________________
૧૧૨
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
ददस्व व्यञ्जनान्यस्यै, रोचन्ते तानि सर्वदा । तत्सर्वं स करोत्येव, मन्वानोऽनुग्रहं जडः । । ६ ।
શ્લોકાર્થ :
વ્યંજનો તે સર્વે આને=સ્વામિનીને, રુચે છે. તે સર્વ અનુગ્રહને માનતો તે જડ કરે જ છે. III
શ્લોક ઃ
सततं लालनाऽसक्तो, भार्यायाः प्रतिवासरम् । क्लेशराशिनिमग्नोऽपि, मोहादेवं च मन्यते ॥ ७ ॥
શ્લોકાર્થ :
સતત ભાર્યાના લાલનમાં આસક્ત=જીભરૂપી પત્નીમાં આસક્ત, એવો જડ પ્રતિદિવસ ક્લેશ રાશિમાં નિમગ્ન પણ=પત્નીની સેવા કરવામાં અનેક પ્રકારના લાલસારૂપ ક્લેશને અનુભવતો પણ, મોહથી આ પ્રમાણે માને છે. IISII
શ્લોક ઃ
વૃત
धन्योऽहं कृतकृत्योऽहमहो मे सुखसागरः ।
यदृशी शुभा भार्या, संपन्ना पुण्यकर्मणः ।।८।।
શ્લોકાર્થ :
–
તે આ પ્રમાણે – હું ધન્ય છું, હું કૃતકૃત્ય છું. મને સુખસાગર છે. જેને આવી શુભ ભાર્યા પુણ્યકર્મથી પ્રાપ્ત થઈ છે. IIII
શ્લોક ઃ
नास्ति नूनं मया सदृक्, सुखितो भुवनत्रये ।
यतोऽस्या लालनां मुक्त्वा, किं नाम भुवने सुखम् ? ।। ९ ।।
શ્લોકાર્થ :
ખરેખર મારા જેવો સુખી ભુવનત્રયમાં કોઈ નથી. જે કારણથી આની લાલનાને છોડીને-રસનાની લાલનાને છોડીને, ભુવનમાં શું સુખ છે ? IIII
શ્લોક ઃ
यतोऽलीकसुखस्वादपरिमोहितचेतनः । तदर्थं नास्ति तत्कर्म, यदसौ नानुचेष्टते । । १० ।