ‘અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય’ કહેવાય છે.
(૨) સાદિનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકઃ- એટલે જે પર્યાયની આદિ હોય અને તે જે નિત્ય પણ હોય તે સાદિ નિત્ય પર્યાય કહેવાય. જેમકે-સિદ્ધના જીવ છે તેનો પર્યાય આદિ છે, કારણ કે જ્યારે કર્મનો ક્ષય થાય
Page #182
--------------------------------------------------------------------------
________________
अर्वाचीन गुजराती कृति
१५९
ત્યારે સિદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે, તેથી તે આદિ થયા. પરંતુ તેમનો અંત નથી, એટલે મોક્ષમાંથી તે જીવને આવવું નહિ હોવાથી તે ‘સાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય' કહેવાય છે.
(૩) ઉત્પાદત્રયગ્રાહક અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકઃ- એટલે જેથી પર્યાય નિરંતર અનિત્ય હોય અર્થાત્ તે સત્તામાં ગૌણ હોય અને ઉત્પત્તિ તથા વિનાશથી નિરંતર અનિત્ય રહે. જે જે વસ્તુ વર્તમાનકાળે વિદ્યમાન છે તેનો ઉત્પાદ વ્યય પ્રાધાન્યતા માનવાથી અને સંજ્ઞાની ગૌણતાથી ‘ઉત્પાદ વ્યગ્રાહક અનિત્ય શુદ્ધ નામે પર્યાયાર્થિક નય' કહેવાય છે.
(૪) સત્તા સાપેક્ષ નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક- એક સમયમાં પર્યાય તો ઉત્પાદ વ્યય તથા ધ્રૌવ્યરૂપ ત્રણે લક્ષણે કરીને યુક્ત હોય છે. કારણ કે-ઘટમાં જ્યારે પૂર્વ પર્યાય શ્યામપણે નષ્ટ થાય છે, ત્યારે ઉત્તર પર્યાય રક્તપણું ઉત્પન્ન થાય છે. હવે અહીંયા રક્ત પર્યાયનો ઉત્પાદ, શ્યામ પર્યાયનો વ્યય અને ઘટ દ્રવ્યનું ધ્રૌવ્યપણું-એ ત્રણે લક્ષણો એક સમયમાં હોય છે. પર્યાયનું શુદ્ધ સ્વરૂપ કયું કહેવાય છે કે તેની સત્તા ન દેખાડાય, પણ અહીં તો મૂલ સત્તા દેખાડી છે તેથી પર્યાય અશુદ્ધ થયો. આ પ્રમાણે જે માનવું તે સત્તા સાપેક્ષ નિત્ય અશુદ્ધ' નામે ચોથો પર્યાયાર્થિક નય કહેવાય છે.
(૫) કર્મોપાધિ નિરપેક્ષ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિકઃ- જે પર્યાયમાં કર્મની ઉપાધિ હોય, છતાં તેની વિવક્ષા નહિ કરતાં તેના શુદ્ધ નિત્ય પર્યાયની જ વિવક્ષા કરવી તે જેમ કે-સંસારી જીવ કર્મની ઉપાધિએ કરીને યુક્ત હોય છે, તો પણ તે કર્મની વિપક્ષ નહિ કરતાં તેની સત્તામાં રહેલા જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ મૂળ ગુણ જે સિદ્ધના જેવા જ છે તેની જ વિવક્ષા કરીએ, તો તે કર્મોપાધિ રહિત નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય કહેવાય છે.
જેમ લીલાં લાકડાથી ઉત્પન્ન થયેલો ધૂમાડો ઉપાધિરૂપ જ છે, તેમ સહજ શુદ્ધ સ્વભાવી આત્મામાં કર્મ નિજ ગુણ નહિ હોવાથી ઉપાધિરૂપ જ છે. તેથી કરીને જો સંસારી જીવ કર્મથી યુક્ત છે, તો પણ જયારે તે ભવી જીવને કર્મથી રહિત સ્વરૂપમાં વિચારીએ છીએ, ત્યારે તે સિદ્ધરૂપ દેખાય છે. તાત્પર્ય એવું સમજવું કે કર્મરૂપ ઉપાધિભાવને વિવક્ષિત ન ગણીએ અને જ્ઞાન-દર્શન-ચારિત્રને વિવક્ષિત ગણીએ, તો ‘કર્મોપાધિ નિરપેક્ષ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક' નામનો પાંચમો ભેદ કહેવાય છે.
(૬) કર્મોપાધિ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક- પાંચમા ભેદથી વિપરીત અર્થવાળો છઠો ભેદ છે. એટલે પાંચમા ભેદમાં જેમ કર્મોપાધિની વિવેક્ષા નહોતી, તેમ છઠા ભેદમાં કર્મોપાધિની જ વિવક્ષા કરવાની છે. પાંચમા ભેદમાં નિત્ય શુદ્ધ મૂળ ગુણની અપેક્ષા હતી, ત્યારે છઠા ભેદમાં અનિત્ય અશુદ્ધ પર્યાયની અપેક્ષા છે. જેમ સંસારવાસી જીવોને જન્મ તથા મરણને વ્યાધિ છે, તે જન્માદિક પર્યાય કર્મના સંયોગથી હોય છે. તે અનિત્ય અને અશુદ્ધ છે, તેમ મોક્ષાર્થી જીવ તે જન્માદિક પર્યાયનો નાશ કરવાને પ્રવર્તે એમ માનવું, તે કર્મોપાધિ અપેક્ષાવાળો જે અનિત્ય અને અશુદ્ધ પર્યાય હોય, તે પર્યાયાર્થિક નયના છઠ ભેદમાં ગણી શકાય છે.
એ પ્રમાણે પર્યાયાર્થિક નયના છ ભેદ સમજવા. હવે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની અંદર સ્થાન રહેલા તે જાણવું જોઇએ. જે દ્રવ્યાર્થિક નય છે તે નિત્ય સ્થાનને જણાવે છે, કારણ કે દ્રવ્ય નિત્ય છે અને
Page #183
--------------------------------------------------------------------------
________________
१६०
नयामृतम्-२
સર્વ કાળમાં હોઈ શકે છે. અને જે પર્યાયાર્થિક નય છે તે અનિત્ય સ્થાનને જણાવે છે, કારણ કે-પર્યાય અનિત્ય છે.
દરેક વસ્તુ દ્રવ્યાર્થિક નયથી નિત્ય છે અને પર્યાયાર્થિક નયથી અનિત્ય છે. જે વ્યાર્થિક નય છે તે દ્રવ્યને તાdવક વસ્તુ માને છે અને પર્યાયને તાdવક માનતો નથી. કારણ કે દ્રવ્ય પરિણામી હોવાથી અન્વયી છે અને તેથી તે સર્વકાલ સત્ રૂપ છે, એમ રાજપ્રશ્રીય વૃત્તિમાં કહ્યું છે.
અત્રે કોઈ શંકા કરે કે-ગુણાર્થિક નય પણ કહેવો જોઈએ. તેનો ઉત્તર જે-પર્યાયના ગ્રહણની સાથે ગુણનું પણ ગ્રહણ થઇ જાય છે, તેથી ગુણાર્થિક નય જુદો હોઈ શકે નહિ.
પર્યાય એ દ્રવ્યના હોય છે, તો એક દ્રવ્યાર્થિક નયની અંદર પર્યાયાર્થિક આવી જાય છે. તે છતાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા ભેદ શા માટે કહ્યા હશે ? ઉત્તરમાં દ્રવ્ય અને પર્યાયના લક્ષણ બારીકીથી જોવાના છે. તેઓના સ્વરૂપમાં સૂક્ષ્મ રીતે વિશેષતા આવે છે. દ્રવ્યના કરતાં પર્યાય સૂક્ષ્મ છે. એક દ્રવ્યની અંદર અનંતા પર્યાય હોવાનો સંભવ છે. દ્રવ્યની વૃદ્ધિ છતાં પર્યાયની અવશ્ય વૃદ્ધિ થાય છે. પ્રત્યેક દ્રવ્યમાં સંખ્યાતા-અસંખ્યાતા પર્યાય રહેલા છે. અવધિજ્ઞાનથી જ તેનો નિકાલ થઈ શકે છે અને પર્યાયની વૃદ્ધિ થતાં દ્રવ્યની વૃદ્ધિની ભજના છે.
“આહંતુ શાસ્ત્રના પ્રણેતાઓ દ્રવ્ય અને ભાવ, ક્ષેત્ર અને કાલને માટે લખે છે કે દ્રવ્યભાવની વૃદ્ધિમાં ક્ષેત્રકાલની વૃદ્ધિની ભજના છે અને દ્રવ્યની વૃદ્ધિ થતાં ભાવની વૃદ્ધિ અવશ્ય થાય છે, અને ભાવની વૃદ્ધિમાં દ્રવ્યની વૃદ્ધિની ભજના છે. વળી ક્ષેત્રથી દ્રવ્ય અનંતગણું છે અને દ્રવ્યથી પર્યાય અવધિજ્ઞાનનું જ વિષયભૂત છે. તે સંખેય ગુણ તથા અસંખ્યય ગુણ છે.”
તેથી દ્રવ્ય અને પર્યાયના સ્વરૂપમાં ભેદ હોઇ શકે છે. માટે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા નયના બે ભેદ કહેલાં છે. જો કે તે બંને નય પરસ્પર મળતાં આવે છે, તથાપિ તે પોતપોતાનું જુદાપણું છોડતાં નથી. વળી સામાન્ય અને વિશેષ દ્રવ્ય પર્યાયથી જુદા છે જ નહિ, તેથી સામાન્યાર્થિક અને વિશેષાર્થિક નય હોઈ શકતા નથી.
ઇતિ સપ્ત નયાદિ આધિકારઃ
Page #184
--------------------------------------------------------------------------
________________
अर्वाचीन गुजराती कृति
१६१
(૪.૪) સપ્તનય વિચાર
પૂજ્ય મુનિરાજ શ્રીસંયમસાગરજી મ જૈનદર્શનમાં વસ્તુની વાસ્તવિક સિદ્ધિ માટે નય, ભંગ, પ્રમાણ અને નિક્ષેપાદિ યુક્તિઓ બતાવેલી છે કે જેના વડે ન્યાયપુર:સર પદાર્થની સત્યાર્થતા સિદ્ધ થઈ શકે. જૈન દર્શનમાં જે જે તત્ત્વોનું પ્રતિપાદન થયેલું છે તે યુક્તિહીન કે ન્યાયથી શૂન્ય નથી જ પણ તે દરેક તત્ત્વયુક્તિથી યુક્ત અને ન્યાયપુર:સર છે. પદાર્થની સત્યાર્થતા સમજવા નય અતિ ઉપયોગી થઈ પડે છે. તેથી જ મહાપુરુષોએ સપ્તનનું પ્રતિપાદન કરેલ છે. તેના સિવાય વસ્તુની યથાર્થતા સમજવી મુકેલ છે.
કહેવાય છે કે જેટલા વચનના માર્ગો તેટલા નવો આ વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. અને જે જે નયનાં વચનો છે તે દરેકનો સમન્વય કર્યા સિવાય એકાંતે માનવાથી પદાર્થની યથાર્થતા અપૂર્ણ જ રહે છે. જે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણ વડે સિદ્ધ થઈ જાય છે, તે જ પદાર્થ યથાર્થ પૂર્ણતાને પામે છે . અને જયાં અનેકાંત છે. ત્યાં જ પૂર્ણતા છે. એકાંત આવે તો પૂર્ણતા દૂરની દૂર જ રહે છે.
પ્રત્યક્ષ અથવા પરોક્ષ પ્રમાણ દ્વારા એક ધર્મની મુખ્યતાથી જે અનુભવાય તેને નય કહેવાય છે. તેના મુખ્યત્વે બે ભેદ છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય.
જેમાં દ્રવ્ય (પદાર્થ) ની મુખ્યતા હોય તે દ્રવ્યાર્થિક નય કહેવાય છે તેના ત્રણ ભેદ છે નૈગમનય, સંગ્રહનય અને વ્યવહારનય.
સંકલ્પ માત્રથી જ પદાર્થનું ગ્રહણ કરવું તેને નૈગમનય કહેવાય છે. કોઈ પ્રેસવાળાને ત્યાં છપાયેલા છૂટક છૂટક પાનાં પડ્યા હોય અને ત્યારે કોઈ તેને પૂછે કે આ શાનાં પાનાં છે? ત્યારે તે કહે કે ફલાણું પુસ્તક છે. ત્યારે તેને સંકલ્પ તરીકે છૂટક પાનાને પણ પુસ્તક તરીકે સ્વીકાર્યું. કારણ કે તેને ખ્યાલ છે કે આ અંતે પુસ્તક બનવાનું, તેથી જ તે છૂટક પાનાનું પણ પુસ્તક કહે છે કારણ કે તે છૂટક પાનાં વડે પુસ્તક તૈયાર થવાનું છે એવો જે સંકલ્પ તેને નૈગમનય કહેવાય છે.
કોઈ પણ પદાર્થનું સામાન્ય સ્વરૂપ ગ્રહણ કરવું તેને સંગ્રહનય કહેવાય છે. જેમ કે છ લેગ્યા છે તેને સામાન્ય સ્વરૂપ એટલે કે સમૂહ તરીકે ખાલી લેયા તરીકે જાણવી. તેવી રીતે છ દ્રવ્ય છે તેને ખાલી દ્રવ્ય તરીકે જાણવાં તેને સંગ્રહનય કહેવાય છે.
સંગ્રહનય વડે સામાન્ય સ્વરૂપે જાણેલા પદાર્થના વિષયને વિશેષ રૂપે પ્રતિપાદન કરવા તેને વ્યવહારનય કહેવાય છે, જેમ કે લેગ્યા છે તો તેના છ ભેદો જાણવા, તેનો સ્વભાવ જાણવો આદિ. તથા દ્રવ્ય છે તો તે છે છે, તો તેનો ધર્મ, ભેદ ઇત્યાદિની જાણકારી કરવી કે પ્રતિપાદન કરવું તેને વ્યવહારનય કહેવાય છે. આ ત્રણ ભેદ દ્રવ્યાર્થિકનયના જાણવા.
દ્રવ્યાર્થિકનયમાં જે દ્રવ્યની મુખ્યતા હતી તેની ગૌણતા કરી તેના પર્યાયની મુખ્યતા સ્થાપન કરવી તેને પર્યાયાર્થિકનય કહેવાય છે. તેના ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય એમ ચાર ભેદો છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
१६२
नयामृतम्-२
પદાર્થના વર્તમાન પર્યાયનું જ માત્ર જે નય વડે ગ્રહણ થાય તે ઋજુસૂત્રનય કહેવાય છે. જેમ કે દેવને દેવ તરીકે નારકના જીવને નારકી તરીકે, તિર્યંચના જીવને તિર્યંચ તરીકે માનવો જે તેનો વર્તમાન પર્યાય છે તેની મુખ્યતા કરવી તેને ઋજુસૂત્રનય કહે છે.
જે વાક્યમાં વ્યાકરણાદિનો દોષ હોય તેને દૂર કરી તથા શબ્દની જે અશુદ્ધિ હોય તેને દૂર કરી અને તે દોષો દૂર થવાથી જે ભાષા શુદ્ધ થઈ છે તે ભાષા વડે જે કથન કરવું તેને શબ્દનય કહેવાય છે.
પદાર્થની મુખ્યતા વડે એક જ અર્થમાં બીજા અર્થને સમાવવો તેને સમભિરૂઢ કહેવાય છે. જેમ કે છતીતિ : આ વાક્ય વડે એમ કહેવાય કે જે ગમન કરે તે ગાય કહેવાય છે પણ તે ગાય સૂતી હોય, બેઠી હોય અથવા ઊભી હોય ત્યારે પણ ગાય કહેવી તે સમભિરૂઢનયનો વિષય છે. એટલે કે ત્યારે પણ ગાય તરીકે માન્ય રાખવી તે સમભિરૂઢનય કહેવાય છે. - વર્તમાનક્રિયા જેની જેવા પ્રકારની હોય તેવી જ બતાવવી તે એવંભૂતનય કહેવાય છે. જેમકે ચાલતી હોય તો જ ગાય કહેવી તે સિવાયની અવસ્થામાં ગાય ન કહેવી. એટલે કે એક જ અર્થને માન્ય રાખવો, બીજાનો નિષેધ કરવો તેને એવંભૂતનય કહેવાય છે. આ ચાર ભેદ પર્યાયાર્થિકનયના છે.
દ્રવ્યાર્થિકના ત્રણ અને પર્યાયાર્થિકના ચાર આ પ્રમાણે આ સાત નવો વડે વસ્તુ માત્રની સિદ્ધિ થાય છે. અને આ સાત નય વડે જે વસ્તુ સિદ્ધ થઈ હોય તે જ યથાર્થ સત્ય વસ્તુ કહેવાય છે. તે સિવાય સાત નયોથી પરસ્પર વિરુદ્ધતા ભાસતી વસ્તુ યથાર્થ સત્ય નથી અને તે કાર્યસાધક પણ નથી.
આત્મા પર કર્મનું આવરણ હોવા છતાં પણ આત્મા આત્મા તરીકે વસ્તુતઃ કાયમ રહે છે. તે કદી અનાત્મા કે જડ નથી બની જતો; આ દ્રવ્યાર્થિક નય વડે સિદ્ધ થાય છે. પર્યાયરૂપે તે નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવતાદિરૂપે અવતરે છે. તે પર્યાયાર્થિકનય વડે આત્મા સિદ્ધ થાય છે.
દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આ બંને નયો નિશ્ચય અને વ્યવહાર તરીકે પણ ઓળખાય છે. પદાર્થનું એક જ પાસારૂપ એક જ સ્વરૂપ બતાવવું હોય તો સાપેક્ષપણે એક જ નયની જરૂર પડે છે. અને જો પદાર્થના દરેકે દરેક પાસા બતાવવા હોય તો સાતે સાત નયની જરૂર પડે છે. તે સિવાય તે પદાર્થની જાણકારી અધૂરી રહે છે. પૂર્વકાલમાં સપ્તશતાર ચક્રાધ્યયન નામનું (વિષય) અધ્યયન હતું તેની અંદર એક એક નયના સો સો ભેદ દર્શાવ્યા હતા. હાલ તે લુપ્ત છે. હાલ તો દ્વાદશાનિયચક્ર નામનો ગ્રંથ છે તેમાં દરેક નયના બાર બાર ભેદો દર્શાવી તેના ચોરાશી ભેદો પણ દર્શાવ્યા છે. આ બંને નેત્રરૂપ છે. તે બંને દ્વારા જ પદાર્થનું નિરીક્ષણ કરવું તેનું નામ જ સ્યાદ્વાદ છે. વસ્તુના અનેક પાસા જોવા-સમજવા તેનું નામ જ અનેકાંતવાદ (સ્યાદ્વાદ) છે. પરંતુ એકાંગીપણું સ્વીકારવું તે એકાંતવાદ કહેવાય છે. દરેક વસ્તુને બરોબર સાપેક્ષપણે વિચારી પછી જ સત્યાસત્યનો વિચાર કરવો ત્યાર પછી જ પૂર્ણ સત્ય હાથમાં આવશે. અન્યથા તો હાથ કોરો ને કોરો જ રહેશે. જે વસ્તુને લીધે વાદ ચાલુ થયો હોય અને તેનો જો અંત લાવવો હોય તો અનેકાંતવાદરૂપ સાપેક્ષવાદ સ્વીકારવો જ પડે છે તો જ તેનો અંત આવે છે. અન્યથા તો વાદમાંથી વિતંડાવાદ આવીને ઊભો રહે છે. દરેકની સત્યતા સ્વીકારવી તે જ સાદ્વાદ છે અને તે જ જૈન દર્શનનો સાર છે.
જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડું આપું છું.
Page #186
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१ उद्धरणसूचि
कृति
स्थल
प्रवचनसारोद्धार-८९६ अनुयोगद्वार-१३
उद्धरण अज्झत्थं चेव सोलसमं अणुवओगो दव्वं अनन्तधर्मात्मकस्य वस्तुन अन्यत्र स्थितस्य वस्तुनः अप्रच्युतानुत्पन्नस्थिरैकरूपं
जैनन्याय
भगवती श.१३.९.सू.९२७
द्वात्रिंशिका ४.१५
अभेदे कर्मधारय अहवा पच्चुपन्नो आद्यास्त्रयो द्रव्यास्तिका आया खलु सामाइयं आसज्ज उ सोआरं इक्षुक्षीरगुडादीनां उज्जुसुयस्स एगे उदधाविव सर्वसिन्धवः उवओगो भाव एक्केक्को य सयविहो सत्तनय एवं जीवाजीवो संसारी एवं सविसयसच्चे
ओहेसु अउवउत्तो जं कुंभंमि वत्थुपज्जयसं गइनामे जाइनामे घट चेष्टायाम् घटकार विवक्खाए चतुर्णा निक्षेपाणां मध्ये
सप्तनयअधिकार (३.५) सप्तनयअधिकार (३.५) सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) सप्तनयविवरण (३.१), सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२),सप्तनयविवरण (३.१), सप्तनयविवरण (१.२) सप्तनयविवरण रास (२.१), सप्तनयसमाधानविवर्णन (१.३) सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२),सप्तनयविवरण (३.१) सप्तनयअधिकार (३.५) सप्तनयविवरण रास (२.१), सप्तनयसमाधानविवर्णन (१.३) सप्तनयविचार (३.७) सप्तनयविवरण रास (२.१) सप्तनयविवरण (३.१) सप्तनयअधिकार (३.५) सप्तनयविवरण (३.१) सप्तनयविवरण रास (२.१),सप्तनयसमाधानविवर्णन (१.३) सप्तनयविवरण रास (२.१), सप्तनयसमाधानविवर्णन (१.३) सप्तनयविवरण (३.१) सप्तनयविवरण रास (२.१),सप्तनयसमाधानविवर्णन (१.३) सप्तनयविचार (३.७) सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२),सप्तनयविवरण (३.१) सप्तनयविवरण रास (२.१), सप्तनयसमाधानविवर्णन (१.३) सप्तनयविवरण (३.१), सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२), सप्तनयविवरण (३.१) सप्तनयविवरण रास (२.१), सप्तनयसमाधानविवर्णन (१.३), सप्तनयअधिकार (३.५) सप्तनयविवरण रास (२.१), सप्तनयसमाधानविवर्णन (१.३)
प्रवचनसारोद्धार-९४८
विशेषावश्यकभाष्य २२७२
समवायांग ८२.६
तत्त्वार्थसूत्र
चरणकरणप्पहाणा
जइ जिणमयं पवज्जह
जत्थ य जं जाणिज्जा जावंतो वयण पहा
विशेषावध्यकभाष्य २२६५
Page #187
--------------------------------------------------------------------------
________________
१६४
नयामृतम्-२
विशेषावश्यक नियुक्ति अनुयोगद्वार-२० अनुयोगद्वार ७९ अनुयोगद्वार-सूत्र १३६ भगवती श.१.उ.३ सू.१६६
जीव प्राणधारणइं(णे) जीवो गुणपडिवन्नो जे इमे समणगुणमुक्कजोगी णामं आवकहियं णेगेहिमाणेहिं मिणइ तमेव सच्चं नीसंकं तिक्काले चउपाणा न मुणी रण्णवासेणं नयास्तव स्यात्पदलाञ्छिता नाणेण य मुणी होइ नादंसणिस्स नाणं नाप्रमाणं प्रमाणं वा
उत्तराध्ययनसू.२५-२९ जैनमुक्तावली २४४ उत्तराध्ययनसू.२५-३० उत्तराध्ययनसू.२८-३०
नयोपदेश-९
नायंमि गिण्हियव्वं नित्यमेकमनेकानुगतं नित्यमेकमनेकानुवर्ति
शैवन्याय शैव नय
सप्तनयविवरण रास (२.१), सप्तनयसमाधानविवर्णन (१.३) सप्तनयविवरण रास (२.१), सप्तनयसमाधानविवर्णन (१.३) सप्तनयअधिकार (३.५) सप्तनयअधिकार (३.५) सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२), सप्तनयविचार (३.२) सप्तनयविचार (३.२) सप्तनयविवरण रास (२.१), सप्तनयसमाधानविवर्णन (१.३) सप्तनयअधिकार (३.५) सप्तनयविवरण (३.१) सप्तनयअधिकार (३.५) सप्तनयअधिकार (३.५) सप्तनयविवरण (१.२), सप्तनयविवरण (३.१), सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) सप्तनयविवरण (३.१) सप्तनयविवरण (३.१), सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२), सप्तनयविवरण (१.२) सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) सप्तनयविवरण (१.२), सप्तनयविवरण (३.१) सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२), सप्तनयविचार (३.२), सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) सप्तनयविचार (३.७) सप्तनयविचार (३.७) सप्तनयविवरण (३.१) सप्तनयअधिकार (३.५) सप्तनयविवरण (३.१), सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२), सप्तनयविवरण (३.१) सप्तनयविवरण (३.१), सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) सप्तनयविवरण (३.१), सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२), सप्तनयविवरण (१.२) सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) सप्तनयविवरण (१.२), सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२)
मीमांसा श्लोकवार्तिकसू.५.१०.
निर्विशेष हि सामान्य नीयते येन श्रुताख्यप्रमाणविष नेगमसंगहववहारे पच्चुन्नगाही उज्जसुओ
अनुयोगद्वार-सूत्र १३८
आप्तमीमांसा-६०
पथागारसपथो पयो व्रतो न दध्यत्ति न परस्परभिन्नार्थानामेकत्रा पुव्वतवेणं पुव्वसंजमेणं प्रमाणनयैरधिगमः प्रस्थकः निश्चयात्मकमानमुच्यते भावो हि कारणं पुंसां भूतस्य भाविनोवा भेदे तत्पुरुष
भगवती श.२.उ.५.१०२ तत्त्वार्थसूत्र-१.६
अनुयोगद्वारवृत्ति
यथार्थः प्रमाण
Page #188
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-१
१६५
तत्त्वार्थभाष्य अनुयोगद्वार-सूत्र १३९
यद् द्रव्यं यदा लौकिकसम उपचारप्रायो वत्थुओ संकमणं ववहारो वि हु बलवं विजातीयेषु शब्देषु एकार्थ व्यावृत्तिधर्माणो हि विशेषाः शेषाश्चत्वारः पर्यायास्तिका संगहिय पिंडियत्थं
शैव नय
अनुयोगद्वार-सूत्र १३७
सब्भावासब्भावो
सप्तनयविवरण (३.१) सप्तनयविवरण रास (२.१), सप्तनयसमाधानविवर्णन (१.३) सप्तनयविचार (३.२), सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२), सप्तनयविवरण (३.१) सप्तनयविवरण (३.१) सप्तनयविवरण (३.१), सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) सप्तनयविवरण (३.१), सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२), सप्तनयविचार (३.२), सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) सप्तनयसमाधानविवर्णन (१.३), सप्तनयविवरण रास (२.१) सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) सप्तनयविवरण (१.२), सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२), सप्तनयविवरण (३.१) सप्तनयविवरण रास (२.१), सप्तनयसमाधानविवर्णन (१.३), सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) सप्तनयविचार (३.७) सप्तनयविचार (३.७) सप्तनयअधिकार (३.५) सप्तनयविचार (३.२) सप्तनयविचार (३.२)
समस्तांशस्थानं प्रमाण सर्वं वस्तु स्वात्मन्येव
सव्वेसि पिणयाणं
सिया अत्थि अवत्तवो सिया अत्थि सिया णत्थि सुत्तत्थो खलु पढमो से किं तं नये सेसाणं पि नयाणं
भगवती.९४ अनुयोगद्वार-सूत्र ७१५
Page #189
--------------------------------------------------------------------------
________________
विशेषनाम
ग्रंथ
अनुयोगद्वार
अनुयोगद्वारवृत्ति आवश्यक नियुक्ति
उत्तराध्ययन
उत्तराध्ययन अनाथी अध्ययन
जीवाभिगम
जैनन्याय
जैनेंद्र
ठाण
तत्त्वार्थं
तत्त्वार्थ भाष्य द्वादशारनयचक्र
नयचक्र
नाममाला
नालन्दाध्ययन
पंचमांग
पन्नवणा
प्रश्नव्याकरणसूत्र
बृहत्कल्पभाष्य भगवतीसूत्र
भाष्य
महाभाष्य
विवाहपन्नती
विशेषावश्यक
शतारनयचक्र
शैवन्याय
षट्दर्शनसमुच्चय संमति
समयसार
सूत्रकृताङ्ग
परिशिष्ट - २
विशेषनामसूचि
कृ
सप्तनयविवरण (१.२) सामनयसमाधानविवर्णन (१.३). सप्तनयविवरण रास (२.१) ६.१. (६४). सप्तनयविचार (३.३), सप्तनय अधिकार (३.५)
सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२)१.२.३ बाला.
समनयविवरण रास (२.१) १.२. (२)
समयअधिकार (३.५)
सप्तनय अधिकार (३.५)
सप्तनयविवरण (१.२), सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२), सप्तनयस्वरूप (३.१)
सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) १०.११.१२ बाला.
सप्तनयविवरण (१.२), सप्तनयस्वरूप (३.१)
समनयविचार (३.३)
सप्तनयविवरण रास (२.१) ३.५ (२९), सप्तनवविवरण (१.२), सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२),
सप्तनयस्वरूप (३.१)
समयविवरण रास (२.१) १.११. (११)
सप्तनयविवरण (१.२), सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) ७.८.९. बाला, सप्तनयस्वरूप (३.१) सपनयविचार (३.३)
सप्तनयविवरण (१.२), सप्तनयस्वरूप (३.१) समनयसमाधानविवर्णन (१.३)
सप्तनयविचार (३.२)
समनयविवरण रास (२.१) १२.२५. (१५४)
सप्तनयअधिकार (३.५)
सप्तनयविवरण रास (२.१)
सप्तनयअधिकार (३.५)
समनयविवरण रास (२.१) १३.४. (१६१)
सप्तनयविवरण रास (२.१) १.४. (४)
सनयविचारपत्र (३.४)
सप्तनयविवरण रास (२.१) १.५. (५)
सप्तनयविवरण (१.२) सप्तनयविचारगर्भित वीरजिनस्तवन सह बाला (२.२) ७.८.९. बाला.,
सप्तनयस्वरूप (३.१)
सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) १०.११.१२ बाला.
सप्तनयविवरण (१.२), सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) ८.९. बाला., सप्तनयस्वरूप (३.१) सप्तनयविवरण रास (२.१) १.८. (८), सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) ६.७ बाला
सप्तनयविचार (३.३) सप्तनयसमाधानविवर्णन (१.३)
Page #190
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-२
१६७
दार्शनिक कापिल दिगंबर नैयायिक
बौद्ध
मीमांसक योग लोकायित वेदांति वैशेषिक शैव श्वेतांबर सांख्य सुगतमत
सप्तनयविवरण रास (२.१) १३.७.(१६४) सप्तनयविवरण रास (२.१) सप्तनयविवरण रास (२.१) १३.७.(१६४) सप्तनयविवरण रास (२.१) १३.८.(१६५) सप्तनयविवरण रास (२.१) १३.८.(१६५) सप्तनयविवरण रास (२.१) सप्तनयविवरण (१.२), सप्तनयस्वरूप (३.१) सप्तनयविवरण रास (२.१) १३.७.(१६४) सप्तनयविवरण रास (२.१) १३.७.(१६४) सप्तनयविवरण (१.२), सप्तनयस्वरूप (३.१) सप्तनयविवरण रास (२.१) १२.११.(१४०) सप्तनयविवरण रास (२.१) १३.७.(१६४) सप्तनयविवरण रास (२.१)
देश्य कुवार टोइओ
ढिगलो ढुंकडु
पाथो पायली बीजण वांसोलुं सरहाण
सप्तनयस्वरूप (३.१) सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२), सप्तनयस्वरूप (३.१) सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२) सप्तनयस्वरूप (३.१) सप्तनयविचार (३.३) सप्तनयस्वरूप (३.१) सप्तनयस्वरूप (३.१) सप्तनयस्वरूप (३.१) सप्तनयस्वरूप (३.१)
व्यक्ति आणंदसूरि गंभीरविजय जिनभद्र तिलकसूरि देईचंद देवसूरि भद्रबाहु मलयगिरि मानविजय राजसूरि वर्धमान
सप्तनयविवरण रास (२.१) १५.४.(१८४) नयकर्णिका सह टीका (१.१) सप्तनयविवरण रास (२.१) ३.१. (२६) सप्तनयविवरण रास (२.१) १५.३.(१८३) सप्तनयविचार (३.३) नयकर्णिका सह टीका (१.१) 23 सप्तनयविवरण रास (२.१) ५.१५.(६२) सप्तनयविवरण रास (२.१) १२.२४.(१५३) सप्तनयविवरण रास (२.१) १५.७.(१८७) सप्तनयविवरण रास (२.१) १५.७.(१८७) नयकर्णिका सह टीका (१.१) 1
Page #191
--------------------------------------------------------------------------
________________
१६८
नयामतम-२
विनय वीर
वृद्धिविजय वृषभ शांतिविजय शीलाचार्य श्रुतदेवी श्रेणिक सिंहगुरु सिद्धसेन सेनसूरि हरिभद्रसूरि हीरविजय हेमचंद्र
नयकर्णिका सह टीका (१.१) 23 नयकर्णिका सह टीका (१.१) नयकर्णिका सह टीका (१.१) सप्तनयविवरण (१.२) सप्तनयविवरण रास (२.१) १५.६.(१८६) सप्तनयसमाधानविवर्णन (१.३) सप्तनयविवरण रास (२.१) १.१. (१) सप्तनयविवरण रास (२.१)। नयकर्णिका सह टीका (१.१) 23 सप्तनयविवरण रास (२.१) ३.२.(२७) सप्तनयविवरण रास (२.१) १५.२.(१८३) सप्तनयविवरण (१.२), सप्तनयस्वरूप (३.१) सप्तनयविवरण रास (२.१) १५.१.(१८२) सप्तनयविवरण (१.२), सप्तनयविचारगर्भित वीरजिनस्तवन (२.२), सप्तनयस्वरूप (३.१)
स्थल द्वीपबन्दर
नयकर्णिका सह टीका (१.१) 23
गच्छ
तपागच्छ
सप्तनयविवरण रास (२.१)१५.१.(१८२)
Page #192
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-३ सप्तनयरासगतपारिभाषिकशब्दसूचि
शब्द
गाथांक
अध्यवसाय
१२,१३-१४,८७,९७,१०६,१२०, १३०
आरोप आवश्यक आविर्भाव आसायण उत्पत्ति उदय
२७, २८ १८,७२ १७२ १८,२० १५२
२४ ४४, १४४
उदाहरण
१७
उपचार
११,१६८ ५२
अंत्यनय अधर्म(अस्तिकाय) अधर्मास्तिकाय अनवस्थान अनित्य अनुगत बुद्धि अनुपयोगी अनुमान अनुयोगदुआर अनुवृत्ति अनुस्यूत अनेकांत अपरसामान्य अभाव
१७, २०, २७, २८, ३२, ३३, ३४, ६२,७२,९६ १७ १९,२१,५९,६१,९४ २७
१७, २०,६८,९८, ९९
५१,५७
उपनय उपपत्ति उपयोग उपलंभक उपशमभाव उवलंभ(उपलंभ) ऋजुसूत्र
२८
१८०
१०, १३-१४, ४०, १०५, १११, ११७
५५
अभेद
२०, २१,७०, ९८, ९९,१००,१०१, १०२,१०७, १३८, १८० २३, २४,३१,३२, ३५, ५७,५९, ७६,७७ ९० १५९ १७,५७ १११,११२,११५,११६,११७ १२, १९, ४४
एकत्व एकांत एकांतवादी एवंभूत
२१,९८ २६, २७, २९, ३९, ४२,४५,९७, ९८,१०४,१०५, १०७, १०८,१०९, १६५ ३०,८३,११९, १२७ २३, २४,३१,५७,५९,१०५ ३१,३५ २८,४७,१३१,१३५,१४५,१४६, १५०,१५१,१५६,१५७
अरथक्रिया(अर्थक्रिया) अरथनय(अर्थनय) अर्थांतर अवक्तव्य
१४२,१४६, १५१,१५२
अवयव असंख्यात असत्ता
७६
ऐरवतक्षेत्र औदयिक औदारिकवर्गणा औपशमिक कर्म कर्मधारय
१४२
१२,१३-१४,११०,१११,११३, ११४,११५,११६ ४४,४५ १५२
कारण
२६
अस्तिकाय आउखुं(आयु) आगम आधाराधेयभाव आयुकर्म आरतिध्यान(आर्तध्यान)
५१,१२६, १२८ ४७ २२, ३८, ३९,५०,५२,५३,६०, ६१, ६५, ६८,७२,७३,७४,७७, १६० २२, २४, २७, ३९, ४९, ६१,६६, ७२,७३,७४,९७,१०६,१०७
कार्य
१५२
१७९
Page #193
--------------------------------------------------------------------------
________________
१७०
कार्योपचार
केवलज्ञान
केवलज्ञान
केवली
क्रमभावी
क्षायिक
आयोपशमिक
༣ ལྒ་
खंध
गीतार्थ
गुण
गुणपरंप
गुणार्थि
गुणि
चकवय (चक्रवाक)
चरणकरण
जाति
जीव
जुगप्रधान (युगप्रधान )
ज्ञान
तदुत्पत्ति
तादात्म ( तादात्म्य)
तिरोभाव
थापना
थापनानय (स्थापनानय) दर्शन ( सामान्य उपयोग)
दव्व
दुर्नय
देश
देशी
द्रव्य
द्रव्य (निक्षेप)
३८, ३९, ४९
१३
१५१
१७४
९३
१४२,
१४२, १५२
जूओ स्कंध
१८८
२०, २२, २४, ३२, ३३, ५१, ५२,
५३, ६२, ८२, ९३, ९४
२२
९४
२४, ३२, ३३
१८३
८
५४, ७८, ८६, १५८
२१
१८२
२१, ३५, ६८, ८२, १०२, १५०,
१७३
४३
४३
१८, ७२
ओ स्थापना
६९
१५०
जूओ-द्रव्य
१२, १३-१४, १७, ८८
४४, ४७
४७
१७, १८, १९, २०, २१, २२, २४, २७, २८, ३२, ३५, ४३, ४७, ५१, ५७, ६०, ७१, ७२, ७३, ७६, ८२, ९२, ९३, ९४, ११०, १११, ११२, ११३, ११४, १४४, १४५, १४७, १४८, १४९
५८, ६१, ६५, ६७, ७७
द्रव्यनय
द्रव्यार्थिक
द्रव्यावश्यक
धर्म
धर्म (अस्तिकाय) धर्मास्तिकाय
नय
नयाभास
नाम (निक्षेप)
निक्षेप
निगम
निगमन
नित्त
नित्य
नित्यानित्य
नियति
निरभासका निर्भासक) निरवरतक(निर्वर्तक)
निश्चयनय
नैगम
नयामृतम्-२
२३, २४, ३३, ७१
१६, १७, १९, २४, २६, २७, ३२.
६२, ७१, ९४
२६, २७
३४, ४८, ६६, ६८, ७६, १२७
४४, १४४
४६
१, २, ३, ८, १०, ११, १२, १३-१४ १५, १६, १७, २७, २८, २९, ३०,
३१, ३२, ३३, ३४, ३५, ३७, ३९, ४३, ४४, ४७, ४८, ४९, ५०, ६२, ६४, ६८, ६९, ७४, ७५, ७७, ७८, ७९, ८३, ८७, ८८, ९१, ९४, ९५, ९६, ९७, ९८, १००, १०३, १०४, १०५, १०६, १०८, १०९, ११७, ११९, १२०, १२९, १३५, १३६, १३९, १४२, १४९, १५१, १५२, १५३, १५४, १५६, १५७, १५८, १५९, १६२, १६३, १६४, १६५, १७०, १७७, १८०, १८९ १३-१४
५८, ५९, ६३, ६५, ६८, ७५, ७६,
८३, ८४, ८५, ८६, १०३, १०६, १०७, १२९
५८, ५९, ६३, ६४, ६५, ८३, ८४,
८६, ९६, १०३, १५७
४९
१७
जूओ -
२०, २२, ५०, ८८, १६८
२२
१२३
१५
१५
९५
२६, २७, ३८, ४४, ४८, ४९, ५७,
६२, ६३, ७८, १४२, १४५, १५३, १५८, १६०, १६४
Page #194
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट-३
नोअजीव
नोजीब
पंचावयव वाक्य पंचास्तिकाय
पक्ष
पज्जय
पज्जाय
पदसकति(पदशक्ति)
परमाणु
परयाय
परसामान्य
परिच्छेद
परिणाम - परिणामिभाव
परिमंडल ( संस्थान)
पर्याय
पर्यायनय पर्यायार्थिक
पाइली (प्रस्थक)
पारिणामिक
पाली(प्रस्थक)
पुङ्गल
पृथक्त्व
पौगलिक
प्रतिज्ञा
प्रत्यक्ष
प्रदेश
प्रमाण
प्रमेय
प्रवृत्तिनिमित्त प्रसंजना
१४०, १४४, १४८
१४०, १४३, १४७
१७, ९८
४४
१७
जूओ-पर्याय
जूओ पर्याय
५९
५३
जूओ-पर्या
५५
४०
६१
५३
१७, १८, १९, २०, २१, २४, २७,
२८, ३२, ३५, ५७, ६२, ६५, ७१, ७३, ७५, ७६, ७७, ९२, ९३, ९४, १०४, १०५, १०६, १०८, ११०, १११, ११३, ११४, ११५, ११६, ११९, १२०, १२५, १२७, १२८, १५४, १५६
२३, २४, २७, ७३, ७४
१६, २०, २६, २८, २९, ३३,६२,
९४
३७, ३८
१४२
३८, ३९
४४, ५९, ८५, १४४, १४५, १४८
२७
७०
१७
७२
१९, ३७, ४१, ४२, ४४, ४६, ४७,
१४३, १४५, १४९, १६०
१२, ४०, ६८
४०
१२४, १२८ ४५, ४६
प्रसक्ति
प्रस्थक
प्रापक
भजना
भरतक्षेत्र
भाव (निक्षेप)
भावनज्ञान
भावनय
भाषावर्गणा
भेद
भेदाभेद
मतिज्ञान
महासत्ता
महासामान्य
मिच्छामि दुक्क
मिथ्यात्व
मींज
मोक्ष
लक्षण
लक्ष्य
लिंग (हेतु)
वसति
वाचक
वाच्य
वासना
विगति (व्यक्ति)
विदेहक्षेत्र
विनास
विपर्यय
विवहार
विशेष (पदार्थ)
विशेष (पर्याय)
विशेषग्राही
वृत्ति ( मुख्यता)
१७१
४५
३७, ४०
१५
४५
७६
५८, ६१, ६२, ६६, ६७, ७३, ७७,
१०५, १०६, १२९, १५७
९
७३
८५
२२, २३, २४, २७, ३१, ३२, ३३,
३५, ३८, ५२, ५३, ५९, ७६, १०८,
१२०, १२१, १२२, १२३, १६१
३१
७०
९२
५२
१८८
३५
११८
१४२
१२, ४८, ५०, ५१, ५२, ६९
१२, ६९
१७
३७, ४१, ४३
५९, ६६, १०२, १२४, १३२, १३३
५९, ६६, ९१,१०२
३१
६३, ९४
७६
१८, २०
१३२
ओ-व्यवहार
५३, ५४, ५५, ५६, ५७
५०, ५१, ६३, ७९, ८७, ८९, ९०,
९३, १३०
६३, १६०
३४
Page #195
--------------------------------------------------------------------------
________________
१७२
नयामृतम्-२
सत्ता
वृत्ति( वर्तना) वृत्ति(पदशक्ति) व्यंजक व्यंजन(शब्द)
w
सदावश्यक
१२,१३-१४,५१,५५,७९,८९, ९४,१००,११०,१११,११३, ११४, ११५, ११६, १५२, १५६ २८ २५, ३१ जूओ-सप्तभंगी ३१, १०९, ११०, ११७, ११८ ३,३१, १६१,१६७, १८९
व्यवहार
२६, २७, ३८, ४४, ६९, ८७, ८९, ९२, ९३, ९५, ९६, १००, १०१, १६०,१६४
सद्दहणा सप्तभंग सप्तभंगी समकित समकितदृष्टी समभिरूढ
व्यापक व्याप्य व्यावर्तक व्यावृत्ति
५२
२८,४६,११९,१२०,१२१,१२७,
शबद
३७,१४२ १६३,१७६
शब्द(नय)
सम्यक्त्व सम्यग्दृष्टि सहभावी साधक
शब्दनय
साध्य
श्रुत
सामान्य
श्रुतज्ञान श्रेण्यारूढ
५२,५७ जूओ-शब्द २८, ३०, ४०, ४३, ४५, ६८,६९, १०५,१०८,१०९,११७, ११९, १२०,१२१, १५९ १५९ १७, २१,७३, १८७ ६,१२,१७४ १४२ १२७,१२८,१३२ ४९ ७६ २६, २७, ३९, ४४,७८,८३,८६, ९१, ९२, ९३,१००,१६०,१६४ २२
१७,५०,५१,५२, ५४,५५,५६, ५७,७८,७९,८०,८१,८९,९०, ९१, ९२, १००, १०१, १६० ६३,१६०
संकर
सामान्यग्राही सामायक
६२
संकल्प संख्यात संग्रह
सिद्ध
स्कंध स्थापना
२०
संतति संतान संथार संबंध संबंधि संशय सकलादेश
१३९, १४७, १४८,१५०,१५३, १५४,१५६ ४४ ५८,६०,६५, ६७,७६,७७, ८३, ८४,८५ ३६, ११७, १६७, १६९ १६३ १७,५१,५२,५७,६८,७२,७३, ९८,१५१
स्यादवाद स्यादवादी
४१, ४२ ४३,४४,६१ ४३ १३२ ११२
Page #196
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट -४ संदर्भग्रंथसूचि
लेखक
आवृत्ति वर्ष
-10|m
ग्रन्थनाम
संपादक १ | अनुयोगद्वारसूत्रम् भा.१-२ २ अष्टसहस्रीतात्पर्यविवरणम् म. वैराग्यरतिविजयजी । ३ | आगम शब्दकोश
आगमपद्यानामकारादिक्रमः | मु. विनयरक्षितविजयजी
प्रकाशक श्री महावीर जैन विद्यालय, मुंबई. प्रवचन प्रकाशन, पुणे जैन विश्व भारती, लाडनूं शास्त्रसंदेश, नवसारी
युवाचार्य महाप्रज्ञ
१९८० वि.सं.
»
२०६५
|
येवला जैन संघ
१९९४
|w
आत्मबोध संग्रह ६ | आत्मानंद प्रकाश अंक-७
वि.सं.
१९६६
|
युवाचार्य महाप्रज्ञ
२०००
|
| उत्तरज्झयणाई ८ | गुजराती साहित्य कोश खंड-१,
भा.२ | गूर्जर साहित्य संग्रह | चतुर्विंशति जिनस्तवनावली
केशवलाल शास्त्री
जैन विश्व भारती लाडन(राजस्थान) युनिवर्सिटी ग्रंथनिर्माण बोर्ड, अहमदाबाद श्रुतज्ञान प्रसारक सभा, अहमदाबाद
|
प्रद्युम्नसूरिजी
|%
१९७६, १९८१ २००५ वि.सं. १९६३ १९४४
११ | जिनरत्नकोश
प्रा. ह. दा. वेलणकर
भांडारकर प्राच्य विद्या संशोधन मंदिर,
आ. विजयमुनिचन्द्रसूरि । मो. द.देसाई
१२ | जैन गुर्जर कविओ भा.१-७ १३ जैन ग्रंथावली
श्री जैन श्वेतांबर कोंफरंस, मुंबई.
वि.सं.
| आ.ॐकारसूरि ज्ञानमंदिर, सूरत
२००६ १९६८
१४ | जैन साहित्यनो संक्षिप्त इतिहास | आ. विजयमुनिचन्द्रसूरि । मो. द. देसाई १५ जैनधर्म प्रकाश १६ ज्ञानविमल भक्ति प्रकाश
कीर्तिदा दोशी १७ | तत्त्वार्थादिगमसूत्रम्
मु. प्रशमरतिविजयजी
प्रवचन प्रकाशन, पुणे
वि.सं. २०५२
१८ धर्मसंग्रह (गुजराती भाषांतर)
१९६८
मु. भद्रंकरविजयजी | अमृतलाल जेसिंगभाई शाह,
अहमदाबाद मु. पुण्यविजयजी | महावीर जैन विद्यालय, मुंबई
प्रवचन प्रकाशन, पुणे जैन विश्व भारती, लाडनू जैन विश्व भारती, लाडनूं
२
१९ नंदी और अणुओगदाराई २० नयामृतम्
मु. वैराग्यरतिविजयजी २१ | नवसुत्ताणि
युवाचार्य महाप्रज्ञ २२ नियुक्ति पञ्चकम्
आ.महाप्रज्ञ,
डॉ.समणी कुसुमप्रज्ञा २३ | नियुक्ति संग्रहः
मु. जिनेंद्रसूरिजी २४ प्रवचनसारोद्धारः
मु. मुनिचंद्रसूरिजी २५ | प्राकृतपद्यानामकारादिक्रमः | | मु. विनयरक्षितविजयजी
- २०००
हर्षपुष्पामृत जैन ग्रंथमाला, शांतिपुरी | १ | १९८९ प्राच्य जैन प्रकाशन समिति शास्त्रसंदेश, नवसारी
१ । वि.सं.
२०६५
२६ मध्यकालीन गुजराती कति सूचि २७ मध्यकालीन गुजराती शब्दसूचि | जयंत कोठारी विवाहपन्नत्ति
बेचरदास दोशी |विशेषावश्यकभाष्य भा.१.२ ३० शास्त्रसंदेशमाला भा.१-२२ मु. विनयरक्षितविजयजी
महावीर जैन विद्यालय, मुंबई
शास्त्रसंदेशमाला, सुरत
वि.सं. २०६१
Page #197
--------------------------------------------------------------------------
________________
प्राचीन श्रुतसंपदाना समुद्धार अर्थे समुदार सहयोग आपनारा महानुभावोनी नामावली
श्रुतसमुद्धारक श्रीमती चंद्रकलाबेन सुंदरलाल शेठ परिवार (मांगरोळ हाल-पुणे)
श्रुतरत्न श्री भाईश्री (इंटरनेशनल जैन फाउंडेशन - मुंबई) स्व.मंजुलाबेन तथा जयंतीलाल गोसालिया, बहेन हेमांगिनीनी स्मृतिमां
राजेश गोसालिया (मांगरोळ हाल-दुबइ)
श्रुतसंरक्षक श्री हसमुखभाई दीपचंदभाई गार्डी (दुबई)
श्रुतस्तंभ प.सा.श्री हर्षरखाश्रीजी म.नी प्रेरणाथी श्रीमती वसंतप्रभाबेन कांतिल
पू.आ.श्री विश्वकल्याणसू.म.नी प्रेरणाथी श्री पद्ममणि जैन श्वे.मू. ट्रस्ट पू.आ.श्री राजरत्नसू.म.नी प्रेरणाथी श्री जवाहरनगर श्वेतांबर मूर्तिपूजक जैन संघ (गोरेगाव, मुंबई)
श्रुतभक्त श्री शांतिकनक श्रमणोपासक ट्रस्ट (सुरत) श्री हसमुखलाल चुनिलाल मोदी चॅरिटेबल ट्रस्ट (तारदेव, मुंबई)
श्री पार्श्वनाथ श्वेतांबर मूर्तिपूजक जैन संघ (मुंबई)
Page #198
--------------------------------------------------------------------------
________________
श्रुतप्रेमी
श्री गोडीजी टेम्पल ट्रस्ट (पुणे) श्री गोडीजी टेम्पल ट्रस्ट (पायधुनी-मुंबई)
श्री रतनचंदजी ताराचंदजी परमार (पुणे) श्री मोहनलालजी गुलाबचंदजी बांठीया (पुणे) श्री नगराजजी चंदनमलजी गुंदेचा (पुणे) श्री नेमीचंदजी कचरमलजी जैन (पुणे) श्री भरतभाई के. शाह (सुयोग ग्रुप-पुणे) श्री सोहनलालजी टेकचंदजी गुंदेचा (पुणे) श्री सुखीमलजी भीमराजजी छाजेड (पुणे)
श्री जैन आशापुरी ग्रुप (पुणे)
श्री महेन्द्र पुनातर (मुंबई) श्री सुधीरभाई चंदुलाल कापडिया (मुंबई) श्री संजयभाई महेन्द्रजी पुनातर (मुंबई)
प्रो.श्रीमती विमल बाफना (पुणे) प.सा.श्री नंदीयशाश्रीजी म.नी प्रेरणाथी श्री आंबावाडी जैन संघ (अहमदाबाद)
श्री गोवालीया टेंक जैन संघ (मुंबई) श्री मोतीशा लालबाग रिलीजीयस चेरिटेबल ट्रस्ट (भायखला, मुंबई) श्री ऋषभ अपार्टमेंट महिला मंडल, (प्रार्थना समाजमुंबई)
पू.आ.श्री तीर्थभद्रसू.म.नी प्रेरणाथी जे. सी. कोठारी देरासर जैन श्वेतांबर मूर्तिपूजक संघ (मलाड, मुंबई)
श्री अशोक कालिदास कोटेचा (अमदावाद) जैन श्वेतांबर मूर्तिपूजक संघ (दहाणुकरवाडी, कांदीवली, मुंबई) श्री विमलनाथस्वामी जैन श्वेतांबर मूर्तिपूजक जैन संघ (बिबवेवाडी, पुणे) श्री मुनिसुव्रतस्वामी श्वेतांबर मूर्तिपूजक जैन संघ (लेकटाउन सो., पुणे) __श्री श्वेतांबर मूर्तिपूजक जैन संघ (सोलापुर बजार,पुणे) श्री जैन श्वेतांबर मुर्तिपूजक गुजराती पंच (मालेगांव, नाशिक)
Page #199
--------------------------------------------------------------------------
________________
श्रुतोपा श्री अर्थप्राईड जैन संघ (मुंबई)
पू.आ.श्री कलाप्रभसागरसू.म.नी प्रेरणाथी श्री मुलुंड श्वेतांबर मूर्तिपूजक जैन संघ (मुंबई) पू.मु.श्री जिनरत्नवि.म.नी प्रेरणाथी श्री आदिनाथ सोसायटी जैन संघ (पुणे) पू.सा.श्री सूर्यमालाश्रीजी म.नी प्रेरणाथी श्री सम्यक् साधना रत्नत्रय आराधक ट्रस्ट (अमदावाद) पू. उपा. श्री जितेंद्रमुनिजी म. नी प्रेरणाथी श्रीमती सीमा जैन (होशियारपुर, पंजाब) श्री वर्धमानस्वामी जैन चेरिटेबल ट्रस्ट (सदाशिव पेठ, पुणे)
पू.आ.श्री तीर्थभद्रसू.म.नी प्रेरणाथी मातुश्री कमळाबेन गिरधरलाल वोरा परिवार (खाखरेची-मुंबई) आयोजित उपधान तप समिति
पू.आ.श्री तीर्थभद्रसू.म.नी प्रेरणाथी मातुश्री मानुबेन माडण गुणसी गडा परिवार (थोरीयारी- मुंबई) आयोजित उपधान तप समिति
श्रुतानुरागी
श्री मुनिसुव्रतस्वामी श्वेतांबर मूर्तिपूजक जैन संघ ( फातिमानगर, पुणे) श्री जैन आत्मानंद सभा (फरिदाबाद-पंजाब)
पू.मु.श्री जिनरत्नवि.म.नी प्रेरणाथी श्रीजिनरत्न आनंद ट्रस्ट गोत्रीरोड श्वेतांबर मूर्तिपूजक जैन संघ (वडोदरा ) श्री श्वेतांबर मूर्तिपूजक जैन संघ (गोरेगाव, मुंबई)
Page #200
--------------------------------------------------------------------------
________________
1 સુર્ય જે મારૂH I.
সুর Hqত
પરિચય
દ્રો
એ
૧) કરુણાનિધાન પ્રભુ શ્રી મહાવીરદેવે વિશ્વના હિત માટે જે ઉપદેશ આપ્યો તે ઉપદેશ તેમના શિષ્યોએ સાંભળ્યો
અને યાદ રાખ્યો તે જ “શ્રુત” છે. “શ્રત’નો અર્થ છે – “સાંભળેલું.” શ્રી મહાવીરદેવના નિર્વાણ પછી કાળના પ્રભાવથી, વિધર્મીઓનાં આક્રમણોથી, અને શક્તિના ક્ષયને કારણે પ્રભુના શબ્દોને યાદ રાખવાનું અઘરું થતું ગયું. શ્રુત ભૂલાવા માંડ્યું. શ્રત લુપ્ત થવાની શક્યતાઓ પારખીને આજથી ૧૫૦૦ વર્ષ પહેલાં વાચક વંશના આચાર્ય શ્રી દેવર્ધિગણી
ક્ષમાશ્રમણે ‘શ્રુત'ને લિપિબદ્ધ કરવાનો પ્રારંભ કર્યો. ૪) શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણે માત્ર ઉપલબ્ધ શ્રત લખવા તે વખતનાં આગમોના પાઠમાં પ્રવેશેલી અશુદ્ધિઓને
પણ ઠીક કરી, વિસ્મૃત પાઠોનું પુનરનુસંધાન કર્યું અને આગામોના પ્રમાણિત પાઠોને સ્થાપિત કરી અને પાઠાંતરોને સ્થાન આપ્યું. આ કાર્ય શ્રુતને લખવા કરતાં પણ વધુ મહત્ત્વનું હતું. શાસ્ત્ર લેખનની શરૂઆત થઈ તેના બે ફાયદા થયા – ૧. જૈન સંઘની જ્ઞાનસંપદા અત્યંત સમૃદ્ધ થઈ ગઈ. ૨. તે પછીના કાળમાં નવાં નવાં શાસ્ત્રોનું સર્જન શરૂ થયું. એક હજાર વર્ષના કાલખંડમાં લાખોની સંખ્યામાં શ્રતનું લેખન થયું. આ સમયગાળાને આપણે ‘લેખન યુગ” તરીકે ઓળખી શકીએ છીએ. લેખનયુગમાં બે સમસ્યાઓ ઉત્પન્ન થઈ. ૧. લખાએલાં શાસ્ત્રોમાં મનુષ્યસ્વભાવને કારણે મૂળ પાઠમાં અનેક અશુદ્ધિઓનો પ્રવેશ થયો. ૨. તેને લીધે અર્થનો નિર્ણય કરવામાં મુશ્કેલીઓ ઊભી થવા લાગી.
ઉદા. તરીકે ‘પ્રશમરતી’ નામના શાસ્ત્રની ટીકામાં એક જગ્યાએ પાઠ છે, ‘સ્ત્રિાર્ધ પિતૃન્દ્ર' આ પાઠનો અર્થ છે, ‘સ્નિગ્ધ આહાર પિતાને મારી નાખે છે આ પાઠ અર્થની દૃષ્ટિથી અયોગ્ય છે. મુદ્રિત પ્રતમાં અને નવી લખાએલી હસ્તપ્રતમાં પણ આ અશુદ્ધ પાઠ જ જોવા મળે છે. સાત સો વર્ષ પુરાણી તાડપત્ર પર લખાએલી પ્રતમાં શુદ્ધ પાઠ મળે છે, ‘સ્ત્રિાર્ધ પિત્તનમ્' જેનો અર્થ છે ‘સ્નિગ્ધ આહાર પિત્તનો નાશ કરે છે આ અર્થની દૃષ્ટિથી શુદ્ધ પાઠ છે.
એકાદો શબ્દ ઓછો થવાથી પણ અર્થનો અનર્થ થઈ જાય છે. જેમ નવકાર મંત્રમાં “નમો નો સવ્વસાહૂUT' પદ છે. એનો અર્થ છે ‘લોકમાં સર્વ સાધુઓને નમસ્કાર.' પણ આમાં ‘સન્ન' માંથી અડધો ‘' કાઢી નાખવાથી એનો અર્થ થશે, ‘સાધુના શબને (મૃતદેહ) નમસ્કાર.' વિધર્મીઓના આક્રમણને કારણે ઘણાં બધાં લિખિત શાસ્ત્રો નષ્ટ થયાં. બાકી બચેલાં શાસ્ત્રોની સુરક્ષાવ્યવસ્થા
અસ્તવ્યસ્ત થઈ ગઈ. તેથી શાસ્ત્રોની ઉપલબ્ધતાની માહિતી મળવી પણ મુશ્કેલ થઈ ગઈ. ૯) આજથી બસો વર્ષ પૂર્વે મુદ્રણયુગ'નો પ્રારંભ થયો. મશીન દ્વારા મોટી સંખ્યામાં શાસ્ત્રો પ્રકાશિત થવા
લાગ્યાં. શાસ્ત્રોની પ્રાપ્તિ સરળ અને સહજ થઈ ગઈ.
૮)
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૧).
૧૦) પરંતુ અશુદ્ધિની સમસ્યાનો ઉકેલ આવવાને બદલે કેટલેક અંશે તે વધી ગઈ. મુદ્રણ વખતે નવી અશુદ્ધિઓનો પ્રવેશ
થયો. શાસ્ત્રોના અર્થઘટનમાં મુશ્કેલી પડવા લાગી. તજ્જ્ઞ વિદ્વાનોને આ અશુદ્ધિઓ ધ્યાનમાં આવવા લાગી અને તેમણે વ્યક્તિગત સ્તરે દરેક શાસ્ત્રોની મૂળ પ્રાચીન પ્રમાણિત હસ્તપ્રતો જોઈ તેને સુધારવાનો પ્રયાસ કર્યો. સમીક્ષિત સંપાદન પદ્ધતિનો સ્વીકાર અને કાર્યાન્વયન (Implementation)
થયું. અત્યાર સુધી બધું મળીને ૫ થી ૧૦ટકા શાસ્ત્રોનું શુદ્ધ સંપાદન થયું છે. ૧૨) વર્તમાન શ્રમણપ્રધાન સંઘનું કર્તવ્ય, ૧. પ્રાચીન શાસ્ત્રોની સુરક્ષાવ્યવસ્થા, ૨. શાસ્ત્રની શુદ્ધ વાચનાનું નિર્ધારણ ૧૩) હસ્તપ્રતોનું રક્ષણ નહીં થાય તો શાસ્ત્રોનો નાશ થઈ જશે. અશુદ્ધ પાઠની પરંપરા જો આમની આમ ચાલશે તો શાસ્ત્ર
વિકૃત થઈ જશે અને અર્થનો અનર્થ થઈ જશે. ૧૪) શ્રતભવનનું દર્શન (Vision) - ‘સમગ્ર જૈન શાસ્ત્રોની શુદ્ધ વાચના તૈયાર કરવી.' ૧૫) આ દર્શનને સાકાર કરવા માટે (Mission)
૧. સમગ્ર જૈન હસ્તપ્રતોનું દસ્તાવેજીકરણ (Documentation) ૨. સમીક્ષિત સંપાદન પદ્ધતિ, ભાષા, તત્ત્વજ્ઞાન, હસ્તપ્રત વિજ્ઞાનની અકાદમીનું નિર્માણ
(દસ વર્ષમાં ૫૦ સમીક્ષક સંપાદક વિદ્વાનો તૈયાર કરવા.)
૩. વર્તમાનમાં અને ભવિષ્યમાં જૈન શાસ્ત્રોની પ્રાસંગિકતા અને ઉપયોગિતાનું પ્રસ્થાપન ૧૬) પ્રકલ્પ (Projects)
૧) શાસ્ત્ર સંશોધન પ્રકલ્પ - આપણાં અનેક પ્રાચીન શાસ્ત્રો હજી પ્રકાશિત નથી થયાં. અનેક છપાએલાં શાસ્ત્રોનું
શુદ્ધિકરણ આવશ્યક છે. “શ્રુતભવનમાં આ શાસ્ત્રોની સુધારેલી આવૃત્તિ તૈયાર થઈ રહી છે. આ પ્રકલ્પથી આપણાં
શાસ્ત્રો શુદ્ધ સ્વરૂપમાં ઉપલબ્ધ થશે. ૨) વર્ધમાન જિનરત્ન - જિન શાસનના ઇતિહાસમાં આજ સુધી લખાએલાં બધાં જ શાસ્ત્રોની વિશાળ યાદી તૈયાર કરવી.
વર્તમાન જિનરત્નકોશમાં ૧૦ લાખ કરતાં પણ વધારે હસ્તપ્રતોની માહિતી પ્રાપ્ત થશે. ૩) અભ્યાસવર્ગ પ્રકલ્પ - શાસ્ત્રોનું સંશોધન એ સહેલું કાર્ય નથી. વિશાળ શાસ્ત્રોના સંશોધન માટે ‘કુશળ માનવ સંસાધન' (Skilled Human Resource) આવશ્યક છે. શ્રુતભવને આ બીડું ઝડપ્યું છે. અહીં સંસ્કૃત – પ્રાકૃત લઈ M.A. થએલા વિદ્યાર્થીઓ સંસ્કૃત, પ્રાકૃત અને જૈન તત્ત્વજ્ઞાન તથા લિપિવિદ્યા, સંશોધનવિદ્યાનું શિક્ષણ લઈ રહ્યા
શ્રુતભવનના આ કાર્યમાં અનેક ગચ્છ અને સંપ્રદાયના અનેક આચાર્ય ભગવંતોનું માર્ગદર્શન મળી રહ્યું છે. શ્રુતસમર્પિત અનેક સંસ્થાઓનો સહકાર પણ મળી રહ્યો છે. ૧૭) ઉપલબ્ધિ - લગભગ ૧૦,૦૦૦ પત્ર (૧૦૦ શાસ્ત્રો)નું સંપાદન પૂર્ણ થયું છે. - લગભગ ત્રણ લાખ પ્રતોનું
દસ્તાવેજીકરણ.- ૧૨ પંડિત તાલીમ હેઠળ છે. - ૮ વિદ્યાર્થી કેટલોગ (કોષ)ની આધુનિક પદ્ધતિથી તાલીમ હેઠળ છે. ૧૮) આગામી લક્ષ્ય ૧) જૈન વાયનો વિશ્વકોશ - સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં રચાયેલ સમગ્ર જૈન કૃતિ અને કૃતિકારોનો
પરિચયાત્મક કોશ ૨) લોકપ્રકાશ - (કર્તા-ઉપા.શ્રી વિનયવિજયજી મ.સા. રચિત) જૈન વિશ્વકોશ સમાન ગ્રંથનું વિશિષ્ટ સંપાદન. ૩) સમગ્ર જૈન હસ્તપ્રતોનું ડીજીટાઈડ કોપીના આધારે સૂચિપત્ર
શ્રુતભવનમાં કલાપૂર્ણ જિનમંદિર, શ્રુતદેવતા સરસ્વતીની અત્યંત સુંદર પ્રતિમા, પ્રાચીન પટ, શંખ પર લખાએલું બારસા સૂત્ર વગેરે દર્શનીય છે. શ્રુતભવન એ “શુભાભિલાષા (રીલીજીયસ) ટ્રસ્ટ”ના નામથી પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધણી થયેલી ધાર્મિક સંસ્થા છે.
Page #202
--------------------------------------------------------------------------
________________ ॥सुयं मे आउसं॥ श्रुतभवन संशोधन केन्द्र