Book Title: Shraddhagun Vivaran Bhashantar
Author(s): Jinmandangani, Chaturvijay, Vijaykalyansuri
Publisher: Vijaynitisuri Jain Library
View full book text
________________
૧૭૦
શ્રાધ્ધગુણવિવરણ હોય, તે શેરીરુપ અન્યાય વિગેરેમાં પ્રવૃત્તિ કરવાથી અનર્થને આપનારા અને પિતાની ઈચ્છા પ્રમાણે વર્તન કરનારા થાય છે. જેમ સાગર શ્રેણીના છોકરાઓની વહુ પિતાની ઈચ્છા પ્રમાણે વર્તનારી થઈ હતી, તેમ થાય. તેનું દૃષ્ટાંત આ પ્રમાણે છે.
ચંપાપુરમાં સાગર નામે એક શેઠ હતો. તેને ચાર પુત્રો અને તેમની ચાર વહુઓ હતી. કાળે કરી સાગર શેઠની ભાર્યા મરણ પામી, પોતે કૃપણ હેવાથી તૃષ્ણાથી ચપલ થયેલી ચિત્તની વૃત્તિવાળો સાગર શેઠ હમેશાં ઘરમાં જ રહેતો હિતે. જે ઘરનું કઈ પણ માણસ તેની દષ્ટિએ મનહર ભજન કરે, સુંદર વસ્ત્ર પહેરે કે નાન, દાન વિગેરે કરે તે તેની સાથે તે અહેનિશ કજીઓ કરતે. વધારે તે શું પણ કોઈ અનાજની કણવૃત્તિ પણું આપવાને સમર્થ ન હતું. આ પ્રમાણે કરવાથી શેઠને સઘળા પરિવાર હેરાન થવા લાગ્યો. પછી શેઠના પુત્રની ચારે વહુએ જ્યારે રાત્રિમાં શેઠ સુઈ જાય ત્યારે પિતાની ઈચ્છા પ્રમાણે ભજન કરવા લાગી, ઈચ્છા પ્રમાણે કીડા કરવા લાગી અને સર્વ ઠેકાણે ભ્રમણ કરવા લાગી. એક વખતે તે ચારે વહુઓને એક ગિની મળી. પછી પ્રસન્ન થએલી તે ચેગિનીએ તે વહુઓને આકાશગામિની વિદ્યા આપી. તે પછી પશુને બાંધવાનાં સ્થાનમાં રહેલા એક મોટા કાણ ઉપર આરૂઢ થઈ આકાશમાં ગમન કર્યું અને સર્વ ઠેકાણે ક્રીડા કરી પાછલી રાત્રે આવી તે કાઇને જ્યાં ત્યાં નાંખી સૂઈ ગઈ. એવી રીતે હમેશાં રાત્રિને વિષે ગમનાગમન કરે છે. એક દિવસે પશુને બાંધવાની અને દેહવાની ફિકર કરનાર અને કાકનું પાં ત્યાં પડવાના કારણને જાણવાની ઈચ્છાવાળા નોકરે રાત્રિમાં ગુપ્ત રીતિથી જોઈ લીધું અને વહુઓનું ચરિત્ર તેને જાણવામાં આવ્યું. પછી તેણે વિચાર કર્યો કે-આવતી કાલે હું તપાસ કરીશ કે આ વસ્તુઓ કયાં જાય છે? તદનંતર બીજા દિવસની સાયંકાળે સર્વ પશુઓને બાંધી દેહી વિગેરે કાર્ય કરી તે કાષ્ઠના પોલાણમાં પ્રવેશ કરીને બેસી રહ્યો. રાત્રિને વિષે પ્રથમની પેઠે તે કાણ આકાશમાં ચાલ્યું અને અનુક્રમે સુવર્ણદ્વીપમાં ગયું. ત્યાં ચારે વહુઓ લાકડાં ઉપરથી ઉતરીને વનમાં ભ્રમણ કરવા લાગી. તે નોકર પણ કાષ્ઠથી બહાર નીકળીને જ્યાં જુવે છે ત્યાં સુવર્ણને જ જુવે છે. તે જોઈ વિમય પા. વહુઓના આવવાના વખતે કેટલુંએક સુવર્ણ ગ્રહણ કરી તે નેકર પ્રથમની રીતિ પ્રમાણે કાષ્ઠના પિલાણમાં પ્રવેશ કરી ગયે. એટલામાં તે વહુઓ આવી અને કાઈ યંત્રશક્તિથી આકાશમાં ઉડયું. વહુઓ