________________
૨૫૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ સ્વદર્શનમાં જે વિપર્યાસ વર્તે છે અને સંસારી જીવોમાં જે વિપર્યાસ વર્તે છે તે સર્વ મિથ્યાદર્શનનો જ પ્રભાવ છે, જેનાથી જીવમાં વર્તતો મહામોહ પુષ્ટ થાય છે, કર્મનો સંચય થાય છે અને મોહનું સંસારરૂપી સામ્રાજ્ય એકછત્ર પ્રવર્તે છે, તેથી સર્વ પ્રકારના અનર્થોનું બીજ મિથ્યાદર્શન જ છે.
चित्तविक्षेपतृष्णाविपर्यासमहिमा
શ્લોક :
તતશર્વमण्डपं चित्तविक्षेपं, तृष्णानाम्नी च वेदिकाम् । गाढं समारयत्येष, विपर्यासं च विष्टरम् ।।२२७ ।।
ચિત્તવિક્ષેપ, તૃષ્ણા અને વિપર્યાસનો મહિમા
શ્લોકાર્ય :
અને ત્યારપછી, ચિત્તવિક્ષેપ નામનો મંડપ અને તૃષ્ણા નામની વેદિકાને અને વિપર્યાસ નામના વિક્ટરને આ=મિથ્યાદર્શન ગોઠવે છે. ર૨૭નાં
જીવમાં રહેલું મિથ્યાદર્શન જીવમાં ચિત્તના વિક્ષેપો પેદા કરે છે, જીવમાં ગાઢ તૃષ્ણા પેદા કરે છે અને પોતાનામાં વર્તતા વિપર્યાસને દઢ કરે છે. શ્લોક :
समारितानि चानेन, यदेतानि बहिर्जने ।
कुर्वन्ति तदहं वच्मि, समाकर्णय साम्प्रतम् ।।२२८ ।। શ્લોકાર્ય :
અને આના દ્વારા=મિથ્યાદર્શન દ્વારા, રચના કરાયેલા આ ચિત્તવિક્ષેપ આદિ, બહિર્જનમાં જે કરે છે તેને હું વિમર્શ, કહું છું, હવે સાંભળ=પ્રકર્ષ તું સંભાળ. ૨૨૮ શ્લોક :
यदुन्मत्तग्रहग्रस्तसत्रिभो भद्र! सर्वदा ।
जनो दोलायतेऽत्यर्थं, धर्मबुद्ध्या वराककः ।।२२९।। શ્લોકાર્ચ -
હે ભદ્ર પ્રકર્ષ ! ઉન્મત્ત ગ્રહગ્રસ્ત જેવો સર્વદા ધર્મબુદ્ધિથી વરાક એવો લોક જે અત્યંત ડોલાયમાન થાય છે. ર૨૯ll