SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ બુંદી. ૬૯૩ જાહેર કર્યું. અંબર રાજકુમારીનું દુરાચરણ રાવ બુધસિંહ જાણી ગયે. તે હકીકત રાણીના ભાઈ જયસિંહને તેણે કહેવરાવી. અંબર રાજકુમારી તે સમયે અબરમાં હતી. જયસિંહે કહ્યું “બેન ! આ તમારૂં હું શું સાંભળું છું એ વાત સાંભળી રાજકુમારી કેવથી બોલી ઉઠી! છરી લઈ, “ દરજીના દીકરા ” એમ કહી તે પોતાના ભાઈને મારવા ચાલી. અંબર રાજ પલાયન કરી તે રૂદ્રચંડાના હાથથી બચી ગયે. આવી અવમાનતાથી કુદ્ધ થઈ જયસિંહે બુંદીરજ બુધસિંહને સિંહાસન યુત કરવા વિચાર કર્યો બુંદીના પ્રધાન ઠાકુર ઇંદ્રગઢપત્તિ દેવસિંહને બુંદી રાજય ઉપર બેસારવા તેણે મુકરર કર્યું. તેમ કરવા દેવસિંહ સંમત નહોતે. ત્યારપછી જયસિહ કરવાર રાજ પાસે જઈ બે “તમારે બુંદી રાજની ગાદીએ બેસવું પડશે” કરવાર રાજનું નામ સેલિમસિંહ હતું. બુંદી રાજ્યના રાજા થવાનું છે એમ જાણું સેલિમસિંહને નિંદ્રા નહોતી. રાજા જયસિંહ ચતુર અને રાજનીતિજ્ઞ હતા. તે માલવ, આગ્રા અને અજમેરના શાસન કર્તૃત્વ પદે નીમાયા હતા. બુંદી રાજસાથે વિવાદ કરવા માટે તેનું એક ગુઢ કારણ હતું. તેના મનમાં એક પ્રચંડ રાજનૈતિક આંદોલન હતું. મોગલ સામ્રાજ્યની ચાકમસ્યતા અને અંતવિવાદ જોઈ તેણે મનમાં વિચાર્યું હતું જે સામાન્ય સામાન્ય રાજા ઉપર પોતાની પ્રભુતા ચલાવવી. એ માટે તે મોગલ સામ્રાજ્યની વિરુંખલતાને હૃદયથી અભ્યર્થના કરતો હતો. જે દિવસ બનશીબ ફીરકશીયર સૈયદ ભાઈઓના હાથથી મરણ પામે. તે દિવસે અંબરરાજની ચિર લાલિત આશાવતા ફળવાળી થવાને ઉપકમ થયે. સમ્રાટના મૃત્યુને મૈખિક ખરખરે કરી દેવ બુધસિંહ સાથે પિતાના નગરમાં આવે. વિશ્વસ્ત અને સુખસુખ અતિથિને ઘેર લાવી તેના સર્વ નાશ માટે જયસિંહ છાની રીતે ચેક કરવા લાગે. રાવ બુધસિંહ, જયસિંહને બનેવી. વળી આજ તેનો તે અતિથિ, જયસિંહના મનમાં એ દઢ અનિલાષ હતું જે બુંદી રાજાને કઈ રીતે અંબરમાં રાખી બુંદી રાજ્ય હસ્તગત કરવું. એ અભિલાષ સાધવા જયસિંહે બુંદી રાજને કહ્યું જે અંબરને બુંદીથી ભિન્ન માનશો નહિ. આ અંબર તમારૂ જ. તમે થોડા રોજ અહિં રહો આવશ્યકીય ખર્ચ માટે તમે રોજીંદા પાંચ રૂપિયા પામશો, એ વચન સાંભળી બુધસિંહના કાકાના મનમાં વિષમ સંદેડ પેદા થયે, તેણે ભત્રીજાને છાનાઈથી કહ્યું જે “ જયસિંહને દુરભિસંધિ શું તમે જાણી શકતા નથી ” તમને અહીં રાખી એ આશામી બુંદી હસ્તગત કરવા ચેષ્ટા કરે છે” તેણે તે સમયે બુંદીમાં પત્ર લખ્યું અને પુરાણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy