Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
# નમઃ | अनन्तलब्धिनिधान-श्रीगौतमस्वामिने नमः ॥
श्रीजिनमण्डनगणिविरचितश्राद्धगुणविवरण ।
प्रणम्य श्रीमहावीरं, केवलज्ञानभास्करम् ।
વદિત વનસુબદ્ધ,-ધર્મ શ રામ છે ? શબ્દાથે--કેવળજ્ઞાને કરી સૂર્ય સમાન શ્રીમન્મહાવીર ભગવાનને નમસ્કાર કરીને સુખના એક અદ્વિતીય) કારણરૂપ શુદ્ધ શ્રાવક ધર્મનું કંઈક (સંક્ષિપ્ત રૂપમાં) વર્ણન કરું છું. ૧
ભાવાર્થ-–ભગવાન નિન્ય જ્ઞાતપુત્રે મોક્ષના સાધન માટે બે પ્રકારના ધર્મો કહ્યા છે, તેમાં એક મુનિધર્મ અને બીજે ગૃહસ્થ ધર્મ, તેમાંથી આ ગ્રન્થકાર જિનમંડન ગણ મહારાજ મુનિધર્મ માટે ન બોલતાં પ્રથમ પાયારૂપ ગૃહસ્થધમ હોવાથી તથા ગૃહસ્થધર્મ મુનિધમથી સરલ અને સુસાધ્ય હોવાથી પ્રથમ તે ધર્મનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા કરે છે. પ્રતિજ્ઞા કરતાં ગ્રન્થકાર મહારાજ કહે છે કે-હું સંક્ષેપમાં શ્રાવકના ગુણેનું વર્ણન કરું છું. આમ કહેવાનું કારણ ઉપાસકદશાંગસૂત્ર તથા શ્રાવકજ્ઞપ્તિ, શ્રાવકધર્મવિધિપ્રકરણ, શ્રાવકહિનકૃત્ય, ધર્મરન, ચોગશાસ્ત્ર, ધર્મ બિન્દુ વિગેરે બીજા અનેક ગ્રંથામાં શ્રાવકના ગુણોનું વર્ણન અતિવિસ્તારપૂર્વક આપેલું છે, પરંતુ આ કાલના મનુષ્યને તેવા ગ્રન્થો જોવાનું સામર્થ્ય અલ્પ હોવાથી તેમજ જ્ઞાનની ન્યૂનતા હોવાથી અલ્પ સમયમાં ઈચ્છિત બાધ પ્રાપ્ત થાય તેવા હેતુથી આ શ્રાદ્ધગુણવિવરણ સંક્ષેપમાં લખવાનું ગ્રંથકારે ઉચિત ધાર્યું હોય એમ લાગે છે.
મંગલાચરણમાં શ્રીમદ્દ વીરભગવાનને નમસ્કાર કરવાનું કારણ શાસનનાયક છે માટે તથા એ ભગવાને બતાવેલા શ્રાવકના થનું આ ગ્રંથમાં વર્ણન છે, કારણ કે