Book Title: Tod Rajasthan Vol 01
Author(s): Savailal Chotalal Vohra
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 788
________________ મારવાડ બુંદી. ૬૯૩ જાહેર કર્યું. અંબર રાજકુમારીનું દુરાચરણ રાવ બુધસિંહ જાણી ગયે. તે હકીકત રાણીના ભાઈ જયસિંહને તેણે કહેવરાવી. અંબર રાજકુમારી તે સમયે અબરમાં હતી. જયસિંહે કહ્યું “બેન ! આ તમારૂં હું શું સાંભળું છું એ વાત સાંભળી રાજકુમારી કેવથી બોલી ઉઠી! છરી લઈ, “ દરજીના દીકરા ” એમ કહી તે પોતાના ભાઈને મારવા ચાલી. અંબર રાજ પલાયન કરી તે રૂદ્રચંડાના હાથથી બચી ગયે. આવી અવમાનતાથી કુદ્ધ થઈ જયસિંહે બુંદીરજ બુધસિંહને સિંહાસન યુત કરવા વિચાર કર્યો બુંદીના પ્રધાન ઠાકુર ઇંદ્રગઢપત્તિ દેવસિંહને બુંદી રાજય ઉપર બેસારવા તેણે મુકરર કર્યું. તેમ કરવા દેવસિંહ સંમત નહોતે. ત્યારપછી જયસિહ કરવાર રાજ પાસે જઈ બે “તમારે બુંદી રાજની ગાદીએ બેસવું પડશે” કરવાર રાજનું નામ સેલિમસિંહ હતું. બુંદી રાજ્યના રાજા થવાનું છે એમ જાણું સેલિમસિંહને નિંદ્રા નહોતી. રાજા જયસિંહ ચતુર અને રાજનીતિજ્ઞ હતા. તે માલવ, આગ્રા અને અજમેરના શાસન કર્તૃત્વ પદે નીમાયા હતા. બુંદી રાજસાથે વિવાદ કરવા માટે તેનું એક ગુઢ કારણ હતું. તેના મનમાં એક પ્રચંડ રાજનૈતિક આંદોલન હતું. મોગલ સામ્રાજ્યની ચાકમસ્યતા અને અંતવિવાદ જોઈ તેણે મનમાં વિચાર્યું હતું જે સામાન્ય સામાન્ય રાજા ઉપર પોતાની પ્રભુતા ચલાવવી. એ માટે તે મોગલ સામ્રાજ્યની વિરુંખલતાને હૃદયથી અભ્યર્થના કરતો હતો. જે દિવસ બનશીબ ફીરકશીયર સૈયદ ભાઈઓના હાથથી મરણ પામે. તે દિવસે અંબરરાજની ચિર લાલિત આશાવતા ફળવાળી થવાને ઉપકમ થયે. સમ્રાટના મૃત્યુને મૈખિક ખરખરે કરી દેવ બુધસિંહ સાથે પિતાના નગરમાં આવે. વિશ્વસ્ત અને સુખસુખ અતિથિને ઘેર લાવી તેના સર્વ નાશ માટે જયસિંહ છાની રીતે ચેક કરવા લાગે. રાવ બુધસિંહ, જયસિંહને બનેવી. વળી આજ તેનો તે અતિથિ, જયસિંહના મનમાં એ દઢ અનિલાષ હતું જે બુંદી રાજાને કઈ રીતે અંબરમાં રાખી બુંદી રાજ્ય હસ્તગત કરવું. એ અભિલાષ સાધવા જયસિંહે બુંદી રાજને કહ્યું જે અંબરને બુંદીથી ભિન્ન માનશો નહિ. આ અંબર તમારૂ જ. તમે થોડા રોજ અહિં રહો આવશ્યકીય ખર્ચ માટે તમે રોજીંદા પાંચ રૂપિયા પામશો, એ વચન સાંભળી બુધસિંહના કાકાના મનમાં વિષમ સંદેડ પેદા થયે, તેણે ભત્રીજાને છાનાઈથી કહ્યું જે “ જયસિંહને દુરભિસંધિ શું તમે જાણી શકતા નથી ” તમને અહીં રાખી એ આશામી બુંદી હસ્તગત કરવા ચેષ્ટા કરે છે” તેણે તે સમયે બુંદીમાં પત્ર લખ્યું અને પુરાણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914