________________
૧૭૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ બ્લોક :
ये तु शेषा महीपालास्तत्सेवामात्रवृत्तयः ।
एते निविष्टास्ते पश्य, सर्वे मुत्कलमण्डपे ।।४०।। શ્લોકાર્થ :
તું જો=પ્રકર્ષ તું જો, જે વળી, તેની સેવા માત્રની વૃત્તિવાળા=મહામોહની સેવા માત્રની વૃત્તિવાળા, શેષ મહીપાલો છે તે આ સર્વ-શેષ મહીપાલો, મુત્કલ મંડપમાં=વેદિકા સિવાયના મુત્કલ મંડપમાં, બેસાડાયા છે. lldoll શ્લોક :
एषा हि वेदिका भद्र! प्रकृत्यैवास्य वल्लभा ।
महामोहनरेन्द्रस्य, स्वजनस्य विशेषतः ।।४१।। શ્લોકાર્ચ -
હે ભદ્ર પ્રકર્ષ! આ વેદિકા પ્રકૃતિથી જ આ મહામોહનરેન્દ્રને વલ્લભ છે. વિશેષથી સ્વજનને મહામોહના સ્વજનને, વલ્લભ છે. ll૪૧II શ્લોક :
अस्यां समुपविष्टोऽयमत एव मुहुर्मुहुः ।
सगर्वं वीक्षते लोकं, सिद्धार्थोऽहं किलाधुना ।।४२।। શ્લોકાર્થ :
આમાંeતૃષ્ણા વેદિકામાં, બેઠેલો આ છે=મહામોહ છે, આથી જ=વેદિકા ઉપર બેઠેલો છે આથી જ, ગર્વ સહિત વારંવાર લોકને જુએ છે, ખરેખર હવે હું સિદ્ધ અર્થવાળો છું એ પ્રકારે ગર્વ સહિત લોકને જુએ છે એમ અન્વય છે. II૪રા. શ્લોક :
एतच्च प्रीणयत्येषा, स्वभावेनैव वेदिका । स्वस्योपरिष्टादासीनं, महामोहकुटुम्बकम् ।।४३।।
શ્લોકાર્ધ :
અને સ્વભાવથી જ આ વેદિકા પોતાના ઉપર બેસેલા આ મહામોહના કુટુંબને પ્રીતિ ઉત્પન્ન કરે છે. Il૪all.