Book Title: Tod Rajasthan Vol 01
Author(s): Savailal Chotalal Vohra
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 898
________________ ૮૦૩ རཀ བ ་ཆ་རང་ ཆམ་ મેટા રાજકુમાર કેશુભનું નિવાસન. નવાબ માબૂબખાને એક નાનો ભાઈ હતો. રતનસિંહે તેને યશલમીરમાં આયે, તે યવને ભટ્ટીકુળની ખરી અવસ્થા જાણી લઈ કલ્લાને ત્યાગ કર્યો. અને યવન સેનાપતિને યશલમીરની હાલતને વૃત્તાંત કહી સંભાળ, ત્યારે ચવનએ ફરીથી કીલ્લાને ઘેરે ઘા, મૂલરાજે પિતાના ભાઈ રતનસિંહને પુષ્કળ ધિક્કારી કહ્યું “ તુંજ આ અનર્થનું મળ છે, હવે શું કરવું હવે માત્ર એક જ ઉપાય છે, હવે મહિલાને સંહાર કરે, ત્યારપછી જે સામગ્રી હોય તેને અગ્નિમાં કે જળમાં નાંખી નષ્ટ કરી દેવી, એ સઘળું કર્યા પછી માતૃભૂમિના માટે આપણે પ્રાણ આપવા.” રણનું નગારું વાગ્યું, સરદારે ચારે તરફથી આવી એકઠા થયા સઘળાની દઢ પ્રતિજ્ઞા સાથે થશલમીરને યશરાશિ ઉજજવલિત કરે, યદુકુળનું પરવા વધારી દેવું, મૂળરાજે સઘળાને બોલાવી કહ્યું બંધુઓ ! આપણે વીરકુળમાં પેદા થયા છીએ, માતૃભૂમિના રક્ષણ માટે પ્રાણ આપવા તમારામાંથી કોઈ પરાગ મુખ નથી કે ક્ષત્રિયકુળમાં તમારા જેવા કેણ વીરલા છે ! એ રતનાં વીરરસ પૂર્ણ વચને સાંભળી સૈન્ય અને સામંતનાં હૃદય ઉશ્કેરાયાં મૂળરાજ પિતાના ભાઈ રતનસિંહુ સાથે જનાનખાનામાં ગમે તે રાણી ઓને મળે અને તેણે તેને ગંભીર સ્વરે કહ્યું “ વિરાંગના ! પ્રિય સંભાષણ કરવાનો સમય વીતી ગયે હવે તમારે એક કર કર્તવ્ય કરવાને સમય આવ્યે, યશવમીરની રક્ષા થઈ શકે તેમ નથી. હવે રક્ષણ કરવાને સમય રહયે નથી, જલદી વગપુરે મળવા હવે સૌભાગ્યવતી રહેવા તજવીજ કરે,” એ વાત સાંભળી સેદ્રા મહિષી હસીને બોલી “ આજ રાત્રીએ અમો તૈયાર થાશું પરોઢીયુ થાશે નહિ, તેટલામાં સ્વર્ગધામે જાશું, યશવમીરના સઘળા સરદારની સ્ત્રીઓ પણ એવી રીતનું જહરવૃત ઉદ્યાપન કરવા તૈયાર થઈ, પરેઢીયું થયું તરૂણ અરૂણના કિરણની છટા ચારે તરફ પ્રસરી. રાણીએ સ્નાનાદિક નિત્ય કર્મ વિગેરે કર્યું, બાલિકા વૃદ્ધા પ્રઢા તરૂણી સ્ત્રીઓ, જનાનખાનામાં એકઠી થઈ, તેઓએ સ્વજન પાસેથી કાયમના માટે વિદાયગીરી લીધી. પછી ભયાનક જહરવ્રતનું અનુષ્ઠાન થયું. ચોવીશ હઝાર રજપુત રમણીએ પ્રાણના ઉત્સગ કર્યો, તે યશલમીરના કીલ્લામાં જે કઈ મૂલ્યવાન હતું, તેને જળમાં અને અગ્નિમાં પ્રક્ષેપ કર્યો, શત્રુના માટે તૃણ માત્ર પણ રાખ્યું નહિ, યશલની પ્રિયતમ રાજધાની આજ મસાણ જેવી થઈ, ભટ્ટી વીરેએ પૂજા અર્ચના કરી, પિતાના શરીરનાં ધન રન દરિદ્રોને આપ્યાં, કાનમાં તુળસી કંઠમાં શાલગ્રામ અને માથે મુગટ ધારણ કર્યો, અને કેસરીયાં વસ્ત્ર પહેરી અસ્ત્રશસ્ત્રથી સજજત થઈ રણ સ્થળમાં ઉતરવા તેઓ તૈયાર થયા એવી રીતે આડ ત્રીશો દ્વા પિતાના વીરસરદારે સાથે યુદધક્ષેત્રમાં જીવ આપવા તૈયાર થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914