Book Title: Tod Rajasthan Vol 01
Author(s): Savailal Chotalal Vohra
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 860
________________ મારવાડ-અંબર. ૭૬૫ ઉદ્ધત થઈ ગયું. તેના તાબામાં બાવીશ હઝાર રજપુત સવારે અને બાવીશ સામંત રાજા હતા. તે સઘળા જયસિંહની આજ્ઞા માથે લઈ, યુદ્ધક્ષેત્રમાં ઉતરતા હતા. ઐશકણું પછી વાહારમલ નામને રજા અંબરની ગાદીએ બેઠે, કુશાવહ રજાઓમાં સહુથી પહેલાં તેણે મુસલમાનની વક્યતા સ્વીકારી. બાબરની ષોડષેપ ચારે પૂજા કરી વહારમલે તેના પુત્ર હુમાયુનના તાબામાં પાંચ હઝાર સિનિકના અધિપત્ય હો મેળવ્યું. વહારમલ પછી તેને પુત્ર ભગવાનદાસ અંબરના સિંહાસને અભિષિક્ત થયે. પિતા કરતાં પુત્ર મેગલને વિશેષ અનુગત નીવડે. ભગવાનદાસ મોગલ કુળ કેસરી અકબરને પરમબંધું હતું. અકબરને એ અલોકિક ગુણ હતું કે જેથી તે સઘળી રજપુત સમિતિને કટાયત કરી દેવા સમર્થ થયે. વીરશ્રેષ્ઠ પ્રતાપસિંહ વિના સઘળા રજપુતે એકવાર અકબરના. અધીન હતા. રાજા ભગવાનદાસેજ રહુથી પહેલાં યવનને પુત્રી આપી, રજપુત કુલને કલંકિત કર્યું. ઈ. સ. ૫૮૬ માં તેણે પોતાની પુત્રીને રાજકુમાર સલીમને પરણાવી એ અયોગ્ય અને અપવિત્ર પરિણય સંબંધનું ફળ બેનશીબ ખશરૂ પેદા થયે. ભગવાનદાસ પછી તેને ભત્રીજે માનસિંહ અંબરના સિંહાસને બેઠે. માનસિંહ અકબરની સભાનું ઉજજવળ રત્ન. માનસિંહ અકબરના સૌભાગ્ય અને ઉન્નતિનું પ્રધાન કારણ. માનસિંહના પ્રચંડ બાહુબળે અકબર ભારતવર્ષને અદ્ધભાગ જીતી શક્યા હતા. માનસિહ, અકબરના મૃત્યુનું મુખ્ય કારણ અકબરે, તેને પિતાના પ્રતિનિધિના પદે નીમીસારા કામ સાધ્યાં. માનસિંહે દેશનું અને સ્વ જાતિનું અનિષ્ટ કર્યું. તેનાથી તે સાગર સુધીને ભૂભાગ માનસિંહના બાહુબળથી છતા. તેણે ઉડીખ્યાને જય કર્યો. બંગાળા, વિહાર, દાક્ષિણાય અને કાબુલ તેના કબજામાં સેંધાણો. રજપુતોની સાથે વૈવાહિક સૂત્રે બંધાઈ અકબરે વિચાર્યું. હવે ભારતવર્ષનું સામ્રાજ્ય નિરાપદ રહેશે તે વાત તેની સાચી નવી. નહિ. રાજા માનસિંહે તેની આંખમાં આગળી ઘાલી, તેને ભ્રમ દેખાડશે. એવું વૈજાત્ય પરિણય બંધન ગૃહ વિપ્લવનુહતું મુખ્ય કારણ, વનીતાના ગર્ભે પેદા થએલ રાજકમાર સાથે રજપુતાણીના પેટે પેદા થયેલ રાજકુમારને મનમેળ રહેતે નહિ ટુંકામાં તે પરસ્પરના શત્રુ હતા. ઘણું કરી જેઓ રજપુત શોણિતથી પેદા થયેલા હતા તેઓ માતૃકુળ ઉપર વિશેષ અનુરાગ દેખાડી મામાની અને માના બાપની પ્રભુતા વધારતા હતા. એવી રીતની અવસ્થામાં રજપુતેએ ભારતવર્ષને આફતમાં પાડયું અને રાજ્યના વિરૂદ્ધ ખટપટ કરવા લાગ્યા. માનસિહના કાકાની પુત્રી સાથે સેલીમનો વિવાહ થયે. એ સંબંધથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914