Book Title: Tod Rajasthan Vol 01
Author(s): Savailal Chotalal Vohra
Publisher: Purushottamdas Gigabhai Shah

View full book text
Previous | Next

Page 851
________________ ૭પ૬ ટોડ રાજસ્થાન, ~ પ્રસિધ્ધ વોલ નગર : છે ત્યારપછી કેટલા પુરૂષો થયા પછી તેના વંશમાં નળ નામને એક પુરૂષ પેદા થયો તે પોતાનો પ્રદેશ ત્યાગ કરી પશ્ચિમ તરફ ગયે. તેણે સંવત ૩૫૧ (ઈ.સ. ૨૮૫) માં નસ્વાર અને પિરાણિક નૈષધ રાજ્ય સ્થાપ્યું. કેટલાક ભાદૃ શેમાં વર્ણવેલ છે, જે નૈષધ રાજ્ય સ્થાપ્યા પૂર્વે તેઓ લાહોર અને ગ્વાલીયર નગરમાં થોડા દિવસ રહ્યા, વાહાર હાલ કચ્છવાગાર નામે પ્રસિધ્ધ છે, મહારાજનલનાં વંશધરે પાળનામના ઉપાધિવાળા છે. તે ઉપનામ તેનાથી નીચેના તેત્રીશ પુરૂષ આવેલા સોરસિંહ સુધી ભગવાયું છે સેરસિંહના પુત્ર લાયે પિતૃ રાજ્યમાંથી દુરી કૃત થઈ સંવત ૧૨૩ (ઈ.સ. ૯૬૭) ધુંદર રાજ્ય સ્થાપ્યું, નરાધારના પ્રસિદ્ધ રાજા શારસિંહના પલકવાસ ઉપર તેના ભાઈએ તેનું રાજ્ય બલ પૂર્વક છીનવી લીધું. મહારાજશેરસિંહને ઢોલારાય નામને એક પુત્ર હતે જે તેના પિતાના પરલોકવાસ ઉપર બાળક ઉમ્મર હતે. દેહનું દાચરણ જોઈ, ઢોલારાયની માએ પિતાના કુમારને એક કડીયામાં મુકી, દીનવેશ ધારણ કરી કડીઓ લઈ પિતાની રાજધાની છેડી; કડીઓ માથે લઈ તે રાજ્યની પશ્ચિમ દિશાએ ચાલી. થોડા સમય પછી તે ખગંગ નામના નગરમાં પહોંચી, ખોગિંગ જયપુરથી પાંચ માઇલ દુરે આવેલું. તે સમયે તેમાં મીન લેક વસતા હતા. કઠેર માર્ગ શ્રમથી અને શુકપિપાસાથી કાતર થઈ રાજ મહિષી પિતાના કુમારને કડીયા સાથે જમીન ઉપર મુકી પાસેના વજ્ય વૃક્ષથકી ફળ ચુંટવા લાગી વન્ય ફળ ચુંટતાં ચુંટતાં તેણે પાછું ફરી રાજકુમાર તરફ જોયું તેણે જોયું જે એક માટે અજગર પિતાની વિશાળ ફણ તે કંડીયા ઉપર ફેરવે છે. પુત્રના પ્રાણ નાશે ભય ધામેલી રાજમહિષિ ચિત્કાર કરવા લાગી, તે આર્તનાદ સાંભળી એક પરિ ક પુરાણમાં ત્રણ નળનું વિવરણ જોવામાં આવે છે, તેમાં બે નળ સૂર્યવંશીય અને એક નળ ચંદ્રવંશીય, સૂર્યવંશીય નળમાં એક નળ વીરસેનને પુત્ર, અને બીજે નળ કુશને પિત્ર નિષેધને પુત્ર. नलौद्धावेव विख्यातीवंश कस्यपसंभवे । धीरसेनसुत स्तद्यन्नैषधस्वनराधियः ॥ मत्स्य पुगणं ત્રીજે નળ ચંદ્રવંશીય તેજ નિષેધનો પુત્ર સતી પ્રધાન દમયંતી તેની પત્ની પણ આ સ્થળે ઉપર કહેલા નળમાંથી તેને પોતે જાણવું કઠણ છે. જ્યારે ટોડ સાહેબના મતના અનુસાર તેને દમયંતીને પતિ નળ કહીએ તે નળ ચંદ્રવંશીય અને કુશાવર કુળ ચંદ્ર વંશીય થઈ પડે. સંવત, ૩૫૧ [ઈ. સ. ૨૮૫ ]ના વર્ષ બહુ પુર્વે નળ થયો એમ કહેવાય, શાથી કે મહાભારતમાં તે આખ્યાન છે. કેટલાકનું માનવું એવું છે, જે મહાભારતમાં નળ દમયંતીનું આખ્યાન સંક્ષિમ છે. તેમ થવાથી શ્રી રામચંદ્રના પુર્વવર્તી બારમા પુરૂષે આવેલા તુપર્ણ સાથે નળનું સમ સામાયિકપણું થાય ખરું? તે પણ પ્રક્ષેપનું કપિલ કલ્પિત ! જ્યારે કુશાવહ રજપુતે સૂર્યવંશીય કે ચંદ્ર વંશીય એ બાબતની ખરી મિમાંસા થઈ શકતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914