________________
વર્ષ ૩૦ મું
પ૯૭ ૭૬૮ વવાણિયા, ચૈત્ર સુદ ૪, સોમ, ૧૫૩ શુભેચ્છાયુક્ત શ્રી કેશવલાલ પ્રત્યે, શ્રી ભાવનગર.
કાગળ પ્રાપ્ત થયો છે. આશંકાનું સમાધાન આ પ્રમાણે છે :– એ કેંદ્રિય જીવને અનુકૂળ સ્પર્શાદિની પ્રિયતા અવ્યક્તપણે છે, તે “મૈથુનસંજ્ઞા” છે. એકેંદ્રિય જીવને દેહ અને દેહના નિર્વાહાદિ સાધનામાં અવ્યક્ત મૂર્છારૂપ “પરિગ્રહ-સંજ્ઞા” છે. વનસ્પતિ એકેદ્રિય જીવમાં આ સંજ્ઞા કંઈક વિશેષ વ્યક્ત છે.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન એ આઠે જીવના ઉપયોગરૂપ હોવાથી અરૂપી કહ્યાં છે. જ્ઞાન અને અજ્ઞાન એ બેમાં મુખ્ય ફેર આટલે છે, કે જે જ્ઞાન સમકિતસહિત છે તેને “જ્ઞાન” કહ્યું છે અને જે જ્ઞાન મિથ્યાત્વસહિત છે તેને “અજ્ઞાન” કહ્યું છે. પણ વસ્તુતાએ બન્ને જ્ઞાન છે.
“જ્ઞાનાવરણીયકર્મ” અને “અજ્ઞાન” એક નથી; “જ્ઞાનાવરણીયકર્મ જ્ઞાનને આવરણરૂપ છે, અને અજ્ઞાન” જ્ઞાનાવરણીયકર્મના પશમરૂપ એટલે આવરણ ટળવારૂપ છે.
“અજ્ઞાન” શબ્દને સાધારણ ભાષામાં “જ્ઞાનરહિત” અર્થ થાય છે. જેમ જડ જ્ઞાનથી રહિત છે તેમ; પણ નિગ્રંથ પરિભાષામાં તે મિથ્યાત્વસહિત જ્ઞાનનું નામ અજ્ઞાન છે; એટલે તે દ્રષ્ટિથી અજ્ઞાનને અરૂપી કહ્યું છે.
એમ આશંકા થાય કે જે અજ્ઞાન અરૂપી હોય તે સિદ્ધમાં પણ હોવું જોઈએ, તેનું સમાધાન આ પ્રમાણે છે :-– મિથ્યાત્વસહિત જ્ઞાનનું નામ “અજ્ઞાન કહ્યું છે, તેમાંથી મિથ્યાત્વ જતાં બાકી જ્ઞાન રહે છે, તે જ્ઞાન સંપૂર્ણ શુદ્ધતાસહિત સિદ્ધ ભગવંતમાં વર્તે છે. સિદ્ધનું, કેવળજ્ઞાનીનું અને સમ્યદ્રષ્ટિનું જ્ઞાન મિથ્યાત્વરહિત છે. મિથ્યાત્વ જીવને બ્રાંતિરૂપે છે. તે બ્રાંતિ યથાર્થ સમજાતાં નિવૃત્ત થઈ શકવા યંગ્ય છે. મિથ્યાત્વ દિશાબ્રમરૂપ છે.
શ્રી કુંવરજીની જિજ્ઞાસા વિશેષ હતી, પણ કોઈ એક હેતુવિશેષ વિના પત્ર લખવાનું હાલ વર્તતું નથી. આ પત્ર તેમને વંચાવવાની વિનંતિ છે.
વિવાણિયા, ચૈત્ર સુદ ૪, ૧૫૩ ત્રણ પ્રકારનાં સમકિતમાંથી ગમે તે પ્રકારનું સમકિત આવે તે પણ વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ થાય; અને જે તે સમકિત આવ્યા પછી જીવ વમે તે વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તનકાળ સુધી સંસારપરિભ્રમણ થઈને મેક્ષ થાય.
તીર્થંકરના નિગ્રંથ, નિગ્રંથિનીઓ, શ્રાવક અને શ્રાવિકાઓ સર્વને જીવઅજીવનું જ્ઞાન હતું તેથી સમતિ કહ્યું છે એમ કંઈ નથી. તેમાંના ઘણું જીવને માત્ર સાચા અંતરંગ ભાવથી તીર્થંકરની અને તેમના ઉપદેશેલા માર્ગની પ્રતીતિથી પણ સમતિ કહ્યું છે. એ સમકિત પામ્યા પછી જે વસ્યું ન હોય તે વધારેમાં વધારે પંદર ભવ થાય. સાચા મોક્ષમાર્ગને પામેલા એવા પુરુષની તથારૂપ પ્રતીતિથી સિદ્ધાંતમાં ઘણે સ્થળે સમકિત કહ્યું છે. એ સમકિત આવ્યા વિના જીવને ઘણું કરીને જીવ અને અજીવનું યથાર્થ જ્ઞાન પણ થતું નથી. જીવ-જીવનું જ્ઞાન પામવાને મુખ્ય માર્ગ એ જ છે.
૭૭૦
વવાણિયા, ચૈત્ર સુદ ૪, ૧૯૫૩ જ્ઞાન જીવનું રૂપ છે માટે તે અરૂપી છે, ને જ્ઞાન વિપરીત પણે જાણવાનું કાર્ય કરે છે, ત્યાં સુધી તેને અજ્ઞાન કહેવું એવી નિગ્રંથ પરિભાષા કરી છે, પણ એ સ્થળે જ્ઞાનનું બીજું નામ જ અજ્ઞાન છે એમ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org