________________
૪૫૪
શ્રીમદ્ રાજચંદ્ર
પ૭૨ મુંબઈ, ફાગણ વદ ૭, રવિ, ૧૯૫૧ સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધનમુક્ત થાય નહીં, એ સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે.
કેઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા ગ્ય છે, કેમકે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજાઈ, તેની નિવૃત્તિ સૂઝે, એમ બનવું બહુ કઠણ છે; માટે જ્ઞાની પુરુષને આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે.
- જ્ઞાની પુરુષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતું નથી, જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનને વિચાર કરવાથી, તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જેવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે.
જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચવિષયાદિ દોષે છે. તે દોષ થવાનાં સાધનથી જેમ બને તેમ દૂર રહેવું, અને પ્રાપ્તસાધનમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તે તે સાધનેમાંથી અહંબુદ્ધિ છોડી દઈ, રંગરૂપ જાણું પ્રવર્તવું ઘટે. અનાદિ દોષને એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે. કેમકે આત્મા તે દોષને છેદવા પિતાની સન્મુખ લાવે છે કે, તે સ્વરૂપાંતર કરી તેને આકર્ષે છે, અને જાગૃતિમાં શિથિલ કરી નાંખી પિતાને વિષે એકાગ્રબુદ્ધિ કરાવી દે છે. તે એકાગ્રબુદ્ધિ એવા પ્રકારની હોય છે કે, “મને આ પ્રવૃત્તિથી તે વિશેષ બાધ નહીં થાય, હું અનુક્રમે તેને છોડીશ; અને કરતાં જાગૃત રહીશ એ આદિ બ્રાંતદશા તે દેષ કરે છે, જેથી તે દોષનો સંબંધ જીવ છેડતે નથી, અથવા તે દોષ વધે છે, તેને લક્ષ તેને આવી શકતું નથી.
એ વિરોધી સાધનને બે પ્રકારથી ત્યાગ થઈ શકે છે એક તે સાધનના પ્રસંગની નિવૃત્તિ, બીજે પ્રકાર વિચારથી કરી તેનું તુચ્છપણું સમજાવું.
વિચારથી કરી તુચ્છપણું સમજાવા માટે પ્રથમ તે પંચવિષયાદિના સાધનની નિવૃત્તિ કરવી વધારે એગ્ય છે, કેમકે તેથી વિચારને અવકાશ પ્રાપ્ત થાય છે.
તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું જીવનું બળ ન ચાલતું હોય ત્યારે, ક્રમે કમે, દેશે દેશે તેને ત્યાગ કરે ઘટે; પરિગ્રહ તથા ભેગે પગના પદાર્થને અલ્પ પરિચય કરે ઘટે. એમ કરવાથી અનુક્રમે તે દોષ મેળા પડે, અને આશ્રયભક્તિ દ્રઢ થાય; તથા જ્ઞાનીનાં વચનનું આત્મામાં પરિણામ થઈ તીવ્રજ્ઞાનદશા પ્રગટી જીવન્મુક્ત થાય.
જીવ કોઈક વાર આવી વાતને વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિનદિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તે અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એ આશ્રયભક્તિમાર્ગ સિદ્ધ થાય. એ જ વિનંતિ.
આ૦ સ્વ. પ્રણામ.
૫૭૩ મુંબઈ, ફાગણ વદ ૧૧, શુક, ૧૯૫૧ જન્મ, જરા, મરણાદિ દુ:ખે કરી સમસ્ત સંસાર અશરણ છે. સર્વ પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મસ્વભાવને પામ્યા છે, અને નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી, અને સંગના મોહે પરાધીન એવા આ જીવને વિચાર પ્રાપ્ત થ દુર્લભ છે.
આ૦ સ્વ૦ પ્રણામ.
Jain Education International
ation International
For Private & Personal Use Only
www.jainelibrary.org